________________
દશમ ગુણ વર્ણન.
गुणिनः सुकृतं शौचं, प्रतिष्ठा गुणगौरवं । अपूर्वज्ञानलालश्च, यत्र तत्र वसेत्सुधीः ॥२॥ यत्र देशे न सन्मानं, न बुद्धिर्न च बान्धवाः । न च विद्यागमः कश्चिन्न तत्र निवसेडुधः ॥ ३॥ अनायके न वास्तव्यं, न वास्यं बालनायके स्त्रीनायके न वास्तव्यं, न वास्यं बहुनायके ॥४॥ बासराज्यं नवेद्यत्र, राज्यं यत्र वा नवेत् । स्त्रीराज्यं मूर्खराज्यं वा, यत्र स्यात्तत्र नो वसेत् ॥५॥
શબ્દાર્થ –શ્રેષ્ઠધર્મ, કિલ્લે, સાર સ્વામી, વેપાર, જળ, ઈધન, અને પિતાની જાતિના લોથી મનહર હેય એવા દેશમાં પ્રાયે કરી ધર્માથી પુરૂષ હમેશાં વાસ કરે iા જે દેશમાં ગુણિજને રહેતા હોય, પુણ્યકાર્ય થતાં હૈય, પવિત્રતા હય, માન જળવાતું હોય, ગુણેનું ગૌરવ થતું હોય અને અપૂર્વ જ્ઞાનને લાભ થતો હોય તેવા દેશમાં બુદ્ધિમાન પુરૂષ વાસ કરે. ૨. જે દેશમાં સન્માન, બુદ્ધિ, બાંધે અને કઈ પ્રકારની વિદ્યાની પ્રાપ્તિ ન હોય તેવા દેશમાં પંડિત પુરૂષ વાસ કરે નહીં. ૩ જે દેશમાં નાયક ન હય, બાળ નાયક હેય, સ્ત્રી નાયક હોય અને ધણું નાયક હોય તેવા દેશમાં વાસ કરે નહીં. ૪. જે દેશમાં બાળકનું રાજ્ય હય, જ્યાં બે રાજાઓનું ભેગું રાજ્ય હેય અને જ્યાં મૂર્ખનું રાજ્ય હેય તેવા દેશમાં વાસ કરે નહીં. . પ . આ બીનાને શાસ્ત્રકાર ઉદાહરણ આપી સ્પષ્ટ રીતે જણાવે છે તે આ પ્રમાણે છે.
પદ્મપુર નગરમાં નિર્વિચાર નામે રાજા અને તેને પાષાણભેદી નામે મંત્રી હતે. એક વખતે માળવાધિપતિ શ્રી વિક્રમરાજા સ્ત્રીના રાજ્ય તરફ જતાં પદ્મપુરમાં આવી ચડે અને ત્યાં કેટલાક દિવસ રહ્યું હતું. તે એક વખતે રાજસભામાં ગયે હત તે વખતે નિર્વિચાર રાજાની પાસે એક ચેરી માતા આ પ્રમાણે બેલી રહી હતી “હે રાજન? મ્હારે પુત્ર પાંચ પ્રકારના ચોરના આચારથી ચોરી કરતે હતે. તેને ધન્યછીના ઘરમાં ખાતર પાડતાં ત્રુટિ પડતી ભીંતે મારી નાખે છે. તેથી હું તમારી આગળ ન્યાય માગું છું.” આ વાત સાંભળી રાજાએ શ્રેષ્ઠીને બેલા અને ચાર
માય વિગેરેને વૃત્તાંત પુછયે. શ્રેષ્ઠોએ કહ્યું કે તેમાં મહારે શે દોષ? તે તે ભીંત * ચણનારા મીસ્ત્રીઓ જાણે” રાજાએ તેમને પણ લાવ્યા. તેઓએ જવાબ આપ્યો કે
“ઘર ચણતી વખતે એક વેશ્યા હમારા જોવામાં આવી અને તેના રૂપથી હમારાં ચિતે