________________
नवम गुण वर्णन.
હવે ક્રમથી પ્રાસ થયેલ “માતા પિતાની પૂજા કરવા રૂપ નવમા ગુણુનું' વર્ણન કરે છે.
,,
2.
“ માતાશ્ત્રિોત્ર જૂન : ગૃહસ્થાએ માતાપિતાની પ્રાતઃ, મધ્યાન્હ અને સાચ’કાળે પ્રણામાદિકે કરી પૂજા કરનાર થવુ જોઈએ. કહ્યું છે કેઃ—
" मातृपित्रादिवृद्धानां नमस्कारं करोति यः ।
तीर्थयात्रा फलं तस्य तत्कार्योऽसौ दिने दिने ॥ १ ॥ " શબ્દા— જે પુરૂષ માતા પિતા તથા વડીલ વર્ગને નમસ્કાર કરે છે તેને તીર્થ યાત્રા જેટલુ ફળ થાય છે, તે હેતુથી તેમને નિર ંતર નમસ્કાર કરવા જોઇએ.” ભાષા પૂજ્ય વર્ગમાં અગ્રેસર માતાપિતા છે. જેમ દેવપૂજા ત્રણ વાર કરવાની શાસ્ત્રમાં આજ્ઞા છે, તેમ માતાપિતા, વડીલ બધુ વર્ગ અને વૃદ્ધ કુટુંબ વર્ગ વિગેરેને પણ દિવસમાં ત્રણ વાર નમસ્કાર કરવાની આજ્ઞા છે. માટે તેમને હંમેશાં નમસ્કાર કરવા જોઇએ. જે પુરૂષો પાતાના પરોપકારી પૂજ્ય વર્ગની અવગણના કરે છે તે કઢિ પણ ધર્મ અંગીકાર કરવાને લાયક થતા નથી. જે માતાપિતાએ આપણા ઉપર અગાધ ઉપકાર કરે છે તેના બદલા કાઇ પણ રીતે વાળી શકાતા નથી. તેને માટે જૈનાગમમાં જણાવેલી ખીના આજ ગુણમાં આગળ જણાવેલી છે, તેથી અહી’યાં એટલુ’જ કહેવુ' ખસ થશે કે માતા પિતાનું પૂજન કરનાર ઘેર બેઠાં તીર્થયાત્રાનુ ફળ પ્રાપ્ત કરે છે; માટે હંમેશાં ત્રણ વાર ન બની શકે તે પ્રાતઃકાળમાં તેા માતાપિતા વિગેરે પૂજ્ય વર્ગને ધર્મ જિજ્ઞાસુ પુરૂષાએ અવશ્ય નમસ્કાર કરવા ચુકવું નહીં. સાંપ્રત કાળમાં ગુજરાત દેશમાં માતાપિતાને નમસ્કાર કરવા રૂપ પ્રચાર બહુધા લુપ્ત થઇ ગયા છે. પરંતુ આ પ્રચાર દક્ષિણ, મારવાડ અને પંજામ