Page #1
--------------------------------------------------------------------------
________________
श्राछगुण विवरण.
..
are
श्री जैन आत्मानंद सभा,
Page #2
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
- સદુર હતુતિ. सज्झानामृतवर्षणे गतमदो भव्यांगिनां भारते, रक्तःशुदविचारचारु चरितः सम्यक्सदासंवृतः द्रव्यक्षेत्र स्वभावकालनीतिषु आज्ञां सदा निर्वहन , श्राद्धानांगुणसंनिधिवितरणे आनंदसूरिं स्तुमः
આ ભરતક્ષેત્રમાં ભવ્ય જનને નિર્મળપણે સત્યજ્ઞાનરૂપ અમૃત જેમણે સિંચ્યું છે, જેઓ હંમેશાં નિર્મળ અંત:કરણવાળા, સદાચારમાં તત્પર અને ઇદ્રિયદમનમાં પ્રવૃત્ત હતા, શ્રી જિનેશ્વરની દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ રાજનિતિનું પાલન કરતા હતા, તે શ્રીમદ્ વિજયાનંદસૂરિને પ્રસ્તુત “શ્રાદ્ધગુણ વિવરણ” ના પ્રારંભમાં સ્તવીએ છીએ.
Page #3
--------------------------------------------------------------------------
________________
હતી.
છે
A
)
છે. ?
RE? 02/
જન
ન્યાયાભાનિધિ શ્રીમવિજયાનંદસૂરી.
( આત્મારામજી મહારાજ )
The Bombay Art Printing Works, Fort
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
वोरा हठीसंग झवेरचंद सीरीश नंबर १ लो.
परमर्षि श्री जिनमंडनगणि विरचित,
श्री
'
S
श्राछगुण विवरण नाषांतर.
(જિન વચનામૃત મહોદધિમાંથી પરમર્ષિ ગીતાર્થ વચન તરંગ બિન્દુરૂપ શ્રાવકધર્મરૂપી કલ્પવૃક્ષના ઉત્તમ ગુણોરૂપી પુનું દષ્ટાંત યુક્ત
વિસ્તાર વડે વિવેચન.)
અનુવાદક, (પ્રવર્તકજી મહારાજ શ્રી કાન્તિવિજયજી મહારાજના શિષ્ય)
શ્રીમાળ્યુનિરાજ શ્રી ચતુરવિજયજી મહારાજ
વિરા હઠીસંગ ઝવેરચંદ ભાવનગર નિવાસીની
આર્થિક સહાય વડે,
પ્રસિદ્ધ કર્તા, શ્રી જૈન આત્માનંદભા–ભાવનગર,
-
---
-
ભાવનગર-ધી આનંદ પ્રી. પ્રેસમાં શા. ગુલાબચંદ લલુભાઈએ છાપ્યું.
વીર સંવત ૨૪૪૨. આત્મસંવત ૨૧. વિક્રમ સંવત ૧૯૭૨. ઇ. સ. ૧૯૧૬.
શ્રી આત્માનંદ જેન ગ્રંથમાળા ન. ૩૦
Page #6
--------------------------------------------------------------------------
________________
ch
श्रद्धालुतां श्राति शृणोति शासनं, धनं वपेदाशु वृणोति दर्शनम् । कृंतत्य पुण्यानि करोति संयमं तं श्रावकं प्राहुरमी विचक्षणाः ||
ભાવા—જે શ્રદ્ધાળુપણાને દઢ કરે, જિનેશ્વર ભગવાનની આજ્ઞાને શ્રવણ કરે, શુભ ક્ષેત્રમાં દ્રવ્યને શિશ્ન વાવે (વ્યય કરે ) જિન દર્શનને ( સમ્યક્ત્વને) વરે, ( આદરે), પાપાના નાશ કરે, અને સંયમ કરે, (મન ઇંદ્રિયોને વશ કરે ) તેમને વિચક્ષણુ પુરૂષા શ્રાવક કહે છે. શ્રીમદ્ જિનમ ડનગણિ, )
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
eeeeeeeeeeeeeeSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
( શ્રીમાન્ પ્રવર્ત્ત કજી શ્રીકાન્તિવિજયજી મહારાજના શિષ્ય.)
MALA
2023 2
મુનિરાજ શ્રી ચતુરવિજયજી મહારાજ, ( શ્રી શ્રાદ્ધ ગુણવિવરણુગ્રંથના ભાષાંતર કર્યાં. )
The Bombay Art Printing Works, Fort.
eeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeees.
Page #9
--------------------------------------------------------------------------
________________
Jobણીવઝ-4-20%-30 %
3
મે
- * *
પરમકૃપાળુ શાંતમૂતિ શ્રીમદ્દ હંસવિજયજી મહારાજ તથા શ્રીમાન્ પંન્યાસજી મહારાજ શ્રી સંપત્તવિજયજી મહારાજ શુમારે સાત વર્ષ ઉપર આ શહેરમાં પધાર્યા હતા, ઘણાંજ થેલા દિવસની અત્રે સ્થિરતા છતાં તે દરમ્યાન આ શ્રાદ્ધગુણ વિવરણ ગ્રંથ વ્યાખ્યાનમાં વાંચતા હતા, તે વખતે તેઓ સાહેબ શ્રાવકવર્ગ માટે આ ગ્રંથની એટલી બધી ઉપયોગિતા જણાવી હતી અને સાથે આજ્ઞા કરી હતી કે, આ શ્રાવક ઉપચાગી ગ્રંથનું ભાષાંતર કરાવી આ સભા તરફથી પ્રસિદ્ધ થાય તે સમાજને ઘણેજ લાભ થશે, સાથે આ ગ્રંથમાં આર્થિક સહાય આપનાર ગૃહસ્થ વોરા હઠીસંગભાઈઝવેરચંદને પણ આવા ઉપયોગી ગ્રંથે પ્રસિદ્ધ કરવા માટે ગ્રંથદ્વારના કાર્યમાં લક્ષ્મીને વ્યય કરવા પ્રસંગનુસાર ઉપદેશ આપ્યું હતું, જે માટે આ બંને મહાત્માઓના ઉપદેશરૂપ નિમિત્તથી આ ગ્રંથની કંઈ શરૂઆત કરવાની ઈચ્છા થઈ, જે માટે ઉક્ત બંને મહાત્માઓને અંતઃકરણ પૂર્વક આભાર માનીયે છીયે. ત્યારબાદ કેટલાક સમય વિત્યાબાદ ઉક્ત ગૃહસ્થ વેરા હઠીસંગભાઈ ઝવેરચંદની ઈચ્છા આ ગ્રંથ માટે સહાય આપવાની થતાં તેનું ભાષાંતર કરાવ્યું તે પૂર્ણ થયા બાદ અત્રે સભાના સામાન્ય ધારા મુજબ તે ભાષાંતર શ્રીમાન મુનિરાજ શ્રી ચતુરવિજયજી મહારાજને સાવંત તપાસી જવા વિનંતિ કરી, જે ઉપરથી તેઓશ્રીએ તે તપાસતાં તે ભાષાંતર જોઈએ તેવું માલમ ખયું નહીં, જેથી આ સભાની નમ્ર વિનંતિથી અને તેઓશ્રીની પૂર્ણ
લાગણી હોવાથી આ ગ્રંથનું ભાષાંતર સભાઉપર કૃપા કરી પોતે કહ્યું છમ્ છન્ચ
-ઈતિ-જાણવાની જી-છાવણ)
Page #10
--------------------------------------------------------------------------
________________
નવેસરથી કરી આપવા મહદ કૃપા દર્શાવી. પિતાના જ્ઞાન, ધ્યાન, સક્ઝાય અને મુનિધર્મની ક્રિયા વગેરે કરતાં, તેમજ તે સિવાય પાટણના જેન ભંડારાની પોતાના ગુરૂરાજ પ્રવર્તકજી મહારાજ શ્રી કાન્તિવિજયજી મહારાજની સાથે ઉદ્ધાર અને વ્યવસ્થા કરતાં, તેમજ આ સભા તરફથી અને બીજાઓ તરફથી તેઓશ્રીની અત્યંત લાગણી અને કાળજીથી ગ્રંથદ્વારના કાર્યમાં આખો દિવસમાં ઘણે ટાઈમ તેઓશ્રીને વ્યતિત થતાં છતાં, ઉપરાંત વખત લઈ આ મહદ ગ્રંથનું ભાષાંતર ઘણુજ તસ્દી લઈ કરી આપી જેન સમાજ ઉપર મહદ ઉપકાર કર્યો છે. આવું સરલ અને સુંદર અલના રહિત ભાષાંતર તેઓની કૃપા વડેજ પ્રસિદ્ધ થયું છે, જેથી આ સ્થળે આ સભા તેઓશ્રીને અંત:કરણ પૂર્વક આભાર માને છે. અને આવી કૃપા તેઓશ્રીની થવાથી અને સાર્થે આર્થિક સહાયં એપિનારની ઈચ્છાથી તે ઉપકારની નિશાની તરિકે એ મહાત્માને ફેટેગ્રાફ આ ગ્રંથમાં આપી કંઈ ત્રાણુમુક્ત થઈએ છીએ.
પ્રસિદ્ધ કર.
Page #11
--------------------------------------------------------------------------
Page #12
--------------------------------------------------------------------------
________________
G
~-~
-~-~
a
-
વારા હઠીસંગભાઇ ઝવેરચંદ, શ્રી છઠ્ઠી જૈન શ્વેતાંબર કાનફરન્સની રીસેપશન કમીટીના પ્રમુખ સાહેબ,
ભાવનગર,
- થાવ છે - The Bombay Art Printing Works, Fort.
Page #13
--------------------------------------------------------------------------
________________
અર્પણ પત્રિકા.
શેઠ હઠીસંગભાઈ ઝવેરચંદ વોરા.
ભાવનગર.
આપ વ્યવહારિક સ્થિતિમાં શ્રીમાન છે. ધર્મના ઉચ્ચ સંસ્કારી કુળમાં આપના જન્મ થયેલા હેાવાથી તે સંસ્કારના મળે, આપને મળેલ ઉત્તમ લક્ષ્મીના અન્ય અન્ય પ્રસંગે તીર્થયાત્રા, ઊદ્યાપન, પ્રતિષ્ઠામહાત્સવ, જીર્ણોદ્ધાર, ગુરૂભક્તિ વગેરે ધર્માં કાર્યોમાં અંત:કરણના ધાર્મિક ઉત્સાહથી સારા વ્યય કરી આપે યશ પ્રાપ્ત કરેલ છે; વળી સાધમી બધુ પરત્વેની ઉચ્ચ લાગણીને લઈને શહેર ભાવનગરમાં મળેલ શ્રી જૈન કાન્ત વખતે કેામની સેવાના તે ઉત્તમ કાર્ય માટે આપે ઉદાર હાથથી દ્રવ્ય વાપર્યું હતુ, તે સાથે જ્ઞાનાદ્વારના કાર્ય ઉપર આપને ખાસ પ્રેમ હાઇને આ શ્રાદ્ગુણ વિવરણ જેવા મહાન ગ્રંથમાં પણ આપે સારી ઉદારતા બતાવી છે; તેને લઇને તેમજ આ સભા ઉપર પણ પુરતી પ્રીતિ ધરાવેા છે તેથી આ શ્રાવકપણાના ગુણને ધારણ કરાવનારા અને જયશ્રીની સિદ્ધિને આપનારો આ અપૂર્વ ગ્રંથ આપશ્રીને અર્પણ કરીએ છીએ.
પ્રસિદ્ધ કì.
Page #14
--------------------------------------------------------------------------
________________
了的
Page #15
--------------------------------------------------------------------------
________________
प्रस्तावना
રરર
પ્રત્યેક મનુષ્ય પોતાના જીવનને ઉદ્દેશ સમજી ઉત્તમ અધિકારી થવું જોઈએ. તેવો અધિકાર Sws પ્રાપ્ત કર્યા સિવાય આ વિશાળ સંસારસાગરમાં પિોતપોતાની શક્તિ-અનુસાર પ્રયત્ન કરીને પ્રત્યેકને જીવનનૌકા માટે જે માર્ગ કાઢવો પડે છે, તે કાઢી શકાતું નથી. આપણી પાછળ અનંતકાળ વિતેલ હોય છે અને આપણે જીવનદશામાં જેમ જેમ આગળ વધતા જઈએ છીએ, તેમ તેમ આપણી સમક્ષ વિશાળ અને અભેદ્ય ભવિષ્યકાળ પણ આગળ વધતો જ હોય છે, એવી રીતે આપણી કર્મોએ નીમેલી મર્યાદા હોય, ત્યાં સુધી એ જીવનયાત્રા ચાલતી રહે છે, અને અંતે કાળ આપણને આ સંસારના મહાન રણાંગણમાંથી ઉપાડી જાય છે, પણ તે સમયે આપણે મહાન સમરાંગણમાં કેટલા વિજયી થયા છીએ કે પરાજિત થયા છીએ, એ વાતને નિર્ણય આપણને અધિકારજ કરાવે છે.
એ ઉત્તમ અધિકાર સંપાદન કરવાનું સાધન ગુણો છે. પ્રત્યેક મનુષ્ય પ્રાણુમાં કર્માનુસાર બીજરૂપે કિંવા વિશેષ સ્પષ્ટરૂપે એ ગુણોની પ્રેરણા રહેલી હોય છે. તે ગુણોનો જ્યારે વિકાશ થાય છે, ત્યારે મનુષ્ય જીવનની ભવ્યતા પ્રકાશી નીકળે છે. કર્મ પુદ્દગલના અનાદિ સંબંધથી વિચિત્ર વેશને ધારણ કરી આત્મા આ સંસારની ચતુર્વિધ ગતિમાં ભ્રમણ કર્યા કરે છે, તેમાં
જ્યારે સુકર્મવેગે તેને મનુષ્ય ગતિ પ્રાપ્ત થાય છે, ત્યારે તે ગુણ મેળવવાને પૂર્ણ અધિકારી થઈ શકે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રમય આત્માનું વાસ્તવિક સ્વરૂપ જેવાને અને જાણવાને જે ગુણેની આવશ્યકતા છે, તે ગુણે મનુષ્ય ગતિમાં સારી રીતે મેળવી શકાય છે. ભગવાન તી
કરેએ પણ સત્રવાણીમાં એજ પ્રરૂપણું કરેલી છે. તેઓ ઉપદેશ છે કે, “આ જીવ વસ્તુતાએ શુદ્ધ છે પણ તેની શુદ્ધ દશા કર્મને લીધે દબાઈ જાય છે–આચ્છાદન પામી જાય છે, તેથી તે સ્વભાવ દશા ભુલી જઈને વિભાવદશામાં આવી પડે છે, તેથી તેણે પિતાની પરમ વીર્ય સ્પરણું કરી પિતાને શુદ્ધ સ્વભાવ પ્રગટ કરે જોઈએ.” ભગવાન દેવાધિદેવના આ ઉપદેશ ઉપરથી સિદ્ધ થાય છે કે, પ્રત્યેક મનુષ્ય આત્માએ વયસ્કરણે કરવી જોઈએ, એ વીર્ય સ્કરણા આત્મીય ગુણોને લઈને જ પ્રગટ કરી શકાય છે, અને તેથી ખરેખરી માનસિક ઉન્નતિ મેળવી શકાય છે.
આ સંસારના નિત્ય વ્યવહારમાં રહીને ધર્મને અધિકાર અથવા ધમની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે તેવા ઉચ્ચ ગુણોની પૂર્ણ આવશ્યકતા છે. મનુષ્યને આ સંસારમાં અનેક પ્રકારની
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રકૃતિઓના સંસર્ગમાં આવવું પડે છે તેથી પિતાને અવશ્ય કર્તવ્ય જે જે વ્યવહાર હોય તેમાં જે જે પ્રકૃતિને યોગ થાય તેને પિતાના વ્યવહારિક કાર્ય એટલે જ સંબંધ રાખી પિતાના મુખ્ય નિશ્ચયમાં વિક્ષેપ થવા દેવો નહિ. આપણા શુભ નિશ્ચયને વિરોધી એવા વિચારથી તણાઈ જવા કરતાં, આપણાં શુભ વિચારમાં અન્ય જનો દોરાય તેમ કરવાને યત્ન રાખવો, મૈત્રી આદિ ઉત્તમ ભાવનાઓથી દોરાઈ સર્વ પ્રાણીમાત્ર તરફ વાત્સલ્ય પ્રેમ પ્રસાર અને સર્વોપયોગી ગ્રહાવાસમાં રહીને પણ અનાસક્તિ રાખી, સમભાવે વત્ત મનુષ્યજીવનને ઉન્નત કરતાં જવું, એ ઉત્તમ શિક્ષણના પાઠ ગુણ મેળવવાથી જ પ્રાપ્ત કરી શકાય છે. આહાર, વિહાર, વિચાર, વાંચન, સંગત, વ્યવહાર આદિ સર્વ પ્રવૃત્તિમાં જે ઉત્તમ ગુણોને પ્રકાશ પાડવામાં આવશે, તે પછી તમને આ વિષમય સંસાર પણ અમૃતમય લાગશે, કેઈ સ્થાને દુરાગ્રહ કે અનાદરની બુદ્ધિ ઉત્પન્ન થશે નહિ. કોઈ પ્રિય પદાર્થને અભાવે કલેશ થશે નહિ, પરજીવનમાં પણ સ્વજીવન એટલે સુધી ભળી ગયેલું લાગશે કે અન્યના હર્ષશેકથી તમને હર્ષશોક થયા વિના રહેશે નહિં અને શક્તિ-અનુસાર સર્વને સહાય કરવાની પણ ઈચ્છા થશે. ઉન્નત વિચારે અને ભવ્ય ભાવનાઓ શુદ્ધ થયેલા તમારા અંતઃકરણરૂપી દર્પણમાં વધારે સ્પષ્ટ રીતે પ્રતિબિંબ પામશે, અકસ્માત તમને તમારી ઉમદા આશાઓ અને ઈચ્છાઓ પૂર્ણ થતી જણાશે; જૈન-આગમના તત્વોનું જ્ઞાન અને તેના ખુલાસા સ્વતઃ પ્રાપ્ત થઈ આવશે, તમારી દષ્ટિજ કઈ દિવ્ય પ્રકારે ખુલી જશે, શંકા, આકાંક્ષા, જડતા, પ્રમાદ, આલસ્ય, વિષયભોગેચ્છા, મિથ્યાત્વ, અસ્થિરતા, તથા ચંચળતા વગેરે દેશો તમારાથી દૂર રહેશે, અને ભવ્ય જીવનનું સ્વરૂપે પ્રાપ્ત કરી તમે ધર્મના પૂર્ણ અધિકારી થઈ શકશે.
આવી રીતે ધર્મની સંપૂર્ણ યોગ્યતા ગુણથી જ મેળવી શકાય છે, એ વાત સર્વ પ્રકારે સિદ્ધ થાય છે. હવે તે ગુણોનું સ્વરૂપ કેવું છે ? અને તે ગુણ મનુષ્યને તેના જીવનમાં કેટલા લાભકર્તા છે ? તે વિષેનું સવિસ્તર અને દષ્ટાંત સહિત વિવેચનનું જ્ઞાન પ્રત્યેક શ્રાવકે સંપાદન કરવું જોઈએ. અને તે જ્ઞાનને પિતાના નિર્મળ ચારિત્રમાં ઉતારવું જોઈએ. તેમ કરવાથી ગ્રહ
સ્થાવાસમાં રહેલા ધર્માધિકારી શ્રાવકમાં સાંસારિક ઉન્નતિની, અનુભવસિદ્ધ ધર્મકાર્યની, નીતિના નિર્મલબોધની અને છેવટે આત્મજ્ઞાનની ભાવનાએ સ્કુરિત થાય છે, તેમજ પિતાના ઉચ્ચ આશયેનું અને મહા પ્રભાવિક સમકિતનું મહાબળ પણ પ્રગટ થાય છે.
આ શ્રાદ્ધગુણ વિવરણ ગ્રંથ ઉપર્યુક્ત સર્વ માહાસ્યથી ભરપૂર છે. અને ગૃહસ્થ શ્રાવકને ધર્મને અધિકાર પ્રાપ્ત કરવામાં જે ગુણોની આવશ્યકતા છે, તેને યથાર્થ રીતે બતાવનાર છે. અને ધર્મના અધિકારી કોણ? એ પ્રશ્નને યથાર્થ નિર્ણય કરાવનાર છે. જેઓએ શ્રાવકપણાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવા નિશ્ચય કર્યો હોય, એટલે કે જેને આપણે શુદ્ધ શ્રાવક કહીએ છીએ, તેઓ આવા ગ્રંથના પ્રથમ પદે અધિકારી છે અને ખાસ કરીને તેવાઓનેજ ઉદ્દેશીને આપણાં મહોપકારી મહાત્માઓએ આવા ગ્રંથે લખેલા છે. એટલું જ નહિ પણ સર્વમાન્ય સર્વોપયોગી થઈ શકે તેમ પણ છે. આવા ગ્રંથ વાંચી, વિચારી ગૃહસ્થાવાસીઓ પિતાના યથાર્થ સ્વરૂપને સમજી શકે છે અને પરિણામે ધર્મના પૂર્ણ અધિકારિ વર્ગમાં દાખલ થઈ શકે છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થવર્ગના ઉભય લેકના શ્રેયને સાધનારા આ ગ્રંથની અંદર તેના કર્તા પરમાર્ષિ શ્રી જિનમંડનગણીએ ગૃહસ્થ ધર્મનું પ્રતિપાદન કરવાને શ્રાવકના પાંત્રીશ ગુણોનું યથાર્થ વર્ણન કરી બતાવ્યું છે અને પ્રસંગોપાત મનન કરવા યોગ્ય દષ્ટાંત આપી ગૃહસ્થ જીવનનું પરમ સાધ્ય જે ગુણ છે, તેનું છટાદાર ખ્યાન આપેલું છે. ગૃહસ્થધર્મ મુનિધર્મથી સરળ અને સુસાધ્ય છે, તેથી તેની આઘ ઉપયોગિતા સિદ્ધ કરવાને ગ્રંથકારે તે ઉપર અનેક પ્રકારે ઉ. લેખ કરેલ છે.
ગ્રંથના આરંભમાં શ્રાવક શબ્દના અર્થનું ગૌરવ ભરેલું પ્રતિપાદન કરવામાં કર્તાએ પિતાના પાંડિત્યને પ્રભાવ સારી રીતે બતાવી આપે છે. અને શ્રાવકના સત્ય લક્ષણ શાસ્ત્રીય પ્રમાણથી ઉત્તમ પ્રકારે સિદ્ધ કરી બતાવ્યા છે. તે પ્રસંગે શ્રાવકધર્મનું સ્વરૂપ, ધર્મોપદેશ આપવાની યોગ્યતા અને તેના પ્રકાર હૃદયગ્રાહી દષ્ટાંતથી એવા ઉત્તમ પ્રકારે દર્શાવ્યા છે કે, જે વાંચવાથી સામાન્ય વાચને પણ તે સરલતાથી ગ્રાહ્ય થઈ તેમ છે.
ધર્મના સામાન્ય અને વિશેષએવા બે પ્રકાર છે. સભ્ય વર્તન એ સામાન્ય ધર્મ અને - તારવતાધિરૂપ-એ વિશેષ ધર્મ ગણાય છે. તેમાં સામાન્ય ધર્મ હોય તો જ વિશેષ ધર્મ સુશોજિત થાય છે. આ લેખમાં કર્તાએ સામાન્ય ધર્મનું સ્વરૂપ દર્શાવ્યું છે. અને તેની અંદર ગૃહસ્થ શ્રાવકના ગુણનું પ્રતિપાદન કરેલું છે. પ્રથમ ગૃહસ્થ શબ્દનો અર્થ “ઃ લઇ તિઇતિ રતિ પૃથઃ” એટલે સ્ત્રી સાથે ઘર માંડીને રહે તે ગૃહસ્થ કહેવાય છે. તે ગૃહવ્યવહારની સ્થાપના વૈભવને લઈને બને છે અને તે વૈભવ ન્યાયથી મેળવવો જોઈએ. માટે ગૃહસ્થનું પ્રથમ લક્ષણ “ચાયત્રવિમવઃ ” એમ બતાવવામાં આવ્યું છે. શુદ્ધ વ્યવહારથી ( ન્યાય-પ્રમાણિકપણાથી) ઉપાર્જન કરેલી સંપત્તિ ગૃહસ્થ અને તેના પરિવારને સુખકારી થાય છે. અને તેથી ગૃહાવાસના સુખો નિઃશંકપણે ભગવાય છે. અન્યાયપાર્જિત સંપત્તિ શંકા અને ભયનું સ્થાન રૂપ બની આ લેક તથા પરલોકમાં અનર્થનું કારણ થઈ પડે છે. આ વિષે ગ્રંથકર્તાએ સ્પષ્ટ વિવેચન કરી અને ચરિતાનુયોગના પ્રાચીન દષ્ટાંતરૂપ કથાનકે આપી એ આદ્ય ગુણને દિવ્ય પ્રભાવ સારી રીતે દર્શાવ્યો છે. જેની અંદર ગૃહસ્થના જીવનને ઉજવળ અને યશસ્વી બનાવનારા દાનધર્મ વિષે પણ સારો ઇસારો કરવામાં આવ્યો છે. આ પ્રસંગે અન્યાયોપાર્જિત દ્રવ્યના ૫રિણામને દર્શાવનારૂં રંકશ્રેણીનું દષ્ટાંત ઘણું સુબોધક આપવામાં આવ્યું છે. અને તેને અંગે વ્યવહાર શુદ્ધિનું સ્વરૂપ, ન્યાયનિષ્ઠ વૃત્તિનું માહામ્ય, દેવદ્રવ્યાદિકના ભક્ષણથી થતી હાનિ, શુદ્ધ ઋજુવ્યવહારના પ્રકાર, લક્ષ્મીના યોગથી બુદ્ધિની વિચિત્રતા, તે સંબંધે ધનશ્રેણીનું દષ્ટાંત આપી ગ્રંથકારે પ્રથમ ગુણ વિષે ઘણું રસિક વિવેચન કરેલું છે.
ગૃહસ્થ ન્યાયપાર્જિત વૈભવવાળો હોય પરંતુ જો તેનામાં શિષ્ટાચારને ગુણ ન હોય તે તે યોગ્ય કહેવાય નહિ. તેથી તે પછી “ શિષ્ટાચારની પ્રશંસા કરવા રૂપ» બીજા ગુણનું વર્ણન આપવામાં આવ્યું છે. આ ઉપયોગી ગુણના વર્ણનમાં સદાચારના લક્ષણ આપવામાં આવ્યા છે કે, જેની અંદર શ્રાવક ગૃહસ્થ લોકાપવાદને ભય રાખવો, ગરીબ-નિરાશ્રિત લેકેને ન્યાત, જાત કે ધર્મને ભેદ રાખ્યા વિના ઉદ્ધાર કરે, બીજાએ કરેલા ઉપકારની કદર કરવી,
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૦
દાક્ષિણ્યતા રાખવી, કેઈની નિંદા કરવી નહિં, પુરૂષોની પ્રશંસા કરવી, વિપત્તિમાં ધેય રાખવું, સંપત્તિમાં નમ્ર થવું, પ્રસંગે થોડું બોલવું, કઈ સાથે વિરોધ કરવો નહિં, અંગીકાર કરેલું કાર્ય પુરૂં કરવું, નકામા ખર્ચ કરે નહિં, હંમેશા યોગ્ય સ્થાને ક્રિયા કરવી, સારા કામ કરવાનો આગ્રહ રાખો, પ્રમાદ છોડી દેવો, કાચારને અનુસરવું, અને જમાના પ્રમાણે ચાલવું, આ પ્રમાણે શિષ્ટાચારના લક્ષણે બતાવી તે ઉપર કૈલાંબી નગરીના ધર્મ પાળ અને વસુપાળ શ્રેણીનું અસરકારક દષ્ટાંત આપી એ બીજા ગુણના વર્ણનની સમાપ્તિ કરવામાં આવી છે.
ગૃહસ્થ શિષ્ટાચાર પાળનાર હોય પણ જે તે વિવાહ સંબંધમાં અવિચારી બની જાય તે તેની કુલ વ્યવસ્થાનો ભંગ થઈ જાય, તેથી તે પછી “સમાન કુલ તથા શીલવાલા અન્ય ગોત્રી સાથે વિવાહ સંબંધ જોડવાને ત્રીજો ગુણ આપવામાં આવ્યો છે. આ ગુણના વિવેચનમાં ધર્મ અને અધમ્મ મળી આઠ પ્રકારના વિવાહનું વર્ણન આપી તે પ્રસંગે કુલીન કન્યાના લક્ષણો તથા વિવાહને યોગ્ય વયનું સ્વરૂપ પ્રતિપાદન કરી શ્રાવક ગૃહસ્થાવાસના ઉચ્ચ બંધારણ સંબંધે સારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્ત્રી અને પુરૂષની સમાનતાને લઈને ને ધર્મ, શોભા, કીર્તિ અને આ લોકના સર્વ સુખ પ્રાપ્ત થાય છે અને વિષમતાને લઈને કલહ કલેશ પ્રમુખ દોષો ઉત્પન્ન થાય છે. આ વિષે ગ્રંથકારે સુભદ્રાનું દષ્ટાંત આપી તે દેશના અછો ચિતાર આપેલ છે. આ પ્રસંગે શ્રાવક કુલની ઉત્તમ સ્થિતિ કેવા પુત્રોથી રહે છે, તે વાત દર્શાવાને સુજાત, અતિજાત, કુજાત અને કુલાંગાર એ ચાર પ્રકારના પુત્રોના લક્ષણો આપ્યા છે. જે ઉપરથી શ્રાવક સંસારમાં સ્ત્રીપુત્રાદિક પરિવારની વ્યવસ્થા કેવી રાખવી જોઈએ, એ વાત સૂચવી તે સાથે યથાર્થ ગૃહિણી શ્રાવિકાનું સ્વરૂપ પણ કહી બતાવ્યું છે. ઉત્તમ ગૃહિણી સંસારને શેભાવે છે અને અધમ અંગના ગૃહરાજ્યને છિન્ન ભિન્ન કરી નાંખે છે. તે વિષય ચર્ચા સાવિત્રી નામની એક હલકી સ્ત્રીનું સુબોધક દષ્ટાંત આપવામાં આવ્યું છે. આ પ્રમાણે શ્રાવક સંસારના શિક્ષણરૂપે આ ત્રીજે ગુણ વર્ણવી એ વિષયને સમાપ્ત કરવામાં આવ્યો છે.
કદિ શ્રાવક ગૃહસ્થ સુન સ્ત્રીના યોગથી યુક્ત થયો હોય, પરંતુ જે તે પાપથી ડરતે ન હોય તે તે યોગ્ય ગણાતું નથી, તેથી તે પછી “પાપભીરૂઝ નામના ચોથા ગુણનું વિવેચન કરવામાં આવ્યું છે. આ ગુણના વિવેચનમાં જે પુરૂષ પાપભીરૂ ન હોય તો તેને અનર્થના કારણ રૂપ અનેક દુસને લાગુ પડે છે. એ વાત ગ્રંથકારે આ ગુણને અંગે દર્શાવી છે. તે પછી પાપભીરૂ ગૃહસ્થને કેવા લાભો થાય છે, તે વિષે કુશસ્થળ નગરના વિમળ તથા સહદેવ નામના બે શ્રેષ્ટિકુમારોનું દષ્ટાંત આપી એ ચોથા ગુણને સમાપ્ત કરવામાં આવ્યો છે.
કદિ ગૃહસ્થ પાપભીરુ હોય પણ જે પ્રસિદ્ધ દેશાચારથી ઉલટી રીતે વર્તતો હોય તો તે ગૃહસ્થ ધર્મને યોગ્ય ગણાતો નથી, તેથી “પ્રસિદ્ધદશાચાર' નામના પાંચમાં ગુણનું વર્ણન કરી બતાવવામાં આવ્યું છે. જેન ગૃહસ્થ લેક વિરૂદ્ધ કે ધર્મ વિરૂદ્ધ આચારનો ત્યાગ કરવો. જોઈએ. અન્યથા તે પુરૂષ લોકમાન્ય યશસ્વી અને સિદ્ધકાર્ય થઈ શકતો નથી. આ પ્રસંગે ગ્રંથકારે ગૃહસ્થને શિક્ષણ લેવા ગ્ય કેટલાએક લેક વિરૂદ્ધ કાર્યો ગણવી તેમાંથી દૂર રહેવા સારે ઉપદેશ આપેલ છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૧
,,
કર્દિ પ્રસિદ્ધ લાકાચાર પ્રમાણે વર્તાતા હોય પણ જો તે ગૃહસ્થને પરનિંદા કરવાની કુટેવ હાય તા તે ઉપર કહેલા ગુણ નિષ્ફળ થઇ જાય છે, તેથી તે પછી કોઇના અવર્ણવાદન ખેલવા રૂપ ” છઠ્ઠા ગુણના પ્રસંગ સ ંક્ષેપમાં વણુવી બતાવ્યા છે. નીચ ગોત્ર ક` બાંધનારા એવાને આ ગુણુને વિશેષ ખાધ થવા માટે ગ્રંથકારે કોઇ એક વૃદ્ધ બ્રાહ્મણીનું અસરકારક દૃષ્ટાંત આપેલું છે.
પ્રસિદ્ધ લેાકાચાર પ્રમાણે વર્તો અને પરિનંદા પરહરે છતાં પણ જો નઠારા ઘરમાં અને નઠારા પડેાશમાં રહેનાર ગૃહસ્થ હોય તે તેને અનેક પ્રકારની હાનિ થાય છે, તે ખતાવાને “ ગૃહસ્થ કેવા ઘરમાં અને કેવા પડેાસમાં રહેવુ જોઇએ ” તે વિષે સાતમા ગુણનું વિવેચન કરવામાં આવ્યું છે. અને તે વિષે ગિરનાર પર્વત પાસે આવેલા કુબેરપુરની અ'બિકા નામની વિપ્રપત્નિના દાખલેા આપી નઠારા પડેાશથી કેવી હાનિ થાય છે, એ સિદ્ધ કરી ખતાવ્યું છે. આ જ પ્રસંગને પુષ્ટ કરવા માટે તે પછી આઠમા ગુણ તરીકે “સત્સ`ગ રાખવાના” ઉપદેશ આપેલા છે. અને તેને માટે વીરપુર નગરના પ્રભાકર નામના એક વિપ્રકુમારનું હૃદયગ્રાહી દૃષ્ટાંત આપી ગ્રંથકર્તાએ સદુપદેશના ઘણા મધુર સ્વાદ ચખાડ્યો છે.
,,
ઉપર કહેલા બધા ગુણા પ્રાપ્ત થયાં હાય છતાં પણ જો ગૃહસ્થ માતાપિતાનેા પરમ ભક્ત ન હેાય તેા તે ધર્મીના અધિકારી બનતા નથી, તેથી માતા પિતાની ભક્તિ-સેવા કરવારૂપ ” નવમા ગુણુ વર્ણવી બતાવ્યા છે. આ પ્રસંગે ગ્રંથકારે સત્પુત્રના લક્ષણાનું સારૂં વિવેચન કરી બતાવ્યું છે. અને તે ઉપર કેટલાએક મનેાર્જક દાખલા આપી એ ગુણની ઉપયોગિતા સિદ્ધ કરી બતાવી છે. ઉપર્યુક્ત સર્વ ગુણા પ્રાપ્ત થયા છતાં પણ ગૃહસ્થે પોતાના જીવનમાં સાવચેત રહેવાનું છે. કાઈ પણ સ્થળ ઉપદ્રવવાળુ જોવામાં આવે તે તત્કાળ તેને ત્યાગ કરવા જોઇએ. તે ત્યાગનેજ દશમા ગુણુ તરીકે ગણી ગ્રંથકારે . “ ગૃહસ્થે કેવા દેશમાં અને કેવા સ્થળમાં રહેવુ જોઇએ, ” એ વિષે સારૂં વિવેચન કરેલું છે. નારા સ્થળમાં વાસ કરવાથી કેવી હાનિ થાય છે, તે વિષે પદ્મપુર નગરના નિવિચાર રાજાનું અસરકારક દૃષ્ટાંત આપી આ ગુણની ખરી ઉપયેાગિતા સિદ્ધ કરી બતાવી છે.
સારા યાગ્ય સ્થળમાં વાસ કરનાર ગૃહસ્થ પણ ક્રાઈવાર નિદિત કાર્ય માં પ્રવૃત્ત થઈ જાય છે, તેથી તે પછી “ નિંદિત કાય માં પ્રવૃત્તિ ન કરવારૂપ ” અગીયારમાં ગુણુનું વર્ણન કર્વામાં આવ્યું છે. આ પ્રસંગે અયોગ્ય કાર્યનો આરંભ, પ્રજા વર્ગ સાથે વિરેાધ, અલવાનની સાથે સ્પર્ધા અને સ્ત્રી જાતિના વિશ્વાસ–એ ચાર જે મૃત્યુના દ્વાર કહેવાય છે, તે વિષે વિવેચન કરી અને ઉજ્જયણી નગરીના રોગ નામના બ્રાહ્મણની દૃષ્ટાંત–કથા આપી ગ્રંથકારે આ સાઁપયાગી મહાન ગુણુના ઉત્તમ મહિમા વર્ણવી બતાવ્યા છે. તે પછી સ્વજન, સ્વદેશ, સ્વાતિ અને રાજ્યને અહિતકારી કવ્યને અંગીકાર ન કરવાને ખેાધ આપ્યા છે. અને તેથી કેવી હાનિ થાય છે, તે વિષે અનેક પ્રમાણા આપી સારી રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૨
ઉપર કહેલા બધા ગુણે પ્રાપ્ત કર્યા હોય તે છતાં જે પિતાના ઘરવ્યવહારની સ્થિતિને વિચાર કર્યા વગર ઉડાઉપણે ખર્ચ રાખે તો તેની વ્યવહાર નૌકા ચાલી શકતી નથી, તેથી તે પછી જ “આવકના પ્રમાણમાં ખચ રાખવાનો બારમે ગુણ વર્ણવી બતાવવામાં આવ્યો છે. ગૃહસ્થ ઉપાર્જન કરેલા દ્રવ્યમાંથી કેવી રીતે વ્યય કરે અને ઉપયોગ કરે, તે વિષે આ પ્રસંગે ઘણું વિવેચન કરી એક પણ શ્રેણીનું અસરકારક દષ્ટાંત આપેલું છે. અને વૈભવને અને નુસાર ખરચ કરનાર ગૃહસ્થ પ્રતિષ્ઠા, યશ, પુણ્ય, સુખ અને સંપત્તિ સારી રીતે મેળવી પોતાના ગૃહસ્થાવાસને સારી રીતે દીપાવે છે, એમ પ્રતિપાદન કર્યું છે.
ગૃહસ્થ આયોચિત વ્યય કરનાર ડેય પણ જે તે ગૃહસ્થને છાજે તેવો વેષ પહેરે નહીં તો તે ગૃહસ્થ પિતાની પ્રતિષ્ઠાને યથાર્થ જાળવી શકતા નથી, તેથી તે પછી ગ્રંથકારે “વૈભવને અનુસારે વેષ રાખવાને તેરમો ગુણ વર્ણવી બતાવ્યો છે. આ ગુણને અંગે માંગલ્યના સ્વરૂપનું વિવેચન કરી તે વિષે કર્ણદેવનું મનોહર દષ્ટાંત આપ્યું છે. જે મનન કરવા જેવું છે.
'માંગલ્ય વેષથી બાહેર સ્વરૂપ વડે સુશોભિત દેખાતો ગૃહસ્થ બુદ્ધિના આંતર સ્વરૂપથી રહિત હોય તો તે ઉત્તમ ગણાતું નથી, તેથી “બુદ્ધિના આઠ ગુણે મેળવવા રૂપ ચૌદમા ગુણનું વર્ણન કરી બતાવ્યું છે. અને તે ઉપર નારદ અને પર્વત નામના બે વિદ્યાર્થીઓનું સુબોધક ઉદાહરણ આપેલું છે.
બાહ્ય અને આંતર સ્વરૂપથી યુક્ત થયેલે ગૃહસ્થ જો સતત ધર્મશ્રવણ કરતા ન હોય, તો તે વૃથા જીવનવાળો ગણાય છે, તેથી તે ગુણની પછી “ધમ શ્રવણ કરવારૂપ પનરમા ગુણનું વર્ણન કરી તે સંબંધે મણિકાર શ્રેષ્ટી અને સુદર્શન શ્રેણીના દષ્ટાંતો આપવામાં આવ્યા છે. જે ઉપરથી વાચક અને શ્રોતા-ઉભયના હૃદય ઉપર ધર્મશ્રવણના મહિમાનું સ્વરૂપ પ્રગટ થઈ આવે છે.
બાહ્ય અને આંતર સ્વરૂપની શુદ્ધિવાલે ગૃહસ્થ શ્રાવક શાસ્ત્ર શ્રવણ કરતો હોય પણ જે તે ધર્મના સાધનરૂપે અને ચિંતામણિરૂપે ગણાતા આ મનુષ્ય શરીર તરફ ઉપેક્ષા રાખી આહાર વિહારના નિયમ પાળી શકતા ન હોય તે તે અવિચારી પુરૂષ ગણાય છે, તેથી તેને માટે સંપાદન કરવા યોગ્ય “ અજીર્ણમાં ભેજનેને ત્યાગ અને સકાલે ભજન કરવારૂપ ?” સોળમા તથા સત્તરમા ગુણનું વિવેચન કરવામાં આવ્યું છે. અને તે વિષે ધર્મના શાસ્ત્રીય નિયમો દર્શાવવામાં આવ્યા છે.
સર્વ ગુણસંપન્ન ગૃહસ્થ ગૃહાવાસમાં રહીને ધર્મ, અર્થ અને કામ સાધવા જોઈએ અને પિતાને ઘેર આવેલા યોગ્ય અતિથિને સત્કાર કરવો જોઈએ. આ વાત સિદ્ધ કરવા માટે “ત્રિવર્ગના સાધન કરવારૂપ” અઢારમા અને “ અતિથિની ભકિત કરવારૂપ” ઓગણીશમાં ઉચ્ચ ગુણનું ગ્રંથકારે સપ્રમાણ વિવેચન કરેલું છે. ત્રિવર્ગનું વિવેચન અને અતિ
Page #21
--------------------------------------------------------------------------
________________
થિનું સ્વરૂપ એવા ઉત્તમ પ્રકારથી વર્ણવેલું છે કે, જે પ્રત્યેક વાચકને મનન પૂર્વક વાંચવા જેવું છે. ગૃહસ્થના ઘરમાં પિષ્યવર્ગમાં કોણ કોણ આવેલ છે અને તે તે પ્રત્યે કેવી રીતે વર્તવાનું છે, તે વિષે ગ્રંથકારે સંક્ષેપમાં ઘણું સારું સમજાવ્યું છે. અને અતિથિ સત્કાર વિષે પ્રતિષ્ઠાનપુરના વિખ્યાત નરપતિ શાલિવાહનનો સુબોધક પ્રબંધ આપેલ છે.
વૈભવ સંપન્ન થયેલા ગૃહસ્થને ઘેર અનેક યોગ્ય અતિથિઓ આવે છે, તેમ નિરાશ્રિત આશ્રય લેવાને પણ આવે છે, તેમજ તેની સલાહ લેવાને ઘણું 5 પુરૂષ આવે છે, તેથી મોટાઈન અભિમાનને લઈ તેનામાં મિથ્યાગ્રહ રાખવાને સ્વભાવ પડી જાય છે અને તેને લઈને નિર્ગુણમાં પક્ષપાત કરવાની પ્રવૃત્તિ થઈ આવે છે, તેથી ગ્રંથકારે તે પછી “મિથ્યાભિનિવેશ ત્યાગ કરવારૂપ” અને “ગુણમાં પક્ષપાત કરવારૂપ” વશમા અને એકવીશમા ગુણનું સ્વરૂપ દર્શાવ્યું છે. જે ઉપરથી ગૃહસ્થ ધર્મની ગ્યતાનું યથાર્થ સ્વરૂપ જાણી શકાય છે.
સાંસારિક પ્રવૃત્તિમાં અનેક જાતના કાર્યો થઈ આવે છે, અને તેથી ઈવાર આકસ્મિક ઉપાધિઓ પણ ઉત્પન્ન થાય છે, તેથી યોગ્ય ગૃહસ્થ નિષિદ્ધ દેશ અને કાળની ચર્યામાં ઉતરવું ન જોઈએ. અને પિતાનામાં કેટલી શકિત છે, તેને વિચાર કરવો જોઈએ. જે દેશ, કાળ અને શકિતને વિચાર કરવામાં ન આવે તે પશ્ચાત્તાપ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયા વિના રહેતું નથી, તેથી તે વિષે “અદેશ અને અકાળ ચર્યાને ત્યાગ કરવારૂપ” અને “સ્વ તથા પરના બળાબળને જાણવારૂપ બાવીશ અને વેવીશમાં ગુણનું ખ્યાન આપવામાં આવ્યું છે. તેમાં બળાબળ જાણવા ઉપર લક્ષણાવતી નગરીના રાજા લક્ષ્મણુસેનના મંત્રી કુમારદેવનું દષ્ટાંત આપી ગ્રંથકારે એ ગુણની મહત્તા સારી રીતે પ્રતિપાદન કરી છે.
પ્રત્યેક ગૃહસ્થ વ્રત અને જ્ઞાનથી વૃદ્ધ એવા પુરૂષોની સેવા પૂજા કરવી જોઈએ અને પિતાને આશ્રયે રહેલા પિષ્ય વર્ગનું પોષણ કરવું જોઈએ. તે સિવાય ગૃહસ્થધર્મની ઉપયોગિતા સિદ્ધ થતી નથી. તેને માટે “ વ્રતધારી અને જ્ઞાનવૃદ્ધોની પૂજા કરવા રૂપ અને પથ્ય - ગનું પોષણ કરવા રૂપ” ચોવીશ તથા પચ્ચીસમાં ગુણેની આવશ્યક્તા દર્શાવી છે અને તે પ્રસંગે વ્રતી, વૃદ્ધ અને પિષ્યજનોના સ્વરૂપનું સ્પષ્ટીકરણ સારી રીતે કરી બતાવ્યું છે.
વિવિધ કર્મોના વિલાસવાળા સંસારી જીવનમાં ગૃહસ્થને ક્ષણે ક્ષણે આગામી અનર્થોની શંકા રાખવાની છે અને કાર્યકાર્યના વિશેષ જ્ઞાનને મેળવવાનું છે. તેથી તેને માટે “લાંબે કાલે થનાર અનર્ધાદિકને વિચાર કરવા રૂપ અને વિશેષ જાણવા રૂ૫ છવીશ અને સત્યાવિશમા ગુણોનું સ્વરૂપ દર્શાવેલું છે. એ ગુણેના માહાત્મને પ્રગટ કરવા ધનશ્રેણી અને સુબુદ્ધિમંત્રીનું રસિક દષ્ટાંત આપવામાં આવેલું છે.
પ્રત્યેક ગૃહસ્થ બીજાએ કરેલા ઉપકારની કદર કરવી જોઈએ. તેમ ન કરવાથી તે લેકમાં કૃત ગણાય છે, તેથી તેની તરફ લેકે માનદષ્ટિથી જોતાં નથી. જે ગૃહસ્થ કૃતા હોય છે, તે
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૪
લોકપ્રિય થાય છે. અને લેકઝીતિ મેળવવામાંજ ગૃહસ્થ જીવનની ઉચ્ચતા ગણાય છે, તેથી ગ્રંથકારે “કૃતજ્ઞ, અને લેકવલ્લભ થવા રૂપ” અઠયાવીસમા અને ઓગણત્રીશમા ગુણો સારા વિવેચન સાથે દર્શાવ્યા છે. કૃતજ્ઞતાના ગુણ ઉપર વસંતપુરના જિતારિ રાજાને અને લેકવલભાણના ગુણ ઉપર અભયકુમાર મંત્રીને રસિક દષ્ટાંત આપી, ગ્રંથકારે એ ઉભય ગુણોનું ગૌરવ યથાર્થ પ્રતિપાદન કરેલું છે.
ગૃહસ્થ કૃતજ્ઞ અને કપ્રિય થયો હોય છતાં પણ જો તેનામાં લજજા કે દયા ન હોય તે તે ન્યૂનતાવાળો ગણાય છે. તેથી ઉત્તમ ગૃહસ્થ લજજા અને દયા ધારણ કરવી જોઈએ. તેથી ગ્રંથકારે તે પછી “સલજ અને સદય રૂપે 2 ત્રીશ અને એકત્રીશમા ગુણોનું યથાર્થ દિગ્દર્શન કરાવ્યું છે અને તેની પુષ્ટિને માટે અણહિલપુરપાટણના મહારાજા કુમારપાળના મંત્રી આંબડ દેવ અને મહારાજા વિક્રમાદિત્યના સુબેધક દષ્ટાંત આપવામાં આવ્યા છે. અહિં સુધી ગૃહસ્થના વર્તન સંબંધી ગુણે દર્શાવ્યા પછી ગ્રંથકાર તેના આતગુણોનું વર્ણન કહી બતાવે છે કે જે ગુણો ગૃહસ્થ શ્રાવકની માનસિક ઉચ્ચતાને દર્શાવનારા છે. ઉત્તમ સ્વભાવના પ્રભાવને દર્શાવનાર ગૃહસ્થ પ્રથમ તે સૌમ્ય-મનહર આકૃતિવાળો હોવો જોઈએ. દર્શનીય, અને પ્રસન્ન મૂર્તિ ગૃહસ્થના દેખાવ ઉપરથી તેના આંતરગુણે જણાઈ આવે છે. ભયજનક આકૃતિવાળા પુરૂષ દુર્ગુણી હાઈ લેકને ઉઠેગનું કારણ બને છે. તેથી ગ્રંથકારે “સામ” નામે બત્રીશ. ગુણ દર્શાવી રાજા વીરવળનું આકર્ષક દષ્ટાંત આપ્યું છે.
જે સૌમ્ય હોય તે પરોપકારી લેવો જોઈએ. તેમ વળી પરોપકારના ગુણ વગરની સૌમ્યતા નકામી ગણાય છે, તેથી તે ગુણની પછીજ તેત્રીશમા ગુણ તરીકે પરોપકારને ગણેલ છે. ગ્રંથકારે આ સ્થળે પરોપકારના માહાત્મ્યને દર્શાવનારું સારું વિવેચન કરેલું છે. તે ગુણને આકર્ષક બનાવવા માટે વિકમ અને ભરત રાજાના સુબોધક દષ્ટાંતો આપવામાં આવેલા છે. જે વાંચવા ઉપરથી પરોપકારને અદ્ભુત પ્રભાવ વાંચકેના જાણવામાં આવી શકે છે. ઉપર કહેલા સર્વ ગુણોથી યુક્ત થયેલા ગૃહસ્થને સાંસારિક પ્રવૃત્તિઓ વિષમય એવા વિષય જાળમાં ખેંચી ન જાય તેથી છેવટે “અંતરંગ શત્રુ જેવા કામ કેધાદિનો ત્યાગ કરવારૂપ” ચોત્રીશમે. ગુણ દર્શાવ્યો છે. તે પ્રસંગે એ આંતર શત્રુઓનું યથાર્થ સ્વરૂપ બતાવી ગ્રંથકારે ગૃહસ્થને અધ્યાત્મ માર્ગ તરફ વાળવાની સૂચના કરી છે. અને તેની પછી છેવટે “ઇંદ્રિયોને વશ કરવારૂપ” પાંત્રીશમાં ગુણનું સર્વોત્તમ દિગ્દર્શન કરાવ્યું છે. આ મહાન અંતિમ ગુણોને અતુલ પ્રભાવ દર્શાવવામાં ગ્રંથકારે પિતાનું ખરેખરૂં પાંડિત્ય પ્રગટ કરી બતાડયું છે. અને છેવટે આ માર્ગાનુસારી પાંત્રીશ ગુણ કે જેઓનું સેવન કરવાથી અભ્યદય આપનારા ઐશ્વર્યને પ્રાપ્ત કરી ભવ્ય પુરૂષ સમ્યકત્વ સહિત નિર્મલ બાર વ્રત રૂપ શ્રાવકધર્મને પ્રાપ્ત કરી મોક્ષપદના અધિકાીિ થઈ શકે છે.
એકંદર આ ગ્રંથ ગૃહસ્થ શ્રાવક જીવનના માર્ગદર્શક તરીકે બહુ ઉપયોગી છે. આ ગ્રંથની મહત્તા અને ઉપયોગિતાના સંબંધમાં જેટલું ધારીએ તેટલું કહી શકાય તેમ છે. ગ્રંથની
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૫
શૈલી બહુજ ઉત્તમ છે, તે સાથે પ્રસંગે પ્રસંગે આવેલા વિવિધ સુભાષિત કંઠસ્થ કરવા યોગ્ય અને મનન કરવા યોગ્ય છે.
આ ગ્રંથના કર્તા શ્રીજિનમંડનગણી વિક્રમ સંવત પનરમા સૈકામાં વિદ્યમાન હતા. તેઓ શ્રી તપાગચ્છ રૂપી કમળને વિકાશ કરનાર શ્રી જગચંદ્ર સૂરિના પરિવારમાં થયેલા હતા, તેઓ જૈન ધર્મમાં પ્રખ્યાત થયેલા શ્રી સમસુંદર સૂરિના શિષ્ય હતા, મહાત્મા સોમસુંદસૂરિ ભારતવર્ષમાં એક સારા વિદ્વાન અને લેખક ગણાતા હતા. તેઓએ પન્નાપર તથા પ્રત્યાખ્યાન ભાષ્ય ઉપર ટીકા રચેલી છે. તેમજ યેગશાસ્ત્ર, ઉપદેશમાળા, પડાવશ્યક તથા નવતત્વ પ્રમુખ ગ્રંથ પર સુબોધક ટબા રચેલા છે. ગ્રંથકારે આ ગ્રંથની પ્રશસ્તિમાં પોતાની ગુરૂ પરંપરા ક્રમવાર આપી છે.
છેવટે જેન ગૃહસ્થ ધર્મના પ્રભાવને પ્રગટ કરનાર અને માર્ગાનુસારીપણાના માહાસ્યને દર્શાવનાર આ શ્રાદ્ધગુણ વિવરણનો ગ્રંથ સર્વ સાધમિ બંધુઓના વાંચવામાં આવે અને તેથી કરીને તેમનામાં ગૃહસ્થાવાસની ઉચ્ચતાની, કર્તવ્યનિષ્ઠ ધર્મકાર્યની, સદાચાર તથા સત્તનના નિર્મળ બોધની અને પરંપરાએ અધ્યાત્મ જ્ઞાનની ભાવનાઓ પુરિત થઈ આવે તેમજ ગૃહવાસના ઉચ્ચ આશયોનું અને ખરેખર જૈનતત્વનું મહાબલ પ્રગટ થઈ આવે એવા હેતુથી આ મહાન ગ્રંથ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
આ શ્રાદ્ધગુણ વિવરણ મૂળ ગ્રંથ પણ મુનિરાજશ્રી હંસવિજયજી મહારાજના ઉપદેશાનુસાર આર્થિક સહાય મળવાથી પ્રવર્તકજી મહારાજશ્રી કાતિવિજયજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી ચતુરવિજયજી મહારાજે તેની બીજી પ્રતિ એકઠી કરી મેળવી, શોધી છેવટે મુફ વગેરે તપાસી આપવામાં જે કૃપા દર્શાવી કે જેને લઈને તે મૂળ ગ્રંથ પણ અમે પ્રસિદ્ધ કરી શક્યા છીએ.
આ ગ્રંથના ભાષાંતરની યોજના ઉત્તમ પ્રકારે કરવામાં આવી છે. મૂળ કર્તાને આશય સમજી શકાય તેમ જૈન શૈલીને અનુસરી અર્થને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બનતી રીતે સરલતા અને સુગમતા રાખવામાં આવી છે. અમે આશા રાખીએ છીયે કે, પ્રત્યેક જૈન ગૃહસ્થને ઉપયોગી એવો આ ગ્રંથ દરેક જૈન કુટુંબમાં આદરણીય થયા વિના રહેશે નહીં. જે એમ થશે તે કર્તાને, અનુવાદક અને પ્રકાશકને શ્રમ સર્વ પ્રકારે સફળ થયેલે ગણાશે.
શહેર ભાવનગરમાં સં. ૧૯૬૪ની સાલમાં આપણી શ્રી જેન વેતાંબર કોન્ફરન્સનું છઠ્ઠ અધિવેશન કરવામાં આવ્યું તે વખતે આ મહાન પરિષદૃને તમામ ખર્ચ આ શહેરના અગ્રગધ્ય ગૃહસ્થ વેરા હઠીસંગભાઈ ઝવેરચંદે આપેલ હતા, અને ભારતવર્ષના શ્રી સંધની યથાશક્તિ ભક્તિ કરી હતી. તે માંગલિક કાર્યની ખુશાલીમાં આ સભાને રૂા. ૧૦૦૦) એક હજારની રકમ જ્ઞાનનો ઉદ્ધાર કરવા નિમિત્તે ગ્રંથમાળા (સીરીઝ) માટે ભેટ આપવાની ઈચ્છા જણાવેલી તે મુજબ સભાએ ધારાની રૂઇએ આ ગ્રંથ તેમની સીરીઝના પ્રથમ પુષ્પ તરિકે છપાવી પ્રસિદ્ધ કર્યો છે. આવી રીતે આવા ઉપયોગી ગ્રંથને પ્રસિદ્ધ કરી જ્ઞાાવાના- ઉચ્ચ કાર્યો કરવાને માટે
Page #24
--------------------------------------------------------------------------
________________
પિતાને ઉદાર હાથ લંબાવી મનુષ્ય જન્મનું સાર્થક કરનાર ઉક્ત આર્થિક સહાય આપનાર ગૃહસ્થને ધન્યવાદ આપવામાં આવે છે, અને તેનું અનુકરણ કરવાનું શુભ પગલું ભરવા અન્ય બંધુઓને સુચના કરવામાં આવે છે.
સદરહુ ગ્રંથની શુદ્ધિને માટે યથાશક્તિ પ્રયત્ન કરવામાં આવ્યો છે છતાં દષ્ટિદોષથી કે પ્રેસષથી કેઈ પણ સ્થળે અલના જણાય તે ક્ષમા યાચીએ છીએ.
આત્માનંદ ભવન. વીર સંવત ૨૪૪૨, આત્મ સંવત ૨૦.
| વિક્રમ સંવત ૧૯૭૨. શ્રીમાન્મહાવીર પ્રભુની જન્મ તીથી.
ગથી વલ્લભદાસ ત્રિભુવનદાસ, શેઠ હરજીવનદાસ દીપચંદ.
સેક્રેટરીઓ.
છે .'t,
Page #25
--------------------------------------------------------------------------
________________
શેઠ હઠીસિંગ ઝવેરચંદ વ્હોરનું સંક્ષિપ્ત જીવન
ચરિત્ર.
die now વોરા હઠીસંગ ઝવેરચંદને જન્મ કાઠીયાડમાં પ્રખ્યાત શહેર ભાવનગરમાં સંવત ૧૯૧૬
ના કારતક વદી એકાદસીને રોજ થયો છે. તેઓ જાતે વિશાશ્રીમાળી વંશ અને જન્મ વણીક હોઈને તેમનું કુટબ વોરાના અટકથી ઓળખાય છે. ગોહિલકુવૃત્તાંત. ળના ( આ રાજ્યના) આદ્ય મહારાજશ્રી ભાવસિંહજીએ જ્યારે ભાવન
ગર શહેર વસાવ્યું તે વખતે વહોરા કુટુંબના પૂર્વજો તે શહેરનું તોરણ બાંધવામાં સામેલ હતા. પ્રથમ શેઠ હેમજી કુંવરજી નામે એક ગૃહસ્થ રાધનપુરથી કાઠીયાવાડમાં આવેલા હતા. તેમની સાથે વરતેજથી નેમા હેરાને આદ્ય મહારાજા ભાવસિંહજીએ ઘણું સન્માન સાથે બોલાવી ભાવનગર શહેરમાં વસાવ્યા હતા. તેમણે ભાવનગરમાં રહી પોતાની વ્યાપાર કળા ખીલવી હતી. જેમા વહેરાને ભાણજી અને દેવશી નામે બે પુત્રો થયા હતા. તેમાં ભાણજી ને ગાંગજી અને થેભણ નામે બે પુત્રો થયા હતા. એ ચારે શાખાઓમાંથી વેરા વંશ વૃદ્ધિ પામે છે; જેમના નિવાસથી ભાવનગરમાં વહોરાશેરીને નામે એ સ્થળ અદ્યાપિ પ્રખ્યાત છે. ગાંગજીના પુત્ર હેમા વોરા તથા દેવસી વેરાના પુત્ર સવચંદ વહોરાએ પોતાના વ્યાપાર કળાથી સારી ખ્યાતિ સંપાદાન કરી ભાવનગરના સર્વે વ્યાપારીમાં અગ્ર પદવી મેળવી હતી. જિનાલયો જૈન ઉપાશ્રયો વગેરે જે ભાવનગરમાં થયેલા છે, તેમાં અગ્ર ભાગ આ હોરા કુટુંબને જ છે..
ધાર્મિક અને વ્યાપારિક ઉન્નતિને સંપાદન કરનાર હેમજી વેરાને જ્યચંદ, સુરચંદ અને કરશન નામે ત્રણ પુત્રો થયા હતા. તેમાં વચલા પુત્ર સુરચંદને જશરાજ અને ઝવેરચંદ નામે બે પુત્રો થયા હતા. તેઓમાં જે ઝવેરચંદ શહેરા આ જીવનવૃતાંતના નાયક હઠીસંગભાઈના પિતા થાય છે. તેમના પિતામહ સુરચંદ વોરાનું સિદ્ધતિથ–પાલીતાણામાં વિખ્યાત દિયારા કુટુંબના વાલજી ગણેશની પુત્રી ઝીણબાઈ સાથે લગ્ન થયું હતું. તે પરમ શ્રાવિકા ઝીણબાઇના આગમન પછી સુરચંદ હેરાની સમૃદ્ધિમાં ઘણું વધારો થયો હતો. અને ધાર્મિક કાર્યો કરી
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૮
સુરચંદ હેરાને રાજમાન અને સંધમાન બંને સંપાદાન થયાં હતા અને ભાવનગરના સમગ્ર સંધના તેઓ નાયક બન્યા હતા.
સુરચંદ વહેરાના સ્વર્ગવાસ પછી જ્યેષ્ઠ પુત્ર જશરાજ હેરા, લઘુ પૂત્ર ઝવેરચંદ હોરા બંને ભ્રાતાઓ ભાવનગરના સંધની અગ્ર પદવી પર આવ્યા હતા. તેઓ બંનેમાં ઉત્તમ પ્રકારને ભાતૃભાવ હતે. શ્રાવક જન્મની સાર્થકતા કરવાને તેમણે અનેક પ્રકારનાં ધર્મકાર્યો કર્યા હતાં અને જૈન ધર્મના ઉતમાં અતિશય વૃદ્ધિ કરી હતી. વોરા હઠીસંગભાઈની માતાનું નામ લાધીબાઈ હતું. જેમાં વિખ્યાત કુટુંબવાળા શા. કલ્યાણજી તેજશીનાં પુત્રી થતાં હતાં. તેમના ઉદરથી ત્રણ પુત્રીઓ ઉપર શેઠ હઠીસંગભાઈને જન્મ થયો હતો. માતાપિતાના લાડમાં ઉછરેલા વોરા હઠીસંગભાઈએ પિતાના આશ્રય નીચે રહી ગુજરાતી ભાષાનું સામાન્ય જ્ઞાન મેળવી તેમણે પોતાની વેપાર વિદ્યા ઉપર સારું ધ્યાન આપ્યું હતું. પરંપરાથી ધર્મના સંસ્કાર પામેલા હોવાથી તેમજ શુદ્ધ દેવ, ગુરૂ, ધર્મને માનનારા પિતાના કુટુંબના સહવાસથી શેઠ હઠીસંગભાઈ પણ દેવ, ગુરૂધર્મ પ્રત્યે સારે પ્રેમ ધરાવે છે. અને તે સાથે વેપાર કળાની સારી તાલીમ લઈ પોતાની પેઢીના સર્વ કાર્યમાં સારી પ્રવિણતા પણ સંપાદન કરેલ છે.
વારા હઠીસંગભાઈને તેમનાં એક પ્રથમનાં પત્નિ સ્વર્ગવાસી ફુલીબાઈ કે જેઓ ભાવનગરના શેઠ ભાણજી બીમજીનાં પુત્રી હતાં. તેને હરકર નામે એક પુત્રી છે. તેને વળાના મેતા કુટુંબમાં શેઠ ગુલાબચંદ જીવાભાઈના જયેષ્ઠ પુત્ર દુર્લભજી વેરે આપેલાં છે. તેમને હાલ ચાર પુત્રીઓ અને બે પુત્ર છે. મોટી પુત્રીનું નામ વિજકેર અને નાની પુત્રીનું નામ રંભા વગેરે ચાર પુત્રીઓ છે. અને પુત્રનું નામ પ્રભુદાસ વગેરે બે પુત્રો છે. હાલની બે સ્ત્રીઓ દીવાળી તથા મોતીને કઈપણ ફરજદ નથી. શેઠ હઠીસંગભાઈ જ્યારે ગ્ય વયમાં આવ્યા, ત્યારે તેમના તરફથી જેન ધર્મને ઉદ્યોત
કરનારા ઘણા કાર્યો થયેલાં છે. તેમનું કુટુંબ ભાવનગરના જૈન સંઘમાં જે ધર્મ અને યાત્રાઓ વિખ્યાતિ પામેલું છે, તેનું કારણ પણ તેમની ધાર્મિક પ્રવૃત્તીજ છે, આ
ભારત વર્ષના ઘણું ભાગમાં સંવેગી સાધુઓને માટે પરિવાર મુનિરાજશ્રી બુટેરાયજી મહારાજથી શરૂ થયેલ છે. તેમના પરિવારમાં વિખ્યાત થઈ ગયેલા ગણિ મૂળચંદજી મહારાજ સંવત ૧૯૦૮ની સાલમાં ભાવનગર પધાર્યા હતા તે વખતે તેમણે બહેરા શેરીમાં આવેલા એક વિશાળ ભાગમાં ઉતરી પોતાના વ્યાખ્યાનને સારે લાભ હેરા કુટુંબને આપ્યો હતો અને સ્વર્ગવાસી નિતિવિજ્યજી મહારાજને દિક્ષા મહોત્સવ પણ એ કુટુંબના આગ્રપણા નીચે થયો હતો. તે પછી સંવત ૧૯૧૪ના વર્ષમાં મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ પંજાબમાંથી આવેલા હતા અને તેમના ઉપદેશને મહાનલાભ ભાવનગરની જેન પ્રજાને મળ્યો હતો જે લાભ શેઠ હઠીસંગભાઇના કુટુંબે ઘણું ચાતુર્માસ સુધી લીધો હતો. મુનિરાજ વૃદ્ધિચંદ્રજી મહારાજના ઊપદેશથી શેઠ હઠીસંગભાઇનાં વડીલ માતુશ્રી તરફથી રૂપાનું ઘેડીયાપારણું કરાવી શ્રીસંઘમાં મૂકવામાં આવ્યું છે, જે પ્રતિવર્ષે વીરપ્રભુના જન્મત્સવ વખતે તેને સારે ઊપયોગ થાય છે.
શેઠ હઠીસંગભાઇ સ્વતંત્ર થયા પછી તેમણે ધાર્મિક યાત્રાઓમાં પિતાની લક્ષ્મીને સારે સદુપયોગ કરે છે તેમના કાકા જસરાજ હેરાના પુત્ર અમરચંદભાઈ કે જેઓ તેમના વડીલ
Page #27
--------------------------------------------------------------------------
________________
બંધુ થાય છે તેમની સાથે રહી શેઠ હઠીસંગભાઈએ કેટલાએક ધર્મકાર્યો કરેલાં છે જેમાં તેઓ બંને ભાઈઓ લક્ષ્મીની જેમ પુણ્યના પણ સાથે જ ભાગીદાર બનેલા છે.
શેઠ હઠીસંગભાઈના પિતામહી ઝીણીબાઈ ઘણા ધમષ્ટ હતાં. તેમણે સંવત ૧૯૨૦ની શાલમાં સિદ્ધાચલની યાત્રા માટે એક મહાન સંઘ કાઢયો હતો. જેમાં તેમના બંને પૌત્રાએ લક્ષ્મીને સારો વ્યય કર્યો હતો. નવકારશ્રીનું મહાભોજન કરાવી વૃતધારીઓને માટે એક મોટી રકમ અર્પણ કરી હતી. જેમાંથી પૌષધ વૃતધારી શ્રાવકૅને અદ્યાપિ પારણા ભોજન અપાય છે.
શેઠ હઠીસંગભાઈએ સંવત ૧૯૨૩ના વર્ષમાં પિતાના જયેષ્ટ બંધુ અમરચંદભાઈ સાથે કેશરીયાજી-આબુજીની યાત્રા કરી હતી. એ યાત્રાને પ્રસંગે તારંગા-રાણકપુરજી અને મારવાડી પંચતીર્થોની યાત્રા થઈ હતી. તે સત્કાર્યમાં તેમણે ધાર્મિક સખાવતો સારી કરી હતી. તે પછી શેઠ હઠીસંગભાઈએ પોતાની માતા જવલબાઈને સાથે લઈ સિદ્ધગીરીની નવાણું યાત્રા કરી હતી અને એ પવિત્ર તિર્થમાં લક્ષ્મીની મોટી રકમની સખાવત કરી હતી. આ પવિત્ર પ્રસંગે હમેશાં સ્મરણમાં રાખવાને યાત્રાનું મહાપુણ્ય ઉપાર્જન કરવાને શેઠ હઠીસંગઈ તરફથી સિદ્ધવડે યાત્રાળુઓને ફાગણ સુદી ૧૩ ને દિવસે પાથેય (ભાનુ) આપવાને એક રકમ કાઢવામાં આવેલી છે. આ સિવાય બીજી ઘણી યાત્રાઓમાં તેમની વ્યાપાર લક્ષ્મીને સદુપયોગ થયેલ છે. સંવત ૧૯૩૪ના વર્ષમાં તેમણે ભોયણું, અમદાવાદ, ખેડા, માતર ખંભાત-વડોદરા, સુરત વગેરે મોટા સ્થળોમાં યાત્રા કરી દરેક સ્થાને ઘણે ખર્ચ કર્યો હતો. સંવત ૧૯૩૩ના વર્ષમાં શેઠ હઠીસંગભાઈએ પોતાના બંધુ અમરચંદભાઈ સાથે કાઠીયાવાડમાં જુનાગઢ તથા પંચતીર્થોની યાત્રા કરવા એક મોટો સંઘ કાઢયો હતો અને તેમાં ન્યાયનિધિ શ્રીમદ્ વિજ્યાનંદ સૂરિ (શ્રી આત્મારામજી મહારાજ) વિગેરે કેટલાક વિદ્વાન મુનીઓ સાથે પધાર્યા હતા. સંવત ૧૯૪૧ના વમાં હઠીસંગભાઈએ સમેતશિખરજી વગેરેની મહાયાત્રા કુટુંબ સાથે કરી હતી અને તેમાં દરેક સ્થળે સારી સખાવત કરી હતી. સંવત ૧૯૪૭ની સાલમાં કેશરીયાજી વગેરે પંચતીથી કરી હતી તેવી જ રીતે તેમના પિતાશ્રીએ પણ શિખરજીની યાત્રા કરી હતી. આ પ્રમાણે અનેક યાત્રાઓમાં શેઠ હઠીસંગભાઈએ પોતાના શ્રાવક જીવનની સાર્થક્ત કરી છે. અને તે તે પ્રસંગે ધામક સખાવતેમાં ઉદાર હાથ લંબાવ્યો છે. સરલ હદયના વેરા હઠીસંગભાઈએ પિતાના વડીલ બંધુ અમરચંદભાઈની સાથે મળી
સંવત ૧૯૨૪ના વર્ષમાં શ્રી ગોડીજીના દહેરાસરજીમાં શ્રી શાંતિનાથ ભગવાનના પ્રતિમા સ્થાપન દહેરાસરમાં બીજા બિંબની પ્રતિષ્ઠા કરી હતી અને તે પ્રસંગે તેમના વડીલે અને પ્રતિષ્ઠા વીશ સ્થાનક તપનું ઊદ્યાપન કર્યું હતું. જેમાં તેમની ઉદારતા પ્રકાશી
નીકળી હતી. અને ભાવનગરના શહેરમાં બહેરા કુટુંબને વિજયનાદ થઈ રહ્યો હતો. સંવત. ૧૯૩૫ ના વર્ષમાં ભાવનગરના મોટા જિનાલયમાં શ્રી શાંતિનાથ પ્રભુના બાજુમાં સુંદર પ્રતિમાનું સ્થાપન શેઠ હઠીસંગભાઈ તરફથી થયું હતું. અને તે પોતાના મહુમ લધુ ભ્રાતા હરજીવનના નામથી અંકિત કરવામાં આવ્યું હતું. જે સત્કાર્ય પોતાના પૂજ્ય માતુશ્રી જવલબાઈને હાથે ઉજવવામાં આવ્યું હતું. વળી શેઠ હઠીસંગભાઈના પિતા ઝવેરચંદ
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૦
વિરાએ સિદ્ધગીરી પર રહેલા ચૌમુખજીની ટુંકમાં આવેલા દેરાસરને જીર્ણોદ્ધાર કરાવવો શરૂ કરેલ તે વોરા હઠીસંગભાઈએ પૂર્ણ કરાવ્યો હતો.
ભાવનગર શહેરની બહાર આવેલા દાદાસાહેબના સ્થાનથી ઓળખાતા ભવ્ય જિનાલયમાં જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો હતો ત્યારે શેઠ હઠીસંગભાઈએ ઉદારતાથી એ જિનાલય ઉપર ધ્વજદંડ ચડાવ્યો હતો. અદ્યાપિ તે કાયમ દર વરસે પિતાના તરફથી ચડે છે. સંવત ૧૯૫૫ ના વર્ષમાં શેઠ હઠીસંગભાઈએ ઘરદેરાસરની સ્થાપના કરી તેમાં રૂપાની છત્રીમાં પ્રભુને પધરાવી પ્રતિષ્ઠાને માટે ઉત્સવ કર્યો હતો. આ પ્રતિષ્ઠાની શુભ ક્રિયા પન્યાસજી શ્રી ગંભિરવિ
જ્યજી મહારાજના હાથથી કરવામાં આવી હતી. આ મહત્સવમાં તેમના સૌભાગ્યવંતા પત્નિ દીવાળીબાઈને ઉપધાન વહેવરાવવામાં આવતાં પ્રથમ માળા તે પરમ પૂજ્ય પન્યાસજીને હાથે પહેરાવવામાં આવી હતી અને તે પ્રસંગે સમસ્ત સંધકૃત નંદિશ્વરદીપની રચના કરવામાં આવી હતી. જે પ્રસંગે મોટો વરઘેડે, રાત્રિજાગરણ વગેરે ઘણી ધામધુમ થઈ હતી. આ બધા પ્રસંગેમાં નવકારશી અને સ્વામીવાત્સલ્યના મહોત્સવે ઘણી ઉદારતાથી પિતાના તરફથી ઉજવવામાં આવ્યા હતા,
આ સિવાય તેવા પ્રકારના બીજાં કાર્યોમાં એ ઉદાર શેઠે પિતાની લક્ષ્મીને સદુપયોગ કરેલો છે અને તેવી રીતે વર્તમાન કાળે પણ કરે છે. શેઠ હઠીસંગભાઈએ જેવી રીતે દેવ-ગુરૂની સેવામાં પોતાની ઉદારતા દર્શાવી છે, તેવી
રીતે તેમણે બીજી ધાર્મીક સખાવત પણ કરેલી છે. સં. ૧૯૪૯ ના વર્ષમાં ધાર્મીક સખાવત. પિતાના ઉપકારી ગુરૂ શ્રી વૃદ્ધિચંદ્રજી પાઠશાળાનું સ્થાપન થયું તે વખતે
એક સારી રકમ અર્પણ કરી એ શુભ કાર્યને સમારંભ તેમના તરફથી થયો હતો. જ્યારે તે ભાવનગર શહેરના પરમ ઉપકારી ગુરૂએ સ્વર્ગવાસ કર્યો ત્યારે તેમના અગ્નિદાહના સ્થાપન ઉપર તે ગુરૂની ચરણપાદુકાના સ્મરણરૂપ સ્તુપની ક્રિયા પણ તેમણે બંધુ અમરચંદભાઈ સહીત મુખ્ય રીતે કરી હતી.
દાદાસાહેબની વાડીમાં યાત્રાળુઓ ઉતરવા માટે પોતાના ખર્ચ એક મકાન બંધાવી સંઘને અર્પણ કરેલ છે જેમાં યાત્રાળુઓ ઉતરવાને લાભ લે છે, તે સિવાય સિદ્ધગીરીની છાંયામાં આવેલા દેપલા નામના ગામમાં ત્યાંના શ્રી સંઘે કરેલા નવીન જિનાલયમાં પિતાના તરફથી જિનપ્રતિષ્ઠા કરવાને તેઓ મોટે સંધ લઈને ગયા હતા. અને તે પ્રસંગે સર્વ લેકોને વાહન-ભોજન વગેરે સામગ્રીને તમામ ખર્ચ આપી તે ગામના સર્વ વર્ણને ભોજન આપ્યું હતું. એજ વર્ષમાં તેમના તરફથી સારો ધનવ્યય કરવામાં આવ્યો હતો. સ્વર્ગવાસી મહેપારી શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના ઉપદેશથી શેઠ હઠીસંગભાઈએ પિતાના વડીલ બંધુ અમરચંદભાઈ સાથે રહી સિદ્ધક્ષેત્ર શ્રી પાલીતાણામાં એક સુંદર ધર્મશાળા બંધાવી છે જે પવિત્ર સ્થાનમાં બંને ભાઈઓએ સારી રકમ ખરચી પોતાના નિર્મલ નામને એ પવિત્ર ગીરીરાજની છાયામાં ચિરસ્થાયી કરેલું છે. જેનો લાભ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચતુર્વિધ સંધ સદાકાળ લીધા કરે છે. દાદાસાહેબમાં ઉઘાડવામાં આવેલ જેન બેડ'ગમાં તેમના તરફથી અમુક
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૧
રકમ અર્પણ થયેલી છે. સંવત ૧૯૫૬ ના ભયંકર દુકાળમાં ગરીબ લેકેને સતે ભાવે અનાજ આપવાના તથા પાંજરાપોળના અનાથ જાનવરોને નીભાવ કરવામાં વોરા હઠીસંગભાઈ તરફથી મદદ થઈ હતી.
આ શિવાય કાઠીયાવાડ ગુજરાત, કચ્છ, વાગડ, માળવા, પંજાબ વગેરે દેશોમાંથી આવેલ ચૈત્યજીર્ણોદ્ધાર, નવીન જિનાલયની, ઉપાશ્રયોની, ધર્મશાળાઓની અને બીજા જાહેર શુભ ખાતાની ટીપમાં બહેરા હઠીસંગભાઇએ દરેક પ્રસંગે કાંઈ કાંઈ રકમ અર્પણ કરેલી છે અને લક્ષ્મીને સર્વ રીતે કૃતાર્થ કરેલી છે. આજસુધીના જીવનમાં તે ઉદાર ગૃહસ્થ પણ લાખની મેટી ગંજાવર રકમ સત્કાર્યમાં અર્પણ કરી ચુક્યા છે અને હજુ ભવિષ્યમાં જેઓ પોતાના જીવનમાં લક્ષ્મીનો સદુપયોગ કરવાને તત્પર રહેલા છે. સં. ૧૯૩૪ ના વર્ષમાં સ્થાનકવાસી અને લોકાગચ્છ સાથે ભાવનગરમાં મહાન કલહ
થયો હતો. તે સંવત ૧૯૪૦ ના વર્ષમાં સમવસરણની રચના શ્રીસંઘ જાહેર કાર્યોમાં તરફથી થતાં તે કલહનો ભંગ કરી તેમણે પ્રથમ નવકારશ્રીનું ભોજન ભાગ. આપ્યું હતું. તે વખતે વેરા કુટુંબે તન મન અને ધનથી તેમાં ભાગ લીધે
હતા અને બહેરા હઠીસંગભાઈએ પરસ્પર સંપવૃદ્ધિને માટે સારો પ્રયત્ન કર્યો હતા. વોરા હઠીસંગભાઈ પિતાના સખાવતના ગુણોથી સંઘના માનની સાથે રાજનું માન પણ પામેલા છે. ભાવનગરના નામદાર મહારાજા સાહેબ સર ભાવસિંહજી તરફથી તેમને દરેક ઉત્તમ પ્રસંગે આમંત્રણ મળે છે. અને પ્રજા વર્ગમાં એક આગેવાન ગણાય છે. તેઓ જ્ઞાન અને જ્ઞાનના સાધનોને પુષ્ટિ આપનારા દરેક શુભ ખાતાને સારી સહાય આપે છે. ઘણું વર્ષ પહેલાં સ્થપાયેલ શ્રી જેન હિતેચ્છુ સંસ્થામાં જોડાવાથી તેઓને જ્ઞાનખાતા ઉપર સારી પ્રીતિ થઈ હતી. અને તેથી તેમણે તે વખતે પ્રથમથી જ્યાનંદ કેવળીના રાસનું ઉપયોગી પુસ્તક છપાવવામાં સારી સહાય આપી હતી. ત્યારપછી તેઓ અત્યારે ભાવનગરમાં સ્થપાયેલી શ્રી જેન આત્માનંદ સભાના પ્રથમ લાઈફમેમ્બર થયેલા હતા. ત્યારબાદ શ્રી છઠ્ઠી જેન વેતામ્બર કેનિફરન્સ આ ભાવનગર શહેરમાં મળી હતી, કે જે કોન્ફરન્સમાં બીજે નહીં મળેલ એટલી (શુમારે પંદર હજાર) જેન બંધુઓની સંખ્યા એકઠી થઈ હતી. તેઓની દરેક પ્રકારની ભકિત તેમજ આ કેન્ફરન્સને તમામ ખર્ચ જે કે શુમારે પંદર હજાર રૂપૈયા થયો હતો તે વોરા હઠીસંગભાઈએ ઘણીજ ઉદારતાથી તમામ પોતે આપ્યો હતો, જેને લઈને સંઘભકિત બહુ સારી રીતે કરી હતી સાથે શ્રી સિદ્ધાચળજીની યાત્રાનો લાભ આ કોન્ફરન્સમાં બહાર ગામથી આવનાર અનેક જૈન બંધુઓને આવા શુભ નિમિત્તથી થયો હતો. તે વખતે રીસેપ્સન કમીટીના પ્રમુખ શ્રી સંધ તરફથી વોરા હઠીસંગભાઈ નિમાયા હતા. તેઓએ આવું મહાન ઉદાર કાર્ય અને સંઘભકિત કરવાને લઈ શ્રી જેન આત્માનંદ સભા ભાવનગરના તરફથી વોરા હઠીસંગભાઈને આ રાજ્યના નામદાર મહારાજાના લઘુબંધુ કુમાર સાહેબ મંગળસિંહજીભાઈના પ્રમુખપણ નીચે અનેક ગામોથી આવેલા શ્રી સંઘના હાજરી વચ્ચે દબદબા ભયું એક માનપત્ર આપવામાં આવ્યું હતું અને તેજ વખતે શ્રી જૈન ધર્મ પ્રબોધક સભાએ પણ સાથે જ માનપત્ર આપ્યું હતું. જે સમયે તેઓ ઉકત સંસ્થાના પેટ્રન થઈ રૂ. ૫૦૦)ની રકમ આ સંસ્થાને આપી હતી તે સાથે આ સંસ્થાની
Page #30
--------------------------------------------------------------------------
________________
વર્ષગાંઠ જેઠ શુદ૭ નારોજ દરવર્ષે સ્વામીવાત્સલ્ય તેઓના તરફથી થાય તેને માટે રૂ. ૭૫૦)ની રકમ આ સભાને ભેટ કરી હતી જે રૂપૈયાના વ્યાજમાંથી અને તુટતા રૂપૈયાનું ફંડ કરી કાયમ તે પ્રમાણે સ્વામીવાત્સલ્ય થાય છે. વળી આ શુભ કાર્યની નિશાની કાયમ જળવાઈ રહે તેને માટે રૂ. ૧૦૦૦)ની એક રકમ જૈન ગ્રંથે પ્રસિદ્ધ કરવાને આ સભાને તેઓએ ભેટ કરી છે, જેમાંથી ઉત્તરોતર વોરા હઠીસંગભાઈના નામની સીરીઝ તરીકે ગ્રંથો આ સભા તરફથી પ્રસિદ્ધ થશે જેમાં પ્રથમ પુષ્પ-ગ્રંથ પુસ્તક તરિકે આ શ્રાદ્ધગુણવિવરણ ભાષાંતરને ગ્રંથ છે.
આ શહેરમાં સાધ્વીજી મહારાજના ઉપાશ્રયને માટે સગવડતાવાળું સ્થાન બરાબર નહોતું તેથી શ્રી સંઘની માલકીનું ઠાકર મહેતાની મેડીના નામથી ઓળખાતું મકાન નવેસરથી ચણી એક સુંદર બીલ્ડીંગ કરવામાં આવ્યું, જે સાધ્વીજી મહારાજના ઉપયોગ માટે લેવાનું નક્કી થતાં તેમાં વેરા હઠીસંગભાઈએ રૂા. ૩૨૫૧) શ્રી સંઘને આપીને ઉપાશ્રય શ્રી સંઘને અર્પણ કર્યો છે અને તે ઉપાશ્રયને વેરા હઠીસંગભાઇની પત્ની દીવાળીબાઈ તથા મેતીબાઈ ઉપાશ્રય એમ શ્રી સંઘના તરફથી નામ આપવામાં આવેલ છે.
આ છઠ્ઠી કોન્ફરન્સના મેળાવડા વખતે અત્રેના શ્રી સંઘ તરફથી આ કોન્ફરન્સને વોરા હઠીસંગભાઇને આદેશ આપવામાં આવ્યો તે વખતે એકત્ર થયેલ શ્રી સંધ સમસ્ત અત્રેના શ્રી સંધ તરફથી કાયમના માટેનું એકનિરાશ્રિત ફંડ ખોલવામાં આવ્યું હતું જેમાં રૂ. ૨૫૦૦) ની રકમ તે ફંડમાં વેરા હઠીસંગભાઇએ ભરવાથી તેમજ આ કોન્ફરન્સને તમામ ખર્ચ તે આપતા હેવાથી અત્રેના શ્રી સંધ તરફથી સદરહુ ફંડનું નામ પણ “વેરા હઠીસંગ ઝવેરચંદ શ્રી જેનનિરાશ્રીત ફંડ” એમ રાખવામાં આવ્યું હતું અને અહીંના બીજા મુખ્ય મુખ્ય કેટલાક આગેવાનોએ પણ સારી રકમ ભરી હતી. પરંતુ અત્રેના આગેવાનોએ અત્યાર સુધી તે ખાતું ખોલ્યું નહી તેને માટે પ્રયાસ કાંઈ પણ કર્યો નહીં, પોતે ભરેલી રકમ આપી નહીં અને વેરા હઠીસંગભાઈએ ભરેલી રકમ આપવા અને કુંડ શરૂ કરવા અનેક વખત આગેવાનને કહ્યા છતાં તે પણ લીધી નહીં તે વખતે થયેલું ફંડ માત્ર કાગળ ઉપર લખેલું જ અત્યાર સુધી પડી રહ્યું છે.
વેરા હઠીસંગભાઈ અત્યારે ભાવનગર શહેરમાં સંઘના અગ્રેસર ગણાય છે, સંધના દરેક કાર્યમાં તેમની સલાહ લેવાય છે. તેમનું હૃદયનિર્મળ છે. છળ,કપટ પિતે સમજતા નથી અને તેનાથી દુર રહે છે. જો કે તેઓ ઉંચી જાતીની ધામક કે વહેવારીક કેલવણી મેળવી શકયા નથી તથાપિ કુટુંબના ધર્મના સંસ્કારને લઈને તેઓ ધાર્મિક કાર્યોને ચાહે છે અને પ્રસંગે પ્રસંગે તેને માટે ઉદારતા બતાવે છે. વળી સાથે પોતાની કેમની ઉન્નતિ કરવામાં તેઓ સારી ઈચ્છા ધરાવે છે અને અનેક ધર્મના કાર્યોમાં પ્રસંગે પ્રસંગે મળેલી લક્ષ્મીને સદ્વ્યય કરે છે.
મનુષ્ય માત્રમાં ઘણે ભાગે ગુણ અને દોષ બંને હોય છે, પરંતુ સજજન મનુષ્યો હમેશાં ગુણ ગ્રાહી હોય છે. જેથી કોઈ પણ વ્યક્તિમાં જે જે ગુણો હોય તેનું અનુકરણ અને પક્ષપાત કરવો એ દરેક મધ્યનું કર્તવ્ય છે. વેરા હઠીસંગભાઈનું આ જન્મવૃતાંત સંક્ષિપ્તથી આપવામાં આવ્યું છે, પરંતુ હવે પછી તેઓ આ કરતાં પણ વધારે સારા ધર્મના કાર્યો કરી વધારે ગુણ સંપાદન કરી પોતાને મળેલ લક્ષ્મીને સમાગે વ્યય કરી વધારે યશ મેળવે, એવું ઈચ્છીયે છીયે.
પ્રકાશક,
Page #31
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા.
નંબર, વિષય પૂ. નંબર, વિષય,
પૃષ્ઠ. ૧ નમસ્કાર પ્રયોજનાદિ... ... ૧ ૧૮ શુદ્ધ વહેવાર ઉપર ધનશ્રેણીની ૨ શ્રાવક શબ્દને અર્થ... ... ૪ કથા. ... ... ... .. ૩૭ ૩ ધર્મોપદેશ દાનાવસરે યોગ્યતા ૧૯ બીજા ગુણનું વર્ણન. (શિ.
વિચાર... . . . ૭ | છાચાર પ્રશંસા.) . . ૩૯ ૪ સામાન્ય ગૃહસ્થ ધર્મ ગ્રહણ ૨૦ સદાચારનું સ્વરૂપ. ... ... ૩૯ . હેતુ. .... . •• • ૧૩
૨૧ સદાચારઉપચારનું ઉદાહરણ. ૪૯ ૫ સામાન્ય ગ્રહસ્થ ધર્મરૂપ પાં.
૨૨ ત્રીજા ગુણનું વર્ણન. (સત્રિશ સદ્દગુણ સંગ્રહ કે. ૧૪
માન કુલ શીલવાળા અન્ય ૬ પ્રથમ ગુણ વિવરણ (ન્યાય
નેત્રી સાથે વિવાહ કરવો)... ૫૪ સંપન્ન વિભવ.) . ૧૫
૨૩ વિવાહદિ સ્વરૂપ નિરૂપણ. ૫૪ ૭ ન્યાયસંપન્ન વિભવાદિ સ્વરૂપ. ૧૬
૨૪ આઠ પ્રકારના વિવાહાદિ સ્વરૂપપ૪ ૮ ન્યાપાર્જિતદ્રવ્ય સત્પાત્રવિ
૨૫ વરના લક્ષણે. ... ... .... ૫૫ નિગની ચતુર્ભગીમાં પ્રથમ
૨૬ સ્ત્રીના લક્ષણે. ... ... ... પદ સ્વરૂપ. • • • • ૧૬
ર૭ સમાન શીલના વિવાહ. • ૫૭ ૯ પ્રથમભંગ સ્વરૂપ ઉપર નંદિ9ણની કથા. ... ... ... ૧૭
૨૮ સમાન શીલ ઉપર સુભદ્રાનું
દષ્ટાંત. ... ... ... ... ૫૭ ૧૦ બીજા ત્રીજા ભંગનું સ્વરૂપ. ૧૯ ૧૧ ત્રીજો ચેથા ભંગનું સ્વરૂપ.... ૨૦
૨૯ ચાર પ્રકારના પુત્રનું સ્વરૂપ. ૬૧ ૧૨ ચોથા ભંગ ઉપર રંક શ્રેષ્ઠીની
૩૦ સુકલત્રના લાભનું ફળ. . ૬૩ કથા. .
૩૧ કુકલત્ર (નઠારી સ્ત્રી) ઉપર . . ... રર
સાવિત્રીનું દ્રષ્ટાંત. ... ... ૨૬ ૧૩ વ્યવહાર શુદ્ધિ સ્વરૂપ. . ૨૪
૩૨ વધુ (વહ) ના રક્ષણને ઉપાય. ૬૭ ૧૪ વ્યવહાર શુદ્ધિ ઉપર વંચક છે.
૩૩ ચેથા ગુણનું વર્ણન. (પાછીની કથા. .. . ૨૬
પભીરૂ) • • • ૬૯ ૧૫ દેવદ્રવ્યાદિ ગ્રહણ નિષેધાદિ. ર૯
૩૪ પાપભીરૂનું સ્વરૂપ. • • ૬૯ ૧૬ દેવદ્રવ્યાદિ ગ્રહણ નિષેધ ઉપર
૩૫ પાપભીરૂ ઉપર વિમલનું આકુકકુર કથા. ... ... .. ૩૦ ખ્યાન - • • • • ૭૦ ૧૭ ચાર પ્રકારના શુદ્ધ વ્યવહારનું ૩૬ પંચમ ગુણવણુન(પ્રસિદ્ધ
સ્વરૂપ. • • • • ૩૧ દેશાચાર આચરણ કરવા રૂપ.) ૭૩
Page #32
--------------------------------------------------------------------------
________________
દવિષ્ણુને વૃત્તિ છે
૩૭ દેશાચારનું સ્વરૂપ. ૭૩ ૩૮ દેશલેકાદિ વિરૂદ્ધ • • ૭૩ ૩૯ છઠ્ઠા ગુણનું વર્ણન(કેઈન
અવર્ણવાદ નાહ બલવા રૂપ.) ૭૬ ૪૦ પ્રશંસક સ્વરૂપ. ૪૧ અવર્ણવાદને વિષે બ્રાહ્મણીનું
દ્રષ્ટાંત. ... ... ... ... ૪૨ બહુજન માનનીય અવર્ણવાદિ
વિપાકદર્શન. • • • ૪૩ તે ઉપર સીતાનું દષ્ટાંત. - ૭૮ ૪૪ સાતમા ગુણનું વર્ણન (ગૃ
હસ્થ કેવા ઘરમાં રહેવું ) ... ૪૫ ગ્રાદિ સ્વરૂપ. . . ૮૦ ૪૬ ગ્રહ કરવાને વિષે સુસ્થાન સ્વ
રૂપ. • • • • ૮૦ ૪૭ ગૃહકારણે સ્થાનનિષેધ . ૮૧ ૪૮ સુસ્થાનેવિષે નિર્દોષ ગ્રહકરણ, - -
- ૮૧ ૪૯ ગ્રહને વિષે લક્ષ્મીવૃદ્ધિ ઉપાય. ૮૨ ૫૦ ગ્રહ વ્યવસ્થા સ્વરૂપ. ... ... ૮૩ ૫૧ ગ્રહ સ્થાન સ્વરૂપ. • • ૮૩ પર સારાનરસા પાડેાશનું ઉપદર્શન. ૮૩ ૫૩ ખરાબ પાડેશઉપર અંબિકાનું
ઉદાહરણ. • • • ૮૪ ૫૪ આઠમા ગુણનું વર્ણન (સ- |
સંગ આચરણ કરવા રૂપ) ૮૬ ૫૫ સદાચારીને સંગ કરવાવિષે
સત્ અસત્ સંગનું સ્વરૂપ, ૮૬ | ૫૬ તે ઉપર પ્રભાકરની કથા ૮૭ પ૭ નવમા ગુણનું વર્ણન (મા- |
તપિતાની પૂજા કરવા રૂ૫) ૯૪ | ૫૮ માતપિતા આદિની પૂજા કર
વાનું સ્વરૂપ. • • • ૫ |
૫૯ દશમા ગુણનું વર્ણન. (ઉ.
પદ્વવવાળા સ્થાનને ત્યાગ ક
૨વા રૂપ.).... ... • ૧૦૧ ૬૦ ઉપદ્રવવાળા સ્થાનના ત્યાગનું
સ્વરૂપ. • • • ૧૦૧ ૬૧ તે ઉપર નિર્વિચાર રાજાનું
આખ્યાન. ... ... ૧૦૧ દર અગીયારમા ગુણનું વર્ણન - ન. (નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ
નહિં કરવા રૂપ) • ૧૦૪ ૬૩ નિદિત કાર્યમાં પ્રવૃત્તિ નહિ
કરવા વિષે વર્ણન. .... ...૧૦ ૬૪ અનુચિત કાર્યનહિ કરવા વિષે૧૦૫ ૬૫ તે ઉપર આરોગ્ય દ્વિજની કથા.૧૦૯ , ૬૬ બારમા ગુણનું વર્ણન.(આ
વકના પ્રમાણમાં ખર્ચ કરવા
રૂપ.) . ... ..૧૧૭ ૬૭ આવક પ્રમાણે ખરચ રાખવા
સંબંધીવિવરણ. • ૧૧૭ ૬૮ તે ઉપર કદર્યનું ઉદાહરણ ૧૧૯ ૬૯ તેરમા ગુણનું વર્ણન. (વૈ
ભવને અનુસારે વેષ રાખવા
રૂપ.) . • • ૧૨૪ ૭૦ વૈભવને અનુસાર વેષ રાખવા
વિષે વિવેચન. • ૧૨૪ ૭૧ ચંદમા ગુણનું વર્ણન.
(બુદ્ધિના આઠ ગુણ મેળવવા
રૂપ.) • • • ૧૨૭ ૭૨ બુદ્ધિના આઠ ગુણનું વર્ણન. ૧૨૭ ૭૩ તે ઉપર નારદ પર્વતનું ઉદાહરણ
• • ૧૨૯ ૭૪ પંદરમા ગુણનું વર્ણન.
(નિરંતર ધર્મને શ્રવણ કરવા રૂપ.) • • ૧૩૧
Page #33
--------------------------------------------------------------------------
________________
૭૫ નિરંતર ધર્મ શ્રવણ કરવા [ ૫ માતા સબંધી ઉચિત આચ
વિષે વર્ણન. ... ... ૧૩૧ રણ. • • • •ઉપર ૭૬ તે ઉપર મણિકાર શ્રેણીની કથા ૧૩૧ | ૯૬ સદર ઉચિત્ત આચરણ. ..૧૫૨ ૭૭ સુશ્રુષાનું ફળ. * ૧૩૨ ૯૭ ભાય સંબંધી ઉચિત્ત આચ૭૮ સુશ્રુષા લક્ષણ. ... ... ૧૩૩ રણ. • • • ૧૫૩ ૭૯ તે ઉપર સુદર્શન શ્રેષ્ઠિની કથા. ૧૩૩ ૯૮ પુત્ર ઉચિત્ત આચરણ. ...૧૫૩ ૮૦ સેળમાં ગુણનું વર્ણન. ૯૯ સ્વજન ઉચિત્ત આચરણ. ૧૫૪
(અજિર્ણમાં ભેજનનો ત્યાગ ૧૦૦ ધર્માચાર્ય સબંધી ઉચિત
કરવા રૂપ.) . • ૧૩૮ આચરણ. • • ૧૫૫ ૮૧ અજિર્ણમાં ભેજન ત્યાગ ક- ૧૦૧ નગરજને સબંધી ઉચિત આ
રવા વિષે વિવેચન.. .. ૧૩૮ ચરણ. . ... .. ૧૫૫ ૮૨ સતરમાં ગુણનું વર્ણન (કાલે ૧૦૨ પરતિર્થિક ઉચિત્ત આચરણ. ૧૫૭
ભેજન કરવા રૂપ.) ..... ૧૪. ૧૦૩ ઉચિત્ત આચરણના ફળપદ૮૩ કાલે ભેજનાદિ સ્વરૂપ – ૧૪૦ શનનું વર્ણન. ... ... ...૧૫૮ ૮૪ ભજન વિધિ . . ૧૪૧ ૧૦૪ તે ઉપર શાલિવાડન પ્રબંધ. ૧૫૯ ૮૫ રાત્રિભેજનનિષેધનું વર્ણન. ૧૪૧ / ૧૦૫ વીશમા ગુણનું વર્ણન. ૮૬ રાત્રિભોજનને વિષે દેશનું
(મિથ્યાગ્રહનો ત્યાગ કરવા વર્ણન. . . . ૧૪૨ રૂપ.) . . . . ૧૬૧ ૮૭ વિસ્તારથી ભજન વિધિ. ૧૪૨ | ૧૦૬ અભિાનવેશ (મિથ્યા ગ્રહના ૮૮ અઢારમા ગુણનું વર્ણન.
ત્યાગનું સ્વરૂપ. ... ... ....૧૬૦ (ત્રિવર્ગના સાધન કરવારૂપ.) ૧૪૪ ૧૦૭ એકવીશમ ગુણનું વર્ણન. ૮૯ ત્રિવર્ગનું સ્વરૂપ. • • ૧૪૪ { (ગુણમાં પક્ષપાત કરવા રૂપ) ૧૬૩ ૯૦ ઓગણીશમા ગુણનું વ- | ૧૦૮ ગુણમાં પક્ષપાત કરવા વિષે
ન, (અતિથિ વિગેરેની ભ | વર્ણન. ... ... ... ૧૬૩ - ક્તિ કરવા રૂપ.) * ૧૪૭ | ૧૦૯ બાવીશમા ગુણનું વર્ણન ૯૧ અતિથિવિગેરેની ભક્તિ કરવા
(અદેશ અને અકાલ ચયને વિષે વિવરણ .... ... ૧૪૭ | ત્યાગ કરવા રૂપ.) .. .૧૬૫ ૯૨ અતિથિ દાનને વિષે સુધન - ૧૧૦ અદેશ અને અકાળચર્ચાના નિ- ,
છીની કથા. . . -૧૪૯ | ષેધરણાનું વર્ણન. ...૧૬૫ ૯૩ નવ પ્રકારે ઉચિત દર્શન. ...૧૫૧ ૧૧૧ તે ઉપર હંસનું ઉદાહરણ-૧૬૫ ૯૪ પ્રથમ પિતા સબંધી ઉચિત ૧૧૨ તેવીશમા ગુણનું વર્ણન,
આચરણ. . . .૧૫૧ ! ( પિતાના તથા પરના બળા
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૬
‘બળને જાણવા રૂપ.).... ....૧૬૭ | ૧૩૩ પરમાર્થ વડે કરીને કૃતજ્ઞનું ૧૧૩ બળા પળ સ્વરૂપ. ... ...૧૬૭ સ્વરૂપ.
૧૮૯ ૧૧૪ તે ઉપર લક્ષણરસેનનૃ૫ની કથા. ૧૬૭ | ૧૩૪ ઓગણત્રીશમા ગુણનું વ૧૧૫ એવી શમા ગુણનું વર્ણન. | ણુન, લેકવલ્લભપણુ રૂપ) ૧૨ " (વ્રતમાં રહેલા અને જ્ઞાનથી વૃ | ૧૩૫ લેકવલ્લભનું સ્વરૂપ. ૧૨ - દાની પૂજા કરવા રૂપ.) ૧૭૧ ! ૧૩૬ પરલેક વિરૂદ્ધનું વરૂપ. ૧૨ ૧૧૬ વ્રતમાં રહેલા તથા જ્ઞાનથી વૃ- | ૧૩૭ ઉભયલક વિરૂદ્ધનું સ્વરૂપ. ૧૯૩ ધ્ધની પૂજા કરવાવિષે વર્ણન. ૧૭૧
૧૩૮ લેકવદ્યુમ ઉપર શ્રી અભયકુ૧૧૭ તે ઉપર કપદી શ્રેણીનું દષ્ટાંત. ૧૭૨ મારની કથા. . ... ૧૯૩ ૧૧૮ પચીશમા ગુણનું વર્ણન. | ૧૩ ત્રીશમા ગુણનું વર્ણન. (પધ્ય વર્ગનું પિષણ કરવા
- (સલજ૫ણારૂપ.) ૧૯૮ રૂપ. . . .. ૧૭૩
૧૪૦ લજજાવાનનું સ્વરૂપ. ૧૯૮ ૧૧૯ પિષ્ય પિષકનું સ્વરૂપ ૧૭૩
૧૪તે ઉપર શ્રી આંબડદેવનું આખ્યાન.૧૯ ૧૨૦ તે ઉપર સાગર શ્રેણીની કથા. ૧૭૪
૧૪૨ એકત્રીશમા ગુણનું વર્ણન. ૧ર૧ પરમાર્થથી–નિશ્ચયથી પિષ્ય (સદયપણા રૂપ.) ૨૦૧
વિચાર. ... .... ....૧૭૪] ૧૪૩ દયાવાનનું સ્વરૂપ. . .૨૦૧ ૧૨ર છવીશમા ગુણનું
૧૪૪ તે ઉપર વિક્રમરાજાની કથા. ૨૦૩ (દીર્ધદશી પણું.) ... ....૧૭૬
૧૪૫ બત્રીશમા ગુણનું વર્ણન, ૧૨૩ દીર્ઘદશીનું સ્વરૂપ. ...૧૭૬
(સમ્યપણા રૂપ.). ૨૫
૧૪૬ સૌમ્યનું સ્વરૂપ. . ૧૨૪ તે ઉપર ધનશ્રેણીની કથા.
૨૦૫ ૧૭૬
૧૪૭ તે ઉપર વિરધવળની કથા.૨૦૬ ૧૨૫ સત્તાવીસમા ગુણનું વ
૧૪૮ તેનાથી વિપરીત કઠેર પ્રકૃતિ ર્ણન (વિશેષજ્ઞપણા રૂપે) .....૧૮૦
ઉપર લક્ષમણુસેન નૃપનું ઉદા૧૨૬ વિશેષજ્ઞનું સ્વરૂપ. ... ....૧૮૦
હરણ . . . ૨૭ ૧૨૭ તે ઉપર સુબુદ્ધિ મત્રિની કથા. ૧૮૧ | ૧૪૯ તેત્રીશમા ગુણનું વર્ણન ૧૨૮ બીજે પ્રકારે વિશેષજ્ઞનું સ્વ- (પરોપકાર કરવા રૂપ.) ૨૧૦ રૂપ. . . . . ૧૮૨
૧૫૦ પોપકારીનું સ્વરૂપ. ...૨૧૦ ૧૨૯ તે ઉપર સાગરદનનું આખ્યાન૧૮૩
૧૫૧ ચાર પ્રકારે મનુષ્યનું સ્વરૂપ ૨૧૧ ૧૩૦ અઠાવીશમા ગુણનું વર્ણન
૧૫ર બે પ્રકારે ઉપકારનું સ્વરૂપ ૨૧૨ : (કૃતજ્ઞપણા રૂપ.) . ૧૮૬ | ૧૫૩ તે ઉપરવિક્રમાદિત્યની કથા.૨૧૨
૧૩૧ કૃતજ્ઞનું સ્વરૂપ. • ૧૮૭, ૧૫૪ ચેતન અચેતના પરોપકારનું ઉપ- ૧૩ર તે ઉપર જિતારી રાજાની કથા. ૧૮૮ ] દર્શન. . . . ૨૧૪
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૫૫ પાપકારને વિષે ભરત રાજાનું ૧૬૧ માનનું સ્વરૂપ • • ર૩૧
ઉદાહરણ. ... . ૨૧૫ | ૧૬૨ મદનું સ્વરૂપ . - ર૩ર ૧૫૬ શેત્રીશમા ગુણનું વર્ણન | ૧૬૩ હર્ષનું સ્વરૂપ. . ૨૩૪
(અંતરંગારિ પ વર્ગના ત્યાગ | ૧૬૪ પાંત્રીસમા ગુણનું વર્ણન
કરવા રૂપ.). • ૨૬ ! ( ઇન્દ્રિયોને જય કરવા રૂપ.)૨૩૬ ૧૫૭ છ અંતરંગારિનું સ્વરૂપ. ર૨૬ ૧૬૫ ઇંદ્રિયોના રોધ કરવાનું સ્વરૂપ. ૨૩ ૧૫૮ કામનું સ્વરૂપ છે. રર૬ | ૧૬૬ ગ્રંથ સમાપ્ત ... ૨૩૯ ૧૫૯ નું સ્વરૂપ . રર૮૩ ૧૬૭ ગ્રંથકારની પ્રશસ્તિ. - ૨૪૦ ૧૬૦ લાભનું સ્વરૂ૫. રર૯
૦
૦
૦
*
*
*
આ સભા તરફથી અત્યારસુધીમાં જે જે ગ્રંથો પ્રસિદ્ધ થયા તેનું લીસ્ટ
, જે સંખ્યા કુલ ૮૨ છે. આ સભાએ પ્રસિદ્ધ કરેલા સંસ્કૃત માગધી મૂળટીકાના ગ્રંથે. નં. ૧ સમવસરણ સ્તવઃ અવ- ૦ ૧૫ દેવવંદન ભાષ્ય. ૦-૫૦૦
ચૂરી ... ... ૦–૧–૦ ૦ ૧૬ સિદ્ધપંચાશિકા. ... ૦–૨–૦ * , ૨ ક્ષુલ્લકભવાવલી . ૦-૧-૦ ૦ ૧૭ અન્નાયઉચ્છકુલકમ ૦–૨–૦ e, ૩ લોકનાલિકા દ્વાત્રિશિકા ૦-૨-૦ ૦ ૧૮ વિચારસપ્રતિકા ... ૦-૩-૦
, ૪ એનિસ્તવઃ ” ૦–૧–૦ ૧૯ અલ્પ બહુત્ર ૦-ર-૦ , ૫ કાલસપ્તતિકા ... ૦-૧-૬ ૨૦ પંચસૂત્રમ. . ૦ ૬-૦ , ૬ દેહસ્થિતિ એ ૦-૧-૦
* ૨૧ જંબુચરિત્ર. . ૦-૪-૦ , ૭ સિદ્ધદંડિકા • ૦–૧–૦ રર સ્નેપાળ તૃપકથા ૦-પ-૦ » ૮ કાય સ્થિતિ
૦–૨-૦ ૨૩ સુક્તરત્નાવલી. .... –૪–૦ * ઇ ૯ ભાવ પ્રકરણ - ૦–૨-૦ ૨૪ મેઘદુત. • • ૦-૪-૦ * ૧૦ નવતત્વ ભાષ્ય. . ૦ ૧૨-૦ ૨૫ ચેતેદુત. • • ૦-૪-૦ # ૧૧ વિચાર પચાશિકા — ૦–૨–૦ | ૨૬ પર્યુષણુણાન્ડિક વ્યા * ૧૨ બંધષ ત્રિશિક. .. ૦-૨–૦ | ખ્યાન. ... ... ૦-૬-૦ * ૧૩ પરમાણું, મુદ્દગલ, નિ
ર૭ ચંપકમાલાકથા. . ૦-૬-૦ ગોદ ત્રિશિકા — ૦–૩-૦ ૦ ૨૮ સમ્યકત્વ કૌમુદિ. ... ૦-૧૦૦ ૧૪ શ્રાવકવ્રતભંગ પ્રકરણ ૦–૨–૦ / ૦ ૨૯ શ્રાદ્ધગુણ વિવરણું.... ૦-૧૦૦
* આવી નિશાનીવાળા ગ્રંથ શિલિકમાં નથી. ૦ આવી નિશાનીવાળા ગ્રંથે શિલજમાં જ છે.
*
*
Page #36
--------------------------------------------------------------------------
________________
1.
૨૮
૦ ૩૦ ધર્મરત્ન પ્રકરણ - ૦-૧૨-૦ | - ૩૧ કલ્પસૂત્ર . . ૦–૦-૦
૩૩ ઉપદેશસપ્તતિકા .... ૦-૧૩૦ ૩૪ કુમારપાળ પ્રબંધ... ૦-૧૪-૦ ૩૫ આચારેપદેશ. . ૦-૩-૦ ૩૬ રોહિણી અશોકચંદ્ર
કથા . • ૦–૨-૦ ૩૭ ગુરુગુણષત્રિશિકા. ૦–૮–૦ જ ૩૮ જ્ઞાનસાર. • • ૧-૦-૦
૩૯ સમયસાર, ... ... ૦–૮–૦
૪૦ સુકૃતસાગર - ૦–૮–૦ ૪૧ ધમ્મિલ કથા ૦–૨–૦
૨ પ્રતિમાશતક . ૦–૮–૦ છ૪૩ ધન્ય કથાનકમ, .... ૦–૨-૦ ૪૪ ચતુવિંશતિજિન સ્તુતિ
સંગ્રહ. • • ૦-૬-૦ » મેરૂ ત્રયોદશી કથા. . ૦–૧–૦
૫ રેહણેય ચરિત્ર. . ૦–૧-૦ ૫૧ શ્રી ક્ષેત્રસમાસ. ... ૦–૮–૦
ગુજરાતી ભાષામાં ભાષાંતર વગેરેના પ્રથ, જે કે ગુજરાતી ભાષાના
વાંચનારાઓને ખાસ ઉપયોગી છે તેવા પ્રકટ થયેલા ગ્રંથા. ૧ જેને તત્ત્વદર્શ • ૪-૦-૦ [ ૧૬ નવતત્વને સુંદર બોધ . ૦-૧૦-૦ ૨ અજ્ઞાનતિમિરભાષ્કર • ૨-૮-૦ | ૧૭ આત્મવલ્લભ સ્તવનાવાળી ૦-૬-૦ ૩ ધર્મબિન્દુ ગ્રંથ .... .... ૨-૮-૦] ૧૮ જીવવિચારવૃત્તિ .. . ૦-૬-૦ ૪ આત્મપ્રબોધગ્રંથ. • ૨-૮-૦ ૧૯ દંડક વિચારવૃત્તિ. .... ૦–૮–૦ ૫ ધ્યાનવિચાર. . . ૦-૩-૦ | ૨૦ નયમાર્ગદર્શક. . . ૦-૧ર-૦ ૬ શ્રી પ્રકરણસંગ્રહ. ~ ૦-૪-૦ ૨૧ જેનતત્વસાર મૂળ તથા ૭ શ્રાવક કલ્પતરૂ . . ૦-૬-૦ - ભાષાંતર. ... ... ૦-૬-૦ ૮ આત્મોન્નતિ • • ૦૧૦-૦ ૨૨ સદર ભાષાંતર. ... ૦-૨-૦ ૯ પ્રકરણ પુષ્પમાલા... ... ૦-૬-૦ ૨૩ એક્ષપદ સંપાન... ... ૦-૧૨-૦ ૧૦ વીવીધ પૂજાસંગ્રહ (શ્રીમદ્ ૨૪ શ્રીજંબુસ્વામી ચરિત્ર . ૦–૮–૦
આત્મારામજી મહારાજ ૨૫ નવાણું પ્રકારી પૂજા. . ૦-૪-૦ તથા મુનિરાજ શ્રી વલ
૨૬ જેન ગ્રંથગાઈડ .. . ૧–૦–૦ વિજયજી મહારાજ કૃત. ૦–૮–૦
૨૭ તરત્ન મહોદધિ (તપા૧૧ જેન ધર્મવિષયિક પ્રનેત્તર ૦-૮–૦
- વલી) ભા. ૧,૨ જે. .. ૦–૮–૦ ૧૨ કુમારવિહારશતક - ૧-૪-૦
૨૮ વિવિધપૂજા સંગ્રહ નવી ૧૩ દેવસરાઈ પ્રતિક્રમણ .... ૦-૩-૦ આવૃત્તિ. • • • ૦-૮-૦ ૧૪ હંસવિનેદ . . ૦-૧૨-૦ ૨૯ શ્રી સમ્યકત્વ સ્વરૂપ સ્તવ. ૦–૨-૦ ૧૫ પ્રશ્નોત્તર પુષ્પમાળા (આ. ૩૦ શ્રી શ્રાદ્ધગુણ વિવરણ ભા
વૃત્તી બીજી) ... ... ૦-૧૪-૦ | ' ષાંતર. • • • ૧-૮-૦
Page #37
--------------------------------------------------------------------------
________________
વ
શ્રાદદ્દગુણ વિવરણ.
( ભાષાંતર.)
Page #38
--------------------------------------------------------------------------
Page #39
--------------------------------------------------------------------------
________________
अर्हम्
श्री सर्वज्ञाय नमः श्रीमद्विजयानंदसूरीश्वरपादपद्मेभ्योनमः परमर्षि श्रीजिनमएमनगणि विरचित श्रागुण विवरण.
pe
प्रणम्य श्रीमहावीरं, केवलज्ञाननास्करम् । वच्मि कंचनसुश्राध,-धर्म शमैककारणम् ॥१॥ શબ્દાર્થ કેવલ શાને કરી સૂર્ય સમાન શ્રીમન્મહાવીર ભગવાનને નમસ્કાર કરીને સુખના એક (અદ્વિતીય) કારણ રૂપ શુદ્ધ શ્રાવક ધર્મનું કાંઈક (સંક્ષિપ્તરૂપમાં) વર્ણન કરું છું. તે ૧ II
ભાવાર્થ–ભગવાન નિર્વથ જ્ઞાતપુત્રે મેક્ષના સાધન માટે બે પ્રકારના ધર્મો કહ્યા છે તેમાં એક મુનિધર્મ અને બીજે ગૃહસ્થ ધર્મ. તેમાંથી આ ગ્રન્થકાર જિનમહડન ગણી મહારાજ મુનિધર્મ માટે ન બેલતાં પ્રથમ પાયારૂપ ગ્રહસ્થ ધર્મ હેવાથી તથા ગ્રહસ્થ ધર્મ મુનિધર્મથી સરલ અને સુસાધ્ય હેવાથી પ્રથમ તે ધર્મનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા કરે છે. પ્રતિજ્ઞા કરતાં ગ્રન્થકાર મહારાજ કહે છે કે હું સંક્ષેપમાં શ્રાવકેના ગુણેનું વર્ણન કરૂં . આમ કહેવાનું કારણ ઉપાસક દશાંગસૂત્ર– તથા–શ્રાવકપ્રજ્ઞમિશ્રાવકધર્મવિધિપ્રકરણ--શ્રાવકદિનકૃત્ય-ધર્મરત્ન-ગશાસ્ત્રધર્મબિન્દુ વિગેરે બીજા અનેક ગ્રંથમાં શ્રાવકેના ગુણોનું વર્ણન અતિવિસ્તાર પૂર્વક આપેલું છે. પરંતુ આ કાલના મનુષ્યને તેવા ગ્રંશે જોવાનું સામર્થ્ય અલ્પ હોવાથી
Page #40
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણ વિવરણ. તેમજ જ્ઞાનની ન્યૂનતા હોવાથી અલ્પ સમયમાં ઈચ્છિત બંધ પ્રાપ્ત થાય તેવા હેતુથી આ શ્રાદ્ધગુણ વિવરણ સંક્ષેપમાં લખવાનું ગ્રંથકારે ઊચિત ધાર્યું હોય એમ લાગે છે.
મંગલાચરણમાં શ્રીમકીરભગવાનને નમસ્કાર કરવાનું કારણુશાસનના નાયક છે માટે તથા એ ભગવાને બતાવેલા શ્રાવકના ગુણેનું આ ગ્રંથમાં વર્ણન છે, કારણકે ભગવાન યુગાદિ દેવના સમયના શ્રાવકમાં સરલતાને ગુણ હોવાનું ગ્રંથાથી દેખાય છે તેમજ બાવીસ તીર્થંકર ભગવાનના સમયના શ્રાવકેમાં વિદ્વત્તા સાથે સરલતાના ગુણ મુખ્ય હોવાનું દેખાય છે તે તે ગુણેને મુખ્યતાએ રાખીને આ ગ્રંથ લખવામાં આવતું નથી પણ ભગવાન મહાવીર સ્વામિના સમયના શ્રાવકેના ગુણે કેવા હેવા જોઈએ તે અત્રે દર્શાવ્યું છે, તેથી વીર ભગવાનને નમસ્કાર કર્યાનું સમજાય છે. ચંગાર્થને વિચાર કરતાં એમ પણ લાગે છે કે હાલના સુશ્રાવકને પણ-બાવીસ-તીર્થંકર મહારાજના શ્રાવકેની પેઠે પ્રાજ્ઞ અને અજુ થવાની ગ્રંથકારે ખાસ સૂચના કરી છે. આ શાસ્ત્રમાં વર્ણવેલા ગુણો પ્રાપ્ત કરી શ્રાવકેએ જી તથા પ્રાણ થવા ચુકવું નહીં. પ્રાયે બાજુપણું જન્મથી અને જ્ઞાનથી થઈ શકે છે અને પ્રાજ્ઞપણું સત્સંગથી સતશાસ્ત્રના અધ્યયનથી શ્રવણ મનન નિદધ્યાસનથી (અનુભવ કરવાથી) થાય છે તે બીજા અનેક કાર્યોમાંથી વિરામ પામી જેનાથી મુનિ માર્ગ ન સધાતો હોય તેવા સુશ્રાવકોએ નિત્યકર્મ સાથે પિતામાં પ્રાજ્ઞપણું આવે તેને માટે અહેરાત્રિમાં અમુક કાલ નિયમિત કરી ઉપર દર્શાવેલા સાધનમાંથી જે સાધન મળી આવે તેને ઉપયોગ કરી પિતાનામાં પ્રાજ્ઞપણું મેળવવા સતત્ પ્રયાસકર ઉચિત છે. જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાં સુધી કુલ પરંપરાથી પ્રાપ્ત થયેહું શ્રાવકપણું તે વાસ્તવિક શ્રાવકપણું ગણાશે નહીં અને દેખાદેખીની ક્રિયાથી કષાયની મંદતા થઈ શ્રાવકપણાને ગ્ય નિઃસ્પૃહતાથી થતે પરમાનન્દ મલશે નહીં. મેક્ષમાં કે આનંદ હશે તેને જેમને અનુભવ કરે છેય તેમણે શ્રાવકપણને ચેચે સમતાથી–પ્રાપ્ત થતા આનન્દને અનુભવ કરે એ ગ્રંથકારને આશય હેય એમ સંભવે છે.
जयश्रीसिद्धिदः साध्यो, गुरूक्तशुद्धमंत्रवत् । सान्वर्थः सात्विकैर्धर्मों, विवेकिश्रावकोत्तमैः ॥२॥ શબ્દાર્થ—-સાત્વિક અને વિવેકી ઉત્તમ શ્રાવકેએજયશ્રીની સિદ્ધિને આપનારો અને સાત્વર્થ (નામ પ્રમાણે ગુણ યુક્ત) એ ધર્મ ગુરૂકથિત શુદ્ધ મંત્રની પેઠે સાધવા ગ્ય છે. ૨
૧ સાંભળવાથી. ૨ વિચારવાથી.
Page #41
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્દગુણ વિવરણ.
ભાવાર્થશું—આ સંસારમાં ધન ધાન્યાદિક ઇચ્છિત વસ્તુઓ અને દીવ્ય શક્તિએ પ્રાપ્ત કરવાને મનુષ્યા સદ્ગુરૂની સેવા કરે છે. અને જ્યારે ગુરૂ મહારાજ - વી સેવાથી પ્રસન્ન થાય છે, ત્યારે શિષ્યને તેની ચેાગ્યતાનુસાર તેની આશા પૂર્ણ કેરવાને મંત્ર આપે છે, આવા મત્ર પ્રાપ્ત કરી શિષ્ય તેનું આરાધન કરે છે. અને રાતે ધારેલા લાભ મેળવે છે, તેજ પ્રમાણે ગ્રન્થકાર મહારાજ કહે છે કે હે ભવ્ય પ્રાણીએ ! જો તમારે મેાક્ષ સુખ મેળવવુ' હાય તા તમે ગુરૂ મહારાજે બતાવેલા મ'ત્રની પેઠે ધર્મનું આરાધન કરી કે જેથી અવિનાશી એવુ આત્મિક સુખ પ્રાપ્ત થાય, સાત્ત્વિક કહેવાનું કારણ એ છે કે, મંત્ર સાધતાં જેમ ઉપસર્ગાં થાય છે તેમ ધર્મ સાધનમાં પણ અનેક ઉપસગેÎ આવે છે, આવે વખતે નિઃસત્ત્વ પ્રાણી ગભરાઈને ધર્માંથી ભ્રષ્ટ થાય છે. આને માટે શ્રાવકામાં શ્રેષ્ઠ એવા આનન્દ અને કામદેવાઢિ સુશ્રાવકના હૃષ્ટાન્તા પ્રસિદ્ધ છે તે જુવે, આ મહાશયેાને ધર્મથી ભ્રષ્ટ કરવાને દેવાએ અનેક ઉપસગેર્યાં કર્યાં છતાં ધર્મના ત્યાગ કર્યાં નહીં તે તેએ સંગતિના ભાજન થયા તેમ જો તમે પણ દેઢ ચિત્તથી ધર્મનું આરાધન કરશેા તા તાત્કાલિક સદ્ગતિ અને પર'પરાથી મેાક્ષસુખને મેળવી શકશે. કદી કાઇ એમ કહે કે સાત્ત્વિકપણું લાવેલુ' આવતુ નથી. તે તે વાત ચેાગ્ય નથી કારણ આત્મામાં અનન્ત ગુણા છે, તે બધા તિરાભાવને પામેલા છે, એટલે આવરણુથી અવરાએલા છે; પુરૂષાર્થ કરવાથી આવરણના યાપશમ કે ક્ષય પ્રમાણે તે ગુણેા પ્રગટ થાય છે. તેથી જ્યારે ઉપસર્ગ આવે ત્યારે વિચાર કરવા કે સાત્ત્વિક માણસે ધર્મ સાધી શકે છે, મહારામાં પણ તેવા ગુણ છે તેા પ્રાણાન્તે પણ હું ધર્મને છેડીશ નહીં, અને આવે નખતે પૂર્વે થઈ ગયેલા મહુર્ષિએ અને સુશ્રાવકેાએ કેવી દૃઢતાથી ધર્મ આરાધ્યેા છે તે વિચારી પોતે નિઃસન્ન થઈ ધર્મ નહીં ડતાં સાત્ત્વિકપણાને અવલબી રહેવુ એવા આશય ગ્રન્થકાર મહારાજને જણાય છે.
3
વિવેક વિના ધર્મ થઈ શકતાજ નથી, સત્સદ્ભિવેક થયા વિના આત્મજ્ઞાનના સભવ નથી, આત્મજ્ઞાન શિવાય સમ્યકત્ત્વ નથી અને જે ચતુર્થ ગુણુસ્થાન પ્રાપ્ત ન થયુ... હાય તા પછી શ્રાવકનુ' પંચમ ગુણસ્થાન તેની તેા વાતજ શી ? તેથી ભવ્ય પ્રાણીઓએ સત્સદ્વિવેક મેળવવા સત્શાસ્ત્ર અને સદગુરૂનુ' સેવન કરવુ' અને જડ ચેતન્યનું સ્વરૂપ સમજી પેાતાનુ` કવ્ય શું છે તે વિચારવું, આમ વિચાર કરતાં ગુરૂ મહારાજે બતાવેલા ધર્મનુ' આરાધન કરવાનુ” પોતાની મેળે સમજાશે અને તેથી જયશ્રીની સિદ્ધિને આપનારો ધર્મ શુદ્ધ મત્રની જેમ આરાધવા યોગ્ય છે, એમ અનુભવમાં આવશે.
Page #42
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણ વિવરણ. તેમાં પ્રથમ (ગ્રન્થકાર મહારાજ) શ્રાવક શબ્દને અર્થ કહે છે. “ परलोकहियं सम्मं जो जिणवयणं सुणे नवनत्तो । પ્રતિવેવમવિયનામુ તો સાવળો ઇલ્ય રૂ . અથવા, “અલિતાં જાતિવૃતિ શાસન, ધનંતપેલાગુવૃતિના कृतत्यपुण्यानि करोति संयम,तंश्रावकं प्राहुरमी विचरणाः॥४॥
શબ્દાર્થ_જે ઉપગ પૂર્વક પરલમાં હિતકારી એવાં જિનેશ્વર ભગવાનનાં વચને સમ્યક પ્રકારે સાંભળે અને અતિ તીવ્ર કર્મોથી [ કષાયાદિથી ] મુકાયેલ હેય તે શ્રાવકનેઅત્ર(અધિકાર) સમજે ૩ અથવા
જે શ્રદ્ધાળુપણાને દ્રઢ કરેજિનેશ્વર ભગવાનની આજ્ઞાને શ્રવણકરે, શુભક્ષેત્રમાં દ્રવ્યને શીઘ વાવે (વ્યયકરે) જિન દર્શનને (સમ્યકત્વને) વરે, (આદરે) પાપને નાશ કરે અને સંયમ કરે (મન ઇંદ્ધિને વશ કરે) તેમને વિચક્ષણ પુરૂ પ્રાવક કહે છે. ૪
ભાવાર્થ—આ ગ્રન્થમાં કેવા શ્રાવકનું વર્ણન આવનાર છે તે ગ્રંથકર્તા મહારાજ કહે છે. શ્રાવકે ચાર પ્રકારના શાસ્ત્રમાં વર્ણવ્યા છે તે પૈકી અહિંઆ નિચેના ગુણવાળા એટલે કે ભાવ શ્રાવકોને મુખ્યતાએ અધિકાર છે, કારણ કલાકમાગત જેમને શ્રાવકપણું પ્રાપ્ત થયું છે તેઓ જ્યાં સુધી ત્રતાદિક ન લે ત્યાં સુધી નામ શ્રાવક કહી શકાય, અથવા કોઈ મનુષ્યનું નામ શ્રાવક હોય તેને પણ શ્રાવક કહેવાય અને તે પણ નામ શ્રાવકમાં ગણાય, એટલે તેનું અત્રે વર્ણન નથી. તેમજ ચિત્રામણકે મૂર્તિમાં શ્રાવકપણું સ્થાપ્યું હોય તેને પણ અત્રે અધિકાર નથી, તેવીજ રીતે હવે પછી શ્રાવકપણું થનાર છે તેને પણ અહીં અધિકાર જણાતું નથી. અર્થપત્તિથી ભાવશ્રાવકને અધિકાર હોવાનું ભાસે છે. પ્રથમ વિશેષણ ઉપગ પૂર્વક સાંભળનાર એવું છે. ખરેખર આ વિશેષણ પ્રમાણે મેટા ગ્રંથના ગ્રંથે ન સાંભળતા થોડું પણ ઉપયોગ પૂર્વક સાંભળે અને તેનું મનન કરી હેયોપાદેયને વિચાર કરી ને શ્રાવકો વર્તે તે તેઓ અલ્પ સમયમાં તત્ત્વ પ્રાપ્તિ પૂર્વક પરમશાન્તતા મેળવી ભવ શ્રમણથી છુટી શકે છે. સાંપ્રતકાળમાં વાંચવા સાંભળવાનું ઘણું થાય છે, પણ તે ઉપયોગ પૂર્વક ન હોવાથી જોઈએ તેવું કાર્યકારી થતું નથી તેથી, ઉપગ પૂર્વક શ્રવણ કરવાને ગુણ શ્રાવકેએ અવશ્ય પ્રાપ્ત કરે જોઈએ.
બીજું વિશેષણ અતિ તીવ્ર કર્મોથી મુકાયેલું હોય એવું છે આ વિશેષણથી અનંતાનુબંધી કષાય અને અપ્રત્યાખ્યાન કષાયને નાશ કરનાર શ્રાવક હોય એમ
Page #43
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણ વિવરણ સૂચવે છે, અથવા તીવ્ર કર્મોથી સુકાયેલે એટલે જે કર્મો (વ્યવસાયાદિ) કરતાં રિદ્ર પરિણામ ન થાય તેવાં કાર્યો કરનાર શ્રાવક હોવો જોઈએ તે પ્રાયઃ ભાવશ્રાવકમાં હોય એમ સંભવે છે.
શ્રદ્ધાને દૃઢ કરે એટલે દ્રઢ સભ્યશ્કવાન હોય અથવા જેના દર્શનની અનેક પ્ર. કારે પરીક્ષા કરી તેના ઉપર વિશેષ શ્રદ્ધાલુ થાય. આ શ્રદ્ધા શાસે શ્રવણ કરવાથી થાય છે, તેથી ઉપયોગ પૂર્વક જિનેશ્વર ભગવાનની વાણું નિરંતર શ્રવણ કરે, અને આવી રીતે ભગવાનની વાણી નિરંતર શ્રવણ કરવાથી સંસારનું અસારપણું અને લક્ષમીની ચંચલતા જાણું પૂર્વ પુણ્યથી પિતાને પ્રાપ્ત થયેલા ધનને શુભ ક્ષેત્રમાં નામાદિકની અપેક્ષા રાખ્યા વિના લાભાલાભ ઈ વાવરે અને જ્યારે આવી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે સમ્યકત્વ પ્રાપ્ત થયું છે એમ જાણવું. જ્યારે સમ્યકત્ત્વ રત્નની પ્રાપ્તિ થઈ તે પછી સ્વયમેવ પાપ નાશ થઈ જાય છે અને ઈદ્રિએ તથા મન સહજપ્રયાસથી વશ થાય છે, તેથી સંયમ કરનાર શ્રાવક હોય એમ વિશેષણ આપેલું છે તેથી વિચક્ષણ પુરૂ આવા ગુણવાળાને શ્રાવક કહે છે. મતલબ કે-શાસ્ત્ર કારે શ્રાવક શબ્દની નિરૂક્તની રીતિથી સિદ્ધિ કરતાં એક એક અક્ષરથી કેવા પ્રકા રને અર્થ ઘટી શકે તે દેખાડી શ્રાવક શબ્દને સાર્થક કરી બતાવ્યો છે. જે પ્રકારે શાસ્ત્રકારે અર્થ દ્વારા શ્રાવક શબ્દ સાર્થક કરી બતાવ્યો છે તે જ પ્રકારે શ્રાવક શબ્દના ધારક મનુષ્ય પ્રવૃત્તિ દ્વારા શ્રાવક શબ્દને સાર્થક કરે ઘટે છે.
નિસ વિમેનન આ પ્રમાણે પદને તેડીને એક એક અક્ષરને અર્થ કરે તેને નિરૂકત કહે છે અને આ પ્રક્રિયા પ્રાયઃ ઘણું શાસ્ત્રમાં જોવામાં આવે છે. શ્રી આવશ્યક સૂત્રની નિયુક્તિમાં ચતુર્દશ પૂર્વધારી શ્રીમદ્ ભદ્રબાહુ સ્વામીએ નિઝામિ સુધી ને અર્થ એક એક અક્ષરને જુદે જુદે વર્ણન કરેલ છે. મનુસ્મૃતિમાં શાંત શબ્દને પણ અર્થ એ જ ઢબથી કરવામાં આવેલ છે. તે જ રીતિથી શ્રાવક શબ્દને અર્થ અત્રે શાસ્ત્રકારે બે પ્રકારે કરી બતાવ્યો છે. શ્રદ્ધલિત શ્રાતિ શ્રધાને પકાવે તેને શા કહીએ.
ધનં વપર-સાત ક્ષેત્રમાં પિતાનું ન્યાયપાર્જિત ધન વાવે (ખર્ચ) તેને ૨ કહીએ અને નત્યપુણાનિ એટલે અપુણ્ય (પાપ) ને છેદન કરે તેને કહીએ થા–– ત્રણે અક્ષરના વર્ણન કરેલ અર્થવિશિષ્ટ જે વ્યક્તિ હોય તેને શ્રાવણ કહેવામાં આવે છે તાત્પર્ય શ્રધ્ધા પૂર્વક સાત ક્ષેત્રમાં પોતાનું ન્યાયથી પેદા કરેલ દ્રવ્ય ખર્ચ પાપને નાશ કરે તેને વિચક્ષણ પુરૂ શ્રાવક કહે છે. અથવા–સૃપોરિ રી
Page #44
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણ વિવરણ.
સનમ હિતકારી ભગવદ્ વચનને સાંભળે તેને મા કહીએ તૃપતિ તરીના દર્શન (સમ્યકત્વ) ને વરે અંગીકાર કરે તેને કહીએ અને પરિસંયમ સંયમત્રત અંગીકાર કરે તેને રે કહીએ તાત્પર્ય ભગવચન સાંભળી સમ્યકત્વ પ્રાપ્ત કરી યથાગ્ય સંયમ વ્રત નિયમાદિ આચરે તેને વિચક્ષણ પુરૂષ શ્રાવક કહે છે.
શ્રાવકનું બીજું લક્ષણ. " श्रवंति यस्य पापानि पूर्वबछान्यनेकशः।
आवृतश्च व्रतैर्नित्यं श्रावकः सोऽनिधीयते ॥ ५॥ શબ્દાર્થ જેનાં પૂર્વે અનેક પ્રકારે બાંધેલાં પાપે શ્રવિ જાય છે (જતાં રહે છે) અને જે હમેશાં વ્રતથી યુકત હોય છે તે શ્રાવક કહેવાય છે. તે પો
ભાવાર્થ-કર્મોને ક્ષય બે પ્રકારે થાય છે એક બાંધેલા કર્મ ભોગવી લેવાથી, એટલે કે કર્મો પિતાનું નિર્ણત ફલ આપી ખરી જાય છે અને બીજું પ્રત્યાખ્યાન તીવ્ર તપસ્યા જ્ઞાન ધ્યાન વિચારણા વિગેરેથી કમી નિર્જરે છે. શ્રાવક પૂર્વે બાંધેલા પાપ ઉપર જણાવેલા બે પ્રકારથી આત્મ પ્રદેશથી દૂર કરે છે, તેમજ નવાં પાપ ન બંધાય તેને માટે નિરંતર પિતાને ગ્ય વ્રતથી યુક્ત હોય છે તેથી આવા ગુણ વાળાને શ્રાવક કહેવાય છે.
આ શ્રાવક ધર્મ કે છે તે કહે છે. सुदेवत्वमानुषत्वयतिधर्मप्राप्त्यादिक्रमेण मोक्षसुखदायकत्वेन सुरतरूपमानो योग्येज्य एव दातव्यः
શબ્દાર્થ–દેવપણું મનુષ્યપણું અને યતિ ધર્મની પ્રાપ્તિ વિગેરેના કેમે કરીને મેક્ષના સુખને આપનારે હોવાથી કલ્પવૃક્ષની ઊપમાને ગ્ય એ ધર્મ એગ્ય પુરૂષ જ આપવો જોઈએ. કહ્યું છે કે, “નંતિવાતાવય–ભવિવવિગ્રો વિUિTI
तम्हा जुग्गजियाणं, दायव्वो धम्मरसियाणं ॥ ६ ॥ શબ્દાર્થ_વિધિએ કરીને સેવેલો શ્રાવક ધર્મ પણ કરી મોક્ષને હેતુ થાય છે તેથી તે શ્રાવક ધમ ધર્મને વિષે રસિક એવા ગ્ય પુરૂષને આપ જોઈએ છે ૬
ભાવાર્થ-શ્રાવક ધર્મ પણ ગ્યતા વિના કેઈને આપ નહી એ ગ્રંથકાર મહારાજને આશય છે. અપાત્રમાં શુદ્ધ વસ્તુ નાખ્યાથી વિપર્યયને પામે છે, તે
Page #45
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણ વિવરલે. પછી ધર્મરત્ન જેવી અમુલ્ય વસ્તુ ગ્યાયેગ્ય વિચાર કર્યા સિવાય દરેકને આપવી યોગ્ય નથી. (આ ઉપરથી શ્રાવકધર્મથી શ્રેષ્ઠ એવા મુનિ ધર્મને તે ગ્યાયેગ્યને વિચાર કરી ખરેખરા પાત્રનેજ આપે એગ્ય છે એમ સિદ્ધ થાય છે.) . ધર્મોપદેશ આપવાના અવસરે ત્રણ યોગ્ય શોધવાં જોઈએ તે કહે છે.
"जुग्गजियाणं विहिणा जुग्गेहिं गुरूहि देसिओ सम्मं ।। ગુનો ધમોવિ ત સયલિપિનો મ િ છે
શબ્દાર્થપગ્ય જીવોને પિગ્ય ગુરૂઓએ વિધિ પૂર્વક સારી રીતે ઉપદેશેલે પિગ્ય ધર્મ સર્વ પ્રકારની સિદ્ધિઓને આપનારે કહે છે ૭ .
ભાવાર્થગ્ય છે એટલે મુમુક્ષુ અને આ ગ્રંથમાં આગલ કહેવામાં આવશે તેવા લક્ષણવાળા જીવે સમજવા. કદી શાસ્ત્રોક્ત લક્ષણવાળા મળે પરંતુ ધર્મોપદેષ્ટા ગુરૂ દિયાહીન શિથિલાચારી પરિગ્રહધારી વિષયી અસત્યવાદી વિગેરે દુર્ગણાયુક્ત હોય તે તેવા પાસેથી પ્રાપ્ત થયેલે શ્રાવક ધર્મ પ્રાયે યથાર્થ ફલને આપનાર થતું નથી, તેથી ગુરૂઓ પણ શાસ્ત્રોક્ત ગુણે એ યુક્ત હોય તેજ શ્રાવકધર્મ આપવાને યોગ્ય છે. એ ધર્મ કહે છે તે ધર્મ ગ્રહણ કરનારની અપેક્ષાથી છે એટલે કે જીવોમાં ધર્મ પાલન કરવાની જેવી યોગ્યતા હોય તેને તેવા તેવા પ્રકારને ધર્મ બતાવવું જોઈએ, જેથી કરેલી પ્રતિજ્ઞાનું પાલન સુખેથી કરી શકે. પાત્રાપા-. ત્રને વિચાર કર્યા સિવાય ઉપયોગી પણ કઠિણ નિયમ આપવામાં આવે છે તેથી નિયમ લેનારનું મન પાછલથી વિઠ્ઠલ થાય અને લિધેલા નિયમનો ભંગ કરી દેષને પાત્ર થાય અને વખતે શ્રદ્ધા ભ્રષ્ટ થઈ ધર્મથી પરાગમુખ થાય, તેથી યોગ્ય ગુરૂઓએ યોગ્ય ને ચગ્યધર્મ યોગ્યતા પ્રમાણે આપ જોઈએ.
અગ્ય પુરૂષને આપેલે ધર્મ વિશેષ ગુણેની પ્રાપ્તિ કરાવનાર થતું નથી કહ્યું છે કે • " चूतांकुरकवलनतः कोकिनकः स्वनति चारु नतु काकः ।,
योग्यस्य जायते खलु हेतोरपि नेतरस्य गुणः" ॥७॥ ' શબ્દા–જેમ આંબાને મહોરના ભક્ષણથી કેયલ પક્ષી સુંદર શબ્દ કરે છે પરંતુ કોઇ કાગડે કરતે નથી, તેમ જે હોય તેને હેતુથી ગુણ થાય છે, પણ બીજા અયોગ્યને થતું નથી it ૮
ભાવાર્થ–આંબાને મહેર કેયલ પણ ખાય છે. અને કાગડો પણ ખાય છે. આ મહારથી કેયલને સ્વર સુધરે છે. અને સુંદર પંચમ ફિવરથી તે આખા વન
Page #46
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણ વિવરણ. ને ગજાવી શ્રવણ કરનારને આનંદ આપે છે. આજ મેહેર કાગડો ભક્ષણ કરે છે પણ તેને દુશ્વર તેને તેજ રહે છે અને તે જ્યારે શબ્દ કરે છે ત્યારે શ્રવણ કરનાર ને કંટાલે આપે છે. મેહરમાં સ્વર સુધારવાની શક્તિ જગ જાહેર છે છતાં તે અપાત્રમાં પડવાથી નિષ્ફલ થાય છે, તે જ પ્રમાણે ધર્મમાં ઐહિક અને પાલૈકિક સુખ આપવાની શક્તિ છે તથાપિ અપાત્રમાં સ્થપાયેલે તે ધર્મ નિષ્ફળ જાય છે, તેથી પાત્રાપાત્રનો વિચાર કરે એ ખાસ જરૂરનું છે. ગ્યાયેગ્યને માટે ગ્રંથકાર સ્વયમેવ બીજાં દwતે બતાવશે જેથી અહીં આટલું કહ્યું છે.
ગ્યાતા અનેક પ્રકારની છે તે આ પ્રમાણે, " आने निंबे सुतीर्थे कचवर निचये शुक्तिमध्येऽहिवक्त्रे,
औषध्यादौ विषयौ गुरुसरसि गिरौ पांमुजूकृष्णनूम्योः । श्वक्षेत्रे कषायामवनगहने मेघमुक्तं यथांनस्तघ्त्पात्रषु दानं गुरुवदननवं वाक्यमायाति पाक" ॥ए॥ શબ્દાર્થ –જેમ વર્ષાદનું પાણી આંબામાં લીંબડામાં સારા તીર્થમાં કચરામાં છીપમાં. સપના મુખમાં એષધી વિગેરેમાં ઝેરી વૃક્ષમાં મેટા સરેવરમાં પર્વતમાં પીલી તથા કાલી જમીનમાં સેલડીના ક્ષેત્રમાં કષાય વૃક્ષના ગહન વનમાં પડવાથી જુદી જુદી રીતે પરિપાકને પામે છે તેમ ગુરૂના મુખમાંથી નિકળેલું વાકય જેવા પા ત્રમાં તેનું દાન થયું હોય તે અનુસારે પાકને પામે છે. જે લો
ભાવાર્થ–વષદનું પાણી એકજ સ્વભાવનું છે છતાં જુદા જુદા પાત્રોમાં પડવાથી તેનું પરિણામ કેવા પ્રકારનું થાય છે તે ગ્રંથકાર મહારાજે બતાવ્યું છે. જેમકે આમ્ર વૃક્ષમાં પડવાથી મિણ આમ્રરસ ઉત્પન્ન કરે છે. લીબડાના વૃક્ષમાં પડવાથી કટુકરસ પેદા થાય છે. ઉત્તમ તીર્થમાં પડવાથી પવિત્રતાને પામે છે. કચરામાં પડવાથી નિંદનીક થાય છે, છીપમાં પડવાથી ઉત્તમ મૈક્તિક થાય છે. સપના મુખમાં પડવાથી પ્રાણું ઘાતક ઝેર નિવડે છે. ઔષધિમાં પડવાથી ઓષધિ રૂપ થઈ અનેક પ્રાણીઓને ફાયદા પહોંચાડે છે. ઝેરી વૃક્ષમાં પડવાથી પ્રાણ નાશક ઝેર થાય છે, સરોવરમાં પડવાથી અનેક પ્રાણીઓને ઉપયોગી સ્વચ્છ જલ થાય છે. પર્વત ઉપર પડવાથી વિનાશ પામે છે, પીલી તથા કાલી જમીનમાં પડવાથી ધાન્યાદિકની વૃદ્ધિ કરે છે. સેલડીના ક્ષેત્રમાં પડવાથી શેલડીના અતિ મધુર રસને આપનારૂં થાય છે. કષાય વૃક્ષના ગહન વનમાં પડવાથી કષાય રસ ઊત્પાદક થાય છે. તેવી જ રીતે સદગુરૂ મહારાજનાં વચનામૃતે એકજ સ્વભાવ પરિણુત હેય
Page #47
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્દગુણ વિવરણ છે તથાપિ પાત્રતાની ગ્યાયેગ્યતાને લઈને ભિન્ન ભિન્ન આશયપણે પરિણમે છે, તેથી જેને જે યોગ્ય હોય તેને તેવો ઉપદેશ આપવો એ ગ્રંથકાર મહારાજને ઉદેશ છે. - સાંપ્રત કાલમાં ઉપદેશ દેવાને કમ પ્રાયે બદલાયેલે લાગે છે. શ્રોતાઓને વિચાર કર્યા વિના વાંચનાર મહાશયે પિતાના મનને ઠીક લાગે તેવા ગ્રંથે સભામાં વાંચે છે. શ્રાવક ધર્મની પણ જેને બરાબર ખબર ન હોય તેવાઓની સમક્ષ આચાસંગાદિ અતિ કઠિન ગ્રંથ વાંચવામાં આવે છે આથી શ્રોતાવક્તાને કાલને જોઈએ તે ઉપયોગ થતો નથી, તેથી દેશ કાળ અને શ્રોતાઓને વિચાર કરી ઉપદેશ દેવામાં આવે તે વિશેષ લાભનું કારણ થઈ પડે.
હવે બીજી રીતે બતાવે છે. गिरिसिर १ पणात श्मस्थत ३ कसिणावनि जनहिसुत्ति एमणिखाणी ६ धम्मोवएसवासे फलजणणे जीवदिलुता ॥१॥
શબ્દાર્થ અથવા જેમ પર્વતનું શિખર, પરાળ, મરુસ્થલ, કાળી જમીન, સમુદ્રની છીપ અને મણિઓની ખાણ એના સંબંધમાં આવેલા પાણીનું જુદું જુદું પરિણામ થાય છે તેમ ધર્મોપદેશની વાસનાનું ફળ ઉત્પન્ન થવામાં છાની પેગ્યતા ઉપર આધાર રહે છે. જે ૧૦
ભાવાર્થ-વ્યાખ્યાન શ્રવણ કરનાર શ્રેતાઓ પૈકી કેટલાક બેદરકાર અને કાતરથી વ્યગ્ર ચિત્તવાળા કઈ ખરેખર વ્યાખ્યાન શ્રવણુ કરી વિચાર કરતા નથી. રૂડી સાચવવાને સારૂ વ્યાખ્યાન શ્રવણ કરનાર અથવા માનની કે પ્રભાવનાની ઈચ્છાથી ઉપાશ્રયે જઈ કાળ ગાળનાર શ્રેતાઓ પર્વતના શિખર જેવા છે. જેમ પર્વતના શિખર ઉપર પડેલું જળ પર્વતના શિખરને કાંઈપણ લાભકારી થતું નથી તેમ પૂર્વેકા લક્ષણવાળા શ્રોતાઓને ઉપદેશ રૂપી જળ લાભકારી થતું નથી. ૧
બીજા છ પરણાળ જેવા છે; પરશુળ જેમ જળને ઝીલીને પિતાની પાસે ન રાખતાં જમીન વાસણુ અગર ટાંકામાં નાખે છે પરંતુ પરણાલને જલની અસર થતી નથી, તેવી જ રીતે ગુરૂ મહારાજથી ઉપદેશ શ્રવણ કરીને ઉપદેશ બીજાએને સંભળાવી પોતાનું પંડિતપણું જાહેર કરે છે, પરંતુ પિતાના આત્માનું કોઈ પણ પ્રકારે હિત આપી શકતા નથી, તેથી આવા પ્રકારના જે પણ ગુરૂ
Page #48
--------------------------------------------------------------------------
________________
૧૦
શ્રાદ્ધગુણ વિવરણ. મહારાજના વચનામૃતનું પાન કરવાને ગ્ય થઈ શક્તા નથી, તેથી આવા જીવને ઉપદેશ આપવા પ્રયત્ન કરે નહીં. ૨
હવે જીવોને મરુસ્થલ સાથે સરખાવવામાં આવે છે. જેમ મરુસ્થલપાને ગ્રહણ કરી લે છે તેથી તેમાં તૃણાદિક તથા નિરસ ધાન્યાદિકને પાક થાય છે તેમ કેટલાક છ ગુરૂમહારાજને ઉપદેશ ગ્રહણ કરી શકે છે, પરંતુ તેવા પ્રકારની યોગ્યતાના અભાવે યથાર્થ પણે ધર્મની આરાધના કરી શકતા નથી તથાપિ આવા છે ધર્મોપદેશને ગ્ય સમજવા. ૩
કાળી જમીનની સાથે જીવેની સરખામણી કરતાં જેમ કાળી જમીનમાં પડેલું પાણી એ જમીનમાં રહેલા વૃક્ષાદિકને પુષ્ટ કરે છે, તેમ ગુરૂ મહારાજને આપેલ ઉપદેશ જે જીવ ગ્રહણ કરી પિતામાં રાખી બીજા ને તેજ ઉપદેશ દેઈ લાભ કરે છે, જેમ કાળી જમીનમાં શેલડી, દ્રાક્ષ, શાલી, ગેધૂમ વીગેરે સરસ વસ્તુઓ ઉત્પન્ન થાય છે તેમ આવા છમાં સ્વલ્પ ઉપદેશ પણ ગ્રતાદિક ઉત્પન્ન કરવાનો હેતુ થઈ ત્રણ કિવા છેવટે સાત આઠ ભવે જરૂર મોક્ષ આપનાર થાય છે. તેથી આવા જે ખરેખર ઉપદેશને છે. ૪
સમુદ્રની છીપની સાથે સરખાવ્યા છે. છીપમાં જળ પડવાથી પરિણામ પામી જેમ ઉત્તમ મૈક્તિક રૂપે થઈ જળ અમૂલ્ય કીંમતને પામે છે તેમ જે છ ગુરૂ મહારાજને ઉપદેશ શ્રવણ કરી તે પ્રમાણે તે વસ્તી પિતાના દષ્ટાંતથી બીજા યોગ્ય જીને પણ સન્માર્ગે દોરે છે તે ઉત્તમ પ્રકારના ગણાય છે. ચીલાતી યુગે માત્ર ઉપસમ, વિવેક, અને સંવર એ પદત્રયીને ઉપદેશ શ્રવણ કરી પિતાનું હિત સાધ્યું, તેમજ સમવસુ બ્રાહ્મણે પણ મીઠું ખાવું, સુખે સુવું, અને લેકને પ્રિય આત્મા કર, આ ત્રણ પદ શ્રવણ કરી તેનું ખરું રહસ્ય ત્રિલેચન મંત્રી પાસે શ્રવણ કરી તે પ્રમાણે કેણુ વતે છે વિગેરેની તપાસ કરી પિતે તેમ વતી સુખી થયો. તેમ સ્વ૫ ઉપદેશ પણ ગ્ય પાત્રમાં પડવાથી છીપમાં પડેલા જળ બિંદુની માફક મહા. મૂલ્યવાનું થાય છે. ૫
મણિની ખાણમાં પડેલા ડા પાણીથી જેમ મહા મૂલ્યવાન, તેજસ્વી, ચિન્તામણિ રત્નાદિક ઉત્પન્ન થાય છે તેમ કેઈક જીવને ડાં પણ મહાવાક ઘણે લાભ કરતા થાય છે. જેમ શ્રીમદ્દ ભગવાન મહાવીર સ્વામીને સ્વપદેશ ગતમારિ ગણધર મહારાજેને આત્માને સંસારથી તારવાને અર્થે થયે તેમ છેડા પણ
Page #49
--------------------------------------------------------------------------
________________
११
~
~
~
~
- श्राशुष विव२९. ઉપદેશથી મણિ જેવા જેને અત્યંત લાભ થવાથી તેજ ભવમાં તેઓ મેક્ષ પામે છે આવા જ ઉત્તમોત્તમ જાણવા. ૬
शुनाशुनपव्यसुनाविता घटावाम्याअवाम्याश्च तथा। ह्य वासिताः सद्धर्मवासस्य तथैव योग्यतां श्रयंति जीवाः कतिचित् सुयोगतः ॥ ११ ॥ શબ્દાર્થ–જેવી રીતે સારાં દ્રવ્યોથી તથા ખરાબ દ્રવ્યોથી વાસિત કરેલા ધડાઓ ત્યાગવા ગ્ય અને અત્યાગવા ગ્ય થાય છે તથા કેટલાક ઘડાઓ અવાસિત હોય છે તેવીજ રીતે જે કેટલાક સારા પગથી સદ્ધર્મવાસની યોગ્યતાને પ્રાપ્ત થાય છે. જે ૧૧ રેગ્યતા અનેક પ્રકારની છે તેને માટે આગમમાં આ પ્રમાણે કહ્યું છે.
“घमा विहा नवा जुन्ना य जुण्णा विहानाविया अनाविया य नाविया सुविहा पसथ्थनाविया अप्पसथ्थनाविया य पसथ्था अगुरुतुरुकाहिं अपसथ्या पलंमुलसुण मार्शहिं पसथ्थनावित्रा वम्मा अवम्मा य एवं अप्पसथ्यावि
जे अप्पसथ्या अवम्मा जे य पसथ्या वम्मा न ते सुंदरा श्यरे • सुंदरा अन्नाविश्रा न केण नादिया गवगा आवागाओ
नत्तारिता मत्तगा एवं धम्मानिसासिणो नवगा जे मित्रदिही तप्पढमयागाहिति । जुण्णावि जे अन्नाविया ते सुंदरा कुप्पव यणपासथ्येहिं नाविया एवमेव नावकुमा संविग्गेहिं जे अप्पसथ्या वम्मा जे अ पसथ्या य संविग्गा य अवम्मा एए सहा | શબ્દાર્થ–પડા બે પ્રકારના છે. નવા અને જુના જુના બે પ્રકારના છે વાસિત અને અવાસિત વાસિત બે પ્રકારના પ્રશસ્ત વાસિત અને અપ્રશસ્ત વાસિત પ્રશસ્ત
Page #50
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રાદ્ધગુણ વિવરણ વાસિતત અગર શિલારસ વિગેરે દ્રવ્યથી વાસિત અને અપ્રશસ્ત વાસિત તે કાંદા [ડુંગળી ] લસણ વિગેરેથી વાસિત હોય છે. તેમાં પ્રશસ્ત વાસિતના બે ભેદ છે. એક ત્યાગવા ગ્યઅને બીજો અત્યાગવા ગ્ય. એવી જ રીતે અપ્રશસ્તના પણ બે પ્રકાર છે. ત્યાજ્ય અને અત્યાજ્ય તેમાં જે અપ્રશસ્ત છતાં અત્યાજ્ય થાય તથા પ્રશસ્તમાં ત્યાજ્ય થાય તે બે સારા નથી બાકીના જે ભેદ કહ્યા છે [ પ્રશસ્ત વાસિત અત્યાજ્ય થાય અને અપ્રશસ્ત ત્યાજ્ય થાય ]તે પણ સારા છે. તેમજ (પ્રાચીન પણ) સારા કે ખરાબ દ્રવ્યોથી જે વાસિત નથી થયા તેને અવાસિત કહે છે.
નિભાડામાંથી તત્કાળ કાલા ઘડા તે નવીને કહેવાય છે. એવી રીતે ધર્મા ભિલાષી ને પણ જાણવા જે નવા મિથ્યાદ્ધિઓ છે તેને પ્રથમ બોધ આપ જુના પણ [ મિથ્યાદષ્ટિએ ] જે અવાસિત છે તે સુંદર છે. (ઉપર જે વાસિત કહ્યા છે તે વાસિત શાથી થાય છે તે કહે છે.)
કુદર્શનથી અને પાસાત્કાદિકના પરિચયથી વાસિત થાય. એવી જ રીતે ભાવ ઘડાઓ [ 9 ] સમજવા, જે સંવિગ્ન ગુણેથી વાસિત છે તે પ્રશસ્ત છે, જે અપ્રશસ્ત છે તે વામ્ય છે અને જે પ્રશસ્ત અને સંવિગ્ન [ગુણવાલા] છે તે મને છે.
ભાવાર્થ-જીને ગ્યાયેગ્ય જાણવાને માટે ઘડા સાથે સરખાવ્યા છે. અને તેને માટે પાંચ પ્રકારના ઘડા કહ્યા છે. તેમાં પ્રથમ નવા અને જુના બે પ્રકારના ઘહા કહ્યા છે. તેમ બે પ્રકારના છ જાણવા, જુના ઘડાના બે પ્રકાર કહ્યા છે, વાસના વાળા અને વાસના વગરના.વાસનાવાળા બે પ્રકારના છે એક સુગંધી દ્રવ્યથી વાસિત થએલા અને બીજા દુર્ગધીદ્રવ્યથી વાસિત થએલા. દુર્ગધીદ્રવ્યથી વાસિત થએલા ઘટની માફક મિથ્યા શાથી જેમનાં હદય વાસિત થયેલાં છે અને જેઓ તે વાસનાને સદગુરૂનો ઉપદેશ મળતાં પણ છોડતા નથી તે પામ્યા છે એટલે તે જ ધર્મના પાત્ર નથી અને જેઓ મિથ્યા દર્શનાદિકથી વાસિત છે છતાં પણ ન્યાય બુદ્ધિવાળા સરલ હદયના હકકદાગ્રહથી રહિત છ હોય તે સશુરૂના ઉપદેશથી સદસ વિવેકથી પર્વે ગ્રહણ કરેલા મિથ્યા દર્શનને છેડી સત્યને ગ્રહણ કરે તેવા છે અવાચ્ય છે એટલે ધર્મોપદેશને યોગ્ય છે.
પ્રશસ્ત વાસિતના બે ભેદ છે. વામ્ય અને અવાગ્ય. જે જીવોને પ્રથમ સમ્ય દર્શનાદિની પ્રાપ્તિ થયેલી છે અને જે જીવે કુગુર્નાદિકને રોગ થતાં સભ્ય દર્શનને વમી જાય તેવા છે તે છ વાગ્યે જાણવા, અને તેવા જીવે ઉપદેશ ગ્ય હતા નથી અને જે જેને પ્રથમથી સમ્યગ્દર્શન ચારિત્રાદિકની પ્રાપ્તિ થએલી છે અને
Page #51
--------------------------------------------------------------------------
________________
૧૩
શ્રાદ્ધગુણ વિવર. પાછળથી કુગુર્નાદિકનો સંસર્ગ થયાં છતાં પણ સમ્ય દર્શનાદિકને ત્યાગ કરતા નથી તેવા જ ધર્મોપદેશને ગણાય છે તે અવાસ્ય જાણવા.
જે છે જુના છતાં અવાસિત છે એટલે કેઈ પણ ધર્મની વાસનાને પામ્યા નથી તે પણ ધર્મના ઉપદેશને ગ્યા છે. આ પ્રમાણે જુના ઘડાના દષ્ટાંતથી ધર્મોપદેશને માટે જીવની યોગ્યતા કહી. હવે નવીન ઘટ સાથે જીવેની સરખામણી કરતાં ગ્યાયેગ્યને વિચાર જણાવે છે.
જેમ કુંભારના નિભાડામાંથી તત્કાલ કાઢેલા ઘડાને જે પ્રકારની વાસના આપીએ તે પ્રકારની વાસના ગ્રહણ કરે છે, તેમ બાલ્યાવસ્થાવાળા જે કઈ જીવે જેને કઈ પ્રકારના ધર્મને સંસ્કાર થયેલ નથી તેવા જીવને ધર્મોપદેશ ગ્યતા પ્રમાણે અને ન્યાય પુરસ્સર આપવાથી શીઘ્ર કાર્યકારી થાય છે, તેથી આવા છે ધર્મને ખરેખરા પાત્ર છે. આ ગ્રંથકાર મહારાજે ગ્યાયેગ્ય બતાવવા જે આટલે બધે પરિશ્રમ લીધો છે તેનું કારણ સ્પષ્ટ છે કે આયુષ્ય અ૫ છે વિદને ઘણું છે, મહર્ષિઓએ પિતાનું અને અનેક ભવ્ય જીવેનું હિત કરવાનું છે તેથી અપાત્ર છ સાથે ધર્મોપદેશની ચર્ચા કરવાનું ઉચિત નથી, એમ ધારી ઉપદેશ આપતાં પહેલાં દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવને વિચાર કરી પાત્ર જીને જ ઉપદેશ આપવા પ્રયાસ કરે જેથી ઉભયનું શ્રેય થાય.
| શબ્દાર્થ–પગ્યાગ્યનું રવરૂપ પ્રતિપાદન કર્યા પછી વિશેષ ધર્મના અથ એવા પિગ્ય પુરૂએ પણ પ્રથમ સામાન્ય ગૃહસ્થ ધર્મની વિધિમાં (નિશ્ચિત કરેલું પૂર્વપરભાવ રૂપ વિધાન તે વિધિ) પ્રયત્ન કરે જઈએ કહ્યું છે કે
તિના ધેાળવા પ્રમુખ વ્યવસ્થા કર્યા સિવાય ( ભીંતના ઉપર ચિત્રેલું ) ચિત્ર શોભતું નથી. વસ્ત્રો પાસ આપ્યા સિવાય તેના ઉપર રંગ સ્થિર થતું નથી. ખેતરને ખેડ્યા શિવાય તથા સમારાદિ દીધા સિવાય બીજ વવાતાં નથી. એવી જ રીતે સામાન્ય ધર્મ પૂવકજ બારવ્રતાદિરૂપ વિશેષધર્મ શેભાથી પ્રકાશિત થાય છે. તે કારણથી શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે પિતાના પગશાસ્ત્રના પ્રથમ પ્રકાશની અંતે ન્યાયતંત્રવિજાવ ઇત્યાદિક કુલ ક્રમથી આવેલ અનિંદ્ય વિભવના ત્રિભાગાદિ અપેક્ષાએ ન્યાયથી આચરણ કરવા રૂપ જેનું લક્ષણ છે એ સામાન્ય ધર્મ પરમહંત [ પરમ જૈિન ] વિચાર ચતુર્મુખ [ વિચાર કરવામાં બ્રહ્મા રૂ૫] રાજર્ષિ પરનારી સહેદર (પરસ્ત્રી બાંધવ) રૂદતી વિત્ત પરાભુખ [ નિરવંશનું દ્રવ્ય ગ્રહણ કરવામાં વિમુખ] રાજ પિતામહ વિગેરે બિરૂદ જેને મલેલાં છે એવા
વ્યવસાય ૧, નિધાન ૨, વ્યાજે ધીરવા ૩.
Page #52
--------------------------------------------------------------------------
________________
१४
• श्राशु वि१२५. કુમારપાલ મહારાજને સમગ્ર રાજાઓની સભા સમક્ષ ઉપદેશ કર્યો તેજ અહિ પ્રતિપાદન કરે છે,
न्यायसंपन्नविनवेत्यादि श्लोकदशक. न्यायसंपन्नविनवः १ शिष्टाचारप्रशंसकः २ कुन शीलसमैः सार्प कृतोघाहोऽन्यगोत्रजैः ३ ॥१॥ पापनीरुः । प्रसिद्धं च देशाचारं समाचान् ५ अवर्णवादीनकापि राजादिषु विशेषतः ६ ॥३॥ अनतिव्यक्तगुप्ते च । स्थानेषु प्रातिवेइमके । अनेकनिर्गमधार विवर्जित निकेतनः ७ ॥३॥ कृतसंगः सदाचारैः मातापित्रोश्च पूजकः । त्यजन्नुपप्लुतं स्थान १० मप्रवृत्तश्चगर्हितो ११ ॥४॥ व्ययमायोचितं कुर्वन् १५ वेषं वित्तानुसारतः १३ अष्टनिधीगुणैर्युक्तं १४ शृएवानो धर्ममन्वहम् १५ ॥ ५ ॥ अजीर्णेनोजनत्यागी १६ कावे नोक्ताच सात्म्यतः १७ अन्योन्या प्रतिबंधेन त्रिवर्ग मपि साधन् १७ ॥ ६ ॥ यथावदतियौ साधौ । दीने च प्रतिपत्तिकृत १५ सदानजिनिविष्ठश्च २० पक्षपाती गुणेषुच २१ ॥ ७ ॥ अदेशाकालयोश्चर्यात्यजन् २२ जानन् बलाबलं २३ वृत्तस्थ झान वृछानां पूजकः शव पोष्य पोषकः २५ ॥ ७ ॥ दीर्घदर्शी २६ विशेषज्ञः २७ कृतः २० लोकवसनः सलज्जः ३० सदयः ३१ सौम्यः ३२ परोपकृति कर्मठः ३३ ॥॥ अंतरंगारिषड्वर्ग परिहार परायणः ३४ वशीकृतेंजियग्रामो ३५ गृहि धर्मायकल्पते ॥ १० ॥
. . दशनिः कुलकम् ન્યાયથી દ્રવ્ય ઉપાર્જન કરનાર (૧) શિષ્ટ પુરૂષના આચારની પ્રશંસા કરना२ [२] उसने शासथी सश मन्यात्रियोनी साथे १२ना२ [3]॥१॥
Page #53
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણ વિવરણું.
૧૫ પાપથી ભય રાખનાર [૪] પ્રસિદ્ધ દેશાચારને આચરનાર પ] કેઇના પણ સંબંધમાં અવર્ણવાદ નહિ બેલનાર તેમાં વિશેષે કરી રાજાદિકને અવર્ણવાદ નહી બેલનાર (૬) ૨ા જે સ્થાન અતિ પ્રગટ તેમ અતિ ગુપ્ત ન હોય, તેમજ સારા પાડોશીએએ યુકત હોય અને જે ઘરમાંથી નીકળવાનાં દ્વાર ઘણું ન હોય તેવા સ્થાનમાં વાસ કરનાર (૭) ૩ો શ્રેષ્ઠ આચારવાળાની સાથે સંસર્ગ કરનાર (૮) માતા પિતાની પૂજા કરનાર (૯) ઉપદ્રવ વાળાં સ્થાનને ત્યાગ કરનાર (૧૦ ) નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ નહીં કરનાર [૧૧] ૪ આવકના પ્રમાણમાં ખર્ચ કરનાર ૧૨ સંપત્તિને અનુસાર વેષ ધારણ કરનાર ૧૩ આઠ બુદ્ધિના ગુણેએ યુક્ત ૧૪ નિરંતર ધર્મને શ્રવણ કરનાર ૧૫ ન પચ્યું હોય ત્યાં સુધી ભેજનને ત્યાગ કરનાર ૧૬ હંમેશાના વખત પ્રમાણે પથ્યાપથ્યને વિચાર કરી ભેજન કરનાર ૧૭ પરસ્પરના વિરોધ વગર ત્રણ વર્ષનું (ધર્મ અર્થ અને કામનું) સાધન કરનાર ૧૮ જે ૬ો અતિથિ સાધુ અને દીન પુરૂષોને યોગ્યતા પ્રમાણે સત્કાર કરનાર (૧૯]. નિરંતર દુરાગ્રહ નહી રાખનાર ૨૦ ગુણેની અંદર (ગુણી જનની અંદર ) પક્ષપાત રાખનાર ૨૧ મે છો દેશ તથા કાળ વિરૂદ્ધ આચરણનો ત્યાગ કરનાર ૨૨ (પતાના) બલાબલને જાણનારર૩ વ્રતધારી તથા જ્ઞાનથી વૃધેની પૂજા કરનાર ર૪ પિષણ કરવા પિગ્ય જન્મનું પિષણ કરનાર ર૫ ૮ ૫ પૂર્વાપર લાંબી નજરથી જેનાર ર૬ વિશેષ જાણનાર ૨૭ કરેલા ગુણને જાણનાર ૨૮ લેકની પ્રીતિ મેળવનાર ૨૯ શરમ રાખનાર ૩૦ દયાળુ ૩૧ શાંત પ્રકૃતિવાળે ઉર પરે પકાર કરવામાં રે ૩૩ લાઅંતરંગ ભાવના છ શત્રુઓને ત્યાગ કરવામાં તત્પર ૩૪ ઈદ્રિયોના સમૂહને વશ કરનાર (૫) ઉપર કહેલા પાંત્રીશ ગુણવાળા જે હોય તે ગૃહસ્થ ધર્મને યોગ્ય છે. ૧૧
અહીં સ્વામીદ્રહ, મિત્રદ્રોહ, વિશ્વાસને ઠગ, ચેરી વિગેરે નિંદવા ગ્ય (માર્ગ ] દ્રવ્ય ઉપાર્જન કરવાનું છેડીને પિતપોતાના વર્ણને અનુકલ આવે તેવી રીતે દ્રવ્ય ઉપાર્જન કરવામાં ઉપાયરૂપ જે સદાચાર તે ન્યાય કહેવાય છે. તે ન્યાયે કરીને પ્રાપ્ત કરી છે સંપત્તિ જેણે તેને ન્યાયસંપન્નવિભવ કહેવાય છે. (ઉપર જણાવ્યા પ્રમાણે) શુદ્ધ વ્યવહારથી ઉપાર્જન કરેલી સંપત્તિ નિઃશંકપણે પિતાના શરીર કરી તેને ફલને ભેગવવાથી અને પિતાના મિત્ર અને સ્વજનાદિકમાં સમ્યક પ્રકારે વહેંચણી કરવાથી આ લેકના સુખને માટે થાય છે, જે કારણથી કહ્યું છે કે
सर्वत्र शुचयो धीराः स्वकर्मबलगर्विताः।
Page #54
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણ વિવરણ. શનિતિમાનઃ પાવર સર્વત્ર શાંવિતા” I ? . પિતાના કર્મના બલે કરી અભિમાની થએલા ધીર પરૂપે દરેક ઠેકાણે પ્રકાશિત થાય છે અને કુકર્મની અંદર આત્માને સ્થાપન કરનારા પાપી પુરૂ દરેક ઠેકાણે ભયભીત રહે છે ૧ર છે ન્યાયપાર્જિત વિત્તના અધિકારમાં સ્પષ્ટતા માટે અન્યા
પાર્જિત વિત્તવાળાની સ્થિતિ દર્શાવે છે. અહિં પુરૂષને અન્યાયથી પ્રવૃત્તિ કરવામાં બે પ્રકારે અવિશ્વાસપણું પ્રાપ્ત થાય છે, એક ભક્તાનું અને બીજુ ભેગ્ય વિભવનું. તેમાં ભેગવનારને આ (પુરૂષ) પરહથી પ્રાપ્ત પરદ્રવ્ય ભગવે છે એવા દેષના લક્ષણવાલી આશંકા થાય, તથા ભેગ્ય વસ્તુમાં આ પદ્રવ્ય છે તેને આ ભેગવે છે એવી શંકા થાય માટે અન્યાય પ્રવૃત્તિને નિષેધ કરવાથી (ન્યાય પ્રવૃત્તિમાં) તે બન્ને પ્રકારની શંકા રહેતી નથી તેથી ન્યાયપાર્જિત વિત્તમાં અભિશંકનીયતા (અવિશ્વાસપણું) નથી. અહિં અભિપ્રાય એ છે કે ન્યાયે પાર્જિત દ્રવ્યના વ્યય કરનાર ઉપર કોઈ પણ પુરૂષ કોઈ વખતે લેશ માત્ર પણ શંકા કરતું નથી તેથી કરીને તે [ ન્યાય પ્રવૃત્તિ કરનાર ] અવ્યાકુલ ચિત્ત અને સારી પરિણતિવાલાને આ લેકમાં પણ મહાન સુખને લાભ થાય છે અને દરેક ઠેકાણે યશ અને ક્ષાઘાની પ્રાપ્તિ થાય છે. સત્પાત્રેને વિષે દ્વવ્યને ઉપગ થવાથી તથા પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિને હેતુ થવાથી અને દયાએ કરી દીન અનાથ પ્રાણીઓને દ્રવ્યાદિ આપવાથી તે પરલકના હિતને અર્થ થાય છે.
અહિં ન્યાયપાર્જિત વિત્ત તથા તેને સત્પાત્રમાં વિનિગ કરવાથી ચતુર્ભગી થાય છે. જેમકે ન્યાયથી પ્રાપ્ત થયેલે વૈભવ અને સત્પાત્રમાં વિનિયોગ ના (આ ન્યાયસંપન્ન વૈભવને પ્રથમ ભાંગે) પુણ્યાનુબંધી પુણ્યને હેતુભૂત હેવાથી ઉત્તમ દેવપણું ભેગ ભૂમિમાં (યુગલિક ક્ષેત્રમાં) મનુષ્યપણું, સમ્યકત્વ વિગેરેની પ્રાપ્તિ તથા આસન્નસિદ્ધિ ફળ આપનારું થાય છે, જેમ ધન સાર્થવાહ તથા શાલિભદ્રવિગેરેને થયું જેથી કહ્યું છે કે
परितुलियकप्पपायवचिंतामणि कामधेणुमाहप्पं। વા/ ત વ ધyતથ્થવ ” ઉરૂ
Page #55
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણ વિવરણ.
१७ શબ્દાર્થ–દાનથી ધનસાર્થવાહ કલ્પવૃક્ષ, ચિંતામણિ અને કામધેનુના મહિને માની તુલના કરનાર સભ્યત્વને પ્રાપ્ત કર્યું હતું, ૧૩
અથવા નદિષેણ વિગેરેના દષ્ટાંતની પેઠે–જેમ કેઈક ગામમાં દ્રવ્યના સમૂહે કરી કુબેરની સાથે સ્પર્ધા કરનાર કેઈ બ્રાહ્મણે યજ્ઞના પ્રારંભમાં એક લાખ બ્રાહ્મણને જમાડવાને પ્રારંભ કર્યો. તેની અંદર દાનની રૂચિવાળા કેઈન બ્રાહ્મણને લાખ બ્રહ્મભેજન પૂર્ણ થયે અવશેષ રહેલ તંદુલ અને ઘી પ્રમુખ હું તને આપીશ, એવી પ્રતિજ્ઞા કરી તેને સહાય કરવા માટે રાખે. અનુક્રમે લક્ષ બ્રહ્મભેજન પૂર્ણ થતાં અવશેષ રહેલું તંદુલ વિગેરેને નિર્દોષ અને ન્યાયથી પ્રાપ્ત થયેલું માની તે નિર્ધન જૈન બ્રાહ્મણે વિચાર કર્યો કે જે આ (અનાદિક) કોઈ પણ સત્પાત્રને આપવામાં આવે તે ઘણું ફળ થાય. કહ્યું છે કે
ન્યાયથી પ્રાપ્ત થયેલાં અને કલ્પનીય એવાં અન્નપાનાદિક દ્રવ્યનું પરમ ભક્તિ અને આત્માને ઉપકાર થશે એવી બુદ્ધિએ સાધુઓને જે દાન આપવું તેને મેક્ષફળ આપનારે અતિથિસંવિભાગ કહે છે.”
તે પછી તે બ્રાહ્મણે દયા તથા બ્રહ્મચર્ય પ્રમુખ ગુણવાળા કેટલાએક પિતાના) સ્વધર્મીઓને ભોજન માટે નિયંત્રિત કર્યા. તે સાધમીઓના ભજન અવસરે એક મહિનાના ઉપવાસના પારણે કઈ મહાવ્રતધારી મુનિ આવી પહોંચ્યા. આ સાધમીએથી આ યતિ ઉત્તમ પાત્ર છે એ નિશ્ચય કરી તે બ્રાહ્મણે બહુમાન તથા શ્રદ્ધાપૂર્વક તે મુનિને અન્નપાન વિગેરે આપ્યું. જે કારણથી કહ્યું છે કે–
" मिथ्यादृष्टिसहस्त्रेषु वरमेको ह्यणुव्रती। अणुव्रतिसहस्रेषु वरमेको महाप्रती ॥ १४॥ महावतिसहस्रेषु वरमेको हि तात्त्विकः । तात्त्विकेन समं पात्रं न नूतं न नविष्यति" ॥ १५ ॥ શબ્દાર્થ—“હજારે મિથ્યાદ્રષ્ટિઓથી એક અણુવ્રતધારી[શ્રાવક] શ્રેષ્ઠ ગણાયછે. હજારે અણુવ્રતધારીઓથી એક મહાવ્રતધારી(સાધુ) શ્રેષ્ઠ ગણાય છે ૧૪
હજાર મહાવ્રતધારીઓથી એક તત્વવેત્તા શ્રેષ્ઠ ગણાય છે, તત્વવેત્તાની સમાન [ ઉત્તમ ] પાત્ર થયું નથી અને થવાનું નથી, જે ૧૫
Page #56
--------------------------------------------------------------------------
________________
૧૮
શ્રાદ્ધગુણ વિવરણ
કાળે કરી આયુષ્યની સમાપ્તિ થતાં પાત્રમાં દાન આપનાર તે જૈન બ્રાહ્મણ તે દાનના પ્રભાવથી પ્રથમ દેવલેકમાં દેવતા થયે. ત્યાંથી ચવીને રાજગૃહનગરમાં નદિષેણ નામે શ્રેણિક રાજાને પુત્ર થયે, તેણે વૈવન વયમાં પાંચ રાજકન્યાઓની સાથે પાણિગ્રહણ કર્યું અને તે (નંદિણ) દેગુંદ દેવતાની પેઠે મનહર વિષય સુખરૂપ સમુદ્રમાં મગ્ન થયે.
આ તરફ તે લક્ષ બ્રહ્મ ભોજન કરાવનાર બ્રાહ્મણ પાપાનુબંધી પુણ્યને પુષ્ટ કરનાર તેવા પ્રકારના વિવેક રહિત દાનથી ઘણું જેની અંદર કાંઈક ભેગાદિક સુખને ભેગવી કેઈક જંગલમાં હાથીપણે ઉત્પન્ન થયે પૂર્વ યૂથપતિએનાશ ક્યાં છે હાથીપુત્ર જેના, એવી કઈ હાથણીએ યૂથપતિને વચન કરી કઈ તાપસેના આશ્રમમાં એક કલભને જન્મ આપ્યો, અને તેને ત્યાંજ મુ.તે ગજકલભ (હાથીનું બચ્ચું) તાપસના કુમારેની સાથે વૃક્ષને પાણી સિંચતે હેવાથી તાપસોએ તેનું સંચાનક એવું નામ પાડયું. કોઈક અવસરે પિતાના યૂથપતિ પિતાને મારી પિતે યૂથપતિ થયે, અને હાથણીએના ટેળાને ગ્રહણ કરી લીધું. તે હાથી પિતાની માતાના પ્રપંચને પ્રથમથી જ જાણતું હતું, તેથી તેણે તાપસેના આશ્રમને ભાંગી નાખે. ખેદ પામેલા તાપસેએ શ્રેણિક રાજાને તે હાથી બતાવ્યું. તે હાથી આ પ્રમાણે હત-સાત હાથ ઉંચે, નવ હાથ લાંબે, ત્રણ હાથ હિલે, દશ હાથ વિસ્તારમાં અને વિશ નખેએ સુશોભિત હતે. ચડાવેલા ધનુષ્યના જેવા તેના ઉંચા કુભસ્થલ હતા, કંઠમાં લઘુ હતું, મધુ સમાન પિંગલ નેત્રે હતાં, ચળકતા ચંદ્રના જેવી ઉજવલ કાંતિ હતી, ચારશે ને ચાલીસ સારાં લક્ષણ યુક્ત હતે. તે ભદ્ર જાતિને હાથી સાતે અંગેમાં સુશોભિત હતો. શ્રેણિક રાજાએ તેને અતિ યત્ન પૂર્વક પકડીને પિતાનો પટહસ્તિ કર્યો. રાગ્ય આહાર તથા વસ્ત્ર ઓઢાડવા વિગેરેની તેની બરદાસ થવાથી તે સુખી થશે. કેઈક અવસરે તાપસેએ “જો ! આ અમારા આશ્રમને ભાંગવાનું ફલ છે” એમ તે હાથીને કહ્યું અને માર્મિક બીના યાદ કરાવી તેથી આલાન સ્તંભને ઉખેડી ત્યાંથી નિકો અને બીજી વાર તાપના આશ્રમને નાશ કર્યો. પરિવાર સહિત શ્રેણિક રાજા તેની પાછળ ગયે પરંતુ તે દુઃખે કરી વશ થાય તે હાથી કોઈ નાથી પણ વશ કરી શકાય નહીં. પછી રાજાની આજ્ઞાથી નંદિણ કુમારે તે હાથીને હંકાર્યો. નંદિપેણ કુમારને જોઈ આ કોઈ પણ મહાર સંબંધી છે, એમ વિચાર કરવાથી તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, એટલે તે શાંત થઈ ઉભે રહો. પછી
Page #57
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણ વિવરણ.
૧૮ નાદિષેણ કુમારે તેને લાવી આલાનખંભે બાંધ્યું, તેથી શ્રેણિક વિગેરેને આશ્ચર્ય લાગ્યું. આ અરસામાં શ્રી મહાવીર સ્વામી ભગવાન વૈભારગિરિ ઉપર પધાર્યા, (તે વૃત્તાંત સાંભળી) શ્રેણિકરાજા અભયકુમાર અને નદિષણ વિગેરે તેમને વંદન કરવા માટે ગયા. ધર્મદેશનાના અંતમાં રાજાએ પ્રભુને હસ્તિ ઉપશાંતાદિ બાબત પ્રશ્ન કર્યો. પ્રભુએ પૂર્વ ભવમાં લક્ષ બ્રહ્મભોજન કરાવનાર તથા સાધુને દાન વિગેરે આપનાર બ્રાહ્મણને વૃત્તાંત કહી સંભળાવ્યો. બીજી વખત તેમના આગામિક ભવના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીર સ્વામી બોલ્યા કે–“હે રાજન્!આ નદિષેણ કુમાર ન્યાયથી મેળવેલા દ્રવ્યને સુપાત્રમાં ઉપયોગ કરવાથી અનેક દેવ મનુષ્ય વિગેરેના મહાભેગને ભેગવી, ચારિત્રને ગ્રહણ કરી દેવપણને મેળવી અનુક્રમે મોક્ષ સુખને પામશે.અને હાથીને જીવ તે તેવા પ્રકારના દ્રવ્ય અને પાત્રાપાત્રને વિચાર ક્યા સિવાય(કરેલા) દાન પ્રમુખથી ભેગેને પ્રાપ્ત થયે, પરંતુ પહેલેકમાં પ્રથમ નરકમાં જનાર છે” એવું શ્રવણ કરી નદિષેણ કુમાર પ્રતિબંધ પામ્યો અને શ્રાવક ધર્મને અંગીકાર કર્યો. અનુક્રમે દીક્ષા ગ્રહણ કરતી વખતે “હજુ પણ તારે ભેગાવલી કર્મ ઘણું બાકી છે” એવા વચનથી (શાસન) દેવતાએ નિષેધ ર્યા છતાં પણ તેણે દીક્ષા ગ્રહણ કરી. પૂર્વના નિકાચિત ભેગ કર્મના ઉદયથી પ્રેરાયેલા નંદિષેણ દીક્ષાને ત્યાગ કરી બાર વર્ષ વેશ્યાના ઘરમાં રહ્યા, અને ત્યાં નિરંતર દશ દશ (મનુષ્ય)ને પ્રતિબંધ પમાડતા, ઈત્યાદિ નાદિષેણની કથા બીજા ગ્રંથથી જાણવી.
પૂર્વ કહ્યા પ્રમાણે દાનની રીતિમાં કુશળ અને ન્યાયથી દ્રવ્યને ઉપાર્જન કરનાર તથા સત્પાત્રનું પિષણ કરનાર ગૃહસ્થ સુંદર ભેગેને પ્રાપ્ત કરી અનુક્રમે મેક્ષલ- ફમીના સુખને પામે છે.
ન્યાયથી પ્રાપ્ત થયેલ દ્રવ્ય કરી જેવા તેવા પાત્રને પિષણ કરવારૂપ બીજો ભંગ જાણ. આ ભાગે જ્યાં ત્યાં સંસારમાં માત્ર ભેગનું ફળ આપનારે થાય છે, પણ છેવટે લક્ષ બ્રહ્મભેજન કરાવનાર બ્રાહ્મણની પેઠે કટુક ફળ આપનારેજ છે, જે કારણથી કહ્યું છે કે–
" दानेन नोगानाप्नोति यत्रतत्रोपपद्यते "
શબ્દાર્થ–“દાને કરી જયાં ત્યાં (ભવોમાં ભમતાં) ભેગા પ્રાપ્ત થાય છે ? (પણ મેક્ષ સુખ મળતું નથી.)
Page #58
--------------------------------------------------------------------------
________________
૨૦
શ્રાદ્ધગુણ વિવરણ.
અન્યાયથી પ્રાપ્ત થયેલા દ્રવ્ય કરી સત્પાત્રને પિષણ કરવારૂપ ત્રીજો ભાંગે જાણ. સારા ક્ષેત્રમાં વાવેલા સામાન્ય બીજના ફળરૂપ અંકુરની પેઠે તે દ્રવ્યનું ભવિષ્યકાળમાં સુખની ઉત્પત્તિમાં સહચારીપણું હોવાને લીધે ઘણા આરંભથી દ્રવ્ય ઉપર્જન કરનાર રાજાઓ તથા વેપારીઓના સંબંધમાં આ ત્રીજો ભાગે જણાવ્યો છે. અર્થાત્ રાજાઓ અને વેપારીઓ મહારંભથી દ્રવ્યને મેળવે છે અને ઉત્તરકાળમાં તે દ્રવ્ય તેમને સુખ આપનારું થાય છે, તેમ અન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્યને સત્પાત્રમાં વિનિયોગ થવાથી પરિણામે સુખ આપનારૂં થાય છે. કહ્યું છે કે– " खलोऽपि गवि पुग्धं स्यादुग्धमप्युरगे विषम् । पात्रापात्र विशेषेण तत्पात्रे दानमुत्तमम् ॥ १॥"
શબ્દાર્થ—“ ખેળ પણ ગાયને વિષે (ગાયને ખવડાવવાથી) દુધ ઉત્પન્ન કરે છે અને દુધ પણ સપને વિષે (સર્પને પાવાથી) ઝેરને ઉત્પન્ન કરે છે. પાત્રાપાત્રના વિશેષે કરી આવું ફળ થાય છે તેથી પાત્રને દાન આપવું ઉત્તમ છે ”
તેવી જ રીતે તેજ સ્વાતિ નક્ષત્ર અને તેજ જળમાં પાત્ર વિશેષથી મેટે અંતર છે. સપના મુખમાં પડેલું ઝેર થાય છે અને છીપમાં પડેલું માર્તિક થાય છે.
મહા આરંભરૂપ અનુચિત વૃત્તિથી મેળવેલું દ્રવ્ય સારા ક્ષેત્રમાં વાવર્યા વિના મમ્મણ શેડ વિગેરેની પેઠે દુર્ગતિના ફળનેજ આપનારૂં થાય છે. કહ્યું છે કે" ववसायफनं विहवो, विवहस्स फलं सुपत्तविणिोगो ।
तयत्नावे ववसाओ, विहवोवि य दुग्गशनिमित्तं ॥१॥"
શબ્દાર્થ—“ વ્યાપાર કરવાનું ફળ વિભવ અને વૈભવનું ફળ સત્પાત્રમાં વિનિયોગ કરે તે છે, પરંતુ તેના અભાવે વ્યાપાર અને વૈભવ પણ દુર્ગતિના હેતુ થાય છે કે ૧છે ”
અન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્ય કરી કુપાત્રના પિષણ વિગેરે કરવારૂપ છે ભાગે જાણ છે આ ચતુર્થ ભંગ આ લેકમાં પુરૂષોને નિંદનીક હોવાથી અને પરલોકમાં દુર્ગતિનો હેતુ હોવાથી વિવેકી પુરૂએ ત્યાગ કરે યોગ્ય છે. કહ્યું છે કે
"अन्यायोपात्तवित्तस्य दानमत्यंतदोषकृत् । धेनुं निहत्य तन्मांसाहाणामिव तर्पणम् ॥ १॥"
Page #59
--------------------------------------------------------------------------
________________
૨૧
શ્રાદ્ધગુણ વિવરણ શબ્દાર્થ–“અન્યાયથી ગ્રહણ કરેલા દ્રવ્યનું દાન (પાત્રને) કરવું તે અત્યંત દોષ ઉત્પન્ન કરવાવાળું છે જેમ કે ગાયને મારીને તેના માંસથી કાગડાઓને તતિ કરાવે તેના જેવું છે ૧ ” વળી અન્ય દર્શનમાં પણ કહ્યું છે–
"अन्यायोपार्जितैर्वित्तैर्यत् श्राएं क्रियते जनः । तृप्यते तेन चांमात्रा बुक्कसा दासयोनयः ॥२॥"
શબ્દાર્થઅન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્યથી જે લેકે શ્રાદ્ધ કરે છે તેનાથી ચંડાળે, વર્ણશંકર તથા દાસની નિમાં ઉત્પન્ન થયેલા વત થાય છે (પિત તુસ થતા નથી) ૨ ”
જેથી ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય આપેલું પણ કલ્યાણને માટે થાયછે અને અન્યાયથી આવેલું દ્રવ્ય પુષ્કળ આપ્યું હોય, તે પણ ફળ રહિત થાય છે. અન્યાયની વૃત્તિથી અર્જન કરેલું દ્રવ્ય આલેક અને પરલોકમાં અહિતના અર્થેજ થાય છે, કેમકે આલેકમાં લોક વિરૂદ્ધ આચરણ કરવાવાળા પુરૂષને વધબંધનાદિ દે પ્રાપ્ત થાય છે, અને પરલોકમાં નરકમાં પડવા વિગેરે દે થાય છે. કદાપિ કઈ માણસને પાપાનુબંધી પુણ્યકર્મના ફળને લઈને આલેકની વિપત્તિ દેખાતી નથી, તથાપિ પરિણામે તે અવશ્ય થવાની જ. જે કારણથી કહ્યું છે કે –
"पापेनैवार्थरागांधः फलमाप्नोति यत्कचित् । बमिशामिषवत्तत्तम विनाश्य न जीर्यति ॥१॥"
શબ્દાર્થ—અર્થના રાગે કરી અંધ થયેલ મનુષ્ય પાપવડે કદી કઈ વખત ફળને પામે, તેપણુ કાંટાના માંસની પેઠે જેમ તે માંસમચ્છને નાશ કર્યા વિના રહેતું નથી, તેમ અન્યાયથી મેળવેલું ધન શરૂઆતમાં કાંઈક ફળ આવે છે, પરંતુ પરિણામે તે (ધન) ગહણ કરનારને નાશ કરે છે કે ૧” વળી કહ્યું છે કે –
"अन्यायोपात्त वित्तेन यो हितं हि समीहते। नक्षणात्कालकूटस्य सोऽनिवांति जीवितुम् ॥२॥"
Page #60
--------------------------------------------------------------------------
________________
૨૩
શ્રાદ્ઘગુણ વિવરણ.
શબ્દાર્થ—“ જે પુરૂષ અન્યાયથી ગ્રહણ કરેલા ડ્બ્બે કરી ( પેાતાના ) હિતને ઇચ્છે છે તે પુરૂષ કાળકૂટ ઝેરના ભક્ષણથી જીવવાની ઇચ્છા રાખે છે ”ા રા
તેવી રીતે આલેાકમાં અન્યાયથી પેદા કરેલા દ્રવ્યર્ડ પેાતાના નિર્વાહ કરનાર ગૃહસ્થ વિગેરેની પ્રાયે કરી અન્યાય, કલેશ, અહંકાર અને પાપમુદ્ધિમાંજ ર‘શ્રેષ્ઠિ વગેરેની પેઠે પ્રવૃત્તિ થાય છે. તે રકશ્રેષ્ઠિની કથા આ પ્રમાણે છે.
મરૂસ્થળમાં પક્ષી ( પાલી ) નામે ગામની અંદર કાફ઼ અને પાતક નામે એ ભાઈઓ હતા. તે એમાં નાના ભાઈ ધનવાન હતા, અને મોટા ભાઇ નિર્ધન હેાવાથી તે નાનાભાઇના ઘરમાં રહી સેવક વૃત્તિથી નિર્વાહ કરતા હતા. એક વખતે વર્ષારૂતુમાં વિસના કાર્યાંથી થાકેલેા કાફ઼ રાત્રે સુતા હતા, તે વખતે પાતકે કહ્યું કે—હે ભાઈ ! પાણીના સમૂહથી આપણા ક્યારાએની પાળા તૂટી ગઇ છે અને તું નિશ્ચિતપણે સુતા છે, એમ ઠપકા આપ્યા. તે વખતે તે કાફ઼ પથારીના ત્યાગ કરી દરિદ્રી અને પરના ઘરનું કાર્ય કરનાર પાતાના આત્માને નિદ્યતા કાદાળાને ગ્રહણ કરી જેટલામાં ત્યાં જાય છે, તેટલામાં તુટેલી પાળેાને આંધવાની રચના કરવામાં તત્પર નાકરાને જોઇ તેણે પૂછ્યું કે—“તમે કોણ છે! ?” તેએએ ઉત્તરમાં જણાવ્યુ` કે અમે તારા ભાઇના નાકરા છીએ. કાઇ ઠેકાણે મહારા નોકરો છે ? એમ કાફ઼એ પ્રશ્ન કરે છતે તે એલ્યાકે વલ્લભીપુરમાં ત્હારા નાકરા છે. એ વાત થયા બાદ કેટલાક કાળ પછી કુટુંઅ સહિત વલ્લભીપુરમાં ગયેા. ત્યાં દરવાજાની પાસે રહેનાર ભરવાડાની નજીકમાં વસતા અત્યંત દુ ળપણાને લઇ ભરવાડાએ તેનું રંક એવુ' નામ પાડયું. તે રક વણિક તે આભીરાના અવલ’ખનથી ઘાસનું ઝુંપડુ કરી ત્યાં દુકાન માંડીને રહ્યા. એક વખતે કોઇ જાત્રાળુ (કાર્પેટિક) પની રીતિ (રસ સાધવાના વિધાન) પૂર્વક ગિરનાર પતથી સિદ્ધરસની તૂંબડીને સમ્યક્ પ્રકારે ગ્રહણ કરી રસ્તામાં જતાં તે સિદ્ધ રસમાંથી કાકૂ તૂંબડી એવી શરીર વિનાની(અઢશ્ય)વાણીનું શ્રવણ કરી ભય પામ્યા. તેથી વધ્રુભીનગરીના સમીપમાં તે તૂ'બડીને તે કપટી વાણીઆના ઘરમાં અનામત સુકી અને તે યાત્રાળુ (કાર્પેટિક) સામનાથની યાત્રા કરવા ગયા. કેાઈ પ`ના દિવસે ચૂલા ઉપર મુકેલી તાવડીમાં મડીના છિદ્રમાંથી પડેલા રસના બિંદુએ કરી સુવર્ણ ૫ થયેલી (તાવડી) જોઇ તે વણિકે આ સિદ્ધરસ છે, એમ નિશ્ચય કરી તે તુ'ખડી સહિત ઘરની સાર વસ્તુને ખીજે ઠેકાણે સ્થાપન કરી પોતાના ઘરને બાળી નાખ્યું, અને બીજે દરવાજે ઘર કરીને રહ્યા, ત્યાં રહેનાર અને પ્રચુર ઘીને ખરીદ કરનાર
Page #61
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણ વિવરણ
તે શ્રેષ્ઠીએ કોઈએ વેચવા લાવેલા ઘીનું પિતે માપ કરતાંતે ઘીને અખૂટ દેખી ઘીના ભાજન નીચે કાળા ચિત્રકની ઈઢણી છે, એમ નિશ્ચય કરી તે ઈંઢણીને કોઈ પણ કપટથી ગ્રહણ કરી લીધી. એવી રીતે કપટથી ખોટાં ત્રાજવાં અને માપના વેપાર વિગેરેથી પાપાનુબંધિપુણ્યના બળે કરી વેપારમાં તત્પર રંક ઋષિને ઘણું દ્રવ્ય મળ્યું.
એક વખતે કઈ સુવર્ણની સિદ્ધિ કરનાર તે રંક શ્રેષ્ટિને મળ્યો. તેને પણ કપટવૃત્તિથી ઠગી લીધો અને તેની સુવર્ણ સિદ્ધિ ગ્રહણ કરી લીધી. એવી રીતે ત્રણ પ્રકારની સિદ્ધિથી તે કાફ અનેક કટિ ધનને સ્વામી થયે, પરંતુ અન્યાયથી પ્રાપ્ત થયેલા વૈભવના સેવનથી પૂર્વે નિર્ધન હતું તેથી અને પછી ધનની સંપત્તિ થઈ તેની આસક્તિને લઈ કઈ પણ તીર્થમાં, સત્પાત્રમાં અને અનુકંપાના સ્થાનમાં પિતાની લક્ષ્મીને ત્યાગ તે દૂર રહે પણ ઉલટે સંપૂર્ણ લેકેને ઉચ્ચાટન કરવા, નવા નવા, કરેનું વધારવું, અહંકારનું પિષણ અને બીજા શ્રીમતની સ્પર્ધા તથા અદેખાઈ વિગેરેથી સર્વ ભૂતને સંહારરૂપ કાલરાત્રિ જેવી તે કાકૂ પિતાની લમી લોકેને દેખાડતું હતું. તે પછી કઈ વખતે પિતાની પુત્રીની રત્નથી જડેલી કાંસકી રાજાએ પિતાની પુત્રી માટે માગી પરંતુ તેણે આપી નહિ, તેથી બળાત્કારથી હરણ કરી લીધી. તે વિધથી પિતે સ્વેચ્છના દેશમાં જઈ કટિ સુવર્ણ આપી મુગલેને લાગ્યું. તે મુગલોએ દેશને નાશ કર્યો છતે તે રંક વણિકે રાજાના સૂર્યમંડળથી આવતા અશ્વના રક્ષકને લાંચ આપી ફેડ્યા અને બેટે પ્રપંચ કરાવ્યું. પૂર્વતે રાજા સૂર્યના વરદાનથી પ્રાપ્ત થયેલા દિવ્ય ઘોડા ઉપર ચડતે તે પછી સંકેત કરેલા પુરૂષે પાંચ શબ્દના વાત્રે વગાડતા, પછી ઘેડે આકાશમાં જતે તેના ઉપર આરૂઢ થયેલે રાજા શત્રુઓને માતે, અને સંગ્રામ પૂર્ણ થતાં ઘેડ સૂર્યમંડળમાં પ્રવેશ કરતે; પણ આ વખતે રંક શ્રેષિએ ફેડેલા પંચ શબ્દ વાત્ર વગાડનારાઓએ રાજાને ઘોડા ઉપર સ્વાર થતાં પહેલાં પંચ શબ્દ વાત્રને નાદ કર્યો એટલે ઘોડે ઉડીને ચાલ્યા ગયા, તે વખતે હવે શું કરવું એવા વિચારથી મૂઢ થયેલા શિલાદિત્ય રાજાને તે મુગલેએ મારી નાંખ્યું. તે પછી સુખે કરી વલ્લભીપુરીને ભંગ કરાવ્યો. કહ્યું છે કે—
"पण सयरी वाससयं, (वासा)तिन्नि सयाई अश्कमेऊणं । विकमकालाओ तो, वसनीनंगो समुप्पन्नो ॥१॥"
Page #62
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્દગુણ વિવરણ. - શબ્દાથે—“વિક્રમ રાજાના સમયથી ત્રણસે પંચતર ૩૭૫ (મહાવીર સ્વામીથી ૮૪૫) વર્ષ અતિક્રમણ થયે વલ્લભીને ભંગ થશે. ” ૧
(વલ્લભીના ભંગ સંબંધી કેટલાએક મતમતાંતરે છે તે અન્ય ગ્રંથી અને પ્રાચીન લેખેથી જાણી લેવા. આ શિલાદિત્ય પ્રથમ શિલાદિત્ય હવાને સંભવ છે. કારણ આ ગાથામાં જે સંવત્ બતાવ્યું છે તે મલવાદીના સમયને પ્રાયે મળતું આવે છે.)તે રંક શ્રેષ્ટિએ મુગલેને પણ રણમાં પાડીને મારી નાખ્યા ઈત્યાદિ. રક શ્રેણિ કથા સમાપ્ત.
એવી રીતે અન્યાયવિત્તના વિલાસને જાણી ન્યાયથી અર્થ ઉપાર્જન કરવામાં તત્પર થવું, વળી વ્યવહાર પૂર્વક પ્રાપ્ત થયેલ વિત્તથી આજીવિકા કરનારને રાક, પ્રકૃતિ (સ્વભાવ), ધર્મ અને કર્મ વિગેરે પણ શુદ્ધજ હોય છે. જે કારણથી આગમમાં કહ્યું છે– " ववहारसुफी धम्मस्स, मूत्रं सम्वन्नुन्नासए ।
ववहारेण तु सुखेणं, अत्थसुखी जो भवे" ॥१॥ " सुद्धणं चेव अत्थोणं, आहारो होइ सुरेण ।
आहारेण तु सुखणं, देहसुखी जो नवे" ॥२॥ " सुघेणं चेव देहेण, धम्मजुग्गो य जायई।
ક , શિંગુ, તં તે સાલ મ” ને રૂ
શબ્દાર્થ “સર્વજ્ઞ ભગવાન ધર્મનું મૂળ વ્યવહારની શુદ્ધિ કહે છે અને શુદ્ધ વ્યવહારે કરી અર્થની શુદ્ધિ થાય છે ૧ શુદ્ધ અર્થે કરીને જ આહાર શુદ્ધ થાય છે અને શુદ્ધ આહારથી દેહની શુદ્ધિ થાય છે . ૨ વ્યાખ્યા-શુદ્ધ અર્થે કરીને જ આહાર એટલે અશન પાન ખાદિમ સાદિમ વિગેરે શુદ્ધ (દોષ રહિત) થાય છે, અને તે શુદ્ધ આહારે કરી દેહની શુદ્ધિ થાય છે. કારણ કે બાહ્ય મલ (મલિન શરીરાદિ ) હેય તાપણુ જીનેશ્વરની આજ્ઞા પ્રમાણે વર્તન કરવાથી કર્મરૂપી મેલ દૂર થવાથી દેહની શુદ્ધિ ગણાય છે. “શુદ્ધ દેહે કરીને જ ધર્મને પિગ્ય થવાય છે, અને જે જે કાર્ય કરાય તે તે તેનું કાર્ય સફળ થાય છે. સારા વ્યાખ્યા-ગૃહસ્થ શુદ્ધ દેહે કરીને જ ધર્મને એગ્ય થાય છે, જેમકે અંગાને
Page #63
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધ્ગુણ વિવરણ,
૨૫
પ્રક્ષાલન કરનાર શ્રેષ્ઠ અલંકારને યોગ્ય થાય છે, તેમ આ શુદ્ધ હેતુવાળા જીવ ધર્મ રૂપી અલંકારને ચામ્ય થાય છે, અને પછી દેવપૂજા,તથા દાનાદિ અનુષ્ઠાન વિગેરે જે જે કાર્ય જીવ કરે છે, તે તે તેને સફળ એટલે સ્વર્ગ અને મોક્ષના ફળનેજ આપનારૂ
7
થાય છે.
ભાવાર્થ-અહિં અનેશ્વર ભગવાને ધર્મનું મૂળ વ્યવહાર શુદ્ધિ છે એમ જણાવ્યું છે, તેથી વ્યાપાર કરતાં ઓછુ આપવું. વધારે લેવુ, માપવાનાં કાટલાં પ્રમાણથી વધારે આછાં રાખવાં, તાજવામાં ધડા વિગેરે રાખવા, સારા માલ દેખાડી ખરાબ આપવા, સારા પદા નબળા પદાર્થની સાથે મેળવી સારા માલના પૈસા લેવા, દેવદ્રવ્ય વગેરે ઉચાપત કરવુ', લાંચ ખાવી, વિશ્વાસઘાત કરવા એ વિગેરે અન્યાયેાથી દ્રવ્ય ઉપાર્જન કરવુ ગૃહસ્થાને ચોગ્ય નથી; કારણ કે શુદ્ધ વ્યવહારથી ઉપાર્જન કરેલું દ્રવ્ય તેજ અશુદ્ધિ છે, અને તથાપ્રકારના જો શુદ્ધ અર્થ ( દ્રવ્ય ) હાય તોજ તેનાથી ખરીદેલા આહાર શુદ્ધ સાત્વિક ગુણ ઉત્પન્ન કરનારા થઇ શકે છે. કહેવત છે કે ‘ જેવા આહાર તેવા આડકાર ' એટલે એ ન્યાયથી દ્રવ્ય ઉપાર્જન કરેલુ હોય અને તેના આહાર વિગેરેમાં જે ઉપયોગ થાય તે તે વ્યવહારની શુદ્ધિથી અની પ્રાપ્તિ થઇ ગણાય છે, અને તે દ્રવ્યનો સત્પાત્ર, દીન, અનાથ વિગેરે ધર્મકાર્યમાં વ્યય કરવામાં આવ્યા હોય તે તે અત્યંત આનંદ આપનારા થાય છે. સાથે ધર્મની પણ પુષ્ટિકર્તા થાય છે, અને તે દ્રવ્ય જેના ઉપભાગમાં આવ્યુ` હોય તેના વિચારો પણ વ્યવહાર શુદ્ધિમાં પ્રવર્ત્તન કરાવનારા થાય છે, તેમજ અનીતિ વિગેરેને વધારનાર વિચારાને લય થાય છે, તેથી વ્યવહાર શુદ્ધિથી દ્રવ્ય મેળવવા સતત્ પ્રયાસ કરવા જેથી તે ઉત્તરાત્તર ઉત્તમ ફળને આપનારૂં થાય. આવા શુદ્ધ આહાર કરવાથી શરીરના પરમાણુએ પણ નિર્મળ થાય છે, જેથી શરીર અને દ્રવ્ય મનના પરમાણુએ શુદ્ધ થવાથી જીનેશ્વર ભગવાનની આજ્ઞાનુસાર વર્ત્તવાથી કબળ નાશ થાય છે, તેથી આત્મા ઉત્તરાત્તર ઉચ્ચ દશાને પામી પાતાના સ્વરૂપને પ્રગટ કરવા પ્રયત્નવાન થાય છે, અને ચેાગ્ય સમયે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અનુકુળતા પ્રમાણે પ્રથમ દેશવિરતિપણાને અગીકાર કરી અને પછી સર્વ વિરતિપણાનું આરાધન કરી અષ્ટમાદિ ગુણસ્થાને પ્રાસ કરી,ઘાતિકમાંને ક્ષય કરી કેવળજ્ઞાન, કેવળદર્શનને પ્રગટ કરી અ'તે મેક્ષપદને પામે છે, હવે ઉપર કહેલી મીના વ્યતિરેકથી દર્શાવે છે
४
1 -
Page #64
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણ વિવરણ. “ જ પ્રલો ટ્રોફ, ૪ ૬ વિશે તુ જે કરે છે
ववहारसुधिरहियो य, धम्मं खिंसावए जो ॥१॥"
શબ્દાર્થઅન્યથા વ્યવહાર શુદ્ધિરહિત પુરૂષ જે જે કાર્ય કરે છે, તે તે કાર્ય ફળ વગરનું થાય છે, અને તે ધર્મની લઘુતા કરાવે છે કે ૧. વિવેક રહિત લેકે નિંદા કરે છે.
લઘુતા જે થાય છે તે કહે છે– " धम्मखिंसं कुणंताणं अप्पणो अपरस्स य ॥
अबोही परमा होइ सुत्ते विलासियं ॥२॥" શબ્દાલન્ધધર્મની હેલના કરવાવાળા પિતાના આત્માને અને બીજાને બેધિબીજ (સમ્ય)ને નાશ કરે છે, એમ સૂત્રમાં પણ કહેવું છે કે ૨
લોકમાં પણ કહેવાય છે કે જેને જે આહાર હોય છે તેને તે શરીરને બાંધે અને સ્વભાવ થાય છે જેમ બાલ્યાવસ્થામાં ભેંસનું દુધ પીનારા ઘડાઓ પાણીમાં પડે છે, અને ગાયનું દુધ પીનારા જળથી દૂરજ ઉભા રહે છે, તેવીજ રીતે મનુષ્ય પણ બાલ્યાવસ્થામાં ભેજન કરેલા આહારને અનુસરતી પ્રકૃતિ (વભાવ)વાળે થાય છે. તે કારણથી ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય છે, તેજ ધર્મની વૃદ્ધિનું કારણ થાય છે. અન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય આખરે રાજા, ચાર, અગ્નિ, જળ વિગેરેથી હરાઈ જનારું હોવાથી તે ઘણે કાળ સ્થિર રહેતું નથી, અને તે પોતાના શરીરના ઉપગ અને પુણ્ય કાર્યમાં વ્યય વિગેરેનું કારણભૂત થતું નથી. કહ્યું છે કે— " अन्यायोपार्जितं वित्तं, दशवर्षाणि तिष्ठति;
प्राप्ते त्वेकादशे वर्षे, समूलं च विनश्यति ॥ १ ॥"
શબ્દાર્થ—અન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય દશ વર્ષ સુધી રહે છે, અને અભ્યરમું વર્ષ પ્રાપ્ત થયે મૂળ સહિત (સર્વથા) તે નાશ પામે છે? ૧. જેને માટે વંચ શ્રેષિનું દષ્ટાંત છે
Page #65
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણ વિવરણ. કઈ ગામમાં હેલેક નામે શ્રેષ્ટિ હતું અને તેને હલી નામે ભાર્યા અને હાલાક નામે પુત્ર હતું. તે હલેક ઍકિમીઠા આલાપથી, બેટાં ત્રાજવાથી, બેટા માપથી, નવી અને પુરાણું વસ્તુ મેળવી રસને ભેદ કરવાથી અને ચેરના લાવેલા (૫દાય) નું ગ્રહણ કરવા વિગેરે પાપના વ્યાપારથી ભેળ અને ગામડીયાઓને ઠગવાના ધંધાથી ધન ઉપાર્જન કરતે હતે. ખરી રીતે તે તે શેકીઓ પરને ઠગવાથી પિતાના સ્વાર્થને ઠગનારાજ હતું. કહ્યું છે કે– “ દિલ્યપદવઃ પાપા, માથા વગર
અને વંચયનાના, ચંચજો વર ફિ છે ”
શબ્દાર્થ–બપટ કરવામાં નિપુણ અને માયાએ કરી બગલાના જેવી રિાળ પાપી પુરૂષ જગતને ઠગવા જતાં પોતાના આત્માને ઠગે છે. ૧
મળેલું દ્રવ્ય પણ અન્યાયથી પ્રાપ્ત થયેલ લેવાથી વર્ષની અને ચેર, અમિ, રાજા વિગેરેથી હરાઈ જાય છે અને ઘરમાં કોઈ પણ એકઠું થતું નથી (રહેતું નથી).
અનુક્રમે વન અવસ્થા પ્રાપ્ત થતાં પુત્રને બીજા ગામમાં વસનાર ઉત્તમ શ્રાવક શેઠની પુત્રીની સાથે પરણાવ્ય. વહુ ઘરમાં આવી તે ધર્મની જાણકાર શ્રાવિકા હતી. શેઠની દુકાન ઘરની સમીપમાં હતી. ઉક્ત શેઠ ગ્રહણ કરવાના અને આપવા વિગેરેના અવસરે પર્વના સંકેત કરેલા પંથકર ત્રિપકર માપાના સંબંધથી પુત્રને પણ પંચકર ત્રિપેકર રૂપ બીજા નામથી આમંત્રણ કરે છે. અનુક્રમે તે વૃત્તાંત લેકના જાણવામાં આવ્યાથી લેકેએ તે શેઠનું વંચકશ્રેષ્ટિ એવું બીજું નામ પાડયું. એક વખતે શેડના પુત્રની વહુએ પિતાના સ્વામીને પુછયું કે, “શા કારણથી પિતા તમને બીજા નામથી બોલાવે છે તે શેઠના પુત્ર પિતાની ભાર્યાને વ્યાપાર સંબંધી સર્વ વૃત્તાંત કહ્યો. તે ધર્મિષ્ટ વહુએ શેઠને વિનંતી કરી કહ્યું કે “આવી રીતે પાપના વ્યાપાર વિગેરેથી ઉપાર્જન કરેલું દ્રવ્ય ધર્મકાર્ય માટે અને ભેગમાટે થતું નથી અને ઘરમાં પણ રહેતું નથી, તે કારણથી ન્યાયથી અર્થને ઉપાર્જન કરવો કલ્યાણકારી છેશેઠે કહ્યું, “ન્યાયથી વ્યાપાર કરતાં કેવી રીતે નિર્વાહ થાય અને કઈ પણ લેક વિશ્વાસ ન રાખે.” પછી વહુએ કહ્યું કે “વ્યવહારથી શુદ્ધ હોય તે પણ દ્રવ્ય ઘણું થાય છે અને ઘરમાં ટકી રહે છે, તથા સારા ક્ષેત્રમાં વાવેલા બીજની પેઠે ઘણાં ફળવાળું થાય છે અને નિશંકપણાએ ભાગ વિગેરેની પ્રાપ્તિથી મનને
Page #66
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણ વિવરણુ. સુખ અને સમાધિને લાભ થાય છે, જે તમને વિશ્વાસ ન હોય તે છ મહીના સુધૂ સુચ્છ ધંધાને ત્યાગ કરી ન્યાય વૃત્તિથી વ્યાપાર કરે. પછી શ્રેણિએ વહુના વચનથી. તેવી રીતે કર્યું છ મહીનામાં તેણે પાંચશેર પ્રમાણ સુવર્ણ ઉપાર્જન કર્યું તે છેષ્ટિના સત્યવાદીપણાથી અને સત્યકારીપણું વિગેરેથી સર્વે ઘરાકે તેની દુકાને આપ લે કરવા લાગ્યા, લેકેમાં તેની કીર્તિ પ્રસરી અને લોકોમાં વિશ્વાસ થશે. તે શેઠે સુવર્ણ લાવીને વહુને આપ્યું. વહુએ કહ્યું પરિક્ષા કરે. પછી તે સુવર્ણની પાંચશેરી કરાવી તેને ચામડાથી મઢી અને પિતાના નામથી અંક્તિ કરાવી ત્રણ દિવસ સુધી રાજમાર્ગમાં મુકી પણ કેઈએ દેખી નહિ; પછી તેને લાવી કઈ હેટા જળાશયમાં નાખી તેને કઈ મચ્છ ગળી ગયે, તેમછુ કેઈએક માછીની જાળમાં પડે, માછીએ તેને ફાળે કે તરત જ તેના ઉદરમાંથી પાંચશેરી નીકળી, તે માછીએ નામથી તેને ઓળખી. ત્યાર પછી તે માછી તે પાંચશેરી શેઠની દુકાને લાવ્ય, શેઠે કાંઈક આપી ગ્રહણ કરી લીધી, અને શ્રેષ્ટિને વહના વચન ઉપર વિશ્વાસ થયે. પછી શુદ્ધ વ્યવહારમાં તત્પર તે શ્રેષ્ટિએ ઘણું વિત્ત ઉપાર્જન કર્યું, અને સપ્ત ક્ષેત્રમાં અનેક પ્રકોરે વ્યય કરતાં ઉત્કૃષિ મેટાઈને પામ્યા. તે પછી સંપૂર્ણ લેકે આ શેઠનું ઉજ્વળ કી છે એ વિચાર કરી વ્યાપારાદિને અર્થે વ્યાજ આપવા વિગેરેથી ગ્રહણ કરવા લાગ્યા. વહાણ ભરવામાં પણ વિલનની નિવૃત્તિને અર્થે તેનાજ દ્રવ્યને નાખવા લાગ્યા. કાળે કરી તેના નામથી સર્વત્ર વૃદ્ધિ થાય છે એવા વિચારે કરી વહાણ ચલાવવાની વખતે લેકે હજુ સુધી હલઉ હેલક એમ બેલે છે. એવી રીતે શુદ્ધ વ્યવવહારે આ લેકમાં પણ પ્રતિષ્ઠાને હેતુ થાય છે તેથી ન્યાય છે તે જ પરમાર્થથી અર્થોપાર્જનના ઉપાયમાં રહસ્ય છે. કહ્યું છે કે – “ ગુવીરને યત્ન, ન્યાયપર
न्याय एवानपायोऽयमुपायः संपदांपदम् ॥१॥" શબ્દાર્થ – ન્યાયમાં તત્પર થઈ સારી બુદ્ધિવાળા પુરૂષે અર્થ ઉપાર્જન રવામાં પ્રયત્ન કરે જાય છે તે જ સંપત્તિને વિધ રહિત ઉપાય અને સ્થાન છે. ૧a”
અજિનપણને ભજવાવાળા પુરૂષને વૈભવથી રહિતપણું વધારે સારું છે, પરંતુ વધારે ખરાબ આચરણથી ઉપાર્જન કરેલી અને વૃદ્ધિ પામેલી સંપત્તિએ
Page #67
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્દગુણ વિવરણ.
૨૯
સારી નથી. પિરણામે સુંદર એવુ સ્વભાવથી કૃશપગુ હાય તા તે શાલે છે; પરંતુ ફળમાં ( પરિણામે ) વિરસ અને સેાજાથી થયેલુ સ્થુળપણુ હાય તાતે શાલતું નથી.
તપસ્વી લેાકેાના વિહાર, આહાર(ખારાક ), વચન અને વ્યવહાર શુદ્ધ વાય છે, અને ગૃહસ્થાને તેા વ્યવહારજ શુદ્ધ જોવાય છે, તેમજ અન્યાય, ઉપલક્ષણુથી દેવદ્રવ્ય, જ્ઞાનદ્ર, પાખ'ડી અને પાસસ્થા વિગેરેના દ્રવ્યથી વેપાર કરવા અને તે દ્રવ્યનુ વ્યાજથી ગ્રહુણુ કરવું વિગેરે પણ મહા દોષકરનાર છે. જે કારણથી કહ્યું છે કે—
“અન્યાયકેવવાથં,િ તનાનાં ધનેન યઃ ।
वृद्धिमिच्छति मुग्धोऽसौ विषमत्ति जिजीविषुः ॥ १ ॥ ”
શબ્દા —“ જે પુરૂષ અન્યાયના, દેવના, પાખડીઓના અને આ ત્રણેના દ્રવ્યથી વેપાર કરનારની પાસેથી પૈસા લઈ તે ક્બ્જે કરી પોતાના દ્રવ્યની વૃદ્ધિ ઇચ્છે છે તે ભાળા પુરૂષ ઝેરનું ભક્ષણ કરી જીવવાની ઇચ્છા કરે છેઃ ॥ ૧ ॥ ” લાકિક શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે—
“ સેવકન્યા યા વૃત્તિ, મુકબ્જે યદ્યનમ્ ।
તેનું લનારાાય, ધૃતોઽવિ નર ત્રનેત્ ॥ ? | ” प्रास्त्रे मा मतिं कुर्यात्प्राणैः कंठगतैरपि ॥ પ્રશિયા: પ્રોઢુંતિ, પ્રજાગ્યો ન પેદ્દતિ ૫ ક્॥ प्रजास्वं ब्रह्महत्या च दरिषस्य च यद्धनम् በ ચુપત્ની ચુત ન્ય, સ્વર્ગસ્થમ િવાતયેત્ ॥ ૩ ॥ "
શબ્દાર્થ. ધ્રુવના દ્રવ્યથી જે વૃદ્ધિ થાય અને ગુરૂના દ્રવ્યથી જે ધન પ્રામ થાય તે દ્રવ્ય કુળના નાશ માટે થાય છે અને મૃત્યુ થયા પછી નરકે જાય છે ! ૧૫ પ્રાણાક સુધી આવ્યા હેાય તે પણ દેવદ્રવ્યમાં બુદ્ધિ કરવી નહીં. અગ્નિથી દાઝેલા ઉગેછે પણ દેવદ્રવ્યથી દાઝેલા ઉગતા (ઉદ્દય પામતા ) નથી. ઘણા દેવદ્રવ્ય, એ સ્તુત્યા, રિતીનું ધન, ગુરૂની ભાર્યા અને ગુરૂદ્રવ્ય એ સર્વે સ્વર્ગમાં રહેલાને પણ નીચે પડે છે. ૩૫ શ્ર
Page #68
--------------------------------------------------------------------------
________________
૩૦૦
શ્રાદ્દગુણ વિવરણ અહિ લેકિક કથા કહે છે–પૂર્વ શ્રી રામના રાજ્યમાં એક વખતે રાજમાર્ગમાં કે શ્વાન બેઠે હતું, તેને કેઈ બ્રાહ્મણના પુત્રે કાન ઉપર પથ્થર માર્યો. રૂધિર નીકળતે શ્વાન ન્યાયના સ્થાનમાં જઈ બેઠે. રાજાએ (રામે) તેને બેલાવીને પુછયું એટલે તે શ્વાન બોલ્યો કે “મને નિરપરાધીને તે બ્રહ્મપુત્ર શામાટે માર્યો?” પછી તેને મારનાર બ્રહ્મપુત્રને ન્યાયસ્થાનમાં બેલાવી રાજાએ તેને કહ્યું, તને મારનાર આ બ્રહ્મપુત્ર છે? બેલ, એને શું દંડ કરીએ? કુતરાએ કહ્યું કે “આ નગરમાં શંકરના મઠના અધિપતિ તરીકે નિજન કરે” રાજાએ પૂછ્યું, “આ દંડ કે કહેવાય ત્યારે કુતરાએ ફરીથી કહ્યું, “હું આ ભવથી સાત ભવ પહેલાં નિરંતર શંકરની પૂજા કરી દેવદ્રવ્યના ભયથી મહારા બન્ને હાથને ઈ ભજન કરતે હતે. એક વખતે શંકરના લિંગમાં ભરવા માટે લોકોનું ભેટ કરેલું કઠિન થી તેને વેચતાં તે કઠણ હોવાથી મહારા નખની અંદર ભરાઈ ગયું, તે ઉષ્ણ ભજનથી ગળી ગયું અને અજાણપણુએ મહારાથી તેનું ભક્ષણ કરાયું. તે દુષ્ટ કર્મથી હું સાત વખત કુતરે થયે છું ! હે રાજન ! આ સાતમા ભાવમાં મને જાતિ સ્મૃતિ જ્ઞાન થયું છે, અને હમણાં તમારા પ્રભાવથી મને મનુષ્ય સંબધી વાણુ ઉત્પન્ન થઈ છે. એવી રીતે અજ્ઞાનથી ભક્ષણ કરેલું દેવદ્રવ્ય દુઃખનું કારણ થાય છે. આ કારણથી વિવેકી પુરૂએ તે દ્રવ્યનું પિતાની શક્તિ અનુસાર રક્ષણ કરવું. પંડિત પુરૂ ઝેરને ઝેર કહેતા નથી, પરંતુ દેવદ્રવ્યને ઝેર કહે છે. “વિષ ભક્ષણ કરનાર એકને જ હણે છે, અને દેવદ્રવ્ય પુત્ર તથા પુત્રના પુત્રને હણે છે” એમ ઋતિકાર કહે છે.
અહિં કોઈ એમ શંકા કરે કે “જે એવી રીતે વ્યવહારને નિષેધ કરશે તે ગૃહસ્થને દ્રવ્યની પ્રાપ્તિ જ નહીં થાય, અને પછી આજીવિકાને વ્યવછેર થતાં ધમને હેતુભૂત ચિત્ત સમાધિને લાભ કેવી રીતે થશે ?' એવી આશંકા કરી કહે છે,
ન્યાય એજ અર્થની પ્રાપ્તિમાં ઉત્કૃષ્ટ રહસ્ય છે, અને ન્યાય એજ પરમાર્થથી દ્રવ્ય ઉપાર્જન કરવાના ઉપાયનું તાત્પર્ય છે. જેમ દેડકાઓ જળાશયમાં આવે છે, અને પક્ષીઓ સરોવરના પૂરમાં આવે છે તેમ શુભકર્મને વશ થયેલી સર્વ પ્રકારની સંપત્તિઓ સારા કર્મવાળા પુરૂષોની પાસે આવે છે. તેવી જ રીતે કહ્યું છે કે" नोदवानर्थितामेति, न चांनोनिन पूर्यते ।
आत्मा तु पात्रतां नेयः, पात्रमायांति संपदः ॥॥"
Page #69
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્દગુણ વિવરણ.
૩૧
શબ્દાર્થ જેમ સમુદ્ર યાચકપણાને પ્રાપ્ત થતા નથી અને પાણીથી ભરાય છે. તેમ આત્માને પાત્રપણાને પમાડવા તેથી પાત્રમાં સપત્તિએ પાતાની મેળે આવે છે. પ્રા”
તે શુદ્ધ ઋજુ વ્યવહાર ચાર પ્રકારના છે. તે કહે છે. યથા કહેવુ‘૧. અવ'ચન ક્રિયા ૨. ભવિષ્યના અપાયને ( અનર્થને ) પ્રકાશ કરવા. ૩. અને મૈત્રી ભાવને સદ્ભાવ ૪. ઋજુ એટલે સરળ, શુદ્ધ એટલે દોષ રહિત એવા વ્યવહાર નામના ગુણ ચાર પ્રકારના છે, તે ખતાવે છે. યથા કહેવું એટલે ધર્મમાં, લેવડ દેવડમાં અને સાક્ષી કે ત્રીજા વ્યવહાર વિગેરેમાં વિરાધ રહિત વચનનુ' ખેલવું, અહિં આ તાત્પ છે,—નિરંતર ધર્મ અને અધર્મને જાણી ભાવ શ્રાવકા પરને ઠગવાની બુદ્ધિથી ખેલતા નથી, અને તે સાચુ' અને મધુર ખેલે છે ખરીદ કરવાના અને આપવાના સાટામાં પણ એછી વધારે કિંમત કહેતા નથી અને સાક્ષોમાં નિયુક્ત કર્યા હાય તાપણુ અસત્ય વચન મેાલતા નથી. રાજાની સભા વિગેરેમાં જઈ કોઈ પણ મનુષ્યને અસત્ય વચનથી કૃષિત કરતા નથી, અને ધર્મમાં આસક્ત એવા ભાવ શ્રાવકા ધર્મીના ઉપહાસ્યજનક વચનનો કમળ શ્રેષ્ઠિ વિગેરેની પેઠે ત્યાગ કરે છે. આ ઋતુ વ્યવહારના પ્રથમ ભેદ થયેા.
૨ અવ′ચન ક્રિયા એટલે પરના દુઃખમાં અકારણભૂત એવી મન વચન અને કાયાના વ્યાપાર રૂપ ક્રિયા તેને અવંચન ક્રિયા કહે છે. સટશ વિધિથી અને ત્રાજવાં અને પાલા વિગેરેથી એછું આપી અને વધારે લઈ શુદ્ધ ધના અર્થી બીજાને ઠંગે નહીં. અવ’ચન ક્રિયા ઉપલક્ષણથી અઢાર પ્રકારની પ્રસિદ્ધિના ત્યાગપૂર્ણાંક, ચારાનુ લાવેલુ. અને તેના ( ચાર સંધી ) પ્રયાગ વિગેરેના ત્યાગ કરવા તે આ પ્રમાણે છે,—ચાર, ચારી કરાવનાર, ચારના સલાહકાર, ચારના ભેદને જાણુ, ચારીના માલને ખરીદનાર, ચારને ખારાક આપનાર અને અને ચારને સ્થાન આપનાર એ સાત પ્રકારના ચાર કહેવાય છે. તેમાં કાણુકયી એટલે ચારનું લાવેલું ઘણી કિંમતનુ' પણ કાણુક એટલે આ ખરાબ છે એમ કહી થોડી કિમતથી ખરીદ કરી લે તેને કાણુકી ડે છે. હવે અઢાર પ્રસિદ્ધિનુ વર્ણન કરે છે.
ભલન ૧, કુશળ ૨, ત ૩, રાજભાગ ૪, અવલોકન ૫, અમાદન ૬, શય્યા ૭, તથા પદ્મભંગ ૮, વિશ્રામ ૯, પાદપતન ૧૦, આસન ૧૧, તથા ગોપન ૧૨, ખંડનુ “ ખાદન ૧૩, તથા વળી મહારાજિક ૧૪, પદ્મ ૧૫, અગ્નિ ૧૬, ઉદક
Page #70
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણ વિવરણ. ૧૭, રજજુ ૧૮ વિગેરેનું જાણપૂર્વક આપવું. આ અઢાર પ્રસિદ્ધિઓ બુદ્ધિમાન પુરૂએ જાણવી એ અઢાર પ્રસિદ્ધિઓને અનુક્રમે સંક્ષેપમાં અર્થ બતાવે છે. તેમાં (તે કાર્યમાં) તમારે ડરવું નહીં તે વિષયમાં હુંજ ખાત્રીદાર થાઉં છું, ઈત્યાદિક વાકથી ચેરી કરવાના વિષયમાં ઉત્સાહ વધારે તેનું નામ ભલન કહે છે૧ ચેર જ્યારે મળે ત્યારે સુખ તથા દુઃખ વિગેરેની વાતે પુછવી તેને કુશલ કહે છે કે ૨ રને હસ્ત વિગેરેથી ચોરી કરવા માટે જવાની ઈશારત કરવી તેને તજી કહે છે જેમાં રાજને ભાગ હોય તેવું રાજભેગ દ્રવ્ય એાળવવું તેને રાજભેગ કહે છે. એક ચેરી કરતા ચેરેને (માલ લેવાની) ઈચ્છાપૂર્વક દેખવું તેને અવકન કહે છે પછે ચેરના માર્ગ પુછનારને બીજે રસ્તે બતાવવાથી તે ચોરેને છુપાવવા તેને અમાર્ગદર્શન કહે છે કે ૬ ચેરને સુવાની વસ્તુ વિગેરેનું આપવું તેને શય્યા કહે છે. ૭ (ચેરના આવ્યા ગયા) પછી ચાર પગવાળાં જનાવરેને તે રસ્તામાં ફેરવવાથી પગલાં ભાંગવાં તેને પદભંગ કહે છે. આ ૮ ચેરને પિતાના ઘરમાં જ રહેવા વિગેરેની આજ્ઞા આપવી તેને વિશ્રામ કહે છે લ્લા ચારને નમસ્કાર વિગેરે બહુમાન કરવું તેને પાદપતન કહે છે ૧૦ ચોરને ગાદી તકીયે આપ તેને આસન કહે છે કે ૧૧ ચારને સંતાડે તેને ગેપન કહે છે ૧રા ચિરને ખાંડ જેટલી વિગેરેનું ભેજન આપવું તેને ખંડ ખાદન કહે છે કે ૧૩ છે ચરને ઉપગી લેકમાં પ્રસિદ્ધ એવું ચૂર્ણ આપવું તેને મહારાજિક કહે છે ૧૪ અને ચેરને પદ્ય અગ્નિ ઉદક દોરડું વિગેરે આપવું, એટલે કે ચારને પગ લેવા અને શરીરે ચેળવા માટે દૂર માર્ગેથી આવવાથી ઉત્પન્ન થયેલા શ્રમને દૂર કરવાના હેતુરૂપ ઉષ્ણ જળ અને તેલ વિગેરે પગને હિતકારી પદ્યનું આપવું તેને પદ્યપ્રદાન કહે છે કે ૧૫ . રઈ કરવા માટે ચારને અગ્નિ આપે તેને અગ્નિપ્રદાન કહે છે. ૧૬ ચેરને પીવા વિગેરેના માટે શીતળ જળનું આપવું તેને ઉદકપ્રદાન કહે છે ! ૧૭ છે અને ચોરી કરીને લાવેલાં ચતુષ્પદ્રવાળાં જનાવરને બાંધવા માટે દેરડું આપવું તેને રજજુપ્રદાન કહે છે કે ૧૮ છે ઉપર જણાવેલી વસ્તુઓ જાણીને આપવી એમ દરેક ઠેકાણે જોડવું, કેમકે અજાણતાં આપે તે તેને અપરાધ નથી. આ પ્રમાણે અર્વાચનક્રિયાનું વર્ણન જાણવું.
તારાશાસપત્તિ –એ પદને અર્થ કરે છે. અશુદ્ધ વ્યવહારથી ઉત્પન્ન થયેલા રાજદંડ અને નરકમાં પડવારૂપ જે ભાવી અપાય (અનર્થ) તેનું પ્રકાશવું
Page #71
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણ વિવરણું.
_
_
_
*".
એટલે પ્રગટ કરવું તે આવી રીતે – હે ભદ્ર! આલેક અને પરલોકમાં અનર્થને કરવાવાળાં ચેરી વિગેરે પાપને કરીશ નહીં; એમ બીજાઓને જણાવે. અહીં તેજ પ્રતિપાદન કરે છે.“પ્રન્નાપુવિટ્ટ, રવમયુદ્ધ પ્રવુ .
आहारोवि असुद्धो, तेण असुद्धं सरीरंपि॥१॥ देहेण असुद्धेणं, जंजं किऊ कयावि सुहकिच्छ। तंतं न हाइ सहवं, बीयंपिव ऊसरनिहित्तं ॥२॥" ' શબ્દાર્થ—અન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય અશુદ્ધ ગણાય છે. અને અશુદ્ધ દ્રવ્યથી (અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ રૂ૫) આહાર પણ અશુદ્ધ થાય છે. અને તે આહારથી (ખેરાકથી) પષાએલું શરીર પણ અશુદ્ધ થાય છે. તે અશુદ્ધ શરીરે કરી જે જે શુભ કાર્ય કઈ વખતે કરવામાં આવે છે તે કાર્ય ઉખરભુમિમાં નાખેલા બીજની પેઠે નિષ્ફળ થાય છે. ર આ ઋજુ વ્યવહારને ત્રીજો ભેદ થયો તેવીજ રીતે “મિત્તાવાર સજાવિત્તિ એ જુવ્યવહારના ચોથાભેદને વર્ણવે છે.
મિત્રને ભાવ અથવા તે મિત્રનું કર્મ તેને મૈત્રી કહે છે. નિષ્કપટપણે તે મૈત્રીભાવનું થવું, એટલે ઉત્તમ મિત્રની પેઠે કપટ રહિતપણે મૈત્રી કરે, પણ ગેમુખ વ્યાધ્રવૃત્તિથી (મુખે ગાય જેવી અને વર્તનમાં વાઘ જેવી વૃત્તિથી) વ્યાપાર કરતે સર્વ લોકમાં અવિશ્વાસનું પાત્ર અને પાપને ભાગી થાય તેવી રીતે કપટ મિત્રતા દેખાડી લેકોને ઠગે નહીં. એવું જાણી વિવેકી પુરૂષ ચાર પ્રકારે બાજુવ્યવહાર કરનાર થાય. આ (આગળ કહેવાશે તે વ્યાપારને વ્યવહાર આ પ્રમાણે છે
જે વેપારીને લક્ષમીની ઈચ્છા હોય તે કરીયાણુને વગર યે હાનું આપે નહીં. અને જે હાનું આપે તે ઘણુઓની સમક્ષ આપે. જ્યાં મિત્રપણાની ઈચ્છા ન હોય ત્યાં અર્થને સંબંધ કરે; પિતાની પ્રતિષ્ઠાના ભંગને ભય રાખનાર પિતાની મરજી પ્રમાણે (મિત્ર જ્યાં વેપાર કરતા હોય ત્યાં) ઉભે પણ ન રહે. લક્ષ્મીને ઈચ્છનાર ઉત્તમ વેપારીએ કદિ પણ બ્રાહ્મણ વેપારીઓ અને શસ્ત્રધારી લોકોની સાથે વેપાર કરે નહીં. દ્રવ્યની રક્ષા કરવામાં તત્પર એવા વેપારીએ નટ, વેશ્યા, જુગારી અને ધૂર્ત પુરૂષને ઉધારે આપવું નહીં. જે પોતાના ધર્મને બાધ કરનારું હેય, અને જે બદનામ કરનારું હોય તેવું કરીયાણું ઘણે લાભ આપનારૂં હેય તે
Page #72
--------------------------------------------------------------------------
________________
૩૪
શ્રાદ્ધગુણ વિવરણ. પણ પુચનાઅથી પુરૂએ ગ્રહણ કરવું નહીં. જે કાંઈદ્રવ્ય ખેટાં માપ અને ત્રાજવાંથી. ઉપાર્જન કરાય છે તે દ્રવ્યપ્રથમવામાં આવે છે, પણ ઉષ્ણ પાત્રમાં પડેલા જળબિંદુની પિઠે પાછલથી જોવામાં આવતું નથી. દાક્ષિણ્યતાથી કેઈના જામીન કે સાક્ષી થવું નહીં. અને જ્યાં ત્યાં (પોરા નહીં. જે પુરૂષ જુગારથી અને કીમીયાદિકના પ્રયોગથી દ્રવ્યની ઈચ્છા રાખે છે, તે પુરૂષ મેશના કૂચડાથી પિતાનું ઘર ધોળું કરવાની ઈચ્છા કરે છે. આ લેકમાં પ્રાયે કરી લેભની આકુળતાથી ઘણા આરંભેવાળે, અને શ્રાવકને અનુચિત એ બે પગવાળાં અને ચારપગવાળાં પ્રાશુઓને તેમજ લેટું, ગાળી, તલ, વિગેરે ખરાબ પદાર્થને વેપાર, તથા યંત્રકમંદિક હલકે વેપાર કરવાથી અને ધર્મકાર્યના ખર્ચમાં સંક્ષેપ વિગેરે કરવાથી ધનની વૃદ્ધિ થતી નથી. કારણ કે દ્રવ્યની વૃદ્ધિ તે શુભકર્મોથી પુષ્ટ થયેલા ધર્મને અનુસારે રહેલી છે. કહ્યું છે કે –
યાનુસારી વિદ્યા, લક્ષ્મી પુણાનુરારિણી,
दानानुसारिणी कीर्तिः, बुधिः कर्मानुसारिणी॥१॥" શબ્દાર્થ – વિદ્યા ઉઘમને અનુસાર પ્રાપ્ત થાય છે. લક્ષ્મી (પૂર્વ) પુન્યને અનુસારે મળે છે, કીર્તિ દાનને અનુસારે પ્રસરે છે અને બુદ્ધિકર્મોને અનુસાર થાય છે. ૧
ભાવાર્થ—“થનાનુણારિણી વિદ્યા–વિદ્યા યત્નસાધ્ય છે છતાં કેટલાએક પુરૂ કર્મને દેષ કાઢી અભ્યાસ કરવામાં પ્રમાદી થાય છે. પરંતુ પ્રમાદ નહીં કરતાં આત્મામાં તિભાવે રહેલાં મતિ અને શ્રુતજ્ઞાનને રેપ કરનાર મતિ અને શ્રુતજ્ઞાનાવરણીય કર્મને આત્મપ્રદેશથી દૂર કરવા પ્રયત્ન કરે.
જ્યારે પ્રયત્ન ક્ય શિવાય જ્ઞાન (વિદ્યા) પ્રગટ થવાનું નથી, ત્યારે તેને નાશ કરવા માટે શે પ્રયત્ન કરે જોઈએ કે જેથી વિદ્યા (જ્ઞાન) પ્રાપ્ત થાય? આ પ્રમાણે કઈ આશંકા કરે તેના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે, પુસ્તક સંરક્ષણ, જીર્ણ પુસ્તકેદ્ધાર, પુસ્તકના નવીન ભંડાર, જ્ઞાનપંચમ્યાદિનું આરાધન, તપસ્યા, જ્ઞાનાભ્યાસને સહાય, લેકેપગી નવીન પુરત કેની રચના અને જ્ઞાન તથા જ્ઞાનીને વિનય બહુમાન કરવારૂપ પ્રયત્નથી મતિ અને શ્રુતજ્ઞાનાવરણીય કર્મને ક્ષય કે ક્ષયોપશમ થાય છે. માટે ઉપરોક્ત સર્વ કાર્ય અંતકરણની ખરી લાગણી પૂર્વક કરવાથી અને સતત્ વિદ્યાભ્યાસ ચાલુ રાખવાથી વિદ્યા પ્રાપ્ત થતાં વિલંબ થતું નથી, વિદ્યા તે શું પણ ખાસ તુષ મુનિ કે
Page #73
--------------------------------------------------------------------------
________________
૩૫
શ્રાદ્ધગુણ વિવરણ, જેનાથી ના ર ના તુને બદલે ના તુન્ બેલાતું હતું તે પણ તેમણે ગુરૂ મહારાજની આજ્ઞા પ્રમાણે વિદ્યાભ્યાસને પ્રયત્ન ચા ખે તે તે કેવળ જ્ઞાન મેળવા ભાગ્યશાળી થયા હતા. તેમજ અનેક રાજકાર્યને વ્યવસાય છેતાં મહારાજા કુમારપાલે એકાવન વર્ષની પુખ્ત ઉમરે શાસ્ત્રાભ્યાસ કરી વીતરાગસ્તવ, યેગશાસ્ત્ર અને શબ્દશાસ્ત્ર વિગેરે કઠાગ્ર કર્યા હતાં, એટલું જ નહીં પણ તેઓશ્રી સાહિત્યશાસ્ત્રમાં પણ નિપુણ હતા, તેની સાબિતી તેમના બનાવેલા સર્વજિન સાધારણતેત્રના કા ઉપરથી થાય છે. વળી સતત વિ ઘાભ્યાસ કરતાં કલિકાલ સર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યના રવાધ્યાયી શ્રીમદ રામચંદ્રસૂરીનું એક નેત્ર નાશ પામ્યું હતું, તે પણ પ્રયત્ન જારી રાખી સાહિત્ય અને ધર્મ શાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન મેળવી તેમણે સે પ્રબંધ રચ્યા હતા. તેમજ શ્રીમદ્ વિજપાધ્યાય તથા શ્રીમદ્દ વિનયવિજપાધ્યાયજીએ વિદ્યાભ્યાસ માટે કરેલા પ્રયાસ જગ જાહેર છે. અને તેઓશ્રી પિતાને અને જગતને ઉપકાર થાય તેવા સંખ્યાબંધ ગ્રંથ રચવાને શક્તિમાન થયા હતા. આ શિવાયનાં સેંકડે ઉદાહરણથી સિદ્ધ થાય છે કે પ્રયત્નથી જ્ઞાનાવરણીય કર્મ ગુટે છે, અને વિદ્યા પ્રાપ્ત થાય છે. તેથી “હું અશક્ત છું, વૃદ્ધ છું, મને શાસ્ત્ર સમજાતાં નથી ઈત્યાદિ ન્હાનાં કાઢી પ્રમાદનું સેવન ન કરતાં સત વિદ્યાભ્યા સ કરવા પ્રયત્ન કરે જોઈએ.
સરી પુણગુણાણિી લક્ષ્મી પૂર્વકૃત શુભ કર્મને અનુસાર પ્રાપ્ત થાય છે. આ સ્થળે પ્રયત્નની મુખ્યતા નથી, કારણ પ્રાતઃકાળથી સાયંકાળ પર્યત પ્રયત્ન કરનાર મજુર વિગેરેને સ્વપ દ્રવ્યની પ્રાપ્તિ થાય છે, અને સ્વલ્પ પ્રયત્ન કરનારને ઘણું દ્રવ્યની પ્રાપ્તિ થતી જગ જાહેર છે. માટે કોઈ એમ સમજતો હેય કે હું પુષ્કળ પ્રયત્ન કરવાથી પ્રચુર દ્રવ્ય મેળવી શકીશ, તે તે વિચાર ભુલ ભરેલો છે. ત્યારે ગૃહસ્થાએ પિતાના નશીબ ઉપર આધાર રાખી શું બેસી રહેવું? એ કઈ પ્રશ્ન કરે તે તેના ઉત્તરમાં કહેવાનું કે આ ગ્રંથમાં તેમજ બીજા ગ્રંથમાં શ્રાવકોએ પિતાના આત્મહિતને ન બગાડતાં વ્યવસાયાદિક કેવી રીતે પ્રમાણિકપણે કરવા, તથા ક્યા કયા ધંધા શ્રાવકને કરવા ઉચિત છે, તે તથા પ્રાપ્ત થએલા દ્રવ્યમાંથી ધર્મકાર્યમાં અને સાંસારિક કાર્યમાં કેટલું દ્રવ્ય ખર્ચવું તેના નિયમો બતાવ્યા છે, અને તે પ્રમાણે વર્તનાર શ્રાવકે ચક્કસ સુખી હોય એવી વિદ્ધાર્ગની
Page #74
--------------------------------------------------------------------------
________________
૩૬
શ્રાદ્દગુણ વિવરણ.
માન્યતા છે. તે શાસ્ત્રાકત રીતિએ પ્રયત્ન કરતાંજે દ્રવ્ય મળે તેનાથી સ તાષમાનવા
ચેાગ્ય છે.
તેથી
આ ગ્રંથમાં આગળ આપેલા ધનશ્રષ્ઠિના દ્રષ્ટાંતથી આ વાત સિદ્ધ થાય છે, • લક્ષ્મી: પુણ્યાનુસાળિી એ યથાજ છે.
“વાનાનુસારિણી નીત્તેિ:”— કીર્તિ દાનને અનુસારે થાય છે. આ સંખ’ધમાં જણાવવુ જોઈએકે કેટલાએક ગૃહસ્થા પેાતાને ત્યાં કોઇના ધર્માદાના પૈસા જમે હાય, અથવા પોતે ધર્માંદા નિમિત્તે કાઢયા હોય તે ન વાપરતાં પોતાને ત્યાં જે જમે રાખ્યા હાય તે પૈસાથી કાઇ દાનાદ્દિ કાય કરી પેાતાની કીર્ત્તિ થાય તેવુ ઇચ્છે છે તે ચૈાગ્ય નથી; આવા દાનાદિક અવસરે પણ ન્યાયનુ' અવલ’બન કરી યથાતથ્ય જણાવવુ ચેાગ્ય છે. કારણ કે કપટથી દાન કરતાં જ્યારે કપટ ખુલ્લુ થાય છે ત્યારે દાન કરનારની કીર્ત્તિને બદલે અપકીત્તિ થાય છે. પેાતાના પૈસાનું દાન કરવાને અવસરે કીર્ત્તિની ઈચ્છા રાખ્યા વિના શુદ્ધપાત્રમાં શુદ્ધદ્રવ્ય અને શુદ્ધભાવથી દાન કરવું ચેાગ્ય છે. આ પ્રમાણે કરેલા દાનથી ચેાગ્ય કીર્ત્તિ` ફેલાયા વગર રહેશે નહી. કર્મને અનુસારે કાર્ય કરવાની બુદ્ધિ થાય છે. જેમ કોઇ માણસને અમુક વસ્તુથી લાભ થવાના હાય તેા તેને તે વસ્તુના વેપાર કરવાની ઇચ્છા થાય, અને તેમાં પ્રવૃત્તિ કરતાં તે વસ્તુ તેને મળી આવી દ્રવ્યના લાભ થાય, આ ઠેકાણે અમુક વસ્તુને વેપાર કરવા રૂપ જે બુદ્ધિ થઇ તે પૂર્વીકૃત કન અનુસારે થઇ; તેમજ “ તાદશીનાયતેવુદ્ધિયાદશી ાવિતવ્યતા ” જેવુ કા થવાનુ હાય તેવી પ્રવૃત્તિ કરવાની અભિલાષા થાય છે. આ સબધમાં વાલ્મિક રામાયણમાં ક્યું છે કેઃ—
લુબ્દિક માનુસારિળી’
kr न निर्मितः कैच दृष्टपूर्वः श्रूयते हेममयः कुरङ्गः ।
"
તથાવિજ્ઞાતા રઘુનનથ, નિશાલે વિપરીતવૃદ્ધિ : ।શા ”
.
તાત્પર્ય એ છે કે— “ સુવર્ણ મય હરણુ કોઇએ બનાવેલ નથી, પૂર્વે કાઇએ દેખ્યું નથી અને કાઇના સાંભળવામાં પણ આવતું નથી; તાપણુ વિનાશ કાળે રામચંદ્રજીની બુદ્ધિ વિપરીત થઈ ” તે આ પ્રમાણે મુદ્ધિ, ભાવી કાર્યને અનુસારે થાય છે. તે ઉપરથી ફલિતાર્થ એ નીકળે છે કે શુભાશુભ કાર્યોંમાં વિદ્વાનાએ સમ પરિણામ રાખવા અને હરેક પ્રયત્ને જેનાથી કમધ થાય એવાં તીવ્ર કષાયજનક
Page #75
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્દગુણ વિવરણ. કાર્યો કરતાં અટકવું પુનઃ પુનઃ વિચાર કરો અને હારીનિંદિત કાર્ય કરવાની મતિ કેમ થાય છે, એમ વિચારી દુર્મતિને બનતે પ્રયત્ન ત્યાગ કરે.
. લક્ષમીના સંબંધમાં પૂર્વે સૂચવેલું ધનશ્રેષ્ટિનું ઉદાહરણ આ પ્રમાણે છે.
કાંચનપુરમાં સુંદરશ્રેષિને ધનશ્રેણિનામે પુત્ર નવાણુલાખ દ્રવ્યનો સ્વામી હતે. પંચાવન લાખ પૂર્વજોના કમથી આવેલા હતા અને ચુંમાલીશ લાખ પિતાના પિતાએ ઉપાર્જન કરેલા હતા. જ્યારે પિતાના પિતા પરલોક ગયા ત્યારે તે ધનશ્રેષ્ટિએ ક્રોડ દ્રવ્ય મેળવવાની ઈચ્છાથી ગૃહકાર્ય અને ધર્મકાર્ય વિગેરેના ખર્ચમાં એક લાખ દ્રવ્યને ઘટાડે કર્યો તે પણ વર્ષની અને હિસાબ (સરવૈયું) તપાસતાં કેટલાંએક કરીયાણાના ભાવ ઉતરી જવાથી તેટલું જ (નવાણું લાખ) દ્રવ્ય રહ્યું. ખર્ચ ઘટાડવાથી પણ અધિક દ્રવ્ય થયું નહીં. પછી બીજા દેશોમાં જઈ પંદર પ્રકારના કર્માદાનેથી વેપાર કરતાં તેણે એક કેડથી અધિક દ્રવ્ય ઉપાર્જન કર્યું. દેશાંતરથી પાછા ફરતાં રસ્તામાં ભીલએ તેનું સઘળું દ્રવ્ય લુંટી લીધું અને કાંઈક ગુપ્ત રાખેલાં આભૂષણ વિગેરે સારવસ્તુને લઈ તે ધનશ્રેષ્ઠિ પિતાને ઘેર આવ્યા, અને બીજીવાર હિસાબ (સરવૈયું) તપાસતાં પણ પૂર્વે હતું તેટલુંજ (નવાણું લાખ) દ્રવ્ય રહ્યું. પછી ઘણું લેભથી આકુળ વ્યાકુળ મનવાળા તે ધનશ્રેષ્ટિએ પલ્લી અને તેની આજુબાજુના ગામમાં જઈ, ચેરેએ ચેરી કરીને આણેલી વસ્તુઓ સસ્તા ભાવથી લેવી, ચેરેને મદદ આપવી અને રાજકાયદાનું ઉલંઘન કરવું વિગેરે પ્રકારથી તેણે સવાડ દ્રવ્ય ઉપાર્જન કર્યું. પછી કોઈ ગામમાં અગ્નિથી તે સઘળું બળી જવાથી પિતાના આત્માની નિદામાં તત્પર થયેલે તે ધનશ્રેષ્ટિ ઘેર આવ્યો તેને જિનદત્ત નામના તેના મિત્રે પ્રતિબંધ કર્યો કે “હે મિત્ર! ખરાબ વેપારથી દ્રવ્ય અને ધર્મની હાનિ તું ન કર, અને ઘર વિગેરેને ખર્ચ પણ પૂર્વે જેટલે કરતે હતું તેટલાજ કર” પછી તે ધનશ્રેષ્ઠિ પૂર્વની પેઠે ખર્ચ વિગેરે કરી વેપાર કરવા લા. એક વખતે તેણે લાખ દ્રવ્યના સ્વામીઓથી કરાતી કેટી ધ્વજ વાળા ગૃહસ્થની અભ્યસ્થાનાદિ ભક્તિને જોઈ, ૧ સાધન (મંત્રાદિ,) ૨ વાહન | (ઘોડા પ્રમુખ) અને ૩ ખાણ એ ત્રણ પ્રકારથી ઘણું દ્રવ્ય ઉપાર્જન થાય છે, એમ શ્રવણુકરી પ્રથમ ઘેડાને વેપાર કરવા માંડે. પછી મિત્ર પ્રમુખે તે ધનશ્રેષ્ઠિને વાર્યો તે પણ તે વહાણે ચઢયે, ત્યાં તેણે ઘણા પ્રમાણુ દ્રવ્ય મેળવ્યું. પછી એક કોડની કિંમતનું રત્ન પિતાની જંઘામાં ઘાલી પાછા આવતાં તેનું વહાણ ભાંગી ગયું અને
Page #76
--------------------------------------------------------------------------
________________
૩૮
શ્રાદ્દગુણ વિવરણ તેના હાથમાં એક પાટીયું આવ્યું. તે પાટીયાથી સમુદ્ર ઉતરી ઘેર આવ્યું અને ફરી હિસાબ જોતાં પણ નવાણું લાખજ રહ્યા. કારણકે જંઘાની અંદર છુપાવેલા દેડ મૂલ્યના રત્નને શરીરની ગરમી વિગેરે લાગવાથી રત્નનું તેજ મંદ થઈ ગયું, તેથી તેની એક લાખ દ્રવ્ય જેટલી કિંમત ઓછી થઈ ગઈ. પછી તે શ્રમિત થએલે ધનશ્રેષ્ઠિ પુણ્ય ઉપર આધાર રાખી ઘર તથા ધર્મકાર્ય વિગેરેમાં અધિક ખર્ચ કરવાને તત્પર થયે. તેમ કરતાં ઘરમાં રહેલી વસ્તુઓના ભાવમાં વધારે થવાથી કેટલાએક દિવસે તેને કેટી દ્રવ્ય પણ પ્રાપ્ત થયું. તે પછી અનેક મંદિરના જીર્ણોદ્ધાર અને નવીન જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા વિગેરે હેટાં પુણ્યકાર્ય કરવામાં પ્રયત્નવાન થએલા તે ધનશ્રેષિને એક કટીથી અધિક દ્રવ્ય થવા લાગ્યું, પરંતુ તેમાંથી કાંઈ પણું ઓછું થયું નહીં. કારણ કે “ઉત્તમ ધર્મ કરનારાઓની સર્વ ઠેકાણે વૃદ્ધિ થાય છે,” એવી ઉક્તિ છે.અનુક્રમે ધનશ્રેષ્ટિપિતાના સુપુત્રને વિષે ઘરને ભાર આપણું કરી તે ચારિત્રી (સાધુ) થયે. પછી અતિ તીવ્ર તપશ્ચર્યાથી ઘાતિ કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાની થયે, અને મોક્ષપદને પામે. એવી જ રીતે અત્યંત કલેશ વિગે
ને ત્યાગ કરી શુદ્ધ વ્યવહારના આચરણ કરનારને જ પ્રાયે કરી દ્રવ્યવૃદ્ધિ અને વૈભવની પ્રાપ્તિ થાય છે. ગૃહસ્થપણામાં ચાય સંપન્ન વિભવની મુખ્યતા છે, તેથી શરૂઆતમાં તે ગુણનું વર્ણન કરવામાં આવ્યું છે.
હવે ગ્રંથકાર મહારાજ પ્રથમ ગુણુને ઉપસંહાર કરતાં ઉપદેશદ્વારા ધર્મ રોગ્ય પુરૂષને ઓળખાવે છે.
"इच्छं न्यायोपगतविनवः पुण्यकार्याण्यनेकान्यातन्वानो विशदविधिना प्राप्तकीर्तिप्रतिष्ठः। मोके श्लाघापदमधिगतः शुधगाईस्थधर्मे, योग्यः प्रोक्तो मुनिनिरुदयत् सहिवेकिप्रवेकः।१।" इति न्यायसंपन्न विजवनामा प्रथमो गुणः समाप्तः ॥१॥
શબ્દાર્થ–બઉપર જણાવ્યા પ્રમાણે ન્યાયથી પ્રાપ્ત થયેલ વિભવવાળ, નિર્મળ વિધિથી અનેક પુન્ય કાર્ય કરનાર, કીર્તિ તથા પ્રતિષ્ઠા પામેલે, લોકમાં પ્રશંસા પાત્ર શોલે, અને વિવેકની શ્રેષ્ઠતાને પ્રગટ કરનાર પુરૂષને મુનિઓએ શુદ્ધ હરી ધર્મને ... કહોછે. ૧” ન્યાય સંપન્ન વિભવ યુક્ત હોય તે ધર્મને પાગ્ય થાય, ઇત્યાદિ વિસ્તારપૂર્વક માર્ગનુસારીના પાંત્રીશ ગુણ પૈકી પ્રથમ ગુણનું વર્ણન કર્યું
Page #77
--------------------------------------------------------------------------
________________
द्वितीय गुण वर्णन. शिष्ट पुरुषोना आचारनी प्रशंसा. વે કમ પ્રાપ્ત શિષ્ટ પુરૂષના આચારની પ્રશંસા કરવા રૂપ બીજા ગુણનું વર્ણન કરે છે.
II
1
SE: 10 MARRIEDatc)
0. H="alina-hdi:
-
ok નો પાક મi
શિક્ષાને પ્રાપ્ત થયેલા અર્થાત્ વ્રતમાં રહેલા અને જ્ઞાનથી વૃદ્ધ એવા સત્કર્ષે ની સેવાથી પ્રાપ્ત કરી છે નિર્મળ શિક્ષા જેમણે તે શિષ્ટ પુરૂષ કહેવાય છે, અને તેવા ઉત્તમ પુરૂને આચાર–શ્રેષ્ઠ આચરણ રૂપ વન–તેની પ્રશંસા કરનાર અર્થાત તેમની ઉપવૃંહણા કરવી, ઉત્સાહ વધારે, ઘણું લેકની આગળ તેમના ગુણો ગાવા અને સહાય આપવા વિગેરે કાર્યોથી ભલાઘા કરનાર હોય તેને શિષ્ટાચાર પ્રશંસક કહે છે. આ પ્રમાણે કરવાથી ખરેખર પુચ માર્ગની વૃદ્ધિ થાય છે, ગુણ પુરૂષામાં માન્યતા થાય છે, ગુણવાન પુરૂની પ્રવૃત્તિ દષ્ટિગોચર થાય છે, ઉત્તમ માર્ગને અનસરાય છે અને નિરંતર સર્વ લેકેને મહાન ઉત્સાહ વૃદ્ધિ પામે છે, ઈત્યાદિ. વળી આ સદાચાર કે છે તે કહે છે –
"लोकापवादजीरुत्वं, दीनाभ्युफरणादरः ।
कृतज्ञता सुदाक्षिण्यं, सदाचारः प्रकीर्तितः " ॥१॥ શબ્દાર્થ- કેના અપવાદથી ભય રાખ, દીન પુરૂષને ઉદ્ધાર કરવામાં આદર કરે, કરેલા ઉપકારને જાણ, અને દક્ષિયતા (શરમ) રાખવી; આ ચારને સદાચાર કહે છે. ૧.” - ભાવાર્થ-લોકાપવાદ – જે કાર્ય કરવાથી લેકમાં નિ થાય તેવું કાર્ય કરતાં ભય રાખવે છે. અહીં તાત્પર્ય એ છે કે પ્રાયે અનાદિકના લેભથી અથવા ઇદ્રિના વિષયને આધીન થઈ કોઈ અસત પ્રવૃત્તિ કરવાનું છે
Page #78
--------------------------------------------------------------------------
________________
૪૦
શ્રાદ્ગુણ વિવરણ.
તેને લેાકાપવાદના ભય છે, અને જે ધર્મિષ્ઠ હાય તેજ એવા ભયની દરકાર રાખે છે. તેથી તેમની અધર્મમાં પ્રવૃત્તિ થતી નથી. માટે શ્રાવકપણામાં લેકાપવાદ ભીરૂત્ત્વ’ ગુણની ખાસ આવશ્યકતા છે.
“
ફીનાચુર્૫૬: .. દીન પુરૂષોના ઉદ્ધાર કરવામાં આદરવાળા એટલેકે, પેાતાના સ્વર્મિ-જાતિ બંધુ કે દેશ બધુ કોઇ પણ પ્રાણી આપત્તિમાં આવી પડયા હાય તા તેની ઉપેક્ષા નહીં કરતાં યથાશક્તિ તેને સહાય આપવામાં અથવા તે તેના બનતા પ્રયાસે ઉદ્ધાર કરવામાં આદરયુક્ત થવુ જોઇએ.
።
--
'कृतज्ञता કરેલા ગુણને જાણવા તે—આ સામાન્ય ગુણ દરેક વ્યક્તિને લાગુ પડે છે; દુનિયામાં પણ કરેલા ગુણને ભૂલી જનાર અધમ ગણાય છે; તેથી હરેક પ્રકારે પેાતાની શક્તિ અનુસાર ઉપકારીના ઉપકારના ખદલે વાળવા ચુકવું નહીં. હવે જે કોઇ એક પુરૂષમાં ઉપકારીના ઉપકારના બદલે વાળવાની કોઈ પણ રીતે શક્તિ ન હેાય તે પણ તેણે તેના બદલા વાળવા હંમેશાં ઇચ્છા રાખવી જોઈએ કે જેથી કૃતવ્રતા પ્રાપ્ત થાય નહીં, તેમજ ઉપકારીનેા બદલેા આપવાને શક્તિમાન પુરૂષે એવા પણ વિચાર ન કરવા જોઇએ કે મ્હારા ઉપર ઉપકાર કરનાર કાંઇ પણ આપત્તિમાં આવી પડે તે હું તેમને આપત્તિમાંથી મુક્ત કરી ઋણુ મુક્ત થાઉં. એવા વિચાર કરવા તે માથુ' કાપી પાઘડી ખ'ધાવવા જેવુ છે; તેથી વિચારશીળ પુરૂષ આ પ્રમાણે વિચાર કરે નહીં, પરંતુ ઉપકારીના ઉપકારનું નિર’તર સ્મરણ કર્યાં કરે અને ચિંતો કે, મ્હારા ઉપર જેવી આપત્તિ આવી પડી હતી તેવી આપત્તિ મ્હારા ઉપકારી પુરૂષપર મા આવી પડા,
“ સુવાનિë ”—સુદાક્ષિણ્યતાવાળા એટલે કેટલાએક સારા માણસા, મહાજન, જ્ઞાતિજન તથા ગ્રામ કે દેશના માનનીય પુરૂષ! અમુક સુકૃત કાર્ય કરવા ભલામણ કરે, અને તે કરવામાં પેાતાને મહેનત પડતી હાય, દ્રવ્યને વ્યય થત હાય, અગર ખીજું કંઈ કષ્ટ સહન કરવુ પડતુ હાય તાપણ તે કા` શરમને લઈને કરી આપે. કદિ ઉપરેાક્ત પુરૂષ અકાર્ય કરવાની ભલામણ કરે તે તે કરવુ કે નહી ? એવી કોઈ આશકા કરે તેને કહેવાનુ કે પ્રથમ તેા ઉત્તમ પુરૂષો તેવા અકાર્યની ભલામણુ મણ કરે નહી. દિ તેવા સંજ્રગાને લઈ અકાર્ય કરવાનું કહેવામાં આવે તેા તેવા કાર્યમાં દાક્ષિણ્યતા રાખવી ચેાગ્ય નથી, આ ગુણવાળા પુરૂષ દુની
Page #79
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણ વિવરણ
૪૧ ચાને પ્રિય થાય છે તેથી આ ગુણની શ્રાવકપણામાં આવશ્યકતા છે. ઉપર જણાવેલા ચાર ગુણેને સદાચાર કહે છે. ૧ વળી કહ્યું છે કે –
"सर्वत्र निन्दा सन्त्यागो, वर्णवादस्तु साधुषु ।
आपद्यदैन्यमत्यन्तं, तत्सम्पदि नम्रता ॥२॥" શબ્દાર્થ–સર્વ ડેકાણે નિંદાને સર્વથા ત્યાગ, સપુરૂષની પ્રશંસા, અત્યંત કણમાં અદીનપણું અને તેવી જ રીતે સંપત્તિમાં નમ્રતા રાખવી ૨”
ભાવાર્થ–સર્વત્ર નિા સત્યા –કોઈ પણ માણસે કઈ પણ વ્યતિની નિંદા કરવી નહીં. પરંતુ વિપરીત આચરણ કરનારને જઈ તેના ઉપર કરૂણ લાવી તેને પિતે બનતા ઉપાયે વિપરીતકાર્ય કરતાં અટકાવે, અને સન્માર્ગે ચલાવવા પ્રેરણું કરે, અને જો તેમ કરતાં અસત પ્રવૃત્તિને તે ત્યાગ ન કરે તે તેના ઉપર ઉદાસીનતા ધારણ કરે, પણ તેના ઉપર દ્વેષ ધારણ કરી નિંદા ન કરે નિંદા કરવાથી નિંદા કરનાર પુરૂષના આત્માને કઈ પણ પ્રકારને લાભ થતું નથી. પરંતુ જે પુરૂષની નિદા કરવામાં પ્રવર્તમાન થયું હોય તેના અવગુણમાં ચિત્તની રમણતા થવાને લીધે આત્મામાં તે અવગુણનું પ્રતિબિંબ પડવાથી આત્મા મલીનતાને પામે છે જેમ જિનેશ્વર કે મહર્ષિઓના ગુણોત્કીર્તન કરવાથી ગુણકીર્તન કરનારને આત્મા નિમંળતાને પ્રાપ્ત થાય છે, તેમ તે ન્યાય આ ઠેકાણે લાગુ કરી કોઈ પણ વ્યક્તિની નિંદા કરી આત્માને કલુષિત કરે નહીં. તેમાં રાજા, મંત્રી, દેવ, ગુરુ, સંઘ અને પુરૂષની નિંદાને ત્યાગ તે અવશ્ય કરવું જોઇએ. નહીં તે રેહિણીની પેઠે નરક અને તિર્યંચનાં અતિ તીવ્ર દુઃખને અનુભવ કરવો પડશે. એમ જાણી નિદાથી નિવર્તવું એજ ઉચિત છે.
“વાલા સાધુ–સપુરૂની પ્રશંસા કરવી તેમના શાંતતા, ગભીસ્તા, શૌર્યતા, નસ્તા, સહનશીલતા, વિષયવિમુખતા, વચનમાધુર્યતા, નિરભિમાનતા, ગુણતા, નિપુણતા, સરળતા, સૈ.મ્યતા, દાક્ષિણ્યતા, અદીનતા, સર્વજનવલ્લભતા, પ્રમાણિકતા, નિઃસંગિતા, નિડ તા, નિર્લોભતા, પરોપકારિતા, દીર્ધદર્શિતા, ધર્મચુસ્તતા, સંસારવિમુખતા તથા દાય, ધર્ય, સાજન્ય, ઔચિત્ય, વિનય, વિવેક, અનુભવ, સદાચાર અને પાપભીરુત્વ વિગેરે અનેક ગુણનું નિરંતર સ્મરણ કરવું, અને તેમને
Page #80
--------------------------------------------------------------------------
________________
૪૧
શ્રાદ્દગુણ વિવરણ,
પ્રસિદ્ધિમાં લાવવા શક્તિ અનુસાર ચેાગ્ય પ્રયાસ કરવા. કેમકે મહાત્માએ ના આવા ઉત્તમ ગુણા ધાર્મિક તેમજ નૈતિક અવનતિના પ્રસંગે ખરેખર એક પુષ્ટ આલંબન રૂપ થઈ પડે છે. વળી તેમની પ્રેમ પૂર્વક કરેલી પ્રશ*સા ઉત્તરાત્તર ગુણ પ્રાપ્તિ, પુણ્યવૃદ્ધિ, નરેંદ્રપણું સ્વર્ગ તથા યાવત્ અપવર્ગના ફળને પણ આપનારી થાય છે. માટે સંત પુરૂષોના ગુણ્ણા દ્રષ્ટિાચર કરી તેમની પ્રશંસા કરવામાં ઉદાસીનતા ધારણ કરવી નહીં, કારણ કે આગળ કહેવામાં આવનાર સાધુ પુરૂષોના ગુણ્ણાની પ્રશસા કરનાર તથા ઉદાસીનતા રાખનાર એ ચારાના ઉદાહરણની પેઠે શુભાશુભ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી વિશેષ ધર્માભિલાષી પુરૂષાએ ઉદાસીનતાને ત્યાગ કરી તેમના ગુણ્ણાની પ્રશંસા અવશ્ય કરવી જોઈએ.
આન્યત્યમ્ ”—ગમે તેવી આપત્તિ આવે તે પણ અતિશય દીનપણું ધારણ કરવું નહીં. પણ એવી વખતે આત્માની શક્તિના વિચાર કરી મનન કરવુ" કે, પૂર્વ ભવ સંબંધી કોઇ નિકાચીત કર્મ ઉદ યઆવ્યું છે; તે તેને સમભાવથી વેવુ—Àાગવવુ. એજ આ આપત્તિના વિનાશના પ્રતિકાર છે. માટે મ્હારે દીન થવાની કે યાચના કરવાની કાઇ પણ પ્રકારે જરૂર નથી. આ કમ પેાતાનુ ફળ આપી નષ્ટ થતાં આત્મા પોતાની મેળે કમઁજનિત આપત્તિથી મુક્તિ થશે એટલે મ્હારા પેાતાના આત્મામાં રહેલાં અનંત સુખા પ્રગટ થવાથી સર્વ કલેશે નાશથશે, એવા વિચાર કરી સમભાવમાં રહેવાની પ્રવૃત્તિ કરે. પરંતુ સર્વથા દીનતા કરે નહીં. કારણકે દીનતા કરવાથી પેાતાની નિર્મળતા જાહેરમાં લાવવા શિવાય ત્રીજી કાંઈ પણ કા સિદ્ધિ થતી નથી.
66
“ સકલર્િ નમ્રતા ”—તેવીજ રીતે સ ́પત્તિમાં નમ્રતા રાખવી. કદિ પુન્યાદયથી સ‘પત્તિ પ્રાપ્તથાય તાપણુ અહંકાર ન ધારણ કરતાં હંમેશાં નમ્રતા રાખે. એવા ભાગ્યેાદયના વખતે વિચાર કરે કે મ્હારા પૂર્વ પુન્યના ઉદય થવાથી આ સ‘પત્તિ, સ્વજન, અને સંતતિ વિગેરે અનુકૂળ પદાર્થોં મને પ્રાપ્ત થયાં છે; તે આવા અનુકૂળ અવસરે મ્હારે સમપરિણામે રહી અ િથર સંપત્તિથી મદાંધ ન થતાં નમ્રતા ધારણુ કવીજ ચેાગ્ય છે. તેમજ આ સંપત્તિને સ્થિર કરવાના ખરેખરા પ્રતિકાર તા એ છે કે પોતાની લક્ષ્મી જૈનામ તથા જૈનમંદિરના જીર્ણોદ્ધાર, દીનાહાર, સત્પાત્ર, અને જ્ઞાનદાન આદિકમાં વિનિયેગ કરવા તેજ છે. કારણકે પુન્યને અનુસારે પ્રાસ
Page #81
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણ વિવરણ થનારી લક્ષમીને વ્યય સત્કાર્યમાં કરવાથી પુન્યની વૃદ્ધિ થાય છે, અને પુન્યની વૃદ્ધિ થવાથી લક્ષ્મી સ્થિર થાય છે. નહિ તે ચક્રવર્તી અને ઇંદ્રાદિકની ઝહિ પણ સ્થિર રહી નથી તે આ મનુષ્ય સંબંધી અસ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થવાથીરક પ્રષ્ટિની પેઠે અહંકાર કરેએ સર્વથા અનુચિત છે. કહ્યું છે કે –“Rષત્તિ સલા (જ્યારે વૃક્ષે ફળે છે ત્યારે તે નમ્રીભૂત થાય છે.) તેવી રીતે જેમ જેમ સંપત્તિ પ્રાપ્ત થતી જાય તેમ તેમ વિશેષ નમ્રતા રાખવામાંજ શેભા રહેલી છે. પરલેકમાં પણ ધનમાથી ધનનાશ, માને હાનિ, દરિદ્રતા વિગેરે પ્રાપ્ત થાય છે. માટે ધનને અહંકાર પર લેકમાં પણ હિતકારક નથી, તેથી નમ્રતા એજ સંપત્તિનું ભૂષણ છે. એ ગુણ ઉત્તમ પુરૂષને અવશ્ય ગ્રહણ કરવા યોગ્ય છે. વળી કહ્યું છે કે –
" प्रस्तावे मितजाषित्वमविसंवादनं तथा ।
प्रतिपन्न क्रिया चेति, कुलधर्मानुपालनम् " ॥३॥
શબ્દાર્થ—“પ્રસંગ આવે જરૂર પુરતું બેલવું, તથા વિરોધ ન કરે, ડિયા અંગીકાર કરવી અને પિતાના કુળ ધર્મનું પાલન કરવું. ૩.”
ભાવાર્થ-“બતાવે પિતાવિત્રણ–પ્રસંગ આવે જરૂર પુરતુંજ બલવું જોઈએ.કેમકે અસંબંધવાળાં અથવા સંબંધવાળાં પણ વાક્યો વિશેષ બલવાથી ઘણી વખત શાતાઓ કંટાળી જાય છે, તેથી ધારેલી અસર થતી નથી. કદિ કોઈ એમ કહેકે ત્યારે શાસ્ત્ર સંબંધી ભાષણ પણ વિશેષ કરવાં સારાં કેમ ગણાશે? તેને માટે કહેવું જોઈએ કે જિનેશ્વરની વાણીમય અગાધ શામાંથી જેટલું ન બેલાય તેટલું ઓછું છે માટે પ્રયોજન પુરતું અને અસરકારક બલવું જોઈએ. બેલતાં પહેલાં અંતરંગ વિચારો થવાથી મનમાં સંકલ્પ વિકલ્પની જાળ ઉત્પન્ન થાય છે. પછી આત્મા ભાષાવર્ગણુનાં પગલે ગ્રહણ કરી મુખદ્વારા પ્રગટ કરે છે, એટલે અપ્રાસંગિક કે પ્રાસંગિક પણ વિશેષ બેલવામાં આટલી બધી ખટપટમાં આત્માને ઉતરવું પડે છે. તેથી પ્રસંગે પણ મિતભાષિપણું રાખવું એગ્ય છે.
“અવિસંવા તથા–કોઈ પણ સાથે વિરોધ કરે નહિ. કેમકે વિશેષ કરવાથી વૈર પરંપરા વધે છે, અને આર્ત તથા રેદ્રધ્યાન થવાથી મનુષ્ય જન્મનું
Page #82
--------------------------------------------------------------------------
________________
૪૪
બ્રાહ્મગુણ વિવરણું.
મૂળ જે વર્ગ કિવા મેાક્ષરૂપ થવુ' જોઇએ તેને બદલે તે વિસંવાદ ઉપરાંત દુર્ધ્યાન કરાવી આત્માને નરક કે તિર્યંચરૂપ દુર્ગતિમાં ખેંચી જવા સમર્થ થાય છે. તેથી વિચારશીલ પુરૂષે વિરોધ કરતા પહેલાં વિચાર કરવા. તેમાં પણ વ્રતધારી શ્રાવકાએ અને વિશેષે કરી યતિ મહાશયાએ તે સર્વથા વિસવાદ ત્યાગજ કરવા ોઇએ, કારણ કે યતિવર્યાંહંમેશાં આવશ્યકમાં “મિત્તીમે સમૂળભુ” આ મહાવાક્યનુ સ્મરણુ કરે છે. તેમાં તેમણે તે કોઇ પણ સાથે વિરોધ રાખવા એ વ્યાજબી ગણાશે નહીં. “કૃત્તિખાિ નૈતિ"’—અ’ગીકાર કરેલું કાર્ય કરવામાં વિઘ્ન આવે તે પણ તેથી હરી ન જતાં તે કા` પુરૂં કરવાના પ્રયત્ન કરવા. કાર્ય કરવાનુ` અંગીકાર કરતાં પહેલાં કાના ગુણ દોષ, પેાતાની શકિત, સહાયક અને દ્રશ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવના વિચાર કરી કાય કરવાના આર‘ભ કરવા. અનતા સુધી પોતાની જાત મહેનતથી થઇ શકે તેવું કાર્ય હાથ ધરવુ' કે તે પરિપૂર્ણ થવામાં વાંધા આવે નહીં. પરંતુ ખીજાએના ઉપર આધાર રાખી કાર્ય હાથ ધરવું નહીં. આ ઉપરથી એમ નહી સમજવું કે કોઈ પણ કાર્ય હાથ ધરવું એ એક આપત્તિ છે. કહ્યું છે કેઃ—
“
“કારજ્યતે ન વધ્યુ, વિઘ્નાયેન નીચે, प्रारभ्य विघ्नविदता विरमन्ति मध्याः । विघ्नैः पुनः पुनरपि प्रतिहन्यमानाः, प्रारब्धमुत्तमजनाः न परित्यजन्ति ॥ १ ॥ ”
તાત્પર્યાર્થ:“વિઘ્ન આવશે એમ ધારી નીચ પુરૂષ શુભ કાર્યના પ્ર ર ́ભ કરતા નથી, વિઘ્નથી હુણાએલા મધ્યમ પુરૂષા કાર્યના પ્રારંભ કરી વિરમી જાય છે. અને ઉત્તમ પુરૂષો તે વારવાર વિઘ્નથી હણાયા છતાં પણ પ્રારંભ કરેલા કાર્યના ત્યાગ કરતા નથી.” આ ઉપરથી દરેક સત્પુરૂષાએ સત્કાર્ય કરવામાં વીર્ય ફારવીતેને સંપૂર્ણ કરવા ચુકવુ. નહીં.
“ કુલધર્મોનુપાક્ષનું ”-~-કુળધર્મનું પાલન કરવું—શ્રાવકના કુળમાં જન્મ પ્રાપ્ત થયા છતાં કુસંગતિથી પેાતાના શુદ્ધ આચારના ત્યાગ કરી મ્લેચ્છાઢિક લેાકાના વેષ તથા દુરાચારેાનું ગ્રહણ કરવામાં શ્રેષ્ઠતા માનવી તે શ્રાવકને કોઇ પણ રીતે ચેાગ્ય નથી, ભાગ્યેદ્દયથી પ્રાપ્ત થએલા જૈનધર્મ અને તેના આચારે। સુશ્રાવફે પ્રા
Page #83
--------------------------------------------------------------------------
________________
૪૫
શ્રાદ્ધગુણ વિવરણ તે પણ છેડવા જોઈએ નહીં. આ ઠેકાણે અસત કુળાચારની ઉપેક્ષા કરી શ્રાવકના કુળને સંબંધ હોવાથી શ્રાવકના કુળાચાનું ગ્રહણ કરેલું છે વળી કહ્યું છે કે – " असझ्ययपरित्यागः, स्थाने चैव क्रिया सदा ।
વિધાન નિર્વજ, વિશ્વ વિવર્ણનમ ા સ ”
શબાઈ–ફળ વિનાના ખર્ચને ત્યાગ કરે, ઉચિત સ્થાનમાંજ હમેશાં કયા કરવી શ્રેષ્ઠ કાર્યમાં આગ્રહ રાખો અને પ્રમાદને ત્યાગ કરવો જ
ભાવાર્થ-“પ્રસંક્ષેપ પરિત્યાગ –નિષ્ફળ ખર્ચને ત્યાગ કરવો જોઈએ. કારણકે તેમ થવાથી દ્રવ્યને નાશ થઈ પાપની વૃદ્ધિ થાય છે, તેથી આ લેકમાં દરિદ્રતા તથા અપકીર્તિ અને પરલોકમાં દુર્ગતિ વિગેરેના અતિતીવ્ર દુઃખ સહન કરવાં પડે છે. વળી અસત કાર્યમાં દ્રવ્યને વ્યય થઈ જવાથી મનુષ્ય ભવને એગ્ય ખરેખરૂં અન્ય કાર્ય જે દ્રવ્યથી કરવાનું છે તે રહી જાય છે, જેથી પરીણામે પશ્ચાતાપ કરવો પડે છે, માટે અસત્ કાર્યમાં દ્રવ્યને વ્યય કરતાં પહેલાં ખાસ શુભાશુભ ફળનું મનન કરી ભવિષ્ય કાળમાં આપત્તિ વિગેરે કાંઈ ખમવું પડે તેવી રીતે પ્રવૃત્તિ કરે. તેમજ માત્ર ખાલી નામના કરવાની ઈચ્છાથી લગ્નાદિ પ્રસંગમાં પણ બીજા ધનાઢયોની સાથે સ્પર્ધામાં ઉતરવા પ્રયત્ન નહીં કરતાં સમયેચિત અને શક્તિ અનુસાર વ્યય કરે એગ્ય છે.
ને ર દિયા સલ –દરેક ક્રિયા હંમેશાં એગ્ય સ્થાનેજ કરવી ઈએ, અનુચિત સ્થાનમાં ક્રિયા કરવાથી કાર્યની જેવી જોઈએ તેવી સફળતા થઈ શક્તિ નથી. જેમ સિદ્ધગિરિ આદિ પવિત્ર ક્ષેત્રમાં પ્રભુભક્તિ, બ્રહાચર્ય, સામાયિક પ્રતિકમણ, તપ, જપ, ધ્યાન અને મુનિદાન વિગેરે જેવું સ્થિર ચિત્તથી થઈ શકે છે તેવું પિતાના ગામમાં કે ઘરમાં પ્રાયે થઈ શકતું નથી. વળી સાધુની સમીપમાં કે ઉપાશ્રયમાં જેવી ધર્મ કિયા થઈ શકે છે તેવી હાદિક અન્ય રથાનમાં થઈ શકતી નથી. માટે વિચારશીલ પુરૂ ચોગ્ય સ્થાને મેગ્ય ક્રિયા કરવી.
અષાના નિરવ શ્રેષ્ઠ કાર્ય કરવામાં આગ્રહ રાખવો જોઈએ, કારણકે આ ચરાચર જગતમાં પ્રાણી માત્રને અનેક કાર્ય કરવાનાં છે છતાં તેને ધર્મ, અર્થ, કામ
Page #84
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણ વિવરણ અને મેક્ષરૂપ ચાર વિભાગમાં સમાવેશ કરવામાં આવ્યા છે. તેમાં પણ અર્થ અને કામની પ્રાપ્તિ જે કે ધર્મ કરવાથી થાય છે તે પણ વિવેક વિના તેનું (અર્થ અને કામનું) સેવનકરનાર દુર્ગતિનું ભાજન થાય છે. તેથી તેના સંબંધુંમાં આવેલાં સર્વ કાર્ય અવશ્ય કરણીયન હોવાથી તે પ્રધાન કાર્ય નથી, માટે તેને ગ્રંથકર્તાએ તેને ગણતામાં રાખી અનંત રત્નત્રય,અનંત વીર્ય અક્ષય સ્થિતિ અને અનંત સુખ આપનાર મેક્ષરૂપ પુરૂષાર્થને પ્રધાન કાર્ય ગણેલું છે અને તે ધર્મરૂપ પુરૂષાર્થ સિદ્ધ થવાથી પ્રાપ્ત થાય છે. તેથી ધર્મ એજ પ્રધાન કાર્ય છે. કહ્યું છે કે –
" त्रिवर्गसंसाधनमन्तरण, पशोरिवायुविफलं नरस्य । तत्रापि धर्म प्रवरं वदन्ति, नतं विना यद्भवतोऽर्थकामौ॥१॥"
તાત્પયોથ:–“ધર્મ અર્થ અને કામરૂપ ત્રિવર્ગનું સાધન સિવાય મનુષ્યનું આયુષ્ય પશુની પેઠે નિષ્ફળ છે, તેમાં પણ પંડિત પુરૂષે ધર્મને પ્રધાન કહે છે, કારણકે તેના વિના અર્થ અને કામની પ્રાપ્તિ થતી નથી. ૧” માટે વિવેકી પુરૂષે ધર્મરૂપ પ્રધાન કાર્યને બાધ ન આવે તેવી રીતે પ્રવૃત્તિ કરવી એ ઉચિત છે.
અમારા વિવર્ગન”—પ્રમાદને ત્યાગ કરે તેત્યાગ કરવાનું કારણ એ છે કે પ્રાણી માત્રને કટ્ટે શત્રુ પ્રમાદજ છે, અને જે શત્રુ હોય તેને ત્યાગ કરે એ સૂછીને એક સ્વાભાવિક નિયમ છે. તે પ્રમાદ શત્રુને ત્યાગ કરવાને બદલે તેની સેવા કરવી એ નિયમથી કેટલું વિરૂદ્ધ છે? કદિ કેઈ રાજા હુકમ કરે કે હારી તમામ રેતે હમેશાં એક કલાક મ્હારી સેવા ઉઠાવવી; રાજાના આ હુકમને લેક જુલમી હુકમ ગણશે અને તેને (હુકમને) રાજા પાસે પાછું ખેંચાવવા વિદ્વાન, ધનવાન, અને સમસ્ત પ્રજાવર્ગ બનતે પ્રયાસ કરવા ચુકશે નહીં. તે જ્યારે પ્રમાદરૂપી રાજા તેઓને ભ્રમમાં નાંખી પ્રતિદિન ઘણુ કલાકે સેવા કરાવે છે, ત્યારે તેની સેવામાંથી મુક્ત થવા માટે બનતે પ્રયાસ કેમ ન કરવું જોઈએ? જે પ્રમાદ રાજાની આજ્ઞા ત્રણ લેકના પ્રાણુઓ મસ્તકે ચડાવે છે તે પ્રમાદના મુખ્ય પાંચ ભેદ છે, અને ઐણતાએ દરેક પ્રાણીઓના વિચિત્ર સ્વભાવને લીધે અનેક ભેદે થાય છે. પરંતુ તે સર્વે ત્યાગ કરવા એગ્ય છે. આ પ્રમાદ કયે વખતે અને કેવા રૂપમાં આવશે તે મુકરર નથી. માટે સાધુ અગર શ્રાવકે એ પ્રમાદ શત્રુથી સાવધાન રહી, હમેશાં આત્મામાં જાગૃતિ રાખી
Page #85
--------------------------------------------------------------------------
________________
A
૪૭
શ્રાદ્ધગુણ વિવરણ. તેને લેશમાત્ર પણ સ્થાન આપવું નહીં. કારણ કે સંસારની વૃદ્ધિ કરનાર અને પૂર્વ ધોને પણ છેક નિગોદ સુધી પહોંચાડનાર તેજ છે. કહ્યું છે કે – " मज विसयकसाया, निदा विगहा य पंचमीनाणया ।
एए पंच पमाया, जीवं पाति संसारे ॥ १ ॥" તાત્પર્યાર્થ:–“આઠ મદ, પાંચ ઇન્દ્રિયના ત્રેવીશ વિષય, સેળ કષાય, પાંચ પ્રકારની નિદ્રા અને ચાર વિકથા એ પાંચ પ્રમાદ જીવને સંસારમાં પાડે છે. આ ગાથાનું મનન કરતાં એમ લાગે છે કે કેઈ ભવ્ય પ્રાણી સંસારી કાર્યમાંથી અવકાશ મેળવી ધમ કરવાને તત્પર થાય છે, તેટલામાં ઉપરોક્ત પ્રમાદ આડા આવી તેને તેમ કરતાં અટકાવે છે, તે તેનાથી પાછા નહીં હઠતાં આત્મવીર્યને પ્રકાશમાં લાવી, પ્રમાદને પરાજયકરી, ધર્મ કરવામાં તત્પર થવું; અને જે કાર્ય આજે કરવાનું હોય તેને આ વતી કાલ ઉપર મુલતવી રાખવું નહીં. કહ્યું છે કે –
વિર ચન વર, ગ્રાનો પ્રવા अवसर बिता जातहै, फिर करेगा कब ॥"
આ કવિતાને વિચાર કરી જે શુભકાર્ય કરવાનું હોય તે શીઘ કરવું જોઈએ. કેમકે –“શાંતિ વાવિદનાનિ” શુભ કાર્યમાં ઘણું વિશ્ન આવે છે, માટે શુભ કાર્ય કરવામાં વિલંબ કરે નહીં. વળી કહ્યું છે કે –“ઘરા સ્વસ્વિાતિ–
ધર્મની ગતિ શીવ્ર હોય છે. તેથી ધર્મ કરણી કરવામાં ક્ષણ માત્ર પણ પ્રમાદ કરે નહીં. ભગવાન દેવાધીદેવ મહાવીરસ્વામી મહારાજે પ્રથમ ગણધર શ્રીમદ્ ગતમસ્વામી કે જેઓ પ્રાયે અપ્રમત્તપણે વર્તતા હતા, તે પણ તેઓશ્રીને ઉદેશી જેનાગમમાં ફરમાવ્યું છે કે –“સમાં નાયમ માં પ્રાથ– હે મૈતમ ? સમયમાત્ર પણ તું પ્રમાદ કરીશ નહીં. આ મહાવાક્ય ઉપરથી પ્રમાદનું બળ કેવું પ્રબળ છે તે સ્પષ્ટ જણાઈ આવે છે. માટે હું સુશ્રાવક છું અથવા સર્વોત્તમ સાધુ છું એ નકામે અહંકાર નહીં કરતાં પ્રમાદ ત્યાગ કરવામાં સતત પ્રયાસ કરે; નહીં તે કંડરીક અને મંગ્વાચાર્ય વિગેરેની પેઠે દુર્ગતિના દુઃખ સહન કરવાને પ્રસંગ આવશે. વળી કહ્યું છે કે –
Page #86
--------------------------------------------------------------------------
________________
૪૮
ૌદ્ધગુણ વિવરણ. " लोकाचारानुवृत्तिश्च, सर्वत्रौचित्यपालनं । प्रवृत्ति गर्हिते नेति, प्राणैः कएउगतैरपि ॥ ५॥" શબ્દાર્થ – કાચારનું અનુકરણ કરવું, સર્વ કેકાણે ઔચિત્યનું પાલન કરવું અને કઠે પ્રાણ આવે તો પણ નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ ન કરવી. . પા ”
ભાવાર્થી—“ લેવાનુરિ– લેક એટલે મહાજન તેમને જે આચારતે કાચાર તેને અનુસરી વર્તન કરવું. કહ્યું છે કે –“મઠ્ઠાને ન તો
–મહાન પુરૂષ જે માર્ગે ગયા હોય તે માર્ગ કહેવાય છે, અને તેમાર્ગ અન્ય પુરૂષને અનુકરણીય છે. માટે દ્રવ્ય, ક્ષેત્ર,કાળ અને ભાવને વિચાર કરી લેકાચારનું પાલન કરવા પ્રયત્ન કરે. આ સ્થળે કહેવું જોઈએ કે, કેટલાએક લેક દેશચાર તથા કુળાચારને લોકાચાર ગણી તે આચાર લેક વિરૂદ્ધ કે શાસ્ત્ર વિરૂદ્ધ હેય તે પણ તેને ત્યાગ કરવાને આનાકાની કરે છે, તે યોગ્ય નથી. જેનાથી ઉભય લેકના હિતની હાનિ થતી હોય, અને જિનાજ્ઞાને ભંગ થતું હોય તે આચાર લાચાર થઈ શકે નહીં. તેથી એવા મન કલિપત લોકાચારનું અનુકરણ કરવું સર્વથા અનુચિત છે. શુદ્ધલેકાચારનું પાલન પ્રાણીમાત્રને ધર્મ પ્રાપ્તિ અને આત્મહિતનું કારણ ભૂત થઈ પડે છે. માટે બનતા પ્રયાસે વિવેકી પુરૂષે શુદ્ધ લોકાચારનું ઉલંઘન ન થાય તેવી પ્રવૃત્તિ કરવી.
“ નિત્યપાલન –સર્વ ઠેકાણે ઔચિત્યનું પાલન કરવું, કેમકે કદિ સાંસારિક કાર્યમાં સમયાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવામાં ન આવે તે લોકમાં માન હાનિ, મદાંધતા અને વિવેક શૂન્યતા પ્રગટ થાય, અને ધર્મની પણ અપભ્રાજના થવાને પ્રસંગ આવે, તેથી વિવેક પુરસ્સર પ્રવૃત્તિ કરવી. કહ્યું છે કે –“
વિજેતાનો વિધિઃ” આ વાક્યાનુસાર વૃદ્ધજ્ઞાની, અભ્યાગત જયેષ્ટ તથા કનિષ્ઠ બંધુ અને સયુરૂનું ઔચિત્ય સાચવવા અને કઈ પણ વ્યક્તિને અપ્રિય લાગે તેવી પ્રવૃત્તિ કદિ પણ નહીં કરવા વિવેકપુરૂએ ખાસ ધ્યાન આપવું જોઈએ.
પતિ નેતિ”—કઠે પ્રણ આવે તે પણ નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ કરવી નહીં કેમકે જે કરવાથી આત્મગુણહાનિ, જિનાજ્ઞાભંગ, લોકાપવાદ અને રાજ વિરૂદ્ધ થાય તેવાં દુર્વ્યસનનું સેવન અને પ્રમાદ તથા કષાયાદિક નિંદિત કાર્યોને પ્રયત્ન પૂર્વક ત્યાગ કરે, કારથ કે નિંદિત કાર્ય સત્યકી વિલાધરની પેઠે
Page #87
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય ગુણ વર્ણન.
૪૯ આ લોક તથા પરાકના અહિતને માટે થાય છે.
ઉપરોક્ત સર્વ પ્રકારને સદાચાર આચરણ કરવા લાયક છે. માટે વિશેષ ધર્મભિલાષી પુરૂષે સદાચાર ગ્રહણ કરવા ચુકવું નહીં કહ્યું છે કે
વિપશુ જે મનુવિધેયં જ મહતાં, प्रिया न्याय्या वृत्तिर्मलिनमसुत्नरुप्पसुकरम् । ..... असन्तो नाभ्यर्थ्याः सुहृदपि न याच्यः कृशधनः, सतां केनोद्दिष्टं विषममसिधारा व्रतमिदम् ॥६॥"..
શબ્દાર્થ –“આપત્તિ વખતે ઉચ્ચ સ્થિતિમાં રહેવું, મહાન પુરૂષના પગલે ચાલવું, ન્યાય વૃત્તિને પ્રિય કરવી, પ્રાણુને નાશ થતાં પણ મલિન કાર્ય ન કરવું; દુર્જનની પ્રાર્થના ન કરવી અને તે નિધન થયા છતાં પણ મિત્રની પાસે યાચના કરવી નહીં, એવું અતિ વિષમ અને ખડ્રગની ધાર જેવું આ વ્રત પુરૂને કણે બતાવ્યું હશે? દુર
આ શિષ્ટાચાર પ્રશંસા ધર્મરૂપી બીજને આધાર અને પરલોકમાં ધર્મ પ્રા મિનું કારણ હેવાથી મેક્ષરૂપ કાર્યનું કારણ થાય છે. તેનેચરના દ્રષ્ટાંતથી બતાવે છે
કોબીપુરીમાં સદ્દભૂત ગુણેના ઉત્તમ ભંડાર રૂપ અને જૈન ધર્મના આસ્વાદથી ઉલ્લાસ પામેલે જિતારિ નામે પ્રખ્યાત રાજા હતા, અને તેજ નગરીમાં મટી
હિવાળા ધન અને યક્ષ નામના બે શેઠીયા રહેતા હતા. તેમાં ધન શ્રેણીને પિતાના કુળને આનંદ આપનાર ધર્મપાલ નામે પુત્ર હતું, અને યક્ષ શ્રેષ્ઠીને દ્રવ્યની વૃદ્ધિ કરનાર વસુપાલ નામે પુત્ર હતા. અનુક્રમે તે બન્ને મને હર એવી ચેવન વયને પ્રાપ્ત થયા. અને પૂર્વ જન્મના સંસ્કારને લીધે બાલ્યાવસ્થાથી જ તે બન્નેને ક્ષીર નીર પેઠે અત્યંત આશ્ચર્યકારક મિત્રતા થઈ. તે બે મિત્રેમાંથી એકને જે રૂચે તે બીજાને પણ રુચતું હતું. તેથી લેકમાં આ બન્ને એક ચિત્ત વાળા છે એવી પ્રસિદ્ધિને પામ્યા. તે પછી પિતાના કુળને ઉચિત કાર્ય કરતાં તે બન્નેને દિવસે નિર્ગમન થતા હતા. તેવામાં એક વખતે તે નગરીના ઉદ્યાનમાં જગવત્સલ શ્રીમાન્ મહાવીર સ્વામીનું આગમન થયું, અને દેએ સસરણની રચના કરી.આ વાતની ખબર પડતાં નગરના લેકની સાથે કેશબીને રાજા જિતારિ વિરપ્રભુને વંદન કરવા ગયે. કુતૂહળમાં તત્પર તે બે શેઠીઆના પુત્રે પણ ભગવાન મહાવીરને વંદન કરવા ગયા. તે
Page #88
--------------------------------------------------------------------------
________________
૫૦
શ્રાદ્દગુણ વિવરણ,
વખતે જિનેશ્વરે ધમ દેશનાના પ્રારભ કર્યાં. પછી તે એ વણિકના પુત્રામાંથી એક ને જિનેશ્વરની વાણી શ્રદ્ધા રૂપ થાય છે, અને તેના મનને રૂચે છે, તેથી વિશાળ નેત્ર વાળા, મસ્તક ધુણાવતા અને રામાંચિત શરીર વાળેા તે વણિક પુત્ર કર્ણરૂપ પત્રના પાત્રમાં અર્પણ કરાએલા જિનેશ્વરના વાકયને અમૃતની પેઠે પાન કરે છે. બીજાને તે તે જિનવચન રેતીના કાળીઆ સઢશ વિરૂધ્ધ લાગતુ હતું. આથી તે મને મિત્રા એક બીજાના આશય સારી રીતે સમજી ગયા હતા. પછી તે અન્ન મિત્રા સમેસરણમાંથી ઉઠી પેાતાને ઘેર ગયા. ત્યાં બેમાંથી એક એવી રીતે ખેલ્યા કે “ હું ભાઈ ?, તુ' જિનવાણીથી ખરેખર ભાવિત થયા છે અને હું ! મિત્ર હ' ભાવિત ન થયે તેનુ શું કારણ હશે ? વળી લેાકમાં આટલા કાળ સુધી આપણે એ એક ચિત્તવાળા પ્રસિદ્ધ થયા છીએ પણ હમણા આ માખતમાં આપણા અન્નેનું ચિત્ત જુદા વિચાર વાળું થયું છે. તેનુ શું કારણ હશે ! ” આ વાત સાંભળી ચક્તિ થયેલા ખીજા મિત્ર કહ્યું કે “ હે ભાઈ ?, હારૂ કહેવુ સત્ય છે મને પણ આ બાબતમાં સ’લ્પ વિકલ્પ થયા કરે છે. પરંતુ આ વિષયમાં આપણા બન્નેને નિર્ણય ફકત પ્રશ્ન કરવાથી તેજ કેવળજ્ઞાની કરશે ” તે હેતુથી ‘આવતી કાલે તેમની પાસેજઈશું' એવી રીતે નિશ્ચય કરી તે બન્ને મિત્રા પ્રભાત થતાં મહાવીરસ્વામી પાસે ગયા. ત્યાં વિનય પૂર્વક તેમનુ આરાધન કરી તેમણે પેાતાના સંદેહ પુછ્યા. તેથી ભગવાન મહાવીરસ્વામીએ ઉત્તર આપ્યા કે “ પૂર્વે તમારા બેમાંથી એક જણે મુનિની પ્રશંસા કરી હતી. તે વૃતાંત આ પ્રમાણે છે—
કાઇ ગામમાં તમે અને કોઇ ગરીબ મનુષ્યના પુત્ર હતા. અનુક્રમે સુ‘દરતાના સ્થાનરૂપયેવન વય પ્રાપ્ત થવાથી તમેાતે વયના વિકારને પ્રાપ્ત થયા.પરતુ સ‘પત્તિના અભાવથી લેશ માત્ર તમારા મનારથ કઈરીતે પૂર્ણ થતા નહેાતા, તેથી તમે ચારી રૂપ અનાર્ય કર્મ કરવાને આર’ભ કર્યાં. પછી કેાઈ વખતે રાત્રિમાં ખીજા ગામની અંદર જઈ અતિ શીવ્રતાથી તમે ગાયેાનું હરણ કર્યું.તેથી તમને ફ્રાંસી દેવાનુ` કામ કરનાર પુરૂષોએ ત્રાસ પસાડયા,એટલે તમે નાસવાની તૈયારી કરી. પછી ત્યાંથી નાસતાં પર્વતની ગુફામાં રહેલા અને ધ્યાન તથા માનની ક્રિયામાં તત્પર એવા એક મુનિ તમારા જોવામાં આવ્યા. તે અવસરે ધર્મપાલના જીવે આ પ્રમાણે વિચાર કયા કે, · અહા ! શ્રેષ્ઠ આંચારના મંદિર રૂપ આ મુનિના જન્મ સુલબ્ધ છે, જે આવી રીતે નિર્ભય, શાંત અને સ`ગ રહિત આ ગુફામાં રહે છે. વળી અમે તે અધન્યમાં પણ અન્ય છીએ, કારણકે દ્રવ્યની ઇચ્છાથી વિરૂદ્ધ કાર્ય કરનારા અમે પાલવને પ્રાપ્ત થયા છીએ. અરે !
Page #89
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય ગુણ વર્ણન.
૫૧ ધિક્કારથી આત્માને નાશ કરનારા અને મૃત્યુ પામ્યા પછી કઈ ગતિમાં જવાના ? અને દુખી હાલતને લીધે અમે ઉભય લોક વિરૂદ્ધ કર્મ કરનારા થયા છીએ. જેવી રીતે આ મુનિનું આચરણ પાપરહિત અને નિર્મળ છે. તેવી જ રીતે અમારું આચરણ આ મહાત્માથી વિપરીત છે તે આવા વિરૂદ્ધ આચરણથી અમારું કલ્યાણ શી રીતે થશે? આ પ્રમાણે ધમંપાળે સાધુની પ્રશંસા કરી અને બીજે વસુપાલ તે તે મુનિ તરફ ઉદાસીન વૃત્તિવાળો થયે. તે બેમાંથી એક ગુણના રાગથી ધિબીજ પાયે,
અને બીજાને તે પ્રાપ્ત થયું નહીં. પછી કષાયની મંદતાને લીધે દાન દેવામાં તત્પર . થએલા તમે બંને મિત્રોએ મનુષ્ય ભવને પ્રશસ્ય કર્મ ઉપાર્જન કર્યું. અનુક્રમે
ત્યાંથી કાળ કરી શ્રેષ્ઠ આચારવાળા અને વણિક ધર્મમાં પરાયણ તમે બન્ને આ કિશબી નગરીમાં વણિકના પુત્રપણે ઉત્પન્ન થયા છે. ઉપરક્ત કારણથી આ ભવમાં એકલા આ ધર્મપાલને શ્રેષ્ઠ બેધ રૂપ બેધિબીજનું ફળ પ્રાપ્ત થયું છે, અને બીજાને બેષિબીજના અભાવથી ધરૂપ ફળ પ્રાપ્ત થયું નથી. એવી રીતે પૂર્વભવનું વૃતાંત શ્રવણ કરવાથી ધર્મપાલ જાતિ સમરણ પામે, અને દ્રઢ નિશ્ચય થવાથી ભાવ- પૂર્વક જિનેશ્વરના કથન કરેલા ધર્મમાં તત્પર થયેલે ધર્મપાળ મેક્ષમાં જશે. અને બીજે વસુપાલ તે બેધિબીજના હેતુભૂત શિષ્ટાચારમાં ઉદાસીનતાને લીધે સંસારમાંજ પરિભ્રમણ કરશે. આ ઇતિ ચેર દ્રષ્ટાંત સમાસઃ છે
ઉપરોક્ત ફળાફળને સારી રીતે વિચાર કરી સુશ્રાવકે શિષ્ટાચાર અને તેમના ગુણાદિકની પ્રશંસા કરનાર થવું જોઈએ. કહ્યું છે કે – . " अकुर्वन्नपि सत्पुण्यं, शिष्टाचारप्रशंसया ।
दम्नसंरन्ममुक्तात्मा,प्राणी प्राप्नोति तत्फलं ॥"
શબ્દાર્થ–“પુ કાર્યને નહીં કરનાર પણ ક્યુટ અને કેપથી મુકત થએલો પ્રાણ શિષ્ટાચાર પ્રશંસાથી ધિબીજના ફળને પ્રાપ્ત કરે છે. ૭”
ભાવાર્થ—કોઈ પુરૂષ અંતરાય કર્મના ઉદયથી પુન્ય કાર્ય ન કરી શકતું હોય તે પણ તેને શિષ્ટાચારની પ્રશંસા કરવી એગ્ય છે. કારણકે તે પ્રશંસાના બળથી શિષ્ટાચારમાં પ્રવૃત્તિ કરવાની પ્રબળ ઈચ્છા પ્રગટે છે, અને તેથી બેલિબીજની પ્રાપ્તિ થાય છે. બેલિબીજની પ્રાપ્તિ થતાં અનુક્રમે અનંતાનુબંધી કષાય અને દર્શન મેહનીય કર્મને ક્ષય થવાથી, તત્ત્વ ધરૂપ શુદ્ધ સમ્યકત્વ આત્મામાં પ્રગટ થાય છે, અને અનુક્રમે અવશેષ રહેલા કષાયની મંદતા થતી જાય છે, તેથી જિન કથિત ધર્મનું
Page #90
--------------------------------------------------------------------------
________________
૫૨
શ્રાદ્ધગુણ વિવરણ વિશેષ આરાધન અને ઉત્તરોત્તર આત્મ શુદ્ધિ થવાથી દેશવિરતિ અને સર્વ વિરતિ પ્રાપ્ત થાય છે, અને તેનાથી વર્ગ અને મેક્ષના સુખને મેળવી શકાય છે. તેથી કઈ પણ પ્રકારે શિષ્ટાચારની પ્રશંસા કરવા ચુકવું નહીં. વળી કહ્યું છે કે –
“વિઝાપોડનિ ગુણી – ૬ જુન મત્સર
निमजत्येव संसारे, मुग्धो छःखाकुलाशयः॥" શબ્દાર્થ–બગુણની શ્રેણિને ધારણ કરતા હોય તો પણ બીજાના ગુણની અંદર અદેખાઈ રાખનાર દુઃખથી આકુળ હૃદયવાળે તે મુધ પુરૂષ સંસારમાં જ નિમગ્ન થાય છે.
ભાવાર્થ–ગુણની શ્રેણિને ધારણ કરનાર હોય તે પણ ઈર્ષને લીધે બીજા ગુણું પુરૂષના ગુણને ઉત્કર્ષ સહન ન થઈ શકવાથી ગુણની અંદર મસર ધારણું કરી તે મુગ્ધ જન સંસારમાંરિભ્રમણ કરે છે. કારણકે પિતામાં રહેલા ગુણને ગર્વ અને બીજાના ગુણમાં ઈર્ષા થવાથી આત્મગુણની વૃદ્ધિને બદલે હાનિ થતાં આત્મા મલિનતાને પ્રાપ્ત થાય છે, તેથી ભવભ્રમણ કરવું પડે છે. તે આ બે મુનિના દષ્ટાંતથી સિદ્ધ થાય છે. એક ઉપાશ્રયમાં નીચે ઉપર ઊતરેલા બે મુનિઓમાંથી એક તપવી અને બીજા હંમેશાં ભજન કરનાર હતા. એક વખતે તપસ્વી મુનિ કોઈ ગૃહસ્થને ઘેર ભિક્ષાર્થ ગયા, ત્યાં ભિક્ષા આપનાર બાઈ પાસે નિત્ય ભેજન કરનાર મુનિની નિંદા અને પિતાના ગુણની સ્લાઘા કરી ચાલ્યા ગયા. પછી બીજા મુનિ તેજ ગૃહસ્થને ત્યાં ભિક્ષાર્થે આવ્યા. તેમને તે બાઈએ પૂછયું કે “ઉપાશ્રયમાં બીજા મુનિ આવ્યા છે? તેમણે કહ્યું કે, “હા, એક મહાન તપસ્વી અને ગુણવાન મુનિ પધાર્યા છે. તેમના ગુણ આગળ મહારામાં તે લેશ માત્ર પણ ગુણ નથી.” ઈત્યાદિ તેમના ગુણની પ્રશંસા અને આત્મનિંદા કરી તેથી તે બાઈ શંકાશીલ થઈ. કોઈ વખતે કેવળજ્ઞાનીને જેગ મળતાં તે બાઈએ પ્રશ્ન કર્યો કે, તે બે મુનિમાંથી કયા મુનિને આત્મા ઉચ્ચ દશામાં વે છે?” કેવળજ્ઞાનીએ ઉત્તર આપે કે, “નિત્ય ભજન કરનાર મુનિને આત્મા ઉચ્ચ દશાને પ્રાપ્ત થએલે છે, તેથી અલ્પ સમયમાં મેક્ષ સુખ મેળવશે. ” આ ઉદાહરણને વિવેકી પુરૂષે વિચાર કરી ગુણ કે ગુણી ઉપર મત્સર ધારણ કરી આત્માને મલીન કરે નહીં. આ ગ્રંથ કર્તા આ બીજા ગુણને ઉપસંહાર કરતાં શિષ્ટાચારની પ્રશંસા કરવાને ઉપદેશ દ્વારા આગ્રહ કરે છે,
Page #91
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય ગુણ વર્ણન
૫૩ अतो विवेकज्ञजनेनशिष्टा-चारप्रशंसा प्रवणेन जाव्यम् । विशुधधर्मोज्वलकीर्तिलाभाऽ-भिलाषिणात्रोचित्तवृत्तियुक्त्या॥
. . . . નિ ક્રિતીયો ગુe શબ્દાર્થ –ઉપરેત હેતુથી શુદ્ધ ધર્મ અને નિર્મળ કીર્તિની અભિલાષા રાખનાર વિવેકી પુરૂષે ઉચિત વર્તન પૂર્વક શિષ્ટાચારની પ્રશંસા કરવામાં આસક્ત થવું ” આ પ્રમાણે શ્રાવકના પાંત્રીશ ગુણ પૈકી બીજા ગુણનું વર્ણન કર્યું
Page #92
--------------------------------------------------------------------------
________________
तृतीय गुण वर्णन
- at 1
હતું કે સમાન કુળ તથા શીલવાળા પણ અન્ય ગેત્રી સાથે વિવાહ કર
વારૂપ ત્રીજા ગુણનું વિવરણ કરે છે,
+
+
LH =
- “લાલ સાશતો ફોડવોત્રજૈઃ '—પિતા અને પિતામહ (દાદા) વિગેરે પૂર્વ પુરૂષના વંશને કુળ કહે છે. અને મદિરા, માંસ, રાત્રિભેજન અને અનંતકાયાદિકના ઉપગને ત્યાગ કરવા રૂપ આચાર,અથવા તે સમાન દેવ, ગુરૂ અને ક્રિયા કલાપ (ધર્મનુષ્ઠાન) ના આસેવનરૂપ આચારને શીળ કહે છે. તેવું કુળ તથા શીળ જેમનું એક સરખું હોય તેઓ સમાન કુળ શીળવાળા કહેવાયછે. કુળ અને શીળના કહેવાવડે ઉપલક્ષણથી સંપત્તિ, વેષ અને ભાષાદિકનું પણ ગ્રહણ કરવું. તેજ અહીં દર્શાવે છે. જે સંપત્તિ વિગેરેમાં વિષમતા હોય તે કન્યા પિતાના પિતાના મહાનું વૈભવથી અલ્પ વૈભવવાળા પિતાના સ્વામીની અવગણના કરે છે, અને પિતાના પિતાના પ્રચુર વૈભવને આધીન થઈ અહંકારને પ્રાપ્ત થએલે વર પણ કન્યાના પિતાની નિર્ધનતાને લીધે પિતૃ પક્ષના દુર્બળ ટેકાવાળી કન્યાની અવગણના કરે છે. અમુક પુરૂષથી ચાલી આવેલી વંશ પરંપરા તે ગોત્ર, અને તેમાં ઉત્પન્ન થએલા તે શેત્રી કહેવાય છે. તેમનાથી જે અન્ય ત્રવાળા હોય તેમની સાથે વિવાહ કર ચોગ્ય છે. અહીં નીતિ આ પ્રમાણે છે –
બાર વર્ષની કન્યા અને સેળ વર્ષને પુરૂષ તે બન્ને વિવાહગ્ય ગણાય છે. તેવા વિવાહ પૂર્વક કરેલે સંતતિ ઉત્પન્ન કરવા અને પાલન કરવા રૂપ વ્યવહાર ચાર પ્રકારના વર્ણને કુલીન બનાવે છે. અગ્નિ અને દેવાદિકની સાક્ષી પૂર્વક પાણિગ્રહણ કરવું તે વિવાહ કહેવાય છે, અને તે વિવાહ લેકને વિષે આઠ પ્રકારને કહેલ છે. તેમાં ૧ કન્યાને શણગારીને આપવી તેને બ્રહ્મ વિવાહ, ૨ વૈભવ આપીને કન્યા આપવી તેને પ્રાજાપત્ય વિવાહ, ૩ બે ગાયના દાનપૂર્વક કન્યા આપવી તેને આર્ષ
Page #93
--------------------------------------------------------------------------
________________
તૃતીયગુણ વર્ણન,
૫૫ વિવાહ અને ૪ જ્યાં યણને અર્થે ઋત્વિજને કન્યાદાનનીજ દક્ષિણ આપવી તેને દૈવ વિવાહ કહે છે. એ ચારે વિવાહ ધર્મ વિવાહ કહેવાય છે. અને ૫ માતા પિતા અથવા બધુવને પ્રમાણ નહીં હોવાથી પરસ્પરના અત્યંત રાગથી એક બીજાની સાથે જોડાઈ જવું તેને ગાંધર્વ વિવાહ, ૬ મૂલ્ય લઈને કન્યા આપવી તેને આસુર વિવાહ, ૭ બળાત્કારથી કન્યાનું ગ્રહણ કરવું તેને રાક્ષસ વિવાહ, અને ૮ સુતેલી અથવા પ્રમાદ વશ થએલી કન્યાનું ગ્રહણ કરવું તેને પિશાચ વિવાહ કહે છે. આ ચારે અધઃ મે વિવાહ કહેવાય છે. જે વર અને કન્યાને પરસ્પર પ્રેમ હોય તે તે અધર્મ વિવાહ પણ ધર્મ વિવાહ થાય છે. પવિત્ર પત્ની વિગેરેની પ્રાપ્તિના ફળવાળે વિવાહ કહેવાય છે. જે કારણથી કહ્યું છે કે – "कन्यां सतीमुत्तमवंशजातां,सब्ध्वाऽधिकां याति न कः प्रतिष्ठाम् । कीरोदकन्यां गिरिराजपुत्री, गोपस्तथोग्रश्च यथाऽधिगम्य॥१॥"
બાર્થ:–“કૃષ્ણમહારાજે સમુદ્રની પુત્રી લક્ષ્મીને અને શંકરે હિમાલયની પુત્રી પાર્વતીને પ્રાપ્ત કરી જેમ અધિક પ્રતિષ્ઠા મેળવી હતી, તેમ સતી અને ઉત્તમ મુળમાં ઉત્પન્ન થએલી કન્યાને મેળવી કે પુરૂષ અધિક પ્રતિષ્ઠા નથી પામતે ૨૧
જેની જીહા રસવાળી છે, ભાયા સતી અને રૂપાળી છે, અને લક્ષમી ત્યાગવાળી છે, તે પુરૂષનું જીવિતવ્ય સફળ છે. આ લેકમાં હંમેશાં કલેશાદિકના કારણને લીધે અપયશ તથા દુખની પ્રાપ્તિ અને દુષ્ટ વિચારોથી ઉતજ થયેલ કર્મને બંધ પ્રાપ્ત થવાથી પરલોકમાં દુર્ગતિનું કારણ થાય છે. તેથી અપવિત્ર પત્નીને સંયોગ છે તેજ નરક છે. જે કારણથી કહ્યું છે કે – "कुप्रामवासः कुनरेंषसेवा, कुन्नोजनं क्रोधमुखी च नार्या । कन्याबहुत्वं च दरिषताच,षड् जीवलोके नरका जवन्तिा ॥"
શબ્દાર્થ છે કે ગામમાં વાસ, કનેરે સેવા, ભજન, ધ મુક્ત મુખવાળી ભાઈ, પણ કન્યાઓ અને દરિદ્રતા એ છ મૃત્યુલેકમાં નરક કહેવાય છે. ૨૦
થર કે કન્યાની પવિત્રતાનું સૂક્ષમ જ્ઞાનતે વર અને કન્યાના ગુણ તથા લક્ષણદિકને જેવાથી થાય છે. તેમાં પ્રથમ કુળ, આચાર, સનાથપણું, વિદ્યા, દ્રવ્ય, શરીર અને ઉમર એ સાત ગુણે વરની અંદર જેવા રોગ્ય છે. તે ઉપરાંત તે કન્યા ભાગ્યવતી હેવી જોઈએ. વરનાં લક્ષણે આ પ્રમાણે છે –
Page #94
--------------------------------------------------------------------------
________________
૫૬
શ્રાદ્ગુણ વિવરણ,
છાતી, મુખ અને કપાળ એ ત્રણ વિશાળ હેાય, અને નાભિ, સત્વ અને સ્વર એ ત્રણુ ગંભીર હાય તે। તે શ્રેષ્ઠ છે. કઠ, પીઠ, પુરૂષચિન્હ અને જ ધાયુગલ એ ચાર જે પુરૂષનાં લઘુ ડાય તે નિરંતર પૂજનિક થાય છે. અંગુલી સહિત અશુઢી પર્વ, કેશ, નખ, દાંત અને ત્વચા એ પાંચ જેનાં સૂક્ષ્મ હાય તે મનુષ્ય સુખ ભાગવે છે. એ સ્તન અને એ નેત્રના મધ્યભાગ, એ ભુજાએ, નાસિકા અને જડબુ એ પાંચ જેનાં દ્વીધ્રુ હાય તે પુરૂષ લાર્થી અને પુરૂષોત્તમ ગણાય છે. નાસિકા, કઠ, નખ, કક્ષા, હૃદય અને મુખ એ છ જેનાં ઉંચાં હૈાય તે હુંમેશાં ઉદય પામે છે. નેત્રના ખૂણા, જિન્હા, તાળવું, નખ, એઇ અને હાથ તથા પગનાં તળીઆં એ સાત જેનાં રકત હાય તે તે સિદ્ધિને માટે થાય છે. ગતિથી વહું, વર્ણથી સ્નેહ, સ્નેહથી સ્વર, સ્વરથી કાંતિ અને કાંતિથી સત્વ એમ ઉત્તરાત્તર એક બીજાથી શ્રેષ્ઠ છે. ઉપરાંત ખત્રીશ લક્ષણમાંથી - સત્વ સર્વોત્તમ છે. સત્વગુણી પુરૂષ પુન્યશાળી અને દાની હાય છે, રજોગુણી પુરૂષ વિષયાસક્ત અને ભ્રાંતિ યુક્ત હાય છે, અને તમેગુણી પુરૂષ પાપી અને લેભી હાય છે. આ ત્રણમાંથી સત્વગુણી ઉત્તમ છે. મૂર્ખ, નિર્ધન, દૂર રહેનાર, શૂરવીર, માક્ષકામી, અનાથ અને શીલહીન પુરૂષને કન્યા આપવી નહીં. અતિ આશ્ચર્યજનક ધનવાળા, આળસુ કે શીતાદિક દોષવાળા, અપગ અને રોગી પુરૂષને પણ કન્યા આપવી નહીં. અધિર, નપુસક, મુગા, લંગડા, અંધ, શૂન્ય હૃદયવાળા અને એક્દમ પ્રહાર કરનાર પુરૂષને પણ કન્યા આપવી નહીં. અધમ કુળ અને અધમજાતિવાળા, માતાપિતાના વિચે ગવાળા અને પત્ની તથા પુત્ર યુક્ત પુરૂષને પણ કન્યા આપી નહીં. ઘણા વેર અને અપવાદવાળા, હંમેશાં પેદા કરે તેટલું' ખાઇ જનાર અને પ્રમાદથી હુણાએલા મનવાળા પુરૂષને પણ કન્યા આપવી નહીં. એક ગેત્રવાળા, જુગાર અને ચારી વિગેરેના વ્યસનથી આત્માના નાશ કરનાર અને પરદેશીને પણ પતિ પુરૂષ કન્યા આપવી નહીં, ઉપર જણાવ્યા પ્રમાણે વરના ગુણુ દોષ જાણુવા. હવે ફ્રેન્ચાનાં લક્ષણ અને ગુણુ દોષનુ વર્ણન આ પ્રમાણે છે.—
:
"S
पीनोरुः पीनगएका लघुसमदशना पद्मनेत्रान्नरक्ता, बिम्बोष्टी तुङ्गनाशा गजपतिगमना दक्षिणावर्तना जिः । स्निग्धाङ्गी वृत्तवत्रा पृथुमृज्जघना सुस्वरां चारुकेशी, नस तस्याः द्वितीशो जवति च सुतगा पुत्र माता चनारी ॥३॥”
Page #95
--------------------------------------------------------------------------
________________
તૃતીય ગુણ વર્ણન. શબ્દાર્થ –પુછજધાભરાવદાર ગાલ, લઘુ અને સરખા દાંત, લાલખૂણાવાળા કમલ સમાન નેત્ર, બિંબફળ સમાન એક, ઉન્નત નાસિકા, ગજેની પડે ગતિ, દક્ષિણાવર્તનાભિ, સ્નિગ્ધ શરીરવૃત્તાકાર મુખ,વિશાળ અને કેમળ જધન (કેડની નીચેનો ભાગ) મધુર સ્વર અને સુંદર કેશવાળી કન્યાને સ્વામી રાજા થાય છે, અને સૈભાગ્યવતી એવી તે સ્ત્રી પુત્રવતી થાય છે. આ પ્રમાણે કન્યાનાં લક્ષણ જાણવાં. હવે કુલક્ષણેનું વર્ણન કરે છે– " शुष्काङ्गी कूपगएमा प्रविरतदशना श्यामताल्वोष्टजिह्वा, पिङ्गाकी वक्रनासा खरपुरुषरवा वामना चातिदीर्घा । श्यामाङ्गो सन्नतभ्रूः कुचयुगविषमा रोमजातिकेशी, सा नारी वर्जनीया धनसुतरहिता षोडशाऽसदणाढया ॥an"
શબ્દાર્થ –“જે સ્ત્રીનું અંગ શુષ્ક હેય, કૂપની માફક ઉડા ગાલ હોય, છુટા છુટા દાંત હય, તાળવું એ અને છહ શ્યામ હેય, નેત્ર પીળા હોય, ઠીંગણી હોય અને જે અતિ ઉચી હોય, શરીર કાળું હોય, ભ્રકુટી નમેલી હોય,
સ્તનનું યુગલ વિષમ હેય, રેમયુક્ત ધા હોય અને ઘણુ કેશ હેય, તેવી સોળ કુલક્ષણવાળી સ્ત્રી ધન અને પુત્ર રહિત હોય છે. તેથી ત્યાગ કરવા યોગ્ય છે, આ સ્ત્રીઓનાં સેળ કુલક્ષણ સમજવાં.
જે કન્યા બંધુ (સ્વજન,) સારાં લક્ષણ, લાવણ્ય, ઉત્તમ કુળ અને જાતિ વિગેરેથી ભૂષિત, રૂપવતી અને શરીરના સંપૂર્ણ અવયવવાળી હોય તેવી કન્યાની સાથે લગ્ન કરવું જોઈએ. આઠમા વર્ષથી લઈને જ્યાં સુધી અગીયારમું વર્ષ સંપૂર્ણ થાયત્યાં સુધી લેકમાં કુમારિકા ગણાય છે. ત્યારબાદ તે ન્યાય પૂર્વક વિવાહગ્ય થાયછે. ઈત્યાદિ પરીક્ષા પૂર્વક સમાન આચાર અને કુળથી શોભિત એવા વર કન્યાને
ગ થયે છતે ધર્મ, શેભા, કીર્તિ અને આ લેક સંબંધી સુખ વિગેરેની પ્રાપ્તિ થાયછે નહિ તે પરસ્પરની અસમાનતાને લઈને સુભદ્રાની પેઠે કલહ કલકાદિ ઉસન્ન થાય છે. તેનું જ દ્રષ્ટાંત ગ્રંથકાર પ્રતિપાદન કરે છે –
વસંતપુરમાં જિતશત્રુ નામે રાજા હતા, અને તેજ નગરમાં સમ્યક પ્રકારે જીવાજીવાદિક નવતત્વને જાણું અને શંકા, આકાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાષ્ટિની પ્રશંસા તથા મિથ્યાષ્ટિને પરિચય કરવા રૂપ પાંચ અતિચાર રહિત એવા સમ્યકત્વ રૂપ ભૂષણથી ભૂષિત થએલે જિનદત્ત નામે શ્રેષ્ઠી રહેતું હતું. તે
Page #96
--------------------------------------------------------------------------
________________
૫૮
શ્રાદ્ધ ગુણ વિવરણ, શ્રાવક હતું. તેને અનુક્રમે સુભદ્રા નામે પુત્રી ઉત્પન્ન થઈ. તે રૂપ, લાવણ્ય અને સૈભાગ્ય રૂપી અમૃતને જાણે સમુદ્રજ હાય નહીં તેવી ઉત્તમ સુશ્રાવિકા હતી. તેને વરવા માટે અનેક વરેનું આગમન થતું હતું. પરંતુ જિનદતશ્રેણી શ્રાવક શિવાય બીજાને તે કન્યા આપવા ઈચ્છતું ન હતું. કહ્યું છે કે – " विवेकीना धर्मयशोऽनिवृद्ध्यै, समं कुलाचार मिहावलोक्या वराय शुखाय सुता प्रदेया, नेया तथाऽन्यापि मुखोदयाय ॥५॥"
શબ્દાર્થ_વિવેકી પુરૂષે ધર્મ અને કીર્તિના ફેલાવા માટે આ સમસ્ત કુળ અને આચારનું અવલોકન કરી પવિત્ર વરને પોતાની પુત્રી આપવી જોઇએ, અને તેવી જ રીતે સુખની વૃદ્ધિ માટે [ પુત્રાર્થે ] બીજી કન્યા લાવવી જોઇએ. ” " એક વખતે ચંપા નગરીથી બૈદ્ધ ધર્મની શ્રધ્ધાવાળે બુધ્ધદાસ નામે વણિક વેપાર અર્થે વસંતપુરમાં આવ્યું. ત્યાં સુભદ્રાને જોઈ તેના રૂપથી મોહિત થએલા કપટવૃત્તિ શ્રાવક થઈ હમેશાં એવી રીતે ધર્મનું શ્રવણ કરવા લાગે કે જેથી અનુક્રમે તને જાણ થઈ તે ભાવશ્રાવક થયે. તેના અધ્યવસાયને સમજી જિનદત્ત શ્રેણીએ પિતાની પુત્રી તેને આપી; અને પાણિગ્રહણ મહત્સવ કર્યો. કેટલાએક કાળ વ્યતીત થયા પછી તે બુધદાસ વ્યવહારી સુભદ્રાને લઈ ચંપા નગરીમાં આવ્યું. ત્યાં પણ સુભદ્રા જૈનધર્મ પાળવા લાગી. સુભદ્રાની સાસુ અને નણંદ શ્રધ્વની ભક્ત હતી, તેથી હમેશાં સુભદ્રાની નિંદા કરતી. આથી બુધ્ધદાસે પૃથફ ઘર કર્યું. ત્યાં સાધુ સાધ્વીઓ ભિક્ષાર્થે આવતા હતા તે જઈ તેની સાસુ વિગેરેને તેના પર દ્વેષ થઈ આવ્યું, તેથી તે કહેવા લાગી કે આ સુભદ્રા સાધુમાં આસક્ત છે. પરંતુ આ વાત તેના સ્વામીને વિશ્વાસ કરવા લાયક લાગી નહીં. એક વખતે બલ, રૂપ અને ગુણયુક્ત અને જાણે મૂર્તિમાન ચારિત્ર જ હોય નહીં એવા કઈ જિનકલ્પી સાધુ તેને ઘેર આહાર લેવાને અર્થે આવ્યા. તે વખતે પવનથી પ્રેરાએલું તરણું કોઈ પ્રકારે તે સાધુના નેત્રમાં પ્રવેશ કરી ગયું. તે મુનિશ્રી પિતાના શરીરને ઉપચાર કરવામાં વિમુખ હાવાથી તેમણે તે તરણાને નેત્રમાંથી દૂર કર્યું નહીં. પણ આહાર આપતી વખતે સુભદ્રાએ આ મુનિશ્રીનું નેત્ર વિનાશ ન પામે એમ ધારી તેને ચાતુર્યથી તે મુનિ મહાશયના નેત્રમાંથી છવ્હાએ કરી તે તરણું ઉપાડી લીધું. તે અવસરે સુભદ્રાના લલાટનું તિલક મુનિશ્રીના લલાટમાં સંક્રમણ થયું, તે સુહાની
Page #97
--------------------------------------------------------------------------
________________
તૃતીય ગુણ વર્ણન
પ૯ જાણમાં આવ્યું નહીં. જ્યારે મુનિશ્રી ત્યાંથી ચાલી નીકળ્યા ત્યારે તેની સાસુ પ્રમુખે તેના પતિને બતાવ્યું કે જે ! હારી સ્ત્રીનું તિલક મુનિના લલાટમાં સક્રમણ થયું છે. તે જોઈ બુધ્ધદાસ વિચાર કરવા લાગ્યો કે આ પરમ શાવિકાની આવી વિપરીત વાત કેમ સંભવે? અથવા વિષય બલવાન છે એમ વિચારી તે સુભદ્રા તરફ મંદ નેહવાળે થયે. સુભદ્રાએ આ વૃત્તાંત કોઈ પણ પ્રકારે જાણી લીધે. પછી સુભદ્રા તે અસત્ય અપવાદ દૂર કરવાને રાત્રિમાં શાસનદેવીના નિધ્ય માટે કાર્યોત્સર્ગ કરી ઉભી રહી. તેના શીલની જાણકાર શાસનદેવી પણ સુભદ્રા પાસે આવી, અને કહ્યું કે, “હે ભદ્રે ! હારૂં શું પ્રિય કરું? આ વચન સાંભળી સુભદ્રા બેલી કે, હે દેવિ ! હારા અપવાદને દૂર કરી તમે જૈનશાસનની પ્રભાવના કરે. દેવીએ જવાબ આપે કે, હું પ્રભાતે ચંપાનગરરીના દરવાજા બંધ કરી નગરીના લેકે જ્યારે આકુળ વ્યાકુળ થશે ત્યારે આકાશમાં રહીને આ પ્રમાણે બેલીશ કે, “જે સ્ત્રી મન, વચન અને કાયાથી નિર્મળ શીળવાળી હોય તે ચાળણીમાં જળ સ્થાપી તે જળથી દરવાજાનાં કમાડને ત્રણ વાર છાંટે એટલે કમાડે ઉઘડી જશે. અને જ્યારે નગરની બીજી સ્ત્રીઓથી ચાલણીમાં જળ ન રહે ત્યારે તેમની સમક્ષ તેમ કરી બતાવજે, એટલે હારો અપવાદ દૂર થશે અને કીર્તિ ફેલાશે” પછી સુભદ્રાએ દેવીના આદેશ પ્રમાણે નગરીના ત્રણ દ્વાર ઉઘાડી ચોથું દ્વાર કોઈ પણ અન્ય સતી હશે તે ઉઘાડશે એમ ધારી ત્યાંથી પાછી ફરી.આમ થવાથી ચંપામગરીમાં નશાસનની પ્રભાવના થઈ,અને સુભદ્રાને શ્વસુરવર્ગ, રાજા અને સંપુર્ણ નગર પ્રતિબંધ પામ્યું.
આવા પ્રકારની કેટલીએક ઉત્તમ સ્ત્રીઓ હોય છે, તેથી પરીક્ષા પર્વક તેવી ઉત્તમ કન્યાઓ સાથે લગ્ન કરવામાં પ્રયત્ન કરે જોઈએ. તેમ કરવાથી વધૂના સ્થાને ઉપાથ કરનાર પુરૂષને સુજાત અને અતિજાત જેવી સુત સંતતિ રૂપ ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. અને તે સંતતિથી ગૃહસ્થ પિતાના અણથી મુક્ત થાય છે તેમને સર્વ કાર્યમાં સહાય મળે છે, હમેશાં મનને સ્વસ્થતા અને વિશ્રાંતિ મળે છે, સંપૂર્ણ આર્થિક વેપારમાં વિશ્વાસ પ્રાપ્ત થાય છે, વખત આવે ઘરભારનું આરોપણ કરવાથી ઇચ્છા મુજબ પિતાની પુન્ય કાર્યમાં પ્રવૃત્તિ થાય છે, અને ચિત્તને વિષે ચિતવેલા મને પૂર્ણ કરવા વિગેરેથી મહિમા અને ઉન્નતિ થાય છે. શ્રી ઉનમત્રીને વાયુભટ્ટ અને આગ્રદેવ વિગેરેથી જેમ આલેકનું ફળ થયું હતું, તેમ સંતતિ પરાકના ઉદય માટે પણ થાય છે.
Page #98
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધ ગુણ વિવરણ. મધુમતી (મહુવા) ના રહીશ ભાવડ શ્રેષ્ઠીની તેના પુત્ર જાવડ શ્રેણીઓ કલ્યાણ ની વૃદ્ધિ કરી હતી. તેવા પ્રકારના પિતાના ઉત્તમ પિતાના કલ્યાણની વૃદ્ધિ કરવાથી પરેલેકમાં પણ ઉદય થાય છે. કહ્યું છે કે–ભાવડશેઠ કેઈ પર્વને વિષે સિદ્ધાચલ ઉપર ગયું હતું. ત્યાં સનાત્ર કરવા યોગ્ય જિનપ્રતિમાના અભાવને લીધે સ્નાત્રાદિક થયું નહીં તેથી તે અશ્રુયુક્ત થયે, તેને અશ્રુયુક્ત ઈ એક વખત તેના પુત્ર જાવડે તેનું કારણ પુછયું એટલે ભાવડશેઠે અશુપાત થવાનું સાચું કારણ કર્યું. તે સાંભળી જાવડશેઠે પ્રતિજ્ઞા કરી કે “હારે આ પર્વત ઉપર પાષાણમય એક જિનપ્રતિમા સ્થાપન કરવી.” પછી જાવડશેઠે કાશ્મીરદેશના નવકુલ્લ પત્તનમાં જઈ નવ લાખ સેનામોહરથી શ્રી ઋષભદેવ, પુંડરિક, અને ચહેશ્વરી એ ત્રણ મૂર્તિઓ લાવી દશલાખ સોનામહરને ખરચ કરી વિક્રમ સંવત ૧૦૮ માં શત્રુંજય ઉપર પાષાણુમય ત્રણ બિંબનું સ્થાપન કર્યું. નીચ અને કુલાંગાર (કુળને વિષે અંગારા સમાન) રૂપ સંતતિથી કેણિકાદિક પુત્રેથી શ્રેણિક વિગેરેને જેમ બનેલું છે. તેમ આલેકમાં દુઃખ અને પરલોકમાં દુર્ગતિ વિગેરેની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે– __" श्रियाम्बोधि विधि वाचा, देव्या व्यालोक्य विश्रुतम् ।।
કુપુત્રવાજાનું તાપમાં જ મુત્તા // ૨ / અથવા"कामं श्यामवपुस्तथा मलिनयत्यावासवस्त्रादिकम्, लोकं रोदयते जनक्ति जनतागोष्ठी क्षणेनाऽपि यः। मार्गेऽप्यनलिनग्न एव जनकस्यान्त्येति न श्रेयसे, हा! स्वाहाप्रिय ! घूममङ्गजममुं भूत्वा न किं बीमितः ॥७॥
શબ્દાર્થ – લક્ષ્મી દેવીથી સમુદ્રને અને સરસ્વતીથી બ્રહ્માને પ્રસિદ્ધ થયેલા જઈ, સૂર્ય અને ચંદ્ર પિતાના દુષ્ટ પુત્રના દુ:ખથી અનુક્રમે તાપ અને કલંકને છોડતા નથી. દર અથવા “હે અગ્નિ! આ ધૂમ રૂપી પુત્ર કે જે કાલા શરીરને છે, આવાસ અને વસ્ત્ર વિગેરેને મલિન કરે છે, લોકોને રૂદન કરાવે છે, ક્ષણવારમાં જનસમહની ગણીને નાશ કરે છે, અને માર્ગમાં પણ (પિતાની) અંગુળીએ વળગેલો છતાં પિતાના કલ્યાણને માટે થતો નથી, તેવા પુત્રને પામી તને કેમ લજજા આવતી નથી લેકમાં પત્રને વૃક્ષની ઉપમા આપેલી છે. કહ્યું છે કે
Page #99
--------------------------------------------------------------------------
________________
- વતીય ગુણ વર્ણન. તાર હિંસુના, કુમાઉં વગપુરમતિ જ્ઞાતિનું
वटतसफल कुजातं,नवति कुलाङ्गारमिक्कु फलम् ॥७॥" શબ્દાર્થ– સુજાત--મને પુત્ર આમ્રવૃક્ષ સમાન છે, અતિ જાત–ઉત્તમ પુત્ર કેળા તથા બીજેરા સમાન છે, કજાત પુત્રવના ફળ સમાન છે, અને કુળમાં અંગારા રૂપ પુત્ર શેલડીના ફળ સમાન છે. ૮ શ્રીમદ્ જિનાગમ પણ એજ પ્રમાણે કહે છે,
“પુત્ર ચાર પ્રકારના કહેલા છે તે આ પ્રમાણે છે. અતિજાતપિતાથી ચઢીયાતા, સમાન જાત–પિતાના સરખા, નીચ–પિતાથી ઉતરતા, અને કુબાંગાર પિતાના કુળને નાશ કરનાર.”
ભાવાર્થ – બાતઃ – આ ઠેકાણે શાસ્ત્રકારે ચાર પ્રકારના પુત્રની ખુલ્લી રીતે સમજ પડે તેને માટે ચાર જાતનાં વૃક્ષોની સાથે સરખામણું કરી છે. તેમાં પ્રથમ સુજાત–મને પુત્રને આમ્રવૃક્ષ સાથે સરખાવ્યા છે. જેમ આંબાની ગેટલી વાવવાથી જે જાતની તે ગેટલી હોય તે જ જાતનું આમ ફળ થાય છે, પણ વિશેષ સારું કે તેનાથી ઉતરતું થતું નથી, તેવી રીતે મને અથવા તે પિતા તુલ્યપુત્ર પિતાને પગલે ચાલે, પિતાની કરેલી મર્યાદાને ટકાવી રાખે એટલે કે પિતાના ધાર્મિક કે સાંસારિક કાર્ય પૂનાધિક કરે નહીં. તેવા પુત્રને સુજાત અથવા તે સમજાત પુત્ર કહેવામાં આવે છે.
રિબા –પિતાથી ચઢીયાતા પુત્રને કેળા અને બીરાના ફળ સાથે સરખાવ્યા છે. જેમ કેળાની વેલડી અને બીરાનું વૃક્ષ પ્રમાણુમાં નાનું હોય છે છતાં તેનાથી ઉપ્ત થયેલું કેળું તથા બીજોરારૂપ ફળ મોટું હોય છે. તેમજ પિતાની સામાન્ય સ્થિતિ હોવા છતાં જે પુત્ર વેપારમાં પુષ્કળ દ્રવ્ય મેળવી, અનેક સલ્ફ કરી પિતાથી અધિક થઈ આખા કુટુંબને સામાન્ય સ્થિતિમાંથી ઉચ, સ્થિતિમાં લાવે છે તે પુત્ર અતિજાત ગણાય છે.
કુળાતિ”—નીચ અથવા તે પિતાથી ઉતરતા પુત્રને વડના વૃક્ષના ફળ સાથે સરખાવ્યું છે. જેમ વડનું ઝાડ ઘણું મોટું, છાયા યુક્ત અને તાપાદિક કષ્ટને સહન કરી શ્રમિત થયેલા પાંચજનેને આનંદ આપનારૂ થાય છે, પણ તેનું ફળ અતિશય લઘુ, અસ્વાદિષ્ટ, તુચ્છ અને ઉપકાર રહિત હોય છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
શાહ ગુણ વિવરણ. તેમ જે પુત્ર ફ્રાય અને પરોપકારાદિવડે મેળવેલી પિતાની વિશાળ કિત્તિને અયોગ્ય વર્તણુંક ચલાવી, દ્રવ્યને દુરૂપયેગ કરી, સત્કૃત્ય અને પરોપકારાદિ શુભ કાર્યોથી વિમુખ થઈ પિતે મલીન કરે છે તે મુજાત પુત્ર કહેવાય છે.
તુચકા –આથી પણ અધમ કુલાંગાર પુત્રને શેલડીનો ફળની ઉપમા આપી છે. જ્યાં સુધી શેલડીને ફળ આવ્યું હતું નથી ત્યાં સુધી તે આબાદ રહે છે, અને સર્વ રીતે ઉપયોગી થઈ પડે છે, અને જ્યારે તેને ફળ આવે છે ત્યારે તે તદન નાશ પામે છે તેની પેઠે કુળમાં કલંક લગાડે તેવા કાર્યો કરનાર કુપુત્ર ઉપજ થવાથી આખા કુળને નાશ થાય છે. જોકે પિતાના કુળની વૃદ્ધિને માટે પુત્રની ઈચ્છા કરે છે. તેમજ તેને માટે અનેક પ્રયત્ન ત્ન કરે છે અને જ્યારે કમનસીબે આ ચેથા પ્રકાર ( કુળને નાશ કરનાર ) પુત્ર ઉન્ન થાય છે ત્યારે ખરેખર પિતાની પુત્રપ્રાપ્તિની ઈચ્છા અને પ્રયત્નદિન નિદા કરી પિતે કરેલી મૂર્ખાઈને પશ્ચાતાપ કરે છે, અને ચિંતવે છે કે
આના કરતાં જે મેં ધર્મદિ શુભ કાર્યની ઈચ્છા કરી હતી તે આવા અધમાધમ પુત્રથી મ્હારા કુળને ક્ષય થઈ હું આ સ્થિતિએ પહોંચત નહીં” આ ઉપરથી
પુત્રથી જ કલ્યાણ છે એમ માનવું અને તેને માટે પ્રયાસ કરે એ ધર્માભિલાષિીઓને કોઈ પણ રીતે ઉચિત નથી.
શથકાર પ્રસંગે પાર સંતતિનું વર્ણન કરી હવે આના પ્રસ્તુત વિશે ઉપર આવે છે.
છે જેની મનોવૃત્તિ લેશમાત્ર પણ ખંડિત થઈ નથી તેવી સ્ત્રી સર્વમાં પ્રધાન એવુિં ઉચિતવાણુ, શિય અને વિવેકને અગાડી કરી સંપૂર્ણ વ્યવહારને કરવા કરાવવાથી થતિને અનુકુળ આચરણ કરવાથી અને પતિની આજ્ઞાનુસાર સમગ્ર કાર્યોની અ. દર પિતે પ્રવૃત્તિ કરી છેણિક રાજાને ચેલણ અને ઉદાયન રાજાને પ્રભાવતીરાછીની પેઠે નિરંતર હર્ષ તથા સુખને ઉલ્લાસ કરનારી થાય છે, વળી ઘર સંબંધી સઘળા પ્રસંગોમાં નાના પ્રકારનાં ઘરનાં કાર્યો કરવા વિગેરેની સ્ત્રીને આવડત હોય.
" गृहचिन्ताजरहरणं, मतिवितरणमखिलपात्रसत्करणम् । જિ નિ જાતિ ,ણિી ફરજવણી ક્ષણા
Page #101
--------------------------------------------------------------------------
________________
તૃતીય ગુણ વર્ણન. શબ્દાથ–બબરની ચિતાના સમૂહને દૂર કરનારી, સારી બુદ્ધિ આપનારી અને સમગ્ર પાનો સત્કાર કરનારી સી જાણે ઘરની કલ્પલતા જ હેય નહિ, તેમ તે ગ્રહસ્થાને શું શું ફળ નથી આપતી અર્થાત સર્વ ફળ આપે છે. ” - ભાવાર્થ-આ જગમાં પ્રાણીઓને અનેક પ્રકારની ચિંતા હોય છે અને તે ચિંતા ચિતાની પછે પ્રાણીમાત્રને હમેશાં બાળ્યા કરે છે. તેમાં ગ્રહસ્થાને પ્રાયે કી ઘર સંબંધી અને વ્યાપાર સંબંધી એમ બે પ્રકારની ચિંતા હેયછે. આપણું દેશમાં પુરૂષેનું કામ વ્યવસાય અથવા નેકરી આદિકથી મા પ્રાપ્ત કરી તે દ્રવ્યથી પિતાના કુટુંબ અને શરીરનું પિષણ કરવાનું હોય છે. જેમને આ નથી દેતી અથવા સ્ત્રી વિવેક શૂન્ય હોય છે તેમને આ બન્ને કાર્યો જાતેજ કરવાં પડે છે, તેથી દ્રવ્ય ઉપાર્જન કરવા ઉપરાંત પુરૂષને બે ચિંતાઓ હોવાને લીધે સુખ પ્રાપ્ત થતું નથી, અને પુરૂષ ચિંતાગ્રસ્ત હેવાને લીધે નવીન શેધ, અપૂર્વ શાસભ્યાસ અને અપૂર્વ કળા કેશલ્ય વિગેરેથી પિતાને જોઈએ તે ઉત્કર્ષ કરી શકતું નથી. પરંતુ જે સી કેળવાએલી અને વિવાળી હોય તે “ઘરસંબંધી વ્યવસ્થા કરવી એ હારીજ ફરજ છે એમ ધારી તે બે પિતે ઉપાડી લઈ પતિને તે ચિંતામાંથી દૂર કરે છે. જેમ પશ્ચિમાત્ય પ્રજામાં સ્ત્રીઓ વિવેકશીલ અને કેળવાએલી હેવાને લીધે તેમના પતિઓ ઘરસંબંધી ચિતામાંથી મુક્ત થયેલા છે તેથી તે લેકે નવી નવી શેશાભ્યાસ અને કળા કેશલ્યમાં આગળ વધી પિતાને ઉત્કર્ષ કર્યો છે, અને હંમેશા કરે જાયછે. તેવી જ રીતે શાસ્ત્રકારના “દ સિન્તાર દાન આ વાત અનુસાર પ્રથમ આ દેશમાં પણ સ્ત્રીઓને કેળવણી આપવામાં આવતી હતી એમ સિદ્ધ થાયછે. ગૃહસ્થોને ઉત્કર્ષ તે કેળવાએલી અને સુશીલ સ્ત્રીઓને આશ્રયીને રહે છે, માટે હરેક પ્રકારે સ્ત્રીઓને અમુક ધાર્મિક અને વ્યવહારિક શિક્ષણ તે ફરજીઆત તરીકે આપવું જ જોઈએ, અને તે જ તે યથોચિત સાંસારિક અને ધાર્મિક કાર્યમાં પ્રવર્તી પિતાના અને પતિના સંસારને સુખમય બનાવી પિતાનું “ચહિણ”એવું નામ સાર્થક કરે છે.
સી પતિને ઉત્તમ મતિ આપનારી હેવી જોઈએ, અર્થાત પિતાને સ્વામી બાપારમાં અથવા રાજકાર્ય સંબંધી ગુંચવણમાં આવી પડયે ય તે તેને શીલ વાટી અને અનપીની પેઠે સારી મતિ આપી મદદ કરવી જોઈએ, કદાચિત “
Page #102
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધ ગુણ વિવરણ. પિતાનો સ્વામી કુળ મર્યાદાનું ઉલ્લંઘન કરી અવળે રસ્તે ચાલતું હોય તે પણ તેના વિનયાદિનું ઉલ્લંઘન કર્યા સિવાય સારી શિખામણ આપી આ લેક અને પરલોકના અતિ તીવ્ર દુખ વિપાકને સંભળાવી મદનરેખા તથા લીલાવતીની પેઠે હરેક પ્રકારે તેની મતિ સુધારી ઐહિક અને પારેલૈકિક સુખને ભાગી બને તેમ પ્રયત્નશીલ થવું જોઈએ. ગૃહસ્થને આવા પ્રકારની સ્ત્રીને જ સંગ્રહ કરે ઉચિત છે.
પુરૂષ હમેશાં વ્યવસાયાદિ કાર્યમાં વ્યગ્ર હેવાને લીધે પિતાના જાતિબંધુ,ધર્મબંધ અથવા મુનિમહાશય પિતાને ઘેર પધાર્યા હોય તે પણ તેમનું આતિથ્ય યથેચિત કરી શક્તા નથી. પણ જે સ્ત્રી, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની જાણ હોય તે પિતાના આંગણે કલ્પવૃક્ષ સમાન સત્પાત્ર પ્રાપ્ત થતાં, એગ્ય આગતા સ્વાગત કરી આલેકમાં પિતાના પતિના કુળમાં યશ અને કીર્તિને વધારે કરે છે, અને પરલેકમાં પિતે અખંડિત પુણ્યની ભાગીદાર થઈ પતિને પણ પુણ્યને ભાગી બનાવે છે. આ કાર્ય ખાસ કરીને સ્ત્રીનું છે, અને તે વિદુષી સ્ત્રી સારી રીતે કરતી હોવાથી પતિને આવી ચિંતામાંથી દુર રાખે છે.
આવી રીતે ગૃહસ્થાને કલ્પલતાની પેઠે સ્ત્રી શું શું સંપાદનનથી કરતી? અર્થાત્ જેમકલ્પલતા મનવાંછિત આપી સુખી કરે છે તેમ ગુણવતી સ્ત્રી પણ પિતાના રવામીને અનુકુળ વર્તન કરી આ લેકમાં જ વર્ગ અને મેક્ષના સુખને આપનારી થાય છે. વળી કહ્યું છે કે –
“दक्षा तुष्टा प्रियालापा, पतिचिताऽनुवर्तिनी।
कुलौचित्याझ्ययकरी,सा लक्ष्मीरिव चापरा॥१०॥" શબ્દાર્થ–“શાણુ, સતિષ પામેલી, પ્રિય બોલનારી, પતિના ચિત્તને અનુ સરનારી અને [ પિતાના કુળને ઉચિત ખરચ કરનારી સ્ત્રી જાણે બીજી લક્ષ્મી હાય નહીં?tતેમ ઘરને શોભાવે છે.] ૧૦
ભાવાર્થ–ી વિદુષી જ હેવી જોઈએ, અને તેવી હોયતેજ દરેક કાર્યમાં વિવેક પુરસ્ય વર્તન કરનારી સ્ત્રી પતિના વૈભવમાં સતેષ માનનારી હોઈ શકે છે. ગમે તેટલી ઐશ્વર્યતા, દિવ્ય સંપત્તિ અને માન પ્રતિષ્ઠા હોય તે પણ જ્યાં સુધી સતેષ પ્રાપ્ત થયે નથી ત્યાં સુધી એશ્વર્યતા વિગેરે દુઃખદાયી થાય છે. કારણ કે ઐશ્વર્યાદિની પ્રાપ્તિ તે પૂર્વ પુણ્યને અનુસરીને રહેલી છે માટે પુણ્યાનુસાર પ્રાપ્ત થએલા ઐશ્વર્યાદિકથી અસતેષ
Page #103
--------------------------------------------------------------------------
________________
તૃતીય ગુણ વર્ણન. માની વધારે ઈચ્છા કરવી ઉચિત નથી; કેમકે તેમ કરવાથી કઈ પ્રાપ્ત થતું નથી, અને ઉલટું અસંતોષને લઈને એવી ઈચ્છા રાખનાર હંમેશાં દુઃખી જ રહે છે. કેટલીએક સ્ત્રીઓ પિતાના સ્વામી તરફથી મળેલાં વસ્ત્રાભૂષણથી સંતોષ નહીં માનતાં બીજા ધનાઢયની સ્ત્રીઓનાં અતિ ઉત્તમ વસ્ત્રાભૂષણ જોઈ તેવાં મેળવવા પિતાના પતિને હેરાન કર્યા કરે છે. આથી સતેષ શિવાયની સ્ત્રી સાથને ગૃહસંસાર સુખમય થતું નથીપણ જેની સ્ત્રી સંતોષી હોય તેને આ દુનીયાંજ સ્વર્ગ રૂપ થાય છે. * જે સ્ત્રી સાક્ષર હોય છે તે ગમે તેવા પ્રસંગે પણ કઠોર મર્મભેદક અને બિભત્સ શબ્દ વિગેરેનો ઉચ્ચાર કદિ પણ કરતી નથી. અને અવસરે પણ મદનસુંદરીની પેઠે મધુર, પરિમિત અને સમાચિત બેલનારી હોય છે. મધુર આલાપ પણ એક જાતનું વશીકરણ છે અને તે જેની પાસે હોય તેને આ જગત લીલા માત્રથી વશ થાય છે. પ્રિયભાષીપણુથી આ લેકમાં આદર, યશવાદ, ધર્મગ્યતા અને પરલોકમાં સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે, માટે મહાન ભાગ્યોદય પ્રાપ્ત થયેલા મનુષ્યભવને સાર્થક કરવા દરેક સ્ત્રીએ પ્રિયભાષીપણું મેળવવા સતત પ્રયાસ કરે જોઈએ.
પતિના ચિત્તને અનુસરીને વર્તનારી સ્ત્રી મણિ, મંત્ર, ઔષધિ અને કામણ હુમણ વિના પણ પિતાના પતિને વશ કરી લે છે, માટે જે સ્ત્રીને પિતાના પતિને વશ કરવાની ઈચ્છા હોય તેણે રૂખમણી અને દ્વિપદીની પેઠે તેના અભિપ્રાયને અનુસરીને વર્તન કરવું કે જેથી પતિ સહેજે વશ થશે.આ ગુણ પણે દરેક સ્ત્રીઓને અનુકરણ કરવા ગ્યા છે જે સ્ત્રીમાં આ ગુણ હોય છે તે સ્ત્રી પતિની માનનીક છેવાથી હંમેશાં સુખી થાય છે.
પિતાના કુળને ઉચિત હોય તેટલેજ ખરચ કરનારી સ્ત્રી હોય તે તે કુટુંબમાં પ્રિય થઈ પડે છે, અને વિશ્વાસ પાત્ર થાય છે. જે પતિ પાસે જઈએ તેટલા પૈસાની જોગવાઈ ન હોય, અને સ્ત્રી વિશેષ ખચાલુ હોય તે તે ઘર જલદી દુર્દશાને પ્રાપ્ત થાય છે. માટે સ્ત્રીઓએ પિતાના પતિની સંપત્તિને અનુસાર ખરચ કરે, કે જેથી દિવસે આનંદથી નિર્ગમન થાય, આવી સ્ત્રી કુટુંબનું ઘણું માન મેળવવા ભાગ્યશાળી થાય છે. ઉપરોક્ત સર્વ ગુણોપેત જે સ્ત્રી હોય તેને લક્ષમી તુલ્ય ગણવામાં આવે છે, અને તેવી જ સ્ત્રીઓ ઉભય કુળને પ્રકાશમાં લાવે છે. માટે ગૃહસ્થએ ઉપરના બે લોકમાં જણવેલા ગુણયુક્ત જે સ્ત્રી હોય તેવી રીતે સંગ્રહ કરે ઉચિત છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધ ગુણ વિવરણ,
સસરાના કહેવાથી દીપકને કરનારી વહુની પેઠે ઘર કાર્ય કરવામાં ઉદાસીનતા ધારણ કરનારી સ્ત્રી ન હેાવી જોઇએ. પરંતુ જેમ તેજપાલ મ`ત્રીની ભાર્યા અનુપમાદેવી ઘર કાર્યમાં કુશળ હતી તેવી ઓ હાવી જોઇએ. અને કલહ કરનારી ભાયાંથી તા ખરેખર ઘરના નાશ જ થાય છે. તે વિષે દૃષ્ટાંત આ પ્રમાણે છે—
કોઇ ગામમાં શિવ નામે બ્ર હ્મણ રહેતા હતા. તેને કજીયાખાર અને સ ધર્મથી મહાર કરેલી સાવશ્રી નામે ભાર્યા હતી. તેના ઘર આગળ એક વડનું ઝાડ હતુ' તેમાં એક વ્યંતર રહેતા હતા સાવત્રી વડના મૂળમાં કચરો પેશાબ વિગેરે નાંખતી હતી તેથી ઉદ્વેગ પામેલા તે વ્યંતર પલાયન કરી કાઇ એક ગામના ઉપવનમાં જઈ રહ્યા. સાવત્રી અને શિવને પરસ્પર આ પ્રમાણે કલહ થતા હતા. “याः किं सुन्दरि ! सुन्दरं न कुरुषे किं नो करोषि स्वयम्, धिग् त्वां क्रोधमुखी मलीकमुखरस्त्वत्तोऽपि कः कोपनः । -आः पापे प्रतिजल्पसि प्रतिपदं पापस्त्वदीयः पिता, दम्पत्योरिति नित्यदन्तकलहक्लेशातयोः किं सुखम् ॥११॥"
શબ્દા — શિવ— અરે સુરિ ! તું સુંદર કેમ કરતી નથી ? ” સાવત્રી– ' તું પાતેજ કેમ સુંદર કરતા નથી ? ’ શિવ— ક્રોધમુખી તને ધિક્કાર છે. ” સાવત્રી અસત્ય લવામાં વાચાલ હારાથી બીજો કાણ ક્રોધી છે, ? ” શિવ— અરે પાપણી ! તુ દરેક વાકયમાં સામુ ખેલે છે ? ’ સાવત્રી~~ હારા આપ પાપી” આ પ્રમાણે નિરંતર દતકલહુ અને કલેશથી દુ:ખી થયેલાં દંપતિને મુખ કયાંથી હાય? ? ”
પછી તે શિવ બ્રાહ્મણ ઘરનો ત્યાગ કરી નાઠા અને જે ઉપવનમાં તે વ્યંતર રહ્યા છે તે ઉપવનમાં ગયા. વ્યંતરે તેને એલાગ્યા કે ‘ હું શિવ ? તું મને એાળખેછે ? ’ શિવે કહ્યું ‘ ના ’વ્યંતરે કહ્યું ‘ હું ત્હારી શ્રીના ભયથી આ ઉપવનમાં આન્ગેા છું. ત્હારા નિર્વાહ અહિઁ કેવી રીતે થશે ? ’ શિવે કહ્યું ‘ તમારી કૃપાથી મ્હારા નિર્વાહ થઇ જશે. ’ પછી વ્યતર શિવને જણાવી કેાઈ શેઠના પુત્રને વળગ્યા. શેઠે મ'ત્ર જાણનારને મેલાવ્યા પણ તે કાંઈ પણ ગુણ કરી શકયા નહીં. પછી શિવ ભૂતને કાઢે છે એમ જાણી શિવને ખેલાયૈ. શિવના મંત્રેલા જળથી ફાયદો થવાથી શેઠે તેને પાંચસેા સેાના માહાર આપી આથી તેની લેાકમાં પ્રસિદ્ધિ થઇ. જ્યાં જ્યાં મતર વળગે છે ત્યાં ત્યાં જઇ શિવ તે વ્યંતરને નસાડે છે. પછી એક
Page #105
--------------------------------------------------------------------------
________________
તૃતીય ગુણ વર્ણન વખત વ્યંતરે શિવને કહ્યું કે હવે પછી ત્યારે મને કાઢવાને ઉપાય કરે નહીં. જો તું તેમ કરીશ તે પણ હું ત્યાંથી નીકળીશ નહીં. તેથી ત્યારે અપયશ થશે. પરંતુ ધનમાં આસક્ત થયેલે તે બ્રાહ્મણ ઉપચાર કરતે વિરપે નહીં. એક વખતે તે વ્યંતર કઈ ધનવાન પુરૂષના પુત્રને વળગે. શિવ ત્યાં જઈ મંત્રજાપ કરવા લાગ્યા વ્યંતરે મુઠ્ઠી ઉગામી કહ્યું કે “હું તને મારી નાખીશ.” ત્યારે ભયભીત થયેલ બ્રાહ્મણ બે કે “હે વ્યંતર ! હું તને કંઈ જણાવવા માટે અહિં આવ્યો છું.” બંતરે કહ્યું કે “તે શું છે?” શિવે કહ્યું કે હારી સ્ત્રી સાવત્રી અહિં આવી છે.” એ વાર્તા શ્રવણ કરીને જ વ્યંતર પલાયન કરી ગયો અને તે બ્રાહ્મણને દ્રવ્ય તથા યશની પ્રાપ્તિ થઈ. કહ્યું છે કે
“ कसहिन्या गेहिन्याऽत्र, के के नोछेजिता जनाः।
તાત્રામત્તેતિ શુવૈવ, ત્યવા પાત્ર નતોડમરઃ ૨૨.” શબ્દાર્થ_કવાર સીથી આ લેખમાં ક્યા કયા પુરૂષે ઉદ્વેગને નથી પામ્યા? (અર્થાત સર્વે પામ્યા છે) “તે અહિં આવી છે એટલું સાંભળીને વ્યંતર દેવતા પાત્રને ત્યાગ કરી નાશી ગયે. ૧૨ >
વળી કુલીનતા, આચારની વિશુદ્ધિ, ઉત્તમ કુળાચાર અને દેવ, અતિથિ તથા બાંધવને સત્કાર કરવામાં નિર્દોષપણું વિગેરે ઉત્તમ કુળ વધૂના ગુણે છે. માટે તેવી સારી ભાય મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
વધ રક્ષણના ઉપાયો આ પ્રમાણે છે. પથારી ઉપાડવી, ઘરમાંથી કચરો કાઢી સાફ રાખવું, જળને ગાળી પવિત્ર રાખવું, રસોડાનું કાર્ય કરવું, વાસણે ઈ સાફ રાખવાં, ધાને દળવાં, ગાય દેહવી, દહીંનું મથન કરવું, રસોઈ કરવી, યોગ્ય રીતે ભજન પીરસવું, પાત્ર વિગેરેને સાફ કરવા અને સાસૂ, સ્વામી, નણંદ તથા દેવરને વિનય કરવા વિગેરેથી વધુ કઇ પુર્વક જીવે છે. આ પ્રમાણે સ્ત્રીને ઘરકાર્યમાં જોડવી, તેને પરિમિત (ડું) દ્રવ્ય આપી મુકવું, સ્વતંત્ર થવા દેવી નહીં અને શ્રેષ્ઠ આચાર રૂપ માતાના સરખી સ્ત્રીને રોકી રાખવી. અર્થાત્ જેમ સારા આચાર રૂપી માતાને સત્પરૂ પિતા પાસેથી જ્યાં ત્યાં જવા દેતા નથી તેમ સ્ત્રીને પણ જવા દેવી નહીં. વળી કહેલું છે કે
ઉત્તમ કુળની સ્ત્રીઓને નિરંતર ઘરના દ્વારમાં બેસવું, નાટક વિગેરેનું જેવું અને ગવાક્ષમાં (ગેખમાં) બેસવું નિષેધ કરેલું છે. શરીરના અવયવને પ્રગટ કરવા,
Page #106
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધ ગુણ વિવરણ. કીડા કરવી, કુતુહલ કરવું પરપુરૂષની સાથે ઓલવું, કામણ કરવું અને ઉતાવળું ચાલવું એ કુલીન સ્ત્રીઓને એગ્ય નથી. પરિત્રાજિકા, વેશ્યા, દાસી, વ્યભિચારણી અને કારીગરની સ્ત્રીની સાથે કુલીન સ્ત્રીઓએ કદિ પણ સંસર્ગ રાખ ચોગ્ય નથી. (એકાકી) જવું, જાગરણ કરવું, દૂરથી જળ લાવવું, માતાને ઘેર રહેવું, વસ્ત્ર માટે ધોબી પાસે જવું, દતિની સાથે મેળ રાખવે, પિતાના સ્થાનથી ભ્રષ્ટ થવું, સખિના વિવાહ (લગ્ન) માં ગમન કરવું અને પતિનું દેશાંતર ગમન વિગેરે વ્યાપારે ખરેખર સતીઓના પણ શીળ રૂપ જીવિતને પ્રાયે હરનારા થાય છે. તાંબુલ, શૃંગાર, મર્મકારી વચન, કીડા, સુગધની ઈચ્છા, ઉલ્ટ વેષ, હાસ્ય, ગીત, કેતુક, કામક્રિડા, શય્યા, કુસંગી વસ્ત્ર, રસ સહિત અન્ન, પુષ્પ અને કેશર તથા રાત્રિમાં ઘરથી બહાર જવું આ સર્વને કુલીન અને સુશીલ એવી વિધવા સ્ત્રીઓએ નિરંતર ત્યાગ કરે જેઈએ. હે સુંદર ભ્રકુટી વાળી સ્ત્રી? તું તારા પતિ તરફ નિષ્કપટી, નણંદ તરફ નમ્ર, સાસુ તરફ ભક્તિવાળી, સ્વજને પ્રત્યે સ્નેહવાળી, પરિવાર તરફ હતવાળી, શે સાથે હસમુખી, પતિના મિત્રો સાથે (નિર્દોષ) હાશ્ય વચન બેલવા વાળી અને તેના દુશ્મને પ્રત્યે ખેદ ધરનારી છે. આ સર્વે સ્ત્રીઓને પતિવશ કરવાને મષધિ રૂપ છે. હવે ગ્રંથકાર પ્રસ્તુત ગુણને ઉપસંહાર કરતાં ઉપદેશ દ્વારા ફળ દર્શાવે છે. " एवं गृहस्थः सुकलत्रयोगाजनेषु शोनां बनते सुखी च,
देवातिथिप्रीणनपुण्यकर्मा,जनैः परत्रापिगति विशुद्धाम्॥१३॥" ' શબ્દાર્થ_એવી રીતે ગૃહસ્થ સારી સ્ત્રીને પગથી લોકોમાં શભા પામેછે, અને સુખી થાય છે. તેમજ દેવ તથા અતિથિને તૃપ્ત કરવા રૂપ પુણ્ય કર્મોને ઉ. પાર્જન કરી પરકમાં પણ સુગતિનું ભાજન થાય છે. ૧૩” આ ઠેકાણે માસારીના પાંત્રીશ ગુણ પૈકી ત્રીજા ગુણનું વર્ણન સમાપ્ત થયું છે
Page #107
--------------------------------------------------------------------------
________________
चतुर्थ गुण वर्णन.
વે ક્રમથી પ્રાપ્ત થયેલ ‘ પાપ ભીરૂ ’ નામે થતુ ગુણને વણુવે છે.
“ પાવનીહરિતિ ’. દીઠેલા અને નહીં દીઠેલા અનથૅના કારણભૂત કર્મ તે પાપ અને તેથી ભય રાખનારને પાપભીરૂ કહે છે. તેમાં ચારી, પર્સીગમન અને જુગાર રમવા વિગેરે દેખેલા અનર્થોના કારણેા છે તે આ લેાકમાં પણ સર્વ મનુષ્યામાં વિડ’બનાનાં સ્થાન તરીકે પ્રસિદ્ધ છે. કહ્યુ` છે કે—
*
'युताषाज्य विनाशनं नलनृपः प्राप्तोऽथवा पाण्डवामाकृष्णनृपश्च राघव पिता पापर्द्धितो दूषितः । मांसाच्छ्रेणिकनूपतिश्च नरके चौर्या निष्टा न के
वेश्यातः कृतपुण्यको गतधनोऽन्यस्त्री मृतो रावणः ॥ १ ॥
።
શબ્દા – “ નળ રાજા અને પાંડવાએ જુગારના વ્યસનથી પેાતાના રાજ્યના નાશ કર્યાં, કૃષ્ણ મહારાજ મદ્વિરાથી નાશ પામ્યા, રામચ`દ્રજીના પિતા દશરથ શિ કાર કરવાના વ્યસનથી દાષિત થયા, શ્રેણિક રાજા માંસના વ્યસનથી નરકે ગયા, ચારીના વ્યસનથી કાણુ નારા નથી પામ્યા ! કૃતપુણ્યશ્રેષ્ઠી વેશ્યાના વ્યસનથી નિધન થઈ ગયા અને રાવણ પરસ્ત્રી ગમનના વ્યસનથી મૃત્યુ પામ્યા ॥ ૧ ॥” આ દ્વીડેલા અનનાં કારણા છે.
શાસ્ત્રમાં કહેલા નરકાદિ દુઃખનુ ફળ આપનાર મદિરા અને માંસનુ` આસેવન કરવા વિગેરે કાર્ય તે નહીં દીઠેલા અનર્થનાં કારણુ છે. જે કારણથી નૈનાગમમાં કહેલુ' છે કે, “ હેાટા આર’ભથી, મ્હાટા પરિગ્રહથી, માંસાહારથી અને પચેદ્રીના વધ કરવાથી જીવા આ ચાર પ્રકારે નરકનું આયુષ્ય બાંધે છે. ” વળી ખીજે ઠેકાણે કહેલું છે કે “ પંચેદ્રીના વધ કરવામાં આસક્ત, માંસાહાર કરવામાં આદરવાળા
Page #108
--------------------------------------------------------------------------
________________
૭૦.
શ્રાદ્ધ ગુણ વિવરણ અને મોટા આરંભ તથા પરિગ્રહવાળા જ નરકને વિષે ઉત્પન્ન થાય છે.” બીજી કઈ રીતે નિર્વાહ થઈ શક્ત હોય તે પાપથી ભય રાખનાર પુરૂષે માંસાદિના ઉપલક્ષણથી બાવીશ અભક્ષ્ય અને બત્રીશ અનંતકાયનું ભક્ષણ, તેને વેપાર અને પંદર કર્માદાનને પણ વિમળ શ્રેણીની પેઠે ત્યાગ કર જોઈએ. તેમજ ગૃહસ્થાએ હમેશાં પાપથી ભય રાખનાર થવું જોઈએ, કારણ કે પાપભીરુ પુરૂષને વિમળની પિઠે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેનું ઉદાહરણ આ પ્રમાણે છે –
કુશસ્થળ નામે નગરમાં વિમળ અને સહદેવ નામે કેઈ એક શેઠના પુત્ર રહેતા હતા. તેમાં વિમળ પાપભીરુ હતા, અને સહદેવ તેનાથી વિપરીત સ્વભાવવાળે હતું. તે બન્ને ભાઈઓએ ગુરૂ પાસે સમ્યકત્વ મૂળ બાર વ્રત ગ્રહણ કર્યા હતાં. એક વખત બને ભાઈઓ વેપાર માટે દેશાંતર ચાલ્યા. માર્ગમાં મુસાફરોએ વિમળને રસ્તે પુછયે. વિમળે કહ્યું કે “હું જાણુતે નથી? અનુક્રમે બીજા વેપારીઓ શ્રાવસ્તી નગરીમાં ઘણો લાભ સાંભળી તે તરફ ગયા. પણ વિમળ શ્રેણી માર્ગમાં ઘણું સૂક્ષમ દેડકીઓ જેવાથી શ્રાવસ્તી તરફ ન જતાં કનકપુર તરફ ચાલ્યા. રસ્તામાં જતાં એક ગામમાં ગાળી, મીણ, મધ, લૂણ અને જુના તલ વિગેરે પાપકારી વસ્તુઓ સસ્તી મળતી હતી પરંતુ પાપથી ભય પામેલા વિમળ ગ્રહણ કરી નહીં. કેટલાએક ગામડીઆ માખણ તાવી ઘી આપતા હતા, પણ વિમળ ગ્રહણ કર્યું નહીં, પરંતુ તેને ગ્રહણ કરવાની ઈચ્છાવાળે સહદેવ ન્હાનું આપતું હતું, પણ વિમળે તેમ થવા દીધું નહીં. વળી આગળ ચાલતાં એક ગામમાં માછી લેકેએ જાળ બનાવવા માટે સુતર માગ્યું. સહદેવ તે આપવાને ઉત્સાહવાળે થયે, પણ વિમળે આપવા દીધું નહીં. અનુક્રમે બન્ને ભાઈઓ કનકપુર પહોંચ્યા. ત્યાં રસેઈ વખતે કે વેપારીઓ અગ્નિ માગે, પણ વિમળે તે આપે નહીં. તે જોઈ કેઇ દેવે વેપારીનું રૂપ કરી પરીક્ષા કરવા માટે અગ્નિ માગે, પણ તેણે અગ્નિ નહીં આપવાથી કોપયુત થયેલે તે દેવ રાક્ષસરૂપ ધારણ કરી ભય પમાડવા લાગ્યું, પણ વિમળ ભય પામે નહીં. પછી રાક્ષસે કહ્યું કે “અરે ! જે તું મને અગ્નિ આપે તે હું તને છોડી દઉં.” વિમળે કહ્યું કે “હે રાક્ષસ ! અગ્નિ ચારે તરફના મુખવાળું શસ્ત્ર છે તેથી શ્રાવક તેને આપતા નથી” જે કારણથી કહેલું છે કે, “પાપથી ભય રાખનાર શ્રાવકેએ કદી પણ મધ, મદિરા, માંસ, ઔષધ. મૂળીયાં, શસ્ત્ર, અગ્નિ, યંત્ર અને મંત્ર વિગેરે આપવાં નહીં. વળી “શસ્ત્ર, અગ્નિ, મુશળ, યંત્ર, તૃણ, કાષ્ટ, મંત્ર, મૂળ અને અષધિ શ્રાવક આપે અને અપાવે પણ નહીં. કહ્યુ છે કે – 1
Page #109
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ ગુણ વર્ણન. "न ग्राह्याणि न देयानि पंच वस्तूनि पंमितैः ।
अग्निर्विषं तथा शस्त्रं, मयं मांसं च पञ्चमं ॥२॥" શબ્દાર્થ– અગ્નિ, ઝેર, શસ, મદિર અને પાંચમું માંસ એ પાંચ વસ્તુઓ પંડિત પુરૂષોએ કોઈને આપવી નહીં, અને ગ્રહણ પણ કરવી નહીં. ૨
તે કારણથી હું પ્રાણુતે પણ અગ્નિ નહીં જ આપું. વિમળના આવા વચને શ્રવણ કરી રાક્ષસનું રૂપ ધારણ કરનાર દેવ તેના પરાક્રમથી સંતુષ્ટ થયેલો પિતાના શવાભાવિક રૂપને પ્રગટ કરી છે કે, “હે વિમળ ! હારી પ્રશંસા રવર્ગમાં ઈદ્ર મહારાજે કરી હતી કે, વિમળ જે કઈ બીજો પાપ ભીરૂ પુરૂષ છે જ નહીં તે કારણથી તમને ક્ષેભ પમાડવા મેં દેડકી વિગેરે કર્યું હતું પણ તમે ક્ષોભ પામ્યા નહીં. માટે તમે વરદાન માગે.” વિમળે વરદાન માગ્યું નહીં તે પણ તે દેવ વિષ હરનાર મણી આપી રવમાં ચાલ્યા ગયા. પછી વિમળ અને સહદેવ કનકપુરમાં ગયા. આ અરસામાં નગરને વિષે પડહો વાગતું હતું કે, “સર્પથી ડરેલા રાજપુત્રને જે કોઈ જીવાડશે તેને રાજા અડધું રાજ્ય આપશે.” એવું સાંભળી વિમળે નિષેધ કર્યો તે પણ સહદેવે પડહાને ગ્રહણ (સ્પર્શ) કરી મણિના પ્રભાવથી રાજકુમારનું વિષ ઉતારી દીધું. એટલે રાજાએ તેને અડધું રાજ્ય આપવા માંડ્યું ત્યારે તે કહેવા લાગ્યું કે, “હારે માટે ભાઈ વિમળ છે તેને આપે.” રાજાએ તેમ કર્યું પણ વિ. મળે અધિકરણના ભયથી રાજ્ય ગ્રહણ કર્યું નહીં તેથી રાજાએ સહદેવને અર્ધ રાજ્ય અને વિમળને શ્રેષ્ઠી પદ આપ્યું. પછી અધિકારને પ્રાપ્ત કરી સર્વ ઠેકાણે ન્યાય પૂર્વક વર્તન કરતે અને પરોપકારમાં તત્પર એ વિમળ ધર્મ કરવા લાગે કહ્યું છે કે – "आज्ञा कीर्तिः पालनं धार्मिकाणां, दानं लोगो मित्रसंरक्षणं च। एषामेते षड्गुणा न प्रवृत्ताः, कोऽर्थस्तेषां पार्थिवोपाश्रयेण॥३॥"
શબ્દાર્થ – આશા, કીર્તિ, ધર્મપુરૂષનું પાલન, દાન, ભાગ અને મિત્રનું રક્ષણ આ છે ગુણે જેના પ્રવર્તમાન થયા નથી તેમને રાજાના આશયથી શું પ્રીજન છે?” અર્થાત જેને રાજાને આશ્રય હેયતેણે આ છકા અવશ્ય કરવાં જોઈએ.
સહદેવ તે રાજ્ય મેળવી લેકેને અત્યંત દુઃખ આપવા વિગેરે પાપને નિશંકપણે કરવા લાગે. વિમળ તેમ કરતાં અટકાવ કરતે હતું, પણ સહદેવ તેમ કરતાં વિરમે નહીં. કારણ કે, “ઉપદેશથી કેઈને રવભાવ ફેરવી શકાતું નથી,
Page #110
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધ ગુણ વિવરણ, છ મહીના સુધી વાંસની સુંગળીમાં રાખેલું કુતરાનું પુછડું બહાર નીકળ્યું કે પાછું વાંકુંને વાંકું જ રહે છે.” પછી સહદેવને કેઈ શત્રુએ મારી નાખ્યું. ત્યાંથી મરણ પામી નરકે ગયે. અને વિમળ તે ધર્મ કરી સ્વર્ગમાં ગયે, ત્યાંથી એવી એક ભવ કરી સાધુ થઈ મેક્ષમાં જશે. ઈતિ વિમળ દષ્ટાંતઃ ગ્રંથકાર ચતુર્થ ગુણને ઉપસંહાર કરતાં ઉપદેશ દ્વારા તેનું ફળ દર્શાવે છે. " विमलवदिति यः स्यात्यापनीरुप्रवृत्तिः,
सततसदयचित्तो धर्मकमैकचित्तः । स सुरनरसुखानि प्राप्य जाग्रहिवेकः, વતિ રિવલીનાથવા કુવેન છે ” શબ્દાર્થ “ઉપર જણાવ્યા પ્રમાણે વિમળની પેઠે જે પુરૂષ પાપ રહિત પ્રવૃત્તિ કરવાવાળે, નિરંતર દયાળુ દદયવાળે, ધર્મરૂપ કાર્યમાંજ એક ચિત્તવાળે અને
રામાન વિવેકવાળે હેય તે પુરૂષ દેવ અને મનુષ્ય સંબંધી સુખને પ્રાપ્ત કરી મેક્ષરૂપ લક્ષ્મીના નાયકપણાને કષ્ટ વિના મેળવે છે. આ ઠેકાણે ચતુર્થગુણનું વર્ણન સમાપ્ત થયું,
Page #111
--------------------------------------------------------------------------
________________
पंचम गुण वर्णन.
| વે કમથી પ્રાપ્ત થયેલ “પ્રસિદ્ધ દેશાચાર ને આચરણ
કરવારૂપ પંચમ ગુણનું વર્ણન કરે છે.
s
ની
EVADI
સિદ્ધ ૨ ટેરાવા સમાન”—તથા પ્રકારના અન્ય શિષ્ટ પુરૂષોને તે આચાર માન્ય હોવાથી લેક રૂઢીમાં આવેલ હોય તેને પ્રસિદ્ધ કહે છે. અને મહાન પુરૂષને ભેજન, વસ્ત્ર અને ગૃહકાર્ય વિગેરે નાના પ્રકારની ક્રિયારૂપ આખા દેશને વ્યવહાર તેને દેશાચાર કહે છે. તેવા પ્રસિદ્ધ દેશાચારને સારી રીતે આચરનાર ગૃહસ્થ ધર્મને યોગ્ય થાય છે, અર્થાત પુર્વોક્ત રીતિથી વર્તન કરનાર પુરૂષ વિશેષ ધર્મ મેળવવા અધિકારી થાય છે. દેશ—ઉપલક્ષણથી પિતાના કુળમાં ઉત્પન્ન થયેલા અને સર્વ ઠેકાણે પ્રસિદ્ધિને પામેલા લેકચાર અને ધર્માચારનું સારી રીતે આચરણ કરનાર હોય, તેનું આચરણ તે તેનાથી વિરૂદ્ધ આચારને ત્યાગ કરવાથી થાય છે. કહ્યું છે કે"लोकः खल्वाधारः, सर्वेषां धर्मचारिणां यस्मात् । तस्माबोकविरुद्धं, धर्मविरुद्धं च संत्याज्यम् ॥ १॥"
શબ્દાર્થ–બજે કારણથી ખરેખર સમગ્ર ધાર્મિક લેકેનો આધાર લેક છે, તે માટે લેક વિરૂદ્ધ અને ધર્મ વિરૂદ્ધ [આચાર)ને ત્યાગ કર જોઈએ. ૧” દેશ અને લેકાદિક વિરૂદ્ધ તે આ પ્રમાણે છે -
દ્રવ્યના પ્રમાણ કરતાં અધિક વેશ રાખનાર, અધિક દ્રવ્ય છતાં હીનવેશ રાખનાર અને પિતે શક્તિ રહિત છતાં શક્તિવાળાની સાથે વેર કરનાર પુરૂષનું મહાન પુરૂષ ઉપહાસ્ય કરે છે. ચેરી વિગેરેથી દ્રવ્યની આશા બાંધનાર, સારા ઉપાયમાં શંસય રાખનાર અને પિતાની શકિત છતાં ઉગ રહિત થનાર પુરુષને
Page #112
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધ ગુણ વિવરણ. લક્ષમી પ્રાપ્ત થતી નથી રોગી છતાં અપથ્યનું સેવન કરનાર, હિતશિક્ષા આપનાર ઉપર દ્વેષ રાખનાર અને નિરોગી છતાં ઔષધ ખાનાર પુરૂષ ખરેખર મરવાને ઈચ્છછે એમાં સંદેહ નથી. જકાત આપી ઉલટે રસ્તે ચાલનાર, ભેજન વખતે ક્રોધ કરનાર અને પિતાના કુળ અહંકારથી સેવા નહીં કરનાર આ ત્રણેને મંદ બુદ્ધિ સમજવા. બુદ્ધિહીન છતાં કાયની સિદ્ધિ ઈચ્છનાર, દુઃખી છતાં સુખના મનોરથ કરનાર અને કરજ કરી સ્થાવર મિલક્તને ખરીદનાર આ ત્રણેને મુર્ખ પુરૂના સરદાર જાણવા. મનહર સ્ત્રી છતાં પરસ્ત્રીની ઇચ્છા કરનાર, ભેજન તૈયાર છતાં ગમન કરનાર અને નિર્ધન છતાં ગેષ્ટિ કરવામાં અત્યંત આસકત હોય, તે પુરૂષ મુર્ખને શિરેમણી ગણાય છે. કીમીયામાં દ્રવ્ય જેનાર, રસાયનમાં રસિક થનાર અને પરીક્ષા માટે વિષ ભક્ષણ કરનાર આ ત્રણે અનર્થને પ્રાપ્ત થાય છે. જેના દેષ જાણીતા હોવા છતાં તેની સ્લાધા કરનાર, ગુણીના ગુણની નિંદા કરનાર અને રાજા વિગેરેને અવર્ણવાદ બોલનાર પુરૂષ તત્કાળ અનર્થનું ભાજન થાય છે. કદિ શ્રમ થયે હોય તે પણ આત્માનું કલ્યાણ ઈચ્છનાર પુરૂષે મહિષ, ખર અને ગાયની ઉપર આરોહણ કરવું નહીં. કેદખાનામાં તથા વધસ્થાનમાં, જુગાર રમવાના સ્થાનમાં, પરાભવના સ્થાનમાં, ભાંડાગારમાં અને નગરના અંતેઉરમાં જવું નહીં. ઈત્યાદિ ઉત્તમ કાચારનું સેવન કર્યું હોય તે તેનાથી પ્રાયે કરી આલોકમાં ખરેખર યશ, હેટાઈ અને શભા વિગેરેની વૃદ્ધિ થાય છે. તેમજ લોકોને તે માન્ય હેવાથી કરવા ધારેલાં ધર્મ કાર્યોની સિદ્ધિ પણ સુખેથી થાય છે, અને જે તે લોકાચારનું ઉલ્લંઘન કરવામાં આવે તે તે દેશના રહેવાસી લેકેની સાથે વિરોધ થવાને સંભવ હેવાથી ધર્મકાર્યમાં વિદ્મ આવી પડે છે. કહ્યું છે કે
'व्यतीकमस्तु मा वास्तु, लोकोक्तिस्तु सुदुस्सहा । नज्यतां नाजनं मा वा, टणत्कारस्तु मारयेत् ॥२॥"
શબ્દાર્થ – અસત્ય હોય અથવા તે સત્ય હોય પરંતુ લેકેકિત તે અતિ દુઃસહ્ય હોય છે. પાત્ર ( વાસણ ) ભાગે કે ન ભાગે પણ લેકે તે કેરે મારે છે જ ૧”
જનક્તિને લોક કહે છે અને તે પ્રવાહથી શાશ્વત છે, તેના આચારથી વિરૂદ્ધ હેય તેને લેક વિરૂદ્ધ જાણવું. લોકાચારથી વિરૂદ્ધ કરનાર મનુષ્ય એકદમ લઘુતાને પ્રાપ્ત થાય છે અને લઘુતાને પ્રાપ્ત થયેલે મનુષ્ય પણ તરણાની પેઠે નકામે થાય છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
પંચમ ગુણ વર્ણન. પિતાના સ્થાનમાં સંતુષ્ટ થયેલા ત્રણસેને ત્રેસઠ પાખંડીઓ હમેશાં જે લોકાચારનું પાલન કરે છે. તે લેકચાર કેવી રીતે લઘુ થાય ? જ્યારે સર્વ પ્રકારના સંગને ત્યાગ કરનાર મુનિઓ પણ શરીર અને સંયમનું રક્ષણ કરવા માટે કાચારને અનુસરે છે ત્યારે બીજાની તે ગણત્રીજ શી. ? ઘણું લેક સાથે વિરોધ રાખનારને સંસર્ગ કરે, દેશાચારનું ઉલ્લંઘન કરવું, શક્તિ ઉપરાંત ભંગ કરો, દાનાદિકને નિષેધ કરે, સંત પુરૂષોને કષ્ટ આવે ખુશી થવું અને શક્તિ છતાં તેમના કષ્ટને દૂર કરવા ઉપાય ન કરે, ઈત્યાદિ બીજાં પણ કેટલાએક લેક વિરૂદ્ધ કાર્યો જાણું લેવાં. હવે ગ્રંથકાર પંચમ ગુણને ઉપસંહાર કરતાં ઉપદેશ દ્વારા ફળ દર્શાવે છે. " समाचरन् शिष्टमतस्वदेशाचारं यथोचित्यवशेन लोके । सर्वानिगम्यो लन्नते यशांसि,स्वकार्यसिडिंच गृहाश्रमस्थः॥३॥"
શબ્દાર્થ_ગૃહસ્થાશ્રમમાં રહેલે પુરૂષ શિષ્ટ પુરૂષને માન્ય એવા પિતાના દેશાચારને પગ્ય રીતે આચરણ કરતો લેકમાં સર્વને માનનીય થાય છે. અને યશ તથા પિતાના કાર્યની સિદ્ધિને પણ મેળવે છે.”
| કૃતિ પંડ્યો
Page #114
--------------------------------------------------------------------------
________________
GIકોપી ,
E
षष्ठ गुण वर्णन.
8િ અ નુકમથી આવેલા કેઈને પણ અવર્ણવાદનહીં બલવા
રૂપ છઠા ગુણને વર્ણવે છે.
વધારીનાગgિ – અવર્ણએટલે નિંદા,તેને બેલવાના સ્વભાવવાળે પુરૂષ અવર્ણવાદી કહેવાય છે. તેવા અવર્ણવાદને કઈ પણ ઠેકાણે બોલનાર નહોય, અર્થાત્ જઘન્ય, મધ્યમ અને ઉત્તમભેદવાળા પ્રાણીઓને પણ અપવાદ બેલનારન હોય, કેમકે બીજાને અવર્ણવાદ બેલવામાં ઘણા દેષ રહેલા છે. તેને માટે કહ્યું છે કે – " परपरिजवपरिवादादात्मोकर्षाच्च बध्यते कर्म । नीचै गोत्रं प्रतिनवमनेकनवको टिदुर्मोचम् ॥१॥"
શબ્દાર્થ–બીજાને પરાભવ તથા અપવાદ અને પિતાને ઉત્કર્ષ કરવાથી પ્રએક ભવમાં અનેકવિ કેટીથી પણ છુટી ન શકે તેવું નીચ નેત્ર કમ બંધાય છે.”
પિતાની પ્રશંસા, બીજાની નિદા, મહાન પુરૂષના ગુણને વિષે મત્સર અને સંબંધ વગર બોલવું એ સર્વ આત્માને નીચે પાડે છે. બીજાને અવર્ણવાદ કરવાથી ખર, નિંદા કરનાર શ્વાન, પરનું ખાનાર કૃમિ અને બીજાના ઉપર ઠેષ રાખનાર કીડી પણે ઉત્પન્ન થાય છે. પરના અછતા અથવા તે છતા પણ દોષે કહેવાથી અને સાંભળવાથી કંઈ પણ ગુણ થતું નથી, પણ કહેનાર ઉપર વેર વધે છે, અને સાંભળનારની અત્યંત કુબુદ્ધિ થાય છે. ઉત્તમ પુરૂષની મતિ દૂષણને પ્રાપ્ત થતી નથી, અર્થાત દૂષણ તરફ લક્ષ આપતી નથી. મધ્યમ પુરૂષની મતિ દૂષણને સ્પર્શ કરે છે, પરંતુ દૂષણને પ્રગટ કરતી નથી. અધમ પુરૂષ દૂષણ જોઈ બીજા પાસે પ્રગટ કરે છે. અને અધમાધમ પુરૂષ તે દુષણ જોઈ એકદમ બૂમ પાડી ઉઠે છે. પિતાને
Page #115
--------------------------------------------------------------------------
________________
5
-
-
-
-
ષષ્ટ ગુણ વર્ણન. ગુણ અને બીજાને દેષ કહેવા માટે, પરની યાચના કરવા માટે અને યાચકને નિરાસ કરવા માટે સત્પની જીન્હા જડ બની જાય છે, અર્થાત્ આવા પ્રસંગે સત્પરૂ માનજ ધારણ કરે છે. કારણ કે પરની નિંદા કરવી એ એક મહાન્ પાપ છે. વળી વધારે આશ્ચર્ય તો એ છે કે પિતે નહીં કરેલાં પણ બીજાના પાપ,નિંદા કરના. રી વૃદ્ધ બ્રાહ્મણની પેઠે, નિંદા કરનારને લાગુ થાય છે. તે વૃદ્ધ બ્રાહ્મણનું દષ્ટાંત આ પ્રમાણે છે –
કોઈ સારા ગામમાં દાનેશ્વરી અને લોકપ્રિય સુંદર નામે શ્રેણી રહેતે હતે. કહ્યું છે કે- “પ્રજાને દાતાજ પ્રિય હોય છે, પણ ધનવાન પ્રિય હેતું નથી. જોકે આવતા વર્ષાદને ઈરછે છે; પણ સમુદ્રને કેઈ ઇચ્છતું નથી;” અર્થાત્ જેમ વર્ષાદ જળ આપીને, અને દાતા દાન આપીને, પ્રાણીઓના પ્રાણનું રક્ષણ કરે છે, તેથી લેકે તે બન્નેને ઈચ્છે છે તેમ સમુદ્ર પાસે પુષ્કળ જળ, અને ધનવાન પાસે પુષ્કળ દ્રવ્ય છતાં કોઈના ઉપગમાં આવતું નથી, તેથી લોકો આ બન્નેને ઈચ્છતા નથી.
તે સુંદર શેઠની એક પાડોશણ બ્રાહ્મણ શેડની આ પ્રમાણે નિંદા કરવા લાગી કે “આ શેઠને ઘેર પરદેશી લોકો આવે છે, અને તે આ શેઠને ધમીં જાણી પિતાનું દ્રવ્ય થાપણ મુકી જાય છે, અને કેટલાએક આ શેઠને વ્યાજે આપી જાય છે. જ્યારે તે પરદેશમાં મરણ પામે છે ત્યારે આ શેઠને ઘેર ઉત્સવ થાય છે. માટે એ ધમી છે તે જાણે.” એક વખત રાત્રિના સમયમાં સુધાથી પીડાયેલ કેઈ કાર્પેટિક (યાત્રાળુ) સુંદર શેઠને ઘેર આવ્યું, પણ તે વખતે આ શેઠના ઘરમાં ભેજન કે પાન કરવા જેવું કાંઈ હતું નહિં, તેથી તે દાન વ્રતને ધારણ કરનાર દાતાએ ભરવાડણને ઘેરથી છાશ લાવી તેને પાઈ. આથી તે અચાનક મરણ પામે; કારણ કે ભરવાડણના મસ્તક ઉપર રહેલા છાશના ભાજનમાં સમડીએ નીચે પકડી રાખેલા હેટા સર્પના મુખમાંથી પડેલા ઝેરથી તે છાશ મિશ્રિત થયેલી હતી. સવારમાં તે કાપેટિકને મરણ પામેલ જોઈ તે વૃદ્ધ બ્રાહ્મણી ખુશી થઈકહેવા લાગી કે, “દ્રગ્યના લેભથી વિષ આપનાર આ દાતાનું ચરિત્ર જોયું કે ?' આ અરસામાં તે યાત્રાળુની હત્યા ભમે છે, અને વિચાર કરે છે કે હું કોને વળગું? “ દાતાને આત્મા નિર્મળ છે, સર્પ અજાણ અને પરવશ છે, સમડી પણ સપને ભક્ષણ કરનારી છે અને ભરવાડણ અજાણ છે તે હારે કેને વળગવું?” એવી રીતે વિચાર કરતી હત્યા તે નિંદા
Page #116
--------------------------------------------------------------------------
________________
७८
શ્રાદ્ધ ગુણ વિવરણ.
'
કરનારી બ્રાહ્મણીને વળગી પડી, એટલે તે તત્કાળ શ્યામ, કુબડી અને કુષ્ટ રાગથી દુષિત થઇ ગઇ. પછી આકાશમાં રહેલી હત્યાએ લેાકેાને આ પ્રમાણે કહ્યું કે— कुम्न भिन्नयुगलेन किल्विषं, बालकस्य जननी व्यपोहति । कण्ठताळुरसनानिरुज्जता, दुर्जनेन जननी व्यपाकृता ॥ २ ॥ શબ્દા માતા બાળકની વિદ્યાને ફુટેલા ધડાના ડીકરાથી દૂર કરે છે, પણ કંઠ, તાળુ અને જીન્હાથી અવર્ણવાદ રૂપ વિદ્યાને બહાર ફેંકનાર દુનેતા માતાને પણ હરાવી છે, જ્
',
તે કારણથી ઉપર જણાવ્યા પ્રમાણે સમગ્ર લેકના પણ અવર્ણવાદ કલ્યાણકારી નથી, તા “રાનાğિ વિશેષતઃ ” એ વચનથી ઘણા લાકને માન્ય એવા રાજા, મંત્રી, દેવ, ગુરૂ અને સંઘ વિગેરેના અવવાદ કેવી રીતે કલ્યાણકારી થાય ? અર્થાત્ ન જ થાય. રાજાદિકના અવર્ણવાદ એલવાથી આ લેકમાં દ્રવ્યાક્રિકને વિનાશ અને ભવાંતરમાં નીચ ગેાત્ર તથા કલંક વિગેરે ઢાષાની પ્રાપ્તિ થાય છે. તેને માટે જૈનાગમમાં આ પ્રમાણે છે—
“ પેાતાનું હિત ઇચ્છનાર પુરૂષે અસત્ય, અભ્યાખ્યાન ( કલ'ક, ) ચુગલી અને મર્મ ભેદક વિગેરે દુઃખનાં કારણભૂત વચન બેલવાંજ ન જોઇએ. પતિ પુરૂષાએ ખીજાના છતા દોષ પણ ન કહેવા જોઈએ, તે લેાકેાને વિષે પ્રગટ અથવા તે છાના એવા અવિદ્યમાન દોષ તે એલાયજ કેમ ? જે દુર્બુદ્ધિ બીજા પુરૂષને કલક આપે છે, તે પુરૂષ આ લેાકમાં નિંઢનીક થાય છે અને ભવાંતરમાં તીવ્ર દુઃખાને મેળવે છે. જે દુઃૠમતિ માસના દોષથી પાંચ સમિતિ યુક્ત, શુદ્ધ ભાવયુકત અને બ્રહ્મચર્ય યુકત યતિને (સાધુને)કલંક આપેછે, તે અતિ તીવ્ર પાપને ઉપાર્જન કરી, પૂર્વ ભવમાં મુનિને કલ’ક આપનારી સીતાની પેઠે અનત દુઃખને પામે છે.”તે વિષે સીતાનું દૃષ્ટાંત આ પ્રમાણે છે.
આ ભરત ક્ષેત્રમાંમિણાલકુંડ નામે નગરમાં શ્રીભ્રુતિ નામે પુરાહિત રહેતા હતા. તેને સરસ્વતી નામે સ્ત્રી હતી, અને તે બન્નેને વેગવતી નામે એક પુત્રી હતી. એક વખતે તે નગરના ઉદ્યાનમાં એક મુનિશ્રી પધાર્યા. પ્રતિમા રૂપ કાઉસ્સગ ધ્યાનમાં રહેલા તે મુનિશ્રીને લેક ભક્તિપૂર્વક વંદન કરવા લાગ્યા. તે જોઇ ખાટા મત્સરથી વેગવતી લેાકેાને કહેવા લાગી કે ‘ બ્રાહ્મણાને છેડી આ મુડડ પાખ’ડીને કેમ પૂજો છે ? મેં આ સાધુને સ્રીની સાથે ક્રીડા કરતાં જોયા છે ’ એ પ્રમાણે મુનિ
Page #117
--------------------------------------------------------------------------
________________
૭૯
પણ ગુણ વર્ણન. ઉપર વેગવતીએ અસત્ય કલંકને આપ મુ. તેથી ભેળા લેક મુનિશ્રીની પૂજા કરતા અટકયા. મુનિશ્રીએ પણ પોતાના ઉપર લોકેનો અભાવ જોઈ તે અસત્ય કલંકના આપને જાણી લીધું. પછી તેમણે “હારા નિમિત્તે જિનશાસનની હાનિ મા થાઓ” એ વિચાર મનમાં રાખી ‘જ્યાં સુધી આ કલંક ઉતરે નહીં ત્યાં સુધી હારે ભેજન કરવું નહીં,” એવી પ્રતિજ્ઞા કરી કાઉસ્સગ ધ્યાને રહ્યા. પછી શાસન દેવતાની સહાયથી વેગવતીના શરીરમાં અતિતીવ્ર વેદના ઉત્પન્ન થઈ, અરતિ પ્રગટ થઈ, અને તત્કાળ તેનું મુખ શૂન્ય થઈ ગયું. પછી તેને પશ્ચાતાપ થવાથી સાધુ પાસે જઈ સર્વ લેકની આગળ પિતાના આત્માની નિંદા કરતી બેલી કે, “મેં દ્વેષભાવથી સાધુને ખેટું કલંક ચડાવ્યું છે. એ પ્રમાણે કહી મુનિને ખમાવી તેમને પગે લાગી. પછી શાસનદેવતાએ સજજ કરેલી વેગવતી ધર્મ સાંભળી દીક્ષા અંગીકાર કરી તેને ચિરકાળ પાળી સધર્મદેવલેકે દેવી થઈ. ત્યાંથી ચ્યવી જનકરાજાની પુત્રી સીતા નામે થઈ. પૂર્વભવમાં ખોટું આળ આપ્યું હતું તેથી સીતા અહિં કલંકને પાત્ર થઈ, પછી કલંકથી મુક્ત થયેલા સાધુની પણ લેકેએ પૂજા કરી અને જિનશાસનની પ્રભાવના થઈ. વળી જે બીજાના અવર્ણવાદ સાંભળે છે તે પણ પાપી ગણાય છે. કહ્યું છે કે – "निवार्यतामानि ! किमप्ययं बटुः,पुनर्विवकुः स्फुरितोत्तराधरः। न केवलंयोमहतां विनाषते,श्रृणोति यस्मादपि यः स पापनाक।३।"
• શબ્દાર્થ–“હે સખી! ઉપરના સ્લાયમાન હેઠવાળા અને કાંઈ પણ બીજી વખત કહેવાની ઈચ્છાવાળા આ બટુકને નિવારણ કરકારણ કે જે મહાન પુરૂની નિંદા કરે છે તે એલેજ પાપી ગણાય છે એમ નહીં, પરંતુ જે નિંદા સાંભળે છે તે પણ પાપને ભાગી થાય છે. ૩”
આ ગુણની સમાપ્તિ કરતાં ગ્રંથકાર મહાશય ઉપદેશદ્વારા આ ગુણને મેળવનાર ગૃહસ્થ ધર્મને યુગ્ય થાય છે એમ દર્શાવે છે. "इत्थं सदा निन्द्यमवर्वाद,त्यजन्परेषां श्रवणं च तस्य । जगजनश्लाध्यतया गृहस्थः,सफर्मयोग्यो भवतीह सम्यक्॥॥"
શબ્દાર્થ– ઉપર જણાવ્યા પ્રમાણે નિરંતર નિંદવા પિગ્ય એ બીજાને અવર્ણવાદ અને તેનું શ્રવણ એ બન્નેને ત્યાગ કરતો ગૃહસ્થ જગતના લેકેને પ્રશંસનીય થવાથી આલાકમાં સારી રીતે સદ્ધર્મને યોગ્ય થાય છે. ૪” તિષ8 |
Page #118
--------------------------------------------------------------------------
________________
सप्तम गुण वर्णन.
વૈ ક્રમ પ્રાપ્ત સપ્તમ ગુણનુ વર્ણન કરે છે.
“ અનેજનિનામદારવિવાઐતનિતનઃ ''. —ગૃહસ્થ અનેક પેસવા નિકળવાના દ્વારાથી રહિત મકાનવાળા હાય. કારણકે જો ઘરમાં પેસવા નિકળવાનાં ઘણાં દ્વાર હાય તા જેએના આગમન અને પ્રવેશની ખખર પડતી નથી તેવા દુષ્ટ લેાકેાના આવવાથી સ્ત્રી વિગેરેને પરાભવરૂપ ઉપદ્રવ થાય છે. આ ઠેકાણે ઘરનાં અનેક દ્વારાને નિષેધ થવાથી ગૃહસ્થ નિયમિત દ્વારથી સારી રીતે રક્ષણ કરાએલા ઘરવાળા હાવા જોઇએ એવા અહિ' તાત્પર્ય છે. તેવા પ્રકારના ઘરને પણ અનુચિત સ્થાનમાં નહિં આંધતાં ઉચિત સ્થાનમાંજ આંધવુ' યુકત છે. તે સ્થાન આ પ્રમાણે છે. શલ્ય ( અસ્થિ ), રાખ ખાતર વિગેરે દ્વેષ અને નિષેધ કરેલ આયથી રહિત હાય તથા ઘણી કૂવા, અંકુરા, દર્ભના ગુચ્છા, સુંદર વર્ણ તથા ગંધવાળી માટી હાય, સારા સ્વાદયુકત પાણીને ઉદ્દગમ હાય અને નિધાનવાળુ હાય તેને ચેાગ્ય સ્થાન કહે છે કહ્યું છે કે
*
शीतस्पर्शोष्णकाले यात्युष्णस्पर्शा हिमागमे ।
વર્ષાનુ ચોાયસ્પર્શી, સા ગુપ્તા સર્વલેનિનમ્ ॥ ? ॥ ”
શબ્દા ઉષ્ણ કાળમાં શીત સ્પર્શીવાળી, શીત કાળમાં ઉષ્ણુ સ્પ વાળી અને વર્ષા ઋતુમાં ઉષ્ણ તથા શીત એ બન્ને સ્પર્શવાળી હોય તે ભૂમિ સ પ્રાણીઓને કલ્યાણકારી થાય છે, ૧
પ્રથમ ભૂમીને એક હુરત પ્રમાણ ખાદી પછી તે ખાડાને તે રતીથી પુરી દેતાં જે રતી વધી પડે તે શ્રેષ્ઠ, આછી રહેતા હીન, અને ખરેખર થાયતેા સાધારણ
Page #119
--------------------------------------------------------------------------
________________
સપ્તમ ગુણુ વર્ણન.
૮૧
( મધ્યમ ) ભૂમિ સમજવી. જમીનમાં વાવેલી ડાંગેર વગેરે ત્રણ દિવસમાં, પાંચ દિવસમાં અને સાત દિવસમાં ઉગે તે ભૂમિ અનુક્રમે ઉત્તમ, મધ્યમ અને હીન એમ ત્રણ પ્રકારની છે; અથવા જે જમીન દિગ્મૂઢ કરનારી ન હોય, અર્થાત્ જે જમીનમાં ઉભા રહેવાથી દિશાઓની ચોક્કસ ખબર પડતી હાય, ચારે બાજુ સરખી હાય, સુંદર આકૃતિ હાય, ત્રીજે દિવસે ખીજને ઉગાડવાવાલી હાય અને પૂર્વ, ઈશાન તથા ઉત્તર દિશા તરફ જળાશય યુક્ત હેાય તે જમીન શ્રેષ્ઠ ગણાય છે; ઇત્યાદિ સ્થાન માટે અન્ય શાસ્ત્રથી જાણી લેવુ: સ્થાનના ગુણ દોષાનું જ્ઞાન તા શકુન, સ્વમ, દૈવપ્રશ્ન અને નિમિત્ત વિગેરેના બળથી થાય છે. સ્થાન સંબધી નિષેધ તા આ પ્રમાણે છે.
“ જે સ્થાનમાં વૃક્ષ અને ધ્વજા વિગેરેની પહેલા તથા છેલ્લા પહેાર શિવાયની ખીજા અને ત્રીજા પહેારની છાયા પડતી હાય તેા તે છાયા નિરંતર દુઃખ આપનારી થાય છે. ખજુરી, દાડમ, કેળ, ખેરડી અને બીજોરાનું વૃક્ષ જે ઘરમાં ઉત્પન્ન થાય છે તે ઘરના મૂળથી નાશ થાય છે. ઘરમાં દુધવાળું વૃક્ષ હાય તા તે લક્ષ્મીના નાશ કરનાર, કાંટાવાળું વૃક્ષ હેાય તે શત્રુથી ભય આપનાર અને ફળ આપનાર વૃક્ષ હાય તો સ’તાનના નાશ કરનાર થાય છે. તેથી આવૃક્ષાના કાષ્ટના પણ ત્યાગ કર્વે. કોઈ કહે છે કે ઘરની પૂર્વ દિશાએ વડ, દક્ષિણ તરફ ઉમરડા, પશ્ચિમ દિશાએ પીપળા અને ઉત્તર તરફ પીંપર હાયતા તે પ્રશ’સનીય છે. ગૃહસ્થ તીર્થંકરની પીઠ, શકર તથા સૂર્યની દૃષ્ટિ, વાસુદેવની ડાબી બાજુ અને બ્રહ્માની દક્ષિણ બાજુના ત્યાગ કરી મકાન અંધાવે ” બીજે સ્થળે પણ કહેલું છે કે, “ જિનેશ્વરની પીઠ, સૂર્ય તથા શકરની દષ્ટિ અને વિષ્ણુની વામ મજીના ત્યાગ કરવા જોઇએ. ચડી સર્વ દિશાએ અશુભ છે, અને બ્રહ્મા સર્વથા ત્યાગ કરવા ચેાગ્ય છે. અરિહંતની દૃષ્ટિ તથા દક્ષિણ ખર્જી અને શંકરની પીઠ તથા વામ બાજુ હોય તે કલ્યાણ કરનાર, અને તેથી વિપરીત દિશાએ હેાયતે ઘણું દુઃખ આપનાર થાય છે. પર’તુ જે વચમાં માર્ગ હાયતે કાંઇ પણ દોષ લાગુ થતા નથી. સ્થાન સારૂ` હાય તાપણુ ઘર નિર્દોષ કરવું જોઈએ. ” કહ્યું છે કે—
፡
''
'पुरिसव्व गिहस्संगं, हीणं अदि न पावए सोदं । तम्हा सुद्धं कीरइ, जेण गिहं हवइ रिद्धिकरं ॥॥"
રાખ્વાર્થ ન્યૂનાધિક શરીરવાળા પુરૂષની પેઠે ધરનું શરીર ન્યૂનાધિક હાયતા રાણા પામતું નથી. તેથી જો ધર નિર્દોષ કર્યું હોય તા તે ઋદ્ધિ કરનાર
થાય છે.” ૨
૧૧
Page #120
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધ ગુણ વિવરણ વળી “હળ, યાન, ગંલી, અરઘટ, યંત્ર, કાંટાળુ, વૃક્ષ, પાંચ જાતનાં ઉંબર વૃક્ષ અને દુધવાળાં વૃક્ષ એ સર્વેનાં કાષ્ટ ઘર બંધાવનાર ગૃહસ્થ ત્યાગ કરવો જોઈએ. બીજોરી, કેળ, દાડિમ, જખીર, દેહલિદ્ધ, આંબલી, બાવળ, બેરડી અને ધંતૂરાના કાષ્ટને પણ ત્યાગ કરે. ઉપર જણાવેલા વૃક્ષનાં મૂળીયાં પડેશને લીધે જેના ઘરમાં ગયાં હેય, અને તેમની છાયા જેના ઘર ઉપર પડતી હોય તેના કુળને નાશ થાય છે. પાષાણમય સ્તંભ, પાટડા, છત, બારસાખ અને ઉત્તરંગ એ સર્વે ગૃહોને હાનિ કારક છે, પણ ધર્મ સ્થાનમાં તે સુખ આપનાર છે. પાષાણમય પ્રાસાદ કે ઘરમાં કાષ્ટના સ્વભાદિકને અને કાષ્ટમય પ્રાસાદ કે ઘરમાં પાષાણના તંભાદિકને ગૃહસ્થાએ પ્રયત્નથી ત્યાગ કરે જોઈએ. દેવમંદિર, કૂપ, વાપિકા, મશાન, મઠ, અને રાજમંદિરના પાષાણુ, ઈટે અને કાષ્ટ ગૃહસ્થ બાંધકામમાં સરસવમાત્ર પણ લેવાં રોગ્ય નથી. ગોળાકાર, ખુણરહિત, સાંકડું, એક બે કે ત્રણ ખૂણાવાળું અને દક્ષિણ તથા વામ બાજુ દીર્ઘ હોય એવા ઘરમાં વાસ કરે એગ્ય નથી. જે ઘરનાં દ્વાર આ પિ આપ બંધ થાય છે, અને ઉઘડે છે તે અશુભ ગણાય છે અને ઘરનાં મૂળ દ્વારમાં ચિત્ર તથા કળશ આદિની વિશેષ શેભા કરવી તે શુભ ગણાય છે. જોગણીનાં નાટક, ભારત, રામાયણ, રાજાનાં યુદ્ધ, સાષિચરિત્ર અને દેવચરિત્રનાં ચિત્રો ઘર ઉપર ચિતરવાં એગ્ય નથી. ફળયુક્ત વૃક્ષ, પુષ્પ, વેલડી, સરસવતી, નવનિધાન યુક્ત લક્ષમી, કળશ, વધામણું અને સ્વપ્નની શ્રેણિ એ મકાન ઊપર ચિતર્યા હોય તે તે શુભ ગણાય છે. મકાન પુર્વ તરફ ઉન્નત હોયત દ્રવ્યની હાનિ કરનાર, દક્ષિણ તરફ ઊજત હાયતે દ્રવ્યની સમૃદ્ધિ કરનાર, પશ્ચિમ તરફ ઊજત હોય તે વૃદ્ધિ કરનાર અને ઉત્તર તરફ ઉન્નત હેય તે વસ્તીને નાશ કરનાર થાય છે. નગર કે ગામના ઈશાનાદિક કેણમાં ઘર બાંધવું નહીં, કારણ કે તે સત્પરૂષને માટે અશુભ ગણાય છે. પણ અંત્યજ જાતિને માટે તે ઋદ્ધિ કરનાર થાય છે. ”
વળી ઘરમાં લક્ષમીની વૃદ્ધિ કરવાને ઉપાય આ પ્રમાણે છે–
“જે ઘરમાં વેધાદિક દેષ ન હોય, સઘળો કાટમાલ ન હોય, ઘણાં દ્વાર ન હિય, ધાન્યને સંગ્રહ હય, જ્યાં દેવતા પૂજાતા હેય, આદર પૂર્વક ઉત્સવ થતું હોય, રક્ત વર્ણની યવનિકા હેય, સારી રીતે ઘરને કચરે દૂર થતે હેય, મોટા નાના વિગેરેની સારી વ્યવસ્થા હોય, સૂર્યનાં કિરણે પ્રવેશ ન કરતા હોય, દીપક બળ હેય, રેગીનું પાલન થતું હોય અને શ્રમ પામેલાની ચાકરી થતી હોય તેવા ઘરમાં લયમી વાસ કરે છે.”
ઘરની વ્યવસ્થા નીચે જણુંવ્યા પ્રમાણે હેવી જોઈએ. તેને માટે વિવેક વિલાસમાં કહ્યું છે કે –
Page #121
--------------------------------------------------------------------------
________________
સપ્તમ ગુણ વર્ણન. “पूर्वस्यां श्रीगृहं कार्य-माग्नेय्यां च महानसम् ।
शयनं दक्षिणस्यां तु, नैऋत्यामायुधादिकम् ॥३॥ लुजिक्रिया पश्चिमायां, वायव्यां धान्यसङ्गहः॥ ઉત્તરસ્યાં નાન–નીરાવ્યાં રેવતા ” .
' રૂતિ વિશ્વવિદ્યારે શબ્દાર્થ—“લક્ષ્મીનું સ્થાન પૂર્વ દિશામાં, રડું અગ્નિ કોણમાં, શયન દક્ષિણ દિશામાં, સાદિક નિત્ય કોણમાં ભેજન ક્રિયા પશ્ચિમ દિશામાં, ધાન્ય સંગ્રહ વાયવ્ય કેણુમાં, જળનું સ્થાન ઉત્તર દિશામાં અને દેવમંદિર ઈશાણ કણમાં કરવું. ૩-૪”
વળી સ્થાન કેવા પ્રકારનું હોવું જોઈએ. તે સ્પષ્ટ રીતે દર્શાવે છે.
અતિ પ્રગટ અને અતિ ગુપ્ત સ્થાનનો નિષેધ હોવાને લીધે સ્થાન અતિ પ્રગટ અને અતિ ગુપ્ત ન હોવું જોઈએ. તેમાં અતિ પ્રગટ હેય તે નિચ્ચે સમીપમાં બીજા ઘર ન હોવાને લીધે અને ચારે તરફ ખુલ્લું હોવાને લીધે ચેરાદિકથી પરાભવ થાય, અને અતિ ગુપ્ત હોય તે ચારે તરફના બીજા મકાનેથી ઘેરાએલું હોવાને લીધે શેભાને પામતું નથી, અને અગ્નિ વિગેરેના ઉપદ્રવ વખતે મકાનમાં મુશ્કેલીથી પસી કે નિકળી શકાય છે.
વળી મકાન કેવા સ્થાનમાં હોવું જોઈએ તે બતાવે છે.
“કારિ વેરમ”—જ્યાં સુંદર શિળ વિગેરેથી અલંકૃત પાડેશી વસતા હેય તેવા સ્થાનમાં મકાન હોવું જોઈએ. જે ખરાબ શીળ[ આચાર] વાળા પાડોશી હોય તે ખરેખર તેમના આલાબ સાંભળવાથી અને ચેષ્ટા વિગેરે જેવાથી સદ્ગુણી પુરૂષના પણ ગુણની હાની આપે આપ થઈ જાય છે. ઊત્તમ સાધુના ઉપાશ્રયની પાસે રહેલા હાથીને સાધુના દર્શનથી દયાના પરિણામ થયા હતા, અને પાછળથી સૂકરીના રહેઠાણુ પાસે કરેલી હસ્તીશાળામાં રહેવાથી તેજ હાથી દયા રહિત થયે હતે, વળી ગાયે ચરાવનાર સંગમને સારા પાડેશીને યેગ મળવાથી તે પરલેકમાં શાલિભદ્રપણે ઊસન્ન થયે હતે. - આગમમાં નિષેધ કરેલા દુષ્ટ પડેશીએ તે આ પ્રમાણે છે. "खरिया तिरक्रवजोण, तासायरसमणमाहणसुसाणा । वग्गुरियवाहगुम्मिय, हरिएसु पुनिन्दमाचंधा ॥५॥
Page #122
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધ ગુણ વિવરણ, जूयारवेसं नम नट्ट नट्ट तह कुकम्मकारीणं । સંવારે વવિના, પરદા ૨ મિત્તી છે ૬ ”
શબ્દાર્થ “દાસી, તિર્યથી પેષણ કરનાર, તાલાચર [લાબેટા પાડીને ફરવા વાળા મશ્કરા, ] સાધુ, બ્રાહ્મણ, મશાન, મૃગલાં વિગેરેને ફાંસામાં નાંખનાર (પારાધી), વ્યાધિ, શિકારી વિશેષ ( જનાવરેની મદદથી શિકાર કરનાર), હરિકેશ ચંડાલ વિશેષ, ભિલલેક, માછી, જુગારી, વેશ્યા, નટજાતિ વિરોષ, ભાટ અને કુકર્મ કરવાવાળા પુરૂષના ઘર તથા દુકાનને પાડોશ અને મૈત્રીનો સર્વથા ત્યાગ કરે જોઈએ. ૫-૬”
. વળી ઘર દેવળની પાસે હોય તે દુઃખ, ચતુષ્પથ [ક] માં હોય તે હાનિ, ધૂર્તના મકાન પાસે હાયતા પુલનાશ અને મંત્રીના મકાન પાસે હોય તે દ્રવ્યને નાશ થાય છે. મૂર્ખ, અધમ, પાખંડી, મર્યાદા રહિત, ચેર, રેગી, ક્રોધી, અંત્યજ, અહંકારી, ગુરૂની શય્યા સેવનાર, શત્રુ, સ્વમિવંચક, શિકારી, અને સાધુ, સ્ત્રી તથા બાળકને ઘાત કરનાર અધમ પુરૂ પાડે આત્માનું હિત ઈચ્છાનાર બુદ્ધિમાન પુરૂ ત્યાગ કરવો જોઈએ. ખરાબ પાડોશીને વિષે અંબીકાનું ઉદાહરણ આ પ્રમાણે છે –
ગિરનાર પર્વતની નજીક કુબેરપુરમાં દેવભટ્ટ અને દેવીલાને પુત્ર સેમભટ્ટ નામે બ્રાહ્મણ રહેતું હતું. તેને સ્વભાવથીજ દાનપ્રિય અંબિકા નામે ભાર્યા હતી. તે બન્નેને સિદ્ધ તથા બુદ્ધ નામે બે પુત્રો હતા. એક વખતે શ્રાદ્ધના દિવસે અંબિકાએ એક માસના ઉપવાસી સાધુને ભક્તિ, શ્રદ્ધા અને આનંદથી દાન આપ્યું. અંબિકાના તે દાનને જોઈ જાણે સાક્ષાત રાક્ષબીજ હોય નહીં અને જાણે કલહની મૂર્તિજ હોય નહીં, એવી તેની કોઈક પાડોશણ ઉંચે હાથ કરી એકદમ ઘરમાંથી નિકળી હેટા શબ્દોથી જેમતેમ બોલવા લાગી. તે અરસામાં કોઈ ઠેકાણે ગયેલી તેની સાસૂ આવી પહોંચી. તે પાડે શણનાં વચન સાંભળી ક્રોધયુક્ત થયેલી તેની સાસૂએ સમભટ્ટને જણાવી દીધું. સમભટ્ટ બેલ્યો કે, “અરે પાપિણ ! હજુ સુધી કુળદેવતાની પૂજા થઈ નથી, પિતૃપિંડ ભર્યા નથી અને બ્રાહ્મણને પણ જમાડ્યા નથી અને તે આ શું કર્યું?” ઈત્યાદિ આક્રેશ વચનેથી તિરસ્કાર કરી ઘરમાંથી કાઢી મુકી, અંબિકા પણ પિતાના બે પુત્રને લઈ એકદમ ત્યાંથી નિકળી ગઈ. ગામમાં કોઈપણ ઠેકાણે સ્થાન નહીં મળવાને લીધે નગરની બહાર જતાં ચાલવાથી થાકી ગયેલી અંબિકા પાસે તેના બન્ને પુત્રએ જળ માગ્યું. આગળ એક શુષ્ક સરોવર જોવામાં આવ્યું, તે તેના શીળના પ્રભાવને લીધે જળથી ભરાઈ ગયું, અને એક શુષ્ક આમ્ર વૃક્ષ હતું તે પણ ફળ યુક્ત થઈ ગયું. હવે જળ તથા ફળ વિગેરેથી સુખી
Page #123
--------------------------------------------------------------------------
________________
સપ્તમ ગુણ વર્ણન.
૮૫ થયેલી અંબિકા આમ્રવૃક્ષની છાયામાં વિશ્રામ લે છે, તેટલામાં ઘરમાં ગયેલી તેની સાસૂ શીળના મહિમાથી તથા મુનિદાનથી પ્રસન્ન થયેલ શાસનદેવતાના પ્રભાવથી મુનિને દાન આપવાની જગામાં રહેલાં આસને સુવર્ણમય થયેલાં તથા સિક મૈક્તિકરૂપ થયેલાં અને રાઈનાં ભાજને જેવાં ને તેવાં ભરેલાં જોઈ ખુશી થઈને પુત્રને કહેવા લાગી કે, “હે પુત્ર! પતિવ્રતા અને ગુણવતી વહુને એકદમ તેની પાછળ જઈ પાછી તેડી લાવ.” સેમભટ્ટ પણ તેનું માહાભ્ય જોઈ પશ્ચાતાપ કરતે તેની પાછળ ગયે. ભર્તારને આવતે જોઈ ભય પામેલી અંબિકા પિતાના પુત્ર સાથે નજીકના કૂવામાં પડી. જૈન મુનિને આપેલા દાનના ધ્યાનમાં તત્પર થયેલી તે શુભ ધ્યાનથી કેહંડ નામના વિમાનમાં મોટી ઋધ્ધિવાળી અંબિકા નામની દેવી થઈ. લેકના અપવાદથી ભય પામેલા સેમભટ્ટે પણ તેજ કૂવામાં ઝંપાપાત કર્યો. તે પણ મરીને તેજ વિમાનમાં અભિગિક કર્મના ઉદયથી સિંહરૂપ ધારી દેવ થયે, અને તે અંબિકાના વાહન તરીકે થા. ઈતિ અંબિકા ઉદાહરણ સમાપ્ત. - હવે આ ગુણની સમાપ્તિ કરતાં ગ્રંથકાર ઉપદેશદ્વારા સારે પાડેશ રાખવા આગ્રહ કરે છે. "इत्यम्बिकावदिहकन्दलमत्सरादीन्,
कुप्रातिवेश्मिकतया प्रतिनाव्य दोषान् । કરતા વપરચેતનધિતો,
સુતિ વેફિવિશ્વ વિધીત વાત છે ! ” | શબ્દાર્થ—-“ઉપર જણાવ્યા પ્રમાણે આ લેકમાં અંબિકાની પડે ખરાબ પાડેશથી અપવાદ અને અદેખાઈ વિગેરે દેશોની પ્રાપ્તિ થાય છે એમ વિચારી શ્રાવક નિરંતર પિતાની અને પરની સુખ સમાધિ માટે સારા પાડેશવાળા મકાનમાં વાસ કરે. ૭ રિ સત્તા
T
9
E -
Page #124
--------------------------------------------------------------------------
________________
€
તલ
अष्टम गुण वर्णन.
ઊન
·--
વે ક્રમથી પ્રાપ્ત થયેલ સારા આચારવાળાના સગ કરવા ” રૂપ અષ્ટમ ગુણનુ વર્ણન કરે છે.
,,
66
સવારે ”—સુંદર આચાર અર્થાત્ આ લેક તથા
,,
પરલેક
ના હિતવાળી પ્રવૃત્તિ તેને સદાચાર કહે છે. તેવા સારા આચારવાળા પુરૂષોની સાથે સંગ કરનાર હોય. પરંતુ જુગારી, ધૃત્ત, બદમાસ, ભાટ, ભાંડ, અને નટ વિગેરેના સંગ કરે નહીં. કારણકે તેમના સંગ કરવાથી સદાચાર હાય તે પણ નાશ પામે છે. કહ્યું છે કેઃ—
:
66
“થવિ સપ્તનિરતો, જાવિષ્પત્તિ જ્ઞાવિષ્પત્તિ । अथाऽसज्जनगोष्ठीषु, पतिष्यसि पतिष्यसि ॥ १ ॥”
શબ્દાર્થ “ જો તું સત્પુરૂષની સંગતિમાં આસક્ત થઇશ તા સુખી થઇશ અને જો તું દુર્જનની સગતિમાં પડીશ તે દુ:ખમાં પડીશ. ૧
\
,
st
( નિશ્ચય નયથી ) સંગતિ સર્વ પ્રકારે ત્યાગ કરવા યોગ્ય છે. જો તે સથા ત્યાગ ન કરી શકાય તો સત્પુરૂષોની સાથે સ’ગ કરવા ચાગ્ય છે, કારણકે સંત પુરૂષો સંગતિનું ઔષધ છે. વળી કહ્યું છે કે “ તું સત્સંગનું મહાત્મ્ય તે ને ! પાર્શ્વ મણિના સંગથી લાğં સુવર્ણ થાય છે, અને કાચ સુવણુની સંગતિથી મણિની ગણત્રીમાં આવે છે. જેમ જળમાં ઉત્પન્ન થયેલા શ’ખ અગ્નિના સંબધથી દાહ ઉત્પન્ન કરે છે, તેમ સારા કુળમાં ઉત્પન્ન થયેલા પુરૂષ પણ કુસંગતિથી વિકારને પામે છે. મનુષ્યાકિ સચેતનના સંગતો દૂર રહેા, પરંતુ વૃક્ષમાં પણ સજ્જન દુર્જનપણું રહેલું છે. કારણકે અશોકવૃક્ષ શેનો નાશ કરે છે, અને કલિ (બેહેડાનુ) વૃક્ષ ફ્લેશ ઉત્પન્ન કરે છે, જેમ અશ્વ પાતળા હાય છે તે પણ શોભાને પામે છે, અને રાસભ પુષ્ટ હોય તોપણ શોભાને પામતા નથી; તેમ સજ્જન નિર્ધન હોય તા પણ તે શ્રેષ્ઠ ગણાય છે,
Page #125
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ ગુણ વર્ણન.
૮૭
પણ અધમ પુરૂષ ધનવાન હોય તા પણ તે શ્રેષ્ઠ ગણાતા નથી. ઉપાધિજન્ય દોષ તે દૂર રહેા, પરંતુ જેમ જ્ઞાનની સંગતિ થવાથી પ્રાણીનાં કર્મ નાશ પામે છે, તેમ સ્વભાવથી ઉત્પન્ન થયેલા પણ દોષ સારી સંગતિથી ચાલ્યા જાય છે. ”
એ પાપટનામાતા પિતા એકજ હાવા છતાં ભિલ્લાના સ’ગથી એકને અવગુણ થયા હતા, અનેમુનિયાના સંગથી ખીજાને ગુણ થયા હતા, એમ સંભળાય છે. “ હું રાજન્ !મ્હારા અને તે પક્ષીના માતા પિતા એકજ છે મને મુનીએ લાવ્યા છે, અને તેને ભિન્ન લેાકેા લઈ ગયા છે. હે રાજન્ ! તે પક્ષી ભિલ્લાની વાણી શ્રવણ કરે છે, અને હું મુનિ પુ ગવાની વાણી શ્રવણુ કરૂ છું. સંસર્ગથી દોષ અને ગુણ પ્રાપ્ત થાય છે, એ તમે પણ પ્રત્યક્ષ જોયું. ” વળી કહ્યું છે કેઃ—
" धर्मं यस्तदयो यशश्च्युतनयो वित्तं प्रमत्तः पुमान्, काव्यं निष्प्रतिनस्तपः शमदयाशून्योऽल्पमेधाः श्रुतम् । वस्त्वालोकमलोचनश्चलमना ध्यानं च वाञ्छत्यसौ,
यः सङ्गं गुणिनां विमुच्य विमतिः कल्याणमाकाङ्क्षति ॥२॥” શબ્દાર્થ—“ જેમ નિર્દય પુરૂષ ધર્મત, અન્યાચી યશને, પ્રમાદી પુરૂષ દ્રવ્ય ને, બુદ્ધિહીન કાવ્યને, સમતા અને દયારહિત પુરૂષ તપસ્યાના, અલ્પ બુધ્ધિ શ્રુત ને, નેત્રહીન પદાર્થ જોવાને, અને ચલચિત્તવાળા ધ્યાનને ઇચ્છે છે તેમ દુર્માંત ગુણીના સંગના ત્યાગ કરી કલ્યાણની ઈચ્છા રાખે છે. ૨ ”
સારી સ`ગતિના ઉપદેશ જેવી તેવી રીતે પ્રાપ્ત થતા નથી.આ સબધમાં લેાકમાં પ્રસિદ્ધ થયેલી પ્રભાકરની કથા આ પ્રમાણે છે.-~~
વીરપુર નગરમાં ષટ્ક માં તત્પર દિવાકર નામે બ્રાહ્મણ રહેતા હતા. તેને પ્રભાકર નામે એક પુત્ર હતા. તે કીમીયાગર, જુગારી, કજીયાખાર અને સર્વ ઠેકાણે નિર‘કુશ હાથીની પેઠે ઇચ્છા પ્રમાણે ભ્રમણ કરનાર હતા. તેના પિતાએ તેને આ પ્રમાણે શિખામણ આપી કે, “હે વત્સ! તું વ્યસનના ત્યાગ કર. જેને માટે કહ્યું છે ક્રેઃ
“ભૈરવૈશ્વાનરવ્યાધિવાવ્યસનનીk; |
महानर्थाय जायन्ते, वकाराः पञ्च वर्द्धिताः ॥ ३ ॥ શબ્દાર્થ..વૈર, વૈશ્વાનર (અગ્નિ), વ્યાધિ, વાઢ અને વ્યસનરૂપ આ પાંચ ભેંકારો વૃદ્ધિ પમાડવાથી મહાન્ અનર્થ થાય છે. ૩”
માટે હે વત્સ ! શાસ્રાનુ' અવગાહનકર, કાવ્યરસરૂપ અમૃતનું પાનકર, કળા
Page #126
--------------------------------------------------------------------------
________________
૮૮
શ્રાદ્ધ ગુણ વિવરણ એને અભ્યાસ કર, ધર્મ કર અને પિતાના કુળને ઉદ્ધાર કર.” એવી રીતે તેના પિતાએ શીખામણ આપી તે પણ તેને સામે ઉત્તર આપ્યું કે – " न शास्त्रेण क्षुधा याति, न च काव्यरसन तृट् ।।
एकमेवार्जनीयं तु, अविणं निष्फलाः कताः ॥४॥ , શબ્દાર્થ–“શાસ્ત્રાભ્યાસથી કઈ ક્ષુધા મટતી નથી,કાવ્યરસથી કંઈ તૃષા બુઝાતી નથી, માટે એકલા દ્રવ્યને જ ઉપાર્જન કરવું જોઈએ, બીજી કળાએ તે ફળ વિનાની છે. ૪”
આ પ્રમાણેની તેની ઉદ્ધતાઈ ભરેલી યુક્તિઓથી દુઃખી થએલે દિવાકર મૈન રહ્યા, પછી દિવાકરે પિતાના મૃત્યુ સમયે બીજી વખત સ્નેહથી પુત્રને બેલાવી આ પ્રમાણે કહ્યું, “હે પુત્ર! યદ્યપિ હારા વચન ઉપર તને શ્રદ્ધા નથી તે પણ હારૂં સમાધિથી મૃત્યુ થાય તે માટે આ એક શ્લેક તું ગ્રહણ કર" कृतज्ञखामिसंसर्ग-मुत्तमस्त्रीपरिग्रहम् ।
ન્મિત્રમેલો, ન નૈવાવનિતિ છે.” શબ્દાર્થ—“કૃત સ્વામીને સંસી, ઉત્તમ સ્ત્રીને સંગ્રહ અને નિર્લોભી પુરૂષની મૈત્રી કરનાર પુરૂષ કદિપણ દુઃખી થતો નથી, ૫”ઉપરનાકના તાત્પર્ય ને મળતા આ બીજા શ્લોકને અર્થ આ પ્રમાણે છે “ ઉત્તમ પુરૂષની સાથે સંગતિ કરનાર પંડિતની સાથે ગણી કરનાર, અને ઉદાર પુરૂષોની સાથે મૈત્રી કરનાર પુરૂષ કદિ પણ દુઃખી થતા નથી.”
આ શ્લેક પ્રભાકરે પિતાના આગ્રહથી ગ્રહણ કર્યો. કેટલેક વખતે તેને પિતા મૃત્યુ પામ્યું. પછી પ્રભાકરતે લેકની પરિક્ષા કરવાના ઈરાદાથીદેશાંતર જતાં કે ઈએક ગામમાં કૃતઘ અને તુચ્છ પ્રકૃતિવાળા સિંહ નામના ઠાકરની સેવા કરવા લાગ્યું. પ્રભાકરે તેજ ઠાકરની સૌથી અધમ દાસીને ભાર્ય તરીકે સ્વીકાર કર્યો, અને તેજ ગામના રહેવાસી, નિર્દાક્ષિણ્ય શિરોમણિ તથા કેવળ દ્રવ્યમાંજ લુબ્ધ થએલા લાભનદી નામે વણિકને પિતાને મિત્ર કર્યો. એક વખતે ઉપરી રાજાએ સિંહને બેલાવવાથી તે પ્રભાકરની સાથે રાજા પાસે ગયે. પ્રભાકર રાજાને પંડિત પ્રિય સમજી આ પ્રમાણે બેત્યેકે –મૂ મુખેંની સાથે, વૃષભ વૃષભની સાથે, હરિ હરિ
ની સાથે અને સદબુદ્ધિવાળા સદ્દબુદ્ધિવાળાની સાથે સંગતિમાં આવે છે. માટે મિત્રતા સમાન શાળવાળાની સાથેજ હેવી જોઈએ.” પ્રભાકરની આ યુક્તિથી સંતુષ્ટ
Page #127
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ ગુણ વર્ણન.
થયેલા રાજાએ ઘણા ગામે સહિત એક નગર આપવા માંડ્યું પણ તે નહીં લેતાં પ્રભાકરે સિંહને અપાવ્યું.
એવી રીતે પ્રભાકરે સિંહને અનેક પ્રકારે ઉપકાર કર્યો, દાસીને સુવર્ણનાં આ ભરણુ વિગેરે આપ્યાં, લોભનદીને પણ મહદ્ધિક બનાવ્યું. હવે સિંહ પાસે પિતાના 'જીવથી પણ અધિક વહાલો એક મયૂર હતું. તેનું માંસ ખાવાને દેહદ પ્રભાકરની દાસી ભાર્યાને ગર્ભના પ્રભાવથી ઉત્પન્ન થયો. પ્રભાકરે પિતાના આપેલા લેકની પરીક્ષા માટે રાજાના મયૂરને કઈ ઠેકાણે સંતાડી બીજા મયૂરના માંસથી દેહદ પૂર્ણ કર્યો. હવે સિંહે ભેજન વખતે મયૂરને ચારે તરફ તપાસ કરતાં કઈ પણ ઠેકાણેથી મળી આવ્યું નહીં, ત્યારે તેણે ગામમાં પડયે વગડાવ્યું કે, “જે પુરૂષ મયૂરની ખબર આપશે તેને રાજા એક્સે આઠ સેનાહેર આપશે, એવી રીતને પડહે સાંભલી
મને બીજે સ્વામી મળી આવશે એમ ધારી દ્રવ્યમાં લુબ્ધ થયેલી દાસીએ રાજાને કહ્યું કે, “હે રાજન્ ! મેં અટકાવ્યા છતાં પણ અત્યંત વિષયાસક્તિમાં નષ્ટ થયેલા આ પ્રભાકરે મહારે દેહદ પૂર્ણ કરવા માટે બીજે મયૂર નહીં મળવાથી તમારા મયૂરને મારી નાંખે છે.” એવું દાસીનું કહેવું સાંભળી સિંહની પેઠે ક્રૂર અને
ધયુક્ત થયેલા સિહે પ્રભાકરને પકડવા સુભટે મોકલ્યા. તે વૃતાંત જાણ ભયભીત થયેલે પ્રભાકર મિત્રને ઘેર ગયે, અને કહેવા લાગ્યું કે, “હે મિત્ર! હારી રક્ષા કર. રક્ષા કર ! એમ બોલતાં પ્રભાકરને લેભનંદીએ કહ્યું કે, “હે રાજાનું શું નુકશાન કર્યું છે?” પ્રભાકર-હેં હારી સ્ત્રી માટે રાજાને મયૂર મારી નાંખે છે.” મિત્રાધમ લેભનંદી-સ્વામીને હિ કરનાર, હારે માટે સ્થાન ક્યાં છે? બળતા પુળાને પોતાના ઘરમાં કેણ નાખે ? ” ઈત્યાદિ બેલનાર મિત્રના ઘરમાં યાવત્ પ્રવેશ કરે છે તેટલામાં લોભનંદીએ બુબાર કર્યો એટલે રાજાના સુભટ આવી તેને પકડી રાજા આગળ લઈ ગયા. તેને જોઈ ભ્રકુટી ચઢાવી સિંહ તિરસ્કાર પૂર્વક બે કે, “હે વિપ્રાધમ ! મહારા મયૂરને આપી દે અથવા ઈષ્ટ દેવતાનું સ્મરણ કરી લે.” તે વખતે પ્રભાકર દયામણે થઈ બોલ્યા કે, “હે રાજી તમે મ્હારા પિતા, સ્વામી અને શરણ રૂપ છે તેથી તખ્તાર આ સેવકને એક અપરાધ ક્ષમા કરે.” એ પ્રમાણે વિનંતિ કરી તે પણ અધમ પ્રકૃતિને લીધે તેને મારી નાંખવાને સુભટને સેંપી દીધું. તેઓએ તેનું કાંઈ પણ અનિષ્ટ કરવાની તૈયારી કરી તેટલામાં પ્રભાકરે યથાર્થ સ્વરૂપ નિવેદન કરી મયૂર સેંપી દીધે. તે પછી પ્રભાકર બે કે, “પિતાનું વચન દેવ સમાન કહેલું છે, જેનું ઉલ્લંઘન
૧૨
Page #128
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધ ગુણ વિવરણ. કરવાથી મને તત્કાળ આવું ફળ પ્રાપ્ત થયું.” આ પ્રમાણે કહી સિહની રજા લઈ પ્રભાકર આગળ ચાલ્યા. રસ્તામાં આ પ્રમાણે વિચાર કરવા લાગ્ય" वरं विहां सह पन्नगैनवेच्छठात्मनिर्वा रिपुभिः सहोषितम् । अधर्मयुक्त श्चपलैरपएिकतै न पापमित्रैःसह वर्तितुं क्षमम् ॥६॥ श्हैव हन्युर्जुजगा हि रोषिता, धृताऽसयश्छिमपेक्ष्य वाऽरयः। असत्प्रवृत्तेन जनेन सङ्गतः, परत्र चैवेह च हन्यते जनः ॥७॥ नृणां मृत्युरपि श्रेयान् , पण्डितेन सह ध्रुवम् । न राज्यमपि मूर्खेण, लोकघ्यविनाशिना ॥ ॥"
શબ્દાર્થ–સર્વેની સાથે વિચરવું અને શઠ પુરૂષ તથા શત્રુઓની સાથે વાસ કરવો સારે છે, પણ ધર્મહીન, ચપળ, મૂર્ખ અને પાપી મિત્રોની સાથે વર્તન કરવું પિગ્ય નથી. ગુસ્સે થયેલા સર્વે અને ખગને ધારણ કરનાર શત્રુઓ તો છિદ્રને જોઈ આ લોકમાંજ હણનારા થાય છે; પણ અસહ્મવૃત્તિ વાળા પુરૂષની સાથે સંગતિ કરનાર પુરૂષ ઉભય લેકમાં હણાયો.૭ પંડિતની સાથે રહેતાં મનુષ્યનું મરણ થાય તે પણ ખરેખર કલ્યાણકારી છે; પરંતુ ઉભય લોકને નાશ કરનાર મૂર્ખની સાથે રહેતાં રાજ્ય હોય તે પણ સારૂં નથી.”
અનુક્રમે પ્રભાકર સુંદરપુરમાં ગયા. ત્યાં હેમરથ નામે રાજા હતા, તેને કુવ્યસનને ત્યાગ કરનાર, કૃતજ્ઞ, વિક્રાપ્રિય અને લેકેને પ્રેમ સંપાદન કરવામાં કુશળ એ ગુણસુંદર નામે પુત્ર હતે. શાસ્ત્રાભ્યાસ કરવામાં તત્પર થયેલા તેને પ્રભાકરે નગરની બહાર છે. તેની પાસે જઈ પ્રભાકરે વિનય પૂર્વક પ્રણામ કર્યો. તે જોઈ કુમારે પણ પ્રસન્ન રષ્ટિથી અવલોકન કરવા રૂપ પૂજાથી પ્રભાકરની પૂજા કરી. કહ્યું છે કે – "प्रसन्ना हग् मनः शुषं, ललिता वाग् नतं शिरः ।
શ્વિયં પૂના, વિનાશિ વિજd સતામ્ ! ” શબ્દાર્થ–પ્રસન્ન દૃષ્ટિ, નિર્મળ અંતઃકરણ, સુંદર વાણી અને નમ્રીભૂત
Page #129
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ ગુણ વર્ણન.
૯૧ મસ્તક એ પુરૂષની અર્થિપુરૂષને વિષે સંપત્તિ વગરની સ્વાભાવિક પૂજા ગણાય
છે. ૯૦
- કુમારના નેહ યુકત આલાપ વિગેરે જઈ પ્રભાકર વિચાર કરવા લાગે કે, “અહે! આ કુમારની નિર્મળ મૂર્તિ, મિત અને મધુર વચન, નવીન ઔચિત્ય ચાતુર્યતા અને આત્માની નિર્મળતા કેવી આશ્ચર્યજનક છે ! કેટલાએક પુરૂષ બાલ્યાવસ્થાથી જ દ્રાક્ષની પેઠે મધુર હોય છે, કેટલાએક આમ્ર વૃક્ષની પિઠે કાલાંતરે મધુરતાને પ્રાપ્ત થાય છે, અને કેટલાએક તે ઇંદ્રવારણાના ફળની પેઠે વિપાકથી (પાકવાથી) કદિ પણ મધુર થતા નથી, અને જ્યાં આકૃતિ હોય ત્યાં ગુણે વાસ કરી રહે છે. એ પ્રમાણે નિશ્ચય કરી પ્રભાકર તેની સેવા કરવા લાગ્યું. તેથી કુમારે તેને રહેવા નગરની અંદર એક મકાન અપાવ્યું. પછી પ્રભાકરે ઉત્તમ સ્વભાવવાળી, સ્થિરતાવાળી અને વિયાદિક ગુણવાળી એક બ્રાહ્મણને પિતાની ભાય કરી, તથા મહાન ધનાઢ્ય, પરોપકારરૂપ વ્રતને ધારણ કરનાર અને પુરજનેમાં મુખ્ય એવા વસંત નામના વણિકને મિત્ર કર્યો. અનુક્રમે પિતા મરણ પામતાં ગુણસુંદર કુમાર રાજા થયે, અને સર્વ કાર્ય કરવામાં સમર્થ પ્રભાકર મંત્રી થયે. એક વખતે અશ્વના વેપારીઓએ બે જાતિવંત ઘોડાઓ રાજાને ભેટ કર્યા. તે ઉત્તમ લક્ષણવાળા હતા પરંતુ વિપરીત શિક્ષાને પામેલા હતા. તે બિના જાણ બહાર રહેવાને લીધે રાજા અને મંત્રી અને ઘેડા ઉપર આરૂઢ થઈ નગરની બહાર જઈ અ ખેલાવવાના થાનમાં અને ખેલાવી વેગ જાણવાની ઇચ્છાથી તે બન્નેએ અને ચાબુકને પ્રહાર કર્યો તેથી તે બને એટલા તે વેગથી ચાલી નિકળ્યા કે કઈ પણ તેઓની ગતિને પહોંચી શકે નહીં. અનુક્રમે વનમાં આમળાંના વૃક્ષ નીચેથી પસાર થતા નિશાનબાજ મંત્રીએ ત્રણ આમળાં ગ્રહણ કરી લીધાં. પછી તેમણે લગામ મુકી દીધી એટલે એકદમ બન્ને અ ઉભા રહ્યા. આ વખતે રાજાને તૃષા લાગી હતી તેથી મંત્રીએ એક આમળું આપ્યું ક્ષણવારમાં અતિ તૃષાતુર થયેલા રાજાને બીજું અને ત્રીજું આમળું આપ્યું. એવી રીતે ત્રણ આમળાથી કાળ ક્ષેપ કરતાં પાછળ રહેલું સૈન્ય આવી પહોચ્યું. પછી સ્વસ્થ થઈ નગરને વિષે આવી પહોંચ્યા. - હવે ગુણસુંદર રાજાને એક પાંચ વર્ષને પુત્ર હતો તે બાળ હરિણને સાથે લઈ હમેશાં મંત્રીના મકાનમાં કીડા કરવા આવતું હતું. એક વખતે મંત્રીએ
Page #130
--------------------------------------------------------------------------
________________
૯૨
શ્રાદ્ધ ગુણ વિવરણ,
'
રાજાની પરીક્ષા કરવા માટે કુમારને સતાડી દીધા. રાજાએ ભાજન વખતે કુમારની સવ ઠેકાણે તપાસ કરાવી પરંતુ કાઇ પણ ઠેકાણેથી તે મળી આવ્યે નહીં. તેથી ભ્રમિત થયેલાની પેઠે રાજા સ્થિર થઈ ગયા, અને રાજાના સઘળા પરિવાર પણ શ્યામ સુખ બની ગયા. આ અરસામાં કેઇએ શકા કરી કહ્યું કે “ કુમાર મંત્રીને ઘેર ગયા હતા. ” તેથી સ લેાકેાના ચિત્તમાં મંત્રી ઉપર શ`કા થઈ આવી. મત્રી પણ રાજસભામાં ગયા ન હતા તેથી તેની ભાર્યાં એટલી કે “ હે સ્વામિન્ ! આજે રાજસભામાં કેમ ગયા નથી. ” મંત્રીએ જવાબ આપ્યા કે “ હું પ્રિયે ! હું રાજાને સુખ દેખાડવાને સમર્થ નથી; કારણ કે આજે મ્હે રાજકુમારને મારી નાંખ્યા છે. ” ભાર્યાએ કહ્યું કે “ હે નાથ ! એ શું ? ” મંત્રીએ જવાબ આપ્યા કે “ ગઇ કાલે હૈં કહ્યું હતું કે ગર્ભના પ્રભાવથી આ રાજાના પુત્ર શત્રુની પેઠે મ્હારા નેત્રાને દાહ ઉત્પન્ન કરે છે, ’ તેથી મ્હે' ત્હારી ચિત્તની સમાધિ માટે તેને મારી નાંખ્યા છે. ” તે પછી ચિત્તામાં બળાપા કરતી મંત્રી પત્ની એકદમ વસંત મિત્રને ઘેર જઇ તેને સર્વ વૃતાંત કહી સંભળાવ્યેા. મિત્ર અત્યંત કૃતજ્ઞ હાવાથી “આ વાતમાં કાંઇ નથી. હું પોતેજ રાજાને ભેગા થઇશ.” એવી રીતે મંત્રી પત્નીને આશ્વાસન આપી પોતે રાજા પાસે ગયા, અને રાજાને વિનતિ કરી કે “ હે દેવ ! આ બાબતમાં મંત્રીના ખીલકુલ અપરાધ નથી.કિંતુ આ વિષયમાં મ્હારા પોતાનાજ અપરાધ છે. ” એવી રીતે યુક્તિથી કાંઇક લે છે તેટલામાં મંત્રીની પત્ની પણ આવી પહાચી અને તેણે જણાવ્યુ કે “ મ્હારા દાદ પૂર્ણ કરવા માટે આ ખીના બનેલી છે. ” તે પછી મંત્રી પણ આવી પહેાંચ્યા અને કપાયમાન શરીરવાળા તેણે વિનતિ કરી કે “ હે રાજન્ ! મ્હારા દુઃખથી દુ:ખી થયેલા વસંત અને મ્હારી પત્ની પેાતાના અપરાધ જાહેર કરે છે, પર`તુ સઘળા અપરાધ મ્હારાજ છે, તેથી મ્હારા પ્રાણા ગ્રહણ કરવા જોઈએ. ” તે પછી રાજા વિચાર કરવા લાગ્યા કે, ‘ આ મંત્રી બધી રીતે મ્હારૂ હિત કરનાર અને આમળાં આપી મને જીવતદાન આપનાર છે. ' એમ વિચારી રાજાએ લેક સમક્ષ માત્રિને કહ્યું કે “ હું મિત્ર ! તે વખતે જો ન્હેં મને આમળાનાં ફળ ન આપ્યાં હાત તા હુ ક્યાંથી,આ રાજ્ય ક્યાંથી, પુત્ર કયાંથી અને પરિવાર પણ ક્યાંથી હેત.” મત્રિએ કહ્યું કે,“હે સ્વામિન્ ! આમ હેવાથી તમારી કૃતજ્ઞતા પ્રગટ થાયછે;પણ તમારા પુત્રરૂપી રત્નને નાશ કરનાર મને તે દંડ આપવોજ જોઈએ.”ત્યારે રાજાએ કહ્યું,“ો એમ છે તે! ત્રણ આમળામાંથી એક આમળુ' વળી ગયુ. ’” એટલે મત્રિ બેલ્યા કે, “ હે દેવ ! હું સર્વ ગુણાધાર ! ને
""
Page #131
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ ગુણ વર્ણન. એ પ્રમાણે છે તે ત્રણ આમળાં રહેવા દે અને તમે કુમારની સાથે ચિરકાળ સુધી રાજ્ય કર.” એમ બેલી કુમારને લાવી રાજાને અર્પણ કર્યો. તે અવસરે કુમારને જોઈ સર્વને આનંદ થયો. “ હે મંત્રિન્ ! આ શું ? એમ રાજાએ પુછયું
એટલે મંત્રિએ પિતાના આદેશથી લઈને પિતાનું સંપૂર્ણ વૃત્તાંત કહી સંભળાવ્યું. તેના આ સ્વરૂપને જાણી લજા પામેલા રાજાએ મંત્રીને અદ્ધાસન ઉપર બેસાડી કહ્યું કે “હે મંત્રિન! મહેં જે અમૂલ્ય આમળાની પુત્ર સમાન તુલના કરી તે સહન કરવું.” ઈત્યાદિ પ્રીતિયુક્ત વાકયથી પ્રભાકરને ખુશી કર્યો. પછી ઉત્તમ સ્વામી વિગેરેની પરીક્ષા જેણે કરી છે એવા પ્રભાકર મંત્રીએ રાજા સાથે રહી ચિરકાળ રાજ્યનું પાલન કર્યું. હવે ગ્રંથકાર આ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશ દ્વારા સજજનને સંગ કરવા આગ્રહ કરે છે. "प्रनाकरस्यैव समीक्ष्य साक्षात्फलानि सगात्सदसज्जनानाम् । विवेकिना सौख्यगुणाद्यवाप्त्य, कार्यः सदा सज्जनसहरडः॥१॥m
શબ્દાર્થ_વિવેકી મનુષ્ય સજજન તથા દુર્જનના સંગથી જે ફળ પ્રાપ્ત થાય છે તેને પ્રભાકરની પેઠે સાક્ષાત જોઈ સુખ અને ગુણ વિગેરેને મેળવવા માટે હમેશાં સજજનને સંગ કરવો ઉચિત છે. ૧૦” તિ અષ્ટમ 0
ક
Page #132
--------------------------------------------------------------------------
________________
नवम गुण वर्णन.
હવે ક્રમથી પ્રાસ થયેલ “માતા પિતાની પૂજા કરવા રૂપ નવમા ગુણુનું' વર્ણન કરે છે.
,,
2.
“ માતાશ્ત્રિોત્ર જૂન : ગૃહસ્થાએ માતાપિતાની પ્રાતઃ, મધ્યાન્હ અને સાચ’કાળે પ્રણામાદિકે કરી પૂજા કરનાર થવુ જોઈએ. કહ્યું છે કેઃ—
" मातृपित्रादिवृद्धानां नमस्कारं करोति यः ।
तीर्थयात्रा फलं तस्य तत्कार्योऽसौ दिने दिने ॥ १ ॥ " શબ્દા— જે પુરૂષ માતા પિતા તથા વડીલ વર્ગને નમસ્કાર કરે છે તેને તીર્થ યાત્રા જેટલુ ફળ થાય છે, તે હેતુથી તેમને નિર ંતર નમસ્કાર કરવા જોઇએ.” ભાષા પૂજ્ય વર્ગમાં અગ્રેસર માતાપિતા છે. જેમ દેવપૂજા ત્રણ વાર કરવાની શાસ્ત્રમાં આજ્ઞા છે, તેમ માતાપિતા, વડીલ બધુ વર્ગ અને વૃદ્ધ કુટુંબ વર્ગ વિગેરેને પણ દિવસમાં ત્રણ વાર નમસ્કાર કરવાની આજ્ઞા છે. માટે તેમને હંમેશાં નમસ્કાર કરવા જોઇએ. જે પુરૂષો પાતાના પરોપકારી પૂજ્ય વર્ગની અવગણના કરે છે તે કઢિ પણ ધર્મ અંગીકાર કરવાને લાયક થતા નથી. જે માતાપિતાએ આપણા ઉપર અગાધ ઉપકાર કરે છે તેના બદલા કાઇ પણ રીતે વાળી શકાતા નથી. તેને માટે જૈનાગમમાં જણાવેલી ખીના આજ ગુણમાં આગળ જણાવેલી છે, તેથી અહી’યાં એટલુ’જ કહેવુ' ખસ થશે કે માતા પિતાનું પૂજન કરનાર ઘેર બેઠાં તીર્થયાત્રાનુ ફળ પ્રાપ્ત કરે છે; માટે હંમેશાં ત્રણ વાર ન બની શકે તે પ્રાતઃકાળમાં તેા માતાપિતા વિગેરે પૂજ્ય વર્ગને ધર્મ જિજ્ઞાસુ પુરૂષાએ અવશ્ય નમસ્કાર કરવા ચુકવું નહીં. સાંપ્રત કાળમાં ગુજરાત દેશમાં માતાપિતાને નમસ્કાર કરવા રૂપ પ્રચાર બહુધા લુપ્ત થઇ ગયા છે. પરંતુ આ પ્રચાર દક્ષિણ, મારવાડ અને પંજામ
Page #133
--------------------------------------------------------------------------
________________
નવમ ગુણ વર્ણન.
વિગેરે દેશોમાં દૃષ્ટિગોચર થાય છે. પણ જેવી રીતે શાસ્ત્રકાર ફરમાવે છે તેવી રીતે શ્રધ્ધા અને વિનય પૂર્વક જોવામાં આવતા નથી. તા જેને શ્રાવક ધર્મને ચાગ્ય થવું હાય તેણે શાસ્ત્રકારના ફરમાન મુજબ માતાપિતાર્દિક પૂજ્ય વર્ગનુ નમસ્કાર રૂપ પૂજન અવશ્ય કરવુ' જોઇએ. ‘ માતાપિતાને નિરતર નમસ્કાર કરનાર,” એ વિશેષણુથી સ્પષ્ટ જણાઈ આવે છે કે તેઓની આજ્ઞાનો ભંગ તા કરી શકાયજ નહીં. કારણકે વૃધ્ધાની આજ્ઞાનુસાર વર્ત્તન કરવું તેનેજ આગળ ઉપર શાસ્રકારે પૂજન કહેલું છે.
કેટલાએક કુપુત્રા સહેજ વાતમાં માતાપિતાની સામે થઇ તેમનાં હિતકારી અને અમૂલ્ય વચનાની અવજ્ઞા કરે છે. તેમનું નમસ્કાર અને આજ્ઞા પાલન રૂપ પૂજન તા દૂર રહ્યું, પણ અવસર આવે તેમના શરીર ઉપર પ્રહાર કરતાં પણુ અચકાતા નથી. આવા જીવા પ્રાયે કરી ધર્મને અયેાગ્ય હાય છે, અને તે પરલેકમાં જરૂર દુર્ગતિને આધીન થાય છે. તે વિવેકી પુરૂષાએ માતાપિતાની અવજ્ઞા કરનાર અધમ પુરૂષના સ’સર્ગ પણ કરવા વ્યાજબી નથી. કાઈ કારણસર અથવા અજ્ઞાનતાને લીધે માતાપિતાની પ્રકૃતિ દુઃસહ્ય હાય તાપણુ . ઉત્તમ પુત્રાએ તે તેમની નમસ્કારાદિ પૂજા કરી. જેવી રીતે તેમના ચિત્તને સમાધિ રહે તેવી રીતે વન કરવુ' એ ઉચિત છે. ‘ આ માતાપિતાના ભક્ત છે ’ એમ લેાકેાને બતાવવા ખાતર નહી', પણ અંતઃકરણની ખરી ભક્તિથી પૂજ્યવર્ગની પૂજામાં જોડાવુ જોઈએ; કારણ કે પ્રાણી માત્રને સંસારમાંથી તારનાર સ્થાવર અને જંગમ એમ એ તીથા કહ્યાં છે; તેમાં સ્થાવર તીર્થાંની સાથે માતાપિતાની સામ્યતા અતાવી છે. જો કે ગ્રથત્તાઁએ સ્મૃતિ પુરાણાદિકનાં વચના ટાંકી માતાપિતાને સ્થાવર તીર્થાંથી પણ અધિક શ્રેષ્ઠ ખતાવ્યા છે, તોપણ ઉપરના ક્લાક શ્વેતાં માતાપિતાની શત્રુંજયાદિ તીથૅની સાથે સામ્યતા બતાવી છે તેને તે કઈ પણ ના કહી શકે તેમ નથી. આ ઠેકાણે તાત્પ એવા છે કે, જે પુરૂષ હંમેશાં માતાપિતાની નમસ્કાર રૂપ પૂજા કરનાર ડાય છે તેજ પુરૂષ વિધિપૂર્વક તીર્થયાત્રા અને તીર્થોનું બહુમાન વગેરે કરી શકેછે. માટે માતાપિતાના પૂજક થઇ હંમેશાં તીર્થયાત્રા જેટલું ફળ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થવુ જોઈએ.
વળી તેમને પરલેાકમાં હિતકારી અનુષ્ઠાનને વિષે જેડવાથી, આલાક તથા પરલેાકના સ’પૂર્ણ વ્યાપારોની અંદર તેમની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી, ઉત્તમ વર્ણ અને ગંધયુક્ત પુષ્પ તથા ફળ વગેરે વસ્તુની ભેટ મુકવાથી અને નવીન
Page #134
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધ ગુણવિવરણ અન્ન તથા વસ્ત્રાદિ તેમના ઉપભેગમાં આવ્યા પછી ઉપયોગમાં લેવાથી માતાપિતાની પૂજા થાય છે. આથી વિપરીત કરવું તે અનુચિત છે. “ પારાવિત”
એ વાક્યમાં દૂ સમાપ્ત થયેલ છે. તેથી મા શબ્દમાં ચા ઉમેરાય છે, અને પિતાથી માતા વિશેષ પૂજનીક હોવાથી માત્ત શબ્દને પૂર્વમાં નિપાત કર્યો છે. જે કારણથી મનુ કહે છે કે –
ઉપાધ્યાપારાવાર્થ, વાર્તા, રા પિતા
સાં તુ વિતુર્માતા, ગૌરyડતિ િ ” શબ્દાર્થ –“ દશ ઉપાધ્યાય કરતાં એક આચાર્ય, સે આચાર્ય કરતાં એક પિતા અને હજાર પિતા કરતાં એક માતા ગેરવતામાં અધિક છે. ”
વળી અડસઠ તીર્થો, તેત્રીશ કોડદેવતા, અને અદ્યાશી હજાર કવિએ માતાના ચરણમાં વસે છે. વડીલે પતિત થયા હોય તે તેમને ત્યાગ કરે ઉચિત છે, પરંતુ માતા ગર્ભ ધારણ અને પિષણ કરવાથી વિશેષ ઉપકારી છે, માટે માતાને કદિ પણ ત્યાગ કરે નહિ. હે ભારત! સમૃતિઓમાં જે અડસઠ તીર્થો કહ્યાં છે તેનાથી ગંગા શ્રેષ્ઠ છે, અને માતા તેનાથી પણ અધકિ શ્રેષ્ઠ ગણાય છે. શ્રાદ્ધના અધિકારમાં પ્રથમ માતાનું, તે પછી પિતાનું અને તે પછી માતામહ વિગેરેનું શ્રાદ્ધ કરવામાં આવે છે. આ પ્રમાણે વૃદ્ધના શ્રાદ્ધ કરવામાં કેમ બતાવ્યું છે. વળી
"आस्तन्यपानाजननी पशूना-मादारलम्नावधि चाधमानाम् । आगेहकावधि मध्यमाना-माजीविता तीर्थमिवोत्तमानाम्॥३॥" | શબ્દાર્થ–પશુઓને જ્યાં સુધી સ્તન્યપાન કરાવે ત્યાં સુધી, અધમ પુરૂષને સીની પ્રાપ્તિ થાય ત્યાં સુધી, મધ્યમ પુરૂષોને ઘરનું કામ કરે ત્યાં સુધી અને ઉત્તમ પુરૂષોને જ્યાં સુધી જીવે ત્યાં સુધી માતા તીર્થ રૂપ છે. ૩” વળી આગમમાં પણ
___“तिएहं दुप्पमिआरं समणाउ सो तंजहा अमापिउणो भट्टिदायगस्स વખારિયા ઈત્યાદિ હે શ્રમણ ! હે આયુષ્યમાન્! માતાપિતા, સ્વામી અને
Page #135
--------------------------------------------------------------------------
________________
નવમ ગુણ વર્ણન. -
૯૭
ધર્માચાર્ય એ ત્રણ જણને બદલે દુખે કરી વાળી શકાય છે. તેમાં કેઈ કુલીન પુરૂષ હમેશાં પ્રાતઃકાળમાં માતા-પિતાના શરીરને શત પાક તથા સહસ્ત્રપાક તેલથી મર્દન કરી, સુગધીવાળા ચૂર્ણથી ઉદ્વર્તન કરી, ગદક, ઉષ્ણદક અને શીતદક એ ત્રણ પ્રકારના જળથી સ્નાન કરાવી, સર્વ અલંકારથી વિભૂષિત કરી, અઢાર પ્રકારના વ્યંજન (શાક દાળ) વિગેરે યુક્ત અને મને તથા તપેલી વિગેરેમાં રાંધવાથી બબર પરિપકવ થયેલું ભેજન જમાડી જ્યાં સુધી જીવે ત્યાં સુધી માતાપિતાને પિતાની પીઠ ઉપર ઉપાડીને ફરે તે પણ માતાપિતાને પ્રત્યુપકાર થતું નથી, અર્થાત્ માતાપિતાના ઉપકારને બદલે વળતું નથી. વળી જે તે કુલીન પુરૂષ માતાપિતાને ધર્મ સંભળાવી, ધર્મને બંધ કરી અને ધર્મના ભેદ સમજાવી કેવળજ્ઞાનીના કથન કરેલા ધર્મમાં સ્થાપન કરે તે માતાપિતાના ઉપકારને બદલે વળે. (સ્વામી સેવકના સંબંધમાં પણ ઉપરની માફક યથાયોગ્ય જાણું લેવું )..
વળી કોઈ સુગુણ પુરૂષ ઉત્તમ ગુણવાળા સાધુ અથવા શ્રાવક પાસેથી શાસ્ત્રાનુસાર ધર્મ સંબંધી ઉત્તમ વાક્ય શ્રવણ કરી તથા મનથી ધારણ કરી આયુષ્ય સમાપ્ત થતાં મરણ પામી કઈ પણ દેવલોકમાં દેવ પણે ઉત્પન્ન થયો હોય તે વખતે તે દેવ પિતાના ધર્માચાર્યને દુર્મિક્ષ દેશથી સુભિક્ષ દેશમાં લાવીને મુકે, છાયા તથા જળ રહિત અરણ્યમાંથી સુપ્રદેશમાં લાવી મુકે, અને લાંબા કાળના વ્યાધિથી આકુળ વ્યાકુળ થયેલાને રેગ રહિત કરે તે પણ તેમને પ્રત્યુપકાર થતું નથી. પરંતુ જો તે સુગુણ પુરૂષ પિતાના ધર્માચાર્યને કેવળજ્ઞાનીના કથન કરેલા ધર્મથી ભ્રષ્ટ થયેલા જોઈ વારવાર ધર્મ સંભળાવી, ધર્મને બંધ કરાવી અને ધર્મના બીજા ભેદ સમજાવી કેવળ જ્ઞાનીના પ્રરૂપેલા ધર્મમાં સ્થાપન કરે તે ધર્માચાર્યના ઉપકારને બદલે સારી રીતે વળે છે. તેજ કારણથી ત્રિભુવન ગુરૂ અને કેવળજ્ઞાનદિવાકર શ્રીમદ્ વીર વિભુ પિતાના બ્રાહ્મણ માતાપિતાને પ્રતિબંધ કરવા માટે બ્રાહ્મણકુંડ ગામના ઉપવનમાં પધાર્યા હતા. તે સાંભળી તેમને વંદન કરવા માટે દેવાનંદા અને ત્રાષભદત્તનું ત્યાં આગમન થયું હતું. તે અવસરે શ્રીમન્મહાવીર સ્વામીનું દર્શન થતાંજ દેવાનંદાના સ્તનમાંથી દૂધની ધારા છૂટી તે જોઈ ઇંદ્રાદિક દેવેની સભાની અંદર શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો કે, “હે ભગવન ! આમ થવાનું શું કારણ હશે?” તેમણે જણાવ્યું કે “હે ગતમ! આ દેવાનંદા પ્રથમની હારી માતા છે.” શ્રી ચૈતમસ્વામીએ બીજી વાર પૂછ્યું કે
હે ભગવન આ દેવાનંદા કેવી રીતે આપની માતા છે? ” ભગવાને પિતાનું દેવાનંદાના ગર્ભમાં આગમન અને ઇંદ્રના આદેશથી હરિણગમેષિ દેવે કરેલું ગર્ભનું હરણ વિગેરે પૂર્વ સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળી તેમના માતાપિતાને પ્રતિબંધ થવાથી તેમણે દીક્ષા ગ્રહણ કરી, અનુક્રમે અગીયાર અંગનું પઠન કરી કેવળજ્ઞાન પ્રાપ્ત
૧૩
Page #136
--------------------------------------------------------------------------
________________
૯૮
શ્રાદ્ધ ગુણ વિવરણ.
કરી મોક્ષને પ્રાપ્ત થયા. એજ વિષયમાં કહ્યું છે કે –
“वीरजिणपुवपियरो, देवानंदा उसनदत्तो अ। श्कारसंग विनणो, होऊणं सिवसुहं पत्ता ॥४॥
શબ્દાર્થ–મહાવીર સ્વામીનાં પ્રથમનાં માતાપિતા દેવાનંદ અને રાષભદત્ત અગીયાર અંગને જાણ થઈ મેક્ષસુખને પ્રાપ્ત થયા. ૪”
એવી જ રીતે ભીષ્મપિતામહે માતાપિતાની આજ્ઞાનું પાલન કરવા તેમના મનને સમાધિ કરવા અને તેમને ખુશી રાખવા માટે પાણિગ્રહણ નહીં કરવું વિગેરે બાબતની પ્રતિજ્ઞા કરી હતી. પ્રથમ રાજાના પુરોહિત શ્રી આર્યરક્ષિત ચોદ વિદ્યાનું અધ્યયન કરી દશપુર નગરમાં આવ્યા, તે વખતે રાજા પ્રમુખ લોકોએ તેમને મહત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યો, તે જોઈ સર્વ લેકેને આનંદ થયો, પરંતુ માતાનો હવ જોવામાં ન આવતાં તેમને માતાના મનની સમાધિ માટે તેનું કારણ પુછી માતાની રજા લઈ તેષલી પુત્રાચાર્યની પાસે દષ્ટિવાદને અભ્યાસ કરવા માટે ગયા. ત્યાં તેમણે દિક્ષા ગ્રહણ કરી અનુક્રમે પિતાના માતાપિતા ભાઈ વિગેરેને પ્રતિબધ કર્યો. માતા પિતાના ઉપલક્ષણથી કલાચાર્ય, શ્રેષ્ઠી, અને ધર્મગુરૂ વિગેરેનું ગ્રહણ કરવું. કહ્યું છે કે –
માતા પિતા વેલવા, પાં જ્ઞાતિ તથા વૃદ્ધા ધર્મોપદ્દેદારો, ગુવઃ સતાં મતિઃ હા ” શબ્દાર્થ–માતા, પિતા, કલાચાર્ય, તથા તેમના ગારીય, વૃદ્ધ અને ધર્મો પદેશ આપનાર એટલાને પુરૂષોએ ગુરૂ વર્ગ માને છે. પ” વળી કહ્યું છે કે
જ્ઞઃ પત્ની ગુરઃ પત્ની, મિત્રપત્ની તથૈવ જા श्वश्रूर्माता च, माता च, पञ्चैता मातरः स्मृताः॥६॥ जनेता चोपनेता च, यश्च विद्यां प्रयच्छति ।
अन्नदाता जयत्राता, पञ्चैते पितरः स्मृताः ॥७॥" શબ્દાર્થ– વળી રાજપત્રી, ગુરૂપવી, મિત્રપત્ની, સારૃ અને પિતાની માતા એ પાંચ માતા કહેવાય છે. ૬ જન્મ આપનાર, સંસ્કાર કરનાર વિદ્યા આપનાર, અન્ન આપનાર અને ભયથી રક્ષણ કરનાર એ પાંચ પિતા કહેવાય છે. ૭ ”
"सहोदरः सहाध्यायी, मित्रं वा रोगपासकः।
Page #137
--------------------------------------------------------------------------
________________
નવમ ગુણું વર્ણન
मार्गे वाक्यसखा यस्तु, पञ्चैते भ्रातरः स्मृताः ॥॥" શબ્દાર્થ—“ સદર, સાથે અભ્યાસ કરનાર, મિત્ર, વ્યાધિમાં રક્ષણ કરનાર અને માર્ગમાં વાતચિત્ત કરનાર એ પાંચ ભાઈઓ કહેવાય છે. ૮” એ આદિ બીજા પણ નમસ્કારરૂપ પૂજાને પગે જાણી લેવા.
હવે ગ્રથ કર્તા આ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા માતાપિતાની પૂજા કરવાને આગ્રહ કરે છે – कृतज्ञतामात्मनि संविधातुं, मनस्विना धर्ममहत्वहेतोः। पूजाविधौ यत्नपरेण माता-पित्रोः सदा नाव्यमिहोत्तमेनाए॥" | શબ્દાર્થ– આ લેકમાં પ્રશસ્ત મનવાળા ઉત્તમ પુરૂષે પિતામાં કૃતજ્ઞતાનું આરે પણ કરવાના અને ધર્મની શ્રેષ્ઠતા વધારવાના હેતુથી, હમેશાં માતાપિતાની પૂજા કરવામાં પ્રયત્ન કરવા ઉઘુક્ત થવું જોઇએ. ૯” કૃતિ નવમો ગુનઃ ||
Page #138
--------------------------------------------------------------------------
________________
Fઉપર
दशम गुण वर्णन.
– –
Bી
શ્રા
વકના પાંત્રીશ ગુણ પૈકી નવમા ગુણનું વિવરણ પૂર્ણ કરી “ઉપદ્રવવાળા સ્થાનને ત્યાગ કરવા” રૂપ દશમા ગુ.
'
'
એ
શુનું વર્ણન કરે છે.
ત્યનનુvgi સ્થાનમ–વળી ધર્મની ગ્યતા મેળવનાર ગૃહસ્થ સ્વચક્ર પરચકના વૈરથી દુષ્કાળ, મરકી, સાત ઈતિઓ અને પ્રજાના પરસ્પર કલેશથી ઉપદ્રવવાળા ગામ કે નગરાદિક સ્થાનને ત્યાગ કરનાર હોય. જે તેવા સ્થાનનો ત્યાગ કરવામાં ન • આવે તો પ્રથમ ઉપાર્જન કરેલા ધર્મ, અર્થ અને કામ વિગેરેનો નાશ હોવાથી અને નવીન ધર્મ અર્થ કામનું ઉપાર્જન નહી થવાથી તેના ઉભય લેકનો નાશ થાય છે. જેમ દ્વારિકાના ઉપદ્રવ વખતે દ્વારિકાના અને વવભીના ભંગ વખતે વલભીના લોકોના ઉભય લેકને નાશ થયે હ. અથવા ધમ, અર્થ અને કામ વિગેરેને અડચણ કરનાર ભિલ્લ પલ્લી પ્લેગામ અને દેવગુરૂની સામગ્રીથી રહિત નગરાદિકને ઉપયુત કહે છે. તેવા સ્થાનમાં ધર્મ, અર્થ અને કામની ઈચ્છા રાખનાર પુરૂષે વાસ કરવો નહીં. કારણકે તેવા સ્થાનમાં રહેવાથી ચેર, સ્ત્રીલંપટ અને દુષ્ટ રાજા વિગેરેના સંસર્ગથી ધર્મ અને અર્થની હાની થાય છે. તેમજ દેવદર્શન, ગુરૂનું આગમન અને સાધર્મિકના સંસર્ગ વિગેરેને અભાવ હોવાથી નવીન ધર્માદિકનું ઉપાર્જન પણ થઈ શકતું નથી. કહ્યું છે કે
सद्धर्मदुर्गसुस्वामिव्यवसायजनेन्धने । वजातिलोकरम्ये च देशे प्रायः सदा वसेत् ॥१॥
Page #139
--------------------------------------------------------------------------
________________
દશમ ગુણ વર્ણન.
गुणिनः सुकृतं शौचं, प्रतिष्ठा गुणगौरवं । अपूर्वज्ञानलालश्च, यत्र तत्र वसेत्सुधीः ॥२॥ यत्र देशे न सन्मानं, न बुद्धिर्न च बान्धवाः । न च विद्यागमः कश्चिन्न तत्र निवसेडुधः ॥ ३॥ अनायके न वास्तव्यं, न वास्यं बालनायके स्त्रीनायके न वास्तव्यं, न वास्यं बहुनायके ॥४॥ बासराज्यं नवेद्यत्र, राज्यं यत्र वा नवेत् । स्त्रीराज्यं मूर्खराज्यं वा, यत्र स्यात्तत्र नो वसेत् ॥५॥
શબ્દાર્થ –શ્રેષ્ઠધર્મ, કિલ્લે, સાર સ્વામી, વેપાર, જળ, ઈધન, અને પિતાની જાતિના લોથી મનહર હેય એવા દેશમાં પ્રાયે કરી ધર્માથી પુરૂષ હમેશાં વાસ કરે iા જે દેશમાં ગુણિજને રહેતા હોય, પુણ્યકાર્ય થતાં હૈય, પવિત્રતા હય, માન જળવાતું હોય, ગુણેનું ગૌરવ થતું હોય અને અપૂર્વ જ્ઞાનને લાભ થતો હોય તેવા દેશમાં બુદ્ધિમાન પુરૂષ વાસ કરે. ૨. જે દેશમાં સન્માન, બુદ્ધિ, બાંધે અને કઈ પ્રકારની વિદ્યાની પ્રાપ્તિ ન હોય તેવા દેશમાં પંડિત પુરૂષ વાસ કરે નહીં. ૩ જે દેશમાં નાયક ન હય, બાળ નાયક હેય, સ્ત્રી નાયક હોય અને ધણું નાયક હોય તેવા દેશમાં વાસ કરે નહીં. ૪. જે દેશમાં બાળકનું રાજ્ય હય, જ્યાં બે રાજાઓનું ભેગું રાજ્ય હેય અને જ્યાં મૂર્ખનું રાજ્ય હેય તેવા દેશમાં વાસ કરે નહીં. . પ . આ બીનાને શાસ્ત્રકાર ઉદાહરણ આપી સ્પષ્ટ રીતે જણાવે છે તે આ પ્રમાણે છે.
પદ્મપુર નગરમાં નિર્વિચાર નામે રાજા અને તેને પાષાણભેદી નામે મંત્રી હતે. એક વખતે માળવાધિપતિ શ્રી વિક્રમરાજા સ્ત્રીના રાજ્ય તરફ જતાં પદ્મપુરમાં આવી ચડે અને ત્યાં કેટલાક દિવસ રહ્યું હતું. તે એક વખતે રાજસભામાં ગયે હત તે વખતે નિર્વિચાર રાજાની પાસે એક ચેરી માતા આ પ્રમાણે બેલી રહી હતી “હે રાજન? મ્હારે પુત્ર પાંચ પ્રકારના ચોરના આચારથી ચોરી કરતે હતે. તેને ધન્યછીના ઘરમાં ખાતર પાડતાં ત્રુટિ પડતી ભીંતે મારી નાખે છે. તેથી હું તમારી આગળ ન્યાય માગું છું.” આ વાત સાંભળી રાજાએ શ્રેષ્ઠીને બેલા અને ચાર
માય વિગેરેને વૃત્તાંત પુછયે. શ્રેષ્ઠોએ કહ્યું કે તેમાં મહારે શે દોષ? તે તે ભીંત * ચણનારા મીસ્ત્રીઓ જાણે” રાજાએ તેમને પણ લાવ્યા. તેઓએ જવાબ આપ્યો કે
“ઘર ચણતી વખતે એક વેશ્યા હમારા જોવામાં આવી અને તેના રૂપથી હમારાં ચિતે
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૦૨
શ્રાદ્ધ ગુણ વિવરણ.
વિહવળ થવાને લીધે ભીંત બરાબર ચણી શક્યા નહીં તેમાં હમારે શેષ?' રાજાએ વેશ્યાને બેલાવી પુછયું. વેશ્યાએ જવાબ આપ્યો કે “રસ્તામાં જતાં મ્હારા સામે કોઈક દિગંબર (નિર્વસ્ત્ર પુરૂષ) આવ્યો તેની મને લજા આવવાથી તે માર્ગ છેડી
જ્યાં ભીંત ચણાતી હતી તે માર્ગથી હું ગઈ હતી.” આ વાત સાંભળી વેશ્યાને રાજાએ છેડી દીધી. પછી રાજાએ દિગબરને બેલા અને તેને પુછયું પણ તે કાંઈ બે નહીં, એટલે રૂષ્ટ થયેલા નિર્વિચાર રાજાએ તેને શૂળીએ ચઢાવવાની આજ્ઞા કરી તે પછી કોઈએ રાજા પાસે આવી કહ્યું કે તે શૂળીમાં માતા નથી. રાજાએ આદેશ કર્યો કે શૂળી ઉપર જે માય તેને શૂળી ઉપર ચઢાવો આ પ્રમાણે આદેશ થતાં રાજાના શાળાને શૂળી ઉપર ચઢાવી દીધે. કહ્યું છે કે“ विचारयति कस्तत्त्वं, निर्विचारे नृपे सति।
राजोक्त्या राजशानोऽपि, शूखायामधिरोपितः ॥६॥ * શબ્દાર્થ – જ્યાં રાજા નિર્વિચાર હોય ત્યાં તેનો વિચાર કોણ કરે? જુઓ રાજાની ઉકિતથી રાજાના સાળાને પણ શુળી ઉપર ચઢાવી દીધે પે ૬ ”
આ પ્રમાણે જઈ આ નગરની પ્રજા કેવી રીતે સુખી થતી હશે.? એમ વિચાર કરતે શ્રીવિક્રમરાજા પિતાના કાર્ય માટે ચાલ્યો ગયો, આવા નગરમાં વાસ કરે તે લાભકારક નથી. કહ્યું છે કે – “ यदि वांच्छति मूर्खत्वं, वसेद्रामे दिनत्रयम् ।
अपूर्वस्यागमो नास्ति, पूर्वाधीतं विनश्यति ॥ ७॥ સંથા– - ગરથ પુરે નિવ, તમવિ ફુલાવયા કથા • तत्थ सया वसियव्वं, पनरजलं इंधणं जत्थ ॥ ७ ॥
શબ્દાર્થ– મુર્ખતા મેળવવાની ઇચ્છા હોય તો જે ગામમાં અપૂર્વ જ્ઞાનની પ્રાપ્તિ નથી અને પૂર્વનું ભણેલું નાશ પામે છે તેવા ગામમાં ત્રણ દિવસ વાસ કરે છે વળી જ્યાં જિનેશ્વરનું મંદિર હય, જ્યાં સિદ્ધાંતના જાણુ સાધુ અને શ્રાવકે વસતા હેય, અને જ્યાં પ્રચુર જળ તથા ઇંધણ મળતાં હોય ત્યાં હમેશાં રહેવું જોઈએ. ૮ ન કદી સાધુજનેના વિરહવાળો દેશ ઘણુ ગુણવાળો હોય તે પણ ધમાંથી પુરૂ તેવા દેશમાં રહેવું જોઈએ નહીં. અથવા દુષ્કાળ, પરચકને ઉપદ્રવ, મરકી વિગેરેને સૂચવનારા અનેક ઉત્પાતેથી પરાભવ પામેલા સ્થાનને ઉપપ્પત કહે છે તે આ પ્રમાણે
Page #141
--------------------------------------------------------------------------
________________
દેશમ ગુણ વર્ણન.
૧૦૩
mon
છે—જ્યાં દેવની મૂર્તિઓ અને પર્વતે કંપતા હોય, જ્યાં દેવની મૂર્તિઓ પરસેવાવાળી થતી હોય અને હાસ્ય કરતી હોય, જ્યાં નદી કઈક વખતે રૂધિર જેવા જળને વહન કરતી હોય; તથા નિમિત્ત શિવાય વૃક્ષ ઉપરથી રૂધિર અને ફેન વિગેરેની વૃષ્ટિ થતી હોય, જ્યાં સ્ત્રીઓને મસ્તક રહિત ધડ ઉત્પન્ન થયું હોય, ત્યાં ઘેર દુષ્કાળ અને પરચકના ઉપદ્રવ સાથે ચતુષ્પદને નાશ થાય. જ્યાં બે માથાં ચાર કાન અને ચાર નેત્રવાળે બાળક ઉત્પન્ન થયો હોય તેવા દેશમાં પરચકનું આગમન થાય. અને દુર્ભિક્ષ પડે એમ સૂચવે છે. ઈત્યાદિ સવિસ્તર જણાવી દશમા ગુણને ઉપસંહાર કરતાં ગ્રંથકાર ટૂંકમાં સારાંશ બતાવે છે-- " उपद्रुतं वैर विरोधमारि-खचक्रमुख्यैर्नगरादि यत्स्यात् ।
न या चैत्यं च सुसाधुयोगो, न तत्र धीमान् विदधीत વાત તિરરાનો ગુk |
શબ્દાર્થ–જે નગરાદિક શત્રુ, વિરોધ રાખનાર, મરકી અને સ્વચક વિગેરેથી ઉપદ્રવ યુક્ત હેય; અને જ્યાં જિનમંદિર તથા સારા સાધુને પેગ ન હોય તેવા નગરાદિકમાં બુદ્ધિમાન પુરૂષ વાસ કરે નહિ. I II દતિ દશમ ગુણ: .
Page #142
--------------------------------------------------------------------------
________________
છે
કે
છે
एकादश गुण वर्णन. -- -
હs વે ગૃહસ્થને “નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ નહીં કરવા રૂપ = અગીયારમા ગુણનું વર્ણન કરે છે.
મટ્ટર હિતે” –વળી દેશ, જાતિ, કુલ અને કાળ વિગેરેની અપેક્ષાએ જે નિંદિત કાર્ય હોય તેને ગહિત કહે છે. તેવા કાર્યમાં (ધમી પુરૂષ) પ્રવૃત્તિ કરનાર ન હોય, તેમાં દેશહિત કર્મ આ પ્રમાણે છે. સવીરદેશમાં કૃષિ કર્મ અને લાટ દેશમાં મદિરા ઉત્પાદન કરવાની ક્રિયા કરવી તેને દેશગહિત કહે છે. બ્રાહ્મણને મદિરાપાન કરવું તથા તલ, લુણ, લાખ અને લેઢા વિગેરેને વેપાર કરે એ જાતિની અપેક્ષાએ નિંદિત કર્મ ગણાય છે. તથા કુળની અપેક્ષાએ ચાલુક્યને મદિરાપાન કરવું તે કુળથી નિંદિત કર્મ છે. કાળની અપેક્ષાએ બ્રાહ્મણને નિશ્ચિત કર્મ આ પ્રમાણે છે –
'अग्निहोत्रं गवातम्नं, संन्यासं पलपैतृकम् ।
देवराच्च सुतोत्पत्तिं, कलौ पञ्च विवर्जयेत् ॥ १॥ | શબ્દાર્થ –“હેમ, ગાયને વધ, સંન્યાસ, પૂર્વજોને માંસના પિંડ અને દીયરથી પુત્રની ઉત્પત્તિ કરવી એ પાંચ કલિયુગમાં (બ્રાહ્મણે) ત્યાગ કરે ?”
વળી જ્ઞાનપૂર્વક જિનધર્મ અંગીકાર કરનાર શ્રાવકોએ પંદર કર્મદાનથી વેપાર કરે, કાળ વખતે કે રાત્રિએ ભજન અને અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ કરવું વિગેરે શ્રાવકેને ગહિત કર્મ કહેવાય છે. તેવાં ગહિત કર્મ કરનાર શ્રાવકેનાં બીજા પણ ધમકા ઉપહાસ્યને માટે થાય છે. કહ્યું છે કે– . " अनुचितकारम्नः, प्रकृतिविरोधो बलीयसा स्पर्धा । प्रमदाजनविश्वासो, मृत्युघाराणि चत्वारि ॥२॥
Page #143
--------------------------------------------------------------------------
________________
એકાદશ ગુણ વર્ણન.
૧૦૫
શબ્દાર્થ—અન્ય કર્મને આરંભ, પ્રજાની સાથે વિરોધ, બળવાનની સાથે સ્પર્ધા અને સ્ત્રી જાતિને વિશ્વાસ આ ચારે મૃત્યુનાં દ્વાર છે. . 1 ii .
ભાવાર્થ_“અનુચિતજ્ઞા જે કાર્ય પિતાને ઉચિત ન હોય તે કાર્ય કરવાનો આરંભ કરે તે મૃત્યુના દ્વાર સમાન છે. જેમકે મુનિપણું ગ્રહણ કરીને પ્રાણુંતિપાત, મૃષાવાદ, ચોરી, મૈથુન અને પરિગ્રહ વિગેરેમાં નિમગ્ન થવું, રેલ વગેરે વાહન દ્વારા પ્રયાણ કરવું, મંત્ર, જંત્ર, તંત્ર ઔષધિકામણ, ટુમણ, વશીકરણાદિકનું કરવું કરાવવું, ઈર્ષો અહંકારને વશ થઈ પિતાના આત્મિક કર્તવ્યને ભૂલી જઈ ધર્મકાર્યને જલાંજલી આપી ગૃહસ્થોને કરવા ગ્ય કાર્યમાં ગૃહસ્થની સાથે ખટપટમાં ઉતરવું, એકના પક્ષમાં ઉભા રહી બીજાને પરાજય કરવા પ્રયાસ કરે, પિતાને કકે ખરે કરવા લેકેની ખુશામત કરી પોતે ધારેલા કાર્યને પાર પાડવા નિરંતર મચ્યા રહેવું, ઉત્તમ પુરૂ ઉપર અસત્ય આક્ષેપ મુકી તેમને જાહેરમાં હલકા પાડવા પ્રયાસ કરે, ગુના ગુણે ઉપર દ્વિષ ધારણ કરી તેની નીંદા કરવામાં મચ્યા રહેવું, વીર રસની પુષ્ટી કરી શ્રેતાઓને પાણી ચઢાવવું, વ્યાખ્યાનમાં શૃંગારાદિક રસનું પિષણ કરી શ્રોતાઓને તદ્દમય બનાવવા, સ્ત્રી વિગેરેની વિકથા કરી પિતાના અમૂલ્ય સમયને ગુમાવી દે, સ્ત્રીઓના સંસર્ગમાં આવવું, જ્ઞાતિના ઝગડાઓમાં ભાગ લઈ તેના ફેસલા આપવા, રાજ વિરૂદ્ધ કાર્યને ઉત્તેજન આપવું, અને પોતાના કે પરના આત્માને ઉદ્ધાર કરવાનું જે મુખ્ય કાર્ય છે તેને ભૂલી જવું વિગેરે વિગેરે કાર્યો મુનિઓને અનુચિત ગણાય છે. તેમજ ગૃહએ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવને વિચાર કરી પિતાની શક્તિ જોઈ જેમાં ખરેખર આત્મ લાભ સમાએલ હોય તેવા ઉચિત કાર્યમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. અમુક વખતે અમુક કાર્ય અનુચિત ગણાય છે અને તેજ કાર્ય અમુક સોગમાં બીજી વખતે ઉચિત થાય છે, તેથી અમુક કાર્યો કરતાં પહેલાં આજુબાજુના સગોને વિચાર કરી કાર્યોને આરંભ કરે. ધર્મ વિરૂદ્ધ, રાજ વિરૂદ્ધ, દેશ વિરૂદ્ધ, અને લેક વિરૂદ્ધ વિગેરે અને બીજા પણ આ લેક અને પરલેકને હાનિ પહોંચાડનાર કાર્યોને આરંભ કસ્તાં પહેલાં મન સાથે વિચાર કરવામાં આવે તો કઈ વખત પણ અનુચિત કાર્ય કરવાને પ્રસંગ આવે જ નહીં. આ શિવાયનાં ગૃહને બીજા કયાં કાર્યો અનુચિત છે તે ગ્રંથકારે જુદા જુદા ગુણેમાં પ્રસંગોપાત જણાવ્યાં છે. તેથી અત્રે લખ્યાં નથી. પણ અનુચિત કાર્ય આરંભ કરનાર મૃત્યુના દ્વારને પ્રાપ્ત થાય છે તે વાત ધ્યાનમાં રાખી પિતાના અને બીજાના આત્માનું કલ્યાણ જેમાં સમાયેલું હોય અને આ ભવ સંબંધી તથા ભવાંતર સંબંધી નાના પ્રકારની વિડંબના સહન ન કરવી પડે તેવા ઉચિત કાર્યમાં પ્રવૃત્તિ કરવી અને અનુચિત કાર્યથી તે દુરજ રહેવું જોઈએ.
૧૪
Page #144
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધ ગુણ વિવરણ.
રિવિરોધ–પ્રજાવર્ગની સાથે વિરોધ કરે તે પણ ધમ પુરૂષોને ઉચિત નથી. કારણ કે ગમે તેટલી સાવચેતી છતાં પણ માણસ જાતની ભુલ થયા શિવાય રહેતી નથી. કારણ કે પ્રાણી માત્રને કર્મોની સાથે અનાદિનો સંબંધ છે. અને તેને લઈને હમેશાં ભુલ થવા સંભવ છે. બીજા પ્રાણુઓ કસ્તાં માનુષ્ય જાત વિશેષ સમજુ છે, તે પણ અનાદિકાલના અભ્યાસને લઈને ભુલ થતાં વાર લાગતી નથી. શ્રતધર જેવા મહા જ્ઞાની પુરૂ જેઓ સંસારની સંપૂર્ણ અસારતાને સારી રીતે સમજે છે, અને તેવા અસાર સંસારથી મુક્ત થવા અતિ તીવ્ર ઉપયોગથી ધર્મકાર્યમાં પ્રવૃત્તિ કરે છે. છતાં પ્રમાદને વશ થઈ તેઓથી પણ ભુલ થઈ જાય છે. તે અલ્પની ભુલ થાય તેમાં નવાઈ જેવું નથી, તેથી આવી વખતે પ્રજાવર્ગવિધી હેવાથી તેઓ આવી ભુલને લાભ લઈધન, આબરૂ અને શરીરાદિકને અડચણ કરવા ચક્તા નથી, તેથી પણ વધીને રાજા અને અમલદાર વર્ગના કાન ભરી ભુલ કરનારને ખરાબ કરવા માટે બનતી કેશીસ કરી ખરાબ કરે છે. માટે પ્રજાવર્ગ કે અમુક સમુદાય સાથે વિરોધ કરે એગ્ય નથી. તે વિરોધ કરનારને મૃત્યુનું દ્વાર સમીપમાં છે એમ સારી રીતે સમજવું. પ્રજાવર્ગ કે સમુદાયની સાથે વિરોધ તે દૂર રહો પણ એક વ્યક્તિની સાથે પણ વેર વિરોધ રાખવે ઉચિત નથી. શાસ્ત્રની દષ્ટિએ જોતાં સમરાદિત્ય જેવા મહાત્માને એક પક્ષના વિરેધને લઈને કેટલું સહન કરવું પડ્યું છે. આ પ્રસિદ્ધ બીના પ્રાયે કેઈથી અજાણ નથી, માટે વિરોધ કરતાં પહેલાં આવા મહાત્મા પુરૂષનાં ચરિત્રે ધ્યાનમાં લાવી સર્વથા વિરોધ કરતાં અટકવું જોઈએ, અને તેમ કરવાથી સંસારીક અને ધાર્મિક કાર્યમાં પ્રજાવર્ગ અડચણ કરતા થતું નથી.
વલીયા પ –બળવાન સાથે હરિફાઈ કરવી તે પણ ગ્ય નથી. કદાચ કેઈ કારણને લઈને હરીફાઈથઈ જાય તો નિર્બળને પિતાને બચાવ કરતાં ઘણું અડચણ પડે છે. તેથી જાણું જોઈને બળવાનની સાથે હરીફાઈ કરવાથી દૂર રહેવું ઘણું સારું છે. અને જે તેમ કરવામાં ન આવે તે પોતે નિર્બળ છતાં બળવાન સાથે હરીફાઈ કરનારને મૃત્યુનું દ્વાર કાંઈ દૂર નથી. જો કે મનબળ, વચનબળ, કાબળ, જ્ઞાનબળ, ધનબળ, કુટુંબબળ, અને રાજબાળ વિગેરે બળ ગણાય છે, તે આ બધામાંથી જે બળની સાથે સ્પદ્ધ કરીને તેમાં સામો માણસ વિશેષ બળવાન હોય તે પાછું હઠવું પડે છે. અને તેની સાથે વિરોધ થાય છે. કદી કોઈ માણસમાં શરીરબળ વધારે હોય અને ધનબળ ન હોય તે એકાદ વખતે તે શરીરબળથી ધનવાનને પરાજય કરી શકે છે. પણ પાછળથી તે પરાભવને બદલો લેવા ધનવાન પોતાના ધનબળથી શરીરબળવાળાને ભાડે રાખી અથવા તે બીજી યુક્તિ કરી તેને પરાભવ કરતા ચૂક્ત નથી. માટે પ્રથમ તે
Page #145
--------------------------------------------------------------------------
________________
એકાદશ ગુણુ વર્ણન.
કોઇની સાથે પણ સ્પā કરવી ચેાગ્ય નથી તેમાં પણ વિશેષ હેાય તેની સાથે તા હરીફાઇમાં ઉતરવાથી ઘણું ખમવુ પડે છે.
પ્રમતાનન વિશ્વાસઃ—પ્રાયે સ્ત્રી વર્ગને કદી પણ વિશ્વાસ કરવા ચૈાગ્ય નથી, કારણકે સ્રી ગમે તેવી બુદ્ધિશાળી હેાય તે પણ તેનુ મનઃ પુરૂષના જેટલું ગભીર, વિચારશીળ અને સહનશીળતાવાળુ' હાવાના સ’ભવ થાડા છે. તેથી ક્રૂ પુરૂષા તેમને અનુકૂળ લાલચ આપી હરેક રીતે ફ્રાસલાવી પટાવી તેના હૃદયમાં રહેલી ગુપ્ત ીનાને સહેલાઇથી મેળવી શકે છે, તેમજ તેના ઉપર ઘેાડુ પણ શારીરિક કષ્ટ આવી પડતાં પેાતાના મન ઉપરને કાબુ ગુમાવી દે છે અને પેાતાના પતિને કે સ્વજનને ગમે તેટલી હાનિકારક વાત હેાય તે પણ તેવી વાતને પ્રગટ કરવામાં ખીલકુલ વિચાર કરતી નથી. માટે અતિ ગૃહ્ય વાત કે જે પ્રગટ થવાથી પેાતાને ગામને કે દેશને હાનિ થાય તેવી અથવા તા જેનાથી પેાતાની આજીવિકા ચાલતી હેાય તેવા વેપાર ઉદ્યાગની ગુપ્ત વાત સ્ત્રી પાસે કદી પણ કરવી યેાગ્ય નથી. ઉપર જણાવેલી ખીના ઘણે ભાગે ઘણી સ્ત્રીઓના એવા સ્વભાવ હેાવાથી અત્રે લખવાની જરૂર પડી છે. નહીં તેા ઈતિહાસિક નજરે જોતાં શીળવતી અને અને પદેવી જેવી અનેક સ્ત્રીએ પેાતાના પતિને રાજકામાં સલાહુ આપનારીએ અને ગભીર, સહનશીળ અને વિચારશીળ વિગેરે ઉત્તમ ગુણવાળી જોવામાં આવે છે. ઉપરાંત ખામત માટેના ઉદાહરણા શાસ્ત્રકારોએ ઘણે ઠેકાણે આપેલાં છે તેથી તેવાં ઉદાહરણેા અત્રે લખ્યાં નથી.
છે.
૧૦૦
ઉપરોક્ત ગહિત કર્યાં પ્રાયે કરી વિવેકી અને ધર્મની યેાગ્યતાવાળા પુરૂષો માટે અધમી માટે નથી. તેને માટે કહ્યું છે કેઃ—
પણ
*
" पौरोहित्यं रजनिचरितं ग्रामणीत्वं नियोगो, मावापत्यं वितथवचनं सादिवादः परान्नम् । धर्मिद्वेषः खलजनरतिः प्राणिनां निर्दयत्वं,
मा भूदेवं मम पशुपते जन्मजन्मान्तरेऽपि " ॥३॥
શબ્દાર્થ:—પુરોહિતપણું, રાત્રિએ ( સ્વેચ્છાએ ) ભ્રમણ, ગામનું નાયકપણ', અધિકારીપણું, માનુ અધ્યક્ષપણુ, અસત્ય વચન, સાક્ષિ આપવી, બીજાનું અન્ન ખાવું, ધર્મી ઉપર દ્વેષ રાખવા, દુર્જન ઉપર પ્રેમ રાખવા અને પ્રાણીઓ ઉપર નિર્દયતા રાખવી એ સર્વે હું મહાદેવ ( શિવ ) મને દરેક જન્મમાં પ્રાપ્ત ન થાઓ. ॥૩॥ વળી ખરાબ વેપાર કરનારને આશ્રિ કાઈ સ્થળે કહ્યું છે કેઃ—
Page #146
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધ ગુણ વિવરણ.
" हस्तौ दानविवर्जितौ श्रुतिपुटौ सारस्वतघोहिणी, संचाबुञ्चितवित्तपूर्णमुदरं गर्वेण तुङगं शिरः। चक्षुः साधुविलोकनेन रहितं पादौ न तीर्थाध्वगौ, भ्रातः कुकर मुञ्च मुञ्च सहसा निन्द्यस्य निन्द्यं वपुः ॥॥" अधिकारात्रिनिर्मासैर्मागपत्यात्रिनिर्दिनैः। शीघ्रं नरकवाञ्च्छा चेत् दिनमेकं पुरोहितः ॥५॥ दश शूनासमश्चक्री, दश चक्रिसमो हिजः।
રા દિગતના વેશ્યા, તેરા વેસ્થાનમઃ કૃપ: છે . ” શબ્દાર્થ –“ દાનથી રહિત બે હાથ, શાસ્ત્રદ્રોહી બે કાન, રૂસવતથી લુટેલા દ્રવ્ય ભરેલું પેટ, અહંકારથી ઉંચું થયેલું મસ્તક, સાધુના દર્શનથી પરાક્ષુખ ને, અને તીર્થ તરફ ગમન નહીં કરનાર પગ એવા આ હાર નિંદનીકમાં પણ નિંદનીક શરીરને એકદમ ત્યાગ કર ૪ ” ત્રણ મહીનાને અધિકાર ભેગવવાથી અને ત્રણ દિવસ મઠનું અધ્યક્ષપણું કરવાથી દુર્ગતિ થાય છે. જે આથી પણ શીધ નરકમાં જવું હોય તો એક દિવસ પુરોહિત થા. | ૫ | દશ કસાઈ સમાન એક કુંભાર, દશ કુંભાર સમાન એક કલાલ, દશ કલાલ સમાન એક વેશ્યા, અને દશ વેશ્યા સમાન એક રાજા ગણાય છે. આ ૬ . વળી કહ્યું છે કેअकर्त्तव्यं न कर्त्तव्यं, प्राणैः कण्ठगतैरपि ।
વ્યમેવ કર્તવ્ય, ગ્રાઃ ઈતૈિરવિ | ડ છે” શબ્દાર્થ કંઠ સુધી પ્રાણ આવે તોપણ જે કરવા યોગ્ય નથી તે કરવું નહીં અને કંઠ સુધી પ્રાણ આવે તો પણ જે કરવા યોગ્ય છે, તે કરવું જ જોઈએ. . ૭ ”
| ભાવાર્થ–પ્રાણિએ હમેશાં પોતાના કર્તવ્યને વિચાર કરવા ગ્ય છે. જેમ અવ્યસ્થિત ચિત્તે સ્થાનનિર્ણય કર્યો શિવાય ગતિ કરનાર કરતાં, સ્થાનને નિર્ણય કરી તે તરફ ગતિ કરનાર માણસ પોતાના ઈચ્છિત સ્થાનને જલદી મેળવી શકે છે. તેવીજ રિતે હું કેણ, મારે શું કર્તવ્ય છે, દેશ કોલ કર્યો છે. સાનુકૂળ કે પ્રતિકૂળ કોણ છે, તથા મહાકું કર્તવ્ય શું છે, મહારૂં કુળ અને જાતિ કેવી છે, કયું કાર્ય કરવાથી મહારા આત્માને લાભ થશે ઈત્યાદિ બાબતોનો વિચાર કરી પિતાનું કર્તવ્ય નક્કી કરે છે.
Page #147
--------------------------------------------------------------------------
________________
એકાદશ ગુણ વર્ણન.
અને જે પેાતાના આર‘ભેલા ઉત્તમ કાર્યના પ્રાણાંતે પણ ત્યાગ કરતા નથી તેમજ અકર્ત્તવ્યને પણ કાઇ પ્રકારે અંગીકાર કરતા નથી તે પેાતાની ધારેલી તેમ શીઘ્ર પાર પાડી શકે છે, હાલ તેા કર્ત્તવ્યના વિચાર કર્યા શિવાય અજ્ઞાનથી ગતાનુગતિક પ્રવૃત્તિ કરવામાં પોતાનું કર્ત્તવ્ય માને છે તેથી કત્તવ્યને બદલે અકર્ત્તવ્યને કર્ત્તવ્ય સમજી તેના આરલ કરવામાં આવે છે, માટે પેાતાની ધારેલી તેમ પાર પાડી શક્તા નથી; માટે પોતે આર ભેલા ગમે તેવા કાર્યને વચ્ચમાંજ મુકી દેવુ' પડે છે અને તેથી અતાભ્રષ્ટ તતભ્રષ્ટ થાય છે. માટે કાર્ય કરતાં પહેલાં ઉપર બતાવ્યા પ્રમાણે વિચાર કરવા અને પછી આભેલા સારા કાર્યને પ્રાણાંત થતાં પણ તે કાર્યને ત્યાગ કરવે નહીં, તેવીજ રીતે પેાતાને, સ્વજનને, દેશને, જાતિને અને રાજને જે અહિતકારી કન્ય હોય તેને કદી પણ અંગીકાર કરવા પ્રયાસ કરવા નહીં. આ ઠેકાણે આરેાગ્યદ્વિજનું ઉદાહરણ આ પ્રમાણે છે.——
૧૦૯
ઉજ્જયિણ નગરીમાં માલ અવસ્થાથીજ ઘણા રેગી હાવાથી રેાગ એવા નામથી પ્રસિદ્ધ થએલા એક બ્રાહ્મણ હતા. તે સમ્યકત્વ પૂર્વક અનુવ્રત વગેરે શ્રાવકના શુદ્ધ આચારેાને પાલણ કરવામાં તત્પર હાવાને લઇને એક ઉત્તમ શ્રાવક હતા. તેણે રેગના પ્રતિકારની સામગ્રી પ્રાપ્ત થતી હતી તે પણ તેણે રાગને સહન કરવાનેાજ આશ્રય લીધે। અને વિચાર કર્યાં કે –
66
पुनरपि सहनीयो दुःखपाकस्त्वयायं,
न खलु भवति नाशः कर्मणां संचितानाम् । इति सह गणयित्वा यद्यदायाति सम्यकू, सदसदिति विवेकोऽन्यत्र नूयः कुतस्ते ॥ ८ ॥ अवश्यमेव जोक्तव्यं कृतं कर्म शुभाशुभम् । नाजुकं दीयते कर्म कल्पकोटिशतैरपि |||"
શબ્દા —હે આત્મન્ ! ત્હારે આ દુ:ખના ફળનું પરિણામ બીજી વખત પણ સહન કરવાનું છે. કારણ ચિત કરેલાં કના ખરેખર ભોગવ્યા શિવાય નાશ થતા નથી, તેથી કર્મો સાથે છે પ્રેમ ગણીને જે જે આપત્તિ આવી પડે તેને સારી રીતે સહન કર. બીજે ઠેકાણે બીજી વાર હું આત્મન્ ! તને સદ્યસદ્ભિવેક કયાં મળવાના છે. ? ॥૮॥ કરેલુ' શુભ અથવા તેા અશુભ કર્મ અવશ્ય ભાગવવુંજ પડે છે. કારણ તે કર્મ ભાગન્યા શિવાય કલ્પની સેકડા કાટ થઈ જાય તાપણુ નાશ થતું નથી. ॥ ૯॥
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૧૦
શ્રાદ્ધ ગુણ વિવરણ.
એવી રીતે સહન કરનાર તે રેગ બ્રિજની ઇંદ્ર આ પ્રમાણે પ્રશંસા કરી “અહો આ રેગ દ્વિજ મહાસત્વ વાળો છે. જેની પાસે રેગના અનેક પ્રત્યુપકારો પ્રાપ્ત થયેલા છે તે પણ તેની ઉપેક્ષા કરી રેગની પીડાને સહન કરે છે ” પછી આ વાતની શ્રદ્ધા ન થવાથી બે દેવતાઓ વૈદ્ય થઈ પૃથ્વી ઉપર આવી બેલ્યા કે “હે રેગ બ્રાહ્મણ ! અમે તને રોગમાંથી મુક્ત કરી છે પરંતુ રાત્રિમાં મધ, મદિરા, માંસ અને માખણને ઉપભેગ કરે પડશે.” એવું વૈદ્યનું કહેવું સાંભળી, સુરેદ્રથી પણ અધિક પ્રતિષ્ઠાવાળે રેગ બ્રાહ્મણ વિચાર કરવા લાગ્યો “કેવળ સામાન્ય કુળમાં ઉત્પન્ન થયે હોય તે પણ પુરૂષને લેક અને લેકે ત્તરમાં નિંદિત કર્મને ત્યાગ કરે તેજ પ્રતિકાને હેતુ છે.”કહ્યું છે કે-- " न कुलं वृत्तहीनस्य प्रमाणमिति मे मतिः।
अन्त्यष्वपि प्रजातानां वृत्तमेव विशिष्यते ॥ १०॥"
શબ્દાર્થ:–“સારા આચરણથી રહિત એવા મનુષ્યનું કુલ ઉત્તમ હોય તે પણ તેવું કુળ કાઈ પ્રમાણભુત થતું નથી એમ મહારું માનવું છે. કેમકે ચંડાલાદિક જાતિમાં ઉત્પન્ન થએલાનું કુળ અધમ છે, તે પણ તેનું આચરણ સારું હોય તે તે શ્રેષ્ઠ ગણાય છે. તે ૧૦ | ”
“વળી બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થએલાની હારી તે વાત જ શી ? તેમાં પણ વિશેષે કરી હમણું જૈનધર્મને અંગીકાર કરનાર મહારાથી આ નિદિત કર્મ કરવું કેમ ઉચિત ગણાય? ” વળી કહ્યું છે કે -- " निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु, लक्ष्मीः समाविशतु गच्चतु वा यथेष्टं । अद्यैव वा मरणमस्तु युगान्तरे वा, न्याय्यात्पथः प्रविचनन्ति पदं न धीराः ॥११॥"
શબ્દાર્થ – નીતિમાં નિપુણ એવા પુરૂષે નિંદા કરે અથવા તો સ્તુતિ કરે, લક્ષ્મી ઇચ્છા પ્રમાણે ઘરમાં પ્રવેશ કરે અથવા જાઓ અને આજેજ અથવા તે યુગાંતરમાં મરણ થાઓ; પરંતુ ધીર પુરૂષે ન્યાય માર્ગથી એક પગલું પણ ચલાય માન થતા નથી ૧૧ ” ઉપર પ્રમાણે વિચાર કરી છે. બ્રાહ્મણ બે “હે. વિદ્યા ! હું બીજાં પણ પવિત્ર ઔષધોથી રંગને ઉપાય ઇચ્છતું નથી તો વળી સર્વ લેક અને શાસેથી નિંદિત અને ધમ પુરૂષને અગ્ય એવાં આ ઔષધોથી
Page #149
--------------------------------------------------------------------------
________________
એકાદશ ગુણ વર્ણન.
૧૧૧
મહારે શું પ્રજન છે?” વળી કહ્યું છે કે– “मद्ये मांसे मधुनि च, नवनीते तक्रतो बहिर्जीते।
नत्पद्यन्ते विपद्यन्ते, ससूक्ष्मा जन्तुराशयः ॥ १२॥" सप्तग्रामेषु यत्पापमग्निना नस्मसात्कृते । तदेतज्जायते पापं, मधुबिन्दुप्रनदणात् ॥ १३॥ यो ददाति मधु श्राद्धे, मोहितो धर्मलिप्सया । स याति नरकं घोरं, खादकैः सह लम्पटैः॥ १४॥ શબ્દાર્થ – મદિર, માંસ, મધ, અને છાશથી જુદા કરેલા માખણમાં સક્ષ્મ એવા જંતુને સમૂહ ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે ૧૨ / અગ્નિથી સાત ગામ બાળતાં જે પાપ થાય તેટલું પાપ મધના એક બિંદુના ભક્ષણથી થાય છે. | ૧૩ . જે પુરૂષ ધર્મની ઇચ્છાએ મોહિત થયેલ શ્રાદ્ધમાં મધ આપે છે તે પુરૂષ લોલુપ એવા ખાનારાઓની સાથે ઘર નરકમાં પડે છે. તે ૧૪ | ” ઇત્યાદિ રેગબ્રાહ્મણ વિદ્યાને કહે છે, તે તે બંને વિદ્યાએ રેગબ્રાહમણના સ્વજનેને તે બીના જણાવી દિધી અને તેઓએ રાજાને જણાવી. તેથી સ્વજન અને રાજાદિક સમુદાય ભેગે થયે અને અને તે રેગદ્વિજને શાસસંબંધી વાર્તાલાપ કરી રેગનો ઉપાય કરવામાં પ્રવૃત્તિ કરાવવા લાગ્યું. તે આ પ્રમાણે છે –
" शरीरं धर्मसंयुक्तं रक्षणीयं प्रयत्नतः । રરરરૃવત્ત ધર્મ, તાત્સલિલં ચ . ૨૫ . ”
શબ્દાર્થ – ધર્મ સહિત શરીરનું પ્રયત્નથી રક્ષણ કરવું જોઇએ. કારણકે જે શરીરનું રક્ષણ કરવામાં ન આવે તે જેમ પર્વત ઉપરથી જળ ખરી જાય છે તેમ શરીરમાંથી ધર્મ ખરી જશે. . ૧૫ ખરેખર શરીર ધર્મસાધનનું એક મુખ્ય કારણ ગણાય છે, વળી કહ્યું છે કે" यस्मिन् सर्वजनीनपीनमहिमा धर्मः प्रतिष्ठाङ्गतोयस्मिंश्चिन्तितवस्तुसिधिसुखद: सोऽर्थ: समर्थ: स्थितः । यस्मिन्काममहोदयौ शमरसीकाराजिरामोदयौ सोऽयं सर्वगुणालयो विजयते पिएम: करण्डोधियाम्॥१६॥"
Page #150
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધ ગુણ વિવરણ.
શબ્દાર્થ:- જે શરીરમાં સ જનાને હિતકારી અને પુષ્ટ મહિમાવાળા ધર્મ પ્રતિષ્ઠાને પામ્યો છે, જે શરીરમાં મનવાંચ્છિત વસ્તુની સિદ્ધિના સુખને આપનાર અર્થે સમર્થપણે રહેલા છે, અને જે શરીરમાં શમરસ અને આકૃતિથી સાતાના ઉદયવાળા કામ અને મેાક્ષ રહેલા છે તેવા સર્વ ગુણાનુ સ્થાન રૂપ અને બુધ્ધિના કરડી રૂપ શરીર વિજય પામે છે. ॥ ૧૬ ॥
૧૧૨
એવી રીતે રાજા વિગેરેએ રાગબ્રાહ્મણને કહેવામાં આવ્યું તે પણ તે ધર્મીમાં દૃઢ હાવાથી શરીર વિગેરેની અભિલાષાને ત્યાગ કરી, મેક્ષના સુખનેાજ અભિલાષી થયા. કહ્યું છે કેઃ
“ जं अजसुदं विणो, संतरणीयं तवं नवेकलं । મîતિ નિહવસમાં, પ્રવચતુર્દ વુદ્દા તે” ॥ જી ।”
શબ્દાર્થ. ભવ્ય જીવાને જે સુખ આજ છે, તે સુખ આવતી કાલે યાદ કરવા લાયક થાય છે. તે કારણથી પડિત પુરૂષા ઉપદ્રવ રહિત માક્ષસુખની ગવેષણા કરે છે. ॥ ૧૭ ॥” ભાવા:- ન પ્રખયુદ્ધ નવો ’—જે સુખ ભવ્ય પ્રાણીને આજ હોય છે તે સુખ આવતી કાલે માત્ર સભારવા રૂપજ થાય છે. એટલે કે સુખના અનુભવ કિચિત્ માત્ર આત્માને જે ક્ષણે થાય છે તેની ખીજી ક્ષણે તે અનુભવ નષ્ટ થાય છે. ૫છીથી માત્ર સ્મૃતિના વિષય રહે છે. જગતમાં સુખ કહેવામાં આવે છે તે વસ્તુને લઇને નથી પણ મનની માન્યતાને લઈને છે. જો વસ્તુને લઈને સુખ હાત તે તે ચિરસ્થાઇ ગણાત. કારણ કે વસ્તુની અમુક સ્થિતિ હોય છે, તેટલી સ્થિતિસુધી સુખ કાયમ રહેવુ જોઇએ, પરંતુ તેમ દેખાતું નથી. જ્યારે દેશાંતરથી ઘણે કાળે પુત્રાદિકનુ આગમન થાય છે ત્યારે જે આનંદ થાય છે તે આનં ત્યારપછીના સમયમાં રહેતા નથી જુએ ? પુત્રરૂપ હનુ કારણ વિદ્યમાન છતાં આનંદમાં ફેર પડી જાય છે. એટલે કે આવી માન્યતાવાળા સુખેામાં મેહ પામવા જેવુ નથી. કારણ કે માન્યતાવાળા સુખમાં સાંસારિક ઉપાધીને લઈને તે સુખ દુઃખરૂપ થઇ જાય છે. માટે તત્ત્વાદિકના જાણુ એવા પતિ પુરૂષા હંમેશાં અવ્યાખાધ અક્ષય એવા મેક્ષ સુખની ઇચ્છા રાખે છે. માક્ષનુ સુખ અવર્ણનીય છે, વચનાતીત છે, આત્માના શુદ્ધ સ્વભાવરૂપ છે, એમ અનુભવ થાય છે. જ્યારે વિભાવને મુકીને એક ક્ષણવાર પણ આત્મામાં રમણુતા થાય છે, ત્યારે તે જીવનમુક્ત દશાનું સુખ અહીંયાં પણ અનુભવાય છે માટે વિભાવ એટલે પુદ્ગલ ( વિષય ) જયસુખ તેવા સુખની કાઈ પણ પ્રકારે ઈચ્છા દૂર કરી કર્મથી આચ્છાદિત થએલા આત્માના ગુણેને ગટ કરવા માટે
Page #151
--------------------------------------------------------------------------
________________
એકાદશ ગુણ વર્ણન.
૧૧૩
શાક્ત રીતિએ હમેશાં લક્ષ આપવું.
તે પછી રાગ બ્રાહ્મણે શરીર અને અર્થની પીડાનું વૃત્તાંત કહ્યું કેશ્રાપ ધન ધાન દક્ષિા
પ્રતિમાને સતત વિપિ નૈ”િ છે ? | શબ્દાર્થ—“આપત્તિને માટે ધનનું, ધનથી સ્ત્રીઓનું અને ધન તથા ઝીઓથી આત્માનું નિરંતર રક્ષણ કરવું. / ૧૮ ” ભાવાર્થ–“
” ધર્મની સહાયથી જ્યારે ધનની પ્રાપ્તિ થાય છે, ત્યારે માણસ ધર્મ અને પિતાના કર્તવ્યને ભુલી જાય છે, અને વિચાર કરે છે કે આવી જ રીતે ધનની પ્રાપ્તિ હમેશાં થયાં કરશે એમ કહપના કરી પ્રાપ્ત થયેલા ધનને આંખ મીચીને વ્યય કરે છે. વખતે લેભને લઈને પ્રાપ્ત થએલું સઘળું ધન વ્યાપારમાં રેકી દે છે, તેનું પરિણામ એ આવે છે કે, પિતાનું મેળવેલું પણ ધન જતું રહે છે, અને પિતે આપત્તિમાં આવી પડે છે, તેથી આપત્તિના બચાવ માટે ધન કેવી રીતે વધારવું તથા તેની વ્યવસ્થા કેવી રીતે કરવી વિગેરે આ શાસકારે પિતેજ આગળ જણાવ્યું છે. અત્રે એટલું જ કહેવું બસ થશે કેભવિષ્યકાલની આપત્તિને વિચાર કરી તેને માટે આવકમાંથી અમુક હિસ્સો અવશ્ય બચાવી રાખ જોઈએ.
“સન દરણિ” જે સ્ત્રી ઉપર આપત્તિ આવે તે તે વખતે ધનને વ્યય કરી સ્ત્રીનું રક્ષણ કરવું જોઈએ. આ સંબંધમાં હાલમાં કેટલેક ઠેકાણે ગેરસમજને લઈને ઉલટે પ્રચાર ચાલે છે. એટલે કે જેઓને સરલતાથી કન્યા મળી શકે છે, તેઓ પોતાની સ્ત્રી ગાદિકથી પીડાતી હોય, પણ જેવી જોઈએ તેવી સારવાર કરવામાં શિથીલ બની ધન વ્યય કરવામાં કંજુસાઈ કરે છે, અને તેથી પોતાના પતિ તરફની બેદરકારી જે રેગ ગ્રસ્ત સ્ત્રી હમેશાં ચિંતાતુર બની જાય છે, અને તેની સમાધી નાશ પામે છે, તેથી તેને આ ભવ શ્વસુર પક્ષને અનાદર જે ખેદરૂપ થાય છે, તેથી તેનું સમાધીથી મરણ થતું નથી પરભવ પણ પ્રાયે બગડે છે. તે હરેક રીતે શી ઉપર આવી પડતી આપત્તિનું નિવારણ કરવા ધન વ્યય ઉપર લક્ષ નહીં આપતાં બુદ્ધિમાન પુરૂએ તેના આત્માને શાંતિ મળે તેવા ઉપાય જવા જોઈએ.
રાત તે આત્માનું અહિત ન થાય તેની હરશાં કાળક ૧૫
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૧૪
શ્રાદ્ધ ગુણ વિવરણ.
રાખવી એટલે કે સ્ત્રીને તથા ધનને પ્રતિબંધ નહીં રાખતાં એકાંતે આત્માનું હિત થાય તેવી પ્રવૃત્તિ કરવા ઉદ્યક્ત થવું. આત્માનું રક્ષણ થવાથી ધન અને સ્ત્રીનું તે રક્ષણ પિતાની મેળે જ થશે. કારણ કે ધન અને સ્ત્રી મળવી એ પુણ્યાધિન છે, અને પુણ્ય કરવું તે આત્માને આધીન છે, તો જે આત્માથી સ્વર્ગ અને મોક્ષ બને સાધી શકાય છે, તે આત્માનું અહિત ધન અને સ્ત્રી માટે થવા દેવું ચગ્ય નથી. સ્ત્રીને વિયોગથી અથવા ધનને એકદમ નાશ થવાથી જાણે પોતે તે રૂપજ હેય નહીં ! એમ ધારી સ્ત્રી અને ધનની પાછળ આત્મહત્યા કરવા ચુક્તા નથી, આ અજ્ઞાનનું કારણ છે. આત્મા તેિજ સ્ત્રી અને ધનાદિક મેળવી શકે છે, તે તેનું અહિત આવા કારણે થવા દેવું એ બુદ્ધિમાન પુરૂાનું કામ નથી, માટે ધન અને સ્ત્રીના ત્યાગપૂર્વક પણ સંયમાદિક ગ્રહણ કરી આત્માની ઉન્નતિ કરવી યોગ્ય છે, તેમ સર્વથા ન બને તે દેશવિરતીપણું લઈને પણ અમુક અંશે સ્ત્રી ધનાદિકના ઉપરને મેહ ઓછો કરી આત્માનું રક્ષણ કરવા પ્રવૃત્તિ કરવી ઉચિત છે.
વળી ધમી પુરૂને શરીર ધન તુલ્ય છે, અને આત્મા શરીર તુલ્ય છે, એવી રીતે થએ છતે શરીરની પીડાની ઉપેક્ષા કરી આત્માની રક્ષા કરવી જોઈએ. ઈત્યાદિ આ પ્રમાણે તે રેગ બ્રાહ્મણનું પિતાની પ્રતિજ્ઞામાં નિશ્ચળપણું જાણવામાં આવવાથી તે બન્ને દેવેને મહાન હર્ષ થયે. અહો ! આ બ્રાહ્મણ સાત્વિક પુરૂષમાં શિરમણ છે, અને શક્રે કે તેની સાચી પ્રશંસા કરી છે, એવો વિચાર કરી તે પછી તે બન્ને દેવોએ પિતાનું સ્વાભાવિક રૂપે પ્રગટ કર્યું અને શકે કરેલી પ્રશંસા વિગેરે વૃત્તાંત લેકમાં પ્રસિદ્ધ કર્યો, તથા દેએ તેના સર્વ રેગનું હરણ કર્યું અને રત્નોથી તેનું ઘર ભરી દીધું. પછી સર્વ ઠેકાણે તે બ્રાહ્મણનું આરોગ્ય દ્વિજ એવું નામ રૂઢિમાં આવ્યું, અને તે સંપૂર્ણ પુરૂષાર્થ (ધર્મ, અર્થ અને કામ)ને સાધવાવાળો થયે, અને દેએ પિતાના સ્થાન તરફ ગમન કર્યું. એવી રીતે નિંદિત કર્મને ત્યાગ કરતાં બીજા મનુષ્યને ધર્મમાં સ્થિરતા થાય છે, અને પોતાના આત્માનું સંસારથી તારવું કીર્તિ, પ્રતિષ્ઠા વિગેરે ગુણ પ્રાપ્ત થાય છે, તથા નિંદિત કર્મના ત્યાગથી અનિદિત કર્મ પણ તેટલું જ કરવું જોઈએ કે જેથી અને સુખી થવાય. કહ્યું છે કે – " मासैरष्टनिरह्ना च, पूर्वेण वयसायुषा। " तन्नरेण विधातव्यं, यस्यान्ते सुखमेधते ॥ १५॥
दिवसेनैव तत्कार्य, येन रात्रौ सुखीनवेत् । - તત્વાર્થમદતૈિયુ સ્થતિ સુવીયઃ”. 29 |
Page #153
--------------------------------------------------------------------------
________________
એકાદશ ગુણ વર્ણન.
पूर्वे वयसि तत्कार्यं, येन वृद्धः सुखीनवेत् । સર્વવત ર સવર્ણ ન છેત્ય સુરવી ” ?
શબ્દાર્થ_“ આઠ મહીનાએ, એક દિવસે, પ્રથમની અવસ્થાએ અને આયુષ્ય કરી મનુષ્ય તેવું કાર્ય કરવું જોઈએ કે આઠ મહીનાની, એક દિવસની, પ્રથમ વયની અને આયુષ્યની અંતે સુખને પામે / ૧૯ ા દિવસે તેવું કાર્ય કરવું? કે જેથી રાત્રિએ સુખી થવાય આઠ મહીનામાં એવું કાર્ય કરવું કે વર્ષ ૨૦તુમાં સુખી થવાય | ૨૦ | પ્રથમ વયમાં એવું કાર્ય કરવું કે જેથી વૃદ્ધાવસ્થામાં સુખી થવાય. સંપૂર્ણ વયથી એવું કાર્ય કરવું કે જેથી પરલોકમાં સુખી થવાય ૨૧ ”
ભાવાર્થ –કાર્ય કરતાં પહેલાં મનુષ્ય માત્ર વિચાર કરવો જોઈએ કે આ કાર્યનું ફળ ભવિષ્યમાં કેવું મળશે. આમ વિચાર કર્યાથી પ્રાયે અકૃત્ય થતાં નથી, વિર વિરોધ થતો નથી અને જીવને ભવિષ્યમાં શાંતિ મળે છે. વગર વિચારે કાર્ય કરવાથી લાભદાયી કાર્યથી પણ દુઃખ થાય છે. કેમકે એનું પરિણામ ક્યારે અને કેવું આવશે તે અનિશ્ચિત હોય છે, માટે કાર્ય કરતાં પહેલાં વિચાર કરવાનું કે આ કાર્ય પ્રાય આટલી મુદતમાં પરું થશે. હું તે કરવા સમર્થ છું, દેશકાળાદિ અનુકૂળ છે. આ કાર્યથી મને કાંઈ પણ ઉપાધી થશે નહીં. એમ સમજી કાર્ય કરે તે દિવસના કરેલા કાર્યથી રાત્રિએ ચિંતારહિત હોવાથી નિદ્રા આવવામાં અડચણ નડશે નહીં, તેમજ આડ માસમાં કરેલા કાર્યથી ચતુર્માસમાં ધર્મસાધન વિગેરે યિામાં વિદ્મ આવી પડશે નહીં. એજ પ્રમાણે પ્રથમની અવસ્થામાં એવું કાર્ય કરવું કે જેથી વૃદ્ધાવસ્થામાં ધર્મસાધન કરી શકાય, અને આખી જીંદગી એવી રીતે વ્યતીત કરવી જોઈએ કે જેથી આગામિ ભવમાં સુખપૂર્વક ધર્મની પ્રાપ્તિ થાય. આ હેતુથી જેનું પરિણામ છેડા, કાળમાં સમજાય તેવું ન હોય એવાં તથા બીજાની સાથે વિરોધ થાય તેવાં કાર્યો કદિ પણ કરવાં નહીં. હમેશાં ચિન્તા છે તે ચિતા સમાન છે, એવું આજ ગ્રંથમાં કહી આવ્યા છીએ, માટે જે કાર્ય કરવાથી ચિન્તા ઉભી થાય અને હમેશાં ચિત્ત ઉદ્વિગ્ન રહે તેવાં કાર્ય ધમ પુરૂએ કદિ કરવાં નહીં. જેમાં વસ્તુની આપ લે છેજ નહીં, પણ કેવળ ભાવ ખંડી ધનની આપ લે કરવામાં આવે છે, એવા સટ્ટા, સરત, જુગાર વિગેરેથી મન ઉપર ખરેખરી અસર થાય છે, અને મને હમેશાં ચિન્તાતુર રહે છે, તે આવા વેપારથી જરૂર વિરામ પામે. વળી ખરેખર વસ્તુની આપ લે વેપાર પણ પિતાની શક્તિ ઉપરાંત કરવાથી ચિત્તને અસમાધી રહે છે, અને વખતે નફાને બદલે નુકસાન થઈ જાય છે, તે ગજા ઉપરના વેપાર કરવાથી પણ મનુષ્ય સુખી થતું નથી,
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૧૬
શ્રાદ્ધ ગુણ વિવરણ.
N
માટે જે કાર્ય દિવસે કરવાથી રાત્રિ સારી રીતે સુખથી વ્યતીત કરી શકાય તથા આઠ માસમાં કરેલા કાર્યથી ચતુર્માસ સારી રીતે નિર્વિધપૂર્વક થઈ શકે, અને વૃદ્ધાવસ્થા તથા આગામિક ભવ સુધરે એવાં કાર્ય કરવાં જોઈએ.
અગીયારમા ગુણને સમાપ્ત કરતાં થકાર ધર્માધિકારી બતાવે છે. "देशजातिकुलगर्दितकर्माण्यादरात्परिहरन् गृहमेधी।
आचरँश्च तदगर्हितमार्यैर्धर्मकर्मणि नवेदधिकारी" ॥१॥ ' શબ્દાર્થ-બૃહસ્થ દેશ, જાતિ અને કુળથી નિદિત કર્મોનો આદર પૂર્વક ત્યાગ કરતા અને આર્ય લેકેથી અનિંદિત કર્મનું આચરણ કરતે ધર્મ કાર્યમાં અધિકારી થાય છે ૧.તિ પતરા નુ | સાપ્ત છે
Page #155
--------------------------------------------------------------------------
________________
घादश गुण वर्णन.
કિસ હવે આવકના પ્રમાણમાં ખર્ચ રાખવારૂપ બારમાગુણનું
માં છે વિવરણ કરે છે.
તથા પિષ્ય વર્ગનું પોષણ કરવામાં, પિતાના ખાવા પીવા વિગેરેના ભાગમાં અને દેવ તથા અતિથિના પૂજન વિગેરેના પ્રયજનથી દ્રવ્યને ખર્ચ કરે તેને વ્યય કહે છે. તથા ખેતી, પશુને પાલણ કરવાની વૃત્તિ, વેપાર અને રાજાની સેવાથી ઉત્પન્ન થએલ દ્રવ્યના લાભ તેને ગાય કહે છે. તે આવકને રીતસર ખર્ચ કરતા ગૃહસ્થ ગૃહસ્થઘર્મને યુગ્ય થાય છે, અર્થાત્ જે પુરૂષ આવકના પ્રમાણમાં ખર્ચ રાખે છે. તે પુરૂષ ગૃહસ્થ ધર્મની સન્મુખ થાય છે. કહ્યું છે કે"सानोचियदाणे, सानोचियत्नोगे, सानोचियनिहिकरेसिया"
ગૃહસ્થ નિરંતર આવકને અનુસાર દાનમાં તથા ભેગમાં ખર્ચ કરે અને આવકન અનુસાર નિધાનમાં સ્થાપન કરે, અથાત્ આવકના ત્રણ ભાગ સરખા કરી દ્રવ્યની વ્યવસ્થા કરે. અને કેટલાએક આવકને દુચિત ખર્ચના ચાર વિભાગ કરી વ્યવસ્થા કરવાનું કહે છે. તેમાં નિધન પુરૂના ખર્ચને વિભાગ આ પ્રમાણે છે. " पादमायान्निधिं कुर्यात्, पादं वित्ताय शोधयेत् । ધમપત્તળઃ પ, પદ્ધ વ્યોષ ? आयादर्द्ध नियुंजीत, धर्मे यहाधिकं ततः।
शेषेण शेषं कुर्वीत, यत्नतस्तुच्चमैहिकम् ॥२॥ મૃત
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શ્રાદ્ધ ગુણ વિવરણ.
चत्वारो धनदायादा, धर्मचौर्याग्निनूनृतः ।
માનિ પુત, સ્થળે વલાદનમ્ ” તે રૂ શબ્દાર્થ_નિધન પુરૂષ આવકમાંથી બે ભાગ નિધાનમાં સ્થાપન કરે અને ચોથે ભાગ દ્રવ્ય ઉપાર્જન કરવા માટે વેપારમાં રેકે, તેમજ ચેથે ભાગ ધર્મ તથા પિતાને ઉપભેગમાં ખર્ચ અને એથે ભાગ પિષ્ય વર્ગના પિષણમાં ખર્ચે ૧. ધનવાન પુરૂષોને તે ખર્ચ કરવાને વિભાગ આ પ્રમાણે છે. ધનવાન પુરૂષ આવકમાંથી અડધો અડધ અથવા તે આવથી અધિક ધર્મમાં વિનિગ કરે (ખરચે ) પછી શેષ રહેલા દ્રવ્યથી આ લેક સંબંધી બાકીનાં તુચ્છ કાર્યો યતનાથી કરે છે ૨ વળી કહ્યું છે કે ધર્મ, ચાર, અગ્નિ અને રાજા એ ચાર દ્રવ્યના ભાગીદારે છે. તેમાંથી મટાભાગીદાર ધર્મનું અપમાન થએ તે પુરૂષના ધનને ચાર, અગ્નિ અને રાજા આ ત્રણ ભાગીદારે બલાકારે હરણ કરી લે છે. ૩
ભાવાર્થ “વિમાનિ જે દરેક ધર્મીષ્ટ અથવા સુખી થવાની ઈચ્છાવાળા સામાન્ય પુરૂષે પિતાની આવકના ચાર ભાગ કરવા જોઈએ અને તેમાંથી ચતુર્થેશ ધર્મના ઉપગમાં વાપરવું, કારણ કે ધન પ્રાપ્તિ હમેશાં ધર્મથી થાય છે. માટે જે ધર્મથી ધનની પ્રાપ્તિ થઈ છે તેવા ધર્મને સર્વથી મુખ્ય ગણી સામાન્ય પક્ષ વાળા પુરૂષે પણ આયતમાંથી ઓછામાં ઓછો ચતુથાશ ધર્મ કાર્યમાં વ્યય કરવા ચુકવું નહીં.
આવકના ચેથે ભાગ વેપારમાં રોકવે તથા એ ભાગ સાચવી રાખવે. અને ચોથા ભાગથી સ્વજન વર્ગનું પિષણ કરવું આવી રીતે જે વર્તન કરવામાં આવે તે ચિત્તની સમાધીન ભંગ થવાને પ્રસંગ કઈ પણ વખતે ઘણું કરીને આવતું નથી. અને વ્યવહાર સારી રીતે ચલાવી શકાય છે. કેટલીએક વખત આવકને વિચાર કર્યા શિવાય ખરચ કરવામાં આવે છે, અને તેથી થએલી દ્રવ્યની હાનીવડે સારાં કુટુંબ પણ છિન્નભિન્ન થએલાં જઈએ છીએ. સામાન્ય લેકે આવકના પ્રમાણુથી અધિક ખરચ કરે, અને તેથી તેમની અવસ્થા શોચનીય થાય તેમાં કાંઈ નવાઈ નથી. રાજાઓ પણ પોતાના રાજ્યની આવક ઉપર ધ્યાન આપ્યા શિવાય પેતાની કીર્તિ જાહેરમાં લાવવા પિતાના ગજા ઉપરાંત દાનાદિકમાં લક્ષ્મીને વ્યય કરી પિતાનાં રાજ્યને ગુમાવી દે છે, એમ ઘણાં ઉદાહરણે શાસ્ત્ર દષ્ટિથી તથા ઈતિહાસિક નજરે જોતાં માલમ પડે છે, માટે આવકને અનુસારે ખરચ કરવામાં ઉપર જણાવ્યા પ્રમાણે પ્રવર્તિ કરવી.
ઉપર જણાવેલી બીના સામાન્ય ધન વાલા માટે બતાવી છે પણ જેની પાસે વિશેષ સમૃદ્ધિ હોય અને આવકનું સારૂં સાધન હોય તેને તે આવકમાંથી અડધે અડધ ધન ધર્મમાં વ્યય કરવું જોઈએ. કારણકે ભવિષ્યની આપત્તિના બચાવ માટે
Page #157
--------------------------------------------------------------------------
________________
દ્વાદશ ગુણ વર્ણન.
૧૧૯
જેની પાસે જોઈએ તેટલું ધન છે, અને આવક પણસારી છે તેથી ભવિષ્યની આપત્તિને સંભવ ઘણે ભાગે છેડે રહે છે તેવા પુરૂષે આ ભવની પેઠે આવતે ભવ પણ સુખરૂપ થાય તેને માટે આવકમાંથી અડધો અડધ ધન દર વર્ષે હસાબ કરી ધર્મ કાર્યમાં ખચવું જોઈએ તેથી પણ કઈ અવસરે અધિક ખરચ કરે તે પણ તેને અડચણ આવી પડતી નથી. બાકી આલોકનાં કાર્યો છે તેને અવશેષ રહેલા ધનથી યત્ન પૂર્વક કરવાં, વળી કહ્યું છે કે-દુનીયામાં વગર કરે ધનના ચાર ભાગીદાર થઈ જાય છે. અને તેમાં જે મુખ્ય ભાગીદાર જે ધર્મ છે, તેના ઉપર દુર્લક્ષ કરવામાં આવેતો બાકી રહેલા જે ત્રણ ભાગીદારે રાજા, ચેર અને અગ્નિ એ પ્રાયે ધનવાનની ઇચ્છા વિના પણ તે ધનને બલાત્કારથી પણ નાશ કરે છે, માટે ધનવાન પુરૂષોએ ધર્મ ઉપર વધારે લક્ષ આપી તેમાં ધન ખરચવા પ્રયાસ કરે જોઈએ.
જે આવકના પ્રમાણમાં ખરચ કરવામાં ન આવે તે તેને કૃપણુતા રૂપ પદવીની પ્રાપ્તિ થાય છે, અને કૃપણો તે હમેશ પિષણ કરવા લાયક પિતાના આત્માને ઠગી દ્રવ્યને જ ભેગું કરે છે, પરંતુ તે દ્રવ્યથી ધર્મને ઉપાર્જન કરતા નથી તે જ કારણથી કહ્યું છે કે " नेह लोके नान्यतोके, न धर्मे नार्थकामयोः । નોપાજે નાપરે, પતિને”
શબ્દાર્થ –કપણ પુરૂષ આલેકના, પરલોકના, ધર્મના, અર્થ તથા કામના, ઉપકારના કાર્યમાં ઉભું રહેતું નથી.” ૪
ભાવાર્થ આ સંબંધમાં સોપાર નિવાસી એક કોડાકડી સુવર્ણના માલિક એક કૃપણ શ્રેષ્ઠીનું ઉદાહરણ છે તે આ પ્રમાણે છે–
ઉજ્જયિની નગરીમાં વિકમ રાજા રાજ્ય કરતા હતા. એક વખતે રાજસભામાં નટએ અપૂર્વ નાટક કર્યું, તે વખતે રાજસભામાં બેઠેલા એક ગેવાળીઆએનટેને એક બીજોરું ભેટ આપ્યું. તે અવસરે નટેએ કહ્યું કે,–“એક ગણું દાન અને સહસ ગાણું પુણ્ય.” આ વાક્ય શ્રવણ કરી રાજાએ પુછયું કે આ કેમ સંભવે? ત્યારે નટેએ કહ્યું કે–સેપારક નગરમાં કૃપણના ઘરે જઈને જુવે. પછી કૌતુક જેવાની ઈચ્છાવાળે રાજા સોપારામાં ગયે, ત્યાં લેક પાસે કૃપના ઘરની પૃચ્છા કરી. લેકેએ કહ્યું કે, તેના ઘરને વેગળું નાખ તેનું નામ પણ લઈશ નહીં, આજ તને ભેજન મળશે કે નહીં? તેને પણ સંશય છે, એમ કહી લેકેએ તેને ત્યાં જતાં અટકાવ્યું તે પણ રાજા તેને ઘેર ગયે, ત્યાં કુપણને દોરડાં વણવા વિગેરે ખરાબ કામ કરો અને
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૨૦
શ્રાદ્ધ ગુણ વિવરણ.
તેની નજીક રહીને રાજાએ તેનું ભેજન તથા આચ્છાદન (કપડાં) પ્રમુખ જોઈ લીધું. પછી સાયંકાળે ઉતારો કરવાની ઈચ્છાવાળે અને માર્ગથી શ્રમિત થયેલે રાજા કદર્ય (કૃપણુ) ના ઘરની નજીકમાં દાન દેવાની શ્રદ્ધાવાળે ખવાટ (તાળીઓ) એવું બીજું નામ છે જેનું એવા ગ્રેવીંદનામના બ્રાહ્મણની ઝુંપડીમાં ગયે, ત્યાં અભ્યાગતની ઈચ્છા રાખનાર ગોવીંદબ્રાહ્મણે રાજાને ઉચિત સ્થાનમાં બેસા, અને ગોવિંદ રાજાના થાકને દુર કરવાને અર્થે તેલની યાચના કરવા માટે કદર્યની પાસે ગયા અને તેલ માગ્યું. પણ તે આપતે નથી ઘણું કહ્યું ત્યારે તેલના પુણ્યને ચે ભાગ માગી લઈ એક કર્ણને ભાગ (સેળ માસા) ઘણી મુશ્કેલીથી આપ્યું, તે તેલથી રાજાના શરીરે મર્દન કર્યું અને ઉષ્ણ જળથી રાજાને સ્નાન કરાવ્યું, તે પછી આપસ આપસમાં આવવા વિગેરેનું કારણ પુછતાં રાજાએગોવિંદને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. ગવદ પિતાના ઘર આગળ રહેલા વડ વૃક્ષની ઉપર પ્રથમની પરિચયવાળી દેવીને પુછયું, એટલે દેવીએ ખરી વાત કહી બતાવી. પછી ગોવિંદે રાજાની આગળ આ પ્રમાણે કહ્યું. તને ગોવાળીયાના “એક ગણું દાન અને સહસ્ત્ર ગણું પુણ્ય” વચનને નિશ્ચય નવ મહીનાને અંતે કાંતિ નગરીમાં થશે. વળી આ રાત્રીના પાછલા પેહેરે મહારૂં સર્પન દંશથી મૃત્યુ થશે અને અતિસારના વ્યાધિથી કદર્યનું પણ મૃત્યુ થશે. આ વાતને નિર્ણય કરી તમારે કાંતિ નગરીમાં આવવું પ્રભાતે તેજ પ્રમાણે બનાવ બન્યું તેથી ગોવીંદની કહેલી વાત ઉપર પ્રતિતિવાળો રાજા પણ કેઈ એક વનની અંદર જતાં તેના રૂપથી પરાધીન થયેલી કઈ વ્યંતરીથી સેવા કરાએલા રાજાએ નવ મહીના પૂર્ણ કર્યા પછી કાંતિ નગરી તરફ જવાની ઈચ્છાવાળા તે રાજાને દેવીએ ઉપાડીને કાંતિનગરી પાસે મુકી દીધે, ત્યાં કાંતિ નગરીના દરવાજામાં પ્રવેશ કરતાં કેઈ દરિદ્ર સ્ત્રી પોતાની બાલિકાને ત્યાગ કરતી જોવામાં આવી. રાજાએ પુછ્યું આ શું? તે સ્ત્રીએ કહ્યું કે પ્રથમ પણ હારે દુર્ભગા એવી સાતકન્યાઓ છે અને આ આઠમી કન્યા થઈ તેને ત્યાગ કરૂં છું, આ વાત સાંભળી દયાળુ વિક્રમ રાજાએ સવા લાખ રૂપીઆની કિંમતની પિતાની મુદ્રિકા (વિટી) આપી તે બાલિકાની રક્ષા કરી, પછી રાજા નગરીની અંદર ગયો ત્યાં રાજ માર્ગમાં પડો વગડાવવામાં આવતું હતું “રાજાને પુત્ર થયે છે તે સ્તનપાન કરતું નથી અને બેલે છે કે તમે મને મિત્ર કરાવે. એ પ્રમાણે પડહને સાંભળી વિકમ રાજા પડહાને વગડતાં અટકાવી રાજાના હેલમાં રાજપુત્ર પાસે આવ્યું, તે વખતે વિકમ રાજાને જોઈ બાળક બે હે મિત્ર વિક્રમ ! પધારે તમારે સંદેહ ટળી ગયો? ચિત્તમાં ચમત્કાર (આશ્ચર્ય) પામેલે રાજા પણ બેલ્યો હે મિત્ર બાળક!જે કહેવાનું હોય તે તમે કહે, બાળકે કહ્યું કે હું ગોવીંદ બ્રાહ્મણ છું અભ્યાગત થયેલા તમને તેલ મર્દન કરવાના પુણ્યથી હું કાંતિ નગરીના રાજાને પુત્ર થયો છું અને તે દર્ય –
Page #159
--------------------------------------------------------------------------
________________
દ્વાદશ ગુણ વર્ણન.
૧૨૧ દરિદ્ર સ્ત્રીની પુત્રીપણે થએલે છે. તેણે તેલના ચોથા ભાગનું પુણ્ય માંગી લેવાથી અને તમારૂં તેને દર્શન થવાથી તમે તેને સવાલાખ રૂપિયાની કિંમતની મુદ્રિકા અર્પણ કરી તેથી તેણીને જીવિત પ્રાપ્ત થયું. આ કારણથી “એક ગણું દાન અને સહસ્ત્ર ગણું પુણ્ય” એ વાકયને નિશ્ચય થયે પછી તે બાળકને આલિંગન કરી હષિત થએલે રાજા પોતાના નગર તરફ ચાલી નિકળે.
એવી રીતે આવકને અનુસરી ખરચ નહીં કરનાર મનુષ્યને લેકમાં શોભા, કીત્તિ અને ધમની પ્રાપ્તિ થતી નથી અને આગામિક કાળમાં પણ કદયની પેઠે સારું પરિણામ આવતું નથી. કહ્યું છે કે
" त्यागो गुणो वित्तवतां, वित्तं त्यागवतां गुणः ।
परस्परवियुक्तौ तु, वित्तत्यागी विमम्बना ॥५॥" શબ્દાર્થ દ્રવ્યવાન પુરૂષને ત્યાગ (દાન) હેય તે તે ગુણ છે. અને દાન કરવાવાળા પુરૂષોને દ્રવ્ય હોય તો તે ગુણ છે. દ્રવ્ય અને ત્યાગ આ બન્ને આપસ આપસમાં જુદા હોય તો એ બન્નેની વિડંબના થાય છે, ૫ (અર્થાત ધનાઢય દાતા ન હોય અને દાતા ધનાઢ્ય ન હોય તે વિડંબના શિવાય બીજું શું છે?).
દાતાને દૂરથી જ દેખતાંની સાથે વર્ષારાતુના મેઘની પેઠે જનસમૂહ ઉજજીવિત (આનંદિત ) થાય છે. વખતો વખત દાનરૂપ વૃષ્ટિની પ્રવૃત્તિ કરનાર દાતા. જેમ મહેટા હાથીની પેઠે નીચ પુરૂષોથી પરાભવ પામતે નથી, તેમજ ઉદાર મનુષ્ય દાનરૂપ અંકુશથી ક્ષણવારમાં હાથીની માફક રાજાઓને વશ કરે છે, જેમ સૂર્યને અંધકારનાં પુદગલે પરાભવ કરી શકતાં નથી, તેમ દાતાને દુજ ન મનુષ્યના વચને પરાભવ કરી શકતાં નથી. તથા દાતા દેશ અને કાળથી નષ્ટ થયે હેય તો પણ તે વિક્રમાદિત્ય વિગેરેની પેઠે અવિનાશી યશરૂ૫ શરીરથી જાણે? આગળ સ્કરાયમાન ન હોય તેમ પ્રકાશે છે. વધારે કહેવાથી શું કહ્યું છે કે
" संपदि विपदि विवादे, धर्मे चार्थे परार्थसङ्घटने ।
તેવગુચનાતે રરત્યુતાર વલોવે હા” શબ્દાર્થ આ લેકમાં ઉદાર માણસ સંપત્તિમાં, વિપત્તિમાં વિવાદમાં ધર્મમાં અને અર્થમાં બીજાના અને સાધવામાં તથા દેવ અને ગુરૂ સંબંધી કાર્ય પ્રાપ્ત થતાં કુરાયમાન થાય છે. ૬
આથી આવકને અનુસાર ખરચ કરનાર થવું જોઈએ. જે આવકથી અનુચિત ખરચ હેય તો તે ખરચ જેમ રેગ શરીરને કૃશ કરી સંપૂર્ણ કાર્યમાં અશકત બને નાવી દે છે, તેમ મનુષ્યના વૈભવરૂપ સારને કૃશ કરી પુરૂષને સંપૂર્ણ વ્યવસાયમાં અસમર્થ બનાવી દે છે. કર્યું છે કે
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૨૨
શ્રાદ્ધ ગુણ વિવરણ. " आयव्ययमनालोच्य, यस्तु वैश्रमणायते ।
अचिरेणैव कालेन, सोऽत्र वै श्रमणायते ॥७॥" શબ્દાર્થ—જે પુરૂષ આવક અને ખરચને વિચાર કર્યા સિવાય કુબેરભંડારીના જેવી આચરણ કરે છે, તે પુરૂષ થેડા જ વખતમાં ખરેખર આ લેકમાં સાધુ જે બની જાય છે. ૭
ભાવાર્થ-આવક અને ખરચ જે પુરૂષે બરોબર વિચાર કરતા નથી તેમને બહુ સહન કરવું પડે છે. કેટલાએક પિતાની આવકના પ્રમાણથી, બીજાની દેખાદેખીથી અને સ્વાથીઓની બેટી પ્રશંસાથી કુલાઈ જઈ ગજા ઉપરાંત દાન દે છે. અથવા ભેગાદિકમાં લક્ષ્મીનો વ્યય કરે છે અને તેથી જ્યારે તેની પાસેથી ધન ઘટી જાય છે, ત્યારે તે પોતે દાન લેવા ગ્ય થઈ જાય છે. માટે દાનભેગાદિકમાં લક્ષમીને વ્યય કરે તે આવકને વિચાર કરી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ના ફરમાન મુજબ દ્રવ્યના વિભાગ કરી પછી વ્યય કરે ઉચિત છે. માત્ર ધન ખરચી કીત્તિ સંપાદન કરવાથી કિવા ભોગ ભેગવવાથી આ મનુષ્યજન્મનું સાથક થતું નથી. ધન પુણ્ય પ્રમાણે મળે છે. તે બીજાની ઈર્ષ્યા સ્પર્ધા ન કરતાં પતાની શકિત અનુસાર દ્રવ્યનો વ્યય કરે. શકિત અનુસાર વ્યય કરનારને પ્રાયઃ ચિત્તની સમાધી રહેવાથી ધમધ્યાનાદિક કરવામાં વિશ્ન આવતું નથી. આત્માની ઉચ્ચતા એકાંત ગજા ઉપરાંત દ્રવ્ય ખરચ્યા કરતાં સમભાવમાં રહેવાથી વિશેષ થાય છે. તેમજ કમક્ષય પણ ધ્યાનાદિક કરવાથી શીઘ્ર થઈ શકે છે. તેથી એકાંત દ્રવ્ય ખરચવાથી જ ધમ થાય છે, એમ માનવું અગ્ય ગણાશે. જેમકે ત્રિજગપૂજ્ય શ્રી તીર્થકર ભગવાન એક વર્ષ સુધી હમેશાં એક કેડ અને આઠ લાખ
નૈયાનું દાન કરતા હતા, છતાં પણ તે દાન તેઓશ્રીને સકલ કમ ક્ષય કરવામાં તથા સંપૂર્ણ સમાધી મેળવવામાં સાધનભૂત થયું નહીં, પણ કમને સંપૂર્ણ ક્ષય કરવા માટે તથા કેવળજ્ઞાન ઉત્પન્ન કરવા માટે બાર વર્ષ સુધી ઘોર તપસ્યા અને ધ્યાન કરવાં પડ્યાં. કઈ જીવ ધમકાર્યમાં ધન ખરચવાથી ધન મળશે, એવી આશા રાખી પોતાના ગજા ઉપરાંત અગર આવકના સાધન ઉપરાંત ધન ખરચે છે; તે દુઃખી થાય છે. તેણે ભાવ પૂર્વક ધમ કાર્યમાં ખરચેલા ધનનું ફળ કાંઈ જતું નથી. પણ તે ફળ અંતરાય કમના ઉદયથી તત્કાળ નહી મળવાથી અને પોતાની પાસેના દ્રવ્યને વ્યય થઈ જવાથી પ્રાપ્ત થએલા દારિદ્રને લઈને વખતે ધર્મ ઉપરથી પણ આસ્થા ઉઠાવી નાખે છે. માટે શાસ્ત્રકાર મહારાજાએ જે રીતે દ્રવ્યને વ્યય કરવાની આજ્ઞા ફરમાવી છે તેનું ઉલ્લંઘન કરવું નહીં, અને શાસ્ત્રકારની આ જ્ઞાનું ઉલ્લંઘન કરનાર વખતે વૈશ્રમણ (કુબેર) જે હોય તે પણ પિતાના ગજા ઉપરાંત ખરચ કરનાર શMiાં એટલે ખરેખર તે સાધુ જે થઈ જાય છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
દ્વાદશ ગુણ વર્ણન.
૧૨૭ વળી લક્ષમી પુણ્યને અનુસારે પ્રાપ્ત થાય છે. એ નિશ્ચય કરી કદી આવક થે હોય તે પણ ઘરના ખરચમાં સંકેચ કરી પુણ્ય કમમાં ખરચ કરેજ જોઈએ. કારણ થડે પણ પુણ્ય કમમાં ખરચ કરવામાં આવ્યું હોય તે તે કાળે કરી એક કેડ દ્રવ્ય જેટલો થાય. જેમ શ્રી તેજપાલ મંત્રિના ઘર દેરાસરમાં ત્રણ વર્ષના પુણ્ય કાર્યને ખરચ છત્રીસ હજાર રૂપિયા પ્રમાણ થયે હતું, તે દ્રવ્યથી મંત્રીએ બાઉલૂ ગામમાં જિનમંદિર કરાવ્યું હતું.
હવે ગ્રંથકાર બારમા ગુણની સમાપ્તિ કરતાં દ્રવ્યના પ્રમાણમાં વ્યયકરનાર ગૃહસ્થને શું ફળ થાય છે તે બતાવે છે –
एवं गृहस्थों विनवानुरूपं, व्ययं वितन्वन् बनतेप्रतिष्ठाम्। यशांसि पुण्यं सुखसंपदश्च, धर्मार्थकामानिमतोरुसिद्धम् ॥८॥
શબ્દાર્થ–ઉપર જણાવ્યા પ્રમાણે વૈભવને અનુસાર ખરચ કરનાર ગૃહસ્થ પ્રતિષ્ઠા, યશ, પુષ્ય, સુખ અને સંપત્તિને મેળવે છે. તથા ધર્મ, અર્થ અને કામને અભિમત મહટી સિદ્ધિને પણ મેળવે છે. ૮ ફતિ તવા ગુણ સમાસ
Page #162
--------------------------------------------------------------------------
________________
ला
त्रयोदश गुण वर्णन.
JILI
:
ISHEDA
ShitareAndroineHimlmEC
ELION
વે કમથી પ્રાપ્ત થએલ વૈભવને અનુસાર વેષ રાખવારૂપ तेरमा शुशनुन रेछे.
IORMER
HD
EMAREILONEIDIE
તથા વિષ એટલે વય અલંકાર વિગેરે ભેગ્ય પદાર્થો. વિત્ત એટલે વૈભવ. ઉપલક્ષણથી, વય, અવસ્થા, દેશ, કાળ, જાતિ, પુરૂષ અને સ્ત્રી વિગેરેને સંગ્રહ તદનુસાર એટલે વૈભવના સરખે વેષ ધારણ કરતે ગૃહસ્થ ધર્મને અધિકારી થાય છે. જે વૈભવ વિગેરેથી અનુચિત વેષ ધારણ કરવામાં આવે તે લેકમાં ઉપહાસ્યપણાને, તુચ્છપણાને અને આ અન્યાયી છે એવી શંકા વિગેરેના દોષનું पात्र थाय छे. अधु छ -
" आत्मवित्तानुमानेन, कालौचित्येन सर्वदा । कार्यों वस्त्रादिशृङ्गारों, वयसश्चानुसारतः॥ १॥ अर्यादधिकनेपथ्यो, वेषहीनोऽधिकं धनी । अशक्तौ वैरकृत् शक्तैमहशिरुपहस्यते ॥२॥ न धार्यमुत्तमैर्जीर्णं, वस्त्रं च न मलीमसम् । विना रक्तोत्पलं रक्तं, पुष्पं च न कदाचन ॥३॥
आकाङ्क्षन्नात्मनो बनीं, वस्त्राणि कुसुमानि च । पादत्राणानि वान्येन, विधृतानि न धारयेत् ॥४॥
Page #163
--------------------------------------------------------------------------
________________
ત્રયોદશ ગુણ વર્ણન.
૧૫ શબ્દાર્થ ચૂસ્થાએ નિરંતર દ્રવ્ય, કાળ અને અવસ્થાને અનુસરે વન વિ. ગેરેને અંગાર કરવો જોઈએ. ૧. દ્રવ્યના પ્રમાણુથી વધારે સારે વેષ રાખનાર, વિશેષ ધનવાન છતાં ખરાબ વેષ રાખનાર અને નિર્બળ છતાં બળવાનની સાથે વિર કરનાર એવા પુરૂષને મેટા પુરૂષ ઉપહાસ્ય કરે છે . ૨ તથા ઉત્તમ પુરૂષએ કદીપણુ જીર્ણ અને મલીન વસ્ત્ર ધારણ કરવું નહીં. તેમજ લાલ કમળ શિવાય બીજું લાલ પુષ્પ ધારણ કરવું નહી. ૩. જે પુરૂષ પિતાને માટે લક્ષ્મીની ઇ.
ચ્છા રાખતા હોય તે પુરૂષ બીજાએ ધારણ કરેલાં વસ્ત્ર, પુષ્પ અને ઉપાનહ (૫ગરખાં) ધારણ કરે નહીં. ૪
અથવા આવકને અનુસાર ખરચ કરનાર અને વૈભવને અનુસાર વેષ ધારણ કરનાર ધર્મને અધિકારી થાય છે, એમ બીજે પણ અર્થ થાય છે. જે માણસ આવક છતાં કૃપણુતાથી ખરચ કરતા નથી અને દ્રવ્ય હોવા છતાં ખરાબ વસવિગેરેને ધારણ કરનાર થાય છે. તેથી લોકમાં નિંદિત થએલો તેપુરૂષ ધર્મમાં પણ અધિકારી થતો નથી અને મમ્મણોઠની પેઠે કલેશનો ભાગી થાય છે. તથા વિભવને અનુસાર વેષ કરે છતે પણ વિશેષે કરી દેવની પૂજાના વખતે અને જિન મંદિર તથા ધર્મસ્થાનમાં જવાના વખતે નિરંતર પહેરાતા વેષથી અધિક ઉત્તમોત્તમ વેષ અને અલંકારને ઉપલેગ કરે કહ્યું છે કે નિર્મળ અને ઉત્તમ વેષ ધારણ કરનાર પુરૂષ મંગળ મૂર્તિ થાય છે. તેથી તેવા પ્રકારના પુરૂષને લક્ષ્મીની વૃદ્ધિ થાય છે. તે આ બે શ્લેકેથી બતાવે છે –
श्रीमङ्गलात् प्रत्नवति, प्रागल्याच्च प्रवर्धते ।
दादयात्तु कुरुते मूत्रं, सँय्यमात्प्रतितिष्ठति ॥५॥ ફિર તપુર્ઘ ચરણ ગુનાઓં, નિનાનાવિન રિજનના अनग्नशायित्वमपर्वमैथुनं, चिरप्रनष्टां श्रियमानयन्त्यमी ॥६॥
શબ્દાર્થ–લક્ષ્મી મંગલ કરવાથી પ્રાપ્ત થાય છે, બુધિથી વૃદ્ધિ પામે છે, નિપુણતાથી ભૂલ કરે છે અને ઈદ્ધિના નિગ્રહ વિગેરે નિયમથી સ્થિર થાય છે. પા પુષ્પ સહિત મસ્તક, સારા પૂજેલા ચરણ સ્વી સંતેષ, થોડું ભેજન, વસ્ત્ર સહિત શયન અને પર્વ દિવસમાં મિથુનને ત્યાગ આ સર્વે ઘણા કાળથી નષ્ટ થયેલી લમીને પાછી લાવે છે. ૬
આ સંબંધમાં કર્ણદેવનું વૃત્તાંત આ પ્રમાણે છે
કવિ રાજાને દેવ પૂજા વખતે અગ્નિથી ધેલાં છેતીયાં, ચંદ્રાદિત્ય નામે કુંડળ, પાપ ક્ષયંકર નામે હાર અને શ્રી તિલક નામે બાજુબંધ વિગેરે અલકાર ધારણ કર્યા સિવાય દેવપૂજા વિધિ કરવામાં આવતા નહીં.
Page #164
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધ ગુણુ વિવરણ.
હવે ગ્રંથકાર મહારાજ ઉપદેશદ્વારા ધર્મને ચોગ્ય કાણ હાય તે બતાવી તેરમા ગુણની સમાપ્તિ કરે છે—
૧૧૩
एवं वितन्वन् विजवानुसारिवेषोपचारं रुचिरं विवेकी । स्वधर्मशोजोन्नतिकृद् गृहस्थो, विशेषधर्मार्हतया विनाति ॥७॥
રાદાથ—ઉપર જણાવ્યા પ્રમાણે જે વિવેકી ગૃહસ્થ મનહર એવા વૈભવને અનુસાર વેષના વ્યવહાર કરે છે તે પુરૂષ પાતાના ધર્મની શાભારૂપ ઉન્નતિ કરનાર થાય છે. અને પાતે વિશેષ ધર્મની યોગ્યતાને મેળવી રોાભાને પામે છે. ઘણા
इति त्रयोदशः ॥
Page #165
--------------------------------------------------------------------------
________________
-
::
ક
चतुर्थदश गुण वर्णन.
હવે કમથી પ્રાપ્ત થએલ “બુદ્ધિના આઠ ગુણે મેળવવારૂપ જ દમ ગુણનું વિણ આરભે છે.
તથા બુદ્ધિના આઠ ગુણ છે. તે જે પુરૂષમાં હોય તે પુરૂષ ધમ મેળવવાને અધિકારી થાય છે. તે આઠ ગુણે આ પ્રમાણે છે. शुश्रुषा १ श्रवणं चैव, ग्रहणं ३ धारणं ४ तथा। अहो ए ऽपोहो ६ ऽर्थविज्ञानं, ७ तत्वज्ञानं च धीगुणाः ॥१॥
શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, ઉહા, અપોહા, અર્થજ્ઞાન અને તત્વજ્ઞાન એ બુદ્ધિના આઠગુંણે જાણેવા. ૧ તેમાં સાંભળવાની ઇચ્છા તેને શુશ્રુષા કહેવાય છે. શુશ્રુષાની ઈચ્છા શિવાય શ્રવણાદિક ગુણની પ્રાપ્તિ નથી. ૧ શ્રવણ એટલે સિદ્ધાંતાદિકનું સાંભળવું. આ સાંભળવું મહટ ગુણના સગને માટે થાય છે. ૨ તેને માટે કહ્યું છે કે ;
काराम्नस्त्वागतो यत्, मधुरोदकयोगतः। बीजं प्ररोहमादत्ते, तत्तत्वश्रुतेर्नरः ॥॥ काराम्नस्तुट्य श्ह च, भवयोगोऽखिलो मतः।
मधुरोदकयोगेंन, समा तत्त्वश्रुतिः स्मृता ॥३॥ ખારા જળને ત્યાગ થવાથી અને મીઠા જળને સવેગ મળવાથી જેમ બીજ અંકુરને ધારણ કરે છે તેવી રીતે તત્વનું શ્રવણ કરવાથી પુરૂષ દેષને ત્યાગ કરી ગુણને ગ્રહણ કરે છે. અહિં સંસારને સંપૂર્ણ સંગ ખારા જળના સમાન મા છે, અને તત્વનું સાંભળવું તેને મીઠા જળના સમાન કર્યું છે. ૩ સાંભળવા પૂર્વક
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૮
શ્રાદ્ધ ગુણ વિવરણ. શાસ્ત્રોનું ઉપાદાન કરવું તે ગ્રહણ કહેવાય છે. ૩ ગ્રહણ કરેલાં શાસ્ત્રને સ્મૃતિમાં રાખવાં તેને ધારણું કહે છે. ૪ જાણેલા પદાર્થનું અવલંબન કરી તેવા પ્રકારના બીજા પદાર્થોમાં વ્યાપ્તિ વિગેરેને વિતક કરે તેને ઉહા કહે છે. ૫ અનુમાન અને ઉકિત (કથન) વડે વિરૂદ્ધ એવા હિંસાદિક પદાર્થથી પાપ લાગે છે. એમ જાણવાથી પાછા હઠવું તેને અપહ કહે છે. ૬ અથવા સામાન્ય જ્ઞાનને ઉહ કહે છે અને વિશેષ જ્ઞાનને અપહ કહે છે. ઉહાપેહના યોગથી અજ્ઞાન, સંશય અને વિપરીતતાને ત્યાગ કરવાથી જે જ્ઞાન થાય તેને અર્થ વિજ્ઞાન કહે છે. ૭ ઉહાપોહા અને અર્થ વિજ્ઞાનથી વિશુદ્ધ (નિમળ) એટલે આ પ્રમાણે જ છે. એ નિ શ્ચય તેને તત્વજ્ઞાન કહે છે. ૮આ બુદ્ધિના આઠ ગુણે યથા સંભવ જાણવા. આ શુશ્રુષા વિગેરેથી બુદ્ધિના ઉત્કર્ષવાળે પુરૂષ નિરંતર વિચાર પૂર્વક પ્રવૃત્તિ કરનાર હોય તે કદિપણું અકલ્યાણને પ્રાપ્ત થતું નથી. પરંતુ સંપૂર્ણ ધર્મ અને વ્યવહારના પરમાર્થના વિચાર કરવામાં તત્પર થાય છે. કહ્યું છે કે
સુgિો પ્રય, ધમકા નવાઠ્ઠિ પરિશુદ્ધ जोगत्तमप्पणोच्चिय. अणुबंधं चेव जत्तेणं ॥ ४ ॥
બુદ્ધિમાન પુરૂષ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ ઉપાધિથી નિર્મળ એવા ધમસ્થાનને તથા પિતાના પેગ્યપણાને અને ઉત્તરોત્તર ફળરૂપ અનુબંધને પણ મોટા પ્રયત્નથી વિચાર કરે છે. ૪ ઉપરની ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે.
બુદ્ધિના ઉપલક્ષણથી બુદ્ધિના ગુણવાળે પુરૂષ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એવાં વિશેષણરૂપ ઉપાધિથી દોષરહિત એવા ધર્મસ્થાનની તેમજ પિતાના આ ભાની ચેગ્યતાને પણ વિચાર કરે. એકલા ધર્મસ્થાનની જ આલોચના કરે છે એમ નહી એ ચાર શબ્દનો અર્થ છે. જેમ કે ક્યા ધર્મસ્થાનને હું યેગ્ય છું. તેને માટે કહ્યું છે કે –
* લિઃ નિમિત્રાળ, કોલેરા વ ચરાડા ા कश्चाहं का च मे शक्ति, रिति चिन्त्यं मुहुर्मुहुः ॥५॥
ક કાળ વર્તે છે? કેણુ મિત્રો છે? કયે દેશ છે? ખર્ચ અને આવક કયાં છે? હું કોણ છું? અને હારી શકિત શી છે? એવી રીતે વારંવાર ચિંતવવું ૫ તેવીજ રીતે ઉત્તરોત્તર ફળરૂપ અનુબંધ (ફળસાધન) ને મોટા પ્રયત્નથી વિચાર કરે છે. અહિં ક્રિયાપદને છઠ્ઠા પદની સાથે સંબંધ કર્યો છે. વળી કહ્યું છે કે
बुन्नश्य जहाविसयं, सव्वं धम्मति एत्युदाहरणं । वेदजयणपरिच्छा, बटुकदुगं गगघायंमि ॥ ६ ॥
Page #167
--------------------------------------------------------------------------
________________
ચતુર્દશ ગુણ વર્ણન.
૧૨૯ બંધ કરવાને ઈચ્છેલ એવા સર્વ ધર્માદિક વસ્તુને બોધ થાય છે. તે બોધ જાણવાને અહીંયા વેદાભ્યાસની પરીક્ષામાંના બે છાત્રોનું બકરાને મારવા વિષે ઉદાહરણ છે. ઉપલી ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે--બોધ કરવાને ઈચ્છલ એવા સર્વ ધર્માદિક વસ્તુને, વિપરીત વિગેરે દોષના ત્યાગપૂર્વક બેધ થાય છે. સમ્ય અને તેનાથી વિપરિત અસમ્યફ બેધને વિષે વેદાભ્યાસની પરીક્ષામાંના નારદ અને પર્વત નામના બે છાત્રનું ઉદાહરણ છે. તે આ પ્રમાણે –
શુક્તિમતી નામે નગરીમાં ક્ષીરકદંબક નામના ઉપાધ્યાય પાસે વસુ, પર્વત અને નારદ આ ત્રણ છાત્રો વેદને અભ્યાસ કરતા હતા. એક વખતે બે જૈન મુનિઓ ભિક્ષા લેવા માટે ક્ષીરકદંબક ઉપાધ્યાયના ઘરે આવ્યા. ત્યાં અભ્યાસ કરતા છાત્રને જોઈ તે બે મુનિઓમાંથી એક જ્ઞાની મુનિએ બીજા મુનિ પ્રત્યે કહ્યું કે, આ ત્રણ વિદ્યાથિઓમાંથી વસુ છે, તે રાજા થશે અને આ બે બ્રાહ્મણ છાત્રમાંથી એક નરકમાં અને બીજે સ્વર્ગે જશે. એવી મુનિની આ વાર્તાને કઈ ઠેકાણે પટાંતર રહેલા ઉપાધ્યાયે સાંભળી લીધી. પછી ચિંતાયુકત એવા ક્ષીરકબક ઉપાધ્યાયે તે છાત્રની પરીક્ષા કરવાને પ્રારંભ કર્યો. કેઈક વખતે લાખના રસથી ભરેલું બકરાનું ચામડું બકરાની આકૃતિ જેવું કરી કૃષ્ણપક્ષની આઠમની રાત્રિએ ઉપાધ્યાયે પવતને બોલાવીને આપ્યું અને કહ્યું કે આ બકરાને ત્યારે તેવી જગામાં મારી નાંખો કે જ્યાં કઈપણ તેને જોઈ શકે નહિં. આમ કરવાથી વેદ સાંભળવાની યોગ્યતા થાય છે. પછી તે બકરાને ઉપાડીને ગુપ્ત પ્રદેશમાં ગયે અને વિચાર વગરના તે પર્વતે તેને મારી નાંખે. તે પછી બકરાના શરીરમાંથી નિકળેલા લાખના રસથી ભિજાએલો પર્વત આ રૂધિર છે, એમ માની સરેવરમાં સ્નાન કરી ગુરૂ પાસે આવ્યો અને ગુરૂને આ વૃત્તાંત નિવેદન કરી દીધું. પછી તેના પિતા ક્ષીરકદંબક ઉપાધ્યાયે તેને કહ્યું કે હું એ બકરાને કેમ માર્યો? કારણ કે સર્વે ઠેકાણે ફરનારા તિયભક દેવતાઓ અને આકાશમાં તારાઓ જુવે છે અને તેને તે પોતે પણ જેતે હતા. ત્યારે તું કેમ કહે છે કે કેઈ ન જુવે તેવી રીતે આ બકરાને મારી નાંખે છે. અહો? લ્હારી કેવી મૂઢતા છે? પછી કૃષ્ણપક્ષની ચતુદશીના દિવસે પૂર્વોકત વિધિએ નારદને બકરે મારવા વિગેરેનું કહેવામાં આવ્યું. એટલે નારદ પણ ગુરૂના વાક્યને બહુમાન કરતો વન અને ભુવન વિગેરે જે જે સ્થાનમાં જાય છે, ત્યાં ત્યાં આ નારદ વનસ્પતિ અને દેવતાઓ જુવે છે; એમ જાણે તેણે વિચાર કર્યો કે કંઈપણ એવું સ્થાન નથી કે કઈને કઈ ન દેખી શકે, તેથી ખરેખર આ બકરાને મારવાની ગુરૂની આજ્ઞાજ નથી, એમ ધારી ગુરૂ પાસે આવી તેને પોતાના આત્માની સર્વ પરિણતિનું નિવેદન કરી દીધું. પછી ઉપાધ્યાય તેની સારી અને ઉચિત બુદ્ધિથી સંતોષને પ્રાપ્ત થયા અને કહ્યું કે –
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૩.
- શ્રાદ્ધ ગુણ વિવરણ. नदीरितोऽर्थः पशुनापि गृह्यते, दयाश्चनागाश्चवहन्तिनोदिताः। अनुक्तमप्यूहति पएिमतोजनः, परेगितज्ञानफदा हि बुद्धयः।।
પ્રેરણા કરાએલા અને પશુ પણ ગ્રહણ કરે છે. અર્થાત્ સમજે છે. અને પ્રેરણ કરાએલા અ તથા હસ્તિઓ ચાલે છે. પરંતુ પંડિત પુરૂષ તે કથન નહી કરાએલા અથને પણ વિતકથી ગ્રહણ કરે છે. કારણકે બુદ્ધિ તે બીજાના અભિપ્રાયને જણાવનાર શરીરની ચેષ્ટારૂપ ઇગિત જ્ઞાનના ફળવાળી હોય છે. કેળા પછી ઉપાધ્યાયે નારદને કહ્યું કે આ બીના કેઈને જણાવવી નહીં. તે પછી પવતને વેદનું શ્રવણ કરતાં અટકાવ્યો અને નારદ ઉચિત બુદ્ધિવાળે છે, એમ જાણે તેને વેદ સાંભળવાની આજ્ઞા આપી. હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા જે બુદ્ધિયુકત હોય તે ધર્મને એગ્ય થાય છે. એમ બતાવે છે– श्च्छं पुमर्थेषु विशुष्बुधि, गुणैः समेतः सुविचारसारम् । प्रवर्त्तमानो बनते निजार्थ, सिधि जनो धर्मरसोचितत्वम् ॥॥ इतिचतुर्दशः
ઉપર જણાવ્યા પ્રમાણે નિર્દોષ એવી બુદ્ધિના ગુણોથી યુકત તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ પુરૂષાર્થને વિષે પ્રવૃત્તિ કરનાર પુરૂષ સારા વિચારના સારભૂત એવી પિતાના અથની સિદ્ધિને અને ધમરૂપ રસની ચેગ્યતાને પ્રાપ્ત કરે છે. ૮
-નાનાલia નાદERE
Page #169
--------------------------------------------------------------------------
________________
पंदरमा गुण, विवरण.
કલહ શ્રાવકના પાંત્રીશ ગુણ પૈકી ચદમાં ગુણનું વર્ણન પુરું કરી ક્રમ પ્રાપ્ત “નિરંતર
ધર્મને શ્રવણુ કરવારૂપ” પંદરમા ગુણનું વિવરણ કરવાને પ્રારંભ કરે છે.
તથા હંમેશાં ઉન્નતિ અને મેક્ષનાં કારણભૂત એવા ધમને શ્રવણ કરતે ગૃહસ્થ શ્રાવકધર્મને એગ્ય થાય છે. તથા પ્રતિદિન ધમ સાંભળવામાં તત્પર રહેનારે પુરૂષ મનના દિને દૂર કરવામાં સમર્થ થાય છે. તેને માટે કહ્યું છે કે – कान्तमिदो (अपो) प्रति खेदं, तप्तं निर्वातिबुध्यते खेदं (मूढ) स्थिरतामेति व्याकुल, मुपयुक्त सुनाषितं चेतः ॥ १॥
ભાવાર્થ-સારા કથનમાં ઉપગવાળું મન શ્રમિત થએલાના ખેદને દૂર કરે છે, પરિતાપ પામેલાને શાંત કરે છે, મૂઢ થએલાને બંધ કરે છે અને આકુલ થએલાને સ્થિર કરે છે. ૧ હમેશાં ધર્મનું શ્રવણ કરવું એ ઉત્તરોત્તર ગુણની પ્રાપ્તિનું સાધન હોવાથી પ્રધાન છે. એકલા આ શ્રવણ ગુણથી બુદ્ધિના ગુણ માંહેલે શ્રવણ ગુણ જુદો છે.
વળી નિરંતર ધમ સાંભળવાને અભાવ થતાં પ્રાપ્ત થએલે પણ ધમમણિકાર શ્રેણીની પેઠે ચાલ્યા જાય છે. તે મણિકાર શ્રેણીનું ઉદાહરણ આપ્રમાણે છે –
એક વખતે રાજગૃહિ નગરમાં શ્રી મહાવીર સ્વામી ભગવાન પધાર્યા હતા, તે વખતે ત્યાં સાધમ દેવકનો રહેવાસી અને ચાર હજાર સામાનિક દેવતાઓથી પરિવારે દુરાંક નામા દેવ સૂર્ય દેવની પેઠે ભગવાન મહાવીર સ્વામીની આગળ બત્રીશ પ્રકારનાં નાટક કરી પિતાના સ્થાન પ્રત્યે ચા ગયે. તે પછી શ્રી ૌતમસ્વામીએ ભગવાન મહાવીરસ્વામીને પુછયું કે હે ભગવન દુરાંક દેવે આટલી બધી ઋદ્ધિ કયા પુણ્યથી પ્રાપ્ત કરી? આ પ્રશ્ન થતાં ભગવાન મહાવીર સ્વામીએ જવાબ આપે કે, આજ નગરમાં મહેદી રુદ્ધિવાળે મણિકાર નામે ઇભ્ય રહેતું હતું. તેણે એક વખતે હારા મુખથી ધર્મ શ્રવણ કરી, ધમને અંગી
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૩૨
શ્રાદ્ધ ગુણ વિવરણ. કાર કર્યો હતો અને તે ધમને ઘણા કાળસુધી પાળે, પરંતુ તેવા પ્રકારના ધર્મોપદેશક સાધુ પાસે ધમનું શ્રવણ નહી કરવાથી તે મિથ્યા બુદ્ધિવાળે થશે. એક વખતે ગ્રિષ્મ ઋતુમાં તેણે અઠમ કરી ત્રણ દિવસને પૈષધ કર્યો હતે. ત્રીજા દિવસની રાત્રિમાં તૃષાથી પીડિત થએ અને આધ્યાનને પ્રાપ્ત થએલે તે શેઠીએ વિચાર કરવા લાગ્યું કે જે પુરૂષે વાપી, કુપ વિગેરેને કરાવે છે, તે પુરૂષને જ ધન્ય છે. હું પણ પ્રાતઃકાળે એક વાવડીને કરાવીશ. ઈત્યાદિ ચિંતવન કરી પ્રાતઃકાળે અઠમનું પારણું કરી શ્રેણિક રાજાના આદેશથી વૈભારગિરિની સમીપમાં તેણે એક વાવડી કરાવી અને તેની ચારે દિશાઓમાં ભેજનશાળા, મઠ અને દેવાલય સહિત ઉદ્યાને કરાવ્યાં. પછી ધમને ત્યાગ કરનારા તે શેઠીયાને સેળ હોટ રેગો ઉત્પન્ન થયા. તેની પીડાથી દુર્ગાન કરી તે મૃત્યુ પામ્યા અને તે જ વાપિકામાં દેડકે થયે. વાપિકાને જોતાં જ તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, તે જાતિસ્મરણ જ્ઞાનથી પોતે ધર્મની વિરાધના કરી હતી તેનું આ ફળ છે એમ તેના જાણવામાં આવતાં તેને વૈરાગ્ય થયે. હવેથી હારે છઠ તપ કરે અને તેના પારણામાં વાવને કિનારે રહેલું નિર્દોષ લોકેના સ્નાનનું જળ તથા મૃત્તિકાદિકનું ભક્ષણ કરવું એ અભિગ્રહ ધારણ કર્યો. આ અરસામાં વાપિકાની અંદર પ્રાપ્ત થએલા લોકે પરસ્પર વાર્તાલાપ કરે છે કે આજે ભગવાન મહાવીરસ્વામી પધાર્યા છે. તેમને વંદન કરવા જઈશું એવી જનેક્તિને શ્રવણ કરી તે દેડકો મને વંદન કરવા માટે ત્યાંથી નીકળે. રસ્તામાં ચાલતાં શ્રેણિક રાજાના ઘેડાના ખુરથી ચગદાઈમરણ પામી, દેવ થયેલ છે. ત્યાંથી ચાવી મહાવિદેહમાં મનુષ્ય થઈ મેક્ષમાં જશે. ઉપર જણાવ્યા પ્રમાણે હે ગતમ? હમેશાં ધમનું શ્રવણ નહી કરવાથી ઉત્પન્ન થએલા વિપાકને જાણી, નિરંતર ધમનું શ્રવણ કરવામાં તત્પર થવું જોઈએ. કહ્યું છે કે
परमागम सुस्सूसा, अणुराज धम्मसाहणे परमो । जिणगुरु वेयावच्चे, नियमो समत्तलिंगाइं ॥३॥ પરમાગમ એટલે દ્વાદશાંગીરૂપ સિદ્ધાંત તેને સાંભળવાની ઈચ્છા, પરમાગમનું શ્રવણ કર્યા સિવાય સમકિત અને વિવેકાદિકના ગુણનો સમૂહ પ્રાપ્ત થતો નથી. ૧ તથા ધર્મસાધનને વિષે ઉત્કૃષ્ટ અનુરાગ અને જિનેશ્વર ભગવાન તેમજ ગુરૂની વૈયાવચ્ચ કરવાનો નિયમ આ ત્રણ સમ્યકત્વ પ્રાપ્તિના લિંગે છે. તેને માટે હરિભકાચાર્ય મહારાજે કહ્યું છે કે –
कारान्नस्त्यागतो यत् , मधुरोदकयोगतः बीजंप्ररोहमादत्ते, तछत्तत्वश्रुतेनरः ॥३॥
Page #171
--------------------------------------------------------------------------
________________
પદ્મમા ગુણુનુ· વર્ણન,
काराम्नस्तुल्य इह च, नवयोगोऽखिल्लोमतः । मधुरोदक योगेन, समा तत्व श्रुतिः स्मृता ॥ ४ ॥ श्रोतस चैष, सिरातुल्या सतां मता । • શ્રુતં વ્યર્થ, મસરાવત્તિ રૂપવત્ ॥ મ્ ॥
नावेऽस्याः
11 ॥
ખારા જળના ત્યાગ થવાથી અને મધુર જળના સચાગ મળવાથી જેમ ખીજ અ’કુરને ધારણુ કરે છે, તેમ તત્ત્વનું શ્રવણ કરવાથી પુરૂષ મિથ્યાત્વના ત્યાગ કરી સમ્યકત્ત્વને ગ્રહણ કરે છે. ૩ અહિં સસારના સંપૂર્ણ સંચાગ ખારા જળની સમાન માન્યા છે અને તત્ત્વનું શ્રવણ કરવું તેને મીઠા જળના સમાન કહ્યું છે. ૪ આ શ્રુતિ બાધરૂપ જળના પ્રવાહની સિરા સમાન છે. તે સત્પુરૂષોને માન્ય છે. તત્ત્વ શ્રુતિના અભાવે સિરા વિનાની પૃથ્વીમાં કુપની પેઠે તે શ્રુતજ્ઞાન નકામું છે. ૫ ઇતિ શ્રુષાનું લક્ષણ આ પ્રમાણે છેઃ
—
तरुण सुदी वियो, रागी पिय पण इणी जुओ सोनं ।
૧૩૩
ब जद सुरगीयं, तनुं हिया समय सुस्सूसा ॥ ६ ॥
ચાવન અવસ્થાવાળા, નિરતર મુખી, નિપુણ, ષડ્જિદ રાગાને જાણ અને વ્હાલી પ્રાણપ્રિયાથી ચુક્ત એવા કાઇ પણ પુરૂષ જેમ દેવતાના ગીતને શ્રવણ કરવાની ઇચ્છા રાખે છે, તેનાથી પણ અધિક જૈનાગમને શ્રવણ કરનારની ઇચ્છાવાળા
હાય. ૬
સુંદર ધરૂપ ગુણના સમૂહમાં અતિશય રમણ કરનારી ચિત્તની વૃત્તિવાળા સુદર્શન શ્રેણી આ ઠેકાણે ઉદાહરણમાં મુકવા. તે સુદર્શન શ્રેણીના વૃત્તાંત આ પ્રમાણે છેઃ—
મગધદેશમાં રાજગૃહ નામે પ્રધાન નગર હતું. તે નગરમાં પ્રજાનું પાલન કરવામાં અતિશય ઇચ્છાવાળા શ્રેણિક નામે રાજા રાજ્ય કરતા હતા. જેના શુદ્ધ સમ્યકત્વને પાલન કરવાનું ત્રણ જગત્ને વિષે વિદ્યાના બીજાને સમ્યકત્વની વૃદ્ધિને માટે દૃષ્ટાંત આપતા હતા. તે નગરમાં અર્જુન નામે એક માળી વસતા હતા. તેને રૂપની સંપત્તિવડે પ્રશંસા કરવા લાયક બધુમતી નામે ભાર્યાં હતી. તે અન માળી નગરના ઉદ્યાનમાં રહેલા અને પ્રાતીયા યુક્ત મુદ્રપાણિ નામે યક્ષનુ હમેશાં પુષ્પના સમૂહથી પૂજન કરતા હતા. એક દિવસે તે નગરમાં આણંદના સાગરરૂપ અને ચિત્તના ઉત્સાહવાળા નગરના લોકો કોઈક સારા મહાત્સવને પ્રારંભ કરે છે. તે પ્રાતઃકાળે મ્હારાં પુષ્પા ઘણાં માંઘા થશે એવા વિચાર કરી તે અર્જુન માળી પેાતાની ભાર્યાંની સાથે પુષ્પના અગીચામાં ગયા. ત્યાં પુષ્પના સમૂ
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શ્રાદ્ધ ગુણ વિવરણ. હથી કરંડીયાને ભરી સાયંકાળે વાસ કરવાની ઈચ્છાથી તે અજુન માળી યક્ષના મંદિરમાં આવ્યું. આ વખતે કોઈ દુષ્ટ હૃદયવાળા છ ગોઠીલા પુરૂએ વિચાર કર્યો કે આપણે આ માળીને બાંધી તેની ભાર્યાને તેના દેખતાં ઈચ્છા પ્રમાણે ભેગવીએ. એમ વિચાર કરી યક્ષના મંદિરમાં પ્રથમથી જ કઈ ગુપ્ત પ્રદેશમાં તેઓ સંતાઈ રહ્યા હતા. અજુન માળી યક્ષના મંદિરમાં પ્રવેશ કરી ક્ષણ વાર એકચિત્તવાળે થઈ નિઃશંકપણે જેટલામાં યક્ષની પૂજા કરવામાં તત્પર થાય છે તેટલામાં તે છ ગેઠીલા પુરૂએ બહાર નિકળી એકદમ તે માળીને દઢ બંધનથી બાંધી લીધો અને તેના દેખતાં તેની ભાર્યા સાથે સ્વેચ્છાથી તેઓભેગભેગવવા લાગ્યા. તેવા પ્રકારના તે આ કાર્યને જોઈ રોષથી ભયંકર બનેલે અજુન માળી મંત્રથી બંધાએલા સર્પની પેઠે પ્રહાર કરવાને અસમર્થ હતું. તેને માટે કહ્યું છે કે –
पितृघातादि उःखानि, सहन्ते बलिनोऽपि हि । प्रिया घर्षण उखं, रोऽपि न तितिक्षति ॥ ७ ॥
ભાવાર્થ અલવાન પુરૂષે પણ પિતા પ્રમુખના ઘાતના દુઃખને સહન કરે છે, પરતું પિતાની ભાર્યાના પરાભવથી થએલા દુ:ખને રંક માણસ પણ સહન કરી શકતા નથી. ૭
પછી તે અર્જુન માળી દુર્વચનોથી યક્ષને આ પ્રમાણે ઉપાલંભ દેવા લાગ્યું કે હે યક્ષ? ખરેખર તું પાષણને જ છે, પરંતુ ખરે દેવતા નથી. જો તું ખરે દેવતા હતા તે હારા દેખતાં આ પાપી અને અધમ ગોઠીઆઓ લ્હારા મંદિરમાં જે મુખથી પણ ન કહી શકાય તેવું અપકૃત્ય કરે છે, તે કેમ કરી શકે? હે યક્ષ? જે ત્યારે કઈ પણ જાગ્રત પ્રભાવ-અતિશય હોત તે આ પ્રમાણે હારા પૂજકની વિડંબના કેમ કરે? આ પ્રમાણે તેનાં વચન સાંભળી કેપના આટેપથી વિકાળ થએલો યક્ષ તે માળીના શરીરમાં પ્રવેશ કરી એકદમ કાચા તંતુની પેઠે તેના બંધનને તેલ નાંખી યક્ષે લેઢાના મુદ્રરને ઉગામી સ્ત્રીની સાથે તે છ ગઠિઆઓને ચૂર્ણની પેઠે ચૂર્ણ કરી નાંખ્યા. તે દિવસથી લઈને રેષાતુર થએલો તે યક્ષ નગરની બહાર બીજા છ પુરૂષ અને એક સ્ત્રી મળી એકંદર સાત મનુષ્યને નિરંતર મારી નાંખે છે. તેને આ વૃત્તાંત પૃથિવીપતિ શ્રેણિક રાજાના જાણવામાં આવ્યાથી નગરના લોકેને પહોદ્દઘોષણ પૂર્વક આ પ્રમાણે નિવારણ કર્યા કે જ્યાં સુધી અજુન માળીએ સાત મનુષ્યોને વિનાશ ન કર્યો હોય ત્યાં સુધી નગરથી બહાર કેઈએ નિકળવું નહીં. જે દિવસે તે નગરના ઉદ્યાનમાં પ્રા શુઓને જીવાડવાના વૈભવવાળા શ્રી વમાનસ્વામી પધાર્યા, તે દિવસે જિનેશ્વરના આગમનને જાણતાં છતાં અજુનમાળીના ભયથી તે ઉદ્યાનમાં કઈ પણ પુરૂષ
Page #173
--------------------------------------------------------------------------
________________
પદરમાં ગુણનું વર્ણન.
૧૩૫ ભગવાન મહાવીર સ્વામીને વંદન કરવા માટે જવાની ઈચ્છા કરતું નથી. આ તરફ તે નગરમાં અતિ શુદ્ધ સમ્યકત્વવાનું અને નિભિમાની સુદર્શને નામે શ્રેણી રહે તે હતે. તે શ્રેષ્ઠી ભગવાન્ મહાવીરસ્વામીના વચનામૃતનું પાન કરવાની ઈચ્છાવાળે હિતે, તેથી તે શ્રેણીએ પોતાના માતા પિતાને ભગવંતને વંદન કરવા નિમિત્તે જવાની વિજ્ઞપ્તિ કરી, અર્થાત ત્યાં જવાની આજ્ઞા માંગી. પછી તેના માતા પિતાએ કહ્યું કે હે વત્સ? હાલ તે માર્ગમાં જતાં તેને અજુન માળીએ કરેલ મહાન ઉપસર્ગ થશે. તેથી હે વત્સ? આજે તું અહિં રહીને જ જિનનાયકને વંદન કર અને પૂર્વે શ્રવણ કરેલી ભગવાનની દેશનાની ભાવના ભાવ. પછી સુદશને પિતાના માતા પિતાને કહ્યું કે જગદ્ગુરૂ મહાવીરસ્વામી અહિં આવે છતે તેમને વંદન કર્યા શિવાય ભોજન કરવું તે પણ ચગ્ય નથી. મને અર્જુન માળીને કરેલે ઉપસર્ગ પણ નહીં થાય, કારણ કે જિનેશ્વરનું ધ્યાન કરનારાઓને કદિ પણ વિદને પ્રાપ્ત થતાં નથી. તેને માટે કહ્યું છે કે –
उपसर्गाः क्षयंयान्ति, बिद्यन्ते विघ्नवस्त्रयः । मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे ॥ ७ सव्वेताह पसबा, सुमिणा सनणा गहाय नखत्ता । तिजयण मंगल निलयं, हियएण जिणं वहं तस्स ॥ ए જિનેશ્વરની પૂજા કરતાં ઉપસર્ગો નાશ પામે છે. વિનરૂપી વેલડીઓ છેદાઈ જાય છે. અને મનપ્રસન્નતાને પામે છે. ૮ જે પુરૂષ ત્રણ જગતનાં મંગળાના સ્થાનરૂપ એવા જિનેશ્વર ભગવાનને પોતાના હૃદયમાં ધારણ કરે છે, તે પુરૂષને સર્વ સ્વને શકુનેરહે અને નક્ષત્ર પ્રશસ્ત થઈ જાય છે. તે
આ પ્રમાણે પિતાના માતા પિતાને નાગમનાં વચને સંભળાવી અને પોતે જૈનગમને સાંભળવાની ઈચ્છામાં ઉત્સુક હૃદયવાળો તે સુદર્શન શ્રેણી જગતનું વાત્સલ્ય કરનાર એવા ભગવાન મહાવીર સ્વામીને વંદન કરવા માટે ગયે. એવામાં તે ભાગમાં ચાલતું હતું, તેવામાં અને નમાળી પિતે મુદ્રને ઉગામી યમરાજાની પેઠે તેના સન્મુખ આવે, તેને તેવી રીતે આવતે જોઈ સુદર્શન શ્રેષ્ઠી જિનેશ્વરના ધ્યાનમાં તત્પર થઈ તેજ ઠેકાણે કાત્સગ કરી ઉભા રહ્યા. તે વખતે તે પરમેષ્ઠી મહામંત્રના જાપથી અસહ્ય તેજવાળા અને વિસ્તારયુક્ત પૈવાળાતે સુદર્શન શ્રેષ્ઠીને પરાભવ કરવાને અસમર્થ થએલે,રેષ રહિત થએલો અને ભય પામેલ યક્ષ પોતાના મુકરને ગ્રહણ કરી, એક દમ અજુન માળીના શરીરને ત્યાગ કરી પોતાના સ્થાન પ્રત્યે ચાલ્યા ગયે. તેનાથી
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૩૬
શ્રાદ્ધ ગુણ વિવરણ.
*
મુકત થએલે તે માળી છેદાએલા વૃક્ષની પેઠે ભૂમિ ઉપર પડી ગયે. ક્ષણવારમાં ચૈતન્ય આવ્યું. એટલે પિતાની આગળ ઉભા રહેલા સુદશનને જે તે અજુનમાળીએ સુદર્શનને પુછયું કે તમે કોણ છે? અને કયાં જાઓ છે? ત્યારે સુદર્શન તેના કને અમૃત જેવી પ્રિય લાગે તેવી વાણી બોલ્યા. હું શ્રમણોપાસક છું અને ભગવાન્ મહાવીરસ્વામીને વંદન કરવા જાઉં છું. હે અર્જુન ? જે તમારી પણ સવજ્ઞાને નમસ્કાર કરવાની ઈચ્છા હોય તે તમે પણ ચાલે. તે પછી ઉત્સુક થએલા તે બન્ને સમેસરણને વિષે આવ્યા. ત્યાં ભક્તિપૂર્વક જિનેશ્વરને નમસ્કાર કરી ભગવાનની દેશનાને શ્રવણ કરે છે. તે દેશના આ પ્રમાણે છે.
मानुष्यमार्य विषयः सुकुत्रप्रसूतिः, श्रधालुता गुरुवचः श्रवणं विवेकः मोहान्धिते जगति संप्रति सिधिसोध
सोपान पछतिरिय सुकृतोपलन्याः ॥ १० ॥ अथवा-तिकालं जिणवंदनं पदिणं पूआ जहासत्ति ।
सझा गुरुवंदनंच विहिणा दाणं तहावस्सयं । सत्तीए वयपालणं तह तवो अपुव्वनाणकणं ।
एसो सावयपुंगवाणनणि धम्मो जिणं दागमे ॥११॥ સાંપ્રતકાળમાં મોહથી અંધ બનેલા આ જગતને વિષે મનુષ્યજન્મ, આર્ય દેશ, સારા કુળમાં જન્મ, શ્રદ્ધાળુતા, ગુરૂના વચનનું શ્રવણ અને વિવેક એ પુણ્યથી પ્રાપ્ત થએલી મેક્ષરૂપ પ્રાસાદમાં જવાની પગથીયાંની શ્રેણી છે. ૧૦ ત્રિકાળ જિનચંદન, નિરંતર યથાશક્તિ જિનપૂજા, સ્વાધ્યાય, વિધિપૂર્વક ગુરૂવંદન, દાન, પ્રતિકમણ, શક્તિ પ્રમાણે વ્રતનું પાલવું, તપસ્યા અને અપૂર્વ શાનનું ઉપાર્જન આ ઉત્તમ શ્રાવકને ધર્મ જિનેશ્વર ભગવાનના આગમને વિષે કહે છે. ૧૧
આ પ્રમાણે જિનેશ્વરની હર્ષ પૂર્વક દેશના સાંભળી સુદર્શન શ્રેણીએ ભાવપૂર્વક શક્તિ પ્રમાણે અભિગ્રહ ગ્રહણ કર્યા. તે પછી જિનેશ્વરને વંદન કરવાથી પિતાના આત્માને કૃતાર્થ માનતો ધર્મ સાંભળવાની ઈચ્છાના ઉદ્યમથી રંગાએ સુદર્શન પિતાને ઘરે આવ્યો. અને પણ અમૃત સમાન ઉજવળ એવી અરિહંતની દેશનાનું પાન કરી, વૈરાગ્યના રંગથી ભગવાન્ શ્રી મહાવીરસ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી. મારે જઘન્યથી નિરંતર છઠની તપસ્યા કરવી. આ પ્રમાણે અભિગ્રહને ગ્રહણ કરી પરીષહોને સહન કરતે અને સંલેખના કરવામાં તત્પર એવા અર્જુન માળી
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૩૭
પંચદશ ગુણ વર્ણન. મુનિએ આઠ મહિના સુધી વ્રત પાળ્યું. તે પછી કર્મને ક્ષય થવાથી સુખના સ્થાન રૂપ મેક્ષને પ્રાપ્ત થયે.સુદર્શનશ્રેણી પણ નિર્દોષ અને ઉત્તમ શ્રાવકધમને આરાધીદેવતાનું સુખ મેળવી કમને ક્ષય થવાથી અનુક્રમે મેક્ષમાં જશે.
હવે ગ્રંથકાર મહારાજ પંદરમા ગુણનું વિવરણ પુરૂં કરતાં ઉપદેશદ્વારા ભવ્ય પ્રાણીઓને નિરંતર ધર્મ શ્રવણ કરવાની ભલામણ કરે છે–
इत्यागमश्रवणसादरमानसस्य, वृत्तं निशम्य वणिजोऽस्य सुदर्शनस्य । संसारवारिनिधितारणनौनिभायां,
धर्मश्रुतौ कुरुत नव्यजनाः प्रयत्नम् ॥१५॥ શબ્દાર્થ–ઉપર જણાવ્યા પ્રમાણે નાગમને શ્રવણ કરવામાં સાદર હૃદયવાળા આ સુદર્શન વણિકનું વૃત્તાંત શ્રવણ કરી સંસારરૂપ સમુદ્રને કરવામાં નાવ સમાન એવા ધમ શ્રવણમાં હે ભવિ પ્રાણીઓ નિરંતર પ્રયત્ન કરે. ૧૨ા ઇતિ આગમની શુશ્રષારૂપ સમ્યત્વના લિંગ વિષે સુદર્શન શ્રેષ્ઠિની કથા સમાપ્ત થઈ છે
Page #176
--------------------------------------------------------------------------
________________
+
૨ =
વનરાવન
ORRARI હું હવે શ્રાવકના પાંત્રીશ ગુણ પૈકી પંદરમા ગુણનું વિવરણ પુરૂં કરી
ત્ર કામથી પ્રાપ્ત થએલ “અજીર્ણમાં ભેજનને ત્યાગ ક રવારૂપ સેળમાં ગુણના વિવરણને પ્રારંભ કરે છે. - તથા અજીર્ણ એટલે પ્રથમ કરેલા ભેજનનું પાચન ન થયું હોય ત્યાં સુધી અથવા પૂર્વભેજના પરિપાકને ન પામ્યું હોય ત્યાં સુધી નવા ભજનો ત્યાગ કરવાના સ્વભાવવાળે ગૃહસ્થ શ્રાદ્ધમને એગ્ય થાય છે. તથા અછમાં ભોજન કરવામાં આવે તે સર્વ જાતના રંગેના મૂળરૂપ અણુની વૃદ્ધિ કરેલી જ કહેવાય છે. કહ્યું છે કે – ગનીમવા ના રૂતિ | સર્વ રોગો અજીર્ણથી ઉત્પન્ન થાય છે. અને તે અજીર્ણ શરીરના ચિનાથી જાણી લેવું. તે ચિત્તે આ પ્રમાણે છે–
मलवातयोर्विगन्धो, विड्लेदो गात्रगौरवमरुच्यम् ।
અવિશુદ્ધો, પત્ની એલિાનિ શા શબ્દાર્થ વિષ્ટા તથા વાયુમાં દુર્ગધ છુટે, વિષ્ટામાં ફેરફાર થાય, શરીર ભારે થાય, ભેજન ઉપર અરૂચી થાય, અને ખરાબ ઓડકાર આવે એ છ અજીર્ણ થ. વામાં સ્પષ્ટ ચિન્હ છે. ૧
ભાવાર્થ-વળી અછણમાં ગ્રહણ કરાએલે આહાર મનુષ્યના વાત, પિત્ત કફના દેષને એકદમ પ્રકપ કરાવે છે. ખરેખર રોગની ઉત્પત્તિ અછણથી થાય છે અને તે અજીર્ણ રસશેષ, આમ, વિષ્ટાબ્ધ, અને વિપકવ વિગેરેના ભેદથી ચાર પ્રકારે કહેલું છે. રસશેષ અજીર્ણ માં બગાસાં, આમ અજીર્ણમાં એડકાર, વિષાબ્ધ અજીર્ણમાં અંગભંગ, અને વિપક્વ અજીર્ણથી ધૂમાડાના જેવો ઓડકાર થાય. તથા અજીણના ઉપલક્ષણથી ગાદિકના ઉદયમાં, સ્વજન, દેવ, અને ગુર્નાદિકના ઉપસર્ગમાં તથા દેવ ગુરૂના વંદનના અભાવમાં વિવેકી પુરૂષને જોજન કરવું યુક્ત નથી. તેને માટે કહ્યું છે કે –
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૩૯
• જોડશ ગુણ વર્ણન. देवसाधुपुरस्वामिस्वजनव्यसने सति ।
ग्रहणे च न जोक्तव्यं, सत्यां शक्तौ विवेकिना ॥२॥ तथागमश्च
अहव न जमिज रोगे, मोहुदये सयणमा उस्सग्गे । पाणिदयातवहेलं, अंते तणुमायणढं च ॥३॥
શબ્દાર્થ દેવ, સાધુ નગરનાયક, અને સ્વજનને કષ્ટ પ્રાપ્ત થયે છતે તથા ચંદ્ર સૂર્યાદિકના ગ્રહણમાં વિવેકી પુરૂષ શકિત છતાં ભેજન કરવું નહીં. . ૨ .
ભાવાથ–તેવી જ રીતે આગમમાં પણ કહેવું છે કે–અથવા રોગમાં, મેહદયમાં સ્વજનાદિકને કષ્ટ થતાં પ્રાણીઓની દયાથી,તપસ્યાના કારણથી અને અંત વખતે શરીરનો ત્યાગ કરવા માટે ભોજન કરવું નહીં. ૩તથા વિશેષ પર્વેમાં શ્રી સંપ્રતિ રાજા અને કુમારપાળ રાજાની પેઠે ભજનને ત્યાગ કરવો જોઈએ. હવે ગ્રંથકાર ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ધમને ચગ્ય બતાવે છે.
विशेषकारणैरेवमनोजनपरायणः ।
સાથJuદ્વાલી, ધર્મથો ફ્રી વાત છે તો ઉપર જણાવ્યા પ્રમાણે વિશેષ કારણેથી ભેજનને ત્યાગ કરવામાં તત્પર અને નિરંતર આરેગ્યતાના ગુણથી ઉલ્લાસ પામેલે પુરૂષ ગૃહસ્થને યોગ્ય થાય છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
A
सप्तदशगुणवर्णन.
ગણે
વે શ્રાવકના પવીશ ગુણ પૈકી સેળમાં ગુણનું વિવરણું પૂર્ણ કરી કમથી આવેલા “ કાળે ભજન કરવારૂપ સત્તરમા ગુણના વિવરણને પ્રારંભ કરે છે–
Zી.
તથા અન્નાદિકથી ઉપજીવન કરનાર ગૃહસ્થ જ્યારે ખાવાની ઈચ્છા થાય તે કાળે લુપતા વિગેરેને ત્યાગ કરી જઠરાગ્નિના બળ પ્રમાણે હિતકારી અને પ્રમાણપત ભેજન કરે. કહ્યું છે કે --
कए नामितिक्रान्तं, सर्वं तदशनं समम् । कणमात्रसुखस्यार्थे, लौट्यं कुर्वन्ति नो बुधाः ॥१॥ जिह्वे प्रमाणं जानीहि, नोजने वचने तथा ।
अतिनुक्तमतिचोक्तं, प्राणिनां मरणप्रदम् ॥२॥ શબ્દાર્થ કઠનાડીનું ઊલંઘન કરી ગયા પછી તે તમામ ખાવાનું સરખું છે; તેથી પંડિત પુરૂષ ક્ષણમાત્રના સુખને અર્થે લોલુપતા કરતા નથી.શાહે જિહે? ભેજન કરવામાં તથા વચને બોલવામાં તું પ્રમાણ રાખજે, કારણ અતિ ભેજન કરેલું અને અતિ બાલાએલું પ્રાણિઓને મરણ આપનારું થાય છે. ૨
ભાવાર્થઅધિક કરેલું ભોજન ખરેખર વમન, વિરેચન, અને મરણ વિગેરે કરનાર હોવાથી સારૂં નથી. જે પુરૂષ પ્રમાણપત ભજન કરે છે, તે ઘણું ભજન કરે છે. સુધા વગર ખાધેલું અમૃત પણ વિષરૂપ થાય છે તથા સુધાને કાળ ઉલંઘન કરવાથી અન્ન ઉપર દ્વેષ થાય છે અને શરીર સદાય છે. અગ્નિ બુઝી ગયા પછી ઇંધણ શું કરશે? કહ્યું છે કે
पानाहारादयो यस्याविरुधाः प्रकृतेरपि । सुखित्वायावकल्पन्ते, तत्सात्म्यमिति गीयते ॥३॥
Page #179
--------------------------------------------------------------------------
________________
સપ્તદસ ગુણ વર્ણન. શબ્દાર્થ જેની પ્રકૃતિને વિરૂદ્ધ એવાં આહારપાણી વિગેરે જે સુખને માટે કપાય તેને સામ્ય કહે છે. શરૂા
ભાવાર્થ-એવા લક્ષણવાળા સામ્યથી જન્મથી માંડીને સામ્ય વડે ભજન કરેલું વિષ પણ પશ્ય થાય છે. પરંતુ અસામ્ય હોય તોપણ જે પચ્ચ હેય તે સેવવું. પરંતુ સામ્યથી પ્રાપ્ત થએલ પણ અપગ્ય હોય તો તે સેવવું નહી. બલવાન્ પુરૂષને બધુંએ પથ્ય છે એમ માની કાળફૂટ વિષ ન ખાવું. વિષ તંત્ર (ઔષધી) ને જાણનારે સુશિક્ષિત હોય તે પણ કદાચિત્ વિષથી જ મરણ પામે છે. એવી રીતે અજીર્ણમાં ભેજનને ત્યાગ ન કરે અને અસામ્યથી ભજન કરે છતે પ્રાયે કરી હમેશાં રેગ વિગેરેની ઉત્પત્તિથી આકુલ વ્યાકુલ થનાર અને. તેથી નિરંતર આધ્યાનમાં તત્પર રહેનાર પુરૂષને ધર્મની ગ્યતા કેવી રીતે થાય ? આથી ગૃહસ્થ પુરૂષે યકત ગુણવાળા થવું જોઈએ. ભોજન કરવાની વિધિ આ પ્રમાણે છે –
ઉત્તમ પુરૂષોએ પિતાને,માતાને,બાલકને, સગર્ભા સ્ત્રીને, વૃદ્ધને, અને રેગિએને પ્રથમ ભેજન આપી પછી પોતે ભજન કરે,તથા ધમને જાણ પુરૂષ પિતાનાં રાખેલાં પશુઓની તથા નેકર વિગેરે મનુષ્યની ચિંતા કરી પિતે ભજન કરે તેમ કર્યા સિવાય ભજન કરે નહીં. તથા મૂળમાં લે એવું વાકય છે. તે ઉપરથી અકાળને ત્યાગ કર એમ સૂચવે છે. અતિ પ્રાતઃકાળ, સાયંકાળ અને રાત્રિના લક્ષણવાળ અકાળ કહેવાય છે. તેવા કાળમાં ભેજન કરવું સર્વ શાસ્ત્રમાં નિષિદ્ધ હોવાથી અને મહાન દેષ તથા મહાન પાપનું કારણ હોવાથી યુક્ત નથી તેને માટે કહ્યું છે કે –
चत्वारो नरक घाराः, प्रथमं रात्रिभोजनम् । परस्त्रीगमनं चैव, संधानानन्तकायिके શબ્દાર્થ–પહેલું રાત્રિભેજન, બીજું પરસીગમન, ત્રીજુ બળ અથાણું અને શું અનંતકાયનું ભક્ષણ એ ચાર નરકમાં પ્રવેશ કરવાનાં દ્વાર છે. જો
હે યુધિષ્ઠર? રાત્રિમાં પાણી પણ પીવું એગ્ય નથી. તેમાં વિશેષે કરી તપસ્વી અને વિવેકી ગૃહસ્થને તે બીલકુલ એગ્ય નથી. જે સારી બુદ્ધિવાળા પુરૂષે હમેશાં રાત્રિમાં આહારને ત્યાગ કરે છે તે પુરૂષને એક માસમાં પંદર ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. આ લેકમાં કઈ એ કાળ છે કે જે કાળમાં ભોજન ન થાય તેથી જે પુરૂષ અકાળને ત્યાગ કરી કાળે ભજન કરે છે, તેને ધમને જાણું સમજે. જે પુરૂષ હમેશાં રાત્રિભેજનનું પચ્ચખાણ કરે છે તે પુરૂષને ધન્ય છે. કારણ લેકમાં આયુષ્ય સે વર્ષનું કહેવામાં આવે છે તેથી રાત્રિલેજનનું પચ્ચખાણ કરનાર પર
Page #180
--------------------------------------------------------------------------
________________
શહણ વિવરણ. આયુષ્યના અડધા ભાગે ઉપાષિત ગણાય છે. જે પુરૂષ અર્ધઘટી અથવા ફકત એક ઘટીનું વ્રત ધારણ કરે છે તે પુરૂષ દેવલોકમાં દેવપણે ઉન્ન થાય છે. તે જેને ચાર પહોરનું વ્રત ધારણ કર્યું હોય તેની તે વાતજ શી ? જે કારણેને લઈ પ્રાણીઓનું વિતવ્ય અનેક કષ્ટોથી વ્યાપ્ત થએલું હોય છે તેમાં કથંચિત્ ભાગ્ય રોગ થાય તે પ્રાણી રાત્રિમાં ભજન કરનાર ન થાય તથા–રાત્રિભોજનના દેવ જાણનારે જે પુરૂષ દિવસના આદિમાં અને દિવસના અવસાનમાં બે બે ઘડી ત્યાગ કરી સજન કરે છે તે પુરૂષ પુણ્યના ભાજગરૂપ થાય છે. આ લોક સંબંધી રાત્રિભેજનના દોષો આ પ્રમાણે છે- કીડી ખાવામાં આવે તે બુદ્ધિને નાશ કરે છે, કાંટે ખાવામાં આવે તે તાળવાને ભેદ કરે છે, ગળામાં વાળ લાગ્યું હોય તે કંઠને બગાડે છે. સંસક્ત જંતુઓની સંતતિ અને સંપતિમ અનેક પ્રાણિઓના વિનાશને હેતુ હોવાથી રાત્રિ ભોજન મહાન પાપનું મૂળ છે. તેથી ત્યાગ કરવું એગ્ય છે. તેને માટે વિવેક વિલાસમાં કહ્યું છે કે –
અતિ પ્રાતઃકાળે, સાયંકાળે, રાત્રિએ, અન્નની નિંદા કરતાં, માગમાં ચાલતાં જમણા પગ ઉપર હાથ મુકી તથા ખાવાની વસ્તુ ડાબા હાથમાં લઈ ભેજન કરવું નહીં. ખુલ્લી જગામાં, તડકામાં, અંધકારમાં, વૃક્ષના અધેભાગમાં અને તજની આંગળીને ઉંચી કરી કદિપણુ ભજન કરવું નહીં. મુખ, હાથ અને પગ ધેયા વિના, નગ્ન અવસ્થામાં, મલિનવસ્ત્ર પહેરી અને ડાબા હાથથી થાળી ઉપાઉંને કદી પણ ભેજન કરવું નહીં. વિચક્ષણ મનુષ્ય એક વસ પહેરી, ભીનાવથી મસ્તકને વીંટાળી, તથા અપવિત્ર છતાં ખાવાની વસ્તુ ઉપર લેપ થઈ કદિ પણ ભેજન કરવું નહીં. પગરખાં સાથે, વ્યગ્રચિત્તે, કેવળ જમીન ઉપર બેસી, પલંગમાં રહી, અગ્નિ, નૈત, વાયવ્ય અને ઈશાનરૂપ વિદિશા તથા દક્ષિણ દિશા તરફ મુખ રાખી અને ટુંકા આસન ઉપર બેસી ભેજન કરવું નહીં. આસન ઉપર પગ રાખી, ચંડાળ કે ધર્મભ્રષ્ટ પુરૂના દેખતાં અને ભાંગેલા તથા મલિન ભાજનમાં ભજન કરે નહીં. આ ભોજન કેના તરફથી આવ્યું છે એમ જાણવામાં નહાય,અજાણ્યું હોય અને બીજી વખત ગરમ કરેલું હોય તેવું ભજન કરે નહીં. તેમજ જમતાં જમતાં બચ બચ એવા શબ્દએ સહિત અને મુખને વિકાર કરતે ભજન કરે નહીં. જન નિમિત્તે આમંત્રણ કસ્વાથી પ્રીતિને ઉન્ન કરતો અને ભજનની શરૂઆતમાં ઈષ્ટદેવના નામનું સ્મરણ કરતે સરખા વિશાળ અને અતિ ઉચું નહાય તેવા સ્થિર આસન ઉપર બેસી ભજન કરે. માસી, માતા, બહેન અને ભાર્યા વિગેરે સ્ત્રીઓએ આદર પૂર્વક પકાવેલું, ભજન કરી નિવૃત્ત થએલા પવિત્ર પુરૂષોએ પીરસેલું અને સર્વ
કે ભજન કરી રહ્યા પછી પોતે ભજન કરે. આ લેકમાં પિતાનું પેટ પણ - ભારતું નથી. માટે જે ઘણુ જીવને આધાર હોય તેજ પણ પુરૂષ ગણાય
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૪૩
સપ્તશ ગુણ વર્ણન, છે. તેથી ભેજન વખતે પ્રાપ્ત થએલા બાંધવાદિકને ભેજન કરાવે. જે પુરૂષો સુપાત્રને દાન આપી અથવા તે અધિક શ્રદ્ધાથી સુપારાનું સ્મરણ કરી ભજન કરે છે, તે ધન્ય છે. તે સિવાયના કેવળ પિતાનું પેટ ભરનારા નરાધમેથી શું? અતિથિઓને ભકિતથી, અથિજનેને શકિત અનુસારે અને દુઃખીજનેને અનુકંપાથી
ગ્યતા પ્રમાણે કૃતાર્થ કરી પછી મહાત્મા પુરૂષને ભેજન કરવું એગ્ય છે. યાચના કરનારા સંન્યાસી અને બ્રહ્મચારિઓને ભિક્ષા આપે. જે ગ્રાસ પ્રમાણ હાય, તેને ભિક્ષા કહે છે અને ચાર ગ્રાસને અગ્ર કહે છે. ઉત્તમ બ્રાહ્મણે ચાર અગ્રનેહંતકાર કહે છે. અથવાતે ભોજનને હંકાર કહે છે અને શિક્ષાને અગ્ર પણ કહે છે. અતિથિ, વિદ્વાન જ્ઞાતિબંધુ અને અજિનેની પૂજા કરી પિતાના વૈભવપ્રમાછે તેમને આપ્યા સિવાય ભેજન કરવું નહીં. જે વખતે દક્ષિણ નાસિકા વહેતી હેય તે વખતે મન કરી, શરીરને સિધું રાખી, દરેક ખાવાની વસ્તુ સુઘીને અને દષ્ટિદોષના વિકારને ટાળીને ખરાબ સ્વાદથી, સ્વાદ વગરથી અને વિકથાથી વર્જિત થએલું તથા શાસ્ત્રમાં નિષેધ કરેલા સંપૂર્ણ આહારના ત્યાગ કરવાથી મને હર એવા અન્નાદિકનું ભેજન કરવું જોઈએ. તથા ભેજન કરતાં સારી સ્નિગ્ધ, મધુર અને રસ યુક્ત વસ્તુ પ્રથમ ખાવી. પ્રવાહી, ખાટી, અને ખારી વસ્તુ વચમાં ખાવી, તીખી તથા કડવી વસ્તુ ભેજનના અંતમાં ખાવી. મનુષ્ય જન કરી રહ્યા પછી રસથી ખરડાએલા હાથે પાણીને એક કે ગળે હમેશાં પીવે. વળી ભેજન કરી રહ્યા પછી જળથી ભિજાએલા હાથે બે ગાલને, બીજા હાથને અને બે ચક્ષુને સ્પર્શ ન કરે કિંતુ કલ્યાણ માટે પોતાના બે ઢીંચણે સ્પર્શ કરે. કહ્યું છે કે –
मा करेण-करं पार्थ, मा गहौ मा च चकुषी। जानुनी स्पृश राजेन्द्र, जर्तव्या बहवो यदि ॥ ५॥
શબ્દાર્થ–હે યુધિષ્ઠિર રાજે? જે હારે ઘણા માણસેનું પોષણ કરવું હોય તે ભેજન કર્યા પછી ભીના હાથે બીજા હાથને બે ગાલને અને બે નેત્રને સ્પર્શ કરીશ નહીં પરંતુ હારા બે ઢીંચણે સ્પર્શ કરજે પો
હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં વિધિથી ભજન કરનારને ફળ બતાવે છે.
विधिनैवं विशुखात्मा, विदधानः सुनोजनम् । गृहिधर्माहतामात्म-न्यारोपयति सत्तमः ॥६॥ શબ્દાર્થ ઉપર જણાવેલી વિધિથી વિશુદ્ધ આત્માવાળો થઇ સારા ભેજનને કરતે અતિશય શ્રેષ્ઠ પુરૂષ પોતાના આત્મામાં ધર્મની યોગ્યતાનું આ પણ કરે છે. તે ૬ .
Page #182
--------------------------------------------------------------------------
________________
अष्टादशगुणवर्णन.
Cather
વે શ્રાવકના પાંત્રીશ ગુણુ પૈકી સત્તરમા ગુણુનું વિવરણ સમાસ કરી ક્રમથી પ્રાસથએલ “ત્રિવર્ગના સાધન કરવા રૂપ” અઢારમા ગુણુનુ વિવરણ કરે છે.
તથા–ત્રિવર્ગ એટલે ધમ, અર્થ અને કામ તેમાં જેનાથી અભીકાયના ઉદય અને મેક્ષની સિદ્ધિ થાય તે ધમ કહેવાય છે. જેનાથી સર્વ વસ્તુના કાચની સિદ્ધિ થાય તે અથ કહેવાય છે. અને જેનાથી અભિમાનના રસથી પ્રેરાએલી સ ઇંદ્રિયાને પ્રીતિ થાય તે કામ કહેવાય છે. તેથી પરસ્પર એક બીજાના ( ધમ અને કામના ) વિધાત ( નાશ ) અથવા તો ખાધા ન થાય તેવી રીતે ધર્માભિલાષી પુરૂષ ધર્મ, અથ અને કામરૂપ ત્રિવર્ગનું સાધન કરે. પરંતુ એકલા ધર્મને અથવા તા એકલા અથ કે કામને સાથે નહીં. કહ્યું છે કેઃ—
यस्य त्रिवर्गशून्यानि दिनान्यायान्ति यान्ति च । सलोदकारजस्त्रेव, श्वसन्नपि न जीवति ॥ १ ॥
શબ્દા --જે પુરૂષના ધર્મ અથ અને કામરૂપ ત્રિવર્ગના સાધન શિવાયના દિવસે આવે છે અને જાય છે, તે પુરૂષ લુહારની ધમનની પેઠે શ્વાસ લે છે તે પણ તે જીવે છે એમ કહેવાય નહીં. । ૧ ।
તેમાં ધમ અને અથના વિનાશ થવાથી અવિચારણીય એવા ઉત્પન્ન થએલા પદાર્થના વ્યય કરવારૂપ તાદાત્વિક વિષય સુખમાં લુબ્ધ થએલા વનહસ્તિની પેઠે કા પુરૂષ આપત્તિના સ્થાનરૂપ થયા નથી ? જે પુરૂષને કામ ઉપર અત્યંત આસક્તિ હોય છે તે પુરૂષના બ્રહ્મદત્ત વિગેરેની પેઠે ધન, ધર્મ, અને શરીરના નાશ થાય છે. તથા ધમ અને કામનું ઉલ્લંઘન કરી ઉપાર્જન કરેલા દ્રવ્યના બીજા અનુભવ કરે છે. અને પાતે તા હસ્તીના નાશ કરનાર સિંહની પેઠે અથવા મમ્મણ વિગેરેની પેઠે ઉત્કૃષ્ટા પાપનુ ભાજન થાય છે. તથા અથ અને કામનું ઉદૂધન કરી
Page #183
--------------------------------------------------------------------------
________________
અષ્ટાદશ ગુણ વર્ણન.
૧૪૫ એકલા ધમની સેવા કરવી તે યતિઓને જ ધર્મ છે. પરંતુ અર્થકામની ઉપેક્ષા કરી કેવળ ધર્મ કરે એ ગૃહસ્થોને ધર્મ નથી. તથા બીજ ભેજન કરનાર કહ્યુંબીની પેઠે ધમને બાધા કરી અર્થ અને કામની સેવા કરે નહીં. તથા અધમિ પુરૂષને આગામી કાળે કાંઈપણ કલ્યાણકારી નથી. જે પુરૂષ પરલોકના સુખથી અને વિરોધી આ લેકના સુખને અનુભવ કરે છે, તે પુરૂષ અભયકુમારની પેઠે ખરેખર સુખી થાય છે. એવી રીતે અર્થને બાધ કરી એકલા ધર્મ અને કામને સેવનારા પુરૂષને ઘણું કરજ થાય છે. અને કામને બાધ કરી એકલા ધર્મ અને અથને સેવનારા પુરૂષને ગૃહસ્થપણાને અભાવ થાય છે. અર્થાત્ ગૃહસ્થ ધર્મ ચાલી શકતો નથી. આ પ્રમાણે તાદાવિક મૂળહર અને કદયને વિષે ધમ, અર્થ અને કામની પરસ્પર બાધા થવી સુલભ છે. એ ત્રણે પુરૂષનાં લક્ષણે આ પ્રમાણે છે.
જે પુરૂષ કાંઈ પણ વિચાર કર્યા સિવાય ઉત્પન્ન થએલા દ્રવ્યને વ્યય કરે છે, તે તાદાત્વિક કહેવાય છે. જે પુરૂષ પિતા અને પિતામહના મેળવેલા દ્રવ્યને અન્યાયથી ભક્ષણ કરે છે, અર્થાત્ ઉડાવે છે તે મૂળહર કહેવાય છે. અને જે પુરૂષ નેકરને કે પિતાના આત્માને કષ્ટ આપી દ્રવ્યને સંચય કરે છે, પરંતુ કાંઈપણ વ્યય કરતું નથી તે કદય કહેવાય છે. તેમાં તારાત્વિક અને મૂળહર આ બન્નેના દ્રવ્યને નાશ થવાથી તેમના ધર્મ તથા કામને નાશ થાય છે. તેથી તેમનું કલ્યાણ નથી, કદને દ્રવ્યસંગ્રહ તે રાજા, ભાગીદાર અને ચોર વિગેરેને ભંડાર કહેવાય છે તેથી તે દ્રવ્યને સંગ્રહ ધર્મ તથા કામને હેતુ થતું નથી. ઈત્યાદિ. આમ કહેવાથી ગૃહસ્થને ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગને બાધા કરવી ઉચિત નથી એમ પ્રતિપાદન કર્યું. જ્યારે ભાગ્યના વેગથી ધર્મ, અર્થ અને કામમાંથી કેઈને બાધા થવાને સંભવ થાય ત્યારે ઉત્તરોત્તર બાધા થયે છતે પૂર્વ પૂવની બાધાનું રક્ષણ કરવું. તેનું જ આ ઠેકાણે પ્રાતપાદન કરે છે–
જ્યારે કામને બાધ આવે, ત્યારે ધર્મ તથા અર્થને બાધા થવા દેવી નહીં. કારણ ધર્મ તથા અર્થ અબાધિત હેય તે કામને સહેલાઈથી મેળવી શકાય છે. અને કામ તથા અર્થને બાધ આવે તે ધર્મનું રક્ષણ કરવું. કારણ કે, અર્થ તથા કામની પ્રાપ્તિ થવામાં મૂળ કારણ ધર્મ છે. તેને માટે કહ્યું છે કે –
धर्मश्चेन्नावसीदेत, कपालेनापि जीवतः।
आढ्योऽस्मीत्यवगन्तव्यं, धर्मवित्ता हि साधवः॥२॥ तथा-त्रिवर्गसंसाधनमन्तरेण, पशोरिवायुर्विफवं नरस्य । तत्रापि धर्म प्रवरं वदन्ति, न तं विना यन्नवतोऽर्थ
રાતો | ૨ |
Page #184
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણુ વિવરણ.
શબ્દા
હાથમાં કપાલ લઇ ભિક્ષાથી જીવનારા પુરૂષાને જો ધર્મસીદાતા ન હોય તે હુ ધનાઢ્ય છું એમ જાણવુ, કારણ સાધુ ( શ્રેષ્ઠ ) પુરૂષા ખરેખર ધર્માંરૂપી પૈસાથી જ યુક્ત હેાય છે. ૨ વળી કહ્યું છે કે—
૧૪૨
ધર્મ અથ અને કામરૂપ ત્રિવર્ગના સાધન સિવાય પુરૂષનું આયુષ્ય પશુની પેઠે નિષ્ફળ છે. ધર્મએ અને ફામરૂપ ત્રિવર્ગમાં પણ પતિ પુરૂષા ધર્મને શ્રેષ્ઠ કહે છે. કારણ તે ધર્મ સિવાય અર્થે તથા કામની પ્રાપ્તિ થતી નથી. ૩
તથા ધર્મ ધનાથિ પુરૂષોને ધન આપનારો અને સર્વ કામાથિ પુરૂષને કામિત આપનારો છે. હવે ગ્રંથકાર મહારાજ ગુણુની સમાપ્તિ કરતાં ઉપદેશકારા ધર્મારાધનનુ ફળ ખતાવે છેઃ—
अन्योन्याबाधया, शुद्धोपधयाराधयन्सुधीः ।
त्रिवर्ग क्रमतः स्वर्गापवर्गसुखभाग् जवेत् ॥४॥
इति अष्टादशः॥
રાખ્તા—સદ્ બુદ્ધિવાળા પુરૂષ શુદ્ધ ધર્મ, અર્થ અને કામથી દરેક વસ્તુનું અશિાધન કરી અને પરસ્પર માધા સિવાય ત્રિયનું સાધન કરતા અનુક્રમે દેવ"લાક તથા મેક્ષના સુખતા ભાગી થાય છે. ૪
Page #185
--------------------------------------------------------------------------
________________
एकोनविंशगुणवर्णन.
[
:
::
:
:
: *
re :
-
વે શ્રાવકના પાંત્રીશ ગુણપૈકી અઢારમા ગુણનું વિવરણ પુરૂં કરી અનુક્રમથી પ્રાપ્ત થએલ “અતિથિ વિગેરેની
ભાકત કરવારૂપ એગણુશમાં ગુણુતા વિવરણને માtw/Tરંભ કરે છે.
તથા હમેશાં અતિનિમળ અને એક સરખી વિધિપૂર્વક ક્રિયાની પ્રવૃત્તિને લઈને જેને તિથિ વિગેરે દિવસેને વિભાગ ન હોય તે અતિથિ કહેવાય છે.
तिथिर्वोत्सवाः सर्वे, त्यक्ता येन महात्मना ।
अतिथि तं विजानीयात्. शेषमन्यागतं विदुः॥ १ ॥ શબ્દાર્થ જે મહાત્માએ સર્વ તિથિ, પર્વ અને ઉત્સવને ત્યાગ કર્યો છે, તે મહાત્માને અતિથિ જાણવા અને બાકીના બીજાઓને અભ્યાગત જાણવા ૧
| ભાવાર્થ –જે મહાત્માને રૂપામાં, સુવર્ણમાં, અને ધન તથા ધાન્યમાં લેભ ન હોય તે મહાત્માને અતિથિ જાણ. તથા શિષ્ટાચારમાં તત્પર અને સર્વ લેકેથી પ્રશસિત હોય તે સાધુ કહેવાય છે. તથા હી ધાતુ ક્ષય અર્થમાં લેવાથી સવ ધમ, અર્થ અને કામને આરાધના કરવાની શકિતથી હીણુ હોય તે દીન કહેવાય છે. અતિથિ, સાધુ અને દીન (ક) પુરૂષોને વિષે હિતશિક્ષા અને ગ્ય અવસરે અન્નપાનાદિક આપવારૂપ તથા યથાગ ઉચિતતાનું ઉલ્લંઘન કર્યા સિવાય પ્રતિપત્તિ (ગારવ) કરનાર હોય તે પુરૂષ ધર્મને અધિકારી થાય છે. આચિત્યતાને માટે કહ્યું છે કે –
औचित्यमेकमेकत्र, गुणानां कोटिरकतः। . विषायते गुणग्राम, औचित्यपरिवर्जितः ॥ ॥
શબ્દાથે—એક તરફ કેવળ ફકત ઉચિતતા અને એક તરફ ગુણેની કેટી હેય તે પણ ઉચિતતાથી રહિત એ ગુણેનો સમૂહ વિષરૂપ ગણાય છે. ૨
વળી કહ્યું છે કે
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૪૮
શ્રાદ્ધગુણ વિવરણ.
અથવા તે ઉચિતરૂપ ચિંતામણિ પુણ્યવાન પુરૂને શું નથી કરતે ?તે ઉચિતરૂપ ચિંતામણિ અપરિચિત લેકમાં પણ એકદમ આદેયપણને વિસ્તારે છે. ખરાબ આચરણવાળા અને નાશ કરવાને ઉઘુકત થએલા નરપતિ જેવાને પણ શાંત કરે છે. અને ધર્મ, અર્થ તથા કામરૂપ ત્રિવર્ગને પ્રાપ્ત કરાવે છે. તેથી આ લોકમાં તથા પરલેકમાં કલ્યાણ થાય છે. તેમાં મુખ્ય વૃત્તિએ સર્વવિરતિ ગ્રહણ કરનાર મુનિઓ અતિથિ કહેવાય છે. તેથી તેવા અતિથિઓને વિષે પિતાના અનુગ્રહને માટે પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત કરવાને માટે અને કર્મોને નાશ કરવાને માટે સર્વ પ્રકારની ઈચ્છા રહિત અને શ્રદ્ધાવાળા વિવેકી પુરૂષે હમેશાં સંવિભાગ કર જોઈએ. તેને માટે શ્રાવક સામાચારીમાં કહ્યું છે કે “જ્યાં સાધુઓનું આગમન હય, જયાં જિનેશ્વર ભગવાનનું ચૈત્ય-મંદિર હોય અને જ્યાં વિદગ્ધ-ડાહ્યા સાધમિકે વસતા હોય તેવા સ્થાનમાં શ્રાવક વાસ કરે.” પ્રથમ પ્રાતઃકાલે જ્યાં સુધી જિનપ્રતિમા અને સાધુઓને વિધિપૂર્વક વંદન ન કર્યું હોય ત્યાં સુધી પાણી પણ પીવું કપે નહીં. મધ્યાન્હ કાળે બીજીવાર મધ્યાહે પણ દેવગુરૂને અવશ્ય વંદન કરી શ્રાવકને ભોજન કરવું કપે. વળી સાયંકાલે પણ તેમને વંદન કરી શયન કરવું જોઈએ. ભેજન કરવાને કાળ પ્રાપ્ત થતાં દાનનું ફળ ઉત્તમ છે એમ જાણી, ઉપાશ્રયમાં જઈ, વિધિપૂર્વક મુનિપતિ-આચાર્યને વંદન કરી ભકિતના સમૂહથી અત્યંત ભરાએલા શરીરવાળા અને મહાન સંવેગથી પુલકિત (વિકસ્વર) શરીરવાળે શ્રાવક પોતે જ નિર્દોષ અન્નપાનવડે મુનિઓને પ્રતિલાભિત કરે. બીજે ઠેકાણે પણ કહ્યું છે કે –“પિતાના ઘરમાં સુપાત્રરૂપ મુનિ પ્રાપ્ત થયે છતે અતિ વિશુદ્ધ શ્રદ્ધાથી જે પુરૂષે સર્વ પ્રકારે દોષ રહિત દાન આપ્યું નથી, તે પુરૂષનું કલ્યાણ કેવી રીતે થાય ?” નહિ પ્રાપ્ત થએલા પદાર્થને પ્રાપ્ત કરવાની ઈચ્છારૂપ આશંસા વિગેરેથી વિમુખ થએલો અને શ્રદ્ધાથી વિકસ્વર થએલા રેમ રૂપ કંચુકને ધારણ કરતે શ્રમણોપાસક કર્મોને નાશ કરવામાં હેતુરૂપ દાન અવશ્ય સુપાગરૂપ મુનિઓને આપે. એવી રીતે સૂત્રમાં વર્ણવેલા વિધિ વડે મેક્ષનું કારણ ભૂત દાન આપવું જોઈએ. તથા અનુકંપાદાન તીર્થકરોએ કઈ ઠેકાણે નિદ્ધ કર્યું નથી. વ્યવસાયનું ફળ વૈભવ છે. અને વૈભવનું ફળ સુપાત્રમાં વિનિયોગ કરે તે છે. તેમા અભાવમાં વ્યવસાય અને વૈભવ પણ દુર્ગતિનું કારણ થાય છે. તથા બાહ્ય, નાશવંત અને સુપાત્રમાં આપેલા દ્રવ્યથી જે નિત્ય અને અંતરંગ રૂપ ધમ થાય તે શું પ્રાપ્ત થયું નથી? દેવ ગુરૂને સંવિભાગ કરી દુઃખી પુરૂષે તથા બંધુવને આપી જે ભોગવે છે તે ભગવેલું કહેવાય છે. તે સિવાય બાકી તે ઉદર ભરવું ગણાય છે. કહ્યું છે કે –
Page #187
--------------------------------------------------------------------------
________________
એકેવિશ ગુણ વર્ણન. अईत्न्यः प्रथमं निवेद्य सकलं सत्साधुवर्गायच, प्राप्ताय प्रविनागतः सुविधिना दत्वा यथाशक्तितः । देशायातसधर्मचारिनिरखं सार्थ च काले यथा । जुञ्जोतेति सुत्नोजनं गृहवतां पुण्यं जिनैाषितं ॥३॥
શબ્દાર્થ –પ્રથમ સર્વ વસ્તુ તીર્થકરોને નિવેદન કરી અર્થાત નિવેદ ધરાવી પડી શસ્ત થએલા સાધવગને વિધિ પૂર્વક વિભાગ કરી શક્તિ પ્રમાણે દાન આપી દેશાંતરથી આવેલા સધમીઓની સાથે ભેજનકાળે ઉત્તમ ભેજન કરે એ યુસ્થાને પવિત્ર ભેજન છે, એમ જિનેશ્વરએ કથેલું છે. ?
આ અતિથિદાન થેડું આપેલું હોય તે પણ તત્કાલ ઘણા ફળને આપનારૂં થાય છે, તે વિષે એક દષ્ટાંન્ત આ પ્રમાણે છે.
કઈક ગામમાં દાન દેવાની બુદ્ધિવાળે અને ભદ્રિક પરિણતિવાળ સુધન નામે શેઠ હસે તેને ધનશ્રી નામે ભાર્યા હતી તે પણ પોતાના સ્વામિના સમાન સ્વભાવવાળી હતી. એક વખતે કે જૈન મુનિ પાસે તેણે નીચે જણાવ્યા પ્રમાણે ધમદેશના સાંભળી.
દેવની ભક્તિથી, ગુરૂની ઉપાસનાથી, સર્વ પ્રાણીઓ ઉપર અનુકંપા કરવાથી, સત્ પુરૂષની સંગતિથી, અને સિદ્ધાંતનું શ્રવણ કરવાથી હે લેકે, મનુષ્ય જન્મનું ફળ ગ્રહણ કરે. સત્પાત્રમાં દાન આપવું તે લક્ષ્મીનું આભૂષણ છે. વિરતિ (પચ્ચ ખાણ) ધારણ કરવું તે વિદ્યાનું આભૂષણ છે. કેવળ ધર્મને જ ધારણ કરે તે શરીરનું આભૂષણ છે અને કેવળ સત્ય જ બેલવું તે વાણીનું આભૂષણ છે. પૃથ્વીનું આભૂષણ પુરૂષે છે. પુરૂષનું આભૂષણ અતિઉત્તમ લક્ષ્મી છે. લક્ષમીનું આભૂષણ દાન છે. અને દાનનું આભૂષણ સુપાત્ર છે, તેમાં સર્વ દાને માં અન્નનું દાન અતિશય મોટામાં મોટું ગણાય છે. તેને માટે કહ્યું છે કે તીર્થકર જેવા લકત્તર પુરૂષો પણ અન્ન દાતાના હાથની નીચે પોતાના હાથને ધારણ કરે છે, તેથી તે દાન સત્પાત્રમાં આપવામાં આવ્યું હોય તે ઘણું ફળવાળું થાય છે. તેને માટે અન્યદર્શનમાં પણ આ પ્રમાણે કહેલું છે. “હે રાજન્ અન્નદાનના જેવું બીજું ઉત્કૃષ્ટ દાન નથી. કારણ આ ચરાચર સંપૂર્ણ જગત્ અન્નથી ધારણ કરાએલું છે.”ઈતિહાસ પુરાણમાં પણ કહેવું છે કે-“હે, પુરૂષ શ્રેણ–રાજનું સર્વ પ્રાણીઓના પ્રાણે અન્નને વિષે રહેલા છે, તેથી પંડિત પુરૂષોએ અન્નદાતા પુરૂષને પ્રાણદાતા કહેલ છે” પુરૂષ શ્રેષ્ટ વૈવસ્વત નામે રાજાએ સ્વ લેકમાંથી ચવતા એવા તે કેસરિધ્વજ રાજાને કરૂણાથી કાળ કે, “હે રાજન? કમ ભૂમિમાં જઈ જે હારે બીજી વાર સર્મમાં આવવાની ઇરછા
Page #188
--------------------------------------------------------------------------
________________
શાણુણ વિવરણ. હોય તે તું અન્ન આપજે. અન્ન આપજે. અન્ન આપજે.” એમ પદપુરાણમાં કહેલું છે, ત્યાં સુધન શ્રેણીએ મુનિની પાસે શ્રાવકનાં બાર તેને અંગીકાર, ત્રિકાળ જિનપૂજા, એકાંતર ઉપાસ અને અતિથિને દાન આપ્યા પછી પારણું કરવું ઈત્યાદિ અભિગ્રહ ગ્રહણ કર્યા, પછી ઘેર આવીને પોતાની ભાર્યાને પિત ધર્મ અંગીકાર કર્યાનું જણાવ્યું. એવી રીતે બન્ને સ્ત્રી પુરૂષને પુણ્ય કાર્ય કરતાં અનુક્રમે કેટલાએક કાળે અંતરાયકર્મના ઉદયથી પૂર્વનું દ્રવ્ય ક્ષીણ થઈ ગયું અને પોતે નિધન થઈ ગયે. આ અરસામાં સુધનને તેની ભાર્થીએ પ્રેરણા કરી કે હારા પિતાના ઘરથી દ્રવ્ય માંગી લાવી વેપાર કરે, પરંતુ શ્રેણી લેકની ઉપહાસ્ય અને લજજા વિગેરેના કારણેથી પોતાના સસરાના ઘેર જવાને ઈચ્છતા નથી. પણ હમેશાં ભાર્યાની પ્રેરણાથી ઉગ પામેલે સસરાના ઘર તરફ જવા નિકળે. માર્ગમાં સાથવાનું ભાતું સાથે લિધું હતું. માર્ગમાં એક ઉપવાસ થયે, બીજે દિવસે બે હેર સુધી વિલંબ કરી ત્રિજ પહેરે એક મહીનાના ઉપવાસી સાધુને સાથ હેરાવી તેણે પારાણું. કર્યું, ત્રિજે દિવસે વળી ઉપવાસ કર્યો અને ચેથા દિવસે સસરાના ઘેર આવી પહોં
એ સસરા વિગેરેએ તેને સત્કાર કર્યો, પરંતુ કાંઈ પણ દ્રવ્ય આપ્યું નહીં કારણકે નિર્ધનતાને લઈ અનાદરતાને લાયક અને દ્રવ્ય પાછું મળવાની આશાના અભાવથી કેઈપણ આદર કરતું નથી. કહ્યું છે કે –
धनमर्जय काकुस्थ, धनमूलमिदंजयत् ।
अन्तरंनैवपश्यामि, निर्धनस्य मृतस्य च ॥४॥ શબ્દાર્થ-હે કાસ્થિ, તું તને ઉપાર્જન કર. આ જાતનું મૂળ દ્રવ્ય છે. કારણ કેનિધન પુરૂષ અને મૃત્યુ પામેલા પુરૂષમાં હું કાંઇ પણ તફાવત જેતે નથી.૪.
ભાવાર્થ –“તિ, વિદ્યા અને રૂપ એ ત્રણે પણ ગુહાના વિવરમાં પડે અને એક દ્રવ્યને જ વધારે. કારણકે જેનાથી ગુણે પ્રગટ થાય છે.” પછી નિરાશ થએલો સુધન પાછો વળે, અનુક્રમે પિતાના ગામની નજીક રહેલી નદીમાં આવી વિચાર કરવા લાગ્યું કે “હારી ભાર્યાએ મહેટા મનેરથથી મને મોકલ્યા હતા પરંતુ મને ખાલી આવેલે જાણે તેણીને હેટું દુખ થશે.” એ મનની અંદર વિચાર કરી તેણે સારા રંગના અને ગેળ નદીના કાંકરા ગ્રહણ કરી લીધા અને પેટલું બાંધ્યું, તે પિોટલાને ઉપાડી પિતાને ઘેર આવ્યું તેની ભાર્યા પણ ગાંસડીના અનુસાર આ હાર સ્વામી દ્રવ્યથી પરિપૂર્ણ થઈને આવ્યા છે. એમ જાણી હર્ષ પામી ગાંસડી ઘરની અંદર લઈ ગઈ. તે શેઠના કરેલા સત્પાત્રને દાન આપવા પૂવક ભજન કરવાના અભિગ્રહથી સંતુષ્ટ થએલી શાસનદેવીએ તે સર્વ પાષાણના કાંકરાને રસ્તે બનાવી દીધા, તેમાંથી એક રત્ન લઈ તેની ભાર્થીએ જન
Page #189
--------------------------------------------------------------------------
________________
એકાન’શ ગુણુવર્ણ ન.
૧૫૧
અને વઆદિકની ગાઠવણ કરી, પછી તે રત્નથી સુધન શેઠ પાછે બીજીવાર પ્રખ્યાતવેપારી થયા. આ લેાકમાં પણ સત્પાત્રના દાનનું ફળ જોઇ સુધન શેઠ હંમેશાં અતિથિઓને સત્કાર કરવામાં તત્પર થયા.
તથા સવ વિશિષ્ટ લાક, સ’મત થએલા–માનેલા, પિતામાતા અને સહેાર વિગેરે સાધુ કહેવાય છે. તેવા સાધુઓને વિષે પણ ચેાગ્યતા પ્રમાણે ગૃહસ્થ સત્કાર કરનાર હાય, કહ્યું છે કે પુરૂષે ઘણાં ગુણા પ્રાપ્ત કર્યાં હોય પણ જે પુરૂષ સમ્યક્ પ્રકારે ચેાગ્ય આચરણાને જાણતા નથી તે પુરૂષ લોકમાં શ્લાઘાને પ્રાસ થતા નથી એમ જાણી ચત આચરણા કરી. ઉચિત આચરણથી શું થાય છે? એવી કોઈ શંકા કરે તેને માટે કહ્યું છે કે—
‘મનુષ્યપણું સને સામાન્ય છે. તે છતાં કેટલાએક પુરૂષો આ લેાકમાં સીત્તિને પ્રગટ કરે છે. તેને તમે વિકલ્પ શિવાય ઉચિત આચરણાનું માહાત્મ્ય જાણેા.” તે ઉચિતષણું નવ પ્રકારે થાય છે, તે આ પ્રમાણે છેઃ— तं पुण पिय१ माइ सदोयरसुश् चाई ४ अवचर सयimg; i
गुरुण नायर परतिडिएसुए पूरिसेल काथव्वं ॥ ए॥ રાજ્જાનીતે ઉચિત આચરા પિતા, માતા, સહાદર-ખાંધવ, ભાર્યા, સં તાન, વજન ગુરૂજન, નગરલાક અને અન્યદર્શનીઓને વિષે ધર્માથી પુરૂષ ક રવી જોઇએ. પ્રથા
ભાષા
તેમાં પ્રથમ પિત્તા સંબંધી ઉચિત આચરણા કહે છે. પુત્ર પોતે જ ત્રિનય પૂર્વક પિતાના શરીરની શુશ્રુષા કિકની પેઠે કરે તથા પિતાના વાકયને સુખમાંથી નિકળતાં પહેલાં અંગીકાર કરી લે, તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. પગ મવા, શરીનું મન કરવું અને તેમને ઉઠાડવા–બેસાડવા વિગેરે કરવા રૂપ અથવા દેશકાળ નિગેરેને અનુકૂળ શરીરના સુખને અર્થે કરવારૂપ સાત્મ્યની ચર્ચાન્યતાથી ભાજન, શય્યા, વસ્ત્ર અને કેશર, ચંદન, કસ્તુરી પ્રમુખ શરીરના વિલેપન નિગેરેને સાદ કરવારૂપ પિતાના શરીરની સેવા મનની પ્રીતિના ઉત્કૃષ્ટરૂપ વિનયથી કરે. પરંતુ બીજાના આગ્રહને લઇ અવજ્ઞાથી અથવા નાકરાથી પિતાની સેવા કરવે નહીં. આ પ્રમાણે કાયા સખ`ધી પિતાની ઉચિત આચરણા જાણવી. વચન સંખ"ધી ઉચિત આચરણા તા પિતાના સુખથી નિકળતા પહેલાં અર્થાત્ બેલાતા આદેશરૂપ વચનને આદરપૂર્વક અંગીકાર કરે. પરંતુ અવજ્ઞા કરે નહીં. હવે પિતાની મન સમથી હચિત આચણ્ડા કહે છે. સવ॰ પ્રકારના પ્રયત્નથી સલ
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૫૨
શ્રાદ્ધગુણ વિવરણું. કાર્યોની અંદર પિતાના ચિત્તને અનુસરે તથા બુદ્ધિના ગુણેને નિર્વાહ કરે અને નિયમના સદ્દભાવને પ્રકાશ કરે તથા પિતાને પુછીને કરવા ગ્ય કાર્યોની અંદર પ્રવૃત્તિ કરે, પિતાએ નિષેદ્ધ કરેલો તે કાર્ય કરતે અટકી જાય. કાર્યમાં અલિત થતાં કઠોર વચને કહેવામાં આવે તે પણ વિનયને લેપ કરે નહીં. વળી તે પિતાને ધમ સંબંધી થએલા મનોરથને વિશેષપણે પરિપૂર્ણ કરે ઈત્યાદિ પિતાનું ઉચિત આચરણ જેમ કરવાનું છે, તેમજ માતાનું પણ ઉચિત આચરણ કરવું. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. તે પિતાને ધમ સંબંધી એટલે દેવની પૂજા, ગુરૂની સુશ્રષા, ધમનું શ્રવણ, વિરતિ તથા આવક–પ્રતિકમણને અંગીકાર, સાત ક્ષેત્રમાં દ્રવ્યને વ્યય અને તીર્થયાત્રા વિગેરે ધમ સંબંધી મનેરને વિશેષપણે આદર સહિત પરિપૂર્ણ કરે. આ લોકમાં હરિણ, મહાપદ્મ વિગેરે ચકવર્તીની પેઠે લોકમાં ગુરૂ સમાન પિતાના માતા પિતાને વિષે ઉચિત આચરણ કરવી તે ઉત્તમ સંતાનનું કર્તવ્ય છે. કારણ કે અત્યંત દુખે કરીને જેમના ઉપકારને બદલે ન આપી શકાય તેવા માતા પિતાને અરિહંતના ધર્મમાં સારી રીતે જોડી દેવા સિવાય તેમના ઉપકારને બદલે આપવાને બીજે ઉપાય નથી. તેને માટે શ્રી જિનાગમમાં કહેવું છે કેરિવું સુપહિયારું સમજણો ફત્યાદિ આ વાક્યનું સવિસ્તર વર્ણન પ્રથમ અમે લખિ આવ્યા છીએ ત્યાંથી જાણી લેવું. જેવી રીતે પિતા સંબંધી ઉચિત આચરણ બતાવ્યું છે, તેવી જ રીતે માતા સંબંધી પણ તે સઘળું ઉચિત આચરણ જાણું લેવું. પરંતુ પિતા કરતાં માતામાં જે વિશેષ કરવાનું છે તે કહે છે-પિતાથી વિશેષ એટલું છે કે, માતાની અસદશ ચિત્તની અનુકૂળતાને વિશેષપણે પ્રગટ કરે અર્થાત માતાની ઈચ્છાનુસાર વર્તન કરે. કારણ કે સ્ત્રીઓના સ્વભાવને સુલભ એવા પરાભવને જનની વહન કરી શકતી નથી, એ હેતુથી માતાનું મન કેઈ પ્રકારે ખેદયુક્ત ન થાય તેવી રીતે વર્નાન કરે. હવે સહેદર સંબંધી ઉચિત આચરણ કહે છે. સહેદરને વિષે ઉચિત આચરણ આ પ્રમાણે છે. પોતાના સાદર-ભાઈને પિતાના આત્માને સદશ જુવે અને સર્વ કાર્યોમાં જ્યેષ્ઠ બંધુ હોય અથવા તે કનિષ્ટ બંધુ હોય તે પણ બહુ માન કરે, જુદાઈ દર્શાવે નહીં, યથાર્થ અભિપ્રાયને જણાવે, સહોદરને યથાર્થ અભિપ્રાય પુછે, વ્યવહારમાં પ્રવૃત્તિ કરાવે અને સહેદરથી
ડું પણ દ્રવ્ય છાનું રાખે નહીં. આ ઉચિત આચરણ વિનીત સોંદર સંબંધી છે. વળી કદાચિત્ સહોદર ખરાબ આચરણવાળા અને જાર પુરૂષે વિગેરેના સંસ
થી અવિનીત પણ થાય, આવા કારણથી તે કાયમાં જે કરવું જોઈએ તે બતાવે છે–અવિનીત સહેદરને અનુકુળ વર્તન કરે, તેના મિત્ર પાસે એકાંતે ઉપાલંભ અપાવે અને સ્વજન વર્ગો પાસે બીજાના વ્યપદેશથી શિખામણ અપાવે પિતે હદયમાં સનેહરુક્ત હોય તે પણ તે અવિનીત સહેદરની ઉપર કુપિત થએલાની કે
Page #191
--------------------------------------------------------------------------
________________
એકાનવ’શ ગુણવણું ન.
૧૫૩
પોતાના આત્માને પ્રગટ કરે અને તે જ્યારે વિનયમાગને અંગીકાર કરે, ત્યારે કપટ રહિત સ્નેહ પૂર્વક તેને ખાલાવે. તેની ભાર્યાં અને પુત્રાદિકને વિષે દાન તથા સન્માન કરવામાં સમાન વૃષ્ટિ થાય.
ભ્રાતૃ સંખ`ધી ઉચિત આચરણને સમાપ્તિ કરી ભાર્યાં સંબંધી ઉચિત આચરણુ કહે છે. ઉપર જણાવ્યા પ્રમાણે ભ્રાતૃ સંબંધી ઉચિત આચરણુ કહી કાંઈક ભાર્યાં,સંખ'ધી ઉચિત આચરણુ કહું છું. સ્નેહ સહિત વચનથી સન્માન કરી તેણીને સન્મુખ કરે. તથા તે સ્ત્રીને શુષાદિકમાં પ્રવૃત્તિ કરાવે, વસ્ત્ર તથા આભરણુ વિગેરેને ચેાગ્યતા પ્રમાણે આપે. અને જ્યાં લેાકની ભીડ હોય એવા નાટક જેવા વિગેરે સ્થાનેામાં જવાના નિષેધ કરે. રાત્રિમાં ઘરથી માહાર ફરવાના પ્રચાર અટકાવે, ખરામ શીળવાળા અને પાખડી લોકોના સંસર્ગથી દૂર રાખે, ઘરના કાચેૌમાં જોડી દે અને પોતાથી જુદી પાડે નહીં. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે, “ રાજમાર્ગે અથવા ખીજાને ઘેર ગમનાગમનાર્દિક કરવારૂપ રાત્રિના પ્રચારને અટકાવે પરંતુ ધમ તથા પ્રતિક્રમણ વિગેરેની પ્રવૃત્તિના નિમિત્તે માતા, મ્હેન વિગેરે સારા શીલવાળી સ્ત્રીઓના સમૂહની અંદર પ્રાપ્ત થએલી હાય તા અટકાવ કરે નહીં. તથા દાન, સ્વજનના સત્કાર અને રસાઈ વિગેરેના પ્રયાગ કરવારૂપ ઘરકાīમાં સ્ત્રીને અવશ્ય જોડી દે. જો ગૃહકાયમાં સ્ત્રીને જોડવામાં ન આવે તે ઉદાસ રહે અને શ્રી ઉદાસ રહે તેા ઘર સંબંધી કાર્ચીના બગાડ થાય છે. તથા સ્ત્રીનુ અપમાન થાય તેમ ખેલાવે નહીં. કોઈ કાર્યમાં ખલાયમાન થાય તા શિક્ષા કરે, કુપિત થઈ હાય તા મનાવે. અને દ્રવ્યની હાનિ કે વૃદ્ધિ થઇ હાય તે તથા ઘર સંબંધી ગુપ્ત વ્યતિકર તેની પાસે પ્રગટ કરે નહીં.” વળી સારા કુળમાં ઉત્પન્ન થએલી, પરિણત વયવાળી, નિષ્કપટ, ધમમાં તત્પર રહેનારી અને સમાન ધમ વાળી એવી સ્વજનની સ્ત્રીઓની સાથે પ્રીતિ કરાવે, તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. “ સારા કુળની સ્ત્રીઓના હીનકુળની સ્ત્રીઓ સાથે સસ થવા તે ખરેખર અપવાદરૂપ વૃક્ષનું મૂળ કારણ છે, તેથી ઉચિત આચરણ સેવનાર ધર્મોથી પુરૂષે સારા કુળમાં ઉત્પન્ન થએલી, એક ગુરૂએ ઉપદેશ કરેલી શુદ્ધ સામાચારીમાં આસક્ત એવી સમાન ધવાની અને અધુઓની સ્ત્રીઓની સાથે પેાતાની ભાર્યાંની પ્રીતિ કરાવે. વળી રાગાક્રિકમાં તેણીની ઉપેક્ષા કરે નહીં, અને તેણીના ધમકાીને વિષે પેાતે સારી રીતે સાહ્ય કરવાવાળા થાય. ઇત્યાદિક પ્રાયે કરી પુરૂષનું ભાર્યાં સંબધી ઉચિત આચરણ જાણી લેવું. હવે પુત્ર સબધી ઉચિત આચરણ બતાવે છે. પુત્ર પ્રત્યે પિતાનું ઉચિત આચરણ એ છે કે, બાલ્યાવસ્થામાં પુત્રનું લાલન-પાલન કરેં. જ્યારે જીદ્ધિના ગુણ પ્રગટ થાય ત્યારે પુત્રને અનુક્રમે કળાઓમાં નિપુણ અનાવે. તેમજ હંમેશાં દેવ, ગુરૂ, ધમ, મિત્ર અને સ્વજન વર્ગની સાથે પરિચય કરાવે. અને
૨૦
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શ્રાદ્ધગુણ વિવરણ. ઉત્તમ પુરૂષની સાથે મૈત્રીભાવ કરાવે. આ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે. “ ગુરૂઓ એટલે ધર્માચાર્યો, યથાર્થ સ્વરૂપવાળા દેવ તથા ધર્મો, પ્રિય અને હિતેપદેશ આપનારા મિત્રે, અને પિતરાઈ તથા માતુલ વિગેરેની સાથે પુત્રને પરિચય કરાવે. એવી રીતે પરિચય કરાવે છતે આ હમારા દેવ ગુરૂઓ વિગેરે છે એવા પ્રકારની સારી વાસનાથી વાસિત થાય છે, તેથી પુત્રની સાથે ઉચિત આચરણ કરનાર પિતાએ દેવ, ગુરૂ, ધર્મ, સ્વજન વિગેરેની સાથે પરિચય કરાવવો તે ઉચિત છે. તથા કુલ જાતિ અને વશુકથી ઉત્તમ એવા લોકેની સાથે પુત્રને મિત્રતા કરાવે.” જે કદિ ઉત્તમ પુરૂની મિત્રતાથી દ્રવ્યની પ્રાપ્તિ ન થાય તે પણ અનાથને પરિહાર તે અવશ્ય થાય.” વળી સમાન કુળમાં જન્મેલી રૂપવતી કન્યાની સાથે પાણીગ્રહણ કરાવે, ઘર સંબંધી કાર્યભારમાં નિયુક્ત કરે અને અનુક્રમે ઘરનું સ્વામીપણું અર્પણ કરે. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. “સરખા વંશની, શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે એગ્ય વયવાળી અને સુંદર શરીરના અવયવવાળી કન્યાનું પાણિગ્રહણ કરાવવામાં આવ્યું હોય તે ચિતમાં રતિ-પ્રીતિ થવાનો સંભવ છે. અને જે વિપરીત ગુણવાળી કન્યાની સાથે સંબંધ કરવામાં આવે તે ગ્રહવાસ વિડંબનારૂપ થાય છે. તેથી એગ્ય કન્યા સાથે પાણિગ્રહણ કરાવવું ઉચિત છે. તથા ખરીદ, વેચાણ, આવક અને ખર્ચના ઉપગ રૂપ લક્ષણવાળા ઘરના બેજાને ઉપાડવાની યોગ્યતાને જાણી તેને ઘરકાર્યમાં નિયુક્ત કરે. તેમ કરવાથી હંમેશાં તે કાર્યો કરવાની ચિંતાથી વ્યગ્ર ચિત્તવાળે છેવાથી તથા પિતામાં સ્વાતંત્ર્યપણુના અને ઉન્માદ વિગેરેના અભાવથી તે ગ્યતા પ્રમાણે ખર્ચ વિગેરે કરે છે. પછી અનુક્રમે અહંકાર વિગેરે દોષને તિરસ્કાર કરનાર તે પુત્રને ગૃહસ્વામિત્વ અર્પણ કરે. જેથી તે પોતાના સમાન મનુષ્યથી પરાભવને પામે નહીં.” વળી તેના પ્રત્યક્ષમાં તેની પ્રશંસા કરે નહીં. દુવ્યસનથી નાશ થએલાની દુર્દશા કહી સંભળાવે અને આવક અને ખર્ચમાંથી બાકી રહેલા દ્રવ્યને પોતે જ તપાસ કરે. વ્યાખ્યા–“પૂર્વભવમાં કરેલા સુકૃત-પુણ્યના ઉ. દયથી પિતાની સમાન ગુણવાળા અથવા અધિક ગુણવાળા તે પુત્રની પ્રશંસા તેના પ્રત્યક્ષમાં કરે નહીં તથા દુવ્યસનથી નાશ થએલાનું નિધનપણું તિરરકાર અને તાડના વિગેરે દુર્દશાને અભિપ્રાય પૂર્વક પુત્રને કહી સંભળાવે, જેથી તેવા પ્રકારના દુવ્યસનમાં પ્રવૃત્તિ કરે નહીં તથા ખરચ અને આવકમાંથી બાકી રહેલા દ્રવ્યને પિતે જ તપાસ રાખે; જેથી પુત્રને આડા માર્ગે જવાને અવકાશ મળે નહિ; તથા પુત્રને રાજાની સભા દેખાડે અને દેશાંતરની અવસ્થાએાને પ્રગટ કરે. ઈત્યાદિ પિતાનું પુત્ર પ્રત્યેનું ઉચિત આચરણ જાણવું.” હવે સ્વજન સંબંધી ઉચિત આચરણ કહે છે. “સ્વજન સંબંધી ઉચિત આચરણ એ છે કે, પિતાના ઘરની વૃદ્ધિનાં
Page #193
--------------------------------------------------------------------------
________________
એકાવિશ ગુણુ વધ્યું ન.
૧૫
કાર્યોમાં હંમેશાં સ્વજનાનુ અવશ્ય સન્માન કરે, તેમજ હાનિ સબંધી કાર્ય માં પુણ તેમને સમીપમાં રાખે, વ્યાખ્યા—“ પિતા માતા અને પત્નીના પક્ષમાં ઉત્પન્ન થએલા સ્વજનને પુત્રના જન્મમહોત્સવ વખતે, તેનું નામ પાડતી વખતે, પુત્રના વાળ ઉતારવાની વખતે અને વિવાહાદિરૂપ ઘરની વૃદ્ધિના કાર્યોંમાં લેાજન, વ અને તાંબૂલાર્દિક શુભ વસ્તુઓથી સત્કાર કરે. તેમજ પેાતાના કુટુંબમાં મરણ થયુ હાય તેવા કાર્યોંમાં અને ઉત્તરક્રિયા વિગેરે હાનિજનક કાર્યોંમાં પણ તેમને સાથે રાખી કાર્ય કરે. તથા પેાતાને પણ સ્વજનોના કષ્ટ તથા મહાત્સવ વિગેરે કાર્યોમાં. હમેશાં તેમની સમીપમાં રહેવું, તેમજ નિન થઇ ગએલા અને રાગેાથી આકુળક્યાકુળ થએલા સ્વજનાના ઉદ્ધાર કરવા. તેમની પુંઠ પછવાડે ચાડી ખાવી નહીં, તેમની સાથે શુષ્ક કલેશ કરવા નહીં, તેમના શત્રુઓની સાથે મૈત્રી કરવી નહિ અને તેમના મિત્રાની સાથે મૈત્રી કરવી. તે ઘરમાં ન હોય ત્યારે તેમના ઘરમાં જાય નહિ, દ્રવ્ય સબધી સસગના ત્યાગ કરે અને ગુરૂ, દેવ તથા ધર્મ સખધી કાર્યોમાં તેમની સાથે એક ચિત્તવાળા થવુ, ” સ્વજન સ’બધી ઉચિત આચરણુ સમાપ્ત કરી ધર્માંચા સંબંધી ઉચિત આચરણ કહે છે.
'
ઉપર જણાવ્યા પ્રમાણે સ્વજન પ્રત્યે ઉચિત આચરણુ કહ્યું. હવે ધર્માંચાય સંબધી ઉચિત આચરણ કહીએ છીએ. “ ધર્માચાર્ચીને ભકિત અને બહુમાન પૂર્વક ત્રિકાળ પ્રણામ કરે, તેમણે દર્શાવેલી નીતિથી આવશ્યક પ્રમુખ કાર્યોં કરે અને તેમની પાસે શુદ્ધ’શ્રદ્ધાથી ધર્મોપદેશ શ્રવણ કરે. તેમના આદેશને મહુમાન આપે, મનથી પણ તેમને અવર્ણવાદ ચિતવે નહિ. તેમનાં અવર્ણવાદ ખેલનારને અટકાવે અને “મેશાં તેમની સ્તુતિને પ્રગટ કરે, તેમના છિદ્રો જીવે નહિ, તેમના સુખ દુ:ખમાં મિત્રની પેઠે પ્રવૃત્તિ કરે, અને તેમના વિરોધીઓના વિઘ્નને સવ પ્રકારના પ્રયત્નથી દૂર કરે. વળી ધર્મકાર્યમાં સ્ખલિત થતાં ધર્માંચાય પ્રેરણા કરે તે તે સ તથૈતિ હી માન્ય કરે પ્રમાદથી સ્ખલિત થએલા પેાતાના ધર્માચાર્ય ને પણ એકાંતમાં પ્રેરણા કરે. સમયને ચેાગ્ય તેમના ભકિતથી સવ વિનયે પચાર કરે. ધમાઁચાયના ગુણાનુરાગને અત્યંત નિષ્કપટપણે પોતાના હૃદયમાં ધારણ કરે. તે ધૉંચાય દેશાંતરમાં હાય તા પણ તેમના ભાવાપચારને હમેશાં યાદ કરે. ઇત્યાર્દિક ધર્માચાય સંબંધી ઉચિત આચરણ જાવું, ” નાગર શબ્દની વ્યુત્પત્તિ પૂર્ણાંક તેનું ઉચિત આચરણ કહે છે.
,,
જે નગરમાં પોતે વસતા હાય તેજ નગરમાં સમાન વૃત્તિવાળા જે પુરૂષા વસે છે તે નગરજનાને નાગર કહે છે. આ ગાથાની વ્યાખ્યા સ્પષ્ટ છે, કેવળ વ્યાપાર વૃાત્તથી જીવનાર હોય તેને સ્વ સમાન વૃત્તિવાળા કહે છે. તે નાગરિકનું ઉચિત આચરણ એ છે કે, “ તેમના તરફ હમેશાં એક ચિત્તવાળા સમાન સુખ દુઃખ
Page #194
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણ વિવરણ.
AAAAAAAAAAAAAAM
વાળા અને વ્યસન તથા મહોત્સવમાં સમાન સમાગમવાળા થવું.ળ્યાખ્યા–“ચિત્તના. એક સરખા અભિપ્રાયથી સુખ, દુઃખ, વ્યસન અને મહોત્સવ વિગેરેને વિષે તુલ્ય કિયાવાળા થવું. જે નાગરિકે એક સરખા અભિપ્રાયવાળા ન હોય તે રાજા અને કરેથી હમેશાં પરાભવ થવાનો સંભવ છે. સામુદાયિ કાર્યમાં પણ રાજાનું દર્શન એકલા એકલા જઈ કરવું નહિ. એકાંતમાં મશલત કરવારૂપ મંત્ર તેને ભેદ કરે નહિ અને પશુન્ય (ચાીયા) પણું છોડી દેવું. વ્યાખ્યા-જુદી જુદી મહત્તા અને પ્રભુતા વિગેરે મેળવવાની અભિલાષાથી એકલા એકલા જઈ રાજાનું દશન કરવું નહિ, તેમ કરવાથી ખરેખર બીજાઓને દ્વેષ અને અવિશ્વાસ વિગેરે ઉત્પન્ન થવાનો સંભવ છે. કારણ કે ઘણું સ્વામિવાળા સમુદાય હોય તે અવશ્ય સીદાય છે કહ્યું છે કે –
सर्वे यत्र विनेतारः, सर्वे पण्डितमानिनः। सर्वे महत्त्वमिगन्त, तहन्दमवसीदति ॥ ६॥ શબ્દાર્થ—જે સમુદાયમાં સઘળા નાયક હોય, સઘળા પિતાને પંડિત માનના હેય, અને સઘળા મહત્તાને ઇચ્છનારા હોય તે સમુદાય સીદાય છે. અર્થાત નાશ પામે છે. ૬
વળી આપમ્સ આપસના ગુપ્ત વિચારોને ભેદ કરવું, ચાડી ખાવી અને કેઈને રૂસવત આપવી વિગેરે કાર્યો કરવાં નહિ. વળી કહ્યું છે કે, જે બે પક્ષમાં તકરાર ઉભી થઈ હોય તે પિતે ત્રાજવાની સમાન મધ્યસ્થ થવું. પરંતુ રૂસવત વિગેરે લઈ સ્વજનની સાપેક્ષાથી નીતિમાર્ગનું ઉલ્લંઘન કરવું નહિ. વ્યાખ્યા–“ધન ધાન્ય અને ભૂમિ વિગેરેના સંબંધમાં બે પક્ષ વચ્ચે તકરાર ઉભી થઈ હોય તે મને ધ્યસ્થ થવું જોઈએ. પરંતુ સ્વજન સંબંધી રૂસવતને ઉપચાર (ભક્તિ) કરવા વિગેરેથી નીતિમાર્ગને ત્યાગ કરે નહિ. દાન, કર વિગેરે વધારી બળવાન પુરૂષ દુર્બલ પુરૂષને પરાભવ કરે નહિ. અને સ્વલ્પ અપરાધમાં ન્યાયની કોર્ટ સુધી લઈ જઈ દંડ કરાવે નહિ. વ્યાખ્યા–“સ્વ૯૫ અપરાધ છતાં પણ દંડ અપાવવામાં અને દાન કે બીજા કરને વધારવામાં પરસ્પર વિરોધ થવાથી સમુદાયને ભંગ થાય છે. અર્થાત્ સમુદાયમાં ભંગાણ પડી જાય છે, અને જ્યારે સમુદાયમાં ફાટફુટ થાય ત્યારે સમુદાયને પરાભવ જ થાય છે. તેથી ઐકયતા જાળવવા માટે નાગરિકે એ વિચાર પુરસર દરેક કાર્ય કરવામાં પ્રવૃત્તિ કરવી જોઈએ. જેથી ભવિષ્યમાં પશ્ચાતાપ કરવાને વખત આવે નહિ. કહ્યું છે કે –
संहतिः श्रेयसी पुंसां, स्वपकेतु विशेषतः । • तुरैरपि परिज्रष्टा, न प्ररोहन्ति तन्दुलाः ॥७॥
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭
એકે નવિંશ ગુણ વર્ણન. - શબ્દાર્થ પુરૂષને ઐક્યતારૂપ સમુદાય છે તેજ કલ્યાણકારી છે તેમાં પણ પિતાના પક્ષમાં તો સંહતિ-વિશેષપણે શ્રેયષ્કર છે, જેમ ત્વચા (તરા) થી ભણ થએલા દુલ (ચાખાઓ) અંકુરિત થતા નથી, તેવી જ રીતે સહતિ-સમુદાયથી ભ્રષ્ટ થએલા પુરૂષે ઉન્નતિને પ્રાપ્ત થતા નથી. ૭
' ભાવાર્થ-વળી પિતાના આત્મહિતની અભિલાષા રાખનાર પુરૂએ કારણિક પુરૂષની સાથે દ્રવ્ય સંબંધી વહિવટ કરે નહિ તે હવામીની સાથે દ્રવ્યને વહિવટ કેમ થાય? વ્યાખ્યા-પિતાના હિતને ઈચ્છનાર પુરૂષએ લક્ષમી બેયના, રાજાના, દેવના અને ધર્મના અધિકારી વર્ગની સાથે તથા તેમનાથી આજીવિકા કરનાર અન્ય પુરૂષની સાથે પણ અર્થ સંબંધી-દ્રવ્ય સંબંધી વહિવટ કદિપણ કરો નહિ. કારણકે તે પુરૂ દ્રવ્યને ગ્રહણ કરતી વખતે ખરેખર કૃત્રિમ આલાપ વિગેરેથી પ્રસન્નતાને દર્શાવે છે. પરંતુ જ્યારે તે દ્રવ્ય પાછું લેવાનો વખત આવે, ત્યારે પિતાના આવેલા દ્રવ્યની ઉઘરાણી કરાએલા તે પુરૂષે પોતાના તિલના તુષ જેટલા ઉપકારને પ્રગટ કરી તે જ વખતે દાક્ષિણ્યતાને ત્યાગ કરે છે. તેથી નાગરિકે એ અધિકારી વર્ગની સાથે દ્રવ્ય સંબંધી વહિવટ કરતાં વિચાર કરે. કારણ કે તેમ ની સાથે દ્રવ્ય સંબંધી વહિવટ કરવામાં લક્ષમીને વિનાશ અને પરિણામે તેમની સાથે વૈર અને વિરોધ થવાને પ્રસંગ આવી પડે છે. માટે નાગરિકે એ વિચાર કરી તેમની સાથે વર્તન કરવું. જેથી ભવિષ્યમાં પશ્ચાતાપ કરવાને પ્રસંગ આવે નહિ. કહ્યું છે કે –
द्विजन्मनःक्षमामातु, षःप्रीतिः पण स्त्रियः। नियोगिनश्च दाक्षिण्यमरिष्टानां चतुष्टयम् । ७ શબ્દાર્થ-બ્રાહ્મણની સાથે ક્ષમા, માતાની સાથે દ્વેષ, વેશ્યાની સાથે પ્રીતિ અને અધિકારી વર્ગની સાથે દક્ષિયતા રાખવી એ ચાર અશુભનાં કારણ છે. ૮
- ભાવાથ-વળી પ્રભુની સાથે તે વિશેષપણે દ્રવ્ય સંબંધી લેવડદેવડ કરવિજ નહીં. કારણ કે તેમની સત્તા નીચે રહી દ્રવ્ય પાછું મેળવવું તે દૂર રહ્યું પરંતુ પિતાના જાનમાલને પણ નાશ થવાને વખત આવે છે તેથી નાગરિકોએ દ્રવ્ય વ્યવહારમાં વિચાર પુરસ્સર પ્રવર્તન કરવું જોઈએ.
ઉપર જણાવ્યા પ્રમાણે નાગરિક પ્રત્યેના ઉચિત આચરણને સમાપ્ત કરતાં પરતીર્થિક સંબંધી ઉચિત આચરણ કહે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે પ્રાયે કરી નાગરિકની પરસ્પર ઉચિત આચરણનું શાસ્ત્રાનુસાર વર્ણન કર્યું. હવે પરતીથિક પ્રત્યેનું ઉચિત આચરણ કાંઈક સક્ષેપથી
Page #196
--------------------------------------------------------------------------
________________
૬૫૮
• શાહગુણ વિવરણ વર્ણન કરું છું. તેમાં પ્રથમ પરતીથિકોને નામ માત્રથી ઓળખાવે છે. બદ્ધ, વૈષ્ણવ અને શિવ એ દરેકના ચાર ચાર ભેદે છે. અને કપિલ મતાવલંબી તથા કલમતાવલંબી (વામી) ની અપેક્ષાએ મીમાંસકના બે ભેદે છે. હવે ઉપરોકત પરતીથિઓ પ્રત્યેનું કર્તવ્ય કહે છે. ઉપર જણાવેલા પરતીથિઓ પોતાને ઘેર ભિક્ષા નિમિત્તે પ્રાપ્ત થયા હોય તે તેમનું ઉચિત કાર્ય કરવું. તેમાં પણ રાજાના પૂજનિકેનું તે વિશેષપણે ઉચિત આચરણ કરવું. અહિં કઈ શંકા કરે કે અસંયતી એવા પરતીથિઓનું ઉચિત આચરણ શા માટે કરવું જોઈએ? એવી શંકાના સમાધાનમાં ગ્રંથકાર મહારાજ કહે છે કે યદ્યપિ ચિત્તમાં ભકિત ન હોય, તેમનામાં રહેલા ગુણેની અંદર પક્ષપાત ન હોય તે પણ પિતાને ઘેર આવેલા પરતીથિઓનું ઉચિત આચરણ કરવું એ ગૃહસ્થને ધર્મ છે. આ વ્યવહાર એક દર્શનવાળાએજ અનુસરે છે. અમે નહીં પરંતુ આ વ્યવહાર સવ દશનવાળાને સમ્મત છે એ હેતુથી કહે છે કે ઘેર આવેલા. પરતીર્થિઓનું ઉચિત આચરણ કરવું તથા કષ્ટમાં પડેલાઓને ઉદ્ધાર કરે અને દુઃખી થએલા પરતીથિઓના ઉપર દયા લાવવી એ ધર્મ સર્વ મતાવલંબીઓને સમ્મત છે. વ્યાખ્યા-“પુરૂષની અને ક્ષિાએ ઘેર આવેલા પરતીર્થિઓને મીઠા વચનથી બોલાવવા, આસન આપવું, આમંત્રણ કરવું અને તેમનું કાર્ય કરી આપવું. વિગેરેને ઉચિત આચરણ કહે છે. બાકીને અર્થ સ્પષ્ટ છે.” હવે ઉચિત આચરણના ફળને પ્રગટ કરે છે. પૂર્વે જણાવેલી યુતિથી પિતા અને માતાનું ઉચિત આચરણ કરનારા અને પ્રસન્ન મુખવાળા પુરૂષ જૈનધર્મના અધિકારી થાય છે. અર્થાત સમકિત, દેશવિરતિ અને સર્વ વિરતિરૂપ જૈનધર્મને એગ્ય થાય છે. જે પુરૂષે ઉપર જણાવેલા નવ પ્રકારના લૈકિક એવા પણ ઉચિત આચરણ માત્ર કાર્યને વિષે તત્પર થતા નથી, તે પુરૂષ લોકોત્તર પુરૂષની તીક્ષણ બુદ્ધિથી ગ્રહણ કરી શકાય, તેવા જૈનધર્મને વિષે કેવી રીતે પ્રવીણ થાય? તેથી સર્વ ગુણોની પ્રાપ્તિ થયા છતાં પણ પ્રથમ ધર્માર્થી પુરૂષે અવશ્ય ઉચિત આચરણ કરવામાં નિપુણ થવું જોઈએ. ઉત્તમ પુરૂષને ઉચિત આચરણની પ્રવૃત્તિ સ્વાભાવિક હોય છે, તે દેખાડે છે. “જેમ સમુદ્ર મર્યાદાને ત્યાગ કરતા નથી, પર્વતે પોતાના સ્થાનથી ચલાયમાન થતા નથી તેમ ઉત્તમ પુરૂષો કદિપણ ઉચિત આચરણનું ઉલ્લંઘન કરતા નથી.” તેજ વાતને દષ્ટાંતથી દઢ કરે છે. જગના ગુરૂ તીર્થકરે પણ ગ્રહસ્થાવસ્થામાં પોતાના માતા પિતાનું અસ્પૃસ્થાનાદિક ઉચિત આચરણ અવશ્ય કરે છે. વ્યાખ્યા-“જેણે ત્રણ જગ
ના લેકેની કાંઈપણ પરવા નથી તેવા જગદગુરૂ તીર્થકરેએ પણ જ્યારે ઉપરેકત રીતિ એ પોતાના માતા પિતા વિગેરેનું ઉચિત આચરણ આચરેલું છે, ત્યારે બીજા સામાન્ય પુરૂષએ તે અવશ્ય વિશેષેપણે તે ઉચિત આચરણ કરવામાં પ્રયત્ન કરી જોઈએ. જેથી વિશેષ ધર્મને મેળવવા ભાગ્યશાળી થવાય. કહ્યું છે કે
Page #197
--------------------------------------------------------------------------
________________
એકનવિશગુણ વર્ણન,
. ૧૫૯ विद्याःसन्ति चतुर्दशापि सकताः खेलंतु तास्ताः कताः कामं कामितकामकामसुरनिः श्रीः सेवतां मन्दिरम् । दोर्दएकघ्याम्बरेण तनुतामेकातपत्रां महीम नस्यात् कीर्तिपदं तथापि हि पुमानौचित्यचञ्चून चेत् ॥५॥ | શબ્દાર્થ ભલે ચતુર્દશી વિદ્યાઓ હોય, તેને સર્વ કલાઓ ક્રિીડા કરતી હોય, અત્યંત ઇચ્છિત કામનાને પૂરનારી કામધેનું હેય નિરંતર લક્ષ્મી મંદિરને સેવતી હેય, અને બે ભુજા દંડના આડંબરથી પૃથ્વીને એક છત્ર નીચે વિસ્તારી હાથ તેપણ જો પુરૂષ ઉચિત આચરણ કરવામાં નિપુણ ન હોય તો તે પુરૂષ અવશ્ય કી. ર્તિના આસ્પદને પ્રાપ્ત થતું નથી. ૯
વળી વખતસર પ્રાપ્ત થએલા અભ્યાગતની બરદાસ મહેટ ફળને માટે થાય છે. તે ઉપર જેમ લેકમાં શાલિવાહનને પ્રબંધ પ્રખ્યાત છે. તેમ ગ્રંથકાર મહારાજ બતાવે છે.
પ્રતિષ્ઠાન પુરમાં સાતવાહન–શાલિવાહન નામે રાજા હતા. તે એક વખતે અશ્વથી હરણ કરાએલ અટવીમાં આવી પડશે. તે અટવીમાં એક વડ નીચે બેઠેલા દિવની સાથે રાજાને મૈત્રી થઈ. આજે આ રાજા હારે અતિથિ છે, એમ વિચારી દિને રાજાને સાથવાનું ભેજન આપી સત્કાર કર્યો. અનુક્રમે રાત્રિમાં ઘણી શીત પડતાં ભિત્રે રાજાને પોતાના ઘરની અંદર વિશ્રામ કરાવ્યું અને પોતે ઘરની બાહાર સુતે. રાત્રિમાં તે ભિદત્ર શીતની અતિ પીડાથી મરણ પામે. તે જોઈ તેની ભાર્યા ભિલી હાથમાં કાતિ ગ્રહણ કરી હું તને સ્ત્રીહત્યા આપીશ એમ શાને કહ્યું. તે અવસરે રાજાએ પણ દશ હજાર સોનામહોર આપી મિલીને ખુશી કરી પછી તેની સેના આવી પહોંચી. તેની સાથે રાજા નગરમાં પ્રાપ્ત થયા ત્યાં રાજ્યનું પાલન કરતાં રાજાને ભિદત્રનું મૃત્યુ સ્મરણમાં આવવાથી રાજાને ચિંતા થઈ કે “દાનનું ફળ નથી તે પછી આ લેકમાં અનર્થ થવાનો સંભવ છે.” પછી રાજાએ પંડિતને બોલાવીને પુછયું કે તમે મને દાનનું ફળ પ્રત્યક્ષ બતાવે, નહીંતે માનવયંત્રથી તમારે નાશ કરવામાં આવશે. તે પંડિત રાજાને પ્રત્યુત્તર આપવાને અસમર્થ થએલા આપસઆપસમાં વિચાર કરવા લાગ્યા. એમ વિચાર કરતાં છ માસ થઈ ગયા પછી પંડિતમાં મુખ્ય એવા વરરૂચિ નામના પંડિતે સરસ્વતીને પ્રત્યક્ષ કરી પૂછયું. સંતુષ્ટ થએલી તે દેવીએ કહ્યું કે આ નગરમાં ધનપતિ નામે એક વેપારી છે તેને ઘેર એક માસની અને પુત્ર ઉત્પન્ન થશે, તે બાળક જન્મતાંની સાથે તને બોલાવશે તે વખતે
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૬૦
શ્રાદ્ધગુણુ વિવરણુ.
હારે રાજાને સાથે લઇ ત્યાં જવુ તે ખાલક દાનનુ પ્રત્યક્ષ ફળ બતાવશે. તે પછી એક મહીનાની અંતે તે શેઠને ત્યાં પુત્ર થયા, તેણે પ્રગટ અક્ષરવાળી વાણીથી વરરૂચીને મેલાન્યા તે રાજાને સાથે લઈ ધનપતિને ઘેર ગયા તે બન્નેની આગળ આલક ખેલ્યા કે “ હે મહારાજ! તમે જય પામે. જે ભિન્ને વનમાં તમને સાથવાનુ દાન આપ્યું હતું, તે હું છું અને નવ ક્રોડ સુવર્ણના સ્વામી ધનપતિને હું પુત્ર થયા છું તેથી દાનનુ ફળ આ લેાકમાં પણ છે. ” આ વાતને સાંભળી રાજા વિગેરે ચમત્કાર પામ્યા અને તે દિવસથી રાજા વિગેરે લેાકેા દાન આપવામાં તત્પર થયા,
',
તથા દીન અનાથને દુ:ખી વિગેરેને વિષે તો ચાથી દાન આપવુ જોઇએ તેને માટે કહ્યું છે કેઃ માક્ષફળના દાનને વિષે પાત્ર તથા અપાત્રની સમાલેચના કરવાની છે, પરંતુ જે થા દાન છે તેના કોઇ પણ ઠેકાણું તત્ત્વજ્ઞાએ નિષેધ કરેલા નથી. હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ફળ દર્શાવે છે. ઉપર જણાવ્યા પ્રમાણે અતિથિ વિગેરેની પ્રતિપત્તિ કરવામાં તત્પર અને સત્બુદ્ધિ વાળા ગૃહસ્થ પેાતાના આત્માને વિષે ગૃહસ્થધર્મની ચેાગ્યતાને આરોપણ કરે છે.
Page #199
--------------------------------------------------------------------------
________________
विंशतितमः गुणवर्णन.
કે હવે માર્ગનુસારીના પાંત્રીશ ગુણ પૈકી ઓગણીશમા ગુણનું વિવરણ સમાપ્ત કરી અનુકમથી પ્રાપ્ત થએલ “હમેશાં અભિનિવેશ (મિ.
– શ્યાગ્રહ) ને ત્યાગ કરવારૂપ વીશમા ગુણના વિવરણ
ને પ્રારંભ કરે છે. જે પુરૂષ આગ્રહરહિત હોય તેને અનભિનિવિષ્ટ એટલે અનાગ્રહી કહેવામાં આવે છે અને નીતિમાને નહીં પ્રાપ્ત થએલા પુરૂષને પણ બીજાથી હારે પરાભવ થશે એવા પરિણામથી કાર્ય આરંભ કરે તેને અભિનિવેશ (આગ્રહ) કહેવામાં આવે છે. અને તે અભિનિવેશ નીચ પુરૂષોને જ હોય છે. કહ્યું છે કે દુરાગ્રહ નિષ્ફળ નીતિ અને ગુણરહિત મુશ્કેલી ભરેલા આરંભે કરાવી નીચ કેને શ્રમ આપે છે. પ્રવાહની સામે તરવાના વ્યસનવાળા છે તેવા દુરાગ્રહથી જ વૃથા પરિશ્રમ કરે છે.
શઠતાને લઈને નીચ પુરૂષને પણ કેઈક વખતના અભિનિવેશપણાને સંભવ છે. આથી કહે છે કે હમેશાં આગ્રહ રહિત હોય તે પુરૂષ ધર્માધિકારી થાય છે. અને આગ્રહવાળો પુરૂષ પ્રાયે કરીને તત્વાદિકના વિચારની બહાર હોવાથી જમાલી વિગેરેની પેઠે પોતાના અંગીકાર કરેલાને જ પ્રતિપાદન કરે છે. કરાતું અને કરેલું એ બન્નેમાં સર્વ પ્રકારે પૃથક ભાવજ છે તેમ માનવાથી અભિનિવેશિક નામના મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે –
જેમ અછથી સ્વરની પ્રાપ્તિ થાય છે અને સૂર્યના અભાવે અંધકાર થાય છે. તેમ નૃશંસ એટલે આત્માના ગુણને ઘાત કરનાર એવા અભિનિવેશ (આગ્રહ) થી મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે એમ સમજવું. વળી જેના મનની અંદર અત્યંત વેગવાળો અભિનિવેશ રૂપી વિષને વેગ પ્રસરે છે તેને વિષે ગુરૂના ઉપદેશરૂપ મંત્રને પ્રયુક્ત કર્યો હોય તે પણ સંક્રમણ થતું નથી. જેમ રાવણ અને દુર્યોધનને ૨૧
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૬૨
શ્રાદ્ધગુણ વિવરણ, વિષે અનુક્રમે વિભીષણ અને ભીષ્મપિતામહના ઉપદેશે સંક્રમણ થયા ન હતા. કહ્યું છે કે –
आग्रही बत निनीषति युक्तिं, यत्र तत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु बुद्धि यत्र तत्र सुखमेति निवेशम् ॥१॥
શબ્દાર્થ– જે આગ્રહી પુરૂષની બુદ્ધિ જે પદાર્થમાં આગ્રહવાળી હોય તેમાં આગ્રહી પુરૂષ યુક્તિને લઈ જવા ઇચ્છે છે અને પક્ષપાત રહિત એવા પુરૂષની મતિ તે જ્યાં યુતિ હોય ત્યાં પ્રવેશ કરે છે.
હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ફળ દેખાડે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે જે સરળ હૃદયવાળા પુરૂષે દુઃખના સ્થાનભૂત અભિનિવેશ (આગ્રહ) ને ત્યાગ કરે છે તે વિશાળ બુદ્ધિવાળા અને નિષ્કપટી પુરૂષ ગૃહસ્થધમને એગ્ય થાય છે.
રાજ
Page #201
--------------------------------------------------------------------------
________________
S
‘- કી
. જ
एकविंशतितमः गुणवर्णन.
હવે માર્ગોનુંસારીના પાંત્રીશ ગુણ પૈકી વીશમાં ગુણનું વર્ણન પુરૂ & કરી કમથી પ્રાપ્ત થયેલ “ગુણમાં પક્ષપાત કરવારૂપ” એવીમા ગુણુના વિવરણને પ્રારંભ કરે છે.
સુજનતા, ઉદારતા, દાક્ષિણ્યતા વિનય અને પ્રેમ પૂર્વક પ્રથમ બોલાવવાપણું વિગેરે તથા પોતાના કે પરના ઉપકારનું કારણભૂત એવા આત્માના ધમરૂપ ગુણ કહેવાય છે. તે ગુણને વિષે પક્ષપાત કરનાર હોય. પક્ષપાત એ છે કે ગુણેને વિષે બહુમાન, તે ગુણોની પ્રશંસા અને સહાચ્ય આપવા વિગેરેથી અનુકૂળ પ્રવૃત્તિ કરવી તેને પક્ષપાત કહે છે. તે ગુણને પક્ષપાત કરનારા પુરૂષો ખરેખર ફળવાળા પુણ્યરૂપ બીજને સિંચન કરવાથી આ લોક અને પરલોકમાં ગુણના સમૂહની સંપત્તિને પ્રાપ્ત કરે છે. ત્યારે રામચંદ્રજી અને લક્ષમણજીએ અયોધ્યાથી વનવાસ કરવાને માટે પ્રયાણ કર્યું તે વખતે માર્ગમાં માળવા દેશમાં પ્રવેશ કરતાં માળવ દેશના અધિપતિ સિંહદર રાજાની સાથે યુદ્ધમાં ગુરૂ પાસે જિનેશ્વર શિવાય બીજાને મહારે નમસ્કાર ન કરે એવા અભિગ્રહને ગ્રહણ કરનાર અને શુદ્ધ સમ્યકત્વને ધારણ કરનાર વજકર્ણ રાજાના ગુણને પક્ષપાત કરી રામ લક્ષ્મણે સિંહદર રાજાને નિગ્રહ કરી વજાકણ રાજાને મદદ કરી, કહ્યું છે કે
ना गुणी गुणिनं वेत्ति, गुणो गुणिषु मत्सरी । गुण च गुणरागी च, विरतः सरनो जनः ॥१॥
ભાવાર્થ—જે ગુણ વગરનો છે, તે ગુણિ પુરૂષને જાણતા નથી, અને જે ગુણ વાન હોય છે, તે બીજા ગુણિ પુરૂષ ઉપર અદેખાઈ કરનાર હોય છે. તેથી તે ગુણવાન હોય અને બીજાને ગુણની અંદર રાગ કરનાર સરળ મનુષ્ય તો કઈ વિરલા જ હોય છે. ૧
Page #202
--------------------------------------------------------------------------
________________
^
^^
^^
^^
^
^^^
^
^^
^^
^^
^
^
^^
^
^
^^
^ &
* *
* *
શ્રાદ્ધગુણ વિવરણ. ભાવાર્થ–હે ભાઈ ! તું પૂર્ણ લમીવાળે હોય તે પણ ગુણને વિષે અનાદર કરીશ નહિ. ઘડે સંપૂર્ણ હોય તે પણ ગુણ (દેરી) છેદાઈ જવાથી કૂપની અંદર નીચે પડે છે. અંતરંગમાં ગુણોને ધારણ કરનારા પુરૂષે જ અન્ય પુરૂષના હદયમાં સ્થિર થાય છે (વાસ કરે છે.) એ સમગ્ર અને પુષ્પોની માળાઓ દઢ કરી બતાવે છે. જેમ પુષ્પોની માળાઓ પિતાની અંદર ગુણ (દેરી) ને ધારણ કરે છે તેથી તે બીજાના હૃદય ઉપર આરૂઢ થવાને સમર્થ થાય છે, તેમજ જે પુરૂષ પિતાના હૃદયમાં ઔદાર્યાદિક ગુણેને ધારણ કરે છે, તે પુરૂષે અવશ્ય અન્ય પુરૂ
નાં હૃદયમાં વાસ કરે છે. પ્રથમ સંપૂર્ણ ભૂતળને ભૂષિત કરનારા ગુણિ પુરૂષે તે દૂર રહે, પરંતુ સાંપ્રતકાળમાં જે પુરૂષોને ગુણોની અંદર અનુરાગ છે, તેવા પુરૂષ પણ દુર્લભ છે. વળી જે ધનુષ્ય સંગ્રામમાં શત્રુના સૈનિકેની શ્રેણિઓને વિષે પૃષ્ટ દેખાડે છે, જે ધનુષ્ય સંગ્રામમાં જ વકતાને ધારણ કરે છે, અને જે કઠેર ધનુષ્ય સંગ્રામમાં કઠિન ધ્વનિને ફેંકે છે, તે તેવા પ્રકારના દોષને ભજનાર ધનુષ્યના ગુણ (પણ) ને ગ્રહણને કરતે આ રાજા પ્રગટપણે વિખ્યાત થએલે ગુણગ્રાહીઓની સીમારૂપ છે. ગુણની અંદર પક્ષપાત કરવામાં ન આવે, તે વસુરાજા વિગેરેની પેઠે અનર્થ જ પ્રાપ્ત થાય છે. હવે ગ્રંથકાર મહારાજ એકવીશમા ગુણની સમાપ્તિ કરતાં ફળ બતાવે છે. જે બુદ્ધિમાન પુરૂષે અન્ય પુરૂના સદગુણેને ઉલ્લાસ કરનારા છે, તે પુરૂષ સધર્મના બીજરૂપ સમ્યકત્વને આત્માની અંદર આરોપણ કરે છે,
Page #203
--------------------------------------------------------------------------
________________
द्वाविंशतितमः गुणवर्णन.
વે માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ પૈકી એકવીશમા ગુણુનું વન સમાપ્ત કરી ક્રમથી પ્રાપ્ત થએલ “અદેશ અને અકાળ ચર્યાંના ત્યાગ કરવારૂપ” માવીશમા ગુણુના વિવરણને પ્રાર્ભ કરે છે.
અદેશ અને કાળ એટલે નિષેદ્ધ કરેલા દેશ તથા કાળને વિષે ચર્ચાગમનના ત્યાગ કરનાર પુરૂષ ગૃહસ્થધમને ચાગ્ય થાય છે. નિષેધ કરેલા દેશ તથા કાળનું આચરણ કરનાર પુરૂષ રાજા અને ચાર વિગેરેથી અવશ્ય ઉપદ્રવને પ્રાપ્ત થાય છે. નિષિદ્ધ કરેલ દેશેા નીચે પ્રમાણે છેઃ—
કારાગૃહ તથા વધ કરવાના સ્થાનમાં, જુગાર રમવાના સ્થાનમાં, પરાભવના સ્થાનમાં, ભંડારના મકાનમાં અને બીજાના અંતેરમાં જવું નહીં. ખરામ સ્થાનમાં, શ્મશાનમાં, શૂન્ય સ્થાનમાં, ચાર રસ્તા જ્યાં ભેગા થતા હાય તેવા સ્થાનમાં, ધાન્યના ફ્રાંતરાં તથા સુકાં ઘાસથી વ્યાપ્ત થએલા સ્થાનમાં, ઉકરડાની જગ્યામાં ઉખર ભૂમિમાં, બગીચામાં, નદીના કાંઠામાં, સભામાં, ચાતરામાં, રસ્તામાં અને ચાર વેશ્યા તથા નટ વિગેરેના સ્થાનમાં બુદ્ધિમાન્ પુરૂષ ગમન કરે નહીં, તથા કુમડાની, ખરાખ મિત્રની અને રાજાના દૂતની સાથે ગોષ્ટી અને નિષિદ્ધ કરેલ કાળમાં ગમન દિ પણ કરે નહીં. માર્ગમાં એકાકી ગમન કરવું નહીં અને જ્યારે સ શયન ત્યારે એકાકી જાગવું નહીં. કારણ રસ્તામાં એકલા ચાલવાથી અન અથવા તો મરણ થાય છે. નીતિને વિષે કહ્યું છે કે, “ વખત વગરની ચર્ચા, અશદેશની સાથે ગોષ્ઠી અને કુમિત્રની સેવા કદિ પણ કરવી નહીં, જીએ કમળના વનમાં સુતેલા પક્ષીને ધનુષ્યથી છુટા પડેલા માળું માર્યું હતું. તેજ વૃત્તાંતને પ્રતિપાદન કરે છેઃ—
*
કાઇ વનમાં સરોવરની સમીપમાં મદરરક્ત નામે હ‘સ રહેતા હતા. એક વખતે તે સ્થાનમાં એક ઘુવડ પક્ષી આન્યા. હુસે તેને બાલાવ્યે કે, તું કાણુ છે ?
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૬૬
શ્રા દ્વગુણ વિવરણ. અને આ વનમાં તું કયાંથી આવે છે? એમ હંસના પુછવાથી તે ઘુવડ પક્ષીઓ કહ્યું કે, હું તમારા ગુણોનું શ્રવણ કરી તમારી સાથે મિત્રતા કરવા માટે આવ્યો છું. તે પછી હંસ અને ઘુવડની આપસ આપસમાં મૈત્રી થઈ અને તે બંને પક્ષીઓ સાથે ક્રીડા કરે છે. એક વખતે હંસની આગળ ઘુવડે કહ્યું કે એક વાર તમારે પણ હારા સ્થાનમાં આવવું. એવી રીતે કહીને હંસની રજા લઈ ઘુવડ પક્ષી પોતાના સ્થાન પ્રત્યે ચા ગયે. પછી કઈક વખતે હંસ પણ તેના સ્થાનમાં ગમે ત્યાં ઘણું સ્થાનમાં જે પણ ઘુવડ જોવામાં આવ્યું નહીં, પછી કઈ વૃક્ષની બખેલમાં પેઠેલા ઘુવડને જો ત્યારે હસે કહ્યું કે “હે ભદ્ર? તું બખેલમાંથી બહાર આવ. હું હંસ છું અને તને મળવા માટે આવ્યું છું.” ત્યારે ઘુવડે કહ્યું કે, “હે ભાઈ? દિવસમાં હું બહાર નિકળવાને સમર્થ નથી તેથી તમે અહીં રહે. રાત્રિમાં તમારી સાથે ગોષ્ઠી કરીશ.” અનુક્રમે રાત્રિ પડતાં બન્ને પક્ષીઓ મળ્યા અને પરપર કુશળ વાર્તાઓ વસ્તી ગેછી સમાપ્ત થતાં હંસ ત્યાંજ સુઈ ગયે, તે વખતે તે વનમાં રાત્રિમાં કઈ સાથે પડાવ નાંખીને રહ્યા છે, રાત્રિના પાછલા પહોરે સાર્થને ચાલવાના વખતમાં ઘુવડે ખરાબ સ્વરવાળે શબ્દ કર્યો અને પોતે નદીના વિવરમાં પ્રવેશ કરી ગયે અને હંસને તે ત્યાંજ સુતે મુકો. તે પછી તે ઘુવડના શબ્દને સાંભળી ક્રોધયુક્ત થએલા સાથે પતિએ દુષ્ટ શકુનની નિવૃત્તિ કરવાને માટે શબ્દવેધી બાણથી હંસને મારી નાંખે. આ કારણથી જ અકાળ ચર્યા ન કરવી ઈત્યાદિ કહેવામાં આવ્યું છે-હવે ગ્રંથકાર મહારાજ બાવીશમા ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશ આપે છે. ધમને અથે પોતાના આત્માનું કલ્યાણ ઈચ્છનાર અને હમેશાં સ્થિરતાને ધારણ કરનાર એવા વિચારના જાણુ પુરૂષે નિષિદ્ધ કરેલી દેશચર્યા અને કાળચર્યાને અવશ્ય ત્યાગ કર જોઈએ,
Page #205
--------------------------------------------------------------------------
________________
त्रयोविंशतितमःगुणवर्णन.
All
:
વે માર્ગનુસારીના પાંત્રીશ ગુણ પિકી બાવાશમાં ગુણનું વ
ન પુરૂ કરી કમથી પ્રાપ્ત થયેલ પોતાના અથવા પરના
બળાબળને જાણવારૂપ” ગ્રેવીસમા ગુણના વિવરણને [ઇંગને પ્રારંભ કરે છે.
પિતાની અથવા બીજાની શકિતને એટલે દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ વિગેરે. થી કરેલા સામાને જાતે અને તેવી જ રીતે સ્વપરના અસામર્થ્યને પણ જાણુતે એવો પુરૂષ ધર્મને થાય છે. પોતાના અને બીજાના બેલાબેલનું જ્ઞાન થયે છતે ખરેખર સઘળો આરંભ સફળ થાય છે, નહી તે તે સઘળો આરંભ નિફળ છે. કહ્યું છે કે --
स्थाने शमवतां शक्त्या, व्यायामे वृधिरङ्गिनाम् ।
अयथावतमारंनो, निदानं दयसम्पदः ॥ १ ॥ શબ્દાર્થ શકિતની પિગ્યતા પ્રમાણે પરિશ્રમ કરવામાં આવે તો ઉપશમવાળા પ્રાણિઓની સંપદા વૃદ્ધિ પામે છે અને શકિતનું ઉલ્લંઘન કરી જે આરંભ પરિશ્રમ કરે છે તે સંપત્તિના વિનાશનું કારણ છે. ૧
ભાવાર્થ—અનુચિત કાયને આરંભ કર, પ્રજાની સાથે વિરોધ કરે, બળવાન પુરૂષની સાથે સ્પદ્ધ કરવી અને સ્ત્રી જનને વિશ્વાસ કરે એ ચારે મૃત્યુ નાં દ્વાર છે. સ્વ અને પરના બળાબળ વિગેરેના જ્ઞાન પૂર્વક કાયને આરંભ કરવાથી યશ, સ્વાર્થની સિદ્ધિ અને મહિમા વિગેરેની પ્રાપ્તિ થાય છે. લક્ષણવતી નગરીના અધિપતિ લક્ષણસેન રાજાના મંત્રી કુમારદેવની પેઠે કીતિ વિગેરે થાય છે. તેજ વૃત્તાંતને ગ્રંથકાર મહારાજ પ્રતિપાદન કરે છે.
લક્ષણાવતી નગરીને વિષે લક્ષણસેન નામે રાજા રાજ્ય કરતા હતા અને તેને બીજું જીવિત હોય તેની પેઠે કુમારદેવ નામે મંત્રી હતા. તેજ સમયમાં
Page #206
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણ વિવરણ, વારાણસીનામા નગરીને વિષે સાઠ લાખ અને અધિપતિ જયંતચંદ્ર નામે રાજા રાજ્ય કરતા હતા અને તે રાજાને મહાશમાં, અન્નદાતાઓમાં અને સત્યવાદીઓમાં અગ્રેશ્વર વિધાધર નામે મંત્રી હતું. એક વખતે જયંતચંદ્ર રાજાની સભામાં એવી વાર્તા નીકળી કે લક્ષણાવતી નગરીને કીલે મુશીબતથી લઈ શકાય તેવે છે. અને તે નગરીને રાજા પણ બળવાનું છે. એમ એ વાતને ધારણ કરી કાશીના અધીપતિ જયંતચકે પ્રતિજ્ઞા કરી કે-“અમારે અહિંથી ચઢાઈ કરી તેજ કિલ્લે કબજે લે. જો હું તે કલ્લાને કબજે ન લઈ શકું તે જેટલા દિવસ સુધી હું કીલ્લાની નજીકમાં રહું તેટલા લક્ષ સુવણ દંડમાં ગ્રહણ કરીશ અન્યથા હું પાછા ફરીશ નહીં.” એવી પ્રતિજ્ઞા કરી જયંતચંદ્ર રાજા નીકળે અને એકદમ લક્ષણાવતી નગરીની સમીપમાં આવ્યા. આ વાતની ખબર પડતાં લક્ષણસેન રાજા એ નગરીના દરવાજા બંધ કરાવી નગરીની અંદર રહ્યા. નગરીની અંદર પ્રથમથી ધાન્યાદિકનો સંગ્રહ કરેલો નહીં હોવાથી સવ વસ્તુઓને સંકેચ થઈ પડયે. પછી નગરીની અંદર અને નગરીની બહાર રહેલા લશ્કરની વચ્ચે યુદ્ધ પ્રવર્યું. અનુક્રમે યુદ્ધ કરતાં અઢાર દિવસ નીકળી ગયા. તે અવસરે લક્ષણસેન રાજાએ કુમારદેવ વિગેરે મંત્રિઓની આગળ કહ્યું કે, “જે આપણે આ શત્રુને દેશની અંદર પ્રવેશ કરતાં અટકાવે નહીં તે ઘણું ખોટું કર્યું. હમણાં કિલ્લો ઘેરાએલો હેવાથી નગરીના લેકે દુઃખી થાય છે. તેથી પ્રાતઃકાળે નગરીથી બહાર નીકળી યુદ્ધ કરવું અને તેને હું દંડ તે આપીશજ નહીં.” એવી રીતે પ્રતિજ્ઞા કરી યુદ્ધની સામગ્રીને કરાવે છે, તે જ રાત્રિને વિષે કુમારદેવ નામના મંત્રિએ વિચાર કર્યો કે જયંતચંદ્ર રાજા મહાન સૈન્યથી યુકત છે અને પ્રતિજ્ઞા પાળવામાં શૂરવીર છે અને હમારે રાજા પણ પ્રતિજ્ઞા પાળવામાં શુરવીર છે તે પણ તેવા પ્રકારની સેનાથી યુકત નથી.
શકિતનું ઉલ્લંઘન કરી આરંભ કરે છે, તે સંપત્તિના વિનાશનું કારણ છે ” તેથી હમણાં જે તે ઉપાયથી શત્રુને પાછો ફેરવે. એમ વિચાર કરી રાત્રીને વિષે ગુપ્ત વૃત્તિથી કુમારદેવ મંત્રી વિદ્યાધર મંત્રીની પાસે ગયે અને તેને નમસ્કાર કરી તેના મેળામાં પત્રિકા મુકી તેની આગળ ઉભે રહ્યા. પછી વિદ્યાધર મંત્રીએ પુછયું કે તમે કોણ છે? અને શા માટે આવ્યા છે?” તેણે કહ્યું કે “હું લક્ષણસેન રાજાને મંત્રી કુમારદેવ છું અને તમને મળવાને આવ્યો છું. મારે તમને કાંઈક કહેવાનું છે. પરંતુ તે વચનથી કહેવાને અસમર્થ છું. તેથી આ પત્રિકા કહેશે.” પછી વિદ્યા ધર મંત્રીએ પત્રિકાને હાથમાં લઈ વાંચી લીધી તેમાં આ લેક જોવામાં આવ્યું.
नपकारसमर्थस्य, तिष्ठन् कार्यातुरः पुरः। मूर्त्या यामातिमाचष्टे,न तां कृपणया गिरा ॥२॥
Page #207
--------------------------------------------------------------------------
________________
ત્રવિશગુણવર્ણન.
૧૬૯ શબ્દાર્થ–ઉપકાર કરવામાં સમર્થ એવા પુરૂષની આગળ કાર્ય કરાવવાને આતુર થએલે પુરૂષ ઉભો રહી જે પીડાને કહે છે તે પીડાને કૃપણ વાણીથી કહેતા નથી. ૨.
એ શ્લોકના અને વિચાર કરી વિદ્યાધર મંત્રીએ વિચાર કર્યો કે, આ મહાન્ પુરૂષ મહારી પાસે આવ્યું છે અને જયંતચંદ્ર રાજા અહીંથી પાછા ફરે એમ એ ઈચ્છે છે તેમજ દંડ પણ આપવાને ઈચ્છતું નથી. વળી આ ભાર
હારા ઉપરજ આરેપણ કરે છે તે કારણથી આ કુમારદેવ મંત્રીને વ્યસન-કણરૂપ સમુદ્રમાંથી વિસ્તાર કરવો જોઈએ. કહ્યું છે કે –જે પુરૂષને આશ્રય લઈ સવ પ્રાણીઓ નિર્ભયતાથી સુઈ રહે છે, તેજ પુરૂષ લોકને વિષે પુરૂષ કહેવાય છે અને તેજ પુરૂષ આ લેકમાં પ્રશંસાને પ્રાપ્ત થાય છે. એમ વિચાર કરી તે પછી કુમારદેવ મંત્રીને કહ્યું કે, તમે ભય રાખશે નહીં.તેમજ દંડ પણ આપશે નહીં. પ્રાતઃકાળે અમારૂં સૈન્ય-લશ્કર આ સ્થાનમાં રહેશે નહીં. તેથી તમે પોતાના સ્થાન પ્રત્યે ચાલ્યા જાવ. આ પ્રમાણે કહી તેને સત્કાર કરી વિદાય કર્યો પછી કુમારદેવ મંત્રી પોતાના સ્થાન પ્રત્યે ચાલ્યો ગયો. વિદ્યાધર મંત્રીએ પણ જયંતચંદ્ર પાસે જઈ કહ્યું કે હે રાજેન્દ્ર? આજે આપણે અઢાર દિવસે વ્યતીત થઈ ગયા. કુમારદેવે પોતાની જાતે આવીને અઢાર લાખ સુવર્ણ દંડના સ્થાનમાં આપી ગયા છે. તેથી તેમને અભય આપે. આ૫ પ્રસન્ન થાય અને આપ પિતાના સ્થાન પ્રત્યે પધારે. તેમને કિલે લેવે મુસીબત ભરેલું છે. આ પ્રમાણે શ્રવણ કરી, કાશીપતિ યંતચંદ્ર તત્કાળ રાત્રિને વિષેજ પ્રયાણું કર્યું. આ વાત સાંભળી લક્ષણાવતીને રાજા ખુશી થયે. તેણે પોતાના મંત્રી કુમારદેવને પુછયું કે, જયંતચંદ્ર કેમ ચાલે ગયે ? મંત્રીએ જવાબ આપ્યો કે તમને યુદ્ધ કરવામાં તત્પર થયેલા સાંભળી ભયભીત થએલો તે પાછા ચાલ્યા ગયે. અનુક્રમે કાશી અધિપતિ કાશીની નજીક પ્રાપ્ત થયે તે વખતે જયંતચંદ્ર મંત્રીને આદેશ કર્યો કે લક્ષણાવતી નગરીના સ્વામીએ આપેલું દંડ સંબંધી સુવર્ણ યાચકને આપી દે, જેથી મહારા યશની વૃદ્ધિ થાય. વિદ્યાધર મંત્રીએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે કુમારદેવ મંત્રીએ એકજ રત્ન આપેલું છે તેથી તેનું સુવર્ણ એકદમ કેવી રીતે થઈ શકે? રાજાએ કહ્યું કે જે એમ છે તે તે રત્ન મને બતાવે. પછી મંત્રીએ રાજાને પત્રિકામાં લખેલે કલેક બતાવ્યું અને કુમારદેવ મંત્રીના આગમન વિગેરેને વૃત્તાંત કહી સંભળાવ્યું. એ વૃત્તાંતને જાણી જયંતચંદ્ર રાજાએ કહ્યું કે, હે મંત્રી? વિદ્યાધર? આ પત્રિકા તે વખતે મને કેમ ન બતાવી? જેથી આપણે તેની ઉપર મહેટી કૃપા કરત. પછી જયંતચંદ્ર રાજાએ અઢાર લાખ સુવર્ણ યાચક વર્ગને આપ્યું અને અઢાર લાખ સુવર્ણ લક્ષણસેન રાજાને તથા આહાર લાખ સુવર્ણ કુમારદેવ મંત્રીને મેકલી
२२
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૭૦
શ્રાદ્ધગુણ વિવરણ આપ્યું; પછી પોતે કાશીમાં ગયે. તે સુવર્ણ પ્રાપ્ત થયેલ તે લક્ષણુસેન રાજાએ કહ્યું કે, હે મંત્રી? આ સુવર્ણ શેનું આવ્યું? કુમારદેવે કહ્યું કે હે દેવ? તમને જયંતચંદ્રરાજાએ દંડ તરીકે ભેટ મોકલાવ્યું છે તેથી લક્ષણાવતીને સ્વામી પ્રસન્ન થયે અને સર્વ લોકેને કલ્યાણની પ્રાપ્તિ થઈ. આથીજ સ્વ અને પરના બળાબળને જાણનાર હોય એમ કહ્યું છે.
હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ફળ બતાવે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે બીજાઓના અને પિતાના બલાબળને જાણનાર બુદ્ધિમામ્ પુરૂષ ફળવાળા આરંભના કાર્યવાળે હોવાથી ધમરૂપ કમને માટે અધિકારી થાય છે. ૨૩
Page #209
--------------------------------------------------------------------------
________________
Fછે જે
છે
.
'
चतुर्विशगुणवर्णन.
HI
*
*
*
*
:
*
:
*
*
: *
*
*
*
*
*
*
* *
*
*
1
વે માર્ગાનુસારીના પાંત્રીશ ગુણ પિકી ગ્રેવીસમા ગુણની સમાપ્તિ કરી કમથી પ્રાપ્ત થએલ “વ્રતમાં રહેલા અને
જ્ઞાનથી વૃધ્ધાની પૂજા કરવારૂપ” ચાવીશમા ગુણના
3 વિવરણને પ્રારંભ કરે છે. - તથા અનાચારને ત્યાગ કરે અથવા સારી રીતે આચારનું પાલન કરવું, તેને વૃત્ત કહે છે. તે વૃત્તને વિષે રહેનારા હોય તેને વૃત્તસ્થ કહે છે અર્થાત્ તે વૃત્તમાં રહેવાવાળા કહેવાય છે. અને ત્યાગ કરવા લાયક તથા ગ્રહણ કરવા લાયક વસ્તુને નિશ્ચય કરે તેને જ્ઞાન કહે છે. તેવા જ્ઞાનથી જેઓ વૃદ્ધ-મહેટા હોય તેમને જ્ઞાનવૃદ્ધ કહે છે. ઉપર જણાવ્યા પ્રમાણે વ્રતમાં રહેવાવાળા એવા જ્ઞાન વૃદ્ધોની પૂજા કરનાર થવું જોઈએ, કહ્યું છે કે –
तपःश्रुतधृतिध्यान-विवेकयमसंय्यमैः ।
ये वृक्षास्तेऽत्र शस्यन्ते, न पुनः पलिताङ्कुरैः ॥१॥ શબ્દાર્થ-તપરિયા, શાસ્ત્રની ધારણા, ધ્યાન, વિવેક, પાંચ પ્રકારના અનુવ્રત કે મહાવ્રત રૂપયમ અને સત્તર પ્રકારના સંયમથી જે વૃદ્ધા છે તે આ લોકમાં વૃદ્ધ કહેવાય છે. પરંતુ પળીયાના અંકથી કાંઇ વૃદ્ધ કહેવાતા નથી. ૧
ભાવાથ–વૃત્તસ્થ જ્ઞાન વૃધ્ધની પૂજા કરવી એટલે તેમની પરિચર્યા કરવી, હાથ જોડવા, આસન આપવું, ઉભા થવું અને તેમની આજ્ઞાનું પાલન કરવું વિગેરે કરવારૂપ પૂજા કહેવાય છે. ખરેખર વૃત્તમાં રહેલા જ્ઞાનવંત પુરૂષોની પૂજા કરવામાં આવી હોય તે કલ્પવૃક્ષોની પેઠે સારા ઉપદેશ રૂપ ફળેથી સફળ છે અર્થાત ઉપદેશરૂપ ફળ આપનારા થાય છે. તેને માટે કહ્યું છે કેઃ-નિર્દોષ ઉપદેશ, હમેશાં ધમને ધારણ કરનારાઓનું દર્શન અને એગ્ય રીતે વિનય એ સાધુની સેવાનું હેટું ફળ છે. શ્રી ભાગવતમાં પણ કહ્યું છે કે –મહાન પુરૂષોની સેવા-ઉપાસ્તિ મુક્તિનું દ્વાર કહેવાય છે અને સ્ત્રીઓને સંગ કરનાર પુરૂષને સંગ કરે તે નરકનું દ્વાર કહેવાય છે. જે સમાન ચિત્તવાળા, શાંતિ પામેલા, ક્રોધરહિત થએલા, સારા હૃદયવાળા અને સાધુ પુરૂષ છે, તે મહાન પુરૂ કહેવાય છે. તેમની પૂજા
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૭૨
શાહગુણ વિવરણ અને સેવા વિગેરે કરવાથી સારા ફળની પ્રાપ્તિ થાય છે. જેમ આમરાજાને શ્રીમદ્ બપ્પભટ આચાર્યથી પાપની નિવૃત્તિ, પિતાના જીવનું સંરક્ષણ અને ઠેકાણે ઠેકાણે જયની પ્રાપ્તિ વિગેરે થઈ હતી. તેમજ કુમારપાળ રાજાને પણ તેમની સેવા કરવાથી શુદ્ધ ધર્મ વિગેરેની પ્રાપ્તિ થઈ હતી અથવા શ્રી હેમચંદ્રાચાર્યથી કપર્દી શેઠની પેઠે ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. આ ઠેકાણે તેજ શેઠનું વૃત્તાંત બતાવે છે.
શ્રી પત્તન (પાટણ) નગરમાં શ્રી કુમારપાળ રાજાના રાજ્યની અંદર કપદી નામે એક નિર્ધન શ્રાવક રહેતું હતું. તે શ્રાવક દિવસમાં પિતાની આજીવિકાના કાર્યમાં આકુળ વ્યાકુળ હેવાથી રાત્રિને વિષે પિષધશાળામાં આવી પ્રતિક્રમણ કરતે અને રાત્રિમાં ત્યાં જ સુઈ રહે તે સંથારાપરષી ભણવ્યા પછી શ્રી હેમચંદ્રાચાર્યની વિશ્રામણુ—ભક્તિ કરતે હતે. એક વખતે તે કપર્દીની સીમા વગરની સેવા અને ભકિતથી શ્રી હેમચંદ્રાચાય તેના ઉપર સંતુષ્ટ થયા અને કહ્યું કે ત્યારે નિર્વાહ કેવી રીતે થાય છે? કપર્દીએ કહ્યું કે પિટલું લઈ ફેરી કરવાથી મહારે નિર્વાહ થાય છે. તે સાંભળી દયાથી આદ્ર થએલા ગુરૂ મહારાજે તે કપર્દી શેઠને દાભવન્ત ઈત્યાદિ ભક્તામર સ્તોત્રના અગીયાર મા કાવ્યને આમ્નાય–ગુરૂગમ આપે. તે શ્રેષ્ઠી બ્રહ્મચર્યનું પાલન, પૃથ્વી ઉપર શયન અને એક વખત જન વિગેરે કરવામાં તત્પર થઈ તેને ત્રિકાળ એક આઠ વખત સ્મરણ કરે છે એવી રીતે સ્મરણ કરતાં છ મહીના થવા પછી રાત્રિને વિષે કામધેનુના રૂપથી ચકેશ્વરી દેવીએ પ્રગટ થઈ કહ્યું કે પ્રાતઃકાળે કેરા ઘડાએ તૈયાર કરી રાખવા. તેની અંદર હારૂં દુધ નાંખવાથી તે ઘડાઓ સુવર્ણના થઈ જશે. બીજે દિવસે સોળ મણના પ્રમાણવાળા બત્રીશ ઘડાએ કરાવ્યા પછી રાત્રિને વિષે તે કપર્દી શ્રેષ્ઠીએ કામધેનુને દેહી એક ઘડે સ્થાપન કર્યો. પ્રાતઃકાળે સર્વે ઘડાઓ સુવર્ણથી ભરાઈ ગયા. ત્રીજે દીવસે તેણે રાજા વગેરેને ભેજન કરવા માટે આમંત્રણ કર્યું. પ્રથમ સ્થાપિત ઘડામાં રહેલા દુધના પરમાત્રથી રાજા વિગેરેને ભેજન કરાવ્યું પછી ગુરૂવર્ય શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યને બોલાવ્યા અને તે ઘડાઓ બતાવ્યા, તે જોઈને સર્વેને વિસ્મય થશે. તે પછી તે કપર્દી મહેટી દ્વિવાળો વ્યવહારી—શેઠ થયે. આવી રીતે ગુરૂમહારાજની ઉપાસના ફળ આપનારી છે ઈત્યાદિ. અથવા જેમ નાગાર્જુનને શ્રીમદ્ પાદિલિતાચાર્યની સેવાથી આકાશમાં ગમન કરવાને લેપ અને શ્રાવકના ધમ વિગેરેની પ્રાપ્તિ થઈ હતી. હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ફળ બતાવે છે.
સારા વૃત્તમાં રહેવાવાળા જ્ઞાનવંત પુરૂષે જે કારણથી સદ્દબુદ્ધિને આપનારા થાય છે, એ હેતુથી તેમની પૂજાવડે વિવેકી પુરૂષ ધર્મને કષ્ટ સિવાય પ્રાપ્ત કરે છે.
-
---
Page #211
--------------------------------------------------------------------------
________________
पंचविंशगुणवर्णन.
S: 555
વે માનસારીના પાંત્રીશ ગુણ પિકી ચેવોશમા ગુણની સમાપ્તિ કરી અનુક્રમે પ્રાપ્ત થએલ ળ વર્ગનું પોષણ કરવા રૂપ” પચીશમાં ગુણના વિવરણને પ્રારંભ કરે છે.
})3)
વ્યવહારથી અવશ્ય ભરણ પિષણ કરવા લાયક એવા માતા-પિતા, ભાર્યા અને સંતાન વિગેરે પિષ્ય કહેવાય છે. અને તેમને વેગ તથા ક્ષેમ કરવાથી (નહી પ્રાપ્ત થએલાની પ્રાપ્તિ કરાવવી તેને વેગ કહે છે. અને પ્રાપ્ત થએલાનું રક્ષણ કરવું તેને ક્ષેમ કહે છે) પિષણ કરે તે પિષક કહેવાય છે. તેથી ગૃહસ્થાએ પિષ્ય વગનું પિષણ કરનાર થવું જોઈએ. કહ્યું છે કે –વૃદ્ધાવસ્થાને પહોંચેલા માતા પિતાઓનું, ઉત્તમ આચારવાળી ભાર્યાનું અને નાના બાળકનું સેંકડે ઉપાય કરીને પણ પોષણ કરવું જોઈએ એમ મનુ મુનિએ કહ્યું છે. વળી કહ્યું છે કે -- चत्वारि ते तात गृहे वसन्तु, श्रियान्निजुष्ठस्य गृहस्थधर्मे । सखा दरिलो नगिनी व्यपत्या, ज्ञातिश्च वृको विधनः कुलीनः॥१॥
શબ્દાર્થ –હે તાત ગૃહસ્થ ધર્મની અંદર લક્ષ્મીથી સેવાએલા હારા ઘરને વિષે દરિકી મિત્ર, સંતાન વગરની બહેન, વૃદ્ધ થએલે જ્ઞાતિને પુરૂષ અને નિધન થએલે કુલીન પુરૂષ એ ચાર વાસ કરીને રહે?
ભાવાર્થ –જે પિષ્ય વર્ગનું પિષણ કરવામાં ન આવે, તે લોકાચારના રહિત પણથી ખરેખર ગૃહસ્થને અપયશ થાય છે અને શુંભા તથા મહિમાની હાનિ થાય છે. તથા તે પિષ્ય વગનું બરાબર યુકિતથી પોષણ ન કર્યું હોય, તે ચેરી રૂપ અન્યાય વિગેરેમાં પ્રવૃત્તિ કરવાથી અનર્થને આપનારા અને પિતાની ઈચ્છા પ્રમાણે વર્તન કરનારા થાય છે. જેમ સાગર શ્રેણીના છોકરાઓની વહુઓ પોતાની ઇચ્છા પ્રમાણે વર્તનારી થઈ હતી, તેમ થાય તેનું દષ્ટાંત આ પ્રમાણે છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
^^^^^^^
^^^^^^
૧૭૪
શ્રાદ્ધગુણ વિવરણ. ચંપાપુરીમાં સાગર નામે એક શેઠ હતું. તેને ચાર પુત્ર અને તેમની ચાર વહૂઓ હતી. કાળે કરી સાગર શેઠની ભાર્યા મરણ પામી. પોતે કૃપણ હોવાથી તૃઘણાથી ચપલ થયેલી ચિત્તની વૃત્તિવાળો સાગર શેઠ હમેશાં ઘરમાં જ રહેતે હતે. જે ઘરનું કેઈપણ માણસ તેની દૃષ્ટિએ મને હર ભજન કરે, સુંદર વસ્ત્ર પહેરે કે સ્નાન દાન વિગેરે કરે તે તેની સાથે તે અહોનિશ કછ કરતે. વધારે તે શું પણ કઈ અનાજની કણવૃત્તિ પણ આપવાને સમર્થ ન હતું. આ પ્રમાણે કરવાથી શેઠીયાને સઘળે પરિવાર હેરાન થવા લાગે. પછી શેઠના પુત્રની ચારે વહૂઓ
જ્યારે રાત્રિમાં શેઠ સુઈ જાય ત્યારે પોતાની ઈચ્છા પ્રમાણે ભેજન કરવા લાગી, ઈચ્છા પ્રમાણે ક્રીડા કરવા લાગી અને સર્વ ઠેકાણે ભ્રમણ કરવા લાગી. એક વખતે તે ચારે વહૂઓને એક ગિની મળી. પછી પ્રસન્ન થએલી તે ગિનીએ તે વહુએને આકાશગામીની વિદ્યા આપી તે પછી પશુને બાંધવાના સ્થાનમાં રહેલા એક મહેટા કાષ્ટ ઉપર આરૂઢ થઈ આકાશમાં ગમન કર્યું અને સવ ઠેકાણે કીડા કરી પાછલી રાત્રે આવી તે કાષ્ટને જ્યાં ત્યાં નાંખી સુઈ ગઈ. એવી રીતે હમેશાં રાત્રિને વિષે ગમનાગમન કરે છે. એક દિવસે પશુને બાંધવાની અને દોહવાની ફિકર કરનાર અને કાષ્ટનું જ્યાં ત્યાં પડવાના કારણને જાણવાની ઈચ્છાવાળા નોકરે રાત્રિમાં ગુપ્ત ગતિથી જોઈ લીધું અને વહુઓનું ચરિત્ર તેના જાણવામાં આવ્યું. પછી તેણે વિચાર કર્યો કે આવતી કાલે હું તપાસ કરીશ કે આ વહુઓ કયાં જાય છે? તદનંતર બીજા દિવસની સાયંકાળે સવ પશુઓને બાંધી દેહી વિગેરે કાર્ય કરી તે કાષ્ટના પિલામાં પ્રવેશ કરીને બેસી રહ્યો. રાત્રિને વિષે પ્રથમની પેઠે તે કાષ્ટ આકાશમાં ચાલ્યું અને અનુક્રમે સુવર્ણદ્વીપમાં ગયું. ત્યાં ચારે વહુઓ લાકડા ઉપરથી ઉતરીને વનમાં ભ્રમણ કરવા લાગી. તે નેકર પણ કાષ્ટથી બહાર નીકળી અને જ્યાં જુવે છે ત્યાં સુવર્ણને જ જુવે છે, તે જોઈ વિસ્મય પામે. વહુઓના આવવાના વખતે કેટલુંએક સુવર્ણ ગ્રહણ કરી તે નકર પ્રથમની રીતિ પ્રમાણે કાષ્ટના પોલાણમાં પ્રવેશ કરી ગયે. એટલામાં તે વહુઓ આવી અને કાષ્ટ યંત્રશક્તિથી આકાશમાં ઉડયું. વહુઓ ક્ષણમાત્રમાં પોતાના સ્થાનમાં આવી કાષ્ટને ત્યાગ કરી પોતપોતાની શય્યામાં સુઈ ગઈ. આવી રીતે કરતાં કેટલાએક કાળ વ્યતીત થએ છતે તે નેકર સુવર્ણના બળથી ઘરનું કાર્ય કરતું નથી અને સાગર શેઠની સામું બોલવા લાગ્યા. આથી ધૂર્ત શેઠીયાએ વિચાર કર્યો કે, આ સેવકને કાંઈપણ પ્રાપ્ત થયું છે એમ મને શંકા છે. પછી તે શેઠીયાએ એક વખતે એકાંતમાં કમળ વચનેથી એવી રીતે કહ્યું કે જેથી તે નોકરે વહુઓને તમામ વૃત્તાંત પિટમાં નહી જયંથી પ્રગટ કરી દીધો. પછી આજે હું તપાસ કરીશ ત્યારે કેઈને કહેવું નહીં, એમ શેઠે નોકરને જણાવીને રાત્રિમાં ગુપ્ત રીતે કાણના પિલાણમાં રહે. પ્રથમની રીતિ પ્રમાણે કાષ્ટ સુવર્ણદ્વીપમાં પ્રાપ્ત થયું. પછી શ્રેષ્ઠી પિલાણમાંથી
Page #213
--------------------------------------------------------------------------
________________
પંચવિ શશુસુવણું ન.
૧૭૫
માહાર નીકળ્યા, ત્યાં તેણે સર્વ ભૂમિ સુવર્ણમય દેખી તથા તે લેાભાકુળ શ્રેષ્ઠીએ તે કાષ્ટના પાલાણને સુવર્ણથી ભર્યું અને પોતે સ`કાચ કરી પોલાણમાં રહ્યા. શેઠે કેટલુ એક સુવર્ણ પેાતાના ખેાળામાં ગ્રહણ કર્યું. એ વહુઆ કાષ્ટ ઉપર બેસે છે અને એ વહુએ વહન કરે છે એવી વ્યવસ્થાથી નિરંતર વારા ફરતી વહન કરે છે આજે તે પાછી આવતી વહુઆમાંથી વહન કરવાવાળી વહુને ઘણેા ભાર લાગ્યા. જેવામાં સમુદ્ર ઉપર આવી તેવામાં તે થાકી ગઇ, પછી પરસ્પર કહેવા લાગી કે આ કાષ્ટના ત્યાગ કરી જે જળ ઉપર તરે છે તેને ગ્રહણ કરીએ. આ વાતને સાં ભળી કાષ્ટના પાલાણમાં રહેલા શેઠ ખલ્યા કે હે વહુએ ? હું કાષ્ટની અંદર તેથી આ કાષ્ટના ત્યાગ કરશે! નહીં. શેઠના આ વચન સાંભળી વહુએ ખુશી થઈ બેલી કે આજ આપણા ઘરમાંથી પાપ નીકળવા ઘા, એમ કહી સાગર શેઠને સાગરની અંદર ફેકી દીધો. પછી વહુએ પાતાને ઘેર પાછી આવી અને સુખી થઈ. એવી રીતે પાષ્ય વનું પાષણ કરવામાં ન આવે, તે ગૃહસ્થાને પરિવાર પેાતાના થતા નથી અને ધર્મની ચેાગ્યતા પણ થતી નથી, પાષ્ય વસ્તુ પોષણ કરવાથી ગૃહસ્થાના પરિવાર સુખી થાય તેમને સુખ થવાથી ધર્મકા↑ સુસાધ્ય થાય છે. પાષ્ય વર્ગના પાષણના વ્યવહારથી વિચાર કરી હવે નિશ્ચયથી વિચાર કરે છે.
નિશ્ચયથી વિચાર કરીએ તે દેવ, ગુરૂ અને પેાતાના આત્મા એ ત્રણ જ પાષણ કરવા લાયક છે. કહ્યું છે કેઃ— જગના નાથ તીર્થંકર સદ્ગુરૂ અને પેાતાના આત્મા એ ત્રણ પોષણ કરવાં, બીજાનું પેાષણ કરવાથી શું પ્રયેાજન છે ? ઉત્કૃષ્ટા નિશ્ચયથી તા પોતાના આત્મા જ પાષણ કરવા લાયક છે. કારણ કે તેનું પોષણ કરવામાં ન આવે તે ખીજાનુ પોષણ કરવુ તે પાષણ જ નથી. કહ્યું છે કેઃ— परलोकविरुद्धानि कुर्वाणं दूरतस्त्यजेत् ।
,
आत्मानं यो न संधत्ते, सोऽन्यस्मैस्यात्कथं हितः ॥ १ ॥
ભાવા —પરલેાક સંબધી વિરૂદ્ધ કાર્યો કરનારને વેગળેથી જ ત્યાગ કરવા અને જે પોતાના આત્માને ધારણ કરી શકતા નથી તે પુરૂષ ખીજાના હિતને માટે કેવી રીતે થાય !
હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ફળ બતાવે છે. ઉપર જણાવ્યા પ્રમાણે ન્યાયથી વત્તન કરવામાં તત્પર રહેનાર જે. પુરૂષ પાથ્યજનાનુ પોષણ કરે તે પ્રશસા કરવા લાયક એવી આત્માની સ્થિતિવાળા થઈ સારા ધરૂપ કમને ચેાગ્ય થાય છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
षड्विंशगुणवर्णन.
િહ | વે માગનસારીના પાંત્રીસ ગુણ પિકી પચીસમા ગુણને છે સમાપ્તિ કરે કમથી પ્રાપ્ત થયેલ “લાંબા કાળે થનાર અને
નર્ણાદિકને વિચાર કરવારૂપ” છવાસમાં ગુણના વિવરપ્ર મ ણને પ્રારંભ કરે છે.
લાંબા કાળે થનાર હોવાથી દીઘ એવા અર્થ કે અનર્થને જેનાર અર્થાત પર્યાલેરાન કરવાના સ્વભાવવાળે દીર્ઘદર્શી કહેવાય છે. કહ્યું છે કે –
आढवइ दोहदंसी, सयलं परिणामसुंदरं कळं । बहुताभमप्पकेसं, सलाहणिज्ज बहुजणाणं ॥ १॥
શબ્દાર્થ–દીર્ધદશ પુરૂષ પરિણામે સુંદર, ઘણે લાભ અને અ૫કલેશવાળું તથા ઘણુ લેકેને પ્રશંસા કરવા લાયક એવા સવ કાર્યને આરંભ કરે છે,
જેમકે ધન શ્રેણી. તેની કથા આ પ્રમાણે છે.
વસંતપુર નગરને વિષે પુત્ર, પુત્રની વહુ, ભેજાઈ, બહેન વિગેરે ઘણા કુટું. બની સંપત્તિવાળે અને મહેટી ત્રાદ્ધિથી વૃદ્ધ ધન નામે એક શેઠ રહેતે હતે. એક વખતે તે નગરના જિતશત્રુ રાજાએ ધન શ્રેણીના ઘરની નજીકમાં એક દેવનું મંદિર કરાવ્યું, તે મંદિરમાં રાજાએ નિયુક્ત કરેલા નાચનાર અને નાચનારી વિગેરેના સમૂહથી યુક્ત એવા ગંધર્વે પ્રાતઃકાળે અને સાયંકાળે ગીત તથા નૃત્ય વિગેરે કરતા હતા. તે સાંભળવાના રસથી પરાધીન હદયવાળે ધન શ્રેણીને મહિલાદિ વર્ગ ઘરના ધંધાને ત્યાગ કરી ઉભા રહી સાંભળે છે. પ્રથમ તે શરમયુક્ત હેવાથી અપેક્ષા પૂર્વક સાંભળતા હતા, પરંતુ અનુક્રમે તે મર્યાદા રહિત થયે. તેમનું તેવા પ્રકારનું આચરણ જોઈ, ધન શ્રેષ્ટિએ વિચાર કર્યો કે આ સારૂં થતું નથી.
चवता मयलणसीला, सिणेहपरिपूरीयावि तावेई । दीवयासिहव्व महिला बद्धप्पसरा भयंदेश ॥२॥
Page #215
--------------------------------------------------------------------------
________________
લવિંશતિ ગુણ વર્ણન
૧૭૭ શબ્દાર્થ– “ચપલ, મેલીને સ્વભાવવાળી અને સ્નેહથી પરિપૂર્ણ ભરેલી હેય તે પણ સ્વછંદ વર્તન કરનારી સ્ત્રી દીપશિખાની પેઠે તાપ અને ભય આપનારી થાય છે. રાઝ
તેથી જ્યાં સુધી ચંદ્રમા જેવા હારા નિર્મળકુળમાં મલિનતા પ્રાપ્ત ન થાય ત્યાંસુધીમાં મધુર વચનથી સમજાવવા રૂપ સામ ઉપાયથીજ હારા કુટુંબને અટકાવું એમ વિચાર કરી ધનશ્રેષ્ટિએ પિતાના ઘરના એક ભાગમાં દેવમંદિર કરાવ્યું અને તેમાં ધનદ યક્ષની મૂર્તિ સ્થાપના કરી. જે વખતે તે ગંધર્વો રાજાના મંદિરમાં ગાનાદિકને અભ્યાસ કરે છે તે જ વખતે તે શ્રેષ્ટિ યક્ષની આગળ મૃદંગ, વાંસળી આદિ વાજિંત્રના શબ્દમય કરાવવા લાગ્યું. આથી ગંધર્વ વિગેરેના ગીત નૃત્યાદિકમાં વ્યાઘાત થવા લાગ્યો. તેથી કેઈ કાંઈ પણ સાંભળી શકતા નથી એવી રીતે ઉદ્વેગ પામેલા તે ગંધર્વો રાજા પાસે ગયા અને જણાવ્યું કે હે દેવ ! ધનશ્રેષ્ઠી અમારા કલાભ્યાસમાં અટકાવ કરે છે. આ પ્રમાણે તેમની વિજ્ઞપ્તિ થતાં રાજાએ ધનશ્રેષ્ટિને બેલાવી કહ્યું કે હે શેઠ! શા માટે તેઓને અડચણ થાય તેમ વર્તે છે? ધનશ્રેષ્ટિએ જણાવ્યું કે હે દેવ? શાસ્ત્રમાં આ પ્રમાણે ઉપદેશ કરેલ છે કે સંસાર અસાર છે, વૈવન ચપળ છે, લક્ષ્મી નાશવંત છે, પ્રિયને સમાગમ સ્વપ્ન સરખે છે, પાપના પરિણામ દુસહ છે, અમે વૃદ્ધ થયા છીએ અને પરલોકગમન નજીક આવ્યું છે. હવે ધર્મ કરવાનો અવસર પ્રાપ્ત થયા છે. તેને માટે કહ્યું છે કે
"जं जं करेइ तं तं न सोहए जुव्वणे अइकंत। पुरिसस्स महिलियाए इकं धम्मं पमुत्तूणम् ॥३॥"
શબ્દાર્થ પુરૂષ અને સ્ત્રીના વિન અવસ્થાનું ઉલ્લંઘન થયા પછી એક ધમ કાર્ય શિવાય (અવસ્થાઅનુચિત) જે કાર્યો કરવામાં આવે છે, તે શોભતાં નથી રા
આ હેતુથી હે રાજન્ ? હારી ભુજાથી ઉપાર્જન કરેલ દ્રવ્યથી મેં એક મેદિર બંધાવ્યું છે અને તે મંદિરમાં મારા ઈષ્ટદેવની પૂજા વખતે અનંતફલને આપનારી નાદ પૂજા ( સંગીત પૂજા) કરાવું છું. શ્રેષ્ઠિનાં આવાં વચન સાંભળી રાજાએ કાંઈક હસીને કહ્યું કે શેઠજી જે તમે આવા પ્રકારના વૈરાગ્યથી રંગાએલા છે તે તમારે વનવાસ કરવો યેગ્ય છે. ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે ધર્મ કરી શકાય? તે માટે કહ્યું છે કે--
" पुत्तनियलाई जमि य आसपिसाई विनिच्छयं छलइ। - तत्थ य धण? गिहवासे सुमिणेवि न जाउ धम्मगुणो॥४॥
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૯૮
શ્રાદ્ધગુણ વિવરણ. શબ્દાર્થ –“ જ્યાં પુત્રકલત્રાનિ (વાસ છે) ત્યાં આશા રૂપ પિશાચની અવશ્ય છલે છે. તે તેવા ગૃહૃથાવાસમાં હે ધનશ્રેષ્ઠિન સ્વપ્નમાં પણ કદી ધર્મ થતો નથી. ૪
આ સાંભળી ધનશ્રેષ્ટિએ કહ્યું કે હે રાજન ? આપનું કહેવું સત્ય છે, પરંતુ લોક કહે છે કે--
" गृहाश्रम समो धर्मो न भूतो न भविष्यति । पालयन्ति नराः शूराः क्लीबाः पाषण्डमाश्रिताः ॥५॥”
શબ્દાર્થ-ગૃહસ્થાશ્રમ જે ઘમ થયું નથી. અને થવાનું નથી. શરા પુરૂપે તેને પાળે છે. અને કાયર પુરૂ પાખંડનો આશ્રય લે છે. પ ”
પછી રાજાએ કહ્યું કે, હે ઉત્તમ વણિક? ગૃહસ્થાશ્રમ સંબંધી દાનાદિક ધર્મ ગુરૂઓના ઉપદેશથી જાણવામાં આવે છે તેથી તે (વાનપ્રસ્થ) આશ્રમની તમે અવગણના ન કરે” ધન શ્રેષ્ટિએ કહ્યું કે હે રાજન્ ? લોકવાય તે આ પ્રમાણે છે-“જે બ્રાહ્મણ કહે તે કરવું જે કરે તે ન કરવું.” ઈત્યાદિ પ્રત્યુત્તર આપવામાં તત્પર એવા શ્રેષ્ઠિને રાજાએ કહ્યું કે-“હે વિશેષજ્ઞ? આવી રીતે વચનના વિસ્તાર કરવાથી શું ફળ છે? આ બાબતમાં જે પરમાર્થ હોય તે નિવેદન કરે” તે પછી હાથ જોડી ધનશ્રેષ્ટિએ વિજ્ઞપ્તિ કરી કે હે પ્રજાવત્સલ! અમે તમારી છત્ર છાયામાં વસીએ છીએ, હારૂં કુળ નિર્મળ છે, કુળને કલંક ન આવે તેવી વૃત્તિથી આટલો વખત નિર્ગમા છે, હારા ઘરમાં સ્ત્રીઓ ઘણું છે--
" चवलाइं इंदियाइं वियार बहुलं च जुव्वणं देव !। તજ જ વામી વિવે ર વાળા દ્દ" "
શબ્દાર્થ—“હે રાજન ઇકિયે ચપલ છે, વન ઘણુ વિકારવાળું છે, કામદેવ સ્વતંત્ર ગતિ કરનાર છે. પ્રાણીઓનો અવિવેક સ્કુરિ રહ્યું છે. દા
તેથી હે મહારાજ ! આ ગંધના ગીત, વિનેદ અને હાશ્યાદિક અઘટિત ચેષ્ટાઓ વિગેરેને જેવાથી હારે પરિવાર સ્વછંદ થઈ વિનાશ ન પામે, એ હેતુથી દેવમંદિર કરાવવા રૂપ અનાગત ( સ્વછંદ થતા પહેલાં) ઉપાય જેન્યો છે. કહ્યું છે કે-ઘર સળગે ત્યારે કુવો ખોદવે, સંગ્રામ જાગે ત્યારે ઘડાને શિક્ષણ આપવું અને નદીમાં પુર આવે ત્યારે પાળ બાંધવી જેમ સહેલાઈથી થતું નથી, તેમ પરિવારનો નાશ થયા પછી સુધારે સહેલાઈથી થઈ શકતો નથી. તે પછી રાજાએ સભા સમક્ષ ધનશ્રેષ્ઠિને કહ્યું કે હે શ્રેષ્ટિ મુખ્ય! તમારી બુદ્ધિની નિપુણતા શ્રેષ્ઠ છે,
Page #217
--------------------------------------------------------------------------
________________
ષવિશિત ગુણ વર્ણન.
૧૭૯
સદ્ગુપાયના પ્રકાશ પ્રશંસનીય છે, અને દીર્ઘદશી પણું ભવિષ્યમાં ઉન્નતિ કરનારૂ છે. ઇત્યાદિ પ્રશંસા પૂર્વક રાજાએ શ્રેષ્ઠિને મત્રિપદ ઉપર સ્થાપન કર્યો. અનુક્રમે એજ ગુણ વડે જૈનધર્મ પામી સુખી થયા.
હવે ગ્રંથકાર પ્રસ્તુત ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશ દ્વારા ફળ બતાવે છે— सर्वकार्येषु यो दीर्घदर्शी स्याद्धनवन्नरः ।
स योग्यो भाग्यतः शुद्धधर्मकर्मणि जायते ॥७॥
શબ્દા:—જે પુરૂષ ધન શ્રેષ્ઠિની પેઠ સવ કાયામાં દીદી હેાય તે પુરૂષ ભાગ્યથી નિર્દોષ ધ કાય માં ચાગ્ય થાય છે જ્ઞા
// તિ વિરતિતમો ગુજઃ ||
Page #218
--------------------------------------------------------------------------
________________
सप्तविंशगुणविवरण.
Sલાશન કn
BEAR
A F_LISH I
UPER
trbidi=BE
વે માર્ગનુસારીના પત્રિશ ગુણ પૈકી છવીસમા ગુણનું વિવરણ પુરૂં કરી ક્રમથી પ્રાપ્ત થએલ “વિશેષ જાણવા
રૂપ” સતાવીમાં ગુણને પ્રારંભ કરે છે. વિપજ્ઞ–એટલે વસ્તુ તથા અવસ્તુના, કાર્ય અને અકાર્યના, પિતાના અથવા પરના વિશેષને અર્થાત આંતરને જે જાણે છે, એટલે નિશ્ચય કરી શકે છે તે વિશેષજ્ઞ કહેવાય છે. જે પુરૂષ વિશેષજ્ઞ નથી તે પુરૂષ ખરેખર પશુથી વધી જ નથી. અથવા તો બીજી રીતે પોતાના આત્માનેજ ગુણ દોષથી ઉપર ચઢવા રૂપ વિશેષને જે જાણે તેને વિશેષજ્ઞ કહેવાય છે. તેને માટે કહ્યું છે. કે–
"प्रत्यहं प्रत्यवेक्षेत नरश्चरितमात्मनः किन्तु मे पशुभिस्तुल्यं किन्तु सत्पुरुषैरिति॥१॥"
શબ્દાર્થ –-પુરૂષ પિતાનું કર્તવ્ય હમેશા જોયા કરે કે શું મહાકું ચરિત્ર પશુના જેવું છે કે પુરૂષના જેવું છે? તો વળી કહ્યું છે કે" जो नवि दिणे दिणे संकलेइ के अज्ज अज्जिआ मि गुणा अगुणेसु य न हु खलिओ कह सो अ करिज्ज अप्पहियं ॥२॥"।
શબ્દાર્થ_આજે કેટલા ગુણ ઉપાર્જન કર્યા એવી સંકળના જે પુરૂષ હમેશાં કરતો નથી. અને અવગુણ મેળવવામાં ઉઘુકત હોય છે, તે પુરૂષ પોતાનું આત્મહિત કેવી રીતે કરી શકે? . ૨” વળી કહ્યું છે કે
" वत्थूणं गुणदोसे लक्खेइ अपक्खवायभावेण । पाएण विसेसन्नू उत्तम धम्मारिहो तेण ॥३॥"
Page #219
--------------------------------------------------------------------------
________________
સમવિશિત ગુણુ વર્ણન
૧૮૧
શબ્દા :- પક્ષપાત શિવાય વસ્તુના ગુગ્નુ ાષાને જે આળખે છે, તે પ્રાયે કરી વિશેષજ્ઞ કહેવાય છે. અને તેથી તે ઉત્તમ ધર્મને વૈશ્ય થાય છે. ॥ તે વિષે ખાઇના પાણીને સુગંધીવાળુ કરનાર સુબુદ્ધિ મત્રિનુ દૃષ્ટાંત છે તે આ પ્રમાણે—
ચંપાનગરીમાં જિતશત્રુનામે રાજા છે. તેને સારી રીતે જિનમતના જાણુ સુબુદ્ધિ નામે મંત્રિ છે. એક વખત રાજાએ રસયુક્ત સુંદર રસાઇ કરાવી ઘણા સામતા અને મંત્રિની સાથે રાજાએ લેાજન કર્યું. આ રસમાં આસક્ત થયેલા રાજા અને સામત વિગેરેએ પણ અહા ? રસ અહા ? ગંધ ઈત્યાદિ ખેાલી રસાઇની પ્રશંસા કરવા લાગ્યા, પરંતુ સુબુદ્ધિ મત્રિતા મોન રહ્યા; તેથી રાજાએ પુછ્યું કેહેમ'ત્રિન્ ! તમે કેમ પ્રશંસા કરતા નથી ? મંત્રિએ જવાબ આપ્યા કે હું રાજન ! પદાર્થોના સ્વરૂપનું મને જ્ઞાન હોવાથી મનોજ્ઞ અને અમનેાજ્ઞ પદાથામાં મને વિસ્મય થતા નથી. કેમકે સુગંધીવાળા પુદગલા દુર્ગ ધયુક્ત અને રસયુક્ત પુદગલા પણ રસ વિનાનાં થઇ જાય છે. તેથી નિદ્યા કે પ્રશંસા કરવી ચુત નથી તે પણ રાજાએ આ વાતની શ્રદ્ધા કરી નહીં. કેાઇ દ્વિવસે રાજપાટિકામાં જતાં માર્ગોમાં ઘણા નિર્જીવ કલેવરાથી દુર્ગંધવાળું, ખરામ વર્ણવાળુ, મલીન અને સૂર્યના તાપથી ઉકળેલુ ખાઇનુ પાણી જોઇ રાજાએ વસ્ત્રથી નાશિકા ઢાંકી બાહ્યા કે અહેા ? આ જળ કેવું દુર્ગંધયુક્ત અને મિભત્સ છે ? સુબુદ્ધિએ કહ્યું કે હે રાજન ? તમે આ જળની નિંદા ન કરો. કારણ કે ખરાબ પદાર્થો શ્રેષ્ટ પદાપણે અને શ્રેષ્ટ પદાર્થો ખરાબ પદાર્થ પણે પરિણમે છે. તેથી મહાન્ પુરૂષને જુગુપ્સા કરવી ચાગ્ય નથી. પરંતુ રાજાએ એ વાત માન્ય કરી નહી. પછી મત્રિએ રાજાને પ્રતિાધ કરવા માટે ગુપ્ત રીતે પેાતાના પ્રમાણીક પુરૂષા પાસે વસ્ત્રથી ગળેલુ તે ખાઈનું પાણી મગાવ્યું અને પેાતાના ઘરમાં લાવી, કેારા ઘડાઓની અંદર નાખ્યું અને તેને કતકફળના ચૂર્ણ વિગેરેથી નિ`ળ બનાવ્યું. વળી તેને ખીજીવાર ગળીને નવા ઘડાની અંદર નાખ્યું. એવી રીતે એકવીસ દીવસે તે જળ નિર્મળ, સ્વાદિષ્ટ, શીતળ અને જળ રત્ન જેવું થઇ ગયું. પછી તે જળને સુગ ંધી દ્રવ્યેાથી વાસિત કરી રાજાના રસાઇયાઓને આપ્યુ. ભાજન વખતે તેઓએ રાજા પાસે મૂક્યું. તે જળના લેાકાત્તર રસ અને સ્વાદિષ્ટતા વિગેરે ગુણાને પ્રાપ્ત કરી ખુશી થયેલેા રાજા રસાઈયાએને કહે છે કે આ જળ ક્યાંથી પ્રાપ્ત થયું ? તેઓએ જવાબ આપ્યા કે અમને મત્રિએ આપ્યુ છે. રાજાએ મંત્રિને પુછ્યુ. મંત્રિએ કહ્યું કે હે રાજન્ ? જો તમે મને અભયદાન આપેા, તેા હું આ પાણીની ઉત્પત્તિ જણાવું. રાજા તરફથી અભયદાન મળતાં મત્રિએ તેના યથાર્થ વૃત્તાંત કહી સંભળાવ્યા, પણ રાજા શ્રદ્ધા કરતા નથી. તેથી મ ંત્રિએ પૂર્વોક્ત વિધિએ ખાઇનુ જળ મગાવી તેવીજ રીતે તે જળને જળ રત્ન જેવુ કરી બતાવ્યું. તે જોઈ વિસ્મય થએલા રાજાએ મંત્રિને પુછ્યુ તમે આ કેવી રીતે જાણ્યુ' ? મત્રિએ જવાબ આપ્યા કે “ પુદગલાના પરિણામ
""
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૮૨
શ્રાદ્ધગુણ વિવરણ. થયા કરે છે ઈત્યાદિ ગુરૂના વચનથી, તે પછી રાજા પણ સંપૂર્ણ પદાર્થોના અંતરની અભિલાષા કરતો ગુરૂની સેવામાં તત્પર એ શ્રાવક થયે. અનુક્રમે તે બંન્ને દીક્ષા ગ્રહણ કરી મેક્ષે ગયા. કહ્યું છે કે, સુબુદ્ધિના વચનથી પાણીના દ્રષ્ટાંત વડે જિતશત્રુ રાજા પ્રતિબેધ પામ્ય અને અગીયાર અંગને ધારણ કરનારા તે બન્ને શ્રમણ સિંહ સિદ્ધ થયા.
અથવા આત્માના ગમન અને આગમનાદિકને જાણવારૂપ લક્ષણને વિશેષ કહે છે. કહ્યું છે કે" इहोपपत्तिर्मम केन कर्मणा, कुतः प्रयातव्यमिता भवादिति। विचारणा यस्य न जायते हृदि,कथंस धर्मप्रवणो भविष्यति ॥४॥
શબ્દાર્થ ક્યા કર્મના ઉદયથી આઠેકાણે હારી ઉત્પત્તિ થઈ છે અને આ ભવથી મહારે કયાં જવાનું છે? એવી સમાલોચના જે પુરૂષના અંત:કરણમાં થતી નથી તે ધર્મમાં તત્પર કેવી રીતે થઇ શકે ?
અથવા તે સમયને ઉચિત જે અંગીકાર કરવારૂપ હોય, તેને વિશેષ કહે છે. જેમ કે જે કાળે જે પદાર્થ ત્યાગ કરવાને અથવા ગ્રહણ કરવાને લાયક હોય, તે પદાર્થનું નિપુણ વૃત્તિથી વિચાર કરી ગ્રહણ કરવું જોઈએ. આ કર્તવ્ય નિપુણનું લક્ષણ હોવાથી અને સર્વ પ્રકારની લક્ષ્મી પ્રાપ્ત કરાવવામાં હેતુ હોવાથીજ લેકમાં કહેવાય
" यः काकणीमप्यपथप्रपन्नामन्वेषते निष्कसहस्त्रतुल्याम्। कालेन कोटिष्वपि मुक्तहस्तस्तस्यानुबन्धं न जहाति लक्ष्मीः॥५॥
શબ્દા-ખરાબ માગમાં પ્રાપ્ત થએલી એક કોડીને પણ જે પુરૂષ હજાર સોનામહોર ગણુ ગષના કરે છે, પરંતુ અવસર આવે કેદ્રિવ્ય ખરચવામાં પણ હાથ ખુલ્લું મુક છે, તેવા પુરૂષના સંબંધને લક્ષ્મી ત્યાગ કરતા નથી. પા
આ ઠેકાણે વહુની જરા સંબંધી પીડાને દૂર કરનાર મોતી અને પ્રવાળાના ચૂર્ણને રેટલ કરનાર શ્રેષ્ટિનું દ્રષ્ટાંત છે તે બીજા ગ્રંથથી જાણી લેવું.
અથવા સર્વ ઠેકાણે આ લોક અને પરલોક સંબંધી હિતને અનુસરનાર એવા વ્યાપાર તથા ધર્મ વિગેરેના વિધાનમાં વિદ્યમાન ફળના ઉદેશને જે નિર્દોષ એ ઉત્તરેત્તર નિશ્ચય તેને વિશેષ કહે છે. અને તેને જે જાણે તે વિશેષજ્ઞ કહેવાય છે. એવા પ્રકારના ગુણયુક્ત પુરૂષની દરેક ક્રિયાઓ ફળશૂન્ય થતી નથી. જેમ સાગરદત્ત નામના શ્રેષ્ટિની વિશેષજ્ઞપણાને લીધે સર્વ ક્રિયાઓ ફળવતી થઈ, તે દ્રષ્ટાંત નીચે મુજબ છે--
Page #221
--------------------------------------------------------------------------
________________
સવિશતિ ગુણ વર્ણન.
૧૮૩ તામ્રલિપ્તી નામની નગરીમાં સાગરદત્ત નામને તમામ વિષયમાં ઉંડે ઉતરી વિશેષ નિશ્ચય કરનારે એક વણિક વસતો હતે. તે જાતિસ્મરણ જ્ઞાનને લીધે સ્ત્રીમાં વિરક્ત હોવાથી પરણવા ઈચ્છતો ન હતો. અને તે પૂર્વજન્મમાં બ્રાહ્મણ હતે. પુરૂષાંતરમાં આસક્ત થએલી તેની સ્ત્રીના ઝેર દેવાથી મૂછિત થએલાને આ મરી ગયે છે, એમ ધારી તે કુલટાએ બહાર ફેંકી દીધે, પરંતુ કેઈ ગોવાલણએ રહેમ લાવી તેને જીવાડશે. ત્યારબાદ તે બ્રાહ્મણ વૈરાગ્યથી પ્રેરાઈ તાપસ થઈ મરણ પામ્યો અને તે અહીં સાગરદત્તપણે ઉત્પન્ન થયા. તે વાલણ પણ લૌકિક ધર્મ એટલે દુનિયામાં પ્રસિદ્ધ સ્થૂલ ધર્મના નિયમમાં અનુરાગ ધરાવતી કાળક્રમે મરણ પામી, તામ્રલિપ્તી નગરીમાં વ્યાપારીની પુત્રી રૂપે ઉત્પન્ન થઈ. એક વખત માર્ગમાં તેને જોઈ સાગરદત્તની દ્રષ્ટિને કાંઈક આનંદ થયે. તેના માતાપિતાએ તેના આ અભિપ્રાયને સમજી લઈ સાગરદત્તને તેણીની સાથે પરણાવ્યું. પરંતુ સાગરદત્તના અંતઃકરણમાં હર્ષને સ્થાન મળ્યું નહીં. તે વ્યવહારીની પુત્રીએ બુદ્ધિના બળથી કલ્પી લીધું કે આ મહારે સ્વામી ખરેખર જાતિસ્મરણ જ્ઞાન ધરાવે છે અને તે પૂર્વજન્મમાં કઈ સ્ત્રીથી કદર્થના પામેલો છે, એવો અર્ધ નિશ્ચય થયા બાદ તે વિચક્ષણાએ એક વખત આ ગાથા લખી મેકલાવી-- दहस्स पायसेणं जुत्तं दहियंपि किमिह परिहरिउं। तुच्छोदयसंभविणो नहु दुद्धे पूयरा हुंति ॥६॥
શબ્દાર્થ –દુધથી દાઝેલા મનુષ્યને દહીંને ત્યાગ કરે શું યોગ્ય છે? થડા જલમાં થનારા પિરાઓ શું દુધમાં હોઈ શકે? દા તાત્પર્ય કે એક સ્ત્રી કુલટા અનુભવવામાં આવી. તેથી શું સઘળી તેવીજ છે એમ સંભવ થાય ? નહીં જ
ઉપરની ગાથાને ભાવાર્થ ધારણ કરી સાગરદત્તે પણ એક લેક ઉત્તરરૂપે લખી મેકલ્યો
कुपात्रे रमते नारी गिरौ वर्षति वारिदः । नीचमाश्रयते लक्ष्मीः प्राज्ञः प्रायेण निर्द्धनः ॥७॥ શબ્દાર્થ-સ્ત્રી નીરની સાથે રમણ કરે છે. વર્ષાદિ (જરૂરીઆત શિવાયના) પર્વત ઉપર વધે છે અને ઘણે ભાગે પંડિત પુરૂષ નિધન હોય છે હા તેણીએ ફરીથી એક ગાથા લખી મોકલાવી કે –
पाययदोसो कत्थ व न होइ न हु एत्तिएण तच्चाओ। अणुरतंपि हु संज्झं किं दिवसयरो न भासेइ ॥८॥
Page #222
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુર્ણ વિવરણ. આ શબ્દાર્થ –સ્વાભાવિક છેષ કયાં નથી હોત? માટે એટલા માત્રથી પરિત્યાગ કરે ઘટતું નથી. અનુરાગવાળી સંધ્યાને પણ શું સૂર્ય પ્રકાશિત નથી કરતે પાડા
આ પ્રમાણે તર્ક વિતર્ક કરતાં સાગરદત્તના ચિત્તમાં આનંદ થયે. આ અરસામાં સાગરદત્તને શ્વસુરવર્ગ પાટલીપુત્ર નગરમાં ગયો. સાગરદત્ત પણ વહાણદ્વારા વ્યાપાર કરવા લાગે. વ્યાપાર કરતાં સાત વખત વહાણ ભાગ્યાં અને સઘળું ધન ચાલ્યું ગયું. એ વખતે કૂવામાંથી પાણુ કાઢનાર પુરૂષને સાત વખત નિષ્ફળતા મળવા છતાં આઠમી વખતે પાણી નીકળેલું જોઇ શુકનગ્રંથી બાંધી સિંહલદ્વીપ પ્રત્યે પ્રયાણ કર્યું. માર્ગમાં પ્રબલ વાયરાએ તેનું વહાણ સિંહલદ્વીપને બદલે રત્નદ્વીપમાં પ્રાપ્ત કર્યું. આ વખતે તેને સાર વિનાના કરીયાણાનો ત્યાગ કરી વહાણને રત્નોથી ભરી લીધું. અને ત્યાંથી પાછો ફર્યો, પરંતુ રસ્તામાં ખલાસીઓએ રત્નોના લોભથી તેને સમુદ્રમાં ફેંકી દીધે. પ્રથમ ભાંગેલા વહાણનું પાટીયું મળવાથી સમુદ્રને ઉતરી અનુક્રમે પાટલીપુત્રમાં પહોંચી શ્વસુરવર્ગને મળે. અને વહાણ રત્નદ્વીપમાં પ્રાપ્ત થયું ત્યાંથી માંડી સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. રાજાની આગળ પણ સાગરદત્તે આ હકીકત પ્રથમથી જ જણાવી દીધી. ભાગ્યયોગે તે ખલાસીઓ પણ પાટલીપુત્રમાં આવી પહોંચ્યા. રાજાની આગળ રત્નના ભેદ સંખ્યા અને સ્વામી વિગેરેનો પ્રશ્ન થતાં તેમનું સઘળું પિગળ ખુલ્લું થયું. રાજાએ તે રત્ન સાગરદત્તને અપાવ્યાં. પછી સાગરદત્ત કેટલાએક કાળે તામ્રલિપ્તીમાં પ્રાપ્ત થયે. ત્યાં તેણે વિચાર કર્યો કે ઉપાર્જન કરેલું દ્રવ્ય કે સારા સ્થાનમાં ન ખરચાય, તે તે કલેશ અને દુર્ગતિ વિગેરે ફળનેજ આપનાર થાય છે. તેને માટે કહ્યું છે કે –– लक्ष्मीः सर्पति नीचमर्णवपयः सङ्गादिवाम्भोजिनी ___ संसर्गादिव कण्टकाकुलपदा न क्वापि धत्ते पदम् । चैतन्यं विषसंनिधेरिव नृणामुज्जासयत्यञ्जसा
धर्मस्थाननियोजनेन गुणिभिर्याचं तदस्याः फलम् ॥९॥ શબ્દાર્થ-સમુદ્રજળના સંગથી જ જાણે લક્ષ્મીને નીચ પાસે જવાની ટેવ પડી ન હોય ? કમલિનીના સંસર્ગથી પગમાં લાગેલા કાંટાથી ઉત્પન્ન થતી વ્યથાને લઇને જ જાણે સર્વત્ર અસ્થિર ન હોય? હલાહલ વિષની પાસે રહેવાથી જ જાણે મનબેની સમજ શકિતને લક્ષ્મી નાશ પમાડતી ન હોય તેટલા માટે વિવેકી પુરૂષોએ ધર્મસ્થાનમાં ઉપયોગ કરી લક્ષ્મીને સફળ કરવી જોઈએ લા
ત્યારબાદ મોટા દાનની શરૂઆત કરી ક્યા દેવને સ્થાપન કરવા ઇત્યાદિ વિષયમાં જુદા જુદા મતવાળાઓને પુછ્યું પણ કોઈ સ્થળે એક મત થશે નહીં. તેટલામાં કઈ પ્રમાણિક માણસે જણાવ્યું કે હે ભદ્ર? દેવતાઓ ભાવથી વશ કરી
Page #223
--------------------------------------------------------------------------
________________
^
^
^
૧
૧
સપ્તવિંશતિગુણ વન. * ૧૮૫ શકાય છે. માટે તેના ચિંતન કરવારૂપ સમાધિમાં તત્પર થા. એટલે રત્નાધિષ્ઠાત્રી દેવતા પતેજ નિશ્ચય કહેશે. આ વાત સાંભળી સાગરદત્ત પણ ત્રણ ઉપવાસ કરી ધ્યાનારૂઢ થયો. તેના દ્રઢ નિશ્ચયથી ખેંચાયેલી શાસનદેવીએ જિનપ્રતિમા સ્થાપન કરવા માટે કહ્યું. હર્ષ પૂર્વક સાગરદત્તે તેની માંગણી કરી. દેવીએ ભગવાન પાશ્વનાથ સ્વામિની સુવર્ણમય પ્રતિમા અર્પણ કરી. કાળક્રમે મુનિનો ત્યાગ મળતાં તેણે પ્રશ્ન કર્યો કે આ પ્રતિમા કોની છે? મુનિ તરફથી જવાબ મળ્યો કે વિતરાગની પ્રતિમા છે. સાગરદત્તે ફરી પૂછયું કે તે ક્યાં છે? મુનિઓએ જણાવ્યું કે તે jડવર્ધન દેશમાં છે. આ વાત સાંભળી સાગરદત્ત ત્યાં ગયા. તે વખતે કેવળજ્ઞાનના પ્રકાશથી સાક્ષાત્ સૂર્ય રૂપ શ્રી પાર્શ્વનાથ સ્વામીને સમવસરણુમાં બેઠેલા જોઈ તેણે દ્રવ્ય અને ભાવથી પ્રણામ કર્યા. પછી તેણે દેવના સ્વરૂપની પૃચ્છા કરી. તે અવસરે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપ દ્વારા ભગવાન્ જે જે પ્રકારે દેવનું સ્વરૂપ કહી બતાવે છે, તે તે પ્રકારે વિશેષપણે નિશ્ચયમાં પરાયણ ' થઈ તેણે વિતરાગને દેવપણે જાણ્યા, અને તત્વવૃત્તિથી વીતરાગમાં રૂચિ પ્રગટ થઈ.
लोगुत्तरा खु एए, भावा लोगुत्तराण सत्ताण । पडिभासते सम्मं, इब्भाण व जच्चरयणगुणे ॥१०॥ શબ્દાર્થ –જેમ જાતિવાળા રત્નના ગુણની પરિક્ષા ઝવેરી સિવાય બીજાને હેતી નથી, તેમ જે જે અસાધારણ ગુણ લકત્તર પદાર્થો હોય છે તેનું લકત્તર પ્રાણુઓને સમ્યક પ્રકારે ભાન થાય છે.
ત્યારબાદ તેણે રત્નોથી મંદિર કરાવ્યું અને તેમાં પાશ્વનાથસ્વામિની પ્રતિમા સ્થાપના કરી. હમેશાં ત્રણ વખત પૂજા કરતાં તેને કર્મરાશી નાશ પામ્યો. એ પ્રમાણે દરેક વસ્તુની ખાત્રી કરવા રૂપ માત્ર એક વિશેષજ્ઞ ગુણથી છેવટે ચારિત્ર ગ્રહણ કરી વિશેષ ક્રિયામાં તત્પર થઈ અનુક્રમે કેવળજ્ઞાન પામી ક્ષે ગયે.
હવે ગ્રંથકાર ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશ દ્વારા ફળ બતાવે છે-- एवविधान् विशेषान् यो विज्ञायात्र प्रवर्तते । स धर्म योग्यतामात्मन्यारोपयति सत्तमः ॥११॥ શબ્દાર્થ –ઉપર જણાવેલા વિશે જાણી જે પુરૂષ તેમાં અહીં પ્રવૃત્તિ કરે છે; તે જનશિરમણ પિતાના આત્મામાં ધમની યોગ્યતાને આરેપણ કરે છે.૧૧
| રિ રવિરત્તિતમ પુર
૨૪
Page #224
--------------------------------------------------------------------------
________________
अथ अष्टविंशतिगुण वर्णन.
– –
R
*
મિ૯. વે સતાવીશમાં ગુણનું વર્ણન સમાપ્ત કરી કમથી પ્રાસથ
એલ “કૃતજ્ઞ” ગુણના વિવરણને પ્રારંભ કરે છે.
* * * Ad
રજ્ઞા –તેમજ કરેલું એટલે બીજાએ કરેલા ઉપકારને જે જાણે પરંતુ એાળવે નહી તે કૃતજ્ઞ કહેવાય છે. એ પ્રમાણે વર્તન કરનારને ખરેખર કલ્યાણને લાભ થાય છે. કેમકે કૃતજ્ઞ પુરૂષ ઉપકાર કરનારનું બહુમાન કરે છે. તેને માટે કહ્યું છે કેलब्भइ न सहस्सेसु वि उवयारकरोवि इह नरो ताव । जो मन्नइ उवयरियं सो लक्खे सुंपि दुल्लक्खो ॥१॥ उत्तमअहमवियारे वीमंसह किं मुहा बुहा तुब्भे । अहमो न कयग्घाओ कयन्नुणो उत्तमो नन्नो ॥२॥
શબ્દાર્થ –આ લેકમાં પ્રથમ હજાર મનુષ્યને વિષે પણ ઉપકાર કરનાર મળી આવે દુર્ઘટ છે, પરંતુ પોતાના ઉપર થયેલા ઉપકારને માનનાર તે લાખમાં પણ મળવો મુશ્કેલ છે. ૧. હે પંડિત તમે ઉત્તમ અને અધમના વિચાર કરવા ગ્યા માટે તર્કવિતર્ક કરે છે ? કારણ કે કૃતધ્ર કરતાં બીજે કઈ અધમ નથી અને કતાથી બીજે કઇ ઉત્તમ નથી. . ૨
જે કરેલા ઉપકારને એળવે છે, તે ખરેખર કુતરાની બરોબરી કરી શક્તો નથી તે બદલ કહ્યું છે કેअशनमात्रकृतज्ञतया गुरोर्न पिशुनोऽपि शुनो लभते तुलाम्। अपिबहूपकृते सखिताखले न खलु खेलति स्वे लतिका यथा॥३॥
શબ્દાર્થ –ઉપકારીના ઉપકારને ભૂલી જનાર મનુષ્ય ફક્ત ભેજનના ઉપકારને નહીં ભુલનાર કુતરાની પણ બરોબરી કરી શકતું નથી. વળી જેમ આકા
Page #225
--------------------------------------------------------------------------
________________
અષ્ટવિંશતિગુણ વર્ણન.
૧૮૭ શમાં વેલડી ફેલાતી નથી, તેમ ઘણે ઉપકાર કર્યા છતાં પણ ખેલ પુરૂષમાં મિત્રતા ટકી શકતી નથી. ૩
અહીં તાત્પર્ય એ છે કે, કૃતને ઘણા પ્રકારની આપત્તિમાંથી બચાવ્યો હોય, પૈસાની મદદ કરી હોય આ લોક અને પરલોકના હિત માટે હિતશિક્ષા આપી હોય, એ સિવાય ઘણે ઉપકાર કર્યો હોય, છતાં ઉપકાર કરનારને બદલે વાળ તે દૂર રહ્યો પણ તેનાં છિદ્રો જોઈ તેના ઉપર આપત્તિ લાવવામાં પણ ચુક્તિ નથી. કૂતરે તે એક વખત જેનું અન્ન ખાય છે તેના ઘરની ચાકી ભરે છે, કેઈ અજાણ્યા માણસને ઘરમાં દાખલ થવા દેતા નથી, ચેરેથી પણ બચાવ કરે છે તેથી જ ગ્રંથકારે કૃતધ્વને કૂતરાની બરોબરી કરવાને લાયક પણ ગણ્યા નથી અને તે વાસ્તવીક છે.
આ લોકમાં ઉપકારને ઓળવનાર, ઉપકારને જાણનાર, ઉપકારને બદલે વાળનાર અને કારણુ શિવાય ઉપકાર કરનાર એમ ચાર પ્રકારના પુરૂષો હોય છે. તે માટે કહ્યું છે કે–– अकृतज्ञा असंख्याताः संख्याताः कृतवेदिनः । તોપરિવાર સત્તાવાર હિત્ર નો પરિપઃ છા नहि मे पर्वता भारा न मे भाराश्च सागराः । कृतघ्नाश्च महाभारा भारा विश्वासघातकाः ॥५॥ इहोषरक्षेत्र शरीर शैलतुलां कृतघ्नाः कलयन्ति शश्वत् । सुक्षेत्रनेत्राद्भुतशुक्तिधेनुसमाः कृतज्ञाः प्रथिताः पृथिव्याम् ॥६॥
શબ્દાર્થ –કૃત ગણત્રી વિનાના, કૃત ગણત્રીમાં આવી શકે તેટલા, ઉપકારને બદલે વાળનારા થડા અને પિતાની મેળે ઉપકાર કરનારા બે ત્રણ હોય છે. જ પૃથિવી કહે છે કે, મને પર્વતો કે સમુદ્રનો બોજો નથી, પરંતુ કૃતને અને વિશ્વાસઘાતકે મોટા બજારૂપ છે. જે ૫ આ દુનીયામાં કૃતને હમેશાં ઉખરક્ષેત્ર, શરીર અને પર્વતની બરાબરીમાં મુકાય છે અને કૃતજ્ઞ શ્રેષક્ષેત્ર, ચક્ષુ, આશ્ચર્યકારી છીપ અને તત્કાળ પ્રસૂત ગાય જેવા દુનીયામાં પ્રસિદ્ધ છે. ૬
આલેકને તાત્પર્ય એ છે કે, જેમ પાણી પવન તાપ વિગેરે અનુકુળ સામગ્રીને જેગ મળ્યા છતાં ઉમરભૂમિમાં વાવેલું ઉત્તમ બીજ નિષ્ફળ જાય છે અને ખેતી કરવા રૂપ કષ્ટ શિવાય કાંઈ પ્રાપ્ત થતું નથી, તેમ કૃતન પુરૂષને સંપુર્ણ સામગ્રી મળ્યાં છતાં હિત બુદ્ધિથી તેનામાં આપણે કરેલા તત્ત્વાદિ વિચારે નિષ્ફળ થાય છે. વળી જેમ શરીરનું નિરંતર નાના પ્રકારની વસ્તુઓથી ગમે તેટલું
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૮૮
શ્રાદ્ધગુણ વિવરણ પોષણ કરવામાં આવ્યું હોય તે પણ આખરે પિષણ કરનારને દગો દીધા વગર રહેતું નથી. તેમ કૃતધ્ધ પુરૂષનું પરમાર્થ વૃત્તિથી આજીવિકા વિગેરે પુરી પાડી ગમે તેટલું પોષણ કરવામાં આવ્યું હોય, તો પણ તેના ઉપર ઉપકાર કરનારને ઉપકારનો બદલે આપ તે દૂર રહો, પરંતુ અવસર આવે તે દુષ્ટ માણસ દગો દીધા વિના રહેતે નથી. વળી જેમ પર્વત પત્થર, કાંટા, વિકટ ઝાડી, વિષમ માર્ગ અને વ્યાધ્રાદિ કુર પ્રાણુઓનું સ્થાન હોવાને લીધે હમેશાં ભય આપનાર હોય છે, તેમ કૃતઘ્ન પુરૂષ ઉપકાર કરનારને તમેએ અમુક કાર્ય રાજવિરૂદ્ધ કર્યું છે તેને હું બહાર લાવીશ વિગેરે ખોટી ધમકી આપી હમેશાં ભય આપવામાં બાકી રાખતા નથી. આથી વિપરીત સ્વભાવવાળ કૃતજ્ઞ પુરૂષ તો કઈ વખત પણ ઉપકાર કરનારના ઉપકારને ભુલતા નથી અને ગમે તેવી આપત્તિ આવી પડે તે પણ સારા ક્ષેત્ર વિગેરેની પેઠે ઉત્તરોત્તર ઉત્તમ ફળને જ આપનારે થાય છે.
જેની ઉપકાર કરવામાં હમેશાં બુદ્ધિ છે તે અને બીજે પિતાના ઉપર કરેલા ઉપકારને કદી ભુલ નથી એવા આ બન્ને પુરૂષને પૃથિવી ધારણ કરે છે, અથવા તો આ બે પુરૂષોએ પૃથ્વીને ધારણ કરી છે. કૃતજ્ઞ પુરૂષે થોડા ઉપકારને પણ ઘણે કરી માને છે, જેમકે જંગલમાં ક્ષીરામલકને આપનાર ભીલને રાજાએ મહાન ઉપકાર માન્યો હતો, તેનું દ્રષ્ટાંત નીચે મુજબ છે.
વસંતપુરનગરમાં જિતારી નામને રાજા હતે. એક વખત સભામાં બેઠેલા રાજાને દ્વારપાલે વિજ્ઞપ્તિ કરી કે હે રાજન? બહુ દૂર દેશથી આવેલા સુવર્ણની છડી જેના હાથમાં છે' એવો એક ઘેડાને વેપારી દરવાજા ઉપર ઉભે છે. આ પ્રમાણે કહે છતે રાજાએ તેને સભામાં બોલાવ્યા. તે સદાગર રાજાને પ્રણામ કરી રાજાની આજ્ઞા મળતાં આસન ઉપર બેઠે. એટલે રાજાએ પુછયું કે હે ભદ્ર? કયા
ક્યા દેશના કયા ક્યા નામવાળા કેટલી સંખ્યાવાળા કયા ક્યા ઘેડા લાવ્યું છે તે કહી બતાવ. ઘેડાના વેપારીએ જણાવ્યું કે-કબેજ, સિંધુ, પારસ અને વાલ્હીક વિગેરે દેશોના અને કર્ક, શ્રીવત્સ, ખુંગાહ, સરાહ, કિયાહ, હરિત, દુદત્રાહ, કુલાઈ, નીલ, હલાહ, કવિલ, અષ્ટમંગળ અને પંચભદ્ર વિગેરેનામવાળા ઘોડાઓ છે. હે રાજન વિશેષ શું કહું?એકેક જાતિના સા ઘેડાઓ છે. અને તે સઘળા સર્વ લક્ષણો થી શોભિત તેમજ કેળવાએલા છે. ત્યાર બાદ રાજા મંત્રીવિગેરેની સાથે જોવા માટે છેડાઓની જગ્યા ઉપર ગયે. ત્યાં સઘળા ઘોડાઓ જોયા. તેમાંથી કોઈ એક લક્ષણયુક્ત ઘેડા ઉપર પરીક્ષા કરવા માટે પોતે જ સ્વાર થયે, અને તેની પાસે પાંચ પ્રકારની ગતિ કરાવી વેગની પરીક્ષા વખતે કાનની વચ્ચે હણ્યો કે તરતજ ત્યાંથી ઉછળે અને એવી ગતિથી ચાલ્યું કે એક પ્રહરમાં બાર યોજન નિકળી ગયે. આ ઘોડો વિપરીત શિક્ષા પામેલો હશે એમ ધારી રાજાએ લગામ છોડી દીધી ને ઘેડો ત્યાં જ
Page #227
--------------------------------------------------------------------------
________________
અષ્ટવિસતિગુણુ વર્ણન.
૧૮૯ ઉભો રહ્યો. એટલે રાજા નીચે ઉતર્યો. બબર મધ્યાન્હ વખતે તુષાથી પિડિત થએલા રાજાએ પાણીની તપાસ કરતાં એક ભિલને જોઈ મંદ સ્વરથી કહ્યું કે હે ભિલૂ! તુષાથી પિડિત થએલા અને પાણી દેખાડ. ભિલ્લ પણ રાજાની આકૃતિથી વિસ્મય પામેલો પ્રણામ કરી છે કે હે રાજન્ ! હું જ્યાં સુધીમાં પાણી લાવું છું ત્યાં સુધીમાં તૃષાને દૂર કરનાર આ ક્ષીરામલકને મુખમાં રાખે. એમ કહી પતે પાણી લેવા ગયે. રાજા પણ એક વૃક્ષની છાયાને આશ્રય લઈ વિચાર કરવા લાગે કે આ ભિલ્લનું પપકારપણું કેવું આશ્ચર્યજનક છે? આ ઉપકાર કરનાર ભિલુનું શું કાર્ય કરી તેમજ શું આપીને એના કરજથી મુક્ત થઈશ, એવો વિચાર કરે છે તેટલામાં તે ભિલ્લ કમલિનીના પડીયામાં પાછું લઈને આવી પહેર્યો અને તેણે હાથ પગ અને મુંબનું શેચ કરાવ્યું. તે પછી પવિત્ર, નિર્મળ અને શીતળ જળથી રાજાને ધીરજ આપી. જેટલામાં રાજા ભિલને કાંઈક કહેવા જાય છે તેટલામાં પછવાડે રહેલું સૈન્ય આવી પહોંચ્યું. આ વખતે રાજાને જોઈ સઘળાઓને આનંદ પ્રાપ્ત થયો. રાજાએ તેઓની આગળ પ્રથમની સઘળી હકીક્ત કહી સંભળાવી અને વિશેષમાં કહ્યું કે તેવા અણીના વખતમાં આ ભિલે આપેલા ક્ષીરામલકની બરોબરી કરવામાં મ્હારૂં સપ્તાંગ રાજ્ય પણું સમર્થ નથી, તે પણું હાથી ઉપર બેસાડી આ ભિલ્લને નગરમાં પહોંચાડે. રાજા પણ મહેટા મહત્સવ પૂર્વક નગરમાં પ્રાપ્ત થશે, ત્યાં તે ભિશ્વને તેલમર્દન, સ્નાન, વિલેપન વિગેરેથી ઘણે સત્કાર કર્યો. અને ઘણા કાળ સુધી પોતાની પાસે સુખમાં રાખે. કેઈ વખતે વર્ષાકાળમાં વનનું સ્મરણ થવાથી તે ભિન્ન ત્યાં જવા ઉત્સુક થયે. તેણે અનેકવાર સમજાવ્યું પણ જ્યારે તે રહેવાને કબુલ ન થયે ત્યારે રાજાએ સાથે જઈ ભિલ્લનું નગર સ્થાપન કરી રાજ્યાભિષેક પૂર્વક તે ભિલ્લને રાજગાદી ઉપર બેસાડો. અને પ્રથમ આપેલા હાથી ઘોડા વિગેરે સઘળું તેને અર્પણ કર્યું, એ પ્રમાણે કૃતાર્થ થઈ રાજા પિતાના નગરમાં પ્રાપ્ત થયે. કેટલાક કાળે તે ભિલ્લ રાજા પણ મહા પ્રતાપી થયે. આ દુનિયામાં ઉત્તમ પુરૂષોના ઉપકારનું માહાસ્ય કયે પુરૂષ વર્ણન કરવાને સમર્થ થઈ શકે? કઈ પણ નહીં.
ખરી રીતે તે તે કૃતજ્ઞ કહી શકાય કે જે ધર્મ પ્રત્યે ઉપકારક છે. ધર્મ પ્રત્યેને ઉપકાર તે ધર્મ સંબંધી વિરૂદ્ધને ત્યાગ કરવાથી થાય છે. તે ધર્મ વિરૂદ્ધ પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે છે.
આસવદ્વારમાં પ્રવૃત્તિ, ધર્મકાર્ય કરવામાં અનાદર, મુનિઓ ઉપર દ્વેષ, દેવદ્રવ્યને ઉપભેગ, જિનશાસનું ઉપહાસ, સાધ્વીઓને સંગ કરવામાં સાહસિકપણું, કૌલાચાર્ય (શાતિક) ના ઉપદેશમાં રૂચી, વિરતિને ત્યાગ, ગુરૂ, સ્વામી, ધાર્મિક સુખી, સ્વજન, યુવતિ અને વિશ્વાસને ઠગવાને પ્રયત્ન, બીજાની સમૃદ્ધિ જોઈ અ
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૯૦
શ્રાદ્ધગુણ વિવરણ,
દેખાઇ કરવી, હદ વિનાના લાભ કરવા, મૂળ અને દેશને અનુચિત વસ્તુના હુમેશાં વિક્રય કરવા, હૃદયની નિર્દયતા અને ખર કર્મમાં પ્રવૃત્તિ.
વળી શા માટે અહીં આટલા બધા આગ્રહ કરવા જોઇએ. એવુ કહેનારને માટે કહ્યું છે કે-
कुलरूवरिद्धिसामित्तणाइ पुरिसस्स जेणमुवणीयम् । धम्मस्स तस्स जुज्जइ कह नाम विरुद्धमायरिउम् ॥ ७ ॥ શબ્દા :—જે ધમે પુરૂષને કુળ, રૂપ, સમૃદ્ધિ અને સ્વામિત્વ વિગેરેની પ્રાપ્તિ કરાવી છે તેવા ધમ થી વિરૂદ્ધ આચરણ કરવુ તે કેવી રીતે ચાગ્ય કહી શકાય ? ન જ કહેવાય. u u
તે માટે કાઇએ કહ્યું છે કે-
==
येनानीतः कुलममलिनं लम्भितश्चारुरूपं
श्लाघ्यं जन्म श्रियमुदयिनीं बुद्धिमाचारशुद्धिम् । पुण्यान् पुत्रानतिशयवतीं प्रेत्य च स्वःसमृद्धिं
धर्मं नो चेत्तमुपकुरुते यः कुतोऽसौ कृतज्ञः ॥ ८ ॥
શબ્દા:જે ધમ નિળ કુળ, સુંદર રૂપ, પ્રશંસા કરવા લાયક જન્મ, ઉદયવાળી લક્ષ્મી, બુદ્ધિ, આચારની વિશુદ્ધિ, પવિત્ર પુત્રા અને પરલેાકમાં ઉત્કૃષ્ટ સ્વર્ગની સમૃદ્ધિને પ્રાપ્ત કરાવે છે, તેવા ધર્મને જે ઉપકાર નથી કરતા તે કૃતજ્ઞ રોના કહેવાય ? ન જ કહેવાય ॥૧॥ આ હેતુથી જે ધર્મને ઉપકાર કરનાર હેાય છે, તેજ કૃતજ્ઞ કહેવાય છે. વળી કહ્યું છે કે:~
विद्वांसः शतशः स्फुरन्ति भुवने सन्त्येव भूमिभृतो
वृत्तिं वैनयिकीं च विभ्रति कति प्रीणन्ति वाग्भिः परे । दृश्यन्ते सुकृतक्रियासु कुशला दाताऽपि कोऽपि क्वचित्
कल्पोर्वीरुहवनेन सुलभः प्रायः कृतज्ञो जनः ॥ ९॥
શબ્દા : આ દુનિયામાં સેંકડા વિદ્વાના સ્કુરાયમાન છે, કેટલાએક રાજાએ છે. કેટલાએક વિનયવાળી વૃત્તિને ધારણ કરનારા છે, કેટલાએક સુંદર વાણીવર્ડ ખુશી કરનારા છે, કેટલાએક પુણ્ય ક્રિયામાં કુશળ દેખાય છે અને વનમાં ક્લેપવૃક્ષની જેમ કાઇક ઠેકાણે દાતા પણ હેાય છે, પરંતુ પ્રાયે કરીને કૃતજ્ઞ પુરૂષ મળ દુર્લભ હેાય છે. ૫ ૯૫
Page #229
--------------------------------------------------------------------------
________________
અવિશતિગુણુ વર્ણન
૧૯૧
હવે પ્રસ્તુત ગુણુની સમાપ્તિ કરતાં ગ્રંથકાર ઉપદેશદ્વારા ફળ બતાવે છે— मनस्विनः प्रत्युपकारमेकोपकारिणो लक्षगुणं सृजन्तः । कृतज्ञचूडामणयो गृहस्थधर्मार्हतामात्मनि योजयन्ति ॥ १० ॥
શબ્દા: એક ઉપકાર કરનારના લાખગુણા પ્રત્યુપકાર કરનારા એવા સમજદાર અને કૃતજ્ઞામાં મુકુટ સમાન પુરૂષષ પેાતાના આત્મામાં ગૃહસ્થ ધર્મોની લાયકાત સપાદન કરે છે. । ૧૦ ।
॥ इत्यष्टाविंशतितमो गुणः
Page #230
--------------------------------------------------------------------------
________________
एकोन्त्रिंशत्गुण वर्णन.
વે ગ્રંથકાર મહારાજ ક્રમથી પ્રાપ્ત થએલા “લેક વલ્લભ” નામના ઓગણત્રીશમા ગુણનું વર્ણન કરે છે–
જોવાવમા–વળી લેકેને એટલે શ્રેષ્ઠ પુરૂષને દાન અને વિનય વિગેરે ગુણોથી જે વહૃભ હોય, તે લેકવલ્લભ કહેવાય છે. આ લેકમાં ક્યો પુરૂષ ગુણવાન પ્રત્યે પ્રીતિવાળે નથી હોત? જનવલ્લભપણું છે તેજ સમ્યકત્વ વિગેરેના સાધનમાં પ્રધાન અંગ ગણાય છે. તે માટે શ્રીહરિભદ્રસૂરિ મહારાજ પણ કહે છે કે
સના વર્ણ, ગદિગં વામ ધીયા વસ” સર્વજન વલ્લભપણું, અનિદિત કર્મ અને કચ્છમાં ધીરતા એ સમ્યકત્વાદિના સાધનમાં પ્રધાન અંગ ગણેલું છે. વળી જે કપ્રિય નથી હેતે તે ફક્ત પોતાના સમ્યકત્વના નાશ કરવામાં કારણ ભૂત છે એમ નહીં પરંતુ બીજાઓથી પોતાની ધર્મકિયાને દૂષિત કરાવતે બીજાએના સમ્યકત્વના નાશ કરાવવામાં પણ કારણભૂત થાય છે. લોકવશ્વભપણને ઈચ્છા રાખનાર મનુષ્ય આ લોક, પરલોક અને ઉભયલોકના વિરૂદ્ધ કાર્યોને પરિત્યાગ કરવો જોઈએ. આ લોક વિરૂદ્ધ બીજાની નિંદા વિગેરેને કહે છે. તેમાટે કહ્યું છે કે – सव्वस्स चेव निंदा विसेसओ तह य गुणसमिद्धाणम् । उजुधम्मकरणहसणं रीढा जणपूअणिज्जाणम् ॥ १ ॥
શબ્દાર્થ સઘળાની નિંદા, અથવા તે વિશેષ કરી ગુણવાન પુરૂષની નિદા, સરલ મનુષ્યની ધમકરણનો ઉપહાસ અને લોકમાં પજ્ય એવા મહાત્મા ઓની અવજ્ઞા કરવી. આ સઘળાં આ લેક વિરૂદ્ધ ગણાય છે. તેવા
પરલોક સંબંધી વિરૂધ્ધો આ પ્રમાણે છે–પુરોહિતપણું, રાત્રિએ (સ્વેચ્છાએ) બમણુ કરવું, ગામનું નાયકપણું, અધિકારપણું, મઠનું અધ્યક્ષપણું, અસત્ય વચન,
Page #231
--------------------------------------------------------------------------
________________
એકાત્રિ શણ વર્ણન
૧૭
સાક્ષી આપવી, ખીજાનું અન્ન ખાવુ, ધી ઉપર દ્વેષ રાખવા, દુર્જન ઉપર પ્રેમ રાખવા અને પ્રાણીઓ ઉપર નિર્દયતા રાખવી એ સર્વે હે મહાદેવ (શિવ) મને દરેક જન્મમાં પ્રાપ્ત ન થાઓ.
ઉભય લેાક વિરૂદ્ધ નીચે પ્રમાણે છે—
द्यूतं च मांसं च सुरा च वेश्या पापर्द्धि चौर्य परदारसेवा । एतानि सप्त व्यसनानि लोके घोरातिघोरं नरकं नयन्ति ॥२॥ इहैव निन्द्यते शिष्टैर्व्यसनासक्तमानसः ।
मृतस्तु दुर्गतिं याति तत्राणो नराधमः ॥
३ ॥
શબ્દા :—જૂગાર ખેલવા, માંસનુ... ખાવું, મદિરાનુ પાન કરવુ, વેશ્યાગમન કરવુ, શિકાર કરવા, ચારી કરવી, અને પર્સીગમન કરવુ એ સાત લાફામાં વ્યસન ગણાય છે. અને તે ભયંકરમાં ભયંકર નરક પ્રત્યે મનુષ્યાને ખેં'ચી જાય છે. ॥ ૨ ॥ વ્યસનામાં આસકિત રાખનાર આ લાંકમાંજ શ્રેષ્ઠ પુરૂષાથી નિદ્વાય છે. અને શરણુ રહિત તે નરાધમ મરીને દુર્ગતિમાં જાય છે. ૫૩૫
અહીં અભિપ્રાય આ પ્રમાણે છે. ઉપર જણાવેલાં લેાકેાને પરાડૂ,મુખ કરવામાં કારણભૂત આ લેાક, પરલેાક અને ઉભય લેાક વિરૂદ્ધ કાર્યોને ત્યાગ કરનારાજ લાકપ્રિય થાય છે. અને વિશેષધના ( ગૃહસ્થધર્મના) અધિકારી પણ તેજ
થઇ શકે છે.
અથવા ઉત્તમ, મધ્યમ અને અધમરૂપ લેાક તેને જે વલ્રભ એટલે માન્ય હાય તે લેાક વધુભ કહેવાય છે. તેવા પુરૂષ પિતાની પેઠે હિતકાર્યમાં જોડનાર, માતાની પેઠે વાત્સલ્ય ( નિષ્કપટપ્રેમ ) કરવામાં તત્પર, સ્વામીની પેઠે સ ઠેકાણે રક્ષા કરનાર, ગુરૂની પેઠે સર્વ કાર્ય માં પુછવા લાયક, આફત આવી પડતાં ચાદ કરવા લાયક અને સર્વ ઠેકાણે સર્વ કાર્યેામાં સુખ અને દુ:ખમાં અભયકુમારની પેઠે સહાય કરનાર હોય છે. તેમાં સર્વ ઠેકાણે યથાયેાગ્ય વિનય, હિતકારી ઉપદેશનું આપવું અને ખીજાના કાર્યોનુ કરવાપણુ વિગેરે ગુણા વડે પ્રાપ્ત થનાર ધર્મની ચેાગ્યતાનું મુખ્ય સાધન જન‰ભતા ગણાય છે. તે વિષયમાં શ્રી અભયકુમાર મત્રિનું ઉદાહરણ નીચે લખી ખતાવવામાં આવે છે:
નવલાખ ગામેાથી મનેાહર એવા મગધદેશમાં રાજગૃહ નામનું નગર છે; ત્યાં સમ્યકૂપ્રકારે સમ્યકત્ત્વને ધારણ કરનાર શ્રેણિક નામના રાજા હતા. વિનયવાન, વિવેકી, ત્યાગી, કૃતજ્ઞ, કૃપાળુ, અને નીતિ, પરાક્રમ અને ધર્મના મૂર્ત્તિમાન
૨૫
Page #232
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણ વિવરણ સમુદાય જાણે ન હોય એ તેને પિતાને પુત્ર અભયકુમાર મંત્રી હતા. તેને આખા રાજ્યને કારોબાર સેંપી શ્રેણિકરાજા ચેલણ દેવીની સાથે વિલાસમાં નિમગ્ન થયે. એટલામાં હેમંતરૂતુ શરૂ થતાં ત્યાં ભગવાન મહાવીરસ્વામી પધાર્યા. કેઈ વખતે મધ્યાન્હ પછી ચેલ્લ| સહિત શ્રેણિક રાજા ગુણશીલ ચૈત્યમાં ભગવાનને વંદન કરી ત્યાંથી પાછા ફરતાં નદીના કિનારા ઉપર વસ્ત્રરહિત અને કાયોત્સર્ગમાં રહેલાં એક મુનિને જોઈ તત્કાળ વાહનથી ઉતરી ચેલૂણાની સાથે શ્રેણિકે તે મુનિને પ્રણામ કર્યા અને પછી પિતાને સ્થાને પ્રાપ્ત થયું. ત્યાં સાયંકાળનું આવશ્યક કર્મ કરી વાસભુવનમાં દાખલ થઈ સુખરૂપ નિદ્રામાં તત્પર થયે. આ અવસરે નિદ્રાને આધિન થએલી ચેલૂણા રાણીને હાથ એઢેલા કપડાથી બહાર નીકળી ગયો અને તે ટાઢથી વીંછીના ડંખની પેઠે પીડિત થયે. તેથી જાગેલી ચેલુણારાણીએ નદીના કિનારા ઉપર કાયોત્સર્ગમાં રહેલા મુનિને યાદ કરી બેલી કે–તે કેવી હાલતમાં હશે ? પછી કપડાથી હાથને ઢાંકી દીધો અને સુખેથી સુઈ ગઈ. તે પછી તેનાં આ વાક્યને સાંભળી કુપિત થએલા રાજાએ વિચાર કર્યો કે ખરેખર આ રાણી વ્યભિચારણું છે. તેથી સંકેત કરનાર કેઈપણ યારને સ્મરણમાં લાવી આ પ્રમાણે બોલે છે. એ પ્રમાણે કોપાયમાન થયેલા રાજાએ જાગરૂક અવસ્થામાં જ બાકી રહેલી રાત્રિને ગુમાવી. સૂર્યના ઉદય થતાં ચેહૃણાને અંતેઉરમાં વિસર્જન કરી, અભયકુમારને કહ્યું કે-અરે અભયકુમાર ! અંતેઉરનો નાશ થયો છે. તે માટે અંતેઉરના દ્વારેને બંધ કરી તમામ બાજુના મુખવાળા અગ્નિને લગાડજે. પરંતુ માતાના સ્નેહથી મેહિત હદયવાળો થઈ હારી આજ્ઞાનું ઉલ્લુઘંન કરતો નહીં. એ પ્રમાણે અભયકુમારને આદેશ કરી રાજા ભગવાન મહાવીરસ્વામીને વંદન કરવા ગયે. એટલે નિપુણ અને નિશ્ચય મતિવાળા અભયકુમારે પણ વિચાર કર્યો કે-હારી સર્વે માતાઓ સતીમાં તિલ સમાન છે. તે પણ કોઈ કારણથી પૂજ્ય પિતાએ આ અસંભવિત કાર્યની સંભાવના કરી છે. તેમજ પિતાને કેપ પણ પર્વતની નદીના પુરની પેઠે દુર્નિવાર્ય છે. એ વગર વિચારે કરેલું કાર્ય દુઃખદાયક થાય છે. તે માટે કહ્યું છે કે-- सगुणमपगुणं वा कुर्वता कार्यमादौ परिणतिरवधार्या यत्नतः
geતેના अतिरभसकृतानां कर्मणामाविपत्तेर्भवति हृदयदाही शल्यतु
ત્યો વિપાવર | ૪ -
Page #233
--------------------------------------------------------------------------
________________
એકેત્રિશતગુણ વર્ણન. શબ્દાથે ગુણવાળું અથવાતે ગુણવગરનું કાર્ય કરનાર પંડિતે પ્રથમ યત્ન પૂર્વક પરિણતિ (વિપાક) ને વિચાર કરે જોઈએ, ઘણી ઉતાવળથી કરેલા કાર્યને વિપાક વિપત્તિ પર્યત શલ્ય પેઠે હૃદયને દાહ કરનાર થાય છે. તે ૪
તેથી હાલ આ અશુભકાર્ય કરવામાં કાળ વિલંબ કરીશ. એ પ્રમાણે વિચાર કરી અભયકુમારે એક જુની હસ્તિશાળા સળગાવી અને નગરમાં ઉદ્દઘોષણા કરાવી કે અંતિઉર સળગ્યું છે. તે પછી તેણે ભગવાન્ મહાવીરસ્વામી તરફ પ્રયાણ કર્યું એટલામાં સમવસરણમાં ધર્મકથા પૂર્ણ થતાં રાજાએ સર્વજ્ઞને વિજ્ઞપ્તિ કરીકે હે ભગવાન ? ચેત્રુણદેવી એક પતિ વાળી છે કે અનેક પતિ વાળી છે? ભગવાને ઉત્તરમાં જણાવ્યું કે ચેડારાજાની પુત્રી આ ચેલ્લણદેવી શીલરૂપ અલંકારને ધારણ કરનારી છે તેથી હે પાર્થિવ? આ વિષયમાં મન થકી પણ તમો ખરાબ વિચાર કરતા નહીં. આ બીના સાંભળી ભગવાનને નમસ્કાર કરી પશ્ચાતાપ કરતો રાજા એકદમ નગરની સન્મુખ ચાલ્યું. માર્ગમાં તેને અભયકુમાર મલ્યો. તેને પુછયું કે તેં અંતેઉર બન્યું કે નહીં? અભયકુમારે વિનંતિ કરી કે હે રાજન્ ? આ દુનિ યાની અંદર જીવવાને અથી કયો પુરૂષ તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે ! તે પછી દ્વેષયુક્ત થયેલ રાજા બે કે “રે દુષ્ટ ! માતાના સમુહને બાળી તેમાં તે પણ કેમ ન પ્રવેશ કર્યો?” અભયકુમારે જવાબ આપે કે-“હે તાત? જિના વચન શ્રવણ કરનાર એવા તમારા પુત્રનું આવા પ્રકારનું મરણ ન થાય. જે તે વખતે આપ પિતાશ્રીએ તેવી આજ્ઞા કરી હોત તો તે પણ હું કરત.”પરસ્પર આવી વાત ચાલે છે એટલામાં રાજાને દુખે કરી મૂર્છા આવી તેને ચંદન વિગેરેથી સ્વસ્થ કરી અભયકુમારે વિજ્ઞપ્તિ કરી કે-“હે દેવ! અંતેઉરમાં અગ્નિ નાખ્યો હતો પણ હારી માતાના શીળરૂપ જળથી ઓલવાઈ ગયે. અશુભ મૂહુર્તના સંયોગથી આપનું ફરમાવેલું કાર્ય નિષ્ફળ થયું.” એવું નિવેદન કર્યા બાદ જીર્ણ હસ્તિશાળા બાળવા વિગેરેને વ્યતિકર કહી સંભળાવ્યે તેથી ખુશી થએલા રાજાએ આલિંગન કરી કહ્યું કે “વર માગ ઉત્તરમાં અભયકુમારે જણાવ્યું કે “તમારા પુત્રપણે અને મહાવીર સ્વામીના સુશ્રાવકપણાને પ્રાપ્ત થએ છતે હવે હારે બીજું શું બાકી છે? કે જેને આપવા માટે પિતા અભિલાષા રાખે છે. તેપણુ અવસર આવે સાધુધર્મને અંગીકાર કરું તે વખતે આપે મને અનુમતિ આપવી” શ્રેણીક રાજાએ એ વાતને સ્વીકાર કરી ચેત્રુણાના ભવનમાં પ્રાપ્ત થયું. તે પછી રાજા વિચાર કરવા લાગ્યા કે “પહેલાં પણ ચેલૂણું હારા હૃદયની વલ્લભા હતી. હમણાં તો શ્રી મહાવીરસ્વામીએ તેણીના શીલનું વર્ણન કરવાથી વિશેષ પ્રકારે મને પ્રિય થઈ પડી છે. તેથી જ્યાં સુધી હારી બીજી રાણુઓથી ચેલૂણા માટે કાંઈ પણ વિશેષ ન કરી શકાય ત્યાંસુધી મ્હારા મનને નિવૃત્તિ નહીં થાય.” આ પ્રમાણે વિચાર કરી અભકુમારને કહ્યું
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૯૬
શ્રાદ્રગુણ વિવરણ.
કે“ હે વત્સ ! તું જાણે છે કે મ્હારા ચેલ્રણા ઉપર અસાધારણ મમત્વ ભાવ છે તે માટે મ્હારી પ્રસન્નતાના સૂચક એક સ્થંભીએ મહેલ આ ચેન્નૈણા માટે તૈયાર કરાવ કે જેથી તે મહેલમાં સુખપૂર્વક રહી શકે.” અભયકુમારે પણ જણાવ્યું કે હે દેવ ! આ કાર્ય થએલુંજ છે” એમ કહી હુશીયાર સુથારને વનમાં જવાના આદેશ આપ્યા વનમાં પરિભ્રમણ કરતા સુથારે એક લક્ષણવાળુ વૃક્ષ જોયુ અને વિચાર કર્યો કે–આ વૃક્ષ પ્રસ્તુત્ત કાર્ય ને યાગ્ય છે. પરંતુ અભયકુમારે પૂજા અને પ્રણિધાન પૂર્વ કે આવા પ્રકારના વૃક્ષનું ગ્રહણ કરવાનું કહેલું છે. તેથી સુત્રધારે ઉપવાસકરી ઉત્તમ ગંધ, પુષ્પ અને નૈવેદ્ય વગેરેથી પૂજા કરી ખેલ્યા કે રાજાના આદેશથી આ વૃક્ષને હું પ્રાત:કાળમાં કાપીશ. તે માટે આ વૃક્ષમાં જે કાઈ રાક્ષસ અથવા તા ચક્ષ ગધવ કે ગણુ વસતા હાય તા તે મ્હારા ઉપર પ્રસન્ન થઇ આ વૃક્ષને ઈંઢવા માટે હુકમ આપે. એ પ્રમાણે પ્રાર્થના કરી સુત્રધાર સુઇ ગયા એટલે તે વૃક્ષમાં રહેનાર વ્યંતરે વિચાર કર્યો કે—અભયકુમારના વિવેક અને વિનય કેવા આશ્ચર્યજનક છે ? જો અભયકુમારના આદેશથી આ સુત્રધારે ઉપર પ્રમાણે ન કર્યું હોત તા મ્હારા કોપરૂપ પ્રદીપમાં પતંગીયાપણાને પ્રાપ્ત થયા હોત પરંતુ ઉત્તમ પુરૂષા વગર વિચાર્યું કરનારા હાતા નથી. એ પ્રમાણે વિચાર કરી મધ્યરાત્રીમાં જઇ અભયકુમારને કહ્યુ કે—વિનય અને પૂજા વગેરેથી હું તુષ્ટ થયા છેં. તેથી સર્વ રૂતુના ફળ અને ફુલવાળા વનખંડથી સુશેાલિત એક સ્થંભીયા મહેલ હુજ અનાવીશ માટે સુત્રધારાને ઝાડ કાપવાના કામથી એકદમ નિવન કરો. અભયકુમારે પણ જંતરના વચનથી સૂત્રધારાને તે કામ કરતાં અટકાવ્યા એટલે દેવતાએ એકસ્થભીયા મહેલ તૈયાર કર્યો. અભયકુમારે પણ શ્રેણીકને વિન ંતિ કરી એટલે તરત તેવા પ્રકારના મહેલને જોઇ આશ્ચર્યથી વિકસિત વદનવાળા શ્રેણિક રાજા અભયકુમારને પુછ્યુ કે આવા પ્રકારનો મહેલ કેવી રીતે થયા ? અભયકુમારે ઉત્તરમાં સઘળા યથાર્થ વૃત્તાંત કહી સંભળાવ્યા. તે પછી ચલણા રાણીને તે મહેલમાં રાખી અને કહ્યુ કે–વિદ્યાધરીની પેઠે મરજી મુજખ વિલાસ કરતી હું સુદરી ! આ ઠેકાણે રહી તું ધર્મ, અર્થ અને કામરૂપ પુરૂષાર્થ વડે પેાતાના જન્મને સફળ કર. આ તરફ અભયકુમાર પણ ગ્રહણ કર્યા પ્રમાણે ગૃહસ્થેધમ નું પાલન કરે છે. કઈ અવસરે રાજાએ રાજ્ય આપવા માંડયુ. પણ સ ંતેષપરાયણ અભયકુમારે તેને સ્વીકાર નહીં કરતાં વિચારવા લાગ્યા કે જો હું ચરમ ( છેલ્લા ) રાજિષ થઉ તા રાજ્યને ગ્રહણ કરૢ પરંતુ આ વાતનો નિશ્ચય તે ભગવાનને પુછવાથી થઈ શકશે એમ વિચારે છે એટલામાં ભગવાન મહાવીર સ્વામી પશ્ચિમ દેશથી વીતભયપત્તનના નરેશ ઉદાયનને દીક્ષા આપી રાજગૃહમાં પધાર્યા. અભયકુમાર પણ પાતાના પરિવાર સાથે જિનેશ્વરને વદન કરવા માટે ગયા અને ત્યાં અવસર મળતાં ભગવાન
Page #235
--------------------------------------------------------------------------
________________
એનિત્રિશતગુણ વર્ણન
મહાવીર સ્વામીને પુછયું કે હે ભગવન્ ! આ ભરત ક્ષેત્રમાં છેલ્લો રાજર્ષિ કેશુ થશે ? ઉત્તરમાં ભગવાને જણાવ્યું કે-આ ઉદાયન ચરમ રાજર્ષિ છે. હવે પછી આ ઉદાયનથી મોટા કે તેના સરખા રાજાએ દુષમ કાળના પ્રભાવથી સાધુવ્રતને અંગીકાર કરશે નહીં, આ વાત સાંભળી સંસારના ભયથી ભયપામેલા અભયકુમારે રાજાના પગમાં પડી પ્રથમ અંગીકાર કરેલું વર રાજા પાસે માંગ્યું. હે તાત! આટલા દિવસ સુધી ચરમ રાજર્ષિપણાની ઈચ્છારાખનાર હારા વડે વ્રત ગ્રહણ કરવા માટે આગ્રહ કરાયો નથી. પરંતુ હમણાં તેવા પ્રકારની ભવિતવ્યતાના
ગથી મને રાજર્ષિપણું પ્રાપ્ત થવાનું નથી. માટે જે આ૫ પિતાશ્રી મને અનુમતિ આપે તે હમણાંજ ભગવાન મહાવીર સ્વામી પાસે હું મુનિવ્રત અંગીકાર કરું. અભયકુમારની આ વાત સાંભળી શકાકુળ હૃદયવાળા શ્રેણિક રાજાએ કહ્યું કેહે વત્સ! તારા જેવા ઉત્તમ પુરૂષોને એમ કરવું યંગ્ય છે. પરંતુ મહારા રાજ્યનાં સંપૂર્ણ રાજ્યકાર્ય કરવામાં તુંજ પ્રભુ હતો. આટલા દિવસમાં હારી બીજી પ્રાર્થના એ નિષ્ફળ કરી નથી તે આવા ઉત્તમકાર્યમાં વિઘ શામાટે કરૂં? જે રાજ્યને માટે રાજકુમારે અકાર્યો કરે છે તેવું રાજ્ય આપવા માંડ્યું પણ તે ગ્રહણ ન ન કર્યું તેથી હે પુત્ર! તને ધન્ય છે અને હારા ધર્મકાર્યના માર્ગમાં વિદ્ધ ન થાઓ એમ બેલી શ્રેણિક રાજાએ નિષ્ક્રમણ મહોત્સવ કરાવ્યું. અભયકુમાર પણ મેઘની પેઠે પુષ્કળ સુવર્ણની ધારાઓથી વૃષ્ટિ કરતો ભગવાન પાસે આવી પહોંચ્યો. ભગવાને વિધિપૂર્વક દીક્ષા આપી. અભયકુમારની માતા નંદાએ પણ તેની સાથે જ દીક્ષા ગ્રહણ કરી. કેટલાએક કાળે અભયકુમાર અગીયાર અંગને ધારણ કરનાર થયે, પછી ઘણા કાળ સુધી નિરતિચાર પ્રત્રજ્યા પાળી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયે ત્યાંથી અવી (મનુષ્ય થઈ દીક્ષા ગ્રહણ કરી, મેક્ષમાં જશે.
હવે ગ્રંથકાર પ્રસ્તુત ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ફળ બતાવે છે-- नयविनयविवेकच्छेकताद्यैर्गुणौघैः
सकलजनमनांसि प्रीणयन्तो महान्तः। अभयवदिति लोके वल्लभत्वं दधाना
निरुपमजिनधर्मे योग्यतां संश्रयन्ते ॥५॥ શબ્દાર્થ –ઉપલી કથાના નાયક અભયકુમારની પેઠે નીતિ, વિનય, વિવેક અને નિપુણતા વિગેરે ગુણેએ કરી આ લેકમાં સમગ્ર લેકેના અંતકરણને સંતોષ પમાડનાર મહાન પુરૂષે જનવલભપણુને ધારણ કરી સર્વોત્તમ જિનધર્મની - થતાને મેળવે છે પ . )
જોશોના શુળ . ર8 I/
Page #236
--------------------------------------------------------------------------
________________
MU )
त्रिंशत् गुण वर्णन.
ER:
:
: : : : : : : * *
વે થકાર મહારાજ કમથી પ્રાપ્ત થએલા સલ નામના ત્રીશમા ગુણનું વિવરણ કરે છે–
લઈન-નિર્લજજાના અભાવ રૂપ લજજાએ કરીને જે યુક્ત હોય તે લજજાવાન કહેવાય છે. ખરેખર જે લજજાવાન હોય છે તે પોતાના પ્રાણેને નાશ થતાં પણ અંગીકાર કરેલાને કદી ત્યાગ કરતા નથી અને અનુચિત કાર્યમાં પ્રવૃત્તિ પણ કરતા નથી. કેઈ વખત દેવયોગથી અકાર્યમાં પ્રવૃત્તિ થઈ ગઈ હોય તે પણ પ્રાયે કરી પાછો ઠેકાણેજ આવે છે. તે માટે કહ્યું છે કે--
लज्जया कार्यनिर्वाहो, मृत्युयुद्धेषु लज्जया । लज्जयैव नये वृत्तिर्लज्जा सर्वस्य कारणम् ॥१॥ लज्जां गुणोघजननी जननीमिवार्या
मत्यन्तशुद्धहृदयामनुवर्त्तमानाः । तेजस्विनः सुखमसूनपि सन्त्यजन्ति
सत्यस्थितिव्यसनिनो न पुनः प्रतिज्ञाम् ॥२॥ શબ્દાથ લજજાએ કરી કાર્યને નિર્વાહ, લજજાએ કરી યુદ્ધમાં સુભટનું મૃત્યુ અને લજજાએ કરીને જ નીતિમાર્ગમાં પ્રવૃત્તિ થાય છે. તેથી સર્વ આવશ્યક બાબતેનું મૂળ કારણ લજજાજ છે. તે શ્રેષ્ઠ અને અત્યંત શુદ્ધ હૃદયવાળી માતાની પેઠે અનેક ગુણેને ઉત્પન્ન કરનારી લજજાને અનુસરના તેજસ્વી પરાક્રમી ) અને સત્યની સીમામાં રહેવાની ટેવવાળા પુરૂષો સુખેથી પ્રાણ ત્યાગ કરે છે,
Page #237
--------------------------------------------------------------------------
________________
ત્રિશતગુણ વર્ણન. પરંતુ કદી પણ પોતાની પ્રતિજ્ઞાને ભગ કરતા નથી, ૨ વળી કહ્યું છે કે –
लज्जालुओ अकज्जं वज्जइ दूरेण जेण तणुअंपि ।
आयरइ सयायारं न मुयइ अंगीकयं कह वि ॥३॥... શબ્દાર્થ –-આ હેતુથી લજજાળ પુરૂષ અતિ સ્વલ્પ અકાથને પણ દૂરથી જ ત્યાગ કરે છે, સદાચારનું પ્રતિપાલન કરે છે અને કેઈ પણ પ્રકારે અંગીકાર કરેલું છોડતો નથી, છે ૩તે માટે કહ્યું છે કે
दूरे ता अन्नजणो अंगे च्चिय जाइं पंच भूयाइं । तेसिपि य लज्जिज्जइ पारद्धं परिहरंतेहिं ॥४॥ શબ્દાર્થ – અન્ય પુરૂષથી શરમાવું તે દૂર રહ્યું, પણ શરીરમાંજ જે પાંચ ભૂતે છે તેનાથી પણ પ્રારંભ કરેલાને ત્યાગ કરનાર લજજા પુરૂષ લજજા પામે છે. ૪ જેમ શ્રીમાન આઅડદેવને લજજા પ્રાપ્ત થઈ હતી તેનું ઉદાહરણ નીચે બતાવ્યા પ્રમાણે છે.
અણહિલ્લપુર પાટણમાં સર્વ કાર્યોને અવસર છે જેમાં એવી સભામાં બેઠેલા સૈલુક્ય ચક્રવત્તી શ્રીકુમારપાળ રાજાએ કઈવખત કોંકણદેશના મલ્લિકાજુનરાજાનું ભાટ દ્વારા કહેવાતું “રાજપિતામહ’ એવું બીરૂદ સાંભળ્યું અને તે સહન નહી થવાથી સભાને નિહાળતાં રાજાના અંતઃકરણને જાણનાર આંબડદેવ મંત્રિએ દેખાડેલા કરસંપુટને જોઈ ચમત્કાર પામેલા રાજાએ સભાવિસર્જ કર્યાબાદ અંજલિબંધ કરવાનું કારણ પુછતાં મંત્રિએ વિજ્ઞપ્તિ કરી કે–આ સભામાં કેઈ તેવા પ્રકારને સુભટ છે કે જેને મેકલી આ મિથ્યાભિમાની અને નૃપાભાસ રાજાને ગર્વ ઉતારી શકીયે. એવા પ્રકારના તમારા આશયને જાણનાર અને તમારા હુકમને ઉઠાવવા સમર્થ હોવાથી મેં અંજલિબંધ કર્યો હતો. એવા પ્રકારની તેની વિજ્ઞપ્તિ સાંભળ્યા પછી તરતજ તે રાજા તરફ પ્રયાણ કરવા માટે સેનાને નાયક કરી અને પાંચ અંગને પહેરામણ આપી સમસ્ત સામતોની સાથે આનંદવને વિસર્જન કર્યો. પછી તે આંબડદેવ અવિચ્છિન્ન પ્રયાણ કરી કુંકણદેશને પ્રાપ્ત થઈ દુર્વારિ પાણીના પૂરવાળી કલંબિણી નામની નદીને ઉતરી સામેના કિનારા ઉપર પડાવ નાંખે છે અને હજુસુધી તે આંબડદેવ લડવાને સજ્જ થયે નથી એમ વિચાર કરી મલ્લિકાર્જુને તેના ઉપર એકદમ ઓચિંતે હલ્લો લાવી તેના સૈન્યને નસાડી મુક્યું. મલ્લિકાર્જુનથી પરાભવ પામેલો શ્યામવદન, કાળાં વસ્ત્ર, કાળું છત્ર, કાળા અલંકાર અને કાળા મુકટને ધારણ કરનાર તે આંબડદેવ નામને સેનાધિપતિ પાટણશહેરની નજીકમાં કૃષ્ણમૂઢશહેર નામના સ્થાન વિશે આવી રહ્યો. રાજા
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૦૦
શ્રાદ્ધગુણ વિવરણ.
વાટિકામાં નીકળેલા લુક્ય શિરોમણી કુમારપાળે તે પડાવ જોઈ પુછયું કે આ કેની સેનાને પડાવ છે? ઉત્તરમાં કેઈ ઉતાવળાએ જણાવ્યું કે મલ્લિકાર્જુનથી પરાભવ પામેલા અને કુંકણદેશથી પાછા ફરેલા આંબડદેવ મંત્રીને આ સેનાનિસ છે. આ વાત સાંભળી તે મંત્રીની અત્યંત લજજાથી વિસ્મય થએલા રાજાએ પ્રસન્ન અને મને હર દ્રષ્ટિથી મંત્રિને સત્કાર કરી બીજા બળવાન સામતે સાથે મલ્લિકાર્જુનને જીતવા માટે આંબડદેવને ફરીથી મોકલ્યો. અનુક્રમે તે કલંબિણું નામની નદીને પ્રાપ્ત થઈ તેના ઉપર પુલ જે માર્ગ તૈયાર કરી તે જ માર્ગ દ્વારા અનકમે સાવધાન વૃત્તિથી સૈન્યને ઉતારી અસાધારણ યુદ્ધ શરૂ થતાં બહાદૂરીથી હસ્તિના સ્કંધ ઉપર આરૂઢ થએલા મલ્લિકાર્જુનને જ ચેષ્ટારહિત કરતા તે આંબડદેવ નામને સુભટ મૂશળ જેવા દાંતરૂપ પગથીઆવડે હાથીના કુંભસ્થળ ઉપર આરૂઢ થઈ પ્રચંડ રણ રસના આવેશમાં આવી પ્રથમ તું પ્રહાર કર અથવા તે ઈષ્ટદેવનું
સ્મરણ કર એ પ્રમાણે બેલી અને તીક્ષ્ણ ધારવાળા ખડ્ઝના પ્રહારથી મલ્લિકાજુ નને પૃથ્વી ઉપર પાડી નાંખી અને મલ્લિકાર્જુનના નગરને લુટવામાં જ્યારે સામે તે રોકાયા હતા તે વખતે કેશરીસિંહનું બચ્ચું જેમ હાથીને નાશ કરે છે તેની પિઠે આંબડદેવે સહેજમાંજ મલ્લિકાર્જુનનું મસ્તક કાપી નાખ્યું. પછી તે મસ્તકને સેનાથી વીંટી લઈ તે કંકણદેશમાં કુમારપાળ ભૂપાળની આજ્ઞા વર્તાવી અનુક્રમે અણહિલપુર પત્તામાં આવી કુમારપાળ નરેશની સભામાં જ્યારે બહોતેર સામતની હાજરી હતી તે વખતે કુંકણદેશના રાજા મહિલકાર્જુનના મસ્તકની સાથે શૃંગારકેટી નામની સાડી, માણિક્ય નામની પટ, પાપક્ષયંકર નામને હાર, સંગસિદ્ધ નામની છીપ, સોનાના બત્રીશ કળશ, મોતિના છો મૂહા, ચાર દાંત વાળો સેટક નામને એક હાથી, એકવીસ પાત્રો અને ચઉદ કેડ સોના મહોર વિગેરે વસ્તુઓથી પિતાના સ્વામિ શ્રી કુમારપાળરાજાની આંબડદેવ મંત્રિએ પૂજા કરી. ઉપર જણાવેલા આશ્ચર્યજનક કાર્યથી ખુશી થએલા રાજાએ પોતાનાજ મુખથી શ્રી આંબડદેવને “રાજપિતામહ એવું બીરૂદ આપ્યું.
હવે ચાલતા વિષયની સમાપ્તિ કરતાં ગ્રંથકાર ઉપદેશ દ્વારા આ ગુણ પ્રાપ્ત થવાનું ફળ બતાવે છે–
संकटेऽपि महति प्रतिपन्नं लज्जया त्यजति यन्न मनस्वी। निर्वहेच्च खलु तेन सलज्जः सम्मतःशुभविधावधिकारी ॥५॥
શબ્દાર્થ –મહે સંકટ આવ્યા છતાં પણ મનસ્વી પુરૂષ અંગીકાર કરેલું લજ્જાથી ત્યાગ કરતું નથી પરંતુ ખરેખર તેને નિર્વાહ કરે છે. તે હેતુથી લજજાવાન પુરૂષ ધર્મ કાર્યમાં અધિકારી ગણાય છે. પો
Page #239
--------------------------------------------------------------------------
________________
एकत्रिंशत् गुणवर्णन.
!
' 8 આ વે કામથી પ્રાપ્ત થએલા સદય નામના એકત્રીશમા ગુણનું
જ વર્ણન કરે છે –
SBE
સંય દુઃખિત પ્રાણિઓનું રક્ષણ કરવાની અભિલાષા રૂપ દયાએ કરી જે યુક્ત હોય તે સદય કહેવાય છે. અને દયાજ ધર્મનું મૂળ છે તેથી દયાળુ જ ધર્મ ને એગ્ય છે. કહ્યું છે કે
देहिनः सुखमीहन्ते, विना धर्म कुतः सुखम् ? । दयां विना कुतो धर्मस्ततस्तस्यां रतो भव ॥१॥
શબ્દાર્થ–પ્રાણીઓ સુખની ઇચ્છા કરે છે, પરંતુ ધર્મ વિના સુખ ક્યાંથી હઈ શકે?તેમજ દયા વિના ધર્મ ક્યાંથી હોય? તે માટે હે ભવ્ય! છાનું રક્ષણ કરવામાં તત્પર થા. ૧
ભાવાર્થ –આ જગતમાં ઇંદ્રથી માંડી કુંથુ પર્યત તમામ પ્રાણીઓ સુખની ઈચ્છા રાખે છે. પરંતુ કષાય, અવિરતિ, પ્રમાદ અને રાગદ્વેષની પરિણતિ વિગેરે પ્રબળ કારણોને લીધે સુખનું ખરેખરૂં કારણ જે ધર્મ છે તેવા જિનેક્ત ધર્મનું યથાર્થ આરાધન કર્યા સિવાય ધર્મથી પ્રાપ્ત થનાર સુખની ઈચ્છા રાખનારને સ્વનમાં પણ સુખ કેવી રીતે મળી શકે! માટે સુખની ઈચ્છા રાખનાર પુરૂષે યથાશક્તિ ભાવપૂર્વક ધર્મ કરવા તત્પર થવું જોઈએ. ધર્મની ઉપાસના કરનારને કેવળ સંસારનું સંપૂર્ણ સુખ પ્રાપ્ત થાય છે એટલું જ નહીં પરંતુ ઉત્તરોત્તર મેક્ષના અને નંત સુખને પણ મેળવી શકે છે. ધર્મ પણ અહિંસા રૂપ હોવો જોઈએ. કારણકે અહિંસા ધર્મનું મૂળ છે. દરેક પ્રાણુને જીવવાની આશા હોય છે, મરણની વાત કાને પડતાં ભયબ્રાંત થઈ જાય છે. એવા અનાથ પ્રાણુઓને પ્રાણ લઈ ધર્મની
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૦૨
શ્રાધગુણ વિવરણ. ઈચ્છા કરે છે તો હાલહલ ઝેર ખાઈ જીવવાની ઈચ્છા બરાબર છે. વખતે નિકાચિત આયુષ્ય હવાથી ઝેર જીવિતને નાશન કરી શકે એ કદાચિત્ બનવાજોગ છે, પરંતુ હિંસા કરનારને હિંસાથી ધર્મ છે તો દૂર રહ્યો પણ નારકીનાં અતિ ભયંકર દુઃખને અનુભવ કરવો પડે છે માટે જિનેશ્વર ભગવાને શ્રાવકને જીવદયા પાળવા માટે જે નિયમો બતાવ્યા છે, તે પ્રમાણે તેનું પાલન કરવા દરેક સુખાભિલાષી પ્રાણીઓએ તત્પર થવું જોઈએ. એકલા જેનેજ અહિંસાને ધર્મનું મૂળ કારણ માને છે એમ નથી. પરંતુ આર્યાવર્તના તમામ દર્શનવાળા “હિંસા પરમો ધર્મ ” આ મહા વાક્યને માન્ય કરી અહિંસાને ધર્મનું પ્રધાન અંગ સ્વીકારે છે. તે માટે કહ્યું છે કેददातु दानं विदधातु मौनं वेदादिकं चापि विदांकरोतु । देवादिकं ध्यायतु सन्ततं वान चेद्दया निष्फलमेव सर्वम् ॥२॥
શબ્દાર્થ –દાન આપે, મન ધારણ કરો, વેદાદિક અથવા તે બીજા ગમે તે શાને જાણે અને નિરંતર દેવાદિકનું ધ્યાન કરે પરંતુ જે એક દયા નથી તો ઉપર બતાવેલું સઘળું નિષ્ફળ છે એટલે રાખમાં ઘી હોમ્યા બરાબર છે. ૨
વિવેકી પુરૂષ દયા પણ પિતાના આત્માની પેઠે કરે. તે માટે કહ્યું છે કે प्राणा यथाऽऽत्मनोऽभीष्टा भूतानामपि ते तथा ।
आत्मौपम्येन भूतानां दयां कुर्वीत धर्मवित् ॥ ३ ॥ શબ્દાર્થ –જેમ પિતાના પ્રાણે અભીષ્ટ છે, તેમ પ્રાણું માત્રને પણ પિતાના પ્રાણે અભીષ્ટ છે. માટે ધર્મા પુરૂષે પોતાની પેઠે બીજા પ્રાણીઓની દયા કરવી જોઈએ. અર્થાત પિતાના પ્રાણ જેવા બીજાના પ્રાણ ગણું તેનું રક્ષણ કરવું જોઇએ. + ૩ |
कृपानदीमहातीरे सर्वे धर्मास्तृणाङ्कराः । तस्यां शोषमुपेतायां कियन्नन्दन्ति ते चिरम् ॥ ४ ॥ શબ્દાર્થ –કૃપારૂપ નદીના કિનારા ઉપર સઘળા ધર્મો અકરારૂપ છે. જ્યારે તે નદી સુકાઈ જાય ત્યારે તે અંકરા કેટલા કાળ સુધી ટકી શકવાના ? અર્થાત જ્યાં બીલુક્લ યાને છટે પણ નથી તો દયાના આધારે રહેનાર ધમનું અસ્તિત્વ કયાંથી હોય? | ૪ |
निजप्राणैः परप्राणान् ये रक्षन्ति दयोज्ज्वलाः । द्वित्रास्ते सुरसंस्तुत्या दुर्लभाः पुण्यपूरुषाः ॥५॥
Page #241
--------------------------------------------------------------------------
________________
એકત્રિ‘શણ વર્ણન.
૨૦૩
શબ્દા :—જે દયાળુ પુરૂષા પાતાના પ્રાણાએ કરી બીજાના પ્રાણાનું રક્ષણ કરે છે તેવા દુલ ભ તેમજ દેવતાઓથી સ્તુતિ કરાએલા પવિત્ર પુરૂષા બે ત્રણ અર્થાત્ ગણ્યા ગાંઠ્યા હૈાય છે. ॥ ૫ ॥
જેમ વિક્રમાદિત્ય નામના રાજા હતા. તેની કથા આ પ્રમાણે છે.—
એક વખતે અશ્વથી હરણ કરાએલા અને તૃષાથી પીડિત થએલા વિક્રમ રાજા અરણ્યમાં પાણીની તપાસ કરતા હતે. તેટલામાં કાઇએક ગુફામાં કાદવવાળા તલાવડાની અંદર ખુંચી ગએલી અને દુળ એવી એક ગાય તેના જોવામાં આવી. આંસુથી ખરડાએલી આંખેાવાળી ગાયે પણ રાજાને જોઇ ખરાડા પાડ્યા. તે સાંભળી દુ:ખિ થએલા પ્રાણીઓનું રક્ષણ કરવામાંજ ધ્યાન આપનાર રાજાએ પણ તેને મહાર ખેંચી કાઢવા માટે અનેક ઉપાયા કર્યો પરંતુ કાઇ પણ રીતે ગાય બહાર નીકળી શકી નહીં અને રાત્રિ થઈ ગઇ. તેટલામાં કાઈ પણુ સ્થળથી એચિતા એક ભૂખ્યા સિંહ તે ગાયનું ભક્ષણ કરવા માટે આવ્યા અને સિંહનાદ કરવા લાગ્યા. તે જોઈ દયાથી સ્નિગ્ધ હૃદયવાળા વિક્રમરાજા વિચાર કરવા લાગ્યા કે જો આ દુર્ગંળ અને ભયથી વ્યાકુળ થએલી ગાયને હું અહિંયા મૂકીને ચાલ્યા જઈશ તેા આ ગાયને સિંહ જલદી મારી નાંખશે. દુર્બળ, અનાથ, ભયભીત હૃદયવાળા અને ખીજાએથી પરાભવ પામેલા સઘળા પ્રાણીઓના આશ્રય પાર્થિવજ હોય છે. તે હેતુથી મ્હારા પ્રાણાના નાશ થાય તા પણ મારે આ ગાયનું રક્ષણ કરવુ જોઇએ. એ પ્રમાણે વિચાર કરી તલવારને ઉગામી ગાયની પાસે ઉભા રહ્યો. રાત્રિમાં ટાઢ અને ભયથી ગાય કંપવા લાગી એટલે રાજાએ પેાતાના વસ્ત્રોએ કરી તેણીને ઢાંકી દીધી. આ તરફ સિ'હુ ગાયની સામે ફાળા મારે છે. રાજા તેને તલવારથી ડરાવે છે. એવા પ્રકારના વૃત્તાંત થએ છતે તે ઠેકાણે વડ ઉપર બેઠેલા એક પાપટ ખેલે છે કે હે માલવેશ્વર ! પેતિાના સ્વભાવેજ આજ કે કાલ મરી જનાર આ ગાયને માટે ત્હારા પેાતાનાં પ્રાણાને 'શ્યા માટે અર્પણ કરે છે ? ત્હારી ઈચ્છા પ્રમાણે અહીંથી ચાલ્યા જા અથવા તા આ વડ ઉપર જલદી ચડી જા. રાજાએ તેના ઉત્તરમાં જણાવ્યું કે-હે શુકરાજ ! તમારે આ પ્રમાણે ખેલવું ન જોઇએ. કેમકે--મીજાના પ્રાણાએ કરી પેાતાના પ્રાણાનુ રક્ષણ સઘળા પ્રાણીઓ કરે છે. પરંતુ પાવાના પ્રાણાએ કરી ખીજાના પ્રાણેાનું રક્ષણ કરનાર એક જીમૂતવાહનજ છે. જેમ સૂર્યના ઉદય થવાથી સૂર્યકાંત મણીએ કાંતિયુક્ત થાય છે, તેમ એક દયાથીજ સત્ય વિગેરે તમામ ગુણા ફળયુક્ત થાય છે. અર્થાત્ સૂર્યકાંત મણીએ સૂર્યંના અસ્તિત્વ સિવાય પેાતાના ગુણાને પ્રકાશમાં લાવી શકતી નથી તેવી રીતે સઘળા ધર્મોમાં પ્રધાનપદ ભાગવનારી દયા શિવાય સત્ય પ્રમુખ ગુણ્ણા સ્કુરાયમાન થતા નથી. તેમજ ધર્મરૂપ કલ્પવૃક્ષનું ખીજ; સમગ્ર જગા પ્રાણીઓને સુખ આપનાર અને અનત દુ:ખાના નાશ કરનાર જો કાઈ હાય તા તે એક દયાજ છે. એક નાયક વગરનું સૈન્ય
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૦૪
શ્રાદ્ધગુણ વિવરણ,
નકામું ગણાય છે, તેમ દેવગુરૂની ચરણાપાસના, તપસ્યા, ઇંદ્રિયાના નિગ્રહ, દાન આપવુ અને શાસ્ત્રોનું અધ્યયન કરવું એ સઘળું એક યા વિના નિષ્ફળ ગણાય છે. જો આજ કે કાલ અથવા કાળાંતરે મૃત્યુ થવાનુ છે એવા નિશ્ચય જ છે તેા પછી એક મ્હારા પોતાના નાશ થયાથી ઘણા પ્રાણીઓના પ્રાણાનું રક્ષણ થતુ હાય તા શુ એટલાથી ખસ નથી ? આ હેતુથી મ્હારા પ્રાણાને પણ અણુ કરી આ ગાયને બચાવવી ચેાગ્ય છે. એવા નિશ્ચય કરી રાજાએ આખી રાત તે ગાયનું રક્ષણ કર્યું. પ્રાત:કાળમાં સૂર્યોદય થતાં સિંહ, ગાય કે પોપટને દેખ્યા નહીં. કેવળ પેાતાને જોઇ મનની અંદર આશ્ચય અને તર્કવિતર્ક કરે છે તેટલામાં એ દેવાને પોતાની આગળ જોયા. વિસ્મય હૃદયવાળા તે એ ધ્રુવે પણ આ પ્રમાણે ખેલ્યા-સાંપ્રત કાળમાં પૃથવી ઉપર સખાવત કરનાર અને જાગરૂક એવી દયા પ્રમુખગુણેાએ કરી શુદ્ધિ કરનાર વિક્રમ રાજાના જેવા કેઇ બીજો પુરૂષ નથી. એ પ્રમાણે દેવાની સભામાં ષિત થએલા સાક્ષાત્ ઇંદ્ર પોતે જ તમારી કીર્ત્તિની પ્રશંસા કરે છે. માટે હે નરદેવ ! તને ધન્ય છે. હારી પરીક્ષા કરવા માટે સિહ, ગાય અને પોપટનાં રૂપે કરી અમે બન્ને દેવાએ દેવમાયા દેખાડી હતી. તારી દયા રસિકતા ઈંદ્રના વણું નથી પણ હજાર ગણી અમાએ જોઇ. માટે વર માગા. રાજા કંઈપણ ઈચ્છતા નથી. તે પછી તે અન્ને દેવા રાજાને કામધેનુ ગાય આપી પાતાના સ્થાને ચાલ્યા ગયા. ખુશી થએલા રાજા પણ કામધેનુ ગાયને સાથે લઈ નગરીની સન્મુખ આવે છે. તેવામાં રસ્તાની અંદર એક ખાળકવાળા બ્રાહ્મણે રાજાને કહ્યું કે હે દુ:ખી પ્રાણીઓના દુ:ખને હરનાર વિક્રમ નરેશ! આ બાળકની માતા મરી ગઈ છે. હવે આ ખાલક દુધ વગર રહી શકતા નથી. ઘરમાં લક્ષ્મીના અભાવ હાવાથી હું ગાય મેળવી શકતા નથી. તેથી હું દુઃખી છુ. આ ખીના સાંભળી દયાથી સ્નિગ્ધ હૃદયવાળા રાજાએ બ્રાહ્મણને કામધેનુ ગાયને આપી દઈ પાતાના સ્થાનને ભૂષિત કર્યું.
હવે ગ્રંથકાર મહારાજ પ્રસ્તુત ગુણુની સમાપ્તિ કરતાં ઉપદેશ આપે છે— एवं दयारसोल्लास धर्म साम्राज्यशालिनः ।
संपदः सर्वतोवक्ष्यि सदा भाव्यं दयालुना ॥ ६ ॥ શબ્દા :—એ પ્રમાણે સ` ઠેકાણે દયાના રસથી વૃદ્ધિ પામતા ધમ રૂપ મહાન્ રાજ્યને ાભાવનારી સપન્નાઓને જોઇ હે ભવ્ય લાકા ! તમારે નિરંતર દયાળુ થવું જોઇએ. ॥ ૬ ॥
// તિ ત્રિરાત્તમો મુળ || ૩ ||
Page #243
--------------------------------------------------------------------------
________________
द्वात्रिंशत् गुणवर्णन.
( ૭ ક્રમથી પ્રાપ્ત થએલા સૌમ્ય નામના બત્રીશમા ગુણનું વ
સૌજન્મનહર આકૃતિવાળો હોય અથવા જેનું દર્શન પ્રિય હોય તે સામ્ય કહેવાય છે. અને તે ગૃહસ્થ ધર્મને યોગ્ય હોઈ શકે છે. તેથી વિપરિત જે કુર આકૃતિવાળો મનુષ્ય હોય એટલે ભયજનક અને અદર્શનીય હોય તે પ્રાયેકરી લોકને ઉદ્વેગનું કારણ થાય છે. અને તે વિશેષ ધર્મને પ્ય થઈ શકતે નથી. ખરેખર સામ્યતા સર્વને પોતાનાં તરફ ખેંચનારી હોય છે. જેમકે
अपकारिण्यपि प्रायः सौम्याः स्युरुपकारिणः ।
मारकेभ्योऽपि कल्याणं रसराजः प्रयच्छति ॥ १ ॥ શબ્દાર્થ –જેમ પારે પિતાના મારનારને પણ સુવર્ણ આપે છે તેમ મનહર આકૃતિવાળા અથવા તો સુકુમાર સ્વભાવવાળા પુરૂષે ઘણું કરી અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કરવાવાળા હોય છે. અર્થાત આવા સ્વભાવવાળા પુરૂષે દરેક મનુષ્યને પિતા તરફ ખેંચે એમાં કાંઈ નવાઈ નથી. ૧
અથવા સુખેથી આરાધના કરવા લાયક એટલે દુઃખેથી આરાધના કરી શકાય તેવા સ્વભાવને ત્યાગ કરનાર જે હોય તેને સામ્ય કહે છે. અને ખરેખર તેવા પુરૂષને સુખેથી અનુકૂળ કરી શકાય છે. આથી ઉલટી પ્રકૃતિવાળે દુરારાધ્ધ પુરૂષ તે તીવ્ર સ્વભાવને લીધે પોતાના પરિવારને નારાજ કરનાર અનુક્રમે સહાય વગરને થાય છે. જ્યારે સુકુમાળ સ્વભાવવાળે સુખેથી આરાધી શકાય એવી પ્રકૃતિ હેવાને લીધે શત્રુપક્ષના લેકેથી પણ સેવાય છે. આ વિષયમાં રામચંદ્રજીનું દષ્ટાન્ત સુખ
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૦૬
શ્રાદ્ધગુણ વિવરણ
સિદ્ધ છે. રામચંદ્રજી પોતાના કટ્ટા દુશ્મન રાવણના પક્ષકારે વિભીષણ, સુગ્રીવ હનુમંત વિગેરેથી સેવાયા હતા, તેનું કારણ રામચંદ્રજીને સુકુમાળ સ્વભાવ અને સરલ પ્રકૃતિ વિગેરે હતું. તે માટે કહ્યું છે કે
चन्द्रः सुधामयत्वादुडुपतिरपि सेव्यते ग्रहग्रामैः । ग्रहगणपतिरपि भानुम्यित्येको दुरालोकः ॥२॥
શબ્દા —ચન્દ્રા નક્ષત્રોને સ્વામી છે તે પણ અમૃતમય હેવાથી અર્થાત સૈમ્ય પ્રકૃતિને લઈ ગ્રહના સમૂહથી સેવાય છે. અર્થાત ગ્રહને સમુદાય ચંદ્રને આશ્રય કરે છે. અને દુખેથી જોઈ શકાય એ સૂર્યગ્રહના સમુદાયને સ્વામી છે. તે પણ પોતાની તીવ્ર પ્રકૃતિને લીધે ગ્રહગણથી રહિત એકલે પરિભ્રમણ કરે છે. ૨
અથવા જેનું હદય દૂર ન હોય તેવા પુરૂષને સેમ્ય કહે છે. અને તેવા પુરૂષને કેઈએ હે અપરાધ કર્યા છતાં પણ તેને ખરાબ કરતો નથી. જેમ વરધવલ નામના રાજાએ કર્યું હતું. તેનું દષ્ટાંત જાણવા જેવું હોવાથીનીચે બતાવવામાં આવે છે.
કેઈક વખતે દિવસમાં વિરધવલરાજા ચંદ્રશાળામાં સુતે હતે. તે અવસરે વસ્ત્રથી ઢાંકેલા મુખવાળા અને જાગતા રાજાને ઉંઘે છે એમ માની તેની પગચંપી કરનાર કેઈક ખવાસે તે રાજાના અંગુઠામાં રહેલી રત્નની અંગુઠી લઈને મેઢામાં મુકી, પણ રાણાએ જાણતાં છતાં કંઈ પણ કહ્યું નહીં અને બીજે દિવસે ભંડારમાંથી તેવા પ્રકારની જ બીજી અંગુઠી કઢાવી અને પહેરીને પાછે ત્યાં જ સુઈ ગયે, પગચંપી કરનાર ખવાસે પ્રથમની પેઠે તેને ગ્રહણ કરવા માટે પ્રારંભ કર્યો, પરંતુ રાજાએ કહ્યું કે આ અંગુઠી લઈ લેતા નહીં. જે ગઈ કાલે લીધી છે તે તનેજ આપવામાં આવે છે. આ વચન સાંભળી ભયભ્રાંત થયેલ ખવાસ રાજાના પગમાં પડે. તેટલામાં કોઈ એક કાર્ય માટે આવેલા વસ્તુપાલ મંત્રિએ તે ખવાસને હંકાયે તે વખતે રાજાએ કહ્યું કે-હે મંત્રિ ! આ દોષ આ ખવાસને નથી, પરંતુ અમારી કૃપણુતાને આ દેષ છે. એમ બેલી ભય પામેલા ખવાસને કહ્યું કે, હે વત્સ ! ડરીશ નહીં. હું જાણું છું કે
ડી આજીવિકાથી ઈચ્છા પૂર્ણ થતી નથી. માટે આજથી લઈને અડધે લાખ હારી આજીવિકા માટે અને આ ઘેડો તને આરેહણ કરવા માટે અર્પણ કરું છું. આ પ્રમાણે તે ખવાસને આશ્વાસન આપવાથી રાજાનું લોકમાં “સેવકસદાફળ” એવા પ્રકારનું બિરૂદ પ્રસિદ્ધિમાં આવ્યું.
પૂર્વોક્ત પ્રકૃતિવાળા કરતાં વિપરીત સ્વભાવવાળા એટલે કઠેર પ્રકૃતિવાળો મનુષ્ય તે હિતશિક્ષા આપનાર ઉપર પણ નાખુશી બતાવનાર આકૃતિને પ્રગટ કરે છે. આ બાબતમાં લમણસેન રાજાનું ઉદાહરણ નીચે પ્રમાણે છે–
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૦૭
દ્વાત્રિશતગુણ વર્ણન ગડદેશમાં લક્ષણવતી નામની નગરીમાં સંપૂર્ણ બુદ્ધિના ભંડારરૂપ ઉમાપતિધર નામના મંત્રિથી જેના રાજ્યની ચિંતા કરાય છે એ લક્ષ્મણસેન નામને રાજા ઘણા કાળ સુધી રાજ્ય કરતા હતા. જેમ મદાન્ય થયેલે હાથી હાથણીને સંગ કરવાથી કાદવમાં ફસી પડે છે તેવી રીતે તે રાજા મદેન્મત્ત ગજઘટાના સંસર્ગથી જાણે મદાંધ ન થયો હોય તેમ ચંડાલનીના સંસર્ગરૂપ કાદવમાં ફસી ગયે હતે. અર્થાત્ ચંડાલનીની સાથે વિષયસુખમાં મગ્ન થયે હતે. આ વૃત્તાંત ઉમાપતિધર નામના મંત્રીના જાણવામાં આવ્યું હતું. પરંતુ પોતાના સ્વામિની ક્રૂર પ્રકૃતિ હોવાથી સાક્ષાત્પણે પ્રતિબોધ કરે અશક્ય છે એમ વિચાર કરી તે રાજાને બીજા પ્રકારથી પ્રતિબંધ કરવા માટે સભા મંડપના પાટડા ઉપર મંત્રીએ ગુપ્તપણે નીચેનાં અન્યક્તિગર્ભિત કાવ્યો લખ્યાં -
शैत्यं नाम गुणस्तवैव तदनु स्वभाविकी स्वच्छता किं ब्रुमः शुचितां ब्रजन्त्यशुचयः स्पर्शात्तवैवापरे ।
किश्चातः परमस्ति ते स्तुतिपदं त्वं जीवनं देहिनां त्वं चेन्नीचपथेन गच्छसि पयः ! कस्त्वां निरोध्धुं क्षमः ॥३॥
શબ્દાથી–હે જળ ! મુખ્યપણે શીતલતા ગુણ તારેજ છે. તો પછી તારી સ્વાભાવિક સ્વચ્છતા માટે અમો કઈ વર્ણન કરી શકતા નથી. કારણ કે તારા સ્પર્શ માત્રથીજ બીજા અશુચિ પદાર્થો પવિત્રતાને પ્રાપ્ત થાય છે. અને તું પ્રાણુ માત્રાનું જીવિતવ્ય છે. આથી વધારે તારી સ્તુતિ શું હોઈ શકે? આ પ્રમાણે હારામાં ગુણે હેવા છતાં તું નીચ માર્ગે જતું હોય તે તેને રોકવા કેણ સમર્થ થાય ? કા આ કાવ્યમાં જળને ઉદ્દેશી રાજાને બેધ આપે છે.
त्वं चेत्संचरसे वृषण लघुता का नाम दिग्दन्तिनां व्यालैः कङ्कणभूषणानि तनुषे हानिन हेम्नामपि ।
मूर्धन्यं कुरुषे जडांशुमयशः किं नाम लोकत्रयीदीपस्याम्बुजबान्धवस्य जगतामीशोऽसि किं ब्रूमहे॥४॥
શબ્દાર્થ હે શંકર ? જો તું વૃષભ (બળદ.) ઉપર બેસી ગમન કરે છે તેથી હાથીની હલકાઈ શી ! વળી જે તે સપૅવડે કંકણુરૂપ આભૂષણેને બનાવે છે તેથી સુવર્ણની હાનિ શી? અને જો તું મસ્તક ઉપર ચંદ્રને ધારણ કરે છે તેથી ત્રણ જગતમાં દીપક સમાન સૂર્યને અપયશ શેને? તું જગતનો ઈશ છે તેથી અમે વધારે શું બોલી શકીએ? અર્થાત હસ્તિ સુવર્ણ અને સૂર્ય જેવાં ઉત્તમ સાધનો હેવા
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૦૮
શ્રાદ્ધગુણ વિવરણ, છતાં તું નીચને આશ્રય લે તેમાં હારી હલકાઈ છે. ૪આ કાવ્યમાં પણ શકરને ઉદ્દેશ રાજાને પ્રતિબંધ કર્યો છે.
छिन्ते ब्रह्मशिरो यदि प्रथयति प्रेतेषु सत्यं यदि क्षीबः क्रीडति मातृभिर्यदि रतिं धत्ते श्मशाने यदि । - स्पृष्ट्वा संहरति प्रजा यदि तथाऽप्याधाय भक्त्या मनस्तं सेवे करवाणि किं त्रिजगती शून्या स एवेश्वरः ॥ ५॥
શબ્દાર્થ – યદ્યપિ મહાદેવ બ્રહ્માના મસ્તકને છેદે છે, પિશાચેની અંદર ખરેખર પ્રસિદ્ધિ પામે છે, ઉન્મત્ત થઈ માતાઓ સાથે ક્રીડા કરે છે, મશાનમાં પ્રીતિ રાખે છે અને પ્રજાઓને બનાવી સહાર કરે છે તો પણ નિરૂપાયે કરવું શું ? ઇશ્વર તેજ છે તેના વિના ત્રણે જગત સૂનાં છે માટે તેનામાં ભક્તિથી મનને સ્થાપન કરી હું તે મહાદેવની સેવા કરું છું. અર્થાત ઉપર જણાવેલા અપવાદથી પરિપૂર્ણ હેવા છતાં જગતના ઇશ્વર હોવાને લીધે મારે નાઈલાજે આદર કરે પડે છે કે પા આ કાવ્યમાં પણ શંકરને ઉદ્દેશી રાજાને બોધ કર્યો છે. सदृत्तसद्गुणमहार्हमहर्घ्यमूल्य कान्ताघनस्तनतटो
વિત વાસમૂને ! आः पामरीकठिनकण्ठविलग्न भन्न! हा हार! हा
रितमहो ! भवता गुणित्वम् ॥ ६ ॥ શબ્દાર્થ:-શ્રેષ્ઠ ગોળ આકૃતિવાળા, શ્રેષ્ઠ ગુણ (ર) વાળા, લાયકાતવાળા, મોટી કિંમતવાળા અને સુંદર સ્ત્રીઓના પુષ્ટ સ્તન ઉપર એગ્ય રીતે રહેલી મનહર મૂર્તિવાળા હે હાર ! મને આશ્ચર્યજનક ખેદ થાય છે કે એક ગરીબડીના કઠોર ગળામાં વળગી ભગ્ન થએલા તેં હારૂં ગુણિપણું ગુમાવી દીધું છે. તે ૬ આ કાવ્યમાં તો હારને ઉદ્દેશી રાજાને બેધ કર્યો છે.
કોઈ એક પ્રસંગે સભામાં તે કેને જોઈ અને તેના અર્થને બોધ થવાથી રાજામંત્રિ ઉપર અંતરંગમાં દ્વેષ ધારણ કરવા લાગ્યો. કહ્યું છે કે
प्रायः संप्रति कोपाय सन्मार्गस्योपदर्शनम् ।
विलूननासिकस्येव भवेदादर्शदर्शनम् ॥ ७॥ શબ્દાર્થ –જેમ નાટ્ટાને પણ દેખાડવું તે ઘણું કરી કેપ માટે થાય છે તેમ સાંપ્રતકાળમાં સન્માર્ગને ઉપદેશ આપવો તે પણ ઘણું કરીને કેપ માટેજ થાય છે. . ૭ છે.
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૦૦
દ્વાશિત ગુણવર્ણન તે પછી ઈર્ષાવાળા રાજાએ તે મંત્રિને પદભ્રષ્ટ કર્યો. ત્યારબાદ કઈ વખતે રાજપાટિકાથી પાછા ફરેલા રાજાએ દુર્દશાવાળો એકાકી અને ઉપાયરહિત એવા મંત્રિને જોઈ ગુસ્સાથી તેનો વધ કરવા માટે મહાવત દ્વારા તેની તરફ હાથીને પ્રેર્યો. તે જોઈ મંત્રિએ કહ્યું કે જ્યાં સુધી હું કાંઈક બેલું છું ત્યાંસુધી મહારા તરફ આવતા હાથીને રેકી રાખ. તેના વચનથી મહાવત તે પ્રમાણે કરે છતે ઉમાપતિ ધર મંત્રિએ કહ્યું કે– नग्नस्तिष्ठति धूलिधूसरवपुर्गोपृष्ठिमारोहति,
व्यालैः क्रीडति नृत्यति स्रवदसृग् चर्मोद्वहन् दन्तिनः। आचाराबहिरेवमादिचरितैराबद्धरागो हरः,
सत्यं नोपदिशन्ति यस्य गुरवस्तस्येदमाचेष्टितम् ॥८॥
શબ્દાર્થ –મહાદેવ નાનપણે રહ છે, ધૂળથી મલિન શરીરવાળો વૃષભ આ રોહન કરે છે, સર્પો સાથે ક્રીડા કરે છે, લેહીથી ટપકતા હાથીના ચામડાને ધારણ કરી નાચે છે, ઈત્યાદિ ચ એ કરી આચારથી બહાર થયેલ અને રાગમાં આ સક્ત રહે છે તે ખરેખર સત્ય છે. કારણકે જેને ગુરૂઓ ઉપદેશ આપતા નથી તેનું આચરણ આવું જ હોય છે. તે ૮
એ પ્રમાણે તે મંત્રિના જ્ઞાનરૂપ અંકુશથી મનરૂપ હાથી વશ થવાને લીધે પિતાના ચરિત્રેથી કાંઈક પશ્ચાતાપ કરતા અને પિતાના આત્માની ઘણી નિંદા કરતા રાજાએ ધીમે ધીમે તે વ્યસનને ત્યાગ કરી તે ઉમાપતિધરને ફરિથી મંત્રિપદ ઉપર સ્થાપન કર્યો.
હવે ગ્રંથકાર પ્રસ્તુત ગુણની સમાપ્તિ કરતાં સામ્ય પુરૂષને જ ધર્મો અધિકારી કહે છે –
एवं सौम्यः सुखासेव्यः सुखप्रज्ञाप्य एव च। यतो भवेत्ततो धर्माधिकारेऽधिकृतो बुधैः॥ ९॥
શબ્દાર્થ –ઉપર જણાવેલાં બને ઉદાહરણથી સ્પષ્ટ સમજી શકાય છે કે સમ પુરૂષ સુખેથી સેવા કરવા લાયક અને સુખેથી પ્રતિબંધ કરવા લાયક હેય છે, તેથી પંડિત પુરૂષાએ સૈશ્ય પુરૂષને જ વિશેષ ધર્મને અધિકારી ગ છે.લા
// તિ દૂર્ગા : ૨૭
Page #248
--------------------------------------------------------------------------
________________
त्रयस्त्रिंशत् गुणवर्णन.
coil now
વે ગ્રંથકાર ક્રમથી પ્રાપ્ત થએલા પરોપકાર કરવા રૂપ” તેત્રીશમા ગુણુનુ વર્ણન કરે છે—
પરાવતિમઃપરોપકાર કરવામાં કઠે એટલે તત્પર હોય તે વિશેષ ધર્મની ચેાગ્યતા મેળવી શકે છે. ખરેખર જે પુરૂષ પરોપકારપરાયણુ હોય છે તે સમસ્ત લેાકેાનાં નેત્રાને અમૃતના અજનરૂપ ગણાય છે. અથાત્ સમગ્ર પ્રાણીઓને આનંદ આપનાર હોય છે. અને જે નિરૂપકારી હોય છે તે તૃણુથી પણ હલકા ગણાય છે. કહ્યું છે કે—
( क्षेत्रं रक्षति चञ्चा सौधं लोलत्पटी कणान् रक्षा । दन्तात्ततृणं प्राणान् नरेण किं निरुपकारेण ॥ १ ॥
ર
શબ્દા :—ચચા પુરૂષ (ક્ષેત્રના રક્ષણ માટે બનાવેલા ઘાસના મનુષ્ય ) ક્ષેત્રનું, ચપલ ઘ્વજા પ્રાસાદનું, રાખ (ભસ્મ) અનાજનું અને દાંતમાં ગ્રહણ કરેલુ તૃણ પ્રાણાનું રક્ષણ કરે છે. અર્થાત્ જ્યારે આવા અચેતન પદાર્થા પ્રાણીઓને ઉપકાર કરનાર હાય છે,ત્યારે બાજાને ઉપકાર નહીં કરનાર સચેતન પુરૂષા તૃણ વિગેરેથી પણ નકામા ગણાય છે. ॥ ૧ ॥
પરોપકાર કરવા તે મ્હોટા પુરૂષોના સ્વભાવસિદ્ધ ધજ છે. કહ્યુ` છે કે— उपकर्त्तुं प्रियं वक्तुं कर्त्तुं स्नेहम कृत्रिमम् । सज्जनानां स्वभावोऽयं केनेन्दुः शिशिरीकृतः ॥ २ ॥ कस्यादेशात क्षिपयति तमः सप्तसप्तिः प्रजानां छायां कर्त्तुं पथि विटपिनामञ्जलिः केन बद्धः ।
Page #249
--------------------------------------------------------------------------
________________
ત્રયસિંશત ગુણવણન. अभ्यर्थ्यन्ते नवजलमुचः केन वा वृष्टिहेतो
जात्यैवैते परहितविधौ साधवो बद्धकक्षाः॥३॥
શબ્દાથ–પરને ઉપકાર કરવાને, પ્રીતિજનક બોલવાનો અને વાસ્તવિક ( સ્નેહ કરવાને સજજન પુરૂષોનો આ સ્વભાવ હોય છે. જેમકે ચંદ્રને કેણે શીતળ કર્યો છે? કેઇએ નહીં પરંતુ તે તેને જાતિ સ્વભાવજ છે. જે ૨ સૂય જગતના અંધકારને શું કેઈના હુકમથી દૂર કરે છે? વૃક્ષોને માર્ગમાં છાયા કરવા માટે શું કોઈએ અંજલિબંધ કર્યો છે? નવીન મેઘાને વૃષ્ટિ માટે શું કેઇએ અભ્યર્થના કરી છે? કેઈએ જ નહીં, કિન્તુ પિતાના જાતિસ્વભાવથી જ તે શ્રેષ્ઠ પુરૂષ પરનું હિત કરવામાં તત્પર થાય છે. તે ૩
અહીંયા ચાર પ્રકારના મનુષ્ય હોય છે. તેમાંથી કેટલાક પ્રયજન શિવાય પપકાર કરનારા અને કેટલાએક પોપકાર કરનારને બદલ આપનાર આ બન્ને પુરૂષ ધર્મને લાયક છે. આથી વિપરીત બીજા બે ધર્મને લાયક ગણાતા નથી. તે આ પ્રમાણે છે – ३ते तावत्कृतिनः परार्थनिरताः स्वार्थाविरोधेन ये
ये च स्वार्थपरार्थसार्थघटकास्तेऽमी नरा मध्यमाः। तेऽमी मानुषराक्षसाः परहितं यैः स्वार्थतो हन्यते - ये तु नन्ति निरर्थकं परहितं ते के न जानीमहे ॥ ४ ॥
શબ્દાર્થ –જેઓ પિતાના સ્વાર્થને બાધ ન આવે તેવી રીતે બીજાનું કાર્ય કરવામાં તત્પર હોય છે તે પ્રથમ પંક્તિના સપુરૂષ કહેવાય છે. વળી જે પતાના અને પરના સ્વાર્થને સાધવાવાળા હોય છે, તે પુરૂષ મધ્યમ ગણાય છે તેમજ જેઓ પોતાના સ્વાથને લીધે બીજાના હિતને નાશ કરે છે, તે પુરૂષો મનુષ્યરૂપ રાક્ષસ ગણાય છે. અર્થાત આવા પુરૂષોને કનિષ્ઠ કહેવામાં આવે છે. અને જેઓ પિતાના મતલબ શિવાય પરના હિતનો નાશ કરે છે, તેઓને કેવા કહેવા તે અમે જા
ણતા નથી? અર્થાત તેવા પુરૂષોને અધમા બધમ કહેવા જોઈએ. ૪ ३ क्षुद्राः सन्ति सहस्रशः स्वभरणव्यापारमात्रोद्यताः
स्वार्थो यस्य परार्थ एव स पुमानेकः सतामग्रणीः । दुष्पुरोदरपूरणाय पिबति स्रोतःपतिं वाडवो
जीमूतस्तु निदाघसंभृतजगत्सन्तापव्युच्छित्तये ॥५॥
Page #250
--------------------------------------------------------------------------
________________
ર૧ર
શ્રાદ્ધગુણ વિવરણ. શબ્દાર્થ: આ દુનીયામાં પોતાનું પોષણ કરવા રૂપ વ્યાપારમાં ઉદ્યમ કરના ક્ષુદ્ર પુરૂષ હજારે છે. પરંતુ જેને બીજાના પ્રજનમાં જ પોતાનું પ્રયોજન જણાય છે તે સજજન શિરોમણિ પુરૂષ આ દુનીયામાં એક જ હોય છે. મુશ્કેલીથી ભરી શકાય તેવા ઉદરની પૂરતી માટે જ્યારે વડવાનળ સમુદ્રનું પાન કરે છે, ત્યારે મેઘ તો ગ્રીષ્મઋતુથી વ્યાપ્ત થએલે જગતને સંતાપ નાશ કરવા માટે તત્પર થાય છે. આ બે ઉદાહરણે શુદ્ધ અને મહાન પુરૂષના ઓળખાણ માટે બસ છે. कए वि अन्नस्सुवयारजाए कुणंति जे पच्चुवयारजुग्गं । न तेण तुल्लो विमलो वि चंदो न चेव भाणू न य देवराया ॥६॥
શબ્દાર્થ જેઓએ બીજાને અનેક ઉપકાર કર્યા છે તે પણ જે પુરૂષ ઉપકાર કરનારને યોગ્ય પ્રત્યુપકાર કરે છે અર્થાત્ બદલે આપે છે. તેની બરોબરી નિર્મળ ચંદ્ર, સૂર્ય અને ઇદ્ધ પણ કરી શકતા નથી. અર્થાત ઉપકાર કરનારા પુરૂ કરતાં પ્રયુપકાર કરનારા પુરૂષો આ દુનીઆમાં ઉત્તમોત્તમ ગણાય છે. અને તે ઘણાં શેડ હેય છે. ૬
ઉપકાર દ્રવ્ય અને ભાવથી બે પ્રકારે હોય છે તે આ પ્રમાણે છે–અન્ન અને પાણી વિગેરેનું દાન કરવારૂપ હોય તેને દ્રવ્ય ઉપકાર જાણવો અને તે અનિશ્ચિત તેમજ અસ્થિર હોવાથી તેને દ્રવ્ય ઉપકાર કહેવામાં આવે છે. કોઈ પણ કારણ શિવાય પોતાના આત્માને અને પરને સમ્યજ્ઞાન તથા ચારિત્રમાં સ્થાપન કરે તેને તીર્થકર ભાવ ઉપકાર કહે છે. જે કોઈ પુરુષસિંહ આ જગતમાં પરોપકાર કરે છે, તેઓના યશ: રૂ૫ પટહને વનિ સઘળી દિશાઓમાં ફેલાય છે. એટલા માટે સામર્થ્ય હેય તે મનુષ્ય પરોપકાર કરવામાં ઉદ્યમ કરવો જોઈએ. કારણકે પરોપકાર કરવાથી ધર્મ અને ચંદ્ર જેવી નિર્મળ કીર્તિ દુનિયામાં પ્રસરે છે. જેમ વિકમરાજાની કીર્તિ ફેલાઈ હતી. આ ઠેકાણે વિકમરાજાનું ઉદાહરણ આ પ્રમાણે છે – . એક વખત વિકમરાજા રાજપાટિકાથી પાછા ફરતાં રાજમાર્ગમાં દાણા વિણવામાં તત્પર થએલા એક દરિદ્રને જોઈ બેલ્યા કે—જેઓ પિતાની ઉદરપૃત્તિ કરવામાં પણ સમર્થ હોઈ શકતા નથી તેઓનું આ જગતમાં ઉત્પન્ન થવું શા કામનું છે?” આ પ્રમાણે રાજા તરફથી કહેવામાં આવતાં તે દરિદ્રી બેલી ઉઠ્યો કે— જેઓ સારી રીતે સમર્થ છે છતાં પપકાર કરી શકતા નથી તેઓનું જન્મવું પણ આ દુનિયામાં નિરૂપયેગી છે.” આ પ્રમાણે દરિદ્રી તરફથી કહેવામાં આવતાં મહારાજા વિક્રમરાજાએ તે ભિક્ષુને સે હસ્તી અને બે કોડ સેનામહર બક્ષીસ કરી. વળી પ૫કારને વિચાર કરતાં કેઈએ કહ્યું છે કે –
Page #251
--------------------------------------------------------------------------
________________
ત્રયસ્રિશત ગુણવર્ણન.
૨૧૩
येषां न विद्या न तपो न दानं न चापि शीलं न परोपकारः । ते मर्त्यलोके भुवि भारभूता मनुष्यरूपेण मृगाश्चरन्ति ॥७॥ શબ્દા :—જે પુરૂષોને વિદ્યા, તપસ્યા, દાન, શીલ અને પરોપકાર હતા નથી તે પુરૂષો આ મનુષ્ય લાકમાં પૃથિવીને ભારભૂત થઇ મનુષ્યના રૂપને ધારણ કરી મૃગપણે પરિભ્રમણ કરે છે. ॥ 9 ॥
આ પ્રમાણે કાઇ કહે છતે હરિણે ઉત્તર આપ્યા કે—
स्वरे शीर्ष जने मांसं त्वचं च ब्रह्मचारिषु ।
शृङ्गे योगीश्वरे दद्यान्मृगः स्त्रीषु स्वलोचने ॥ ८ ॥
શબ્દા: – હરિણ સ્વરને માટે મસ્તક, મનુષ્યને માંસ, બ્રહ્મચારીઓને ચ, ચાગીશ્વરાને શીંગડાઓ અને સ્ત્રીને પેાતાનાં લેાચન આપે છે. અર્થાત્ હિરણના કહેવાના આશય એવા છે કે મ્હારા શરીરના સઘળા અવયવા પરોપકારને માટે છે. અને મનુષ્યના તે એક પણ અવયવ ઉપયોગમાં આવતા નથી તે મ્હારી સાથે મનુષ્યની ખરાબરી કરવી તે ઠીક નથી. ॥ ૮॥
વળી અહીંઆ પરોપકારના સંબંધમાં વિક્રમરાજાનું ઉદાહરણ આ પ્રમાણે છે– એક વખતે નદીના કિનારા ઉપર વીરવૃત્તિથી આમ તેમ ફરતા વિક્રમરાજાએ એક બ્રાહ્મણને નદીના પૂરમા ખેંચાતા જોઈ પરોપકાર કરવામાં રસવાળા રાજાએ તેને પાણીમાંથી બહાર કાઢયા. તેના બદલામાં બ્રાહ્મણે શ્રી ગિરિનામના પર્વત ઉપર દેવતાના આરાધનથી પ્રાપ્ત થએલી કાળી ચિત્રાવેલ રાજાને અર્પણ કરી તે લઇ ઉજચિની તરફ પાછા ફરતા મા'માં દ્ર૨િદીને જોઇ કૃપાપરાયણ થએલા રાજાએ તે ભિક્ષુને કાળી ચિત્રાવેલ આપી દીધી. ત્યારબાદ બ્રાહ્મણે કહ્યું કે— જે રહેમદિલના રાજાએ દુ:ખેથી મેળવેલી કાળી ચિત્રાવેલ એક દ્રરિદીને આપી દીધી તેવા હું વિક્રમાદિત્ય ? પાપકાર કરવામાં ત્હારી ખરેખરી કરનાર આ પૃથ્વિી ઉપર બીજો કાણુ હાઇ શકે ? ’ કાઈજ નહીં. જીવા અચેત પદાર્થા પણ નીચે બતાવ્યા પ્રમાણે ઉપકાર કરનારા હોય છે—
२ स्थानभ्रंशखराधिरोपणशिरश्चिखिल्लसंधारणशुष्यत्पांशुनिवेशपादहननक्लेशभ्रमाद्याः क्रियाः । धात्रा यद्यपि चक्रिरे मृदि तथाऽप्युऽभवत्वादियंपात्रीभूय परोपकारकृतिभूर्युक्तं कुलीने ह्यदः ॥ ९ ॥
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૧૪.
શ્રાદ્ધગુણ વિવરણ. શબ્દાથ:- પિતાના સ્થાનથી બીજા સ્થાનમાં લઈ જવું, ખર ઉપર ચઢાવવું, ઉપર કાદવનું નાખવું, સુકી ધૂળનું સ્થાપન કરવું, પગથી તાડન કરવું, કલેશનું આપવું, ચાક ઉપર ભમાવવું વિગેરે ક્રિયાઓ જો કે કુંભકાર માટી ઉપર કરે છે તે પણ આ માટી પૃથિવીથી ઉત્પન્ન હોવાને લીધે વાસણરૂપ થઈ પરોપકારજ કરે છે. કલીનને આમ કરવું યુક્ત જ છે. અર્થાત માટીની પેઠે ગમે તેવી આફત આવે તો પણ કુલીન પુરૂષે પોતાના અપકારી ઉપર પણ ઉપકારજ કરે છે. આ ३.धूलिक्षेपनखक्षतातुलतुलारोहावरोहस्फुर-- ल्लोहोट्टनपिजनादिविविधक्लेशान् सहित्वाऽन्वहम् । जज्ञे यः परगुह्यगुप्तिकृदिह श्रित्वा गुणोोल्लासितां कर्पासः स परोपकाररसिकेष्वाद्यः कथं नो भवेत्॥१०॥
શબ્દાર્થ –ધૂળમાં પડવું, નખેથી છેદાવું, હેટાં ત્રાજવાં ઉપર ચઢવું, પાછું ઉતરવું, તીણ લોઢાના ચરખામાં પીલાવું અને પિંજાવું વિગેરે નાના પ્રકારના કલેશને નિરંતર સહન કરી સુતરરૂપે થઇ જે કપાસ આ લેકમાં બીજાનાં ગુહસ્થાને ગોપાવનારે થયે છે, તે કપાસ પોપકાર પ્રત્યે પ્રેમ રાખનારાઓની અંદર અગ્રગામી કેમ ન થઈ શકે ૧૦ છે
- જ્યારે માટી વિગેરે અચેતન પદાથે બીજાના ઉપકાર માટે થાય છે, ત્યારે ચેતનયુક્ત પ્રાણીઓનું તે કહેવું જ શું? વળી–સંપૂર્ણ સુરાસુરની સંપત્તિ અને મોક્ષસુખ આપવામાં એક કલ્પવૃક્ષ સમાન પરેપકારને જિનેશ્વર ભગવાને સમસ્ત ધ
માં ઉત્કૃષ્ટ ધર્મ કહે છે. તે પરોપકાર દ્રવ્ય અને ભાવથી બે પ્રકારને હેય છે, એમ જાણી ધીરપુરૂએ તે ઉપકાર સઘળા પ્રાણુઓ ઉપર યથાયોગ્ય કરવા જોઈએ. ગરીબ, અનાથ, સંપત્તિહીન, ભૂખ્યા અને તરસ્યા પ્રાણુઓ ઉપર અનુકંપા લાવી તેમજ તપ, નિયમ જ્ઞાન અને દર્શનના ગુણોને પ્રચાર કરતા મુનિઓને ઉત્કૃષ્ટિ ભક્તિએ પોતાથી શક્તિ મુજબ અન્નાદિકના આપવાથી ઉપકાર કરે તેને દ્રવ્ય ઉપકાર કહેવામાં આવે છે. દુઃખથી રીબાતા પ્રાણીઓને જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ કરવારૂપ ઉત્તમોત્તમ ઉપકાર કરવામાં આવે તો તે ભાવથી ઉપકાર કર્યો એમ કહેવાય. પરંતુ ઉચ્ચકુળમાં ઉત્પન્ન થએલા, ધીર તેમજ ગંભીર પ્રકૃતિવાળા, ભવિષ્યમાં કલ્યાણને મેળવનારા અને મહા સામર્થ્યવાળા ઉત્તમ પ્રાણીઓજ બીજાને ઉપકાર કરવા માટે સમર્થ થાય છે. ભાવ ઉપકાર કરનારાઓને તે નિશ્ચયથી મેક્ષરૂપ ફળ પ્રાપ્ત થાય છે એ પ્રસિદ્ધ છે. તેવી રીતે દ્રવ્ય ઉપકાર કરનારાઓને પણ ભરત રાજાની પેઠે નિશ્ચયથી (આ લોક અને પરલોક સંબંધી) અતુળ ફળની પ્રાપ્તિ થાય છે. દ્રવ્યપકાર કરનાર ભરત રાજાનું કથાનક નીચે લખ્યા મુજબ છે –
Page #253
--------------------------------------------------------------------------
________________
ત્રયસિ શત્ ગુણવણ ન
૨૧૫
આ ભરતક્ષેત્રમાં તેજસ્વી પુરૂષષ રૂપ રત્નાના સમૂહથી શેાભતી લક્ષ્મીથી ૫રિપૂર્ણ અને પ્રસિદ્ધ થએલી ભાગવતી નામે નગરી હતી. જે નગરીમાં સજ્જનના સમૂહને આકષ કરનાર નિરતર લક્ષ્મીથી અવિયુકત અને દાનની વાસનાવાળા સમગ્ર નાગરિક લેાક ઘણું કરી પુરૂષાત્તમ (વિષ્ણુ) જેવા હતા. તે નગરીમાં પાતાની કીર્ત્તિથી સમગ્ર ભારતવષઁને ભરી દેનાર મ્હાટી રાજ્ય લક્ષ્મીરૂપ લતાને પુષ્ટ કરવા માટે મેઘ સમાન, પરોપકાર કરવામાં રસિક, અત્યંત ઉદારતાથી કલ્પવૃક્ષને પણ જીતી લેનાર અને નિશ્ચલ ધૈર્ય તેમજ અભ્યુદયથી સમગ્ર મહીમંડળને ઉવલ કરનાર ભરત નામે રાજા રાજ્ય કરતા હતા. તે રાજાને પાતાના રૂપથી દેવાંગનાઓના તિરસ્કાર કરનારી અને સઘળા અંતેરમાં શ્રેષ્ઠતા ભાગવનારી સુલેાચના નામની પ્રિયા ( ભાર્યા ) હતી. તે દ ંપતીને પૃથ્વીરૂપ કમલિનીને આનંદ આપવામાં ચંદ્ર સમાન, નીતિસ ંપન્ન અને વિનયવાન મહીચંદ્ર નામે પુત્ર હતા. કેટલેએક કાળ ગયા પછી એક વખત હર્ષિત થએલા શ્રી ભરત રાજાએ ભૂયલ પ્રમુખ કા દક્ષ મંત્રિઓને ખાલાવીને કહ્યું કે- હમારે હમેશાં ચિર’જીવી મહીચંદ્ર નામના આ મ્હારા પુત્રને સઘળા કાર્યોમાં પ્રમાણુ તરીકે સ્વીકારવા. અર્થાત્ તેની સલાહ શિવાય કાઇ પણ રાજ્યકાર્ય કરવું નહીં. તેમજ અસાધારણુ પરાક્રમવાળા આપ લેાકેાએ પણ આ પુણ્યશાલી પુત્રની સહાયતાથી સઘળા રાજ્યકારભાર ચલાવવેા. હું પાતે ઘણી સ ંપત્તિવાળા હેાવાથી દીન તેમજ અનાથ પ્રાણીઓના સમુદાયને ૫રોપકાર કરતા હમેશાં સુખપૂર્વક રહીશ. ' કહ્યું છે કે—
"
याचमानजनमानसवृत्तेः पूरणाय बत जन्म न यस्य । तेन भूमिरिह भारवतीयं न द्रुमैर्न गिरिभिर्न समुद्रैः ॥ ११ ॥
શબ્દા:-ખેદ છે કે જેનુ જન્મ યાચક લેાકેાની મનેાવૃત્તિને તૃપ્ત કરવા માટે નથી તેનાથી આ પૃથ્વી ભારવાળી છે. પરંતુ વૃક્ષા, પતા કે સમુદ્રે તેણીને બેજારૂપ નથી. અર્થાત્ સામર્થ્ય છતાં યાચકવર્ગના મનારથા પૂર્ણ નહીં કરનાર મનુજ્યા તેણીને એજારૂપ થાય છે. । ૧૧ ।
પૈસાથી અથવા તેા પ્રાણેાથી પણ પરને ઉપકાર કરવાજ જોઇએ. પરોપકારથી ઉપાર્જન કરેલું પુણ્ય સેકડા યજ્ઞાથી પણ થઇ શકતુ નથી એ પ્રમાણે હૃદયમાં વિચાર કરી રાજ્યની ધુરા પુત્ર ઉપર મુકી તે રાજા વિશ્વમાં નિરંતર ઉપકાર કરવામાં તત્પર થયા. એક વખતે અનેક પ્રકારની આધિવ્યાધિથી પીડાએલા તેમજ અનેક પ્રકારે નિરંતર મૃત્યુરૂપ સિંહથી ગળી જવાતા મનુષ્યાને જોઇ હૃદયની અંદર સંક્રમણ થએલા તેમના દુ:ખથી દુ:ખી થએલા તે કુપાળુ રાજા મનમાં આ પ્રમાણે
Page #254
--------------------------------------------------------------------------
________________
૧૬
શ્રાદ્ધગુણ વિવરણ,
વિચાર કરવા લાગ્યા કે–તુ. પૂર્વ ઉપાર્જન કરેલા પવિત્ર પુણ્યથી ગર્જના કરતા ગજ અને અવાની શ્રેણીથી વિલાસવાળી રાજ્યસ પથી વૃદ્ધિ પામેલા આ લેકમાં નરપતિ થયા છું, છતાં અત્યંત દુ:ખથી પીડાતા પ્રાણીઓનું રક્ષણ કરવા માટે મ્હારામાં લેશ માત્ર પણ સામર્થ્ય નથી ત્યારે મ્હારી ત્રણ વર્ગની લક્ષ્મી નિષ્ફળ જેવીજ છે. કારણ કે દુ:ખથી પીડાતા પ્રાણીઓના દુ:ખને દૂર કર્યા સિવાય માનિ પુરૂષા સામ્રાજ્યના મ્હાટા વિલાસાને પણ નકામા ગણે છે. વળી જે રાજા આ દુનીયામાં દુ:ખી પ્રાણીઓનુ રક્ષણ કરવામાં સમર્થ નથી, તે ખરેખર ચાંચા પુરૂષથી પણ હુલકાઇને પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે વિચાર કરતાં ખીલકુલ ગરહિત થયેલા તે રાજા રાત્રિના સુવાના મકાન પ્રત્યે જેટલામાં સુવા માટે જાય છે તેટલામાં સાવધાન થએલા રાજાએ પેાતાની વિશાળ શય્યામાં નિદ્રાવશ થયેલા અને દિવ્ય આકૃતિવાળા એક પુરૂષને જોયા. તેમજ ઉંચા સુવર્ણની અને જયાતિથી વાસભૂમિને પ્રકાશ કરનારી એક ગુટિકા તેના પડખામાં પડેલી રાજાના જોવામાં આવી. તે જોતાંજ આશ્ચર્ય પામેલા અને નિર્મળ હૃદયવાળા રાજા વાસભુવનમાં સુતેલા પુરૂષ પાસેથી તે ગુટિકાને જેટલામાં લેવાની તૈયારી કરે છે તેટલામાં એક્દમ જાગી ઉઠેલે તે પુરૂષ સભ્રમથી ઉંચા આકાશમાં ઉડી તરતજ પાળે પડ્યો અને ભયભીત થએલા ક્ષણવાર ઉભા રહ્યો. તે પછી પ્રાણીઓનુ રક્ષણ કરવામાં તત્પર ભરત રાજાએ તે પુરૂષને પૂછ્યું કે–તુ કાણુ છે! ક્યાંથી આવ્યા છે ? ત્હારૂં આચરણ આવુ કેમ છે? ’ તેના ઉત્તરમાં તે સાહિસક પુરૂષે જણાવ્યુ કે– હે સ્વામિન ? કૃપારૂપ સમુદ્રના મધ્યમાં રહેનાર અર્થાત્ દયા કરવા લાયક હું અનગકેતુ નામના પુરૂષ શુટિકાની સિદ્ધિ થવાથી ઘણા વેગળા આકાશમાર્ગથી શ્રી પર્યંત પ્રત્યે જતાં હું રાજન્ ! બુદ્ધિહીન થયેલા પરંતુ સુંદર હૃદયવાળાએ આ ખાલી સુખશય્યા જોઇ માર્ગના ખેદ દૂર કરવા માટે આ શય્યામાં વિશ્રામ લેતાં જેટલામાં હું નિદ્રાવશ થઉં છુ તેટલામાં તમારૂં આગમન થયું. હવે પછી તમારા પ્રસાદથી હું જીવિતદાન મેળવીશ ’ ત્યારમાદ નરપતિએ જીવાને સુખ આપનારી વાણીના ઉચ્ચાર કર્યો કે- હું મહાભાગ્યશાળી ! તુ નિશ્ચિત હૃદયવાળા થઇ સુખેથી નિદ્રા લે, જેથી હું હારી પાસે રહે ઘણા કાળ સુધી જીવિતને ધારણ કરનાર એવા તને પવન નાંખુ ’· એ પ્રમાણે નરપતિના ખેલવાથી ખુશી થએલા રાજાના ચરણમાં પ્રણામ કરી તે સિદ્ધ પુરૂષ બેલ્યા કે– હે વિશ્વને આધારભૂત ! તુ દેવતાઓને પણ નમસ્કાર કરવા લાયક છે તેમજ ઉપકારગુણ સઘળા ગુણામાં શિરામણી ગણાય છે તે ઉપકાર ત્હારામાં સીમારૂપે પ્રાપ્ત થઇ ત્રણ જગત્ની અંદર જાગરૂક થયા છે એવા રાજાઓના અધિપતિ અને મને આયુષ્યપર્યંત જીવિતદાન આપનાર ત્હારા ઋણથી આ તૃણ જેવા મનુષ્ય
Page #255
--------------------------------------------------------------------------
________________
યસ્ત્રિ શત્ ગુણવર્ણન.
૨૭
કેવી રીતે મુક્ત થવાના ? ’ તે પછી તેના વિનયગર્ભિત વચનાથી સ્નેહયુકત હૃદયવાળા રાજાએ અસાધારણ આશ્ચય આપનારી ગુટિકા તે સિદ્ધપુરૂષને સ્વાધીન પ્ર્યની સાથેજ‘હે રાજન! મ્હારા ઉપર પ્રસન્ન થઈ આ ગુટિકાને ગ્રહણ કરી મને અનુગ્રહ કરી ’એ પ્રમાણે સિદ્ધપુરૂષે કહે છતે રાજા બીજી વખત આ પ્રમાણે મેલ્યા- હે કૃતજ્ઞશિરામણુિ ! હુ કાઈનું કંઈપણ ગ્રહણ કરતા નથી તેા હે સિદ્ધપુરૂષ ! ત્હારી આ ગુટિકા
મ્હારાથી કેવી રીતે ગ્રહણ કરી શકાય? પરંતુ હે પતિપુરૂષ ! ઘણા મ્હોટા મહિમાથી આશ્ચર્ય આપનારી અને દુ:ખેથી પ્રાપ્ત થનારી આ ગુટિકા કયાંથી મેળવી શકાય છે. તે હકીકત હું ડાહ્યાપુરષ! મને કહી સંભળાવ્ય ’ આ પ્રમાણે રાજાના આદેશ થતાં તે સિદ્ધપુરૂષ ખેલ્યા કે હું રાજાના મસ્તકેાથી મુકુટાયમાન ચરણુ ! તું સાંભળ, દક્ષિણ દિશામાં અસ્તિ ધરાવતા મલયાચલ નામે એક પત છે તેના અતિ ઉંચા અને સર્વ ઋતુમાં પ્રકૃāિત થનાર વનવાળા શિખર ઉપર રામશેખરદેવનું જગતમાં આશ્ચર્યજનક એક મદિર છે. ત્યાં ખાળમાંથી પડતુ અને મળતા અગ્નિના જેવુ દેવતાનુ સ્નાનજળ જે સાહસિક પુરૂષ પોતાના હાથમાં છ મહિના સુધી ધારણ કરે છે તે પરાક્રમના ખજાનારૂપ તેમજ શુદ્ધવિધિના જાણકાર પુરૂષ દેવની પ્રસન્નતાથી હે રાજન્ ! આવા પ્રકારની શુટિકાને મેળવી શકે છે. વળી આ ગુટિકા માટે અનેક ડાહ્યાપુરૂષષ તે ઠેકાણે આવે છે. પરંતુ કાઇએક પુણ્યાત્મા મહાશય તેણીને પ્રાપ્ત કરી શકે છે. ’ આ પ્રમાણે તે સિદ્ધપુરૂષનું મનેાહર વચન સાંભળી હૃદયમાં વિસ્મય થએલા રાજાએ તે સિદ્ધપુરૂષને ઘણા માનપૂર્વક ત્યાંથી રવાને કરી તેજ શય્યામાં પવિત્ર અને નિશ્ચિત હૃદયવાળા રાજા સુખરૂપ નિદ્રાથી અધ રાત્રિનું ઉલ્લ્લંઘન કરી શય્યામાંથી ઉઠી તરતજ વેશ બદલાવી અત્યંત પરાક્રમી, હાથમાં તરવાર ધારણ કરનાર, કલ્યાણુ કરનાર, મહાન્ પુરૂષાની ગતિને અનુસરનાર અને ચારે તરફથી નિપુણ પરિવારથી પણ નહીં જાણવામાં આવેલા તેમજ રાજાએની અંદર હસ્તિસમાન તે ભરતરાજા પેાતાના દેઢીપ્યમાન રાજભવનમાંથી બહાર નિકળી ગયા. ત્યારખાદ અત્યંત ઉત્સાહ અને નિરતર ગતિથી માર્ગોમાં ચાલતાં તે વેગવાળા રાજાએ નિવિઘ્નપણે ઘણી પૃથ્વીનુ ઉલ્લ્લંધન કર્યું, તેમ કરતાં કેટલાએક દિવસે પછી રાજા તાપની આપત્તિ દૂર કરનાર મલયાચલના શિખરને રત્નના મુકુટસમાન અને હાલતા ચંદન તેમજ કલ્પવૃક્ષની શ્રેણીથી શાલનાર એવા રામશેખરદેવના મંદિરને પ્રાપ્ત થયા. ત્યાં પુષ્કરિણીના જળથી સ્નાન કરી નિર્મળ થએલા, સજ્જનાને પ્રીતિ ઉત્પાદક અને ઇંદ્રિયાને વશ કરનાર તે રાજાએ કમળાને લઈ મંદિરમાં પ્રવેશ કર્યો અને ત્યાં નિષ્કપટ અનુષ્ઠાને કરી પવિત્ર થએલા રાજાએ રામશેખરદેવની પૂજા કર્યા બાદ તે નિષ્કપટ રાજા જેટલામાં સ્નાત્રનુ પાણી ગ્રહણુ કરવા માટે પ્રયત્ન કરે છે તેટલામાં સ્નાત્રના પાણીની ચારે તરફ પરિભ્રમણ કરતા,
૨૮
Page #256
--------------------------------------------------------------------------
________________
૧૮
શ્રાદ્ધગુણ વિવરણ,
કાલાહુલ કરતા અને માર્ગનું અવલાકન કરનારા ઘણા મનુષ્યા તેના જોવામાં આવ્યા. તે પછી કુતુહુલથી રાજાએ ‘ તમે કેટલા છે ’ એવા પ્રશ્ન કરે છતે તેઓએ હાથ ઉંચા કરી જણાવ્યુ કે અમે એક સા અને આઠ છીએ ’ આવી રીતે વાતા કરવાથી કાંઇ કાર્યસિદ્ધિ થવાની નથી એ પ્રમાણે મુખેથી ખેલતા રાજાએ એકદમ અગ્નિના જેવુ ઉષ્ણુ સ્નાત્રનું પાણી કરકમળમાં ધારણ કર્યું પરંતુ તે પાણીની આંતા વગર પડતી ધારાને કરકમળમાં ધારણ કરનાર તે સાહસિક રાજાનુ એક રામ માત્ર પણ કંપ્યું નહીં અને તેના નિ:સીમ પરાક્રમથી અંત:કરણમાં પ્રસન્ન થએલા દેવે તત્કાલ એક ઉત્તમ ગુટિકારત્ન રાજાને અપણુ કર્યું. તે માટે કહ્યું છે કે— रथस्यैकं चक्रं भुजगदमिताः सप्ततुरगा निरालम्बो मार्गश्चरण विकलः सारथिरपि ।
रविर्यात्येवान्तं प्रतिदिनमपारस्य नभसः क्रियासिद्धिः सत्त्वे वसति महतां नोपकरणे ॥ १२ ॥
શબ્દા :એક પૈડાના રથ, સ`થી વસ કરેલા સાત ધાડા, આલંબન વગરના રસ્તા અને પગ વિનાના સારથી છે તે પણ સૂર્ય હંમેશાં મર્યાદા વગરના આકાશના છેડા લાવે છે. તેથી સ્પષ્ટ જણાઇ આવે છે કે મહાન પુરૂષોની કાયસિદ્ધિ પરાક્રમમાં વાસ કરે છે ન કે સાધનમાં, અર્થાત્ જો કે સૂર્યનાં સાધના નિમલ છે તે પણ પાતાના પરાક્રમથી સૂર્ય આકાશના અત લાવે છે તેમ સત્ત્વવાળા પુરૂષોએ પાતાના સત્ત્વથીજ ધારેલા કાયની સિદ્ધિ કરવી જોઇએ. સાધના તે કેવળ નિમિત્ત માત્રજ હાય છે. સત્ત્વ વિનાને પુરૂષ ગમે તેટલા સાધનયુક્ત હેય, તો પણ જ્યા કા આવી પડે છે ત્યારે તે સાધના તેને ખોજારૂપ થઈ પડે છે. અને કાર્યસિદ્ધિ કરી શકતા નથી. ખરી રીતે વિચાર કરીએ તે કાર્યસિદ્ધિ સત્ત્વમાંજ રહેલી છે. ૫ ૧૫
વળી ટિકા માટે આવેલા આ લેાકેાના મનારથા અધુરા રહ્યા છતાં પરાક્રમથી મેળવેલી આ ગુટિકાને ગ્રહણ કરી હું કેવી રીતે ચાલ્યા જઉં એ પ્રમાણેવિચાર કરી પરોપકાર કરવાના વ્રતવાળા રાજાએ એકદમ તે ગુટિકા તેમાંના કાઇએક પુરૂષને આપી દીધી. વળી બીજી વખત પેાતાના માટે પૂર્વની પેઠે વિધિપૂર્વક તે પાણીને ધારણ કરતા પુણ્યવાન રાજાએ તેવી મીજી ગુટિકા પુણ્યથી પ્રાપ્ત કરીકે તરતજ પરોપકાર કરવામાં અતૃપ્ત થએલા અને કૃપાળુ પુરૂષાની અંદર અસાધારણ તે મહાશય રાજાએ બીજા કાઇ પુરૂષને તે ગુટિકા આપી દીધી. હવે તે સઘળા મનુષ્યાની એક સાથે ઇષ્ટ સિદ્ધિ કરવાની ઈચ્છાથી ત્રીજી વખત પણ તે સ્નાત્રના પાણીને હાથમાં ધારણ કરનારા અને પ્રથમ બે વખત ઉષ્ણ જળ ધારણ કરવાથી
Page #257
--------------------------------------------------------------------------
________________
રિત થશવાન. તેની સઘળી આંગળીઓ બળી જવાને લીધે આ વખતે ઘણોજ બળે છે તે પણ અત્યંત સ્થિર ચિત્તવાળા રાજાના સર્વોત્તમ સાહસથી તેમજ તેની ઉપમારહિત ઔદાર્યતાની લીલાથી હૃદયમાં પ્રસન્ન થએલો અને અતુલ્ય વાત્સલ્ય કરવામાં ક૫વૃક્ષ સમાન રામશેખરદેવ પ્રકટ થઈ બે કે –“હે પ્રજાપ્રિય! ઘણું કરીને છમહિના સુધી ઉપાસના કરનાર એવા કેઈએક સાધક પુરૂષને પણ જ્યારે આ ગુટિકા આપતા જ નથી ત્યારે મેં તને એક દિવસમાં બે ગુટિકાઓ અર્પણ કરી પરંતુ તે ઉત્તમપુરૂષ! તેં તો તે બે ગુટિકાઓ લીલા માત્રમાંજ બીજાઓને આપી દીધી, માટે હે ધીરપુરૂષની ધૂરાને ધારણ કરનાર શ્રેષ્ઠ પુરૂષ ! હારી ઔદાર્યતાની
સ્તીને પ્રકાશ આશ્ચર્યજનક છે તેથી હું હારી ઉપર તુષ્ટ થયે છું માટે જે તને ઈષ્ટ હોય તે કહી દે એટલે તે હું કરી દઉં.દેવનાં આવા વચને સાંભળી વિનયથી નમી પડેલા રાજાએ કહ્યું કે–“તું જગતને પૂજનિક દેવ ક્યાં? અને તૃણ જે હું કયાં? અર્થાત્ હારી અને હારી બરાબરી થઈ શકે જ નહીં પરંતુ હારા દર્શન નથી મહારે આ જન્મ સફળ થયે છે તે પણ હે સ્વામિન્ ! હારી એક પ્રાર્થના સફળ કરવાને તું યેગ્ય છે અને હમેશાં ત્યારે શરણે આવેલા મનુઑનું મનવાંચ્છિત પૂર્ણ કરવામાં કામકુંભ જે તુંજ પ્રસિદ્ધ થયેલ છે. તે માટે હે વિબુધ! જલદી પ્રસન્ન થઈમ્હારી સેવાથી આ લોકોની કામના પૂર્ણ કર.” એવી રાજાની પ્રાર્થનાથી ખુશી થએલા તે રામશેખર દેવે તે લોકોને અને રાજાઓને એકદમ ગુટિકાઓ આ પીને વિસર્જન કર્યો. ભરતરાજા પણ દેવથી મેળવેલી ગુટિકાને લઈ વળી વિનયપૂર્વક રામશેખરદેવને નમસ્કાર કરી કૃતાર્થ થએલો, પવિત્ર મનવાળા અને વિશાળ બુદ્ધિવાળો રાજા આકાશ માર્ગથી જતાં મહારાષ્ટ્રદેશમાં અલંકારરૂપ સ્કિપુર નામના નગર પ્રત્યે પ્રાપ્ત થયું. તે નગરના ઉદ્યાનમાં ભવ્ય પ્રાણીઓના સમૂહને ધર્મમાર્ગ ને ઉપદેશ કરતા, આત્મરમણુતામાં પ્રીતિ કરનારા મુનીદ્રાથી સેવા કરાતા પ્રકાશ કરનાર ઉત્તમજ્ઞાન યુક્ત, રેગરહિત, સંપૂર્ણ પાપોને નાશ કરનાર અને વેગળે રહેલા સૂરીશ્વરને તે ભરતરાજાએ હર્ષપૂર્વક જોયા. ત્યારબાદ કુતૂડળથી તે સ્થાનમાં જઈ પ્રાણુઓને આધારભૂત, સારા વિચાર કરનાર અને પ્રકૃતિથી ભદ્રકપરિકૃતિવાળા તે રાજાએ સૂરિને નમસ્કાર કરી ઉચિત સ્થાનમાં બેઠા. તે અવસરે વિસ્મય થએલા ઘણું લોકની લાઘા યુક્ત સુરીશ્વરે પણ રાજાને ઉચિત ઉપદેશ આપે તે આ પ્રમાણે છે – चिन्तारत्नं मणीनामिव दिविजकरी सिन्धुराणां ग्रहाणा
मिन्दुः कल्लोलिनीनां सुरसरिदमरक्ष्माधरः पर्वतानाम्।
Page #258
--------------------------------------------------------------------------
________________
શાહગુણ વિવરણ. कल्पद्रुः पादपानां हरिरमृतभुजां चक्रवर्ती नराणाम् ,
धर्माणामन्यजन्तूपकृतिरपि तथा राजते ह्युत्तमत्वे ॥१३॥
શબ્દાથ–મણીઓમાં ચિતામણિરત્ન, હાથીઓમાં ઐરાવણહાથી, ગ્રહમાં ચંકમા, નદીઓમાં ગંગાનદી, પર્વતમાં મેરૂપર્વત, વૃક્ષમાં ક૯૫વૃક્ષ, દેવતાઓમાં વિષ્ણુ અને મનુષ્યમાં ચકવર્તી જેમ ઉત્તમપણે શેલે છે તેમ સમગધર્મોમાં પોપકાર ધમ પણ ખરેખર ઉત્તમોત્તમ પણે શોભે છે. | 3
એ પ્રમાણે આચાર્યને ઈષ્ટઉપદેશ શ્રવણકરી પ્રસન્ન મનવાલા રાજાએ આગ્રહ પૂર્વક યથોચિત ઉપકાર કરવા રૂપ ધર્મને ગ્રહણ કર્યો. તે પછી અરિષ્ટપુર નામના નગરમાં પરિભ્રમણ કરતાં વીરવૃત્તિનું આચરણ કરવામાં નિપુણ હૃદયવાળા તે ભૂપતિએ સાક્ષાત્ ઉત્તમશરીરવાળા અને રાજાના સુભટ સમુદાયથી વધ્યભૂમિ પ્રત્યે લઈ જવાતા એક મનુષ્યને જોઈ વિચાર કર્યો કે ખરેખર ખેદ કરવા જેવું છે કે મહારા જોતાં આ પુરૂષને નિર્દયપણે કેવી રીતે મારે છે? એ મહારે જોવાનું છે. એમ વિચાર કરતાં અત્યંત કરૂણ યુક્ત થએલા રાજાએ તે સઘળા સુભટના દેખતાંજ તે પુરૂષને પ્રબળ હાથથી ઉપાડી એકદમ આકાશ પ્રત્યે ચાલ્યો ગયો અને બીજાથી ન જિતાય એવા પરાક્રમવાળા તેમજ જેના આગમનની પ્રાર્થના કરાય છે તેવા રાજાએ ક્ષણવારમાં સાતમાળવાળું પિતાની નગરીમાં રહેલું વાસભવન ભૂષિત કર્યું. તે પછી રાજાનું આગમન થએલું જાણું ઉલ્લાસવાળા પરિવારથી વીંટાએલે રાજા જેટલામાં સભાજન વિગેરે કિયાને કરવા તત્પર થાય છે તેટલામાં યુવરાજની સાથે ભેગાથએલા સઘળા સાંમતે અને જાણે હર્ષથી ઉલ્લાસ પામેલા સમુદ્ર ન હોય તેવા નગરના લેકેએ પણ મસ્તકને પૃથ્વી સાથે મેળવી પ્રેમપૂર્વક રાજાને નમસ્કાર કર્યો અને બહુમાન પૂર્વક કુશળવાર્તા પુછી. આ પ્રમાણે આનંદેત્સવ થઈ રહ્યો છે તે વખતે અવસર પામી પવિત્ર વર્તનવાળા મંત્રીઓએ બે હાથ જોડી વિનંતિ કરી કે હે દેવી! કયા કાર્ય માટે આટલા કાળ સુધી કઈ દિશાને આપે પવિત્ર કરી તે હમારા આનંદની વૃદ્ધિ માટે પ્રસન્ન થઈ હમને કહી સંભળાવો” આ સાંભળી હારે આત્માનાગુણ ગ્રહણ કરવા રૂપ પાપ કેમ કરવું જોઈએ ? એમ વિચાર કરી લજાવાળો રાજા જેટલામાં મન ધારણ કરે છે તેટલામાં રાજાની આગળ ઉભેલા કેઈ એક રૂપવાન પુરૂષ પ્રધાન કાન્તિવાળો મેતીને હાર રાજાને અર્પણ કર્યો. એટલે રાજાએ પુછયું કે–તું કેણ છે? મને હાર આપવામાં શું કારણ છે? તે એકદમ પ્રગટ પણે કહીદે આપ્રમાણે આદેશથતાં તે પુરૂષે જણાવ્યું કે--હે મહારાજ? ગુણરૂપલક્ષ્મીથી શોભનારા આ હારને અર્પણ કવાનું કારણ વિગેરે વૃત્તાંત હું કહું છું, તે તમે ધારણ કરે. એ પ્રમાણે કહી વૃત્તાંત શરૂ કર્યું.
Page #259
--------------------------------------------------------------------------
________________
ત્રયસિત ગુણવર્ણન. સિંહલદ્વીપમાં રત્નપુરનામે નગરમાં પવિત્ર ગુણરૂપ રત્નને આધારભૂત રત્નપ્રભ નામે રાજા છે, અને તેને વિલાસ કરતી વિજ્યાએ કરી ઉજજવલ તેમજ વિકાશ પામતા શીલરૂપ રત્નને ધારણ કરનારી પાર્વતીના જેવી રત્નાવતી નામે ભાર્યા છે, કેમળ હૃદયવાળી તેણીએ કેઈએક અવસરે હર્ષ પૂર્વક ગુરૂ મહારાજ પાસે અષ્ટાપદ ઉપર દેવવંદન કરવાનો મહિમા સાંભળી વિવેકરૂપ આમ્રવૃક્ષ પ્રત્યે એના જેવી, જિને
ને નમસ્કાર કરવાની ઈચ્છાવાળી અને દઢ નિશ્ચયવાળી રત્નાવતીએ જ્યાં સુધી યાત્રા ન થાય ત્યાંસુધી ભેજનમાં સારભૂત ઘી વિગેરે વિગ નહી લેવા નિશ્ચય કર્યો. અષ્ટાપદ પર્વત ઉપર વિદ્યાધરે અને દેવતાઓની ગતિ છે, પરંતુ ભૂમિચારિ મનુબેની ગતિ નથી, તેથી અંગીકાર કરેલી પ્રતિજ્ઞા પૂર્ણ થવી ઘણી મુશ્કેલ છે. એમ અંતઃકરણમાં માનતી રાજવલ્લભા વારંવાર આ પ્રમાણે બોલવા લાગી કે–આકાશમાં ગમન કરવાવાળા તે વિદ્યાધરે અને દેવતાઓને ધન્ય છે કે, જેઓ હમેશાં તીર્થ યાત્રાએ કરી પિતાના આત્માને પવિત્ર કરે છે. તીર્થ યાત્રાકર્યા સિવાય મહારે આત્મા તે અકૃતાર્થ છે, એ પ્રમાણે નિરંતર વિચાર કરતી તે રાણી અત્યંત ખેદ કરવા લાગી, તે જોઈ રાજા પણ તેણીના દુઃખથી દુઃખી થયેલો આ પ્રમાણે વિચાર કરવા લાગ્યું કે, હારી પ્રિયા રત્નવતીની યાત્રાસિદ્ધિ કેવી રીતે થશે? એવી રાજાની ચિંતાને જાણું લઈ મંત્રીઓએ કહ્યું કે-“હે રાજની આ કાર્યસિદ્ધિ માટે તું ઘણા ખેરવાળો ન થા.” તે પછી મંત્રિઓએ કહેલું રામશેખર દેવની ગુટિકાનું આશ્ચર્યજનક માહાસ્ય સાંભળી મુખ્ય મંત્રિ ઉપર રાજ્યભાર આરેપણ કરી ગુટિકા માટે ઉત્સુક થયેલ અને રાજાઓમાં અગ્રગામી તે રાજા રામશેખર દેવના ભવન પ્રત્યે ચાલ્યા ગયે, તેટલામાં હે પ્રજાપતિ? પરાક્રમના સ્થાનભૂત અને પરોપકાર કરવામાં જાગરૂક થયેલો કેઈએક પુરૂષ ત્યાં આવી પહોંચે. તે વખતે તત્કાળ આવેલા તે પુણ્યશાળી અને અસાધારણ પરાક્રમરૂપ ક્રીડામાં વિલાસ કરનારા ઉત્તમ પુરૂષે એકજ દિવસમાં તે ગુટિકા પ્રાપ્ત કરી અને તે જ વખતે દાનેશ્વરીમાં પ્રધાનપદ ભેગવતા તે મહાન પુરૂષે હમારા સ્વામિ રત્નપ્રભ નરેંદ્રને તે ગુટિકા અર્પણ કરી. તે લઈને તત્કાળ કૃતાર્થ થયેલે હમારે સ્વામી પોતાના નગર પ્રત્યે પાછો આવે કેમકે કાર્યની સિદ્ધિ થતાં ઉત્તમ વિચારવાળે પુરૂષ ખરેખર કેઈપણ ઠેકાણે વિલંબ કરી શકતા નથી. પછી તે ગુટિકાના પ્રભાવથી મહાસતી રત્નપતીને અષ્ટાપદ મહાતીર્થ સંબંધી યાત્રાને મનોરથ પરિપૂર્ણ થયે. તેથી તે અવસરે ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગથી વિકાસ પામતે તે નગરીને સઘળે જનસમુદાય આનંદિત થયે, અને તે માટે નિષ્કપટ મને વૃત્તિથી નગરમાં ધર્મ સંબંધી વધામણાં કરાવ્યાં. ત્યાર બાદ આકાશ માર્ગમાં ગમન કરવાની શક્તિ શિવાય આ અભિગ્રહ પૂર્ણ થવે ઘણે મુશ્કેલ છે એ પ્રમાણે રત્નાવતીએ વિચાર કરી નગરની બહાર ચળકતા ચાર દ્વારા
Page #260
--------------------------------------------------------------------------
________________
શાહણ વિલ વાળો, રંગ અને પ્રમાણુ વિગેરેથી વર્ણન કરવા લાયક એવી જિનેશ્વરની પ્રતિમા એથી ભૂષિત, અત્યંત ઉંચે અને જગતના લેકેને આનંદદાયક અષ્ટાપદ અવતાર નામને એક પ્રાસાદ મનુષ્યની યાત્રાસિદ્ધિ માટે રાજા પાસે કરાવ્યું. કેઈએક દિવસે આકાશમાં વિહાર કરનારા ઉત્તમ ચારણ સાધુઓ તે અષ્ટાપદમાં દેને વંદન કરવાની ઈચ્છાવાળા નિચે ઉતર્યો. પ્રાણીઓને હિત કરનારા તે મુનિયાને હારા રાજાએ વિનયપૂર્વક નમસ્કાર કરી અવસર મળતાં હાથ જોડી પ્રશ્ન પૂછ્યો કે-હે મુનીશ્વરે ! વિશ્વમાં હમેશાં ઉન્નતિ કરનારા અને પરોપકાર કરનારા કયા ઉત્તમ પુરૂષે કારણે શિવાય રામશેખરના મંદિરમાં આશ્ચર્ય કરનારી અને આકાશ મા ગમન કરવામાં અસાધારણ શક્તિને પ્રગટ કરનારી ગુટિકા મને અર્પણ કરી. ?” આ પ્રશ્નના ઉત્તરમાં અતિ આશ્ચર્યકારક, આનંદજનક અને યથાર્થ એવું હે ભરતભૂપતિ! હારૂં ચરિત્ર મુનીશ્વરેએ કહી સંભલાવ્યું તે સત્કારપૂર્વક હમારા રાજાએ સાંભળીને હે રાજેદ્ર! ઝેરને દૂર કરનાર આ હાર આપને ભેટણ તરીકે આનંદપૂર્વક મેકલાવ્યા છે. તેથી હે જગના પ્રાણીઓને આનંદ આપનાર ! હે મહારાજ ! પ્રસન્ન થઈ અમારા અનુગ્રહ માટે આ હારને ગ્રહણ કરે. ભરતરાજા તેનું વિનયયુક્ત વચન સાંભળી સભાની અંદર બહુ માનપૂર્વક આ પ્રમાણે બોલ્યા કે અહો ! તે રાજાની કૃતજ્ઞતા અહો! તેની લેકેત્તર સ્થિતિ ! જે હારા સ્વ૯૫ પરોપકારને મેરૂપર્વતથી પણ મેટ માની તે ડાહ્યા અને શિષ્ટ શિરોમણિ રાજાએ મહિમાના સ્થાનભૂત આ હારને પોતે મોકલાવે છે, પરંતુ જે પુરૂષ બીજાને ઉપકાર કરી તેના પ્રત્યકારની ઈચ્છા રાખે છે તે પુરૂષ ક્ષણવારમાં પોતાના આત્માને નિ:સત્વ પુરૂષની પંક્તિમાં સ્થાપન કરે છે. તે માટે કહ્યું છે કેइयमुञ्चधियामलौकिकी महती काऽपि कठोरचित्तता। उपकृत्य भवन्ति दूरतः परतः प्रत्युपकारशङ्कया ॥ १४ ॥
શબ્દાથી–ઉન્નત બુદ્ધિવાળા પુરૂષોની આ ચિત્ત કઠોરતા મોટી અને કાંઈ વિલક્ષણજ જણાય છે કેમકે પિતે ઉપકાર કરી બીજાના પ્રત્યુપકારની શંકાથી દૂર થઈ જાય છે. અર્થાત મેં જેના ઉપર ઉપકાર કર્યો છે, તે પુરૂષ અને તેને બદલે આપશે એવા ભયથી ફરીથી તેના સમાગમમાં આવતા નથી. ૧૪ .
તે કારણથી તે ઉત્તમ પુરૂષ! આ હારને હું ગ્રહણ નહી કરું. એ પ્રમાણે તેની સાથે સંભાષણ કરી અને સંતેષ પમાડી તે પુરૂષને રાજાએ પાછો મેકલ્ય, કે ઈએક વખત અરિષ્ટપુરથી જે પુરુષને ઉપાડી લાવ્યા હતા હતા તે પુરૂષને પિતે રાજાએ પુછ્યું એટલે તેણે પોતાનું ચરિત્ર કહી સંભળાવ્યું તે આ પ્રમાણે છે
Page #261
--------------------------------------------------------------------------
________________
ત્રણ ગણુન, કથા કરવાથી આજીવિકા ચલાવનાર, રાજાને સેવક અને અનેક શાસને જાણ કાર પરિશર નામને પ્રસિદ્ધિ પામેલે હું કથક છું. દેવતાના આદેશથી જે જે હું કથાનક કહું છું તે તે કથાનક અત્યંત આશ્ચર્ય કરવાવાળું અને ખરેખર તેવું જ હોય છે અર્થાત્ સત્યભૂત હોય છે. કેઈએક વખતે રાજાની આજ્ઞાથી રોગગ્રસ્ત થએલા રાજપુત્રના આરોગ્ય માટે મેં મંત્રપચારને પ્રારંભ કર્યો પરંતુ દુષ્ટ કર્મોની ગતિ વિચિત્ર હોવાથી રાજાને પુત્ર ક્ષણવારમાં મરણ પામે તેથી લોકોમાં મહારે અપવાદ થયે. તે સાંભળી આ પુરૂજ કુમારને મારી નાંખે છે એમ ધારી કુપિત થએલા રાજાએ મને મારવા માટે સુભટને સેંપી દીધો. આપ કૃપાળુ તે સુભટેથી છેડાવી મને અહિં લાવ્યા છે તે હવે પછી હારૂં જીવિત તમારા સ્વાધીન છે. એ પ્રમાણે બોલી તે મન થતાં રાજાએ ગૌરવપૂર્વક તેના પ્રત્યે કહ્યું કે, તું કેઈએક આશ્ચર્યજનક કથાનક મને કહી સંભળાવ. રાજાને આદેશ થતાં રાજાના આશયને સમજનાર તે પારાશર નામના પુરૂષે સાવધાન થઈ રાજા પાસે યથાર્થ કથાને કહેવા લાગે તે કથા નીચે પ્રમાણે છે
લક્ષમીને આધારભૂત ગાંધારદેશમાં વૃદ્ધિ પામતી સંપત્તિથી સ્વર્ગને પણ સેવક બનાવનારૂં ગંધારનામનું નગર હતું. ત્યાં વિરેચન નામને કેઈક કુલપુત્ર હતે તેને જગતની અંબાના જેવી શંબા નામની ભાર્યા હતી. આપસ આપસના અત્યંત પ્રેમરૂપ સમુદ્રમાં નિમગ્ન થએલા અને રાજસેવાથી પરાધીન વૃત્તિવાળા તે બનેને કેટલાએક કાળ વ્યતીત થયે. કે એક વખતે વિરેચનને ચેરેએ મારી નાંખે, જેથી તે મનેહર નંદિગ્રામમાં દામોદર નામના બ્રાહ્મણના પુત્રપણે ઉત્પન્ન થયે. કેઈએકદિવસે તે દાદરને જઈ દેવા મહોત્સવ થઈ રહ્યો છે તેવામાં તેના પૂર્વભવની ભાર્યા શબા નામની પોતાના પતિનાં હાડકાં ગંગાના પ્રવાહમાં પધરવી ભેજન વિગેરેને માટે પરિભ્રમણ કરતી દેવગથી ત્યાં જ પ્રાપ્ત થઈ. તેણુએ બ્રાહ્મ
થી મંગળભૂત બનાવેલા દામોદરને જે, દામોદરે પણ તેવીજ રીતે તેણીને જોઈ. આ પ્રમાણે પરસ્પર જેવાથી તે બન્નેને પૂર્વભવ સંબંધી અખલિત પ્રેમ ઉલ્લાસ પામે. તે માટે કહ્યું છે કે
यं दृष्ट्रावईते स्नेहः क्रोधश्च परिहीयते ।
स विज्ञेयो मनुष्येण एष मे पूर्वबांधवः ॥ १ ॥ શબ્દાર્થ –જેને રાખીને સ્નેહ વૃદ્ધિ પામે અને ક્રોધ નાશ પામે તે પુરુષને મનુષ્ય જાણવું જોઈએ કે એ મહારે પૂર્વભવને સંબંધી છે અગર સ્વજબ છે. માતા
ધળી ઊહાપોહ કરવાથી અર્થાત્ વિચાર કરવાથી દાદરને જાતિસ્મૃતિના
Page #262
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણ વિવરણ. ઉત્પન્ન થયું તેનાથી શબાને ઓળખી લીધી અને તેનામાં એક ચિત્ત થયેલે તેની દષ્ટિ બ્રાહ્મણે મુકાવે છે પણ મૂર્તિ નથી. આ સ્ત્રીને સંસર્ગ દાદરના કુળને કલંકધૂત છે એમ વિચાર કરી બ્રાહ્મણેએ મુંબારાવ કરતી શબાને ત્યાંથી કાઢી મૂકી. તે પછી તેને વિયાગરૂપ અગ્નિથી સંતપ્ત થયેલો અને ઉદ્વેગ પામેલો દાદર પણ મરણ પામી કઈ એક વનની અંદર હરિણપણે ઉત્પન્ન થયે, તે વનમાં તેવી જ અવસ્થાવાળી શંબાને પરિભ્રમણ કરતી હરિણે જોઈ, ત્યાં પણ પૂર્વના પ્રેમથી તે બન્નેને પાછી તેવીજ પ્રીતિ પ્રગટ થઈ આવી, તે પછી સર્વ ઠેકાણે તેની પછવાડે ભ્રમણ કરતા અને નિર્ભય મનવાળા હરિણને કૂરપણે મારવાથી દુઃખ ભેગવી મરણ પામી વાંદરે થય, તે ઠેકાણે પણ તે શંબાને જઈ પૂર્વની પેઠે સ્નેહ ઉત્પન્ન થયે તેથી તેણીને ફળ વિગેરે લાવીને આપતાં લેકથી મૃત્યુને પ્રાપ્ત થશે. તે પછી વાણારસીની સીમાની પાસેના ગ્રામમાં વેદવિદ્યામાં નિપુણ દિત્ત નામે બ્રાહ્મણને પુત્ર થયે. તેને કોઈએક દિવસે રક્ષણ માટે વાણારસી પ્રત્યે જતાં ત્યાં રસ્તામાં અનશનવાળી અને જીણું શરીરવાળી શબાને જોઈ તે દિત્ત બ્રાહ્મણે કહ્યું કે હે ભદ્ર! તું કોણ છે? એ પ્રમાણે પ્રશ્ન કર્યો એટલે તેણુએ પણ પ્રથમનું સઘળું પિતાનું વૃત્તાંત કહી સંભળાવ્યું. તેણુએ કહેલું તેવા પ્રકારનું પોતાનું વૃત્તાંત જાણે પ્રથમ સાંભળ્યું ન હોય તેમ તે દિન્ન નામના બ્રાહ્મણને વૈરાગ્યને ઉત્પન્ન કરનારી પિતાના પૂર્વભવની જાતિસ્મૃતિ ઉત્પન્ન થઈ. તે પછી સંસારથી ભય પામેલા, ઉત્તમ વિચાર કરનારા અને સ્વજનેથી ક્ષોભ નહી પામનાર તે દિત્ત નામના બ્રાહ્મણે તેજ ઠેકાણે અનશન ગ્રહણ કરી અનુક્રમે મરણ પામી તું અહીં રાજાપણે ઉત્પન્ન થયે છે. એ પ્રમાણે પારાશરના કહેલા પિતાના પૂર્વભવ સંબંધી વિસ્મયને આપનારા સઘળા ભવે રાજાના સ્મરણમાં આવ્યા. અર્થાત્ જાતિસ્મૃતિ જ્ઞાનથી સાક્ષાપણે જોયા. તે પછી સંસારની અસારતા જેમાં ઉત્કૃષ્ટ સંવેગરૂપ અમૃતમાં નિમગ્ન થએલા, શ્રેષ્ઠ ધર્મ કરવા માટે ઉઘુકત થએલા અને અત્યંત હર્ષિત થએલા તે રાજાએ પોતાના સંપૂર્ણ દેશને કૈલાશના જેવા જિન મંદિરથી ભૂષિત કર્યો, તેમજ નિદાન વગરના એટલે આ દાનથી ભવાંતરમાં અમુક ફળ મને પ્રાપ્ત થાઓ એવી ઈચ્છા વગરના અને યોગ્યતા પ્રમાણે પ્રવર્તાવેલા મહા દાનથી દુઃખી, અનાથ, અને દીન પુરૂષના દુઃખને દુર કરી, પરમાર્થથી ગુરૂરૂપ પારાશર નામના કથક પંગવને ઘણા માન પૂર્વક નાના પ્રકારની સમૃદ્ધિથી આનંદિત કરી, મહીચંદ્ર નામના પિતાના પુત્રને મોટા મહોત્સવ પૂર્વક રાજ્ય ઉપર સ્થાપન કરી યુગંધર નામના સૂરીશ્વરની પાસે રાજાએ દીક્ષા ગ્રહણ કરી. અતિચારથી વિમુખ થએલા સાધુઓની સાથે ચરણસત્તરી, કરણસત્તરી અને મન, વચન, કાયાના વેગોથી આ ત્મસ્વરૂપને સાધન કરતાં સમાધિપૂર્વક મરણ પામી બારમા દેવલોકમાં આ ભરત
Page #263
--------------------------------------------------------------------------
________________
ત્રયસિત ગુણુવર્ણન.
૨૨૫
રાજર્ષિ ઇંદ્રના સમાન ઋદ્ધિવાળો થઈ દેવતા સંબંધી સુખસમૃદ્ધિ પ્રાપ્ત કરી ત્યાંથી ચવી બે પ્રકારે હેટા રાજ્યની પૃથ્વીને ધારણ કરવારૂપ મહાન લક્ષ્મીને અથવા તે સાધુઓની ક્ષમા (શાંતિ) ને ધારણ કરવારૂપ મોટી લક્ષમીને પ્રાપ્ત કરી અનુક્રમે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ લક્ષ્મીવાળો મેક્ષરૂપ વધુને સ્વામી થશે.
! રૂત્તિ શ્રીમતપૂત યા હવે પ્રસ્તુત ગુણને ઉપસંહાર કરતાં ગ્રંથકાર પોપકારની પ્રાધાન્યતા પ્રકટ કરી પોપકારી પુરૂષ વિશેષ ધર્મ કરવાને ચગ્ય છે એમ બતાવે છે– ज्येष्ठः पुमर्थेषु सदैव धर्मो धर्मे प्रकृष्टश्च परोपकारः । करोति यश्चैनमनन्यचेताः स धर्मकर्मण्यखिलेऽधिकारी ॥१॥
શબ્દાર્થ –ધર્મ, અર્થ અને કામરૂપ પુરૂષાર્થમાં ધમરૂપ પુરૂષાર્થ જ હમેશાં મહટ ગણાય છે. તેમાં પણ પરોપકાર શ્રેષ્ઠ ગણાય છે, તેવો પપકાર એક ચિત્તવાળા થઈ જે પુરૂષ કરે છે, તે પુરૂષ સંપૂણ ધર્મકાર્યમાં અધિકારી થાય છે. ૧
| તિ ગશિરમો પુન:
૨૯
Page #264
--------------------------------------------------------------------------
________________
ට
चतुस्त्रिंशत् गुणवर्णन.
વે ગ્રંથકાર ક્રમથી પ્રાપ્ત થયેલા અંતર‘ગાર ષડ્વગના ત્યાગ કરવા રૂપ ચેાત્રીશમા ગુણના વિવરણના પ્રારંભ કરે છે—
અન્તરાષિત્વનવિહાવવાથળઃ—અંતરગર ષડ્વર્ગ એટલે કામ, ક્રોધ, લાભ, માન, મદ અને હું રૂપ આ છ ભાવ શત્રુઓના પરિહાર કરવામાં એટલે તેને નહીં સેવવામાં તત્પર હાય તે પુરૂષ ગૃહસ્થ ધર્મ ને યાગ્ય થાય છે. તેમાં યુકિત વગર ચેાજાયેલા કામ, ક્રોધ, લાભ, માન, મદ, અને હુ સારા ગૃહસ્થાને અંતર ગારષવગ ( છ ભાવશત્રુઓ ) ગણાય છે. તેને માટે કહ્યું છે કે—
कामः क्रोधस्तथा लोभो हर्षोमानो मदस्तथा । षड्वर्गमुत्सृजेदेनं तस्मिंस्त्यक्ते सुखी भवेत् ॥ १ ॥
શબ્દા :—કામ, ક્રોધ, લાલ, હ, માન અને મરૂપ આ ષડ્વના ત્યાગ કરે છે. તે પ્રાણી સુખી થાય છે. અર્થાત્ કામ વિગેરે ભાવ શત્રુઆજ પ્રાણી માત્રને ચતુતિ સહસારમાં પરિભ્રમણ કરાવે છે અને તે તે ગતિના ભય કર દુ:ખાવું ભાજન કરે છે માટે વિચારવંત પુરૂષે ઉપરના છ શત્રુઓના સંસર્ગથી મથવા બનતા પ્રયાસ કરવા. ॥ ૧ ॥
તેમાં પ્રથમ કામરૂપ શત્રુને વણુ વે છે—ખીજાએ અંગીકાર કરેલી અથવા તે પરણ્યા વગરની સ્ત્રીઓની અંદર દુષ્ટ આશય તેને કામ કહે છે અને તે કામ રાવણુ, સાહસગતિ અને પદ્મનાભ વિગેરેની પેઠે વિવેક તેમજ રાજ્યના નાશ કરવામાં અને નરકમાં પાડવા વિગેરેમાં કારણભૂત થાય છે. કહ્યું છે કે—
तावन्महत्त्वं पाण्डित्यं कुलीनत्वं विवेकिता । यावज्ज्वलति चित्तान्तर्न पापः कामपावकः ॥ २ ॥
Page #265
--------------------------------------------------------------------------
________________
ચતુસિત ગુણવર્ણન.
૨૨૭ શબ્દાર્થ – હેટાઈ, પંડિતપણું, કલીનપણું અને વિવેક ત્યાંથી જોવામાં આવે છે કે જ્યાં સુધી અંત:કરણમાં પાપયુક્ત કામરૂપ અગ્નિ પ્રદીપ્ત થયું નથી. અર્થાત અંત:કરણમાં કામાગ્નિને પ્રવેશ થતાં મહત્વ વિગેરે ગુણગણને બાળીને ભ
સ્મ કરે છે માટે આવા કઢાશત્રુને હૃદયમાં દાખલ થતાં પહેલાં તેનાથી થતી ખરાબી વિગેરેને વિચાર કરી શમ, દમ રૂપ જલના પ્રવાહથી તેને શાંત કરો જોઈએ. જે ૨ दृश्यं वस्तु परं न पश्यति जगत्यन्धः पुरोऽवस्थितं
कामान्धस्तु यदस्ति तत्परिहरन् यन्नास्ति तत्पश्यति । कुन्देन्दीवरपूर्णचन्द्र कलशश्रीमल्लतापल्लवा
नारोप्याशुचिराशिषु प्रियतमागात्रेषु यन्मोदते ॥ ३ ॥
શબ્દાર્થ-જગતની અંદર અંધ પુરૂષ પોતાની આગળ રહેલી દેખાય એવી વસ્તુને પણ જોઈ શકતો નથી, જ્યારે કામાંધ પુરૂષ તે જે વસ્તુ હેય છે તેનો ત્યાગ કરી જે વસ્તુ ન હોય તેને જુવે છે. જેમકે કામાંધપુરૂષ અશુચિના ઢગલા રૂપ પોતાની ભાર્યાના શરીરની અંદર મેઘરાનું ફુલ, કમળ, પુર્ણચંદ્ર, કળશ અને શેભાવાની લતાઓના પાંદડાઓને આરેપ કરી ખુશી થાય છે. આ ૩.
ભાવાર્થ –પથાર્થ વિચાર કરવાથી જણાઈ આવે છે કે અંધ પુરૂષને કર્મના દેષથી ચક્ષુને વિષય નહીં હોવાને લીધે પિતાની પાસે રહેલી વસ્તુઓને ન જોઈ શકે એ બનવાજોગ છે. અને તે નહીં જેએલી વસ્તુઓને સ્પર્શદ્વારા ગમે તેવા રૂપમાં તેનું વર્ણન કરે પરંતુ તે હાંસીને પાત્ર થતું નથી. કામાંધ પુરૂષ તો પિતાની ચક્ષુઈદ્રિયદ્વારા દરેક વસ્તુઓને તેના ગુણ ની સાથે જોઈ શકે છે. છતાં જેના શરીરના બાર દ્વારેથી નિરંતર નગરના ખાળની પેઠે અશુચિને પ્રવાહ વહ્યા કરે છે, તેવી સ્ત્રીઓ અશુચિની ખાણરૂપ હોવાથી હમેશાં અપવિત્ર છે તેને પવિત્રપણે દેખનારા કામાંધ પુરૂષો જેને એક પણ અવયવ પવિત્ર નથી છતાં સ્ત્રીઓના નેત્રને કમળની, મુખને પૂર્ણચંદ્રની, લલાટને અર્ધચંદ્રની, કીકીને તારાની, ભ્રકુટીને ધનધ્વની, મુખના શ્વાસને કમળની સુગંધીની, વાણીને અમૃતની, સ્તનને કળશની, જંઘાઓને કેળની અને ગતિને ગજની ઉપમા આપે છે. વાસ્તવિકમાં જેની ઉપમા આપવામાં આવે છે, તેના ગુણોને લેશ પણ સ્ત્રીઓના અવયમાં હેત નથી, છતાં મેહ પરવશ થયેલા કામી પુરૂષ તેણીનામાં શ્રેષ્ઠ પદાર્થોને આરેપ કરી અપવિત્રને પવિત્ર માની આનંદ માનનારાઓને જન્માંધથી પણ ઉતરતા દરજજાના માનવામાં કાંઈ પણ દોષ નથી. કારણ કે જેમાં અનંતા આત્મિક સુખને ભુલી જઈ
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૨૮
શ્રાદ્ધગુણ વિવરણ છેડા સુખને માટે અસત્કલ્પનાઓ કરી પોતાના પવિત્ર આત્માને કર્મ દ્વારા મલીન કરે છે, તેવા કામાંધથી બીજે વધારે અંધ કેણ હોઈ શકે !
नान्यः कुतनयादाधिया॑धिर्नान्यः क्षयामयात् । नान्यः सेवकतो दुःखी नान्यः कामुकतोऽन्धल: ॥४॥ શબ્દાર્થ –ખરાબ વર્તનવાળા પુત્ર જેવો બીજે આધિ (માનસિક પીડા ) નથી, ક્ષયરોગ જે બીજો રેગ નથી, સેવકના જે બીજો દુઃખી નથી અને કામી પુરૂષના જેવો બીજો અંધ નથી. ૪ -
- હવે ક્રોધનું સ્વરૂપ બતાવે છે. બીજાના અથવા તે પિતાના કષ્ટને વિચાર કર્યા સિવાય કેપ કરે તેને ક્રોધ કહે છે અને તે ચંડકૌશિક વિગેરેની પેઠે દુર્ગતિને હેતુ હેવાથી મહાત્મા પુરૂષને ક્રોધ કર યુક્ત નથી. તે માટે કહ્યું છે કે
सन्तापं तनुते भिनत्ति विनयं सौहार्दमुच्छादयत्युद्वेगं जनयत्यवद्यवचनं सूते विधत्ते कलिम् । कीर्ति कृन्तति दुर्मतिं वितरति व्याहन्ति पुण्योदयं, दत्ते यः कुगतिं स हातुमुचितो रोषः सदोषः सताम् ॥५॥
શબ્દાર્થ–જે કેધ સંતાપને વિરતારે છે, વિનયને નાશ કરે છે, મિત્રતાને દુર કરે છે, ઉદ્વેગને ઉત્પન્ન કરે છે, પાપવાળા વચનને પેદા કરે છે, કલેશને ધારણ કરે છે, કીતિને કાપી નાખે છે, દુમતિને આપે છે, પુણ્યના ઉદયને હણે છે અને કુગતિને અર્પણ કરે છે તે દેષયુક્ત ક્રોધ પુરૂષને ત્યાગ કરવા લાયક છે. ૫
अपनेयमुदेतुमिच्छता तिमिरं रोषमयं धियापुरः।
आविभिद्य निशाकृतं तमः प्रभया नांशुमताऽप्युदीयते ॥६॥ શબ્દાર્થ –પિતાના અભ્યદયની ઈચ્છા રાખનાર પુરૂષે પ્રથમ વરૂપ અંધકારને બુદ્ધિએ કરી દુર કરે જઈએ. કેમકે રાત્રિએ કરેલા અંધકારને પ્રભાથી નાશ કર્યા સિવાય સૂર્ય પણ ઉદય થતો નથી. અર્થાત જેમ અંધકારથી ઢંકાયેલા દરેક પદાર્થો પ્રકાશમાં આવી શકતાં નથી તેમ જે પુરૂષ ધરૂપ અંધકારથી છવાયેલો છે તે પુરૂષ કેઈ વખત પણ પિતાના ગુણે અથવા તો પિતાને પ્રકાશમાં લાવવા શતિમાન થઈ શકતો નથી માટે આત્મગુણ પ્રકટ કરવાની ઇચ્છા રાખનારે કેપ થવાનું કારણ પ્રાપ્ત થયું હોય તો પણ કેપના ભયંકર વિપાકને વિચાર કરી ક્ષાંતિદ્વારા ઉપશમાવવો જોઈએ કે જેથી કપરૂપ અંધકારને પડદા ખસી જવાથી પવિત્ર - ભગુણે સહેલાઈથી પ્રકાશમાં આવશે. ૬
Page #267
--------------------------------------------------------------------------
________________
ચતુશિત ગુણવર્ણન
૨૨૯ जितरोषरया महाधियः सपदि क्रोधजितो लघुर्जनः विजितेन जितस्य दुर्मतेर्मतिमद्भिः सह का विरोधिता॥७॥
શબ્દાર્થ-જ્યારે વિશાળ બુદ્ધિવાળા પુરૂષે એકદમ કેપના વેગને જિતી લે છે. અર્થાત કેપને પિતાની બુદ્ધિ બળવડે દબાવી દે છે, ત્યારે તુચ્છ પુરૂષને અર્થાત નિબળ બુદ્ધિના મનુષ્યને ક્રોધ જિતી લે છે અર્થાત પરાભવ કરે છે. ખરું છે કે વિજેતા એટલે બળવાન સાથે સંમતિને એટલે નિબલ હૃદયવાળા પુરૂષને અને બુદ્ધિમાન એટલે ઇંદ્રિય ઉપર કાબુ રાખી શકનારાઓ સાથે પરાભવ પામેલા એટલે નિબલને વિરોધ શી રીતે હોઈ શકે? તાત્પય કે- ધ બુદ્ધિમાન મનુષ્યના વિચારબળ સામે ટકી શક્યું નથી. પરાભવજ પામે છે, જ્યારે તેજ ક્રોધ નિબળા મનના માણસ સામે ફાવી જાય છે. વિરોધ તો સરખા બળવાળાને ટકી શકે ન્યૂનાધિક બળવાળાને વિરોધ વધારે વખત ટકી શકતો નથી. જે બળવાન હોય તે જિતે અને નિબળ હારી જાય. ૭
વૃક્ષથી ઉત્પન્ન થયેલું ઝેર વૃક્ષને નાશ કરતું નથી, સર્પથી પેદા થયેલું ઝેર સર્પને નાશ કરતું નથી. પરંતુ આ કેધરૂપ ઉત્કટ હલાહલ છે જેનાથી ઉત્પન્ન થાય છે, તેને જ બાળી નાંખે છે એ કેવું ખેદજનક આશ્ચર્ય છે?
હવે લેભનું વર્ણન કરે છે–દાન દેવા લાયક પુરૂષને વિષે પિતાના પૈસાને વ્યય નહી કરો તેમજ કારણુ શિવાય બીજાના ધનને લઈ લેવું તેને લોભ કહે છે. વળી પાપનું મૂળ પણ લેભજ ગણાય છે. લેભાનંદી વિગેરે વાણીઆને સઘળા પાપનું મૂળ આ લેભજ થયું હતું. એ પ્રમાણે સાંભળી લેભ નહીં કરતાં સંતોષ રાખવો જોઈએ. લોભથી ગાભરા બનેલા મનુષ્ય આ પ્રમાણે ચેષ્ટા કરે છે–
લભ હમેશાં ચિંતન કરવા લાયક છે, પરંતુ લોભી પુરૂષાથી તે સર્વકાળમાં ભય દેખાય છે. કેમકે લક્ષમીમાં લુબ્ધ થએલા પુરૂમાં કાર્યકાર્યને વિવેક હોતેજ નથી તેથી લભવશ થઈ બીજાનું અહિત કરે એ બનવાજોગ છે. માયા, અપલાપ, વસ્તુની અદલાબદલી, ભ્રાંતિ, તપાસ અને કૂડકપટ કરવાનું મૂળ કારણભૂત, સંગ્રહ કરવામાં દુષ્ટ પિશાચરૂપ અને સર્વ હરણ કરનાર લેભજ છે. લેવડદેવડમાં બેટાં ત્રાજવાં, લાઘવ ક્રિયા, ફેકવું અને ખાવાના બાનાથી ખરેખર દિવસના ચેરે આ વાશુઆઓ મહાજન છતાં પણ ચોરી કરે છે. અનેક પ્રકારનાં વચની રચનાથી આખા દિવસમાં લેકેના ધનનું હરણ કરી તે કૃપણ ઘરકાર્યમાં ત્રણકેડીઓ સુશ્કેલથી આપે છે અને તે કથા સાંભળવામાં રાગી હોવાથી હમેશાં પવિત્ર પુસ્તક સાંભળવા જાય છે, પરંતુ કાળા સર્પથી ડંખાર્યલાની પેઠે દાનધર્મથી પલાયન કરે છે. વળી વસ્તુના વેચાણ વખતે મૌન ધારણ કરનાર તે ધૂર્ત વાણીએ કેઈને ઉત્તર
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૩૦
શ્રાદ્ધગુણ વિવરણ,
આપતા નથી, પરંતુ થાપણુ મુકવી છે એવા શબ્દ માત્રને સાંભળી તેની સાથે સારી રીતે આલાપસ લાપ કરે છે, ઉભા થાય છે, પ્રણામ કરે છે, કુશળ પુછે છે અને સ્થાન આપે છે, તેમજ હાથમાં કેવળ થાપણને જોઈ વાણીએ ધર્મ સંબંધી કથાઓ કરવા લાગે છે. આ સ્થાન તમારે સ્વાધીન છે, પરંતુ ઘણા કાળ સુધી થાપશુનુ પાલન કરવું મુશ્કેલ છે; દેશકાળ વિષમ છે તેપણ હું શ્રેષ્ઠ પુરૂષ! ત્હારા હુ દાસ છું, થાપણનું પાલન કરનાર અને પ્રશંસા કરવા લાયક આ ઉત્તમ દુકાન કાઇ વખત કલંકીત થઇ નથી, એ પ્રમાણે કાના જાણુ પુરૂષોએ ઘણી વખત અનુભવ કર્યો છે એ વાત તુ જાણતા નથી. એ વિગેરે મદમતિની પાસે પરસ્પર અસમજસ વર્ણન કરી આંતિરક મનોરથાથી ખુશી થતા તે પાપી સુવર્ણ ના સમૂહને ગ્રહણ કરે છે. તે પછી તે થાપણ પચાવવાથી ઉત્પન્ન થયેલા લેવડદેવડમાં અપરિમિત લાભ થવાથી અને કરિયાણાના સમૂહથી તે વેપારી કુબેરની હાંસી કરે છે, અને સસારરૂપ જીણુ મંદિરમાં ઉત્પન્ન થએલા ભયંકર મ્હાટા ઉંદરા જેવા તે કૃપણુપુરૂષા દાન તથા ઉપભાગથી રહિત એવા દ્રવ્યની રક્ષા કરવામાં હંમેશાં આન ંદ માને છે. હવે તે થાપણ મૂકનાર પુરૂષ દિશાઓમાં પરિભ્રમણ કરી ભવિતવ્યતાના યાગથી કોઈ પણ રીતે ધનથી અને જનથી રહિત થયેલેા ઘણા લાંબા કાલે પોતાના દેશને પ્રાપ્ત થયા. ત્યાં શકાયુક્ત થયેલા તે કપણું પુરૂષે કાઇને પુછ્યું કે તે મહાપુરૂષ કયાં ગયા ? તે સાંભળી કાઇ એક પુરૂષ તેની પાસે આવી આલ્યા કે તે મહાપુરૂષની વિભૂતિ તે આજકાલ કાંઇક જુદીજ દેખાય છે. આ પ્રમા ણે સાંભળી અત્યંત વિસ્મયથી મસ્તકને ધુણાવતા તે તેના ઘર પ્રત્યે ગયા, ત્યાં દ્રારમાં રોકાયેલા તે નિર્મુદ્ધિ અને જીણુ કપડાંવાળા ઘણા કાળ સુધી ત્યાંજ બેસી રહ્યા. પછી કોઇ પણ પ્રકારે ધીમે ધીમે ઘરમાં જઇ એકાંત મળતાં નામ, નિશાની પ્રકટ કરી તે પુરૂષે પાતાનું થાપણ મૂકેલું દ્રવ્ય તે શેઠીઆ પાસે માગ્યું એટલે તે શેઠીયા ભ્રભંગ પૂર્વક હાથને કપાવતા ખીજાના ઉપર ઢષ્ટિ રાખી તેના પ્રત્યે કહેવા લાગ્યા કે ઠંગ, પાપી અને આજીવિકા રહિત આ પુરૂષ કયાંથી આવ્યા છે. તુ કાણુ છે ? અથવા કાના પુત્ર છે ? ત્હારૂ દન પણ યાદ આવતુ નથી તેા ખેલવાની વાતજ શી ? અહો ! ઘણેા ખેદ છે કે કયારે ? કયા સ્થાનમાં ? કેવી રીતે ? કયા પુરૂજે કાણે શુ આપ્યુ હતુ તે તુ કહી દે ? તે પણ નિરંતર શંકાશીલ થયેલા પુરૂષે મ્હાટા પુરૂષાની અંદર આ જનને પ્રતીતિ કરાવવી તે દિવસ કહી દે અને તે દિવસે ચાપડામાં લખેલું સઘળુ તું પાતે જોઈ લે ! હું વૃદ્ધ થયા છું. દુકાનના બાજો પુત્ર ઉપર નાંખ્યા છે, માટે મ્હારૂ લખેલુ સઘળુ તે જાણે છે. એ પ્રમાણે તે શેઠીયાએ વિસર્જન કરેલા તે ધીરજ વગરના પુરૂષ તેના પુત્ર પાસે જાય છે. પુત્ર તરફથી ઉત્તર
Page #269
--------------------------------------------------------------------------
________________
ચતુશિત ગુણવર્ણન,
૨૩૧ મળે છે કે ધનની વાત પિતા જાણે. પુત્ર તે સઘળું લખેલું જાણે. એ પ્રમાણે તે પુરૂષનું દડાની પેઠે ઘણુ કાળ સુધી ગમનાગમન થાય છે. આ પ્રમાણે રાજકુળમાં અને વ્યાપારમાં વાણીએ મરણ પામે છે, પરંતુ ધનને લેશ પણું આપતું નથી, તેમજ નીચે લખ્યા પ્રમાણે વિચાર પણ કરતા નથી.
દ્રવ્ય કેને પ્રિય હેતું નથી? દ્રવ્યથી કોનું હદય ભાતું નથી ? પરંતુ યશરૂ૫ ધનમાં લુબ્ધ થયેલા પુરૂષે દુષ્ટ કાર્યોથી દ્રવ્યની ઈચ્છા રાખતા નથી. જે પુરૂષે પિતાના શ્રેષ્ઠ આચારને ત્યાગ કરી, કુટિલ બુદ્ધિથી બીજાને ઠગે છે તે મૂઢમતિએ પુણ્ય વગરના પિતાના આત્માને જ ઠગે છે. ઘણે ખેદ છે કે દ્રવ્યના અથી ડાહા પુરૂષે પણ શું કરતા નથી? અર્થાત્ ન કરવાનાં સઘળાં કાર્યો કરે છે. નીચ પુરૂષની ઘણુ કાળ સુધી ખુશામત કરે છે. શત્રુને પણ પ્રણામ કરે છે. નિર્ગુણી પુરૂષનું ઉચ્ચ ગુણગાન કરે છે. પરેપકારને ભૂલી જનાર કૃતઘ પુરૂષની સેવા કરવામાં પણ લેશ માત્ર ખેદ અનુભવતા નથી. દ્રવ્યના ખરચની શંકાથી મિત્રને વિષે પ્રીતિ પ્રગટ કરતે નથી. બદલે આપ પડશે એવા કારણથી ભય પામેલે સેવાથી ગ્રહણ થતું નથી. અર્થાત્ સેવા કરાવતો નથી, હારી પાસે દ્રવ્ય માગશે એવી બુદ્ધિથી અસત્ય ભાષણ કરે છે અને સ્તુતિ કરવાથી પણ ખુશી થતું નથી, તે લક્ષમીને ખરચ કરવાના વ્યતિકરથી ત્રાસ પામેલે કૃપણ કેવી રીતે છવિ શકે? મોટા લાભથી પણ લેભ પરાભવ પામતે નથી, કારણ કે જે માત્રાથી અધિક હોય તે માત્રાહિનથી કેવી રીતે જીતી શકાય?
અત્યંત આગ્રહનો ત્યાગ નહી કરે અથવા તે વ્યાજબી કહેલું ગ્રહણ ન કરવું તેને માન કહે છે. તત્ત્વતત્વને વિચાર નહી કરનાર કદાગ્રહી પુરૂષની દુર્યોધન વિગેરેની પેઠે આ માન ઘણી ખરાબી કરે છે માટે માન શત્રુના સંસર્ગથી દૂર રહેવું જોઈએ. કહ્યું છે કે – आग्रही बत निनीषति युक्तिं तत्र यत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु युक्तिर्यत्र तत्र मतिरेति निवेशम् ॥१॥
શબ્દાર્થ:- જે આગ્રહી પુરૂષની મતિ જે ઠેકાણે રહેલી હોય તે ઠેકાણે આગ્રહી પુરૂષ યુકિતને લઈ જવાને ઇચ્છે છે. પરંતુ પક્ષપાત રહિત પુરૂષની મતિ તે જે ઠેકાણે યુતિ હોય છે તે ઠેકાણે વાસ કરે છે. અર્થાત આગ્રહી પુરૂષને જે પદાર્થમાં આગ્રહ થયો હોય, ત્યાં યુકિતને બલાત્કારથી પણ બંધ બેસાડે છે. અને અપક્ષપાતી પુરૂષ તો જે વસ્તુસ્વરૂપ યુક્તિ પુરસ્સર હોય ત્યાં પતિને લઈ જાય છે. વળી–
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૩૨
શ્રાદ્ધગુણ વિવરણ. औचित्याचरणं विलुम्पति पयोवाहं नभस्वानिव,
प्रध्वंसं विनयं नयत्यहिरिव प्राणस्पृशां जीवितम् । कीर्ति कैरविणीं मतङ्गज इव प्रोन्मूलयत्यञ्जसा,
मानो नीच इवोपकारनिवहं हन्ति त्रिवर्ग नृणाम् ॥२॥
શબ્દાર્થ –અહંકાર પવનની પેઠે મેઘરૂપ ઉચિત આચરણને લોપ કરે છે. સપની પેઠે પ્રાણીઓના છવિતરૂપ વિનયને નાશ પમાડે છે. હાથીની પેઠે કીર્તિરૂપ કમલનીને એકદમ મૂળથી ઉખાડી નાંખે છે. અને નીચની પેઠે મનુષ્યના ત્રિવગરૂપ ઉપકારના સમુહને નાશ કરે છે. અર્થાત અંહકાર રૂપ ક શત્રુ જેના અંત:કરણમાં નિરંતર વાસ કરી રહ્યા હોય તેવા પુરૂષના દયમાંથી વિનય પ્રમુખ ગુણે પલાયન કરી જાય છે. એ બીના વાસ્તવિક છે કારણકે એક સ્થાન માટે હમેશાં જ્યાં કટોકટી થઈ હોય તેવા સ્થાનને સજ્જન પુરૂષ પણ ક્ષણવારમાં ત્યાગ કરી નિરૂપાધિસ્થાનને આશ્રય લે છે. ૨
दृग्भ्यां विलोकते नोवं सप्ताङ्गैश्च प्रतिष्ठितः ।
स्तब्धदेहः सदा सोष्मा मान एव महागजः ॥३॥ શબ્દાર્થ:- સાતે રંગોથી સ્થિર થયેલે અક્ક શરીરવાળે અને હમેશાં ગરમીથી ભરેલે અહંકાર રૂપ મદન્મત્ત હાથી નેત્રે વડે ઉચુ પણ જોઈ શકતા નથી, અર્થાત જેમ હાથી પગ છાતી વિગેરે સાત અંગેથી સ્થિરથયેલ હોવાથી તેમજ અક્કડ શરીર હોવાને લીધે ઉચુ જોઈ શક્તો નથી, તેમ માની પુરૂષ પણ જાતિ, કુળ, રૂપ, ઐશ્વર્ય વિગેરે મદથી ઘેરએલ હોવાથી તેમજ અક્કડ શરીર અને અભિમાનની ગરમીને લઇને દૃષ્ટિ વડે ઉંચું જોઈ શક્તો નથી. ૩
માનને ત્યાગ થવાથી જ બાહુબલી મહર્ષિની પેઠે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. માટે આત્મહિતની ઈચ્છા રાખનાર વિવેકી પુરૂષે માનને અવશ્ય ત્યાગ કરે જોઈએ.
હવે મદનું વર્ણન કરે છે–બળ, કુળ, ઐશ્વર્ય, રૂપ અને વિદ્યા વિગેરેથી અહંકાર કરવો અથવા બીજાને દબાવવાને કારણભૂત હોય તેને મદ કહેવામાં આવે છે. તે માટે કહ્યું છે કે
સઘળા મનુષ્યના હૃદયમાં સ્થાન કરનાર એક મદરૂપ શત્રુ છે. કારણ કે જે નાથી આવેશવાળે થયેલ મનુષ્ય સાંભળી શક્તા નથી જોઈ શકતા નથી અને અક્કડ રહે છે. અર્થાત્ ખરી બીના સાંભળવામાં અને યથાર્થ વસ્તુ જેવમાં પ્રતિબંધક હોવાથી મનુષ્ય જાતિ માટે ખરે દુશ્મન માન જ છે. મિાન ધારણ કરવું,
Page #271
--------------------------------------------------------------------------
________________
ચતુસિરાત્ ગુણવણ ન
૨૩૩
મુખને ખીજાના તરફથી ફેરવી દેવુ, ઉપર જોવુ, નેત્રાનુ બંધ કરવું, શરીરનુ મરડવું અને વીંટવું આ સઘળું અહંકારનું પ્રાથમિક રૂપ ગણાય છે. એટલે ઉપર જણાવેલી ચેષ્ટાઓથી અભિમાની મનુષ્ય એકદમ એળખાઇ આવે છે. શૈા મદ, રૂપમદ, શૃંગારમદ અને ઉંચકુળના મઢ આ સઘળા મદરૂપ વૃક્ષે મનુષ્યાના વિભવ રૂપ મદથીજ ઉત્પન્ન થએલાં છે. શો મદ ભુજાને, રૂપમદ આરિસા વિગેરેને અને કામમદ સ્ત્રીને જીવે છે. પરંતુ આ વિભવમઢતા જાત્યધ હોવાથી કાંઇ જોઇ શકતા નથી. અર્થાત્ પ્રથમના મદો જ્યારે અકેક વસ્તુ તરફ્ મનુષ્યાનું ધ્યાન ખેંચાવે છે, ત્યારે ધનમદ તા મનુષ્યોને તદન આંધળાજ અનાવી દે છે. મનુષ્યોના ધનમદ તા કાંઇ આત્મારામ ( આત્માન૪) જેવાજ જણાય છે. કારણ કે જેમ આ ત્માનંદથી મનુષ્ય આંતરિક સુખના આન ંદથી નેત્રા બંધ કરી લે છે અને ધ્યાનાઢ થઈ જાય છે તેમ ધનમદથી પણ આંખ્યા મીચે છે અને જાણે એકાગ્રતાપૂર્વક સમાધી ચઢાવી ન હોય તેમ સમાધિમાં લીન થઇ જાય છે. મનુષ્યેાના અધિકારમદ હમેશાં ભ્રકૂટી ચઢાવવાવાળા હાવાથી વિકાળ, કંઠાર ભાષણ કરાવનાર, હઠપૂર્વક તાડના કરનાર અને સર્વ ભક્ષણ કરનાર ક્રૂર રાક્ષસ જેવા ગણાય છે. પુરૂષાના એક કુળમદ તા પેાતાના પૂર્વજના પ્રતાપની મ્હોટી મ્હાટી વાતા કરનાર, પેાતાનાં ખીજા કાચીને ભૂલી જનાર, દીર્ઘ દેશી પણાના અને જ્ઞાનના નાશ કરનાર હાય છે. સઘળા મો અવધિવાળા હાવાથી પોતપાતાનાં કારણેાને અભાવ થવાથી નાશ પામે છે, પરંતુ એક ગુરૂમદ અર્થાત્ માટાઈના મદ સપના જેવા વાંકે અપરિમિત કાળ સુધી સ્ફુરે છે અર્થાત્ ધણા લાંખા કાળ સુધી રહી શકે છે. સામતાના માન ધારણ કરવામાં, વૃદ્ધિ પામતા ધનાઢ્યોના નિશ્ચલ દષ્ટિમાં, ધનવાળાઓના ભૂભંગ અને મુખના વિકારમાં વિટ વિગેરેના બે ભ્રમરામાં, દ્ભુત અને પંડિતાને જિવામાં, રૂપવાળાઓના દાંત, કેશ અને વેષમાં, વૈઘાના હાટમાં, મ્ડાટા અધિકારીઓ અને જ્યાતિષિઓના ગળામાં, સુલટાના સ્ક ંધમાં, વાણીઆઓના હૃદયમાં, કારિગરાના હાથેામાં, તરૂણ સ્ત્રીઓના સ્તનતટમાં, બ્રાહ્મણેાના ઉદરમાં, ચતુર કાસદ્ધિઆના જંધાઓમાં, હાથીઓના ગડસ્થળમાં, મયૂરાના પિચ્છામાં અને હુ ંસાના ગતિની અંદર મદ (અહંકાર) રહેલા છે. વિશાળ હૃદયવાળા મનુષ્યાને સર્વથા આવા મદ કરવા ચેાગ્ય નથી. કહ્યું છે કેઃ—
नो निर्जित्य जरां स्वभावमधुरं तारुण्यमास्वादितं,
नो निर्जित्य यमं कृता निजतनुः कल्पान्तसंस्थायिनी । नो दारिद्र्यभुजङ्गमाज्जगदिदं स्वैश्वर्यतो मोचितं,
किं मायन्ति विपश्चितोऽपि हि मुधा विद्यालवाद्यैर्गुणैः॥४॥
૩.
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૩૪
શ્રાદ્ધગુણ વિવરણ, શબ્દાર્થ-જ્યારે વિદ્વાન પુરૂષએ ઘડપણને છતી સ્વભાવથી મનહર વનને આસ્વાદ પ્રાપ્ત કર્યો નથી, યમને છતિ લઈ પોતાના શરીરને કલ્પાંત સુધી સ્થિર કર્યું નથી અને પિતાના વૈભવથી આ જગતને દરિદ્વરૂપ સપના મુખમાંથી પણ છોડાવ્યું નથી, ત્યારે તેઓ વિદ્યા વિગેરે સ્વ૫ ગુણેથી શા માટે અહંકાર કરતા હશે તાત્પર્ય કે અભિમાન કરવા જેવું એક પણ કાર્ય કરી શકતા નથી, છતાં લેકે મિથ્યાભિમાન કરે છે. પછી दिग्वासाश्चन्द्रमौलिवहति रविरयं वाहवैषम्यकष्टं राहोरिन्दुश्च शङ्कां निवहति गरुडान्नागलोकश्च भीतः । रत्नानां धाम सिन्धुः कनकगिरिरयं वर्त्ततेऽद्यापि मेरुः, किं दत्तं ? रक्षितं किं ? ननु किमिह जगत्यर्जितं येन गर्वः॥५॥
શબ્દાર્થ–મહાદેવ દિશાફપ કપડાંને ધારણ કરે છે, આ સૂર્ય અના વિષમ (એકીને વિષમ કહે છે) પણાનું દુ:ખ ભોગવે છે, ચંદ્ર રાહુની શંકાને વહન કરે છે, નાગલેક ગરૂડથી ભય પામે છે. સમુદ્ર રત્નનું ગ્રહ છે, અને આ મેરૂપર્વત પણ હજુ સુધી સેનાના પર્વત રૂપવિદ્યમાન છે તો પછી તે મનુષ્યો તમોએ શું કાંઇ દાન આપ્યું છે? શું કેઈનું રક્ષણ કર્યું છે? શું આ જગતમાં કાંઇ ઉપાર્જન કર્યું છે કે જેને લઈને અહંકાર ધારણ કરાય છે. પા વળી ભર્તુહરિએ કહ્યું છે કે –
पातालान्न समुद्धृतो बत ? बलिर्नीतो न मृत्युः क्षयं, ____नोन्मृष्टं शशिलाञ्छनस्य मलिनं नोन्मूलिता व्याधयः । शेषस्यापि धरां विधृत्य न कृतो भारावतारः क्षणम् ,
चेतः सत्पुरुषाभिमानगणनां मिथ्या वहल्लज्जसे ॥ ६ ॥ શબ્દાથ–ખેદ છે કે પાતાલથી બલિરાજાને ઉદ્ધર્યો નથી, મરણને નાશ કર્યો નથી, ચંદ્રનું મલિન લાંછન ભૂક્યું નથી, રોગોને ઉખેડી ફેંકી દીધા નથી અને પૃથ્વીને ક્ષણવાર ધારણ કરી શેષનાગને પણ ભાર ઉતાર્યો નથી. તે હે ચિત્ત! તું સત્યરૂષના અભિમાનની ગણનાને વહન કરતું નકામું લજજા પામે છે. તે ૬
હવે હર્ષનું વર્ણન કરે છે–પ્રયજન વિના બીજાને દુઃખી કરવાથી અથવા તે શિકાર અને જુગટું વિગેરે અનાચારનું સેવન કરવાથી અંતઃકરણમાં પ્રમોદ ઉ ત્પન્ન થાય તેને હર્ષ કહેવામાં આવે છે અને આહષ દુર્થીનયુક્ત હૃદયવાળા અધમ પુરૂષેનેજ સુલભ હોય છે, અર્થાત ઉત્તમ પુરૂએ તે કર્મબંધનના કારણભૂત
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૭૫
ચતુસિત ગુણવણન. કાર્યમાં કેાઈ વખત પણ હર્ષ કર એગ્ય નથી. પાપ કાર્યમાં આનંદ માનવાથી નિકાચિત કર્મને બંધ થાય છે અને તેનું ફળ ભેગવ્યા વિના છુટકારે થતું નથી. અનાચારમાં આનંદ માનવે એ અધમ પુરૂષનું જ કામ છે તેમાટે કહ્યું છે કે
परवसणं अभिनंदइ निरवक्खो निद्दओ निरणुतावो । हरिसिजइ कयपावो रुद्दज्झाणोवगयचित्तो ॥१॥
શબ્દાર્થ–પાપ વિગેરેની અપેક્ષા નહી રાખનાર અને પશ્ચાતાપ નહી કરનાર નિર્દય પુરૂષ બીજાના કષ્ટને સારૂં માને છે અને રિદ્રિધ્યાન યુક્ત ચિત્તવાળે પાપ કરીને ખુશી થાય છે. ૧
तुष्यन्ति भोजनैर्विप्राः, मयूरा घनगर्जितैः। साधवः परकल्याणैः खलाः परविपत्तिभिः॥२॥
શબ્દાથ-બ્રાહ્મણે ભજન વડે, મયુરો મેઘની ગજેનાથી, સજજન પુરૂષ બીજાના કલ્યાણથી અને દુર્જન (નાલાયક) બીજાની આપત્તિ (ખ) થી ખુશી થાય છે. અર્થાત બીજાને દુ:ખી દેખી આનંદ માને છે. ૨
આ લેકમાં વિવેકી પુરૂષને નિંદનીક હોવાથી, અપજશ તેમજ અનર્થોનું કારણ હોવાથી અને પરલોકમાં દુર્ગતિના હેતુ હોવાથી ઉપર જણાવેલા કામાદિ અંતરંગ શત્રુઓ ત્યાગવા લાયક કહેલા છે.
હવે ગ્રંથકાર મહર્ષિ પ્રસ્તુત ગુણની સમાપ્તિ કરતાં અંતરંગારિને ત્યાગ કરી નારને મુખ્ય ફળ દેખાડે છે –
आन्तरं षडरिवर्गमुदगं, यस्त्यजेदिह विवेकमहीयान् । धर्मकर्मसुयशः सुखशोभाः, सोऽधिगच्छति गृहाश्रमसंस्थः
શબ્દાર્થ – હેટા વિવેકવાળે પુરૂષ પ્રચંડ આંતરિક ષડરિવર્ગને આ લોકમાં ત્યાગ કરે છે તે પુરૂષ ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં પણ ધમકાઈ, સુકીર્તિ, સુખ અને શોભા પ્રાપ્ત કરે છે. અર્થાત જે માનસિક દુર્ઘત્તિઓથી બન્યો છે, તે સર્વત્ર પ્રતિષ્ઠા પામી આ લોક અને પરલોકમાં સુખી થાય છે.
I ! તિ શ્રી વહિંરામ ગુનઃ ||
Page #274
--------------------------------------------------------------------------
________________
पंचत्रिंशत् गुणवर्णन.
( ૯
) ગ્રંથકાર મહારાજ કમથી પ્રાપ્ત થએલા પાંત્રીશમા ગુણનું
જ વર્ણન કરે છે.
$ “વરીત્તેન્દ્રિશામા વળી જેણે ઇદ્રિના સમૂહને વશ કર્યો છે એટલે ઇદ્રિને સ્વચ્છેદપણે પ્રવૃત્તિ કરતાં રોકે છે તે વશીકૃતેન્દ્રિયગ્રામ કહેવાય છે એટલે અત્યંત આસક્તિને પરિત્યાગ કરી સ્પર્શનાદિ ઇંદ્રિના વિકારેને રોધ કરનાર હોય છે અને તેજ ગૃહસ્થ ધર્મને લાયક ગણાય છે. ખરેખર ઇંદ્રિયને જ્ય કરે, તેજ પુરૂષને ઉત્કૃષ્ટિ સંપત્તિનું કારણ છે. તેને માટે કહ્યું છે કે –
आपदां कथितः पन्था इन्द्रियाणामसंयमः । तज्जयः संपदां मार्गों येनेष्टं तेन गम्यताम् ॥१॥
શબ્દાર્થ –-ઈદ્ધિનું સ્વતંત્રપણું તે આપત્તિને માગ છે અને ઇન્દ્રિયને જય કરે તે સંપત્તિને માર્ગ છે એમ વિદ્વાનું કહેવું છે, માટે જે રસ્તે જવું ઈષ્ટ હોય તે રસ્તે ગમન કરવું. ૧
इन्द्रियाण्येव तत्सर्वं यत्स्वर्गनरकावुभौ । निगृहीतविसृष्टानि स्वर्गाय नरकाय च ॥२॥
શબ્દાર્થ –સ્વર્ગ અને નરક એ બને જે કહેવાય છે, તે સર્વ ઇંદ્રિયેજ છે. કારણ કે ઇંદ્રિય વશ કરવાથી અને છુટી મુકવાથી અનુકમે સ્વર્ગ અને નરકને માટે થાય છે. અર્થાત જે જિતેન્દ્રિય હોય છે, તે પુરૂષ અવશ્ય સ્વર્ગમાં જાય છે અને જે ઇંદ્રિયોને સ્વતંત્રપણે પ્રવૃત્તિ કરાવે છે તે મરણ પામી નરકમાં જાય છે. અને ત્યાં ભયંકર દુ:ખેને ભેગવે છે. ૨
Page #275
--------------------------------------------------------------------------
________________
પરચશિત ગુણવણન.
, ૨૩૭ जितेन्द्रियत्वं विनयस्य कारणं गुणप्रकर्षों विनयादवाप्यते। गुणानुरागेण जनोऽनुरज्यते जनानुरागःप्रभवा हि संपदः॥३॥ | શબ્દાર્થ – જિતેંદ્રિયપણું વિનયનું કારણ છે, વિનયથી ગુણોને પ્રક પ્રાપ્ત કરાય છે. ગુણાનુરાગથી લેક રાગી થાય છે અને લોકેના અનુરાગથી ઉત્પન્ન થનારી સંપદાઓ પ્રાપ્ત થાય છે. તે ૩.
સંગ્રામમાં મેળવેલા જયથી પણ ઈદ્રિયને જય મહેઢે ગણાય છે, એટલે ઈદ્રિને જય મેળવવું ઘણું મુશ્કેલ છે. તે આ પ્રમાણે છે–
સે મનુષ્યોમાં એક શૂરવીર, હજારમાં એક પંડિત અને લાખોમાં એક વક્તા હોય છે, પરંતુ દાનેશ્વરી તે હોય ખરો અથવા ન પણ હોય, અર્થાત્ દાનેશ્વરી દુલભ હોય છે. યુદ્ધમાં જય મેળવવાથી શૂરવીર, વિદ્યાથી પંડિત, વાક્યાતુર્યથી વક્તા અને ધન દેવાથી કાંઈ દાતાર કહેવાતું નથી, પરંતુ ઇન્દ્રિયને જિતવાથી શૂરવીર, ધર્મનું આસેવન કરવાથી પંડિત, સત્ય ભાષણ કરનાર વક્તા અને ભય પામેલ જંતુઓને અભયદાન આપનાર દાનેશ્વરી, ગણાય છે. ઈદ્રિના પ્રસંગથીજ મનુષ્ય અવશ્ય દેષ સેવે છે. અને તેજ ઇંદ્રિયને વશ કરવાથી મનુષ્ય અનુક્રમે સિદ્ધિ મેળવે છે. પુરૂષનું બનાવેલું શરીર તે રથ છે, આત્મા નિયંતા (સારથી) છે. આ રથના ઘડા ઈદ્રિયે છે તે ઇંદ્રિયરૂપ શ્રેષ્ઠ અને કુશળ ઘેડાઓને સાવધાન થઈ દમનાર પુરૂષ સુખેથી ધીર પુરૂષની પેઠે ઈચ્છિત સ્થાનમાં પહોંચે છે. ચક્ષુદ્ધિને વિજ્ય મેળવવામાં લક્ષમણને દષ્ટાંત છે, તે આ પ્રમાણે છે–સીતાને કુંડલ, કંકણું વિગેરે છે ઈત્યાદિ પ્રશ્ન થતાં લમણે જવાબ આપે કે-હું કુંડલેને કે કંકણને જાJતે નથી પરંતુ હમેશાં તેણના ચરણકમળમાં વંદન કરતો હોવાથી ઝાંઝરે છે, તે હું જાણું છું.
વળી સંપૂર્ણ ઇંદ્રિયેના જયનું મૂળ કારણ જીલ્ડા ઈદ્રિયને જય છે અને તે જીલ્ડા ઇન્દ્રિયને જય કરે છે તો તેવા પ્રકારના ઉચિત આહાર અને સંભાષણથી કરવો જોઈએ. નિંદા નહીં કરવા લાયક કર્મથી પ્રાપ્ત થએલો તેમજ પ્રમાણે પેત અને શ્રેષ્ઠ કિયાઓમાં પ્રવૃત્તિ કરવા માટેજ આહાર કરવો ઉચિત ગણાય છે. તે માટે કહ્યું છે કે— आहारार्थ कर्म कुर्यादनिंद्यं भोज्यं कार्य प्राणसंधारणाय । प्राणाधार्यास्तत्त्वजिज्ञासनाय तत्त्वं ज्ञेयं येन भूयो न भूयात् ॥४॥
શબ્દાર્થ –આહાર માટે અનિંદ્ય કર્મ કરવું, પ્રાણેને ધારણ કરી રાખવા માટે ભેજન કરવું, તની જિજ્ઞાસા માટે જ પ્રાણેને ધારણ કરી રાખવા અને તત્વને જાણવું કે જેથી ફરી જન્મ લેવજ ન પડે. ૪
Page #276
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણ વિવરણું.
પ્રમાણથી અધિક આહાર લેવાથી નવા નવા મનારથાની વૃદ્ધિ, પ્રમળ નિદ્રાના ઉદય, નિરંતર અશુચિપણુ, શરીરના અવયવામાં ગુરૂતા, સધળી ક્રિયાઓના ત્યાગ અને ઘણું કરી રાગેાથી પીડિત થાય છે; તેટલા માટે હમેશાં રસનેંદ્રિયને અતૃપ્તજ રાખવી. રસનાઇંદ્રિય અતૃપ્ત હૈાય તા બીજી સઘળી ઇંદ્રિયા પોતપેાતાના વિષયમાં પ્રવૃત્તિ કરવાથી તૃપ્ત થએલીજ ગણાય છે. તે માટે કહ્યું છે કે—
यत्तत्क्रिया हि काव्येन काव्यं गीतेन बाध्यते ।
૨૩૮
गीतं च स्त्रीविलासेन स्त्रीविलासो बुभुक्षया ॥ ५ ॥
શબ્દા:જે તે ક્રિયા કાવ્યથી, કાવ્ય ગીતથી, ગીત સ્ત્રીઓના વિલાસથી અને સ્રીઓના વિલાસ ભૂખથી દેખાઇ જાય છે. અર્થાત્ ઉત્તરાત્તર એક એકથી બલવંત હોવાથી પુ નું બળ નકામું થાય છે.
જીલ્વેન્દ્રિય તૃપ્ત હાય તેા બીજી સઘળી ઇન્દ્રિયા પોતાના વિષયની પ્રવૃત્તિમાં ઉત્સુકતા જોવામાં આવે છે તેથી અતૃપ્તજ ગણાય છે. વચનની વ્યવસ્થાનુ પણુ નિયમિતપણુ હોવુ જોઇએ તે માટે કહ્યું છે કે—
महुरं निउणं थोवं कज्जावडियं अगव्वियमतुच्छं । पुव्वमइसकलियं भणन्ति जं धम्मसंजुत्तं ॥ ६ ॥
શબ્દા :-મધુર, નિપુણતાવાળું, થાડું, કાયને લગતું, અહુકાર વગરનું, તુચ્છતા વિનાનું. અને પ્રથમ વિચાર કરેલું જે એલાય છે, તેજ ધયુકત ગણાય
છે. દા
ઇત્યાદિ યુક્તિથી આહારની મર્યાદા કરતાં વચનની મર્યાદા અધિક ગણાય છે. કારણ કે વિકારને પ્રાપ્ત થયેલા આહારતા ઔષધાદિકના પ્રયોગથી દૂર કરી શકાય છે, પરંતુ વચનના વિકાર તા આખા જન્મારા સુધી હૃદયથી દૂર કરી શકાતા નથી. તેને માટે છે, આ ઠેકાણે કહ્યું છે કે—
जिह्वां प्रमाणं जानीहि भोजने वचने तथा । अतिभुक्तमतीवोक्तं प्राणिनां प्राणनाशकम् ॥ ७ ॥
શબ્દા :-ભાજન કરવામાં અને ખેલવામાં જીભનેજ પ્રમાણુ જાણવી. કારણકે અત્યત ખાધેલુ અને અત્યંત ખેલાયેલુ પ્રાણીઓના પ્રાણાના નાશ કરનારૂ
થાય છે. । ૭ ।
ખરેખર જિતેન્દ્રિય પુરૂષ કાઇથી પણ ભય પામતા નથી. કહ્યું છે કે—
Page #277
--------------------------------------------------------------------------
________________
પંચત્રિશત ગુણવણન. यस्य हस्तौ च पादौ च जिह्वा च सुनियंत्रिता । इन्द्रियाणि सुगुप्तानि रुष्टो राजा करोति किम् ॥ ८ ॥
શબ્દાર્થ –જેના હાથ, પગ અને જીભ સારી રીતે વશ થયેલી છે, તેમજ ઇઢિયે કાબુમાં છે તેને કુપિત થએલો રાજા પણ શું કરી શકવાને ? ૮ છે
હવે ગ્રંથકાર મહર્ષિ પ્રસ્તુત ગુણને ઉપસંહાર કરતાં ફળ બતાવે છે– एवं जितेन्द्रियो मत्यो मान्यो मानवतां भवेत् । सर्वत्रास्खलितो धर्मकर्मणे चापि कल्पते ॥ ९ ॥ શબ્દાર્થ –ઉપર પ્રમાણે જિતેન્દ્રિય મનુષ્ય માનવાળા મનુષ્યને પણ માનનીક થાય છે અને સર્વત્ર ખલના પામ્યા સિવાય ધર્મકાર્યમાં પણ યોગ્ય થાય છે. આ
! તિ વંદાર ગુનઃ . હવે ગ્રંથકાર મહર્ષિ શ્રાદ્ધગુણ વિવરણ ગ્રંથને ઉપસંહાર કરતાં કાંઈક વિશેષ બતાવે છે–
સર્વ પ્રકારે ઇંદ્રિયને નિરોધ કરે તે તો યતિ (મુનિ) એને ધર્મ છે. આ સ્થળે તે શ્રાવકધર્મને ઉચિત ગૃહસ્થના સ્વરૂપને અધિકાર હોવાથી ઉપર જણાવ્યા પ્રમાણે કહેવામાં આવ્યું છે. એવા પ્રકારના વિશેષ ધર્મની શોભાને પુષ્ટિ કરનાર સામાન્ય ગુણ (ન્યાયસંપન્ન વિભવાદિ) થી વધેલો મનુષ્ય અવશ્ય ગૃહસ્થધર્મને એટલે સમ્યકત્વ મૂળ બાર વ્રતરૂ૫ વિશેષ ધર્મને માટે કલ્પાય છે. અર્થાત્ અધિકારી ગણાય છે. ( ‘વિપો વત' આ પદ દરેક ગુણની સાથે સંબંધ ધરાવે છે, માટે જ્યાં ન હોય ત્યાં પણ જોડી લેવું.)
य एवं सेवन्ते सुकृतरतयः शुद्धमतयो, __विशेषश्रीधर्माभ्युदयदमिमं सद्गुणगणम् । ससम्यक्त्वं धर्म व्रतपरिंगतं प्राप्य विशदं
श्रयन्ते ते श्रेयःपदमुदयदैश्वर्यसुभगाः ॥१॥ શબ્દાર્થ –પુણ્યમાં પ્રીતિ રાખનાર અને શુદ્ધ બુદ્ધિવાળા જે મનુષ્ય વિશેષધર્મના અસ્પૃદયને દેનારઆ (ઉપર જણાવેલા રૂ૫)શ્રેષ્ઠ ગુણસમૂહને ઉપર જણાવ્યા પ્રમાણે સેવે છે, તે અભ્યદય આપનાર એશ્વયથી સારા નશીબવાળા પુરૂષો સભ્યત્વ સહિતનિર્મળ બાર વતરૂપ શ્રાવકધમને પ્રાપ્ત કરી મોક્ષપદને મેળવે છે. આ
Page #278
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણ વિવ.
in Hથ ગત્તિ .
કે તપાગચ્છની આદિમાં ત્રણ જગના પૂજ્ય અને પ્રશસ્ત જ્ઞાન તથા ક્રિયાવાળાદર - ઓની મળે અગ્રગણ્ય જગચંદ્રસૂરિ થયા. છે ૧
તેમની પાટ ઉપર શૈતમસ્વામિના જેવા પ્રભાવવાળા શ્રીદેવેંદ્રસૂરિ થયા, તેમના પછી યુગની અંદર ઉત્તમ શ્રી વિદ્યાનંદ ગુરૂ પ્રગટ થયા. ૨ .
ત્યારબાદ જગને વિસ્મય પમાડનાર શ્રી ધર્મઘોષસૂરિ થયા, તેમની પછવાડે સૂરિવરેમાં પ્રધાન શ્રી સોમપ્રભસૂરિ થયા. એ ૩
તે પછી સત્પુરૂષને કલ્પવૃક્ષ સમાન અને જ્ઞાનરૂપ લક્ષ્મીવાળા શ્રી મતિલક ગુરૂ થયા, ત્યારબાદ ઘણી કીર્તિવાળા શ્રી દેવસુંદરસૂરિ થયા. કે ૪ છે
તેમના શિષ્ય યુગને વિષે ઉત્તમ, પૃથ્વીમાં પ્રસિદ્ધ થયેલા અને જગમાં અત્યંત સાભાગ્યવાળા શ્રી સોમસુંદરસૂરિ થયા. એ ૫ છે
તેમના આત્મજ્ઞશિષ્ય શ્રી જિનમંડનગણિએ શ્રુતની ભક્તિથી શ્રાવકના ગુણેની શ્રેણિના સંગ્રહરૂપ ગ્રંથને બનાવ્યું. છે ૬
અણહિલ્લપુરપાટણમાં અનેક પ્રકારના શાસ્ત્રોને સાર ગ્રહણ કરી દશાદ્વાણું (૧૪૯૮)ની સાલમાં બનાવેલ આ ગ્રંથ ચિરકાળ સુધી વૃદ્ધિ પામો. છો
- ~- ~~- ~ ~~-~ ~ - इतिश्रीतपागच्छनायकश्रीसोमसुंदरसूरिशिष्यश्रीजिनमंडनगणिमहोपाध्यायविरचित श्राद्धगुणविवरणभाषांतर
તમાd.
--
-
-
-
Page #279
--------------------------------------------------------------------------
________________
ખાસ ખરીદવા લાયક છે. જૈન દર્શનના તત્ત્વજ્ઞાનને અપૂર્વ ગ્રંથ. “આત્મબોધ.
(ભાષાંતર) આત્મજ્ઞાન એ મોક્ષને પ્રાપ્ત કરાવનાર હેવાથી સર્વનું ઉપકારક છે. જેથી આ ગ્રંથનું ઉપર મુજબનું નામ આપી અતિ શુદ્ધ આત્મજ્ઞાનને માર્ગ અભિધેય રૂપે આ ગ્રંથના કર્તા મહાન આચાર્ય શ્રીજિનલાભસૂરિએ નિરૂપણ કરેલ છે. આ ગ્રં થમાં ચાર પ્રકાશ (પ્રકરણ) આપવામાં આવેલ છે. જેમાં પ્રથમ પ્રકાશમાં સમ્યક
વનું સ્વરૂપ, તેના ભેદ વગેરેનું એટલા બધા વિસ્તારથી અને ઐતિહાસિક દષ્ટાંતોથી સ્ફટ સરળ રીતે નિરૂપણ કરવામાં આવેલ છે કે, અત્યાર સુધીમાં આ વિષયના પ્રસિદ્ધ પામેલ ગ્રંથમાં આ ગ્રંથ એક ઉચ્ચ પ્રતિષ્ઠા મેળવવા સાથે ઉત્તમ નમુના રૂપે થયેલ છે. બીજા પ્રકાશમાં દેશવિરતિનું સ્વરૂપ, ત્રીજા પ્રકાશમાં ઉત્તમ મુ. નિવ્રતનું સ્વરૂપ અને ચોથા પ્રકાશમાં પરમાત્મ ભાવનું સ્વરૂપ દર્શાવેલ છે. આ આખા ગ્રંથના દરેક વિષય માટે અનેક કથાઓ, ઉપનયે અને આગામે પ્રકરણે વિગેરેની પ્રસંગે પ્રસંગે અનેક સાદત આપી ગ્રંથકર્તાએ ભવિ જીવોના લાભાર્થે ઉત્તમ મહદ પ્રયાસ કર્યો છે. આ ગ્રંથ અતિ ઉપગી અને દરેક મુનિ મહારાજાઓ અને જૈન બંધુઓને શ્રવણ, મનન નિદિધ્યાસન કરવા જેવું છે. આ ગ્રંથના વિશેષ વખાણ કરવા કરતાં તે ખાસ વાંચી જવા વિનંતિ કરીએ છીએ.
આ ગ્રંથ ઉંચા સીતેર રતલી ડેરલીંગ ગ્લેઝ કાગળ ઉપર રોયલ આઠપેજ સુંદર જેની (શાસ્ત્રી ખાસ) ટાઈપમાં છપાવવામાં આવેલ છે. લગભગ ૬૦ ફોરમ ૫૦૦ પાનાને સુંદર બાઈડીંગથી અલંકૃત કરવામાં આવેલ છે. કિંમત રૂ.૨–૮–૦ પોસ્ટ ખર્ચ જુદો. તૈયાર છે. જલદી મંગાવે. તૈયાર છે.
तपोरत्न महोदधि.
(તપાવલી ભાગ ૧-૨) અનેક ગામાંથી તમામ પ્રકારના તપને કરેલે સંગ્રહ શ્રી પ્રવર્તકજી મહારાજશ્રી કાન્તિવિજયજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી ભક્તિવિજયજી મહારાજના અપૂર્વ પ્રયાસનું આ ફળ છે. કે જે તે બે વિભાગમાં પ્રગટ કરવામાં આવેલ છે. પ્રથમ વિભાગમાં ૮૮ પ્રકારના આચારદિનકરમાં જણાવેલા તપનું તથા બીજા વિભાગમાં ૭૩ પ્રકારના અન્ય ગ્રંથાદિમાં કહેલા તપનું વર્ણન આ ગ્રંથમાં વિધિ-વિધાન સહિત ઘણી ઉંચી અને સરળ શૈલીથી આપવામાં આવેલું છે.
Page #280
--------------------------------------------------------------------------
________________ બંને વિભાગમાં તપ અને તેના ગુણણા વિગેરે બહુજ વિસ્તારથી આપવામાં આવેલ છે. આ ગ્રંથની અંદર અનેક ગ્રંથને આધાર લેવામાં આવ્યો છે, તે ગ્રંથોના નામનું લીસ્ટ પણ સાથે આપવામાં આવેલ છે. વળી દરેક તપને મહિમા વાંચવાથી હૃદયમાં આહાદ ઉત્પન્ન થાય છે. વળી તપને લગતા પ્રશ્નોત્તરો દાખલ કરી તેને ખાસ ઉપયોગી બનાવવામાં આવેલ છે. અનેક ગ્રંથે બુકે, તપના ટીપણાઓ અને છુટક પ્રતે તેમજ ચાલુ પ્રચારથી જે જે તે જાણવામાં આવ્યા તે તમામને સંગ્રહ કરે. લો છે જે આ ગ્રંથ સાવંત વાંચવા વિચારવાથીજ તેની અપૂર્વ કિંમત થઈ શકે તેવું છે. ઉંચા એન્ટ્રીક ઈંગ્લીશ પેપર ઉપર સુંદર શાસ્ત્રી ટાઈપથી પ્રતના આકારે માટે ખર્ચ કરી છપાવવામાં આવેલ છે. બાવીશ ફોરમને માટે ગ્રંથ છતાં માત્ર તેની કિંમત રૂા. 0-8-0 આઠ આના રાખવામાં આવેલ છે. પટેજ જુદું. विविध पूजा संग्रह. (શ્રીમદ્ વિજયાનંદ સૂરિ (આત્મારામજી મહારાજ તથા મુનિરાજ શ્રી વલ્લભવિજયજી મહારાજ વિરચિત ચિદ પૂજાએને સંગ્રહ) મહોપકારી શ્રીમદ્ વિજયાનંદ સુરીશ્વર રચિત પૂજાઓ કે જેને માટે સંગીતના પ્રોફેસરે અને પૂજાના જાણકાર રસિકે તેમની રચનાના સંબંધમાં અનેક વિધ પ્રશંસા કરે છે, તે પાંચ પૂજાઓ તથા તેમને પગલે ચાલનારા પ્રસિદ્ધ વક્તા શ્રીમાળ્યુનિરાજ શ્રી વલ્લભ વિજયજી મહારાજની બનાવેલી 9 પૂજા કે જે વર્તમાન સમયને અનુસરતા રાગરાગણીથી ભરપુર હોઈ આકર્ષક છે. ગયા અને તેની પહેલાના વર્ષમાં મુંબઈ નગરીમાં તેઓશ્રીના ચાતુર્માસ દરમ્યાન તેઓની છેલ્લી બનાવેલી શ્રી પંચપરમેષ્ઠિની પૂજા મુંબઈની જેન પ્રજાએ વારંવાર ભણુ વી, સાંભળી તેની અપૂર્વ રસિકતા જાણી અપૂર્વ આનંદ અનેકવાર લીધેલ છે, અને તેની ઉપયોગિતા, કૃતિની રસિકતા એકમતે સિદ્ધ થઈ ચુકી છે, તેની વારંવાર માગણી થવાથી ઉક્ત બંને મહાત્માઓની કૃતિની તમામ પૂજાઓ સાથે છપાવી છે. પૂજા શોધવામાં મુનિરાજ શ્રી વલ્લભવિજયજી મહારાજે કૃપા કરેલી હેવાથી તદન શુદ્ધ છપાયેલ છે. ઉંચા ઈગ્લીશ ગ્લેજ કાગળો ઉપર સુંદર શાસ્ત્રી મોટા ટાઈપમાં નિર્ણયસાગર પ્રેસમાં છપાવી તેનું એટલું બધું સુંદર બાઈડીંગ કરાવવામાં આવેલ છે કે તે જોતાં તરતજ ગ્રહણ કરવાની ઈચ્છા થાય. જેને માટે ઘણું મટે ખર્ચ કરવામાં આવેલ છે, જે શુમારે ત્રીસ ફોરમ સવાચારશે પાનાને દળદાર ગ્રંથ છતાં તેને બહેશે પ્રચાર થવા માટે મુદલથી ઓછી કિંમતે એટલે માત્ર રૂા. 0-8-0 આઠ આના (પિસ્ટેજ જુદું)ની કિંમત રાખવામાં આવેલ છે, માત્ર જુજ નકલે બાકી છે, જેથી નીચેના સરનામે લખી જલદીથી મંગાવે. શ્રી જૈન આત્માનંદ સભા - ભાવનગર, ,