________________
-
::
ક
चतुर्थदश गुण वर्णन.
હવે કમથી પ્રાપ્ત થએલ “બુદ્ધિના આઠ ગુણે મેળવવારૂપ જ દમ ગુણનું વિણ આરભે છે.
તથા બુદ્ધિના આઠ ગુણ છે. તે જે પુરૂષમાં હોય તે પુરૂષ ધમ મેળવવાને અધિકારી થાય છે. તે આઠ ગુણે આ પ્રમાણે છે. शुश्रुषा १ श्रवणं चैव, ग्रहणं ३ धारणं ४ तथा। अहो ए ऽपोहो ६ ऽर्थविज्ञानं, ७ तत्वज्ञानं च धीगुणाः ॥१॥
શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, ઉહા, અપોહા, અર્થજ્ઞાન અને તત્વજ્ઞાન એ બુદ્ધિના આઠગુંણે જાણેવા. ૧ તેમાં સાંભળવાની ઇચ્છા તેને શુશ્રુષા કહેવાય છે. શુશ્રુષાની ઈચ્છા શિવાય શ્રવણાદિક ગુણની પ્રાપ્તિ નથી. ૧ શ્રવણ એટલે સિદ્ધાંતાદિકનું સાંભળવું. આ સાંભળવું મહટ ગુણના સગને માટે થાય છે. ૨ તેને માટે કહ્યું છે કે ;
काराम्नस्त्वागतो यत्, मधुरोदकयोगतः। बीजं प्ररोहमादत्ते, तत्तत्वश्रुतेर्नरः ॥॥ काराम्नस्तुट्य श्ह च, भवयोगोऽखिलो मतः।
मधुरोदकयोगेंन, समा तत्त्वश्रुतिः स्मृता ॥३॥ ખારા જળને ત્યાગ થવાથી અને મીઠા જળને સવેગ મળવાથી જેમ બીજ અંકુરને ધારણ કરે છે તેવી રીતે તત્વનું શ્રવણ કરવાથી પુરૂષ દેષને ત્યાગ કરી ગુણને ગ્રહણ કરે છે. અહિં સંસારને સંપૂર્ણ સંગ ખારા જળના સમાન મા છે, અને તત્વનું સાંભળવું તેને મીઠા જળના સમાન કર્યું છે. ૩ સાંભળવા પૂર્વક