________________
ચતુસિરાત્ ગુણવણ ન
૨૩૩
મુખને ખીજાના તરફથી ફેરવી દેવુ, ઉપર જોવુ, નેત્રાનુ બંધ કરવું, શરીરનુ મરડવું અને વીંટવું આ સઘળું અહંકારનું પ્રાથમિક રૂપ ગણાય છે. એટલે ઉપર જણાવેલી ચેષ્ટાઓથી અભિમાની મનુષ્ય એકદમ એળખાઇ આવે છે. શૈા મદ, રૂપમદ, શૃંગારમદ અને ઉંચકુળના મઢ આ સઘળા મદરૂપ વૃક્ષે મનુષ્યાના વિભવ રૂપ મદથીજ ઉત્પન્ન થએલાં છે. શો મદ ભુજાને, રૂપમદ આરિસા વિગેરેને અને કામમદ સ્ત્રીને જીવે છે. પરંતુ આ વિભવમઢતા જાત્યધ હોવાથી કાંઇ જોઇ શકતા નથી. અર્થાત્ પ્રથમના મદો જ્યારે અકેક વસ્તુ તરફ્ મનુષ્યાનું ધ્યાન ખેંચાવે છે, ત્યારે ધનમદ તા મનુષ્યોને તદન આંધળાજ અનાવી દે છે. મનુષ્યોના ધનમદ તા કાંઇ આત્મારામ ( આત્માન૪) જેવાજ જણાય છે. કારણ કે જેમ આ ત્માનંદથી મનુષ્ય આંતરિક સુખના આન ંદથી નેત્રા બંધ કરી લે છે અને ધ્યાનાઢ થઈ જાય છે તેમ ધનમદથી પણ આંખ્યા મીચે છે અને જાણે એકાગ્રતાપૂર્વક સમાધી ચઢાવી ન હોય તેમ સમાધિમાં લીન થઇ જાય છે. મનુષ્યેાના અધિકારમદ હમેશાં ભ્રકૂટી ચઢાવવાવાળા હાવાથી વિકાળ, કંઠાર ભાષણ કરાવનાર, હઠપૂર્વક તાડના કરનાર અને સર્વ ભક્ષણ કરનાર ક્રૂર રાક્ષસ જેવા ગણાય છે. પુરૂષાના એક કુળમદ તા પેાતાના પૂર્વજના પ્રતાપની મ્હોટી મ્હાટી વાતા કરનાર, પેાતાનાં ખીજા કાચીને ભૂલી જનાર, દીર્ઘ દેશી પણાના અને જ્ઞાનના નાશ કરનાર હાય છે. સઘળા મો અવધિવાળા હાવાથી પોતપાતાનાં કારણેાને અભાવ થવાથી નાશ પામે છે, પરંતુ એક ગુરૂમદ અર્થાત્ માટાઈના મદ સપના જેવા વાંકે અપરિમિત કાળ સુધી સ્ફુરે છે અર્થાત્ ધણા લાંખા કાળ સુધી રહી શકે છે. સામતાના માન ધારણ કરવામાં, વૃદ્ધિ પામતા ધનાઢ્યોના નિશ્ચલ દષ્ટિમાં, ધનવાળાઓના ભૂભંગ અને મુખના વિકારમાં વિટ વિગેરેના બે ભ્રમરામાં, દ્ભુત અને પંડિતાને જિવામાં, રૂપવાળાઓના દાંત, કેશ અને વેષમાં, વૈઘાના હાટમાં, મ્ડાટા અધિકારીઓ અને જ્યાતિષિઓના ગળામાં, સુલટાના સ્ક ંધમાં, વાણીઆઓના હૃદયમાં, કારિગરાના હાથેામાં, તરૂણ સ્ત્રીઓના સ્તનતટમાં, બ્રાહ્મણેાના ઉદરમાં, ચતુર કાસદ્ધિઆના જંધાઓમાં, હાથીઓના ગડસ્થળમાં, મયૂરાના પિચ્છામાં અને હુ ંસાના ગતિની અંદર મદ (અહંકાર) રહેલા છે. વિશાળ હૃદયવાળા મનુષ્યાને સર્વથા આવા મદ કરવા ચેાગ્ય નથી. કહ્યું છે કેઃ—
नो निर्जित्य जरां स्वभावमधुरं तारुण्यमास्वादितं,
नो निर्जित्य यमं कृता निजतनुः कल्पान्तसंस्थायिनी । नो दारिद्र्यभुजङ्गमाज्जगदिदं स्वैश्वर्यतो मोचितं,
किं मायन्ति विपश्चितोऽपि हि मुधा विद्यालवाद्यैर्गुणैः॥४॥
૩.