________________
શ્રાદ્ધગુણ વિવરણ સમુદાય જાણે ન હોય એ તેને પિતાને પુત્ર અભયકુમાર મંત્રી હતા. તેને આખા રાજ્યને કારોબાર સેંપી શ્રેણિકરાજા ચેલણ દેવીની સાથે વિલાસમાં નિમગ્ન થયે. એટલામાં હેમંતરૂતુ શરૂ થતાં ત્યાં ભગવાન મહાવીરસ્વામી પધાર્યા. કેઈ વખતે મધ્યાન્હ પછી ચેલ્લ| સહિત શ્રેણિક રાજા ગુણશીલ ચૈત્યમાં ભગવાનને વંદન કરી ત્યાંથી પાછા ફરતાં નદીના કિનારા ઉપર વસ્ત્રરહિત અને કાયોત્સર્ગમાં રહેલાં એક મુનિને જોઈ તત્કાળ વાહનથી ઉતરી ચેલૂણાની સાથે શ્રેણિકે તે મુનિને પ્રણામ કર્યા અને પછી પિતાને સ્થાને પ્રાપ્ત થયું. ત્યાં સાયંકાળનું આવશ્યક કર્મ કરી વાસભુવનમાં દાખલ થઈ સુખરૂપ નિદ્રામાં તત્પર થયે. આ અવસરે નિદ્રાને આધિન થએલી ચેલૂણા રાણીને હાથ એઢેલા કપડાથી બહાર નીકળી ગયો અને તે ટાઢથી વીંછીના ડંખની પેઠે પીડિત થયે. તેથી જાગેલી ચેલુણારાણીએ નદીના કિનારા ઉપર કાયોત્સર્ગમાં રહેલા મુનિને યાદ કરી બેલી કે–તે કેવી હાલતમાં હશે ? પછી કપડાથી હાથને ઢાંકી દીધો અને સુખેથી સુઈ ગઈ. તે પછી તેનાં આ વાક્યને સાંભળી કુપિત થએલા રાજાએ વિચાર કર્યો કે ખરેખર આ રાણી વ્યભિચારણું છે. તેથી સંકેત કરનાર કેઈપણ યારને સ્મરણમાં લાવી આ પ્રમાણે બોલે છે. એ પ્રમાણે કોપાયમાન થયેલા રાજાએ જાગરૂક અવસ્થામાં જ બાકી રહેલી રાત્રિને ગુમાવી. સૂર્યના ઉદય થતાં ચેહૃણાને અંતેઉરમાં વિસર્જન કરી, અભયકુમારને કહ્યું કે-અરે અભયકુમાર ! અંતેઉરનો નાશ થયો છે. તે માટે અંતેઉરના દ્વારેને બંધ કરી તમામ બાજુના મુખવાળા અગ્નિને લગાડજે. પરંતુ માતાના સ્નેહથી મેહિત હદયવાળો થઈ હારી આજ્ઞાનું ઉલ્લુઘંન કરતો નહીં. એ પ્રમાણે અભયકુમારને આદેશ કરી રાજા ભગવાન મહાવીરસ્વામીને વંદન કરવા ગયે. એટલે નિપુણ અને નિશ્ચય મતિવાળા અભયકુમારે પણ વિચાર કર્યો કે-હારી સર્વે માતાઓ સતીમાં તિલ સમાન છે. તે પણ કોઈ કારણથી પૂજ્ય પિતાએ આ અસંભવિત કાર્યની સંભાવના કરી છે. તેમજ પિતાને કેપ પણ પર્વતની નદીના પુરની પેઠે દુર્નિવાર્ય છે. એ વગર વિચારે કરેલું કાર્ય દુઃખદાયક થાય છે. તે માટે કહ્યું છે કે-- सगुणमपगुणं वा कुर्वता कार्यमादौ परिणतिरवधार्या यत्नतः
geતેના अतिरभसकृतानां कर्मणामाविपत्तेर्भवति हृदयदाही शल्यतु
ત્યો વિપાવર | ૪ -