________________
નવમ ગુણું વર્ણન
मार्गे वाक्यसखा यस्तु, पञ्चैते भ्रातरः स्मृताः ॥॥" શબ્દાર્થ—“ સદર, સાથે અભ્યાસ કરનાર, મિત્ર, વ્યાધિમાં રક્ષણ કરનાર અને માર્ગમાં વાતચિત્ત કરનાર એ પાંચ ભાઈઓ કહેવાય છે. ૮” એ આદિ બીજા પણ નમસ્કારરૂપ પૂજાને પગે જાણી લેવા.
હવે ગ્રથ કર્તા આ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા માતાપિતાની પૂજા કરવાને આગ્રહ કરે છે – कृतज्ञतामात्मनि संविधातुं, मनस्विना धर्ममहत्वहेतोः। पूजाविधौ यत्नपरेण माता-पित्रोः सदा नाव्यमिहोत्तमेनाए॥" | શબ્દાર્થ– આ લેકમાં પ્રશસ્ત મનવાળા ઉત્તમ પુરૂષે પિતામાં કૃતજ્ઞતાનું આરે પણ કરવાના અને ધર્મની શ્રેષ્ઠતા વધારવાના હેતુથી, હમેશાં માતાપિતાની પૂજા કરવામાં પ્રયત્ન કરવા ઉઘુક્ત થવું જોઇએ. ૯” કૃતિ નવમો ગુનઃ ||