________________
ઇતિહાસ ]
: ૫ :
પાલીતાણા કાર્ય જે તે વખતના પાલીતાણું સ્ટેટના મેનેજર મેજર સ્ટ્રોંગ સાહેબે પાઠશાલા માટે પાંચ વીઘા જમીન તદન અપ મૂલ્ય ભેટ આપી હતી. ત્યાં ભાવિ ગુરુકુલને ચોગ્ય ભવ્ય મકાન બંધાયાં. મહારાજશ્રીએ તનતોડ મહેનત કરી સંસ્થાને ઉન્નત અને ભવ્ય બનાવી મુંબઈની કમિટીને આ સંસ્થાની વ્યવસ્થાનું કાર્ય સોંપ્યું અને મહારાજશ્રીની ઈચ્છાનુસાર સંસ્થાનું નામ શ્રી યશોવિજયજી જેન ગુરુકુલ રાખવામાં આવ્યું છે.
અત્યારે આ સંસ્થા ઘણા જ ઊંચા પાયા પર ચાલે છે. તેના વ્યવસ્થાપકે ઉત્સાહી અને સમાજસેવી છે ગુરુકુલમાંથી સંખ્યાબંધ સાધુઓ પણ થયા છે. સંસ્થાની ઘરની સ્કુલ, સિંધી વિદ્યાભૂવન, જિનમંદિર, ગુરુમંદિર (કે જ્યાં સંસ્થાના
સ્થાપક આત્મા મહાત્મા શ્રી ચારિત્રવિજયજી મહારાજની ભવ્ય વિશાલ મૃતિ બિરાજમાન છે ), પ્રાર્થનામંદિર, જ્ઞાનમંદિર, લાયબ્રેરી વગેરે વિભાગ ઘણા જ સુંદર છે. સંસ્કૃત પ્રાકૃત વિભાગ પણ ચાલુ થશે એવી ભાવના છે. પાલીતાણા સ્ટેશન ઉપર ઉતરતાં પ્રથમ જ જૈન સમાજના આ ભવ્ય ગુરુકુલનાં દર્શન થાય છે. સેંકડે વિદ્યાથીઓ કર્લોલ કરતા વિદ્યાધ્યયન કરી જ્ઞાનામૃતનું મધુર ભેજન પામી આત્માનંદ મેળવે છે. જેન બાલાશ્રમ–
છપ્પનના દુષ્કાળ સમયમાં આ સંસ્થા સ્થપાઈ હતી. આ સંસ્થા અનાથે જૈન વિદ્યાર્થીઓને બધાં સાધને પૂરાં પાડી વિદ્યાભ્યાસ કરાવે છે. સંસ્થા ઘણાં વરસો સુધી ભીડભંજન મહાદેવના મકાનમાં હતી. હમણાં તળાટીના રસ્તા ઉપર ભવ્ય બિડીંગ બની છે. જીવનમંદિર, લાયબ્રેરી ઈત્યાદિની વ્યવસ્થા સારી છે ગરીબ વિદ્યાર્થીઓને આશીવાદરૂપ છે. શ્રી સિદ્ધક્ષેત્ર જન શ્રાવિકાશ્રમ
. આ સંસ્થા જેન શ્રાવિકાઓ-સધવા છે કે વિધવા, તથા કુમારિકાઓને ધામિક, નૈતિક, વ્યવહારિક અને ઔદ્યોગિક શિક્ષણ આપવાના હેતુથી સ્થપાએલી છે. શ્રી હેમચંદ્રાચાર્યજી પાઠશાલા–
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી આ સંસ્થા ચાલે છે. ખામ માધુ મહાત્મા, સાધ્વીજીઓને સંસ્કૃત પ્રાકૃત ધાર્મિક સિધ્ધાંતનું નામ આપવા આ સંરધા ચાલે છે. શ્રાવક-શ્રાવિકાઓને પણ સમય મળે છે. આ સંસ્થા ઘણી સારી છે ખાસ જૈન પંડિત દ્વારા અધ્યાપન કાર્ય ચાલે છે. વીરબાઈ પાઠશાલા
આ પાઠશાળા શેઠ કેશવજી નાયકની ધર્મપત્ની વીરબ રાપી છે. પાઠશાળા માટે વિશાળ ભવ્ય મકાન છે. સાધુ-સાધ્વીઓ અને શાળાવિક એને