________________
૧૫
શૈલી બહુજ ઉત્તમ છે, તે સાથે પ્રસંગે પ્રસંગે આવેલા વિવિધ સુભાષિત કંઠસ્થ કરવા યોગ્ય અને મનન કરવા યોગ્ય છે.
આ ગ્રંથના કર્તા શ્રીજિનમંડનગણી વિક્રમ સંવત પનરમા સૈકામાં વિદ્યમાન હતા. તેઓ શ્રી તપાગચ્છ રૂપી કમળને વિકાશ કરનાર શ્રી જગચંદ્ર સૂરિના પરિવારમાં થયેલા હતા, તેઓ જૈન ધર્મમાં પ્રખ્યાત થયેલા શ્રી સમસુંદર સૂરિના શિષ્ય હતા, મહાત્મા સોમસુંદસૂરિ ભારતવર્ષમાં એક સારા વિદ્વાન અને લેખક ગણાતા હતા. તેઓએ પન્નાપર તથા પ્રત્યાખ્યાન ભાષ્ય ઉપર ટીકા રચેલી છે. તેમજ યેગશાસ્ત્ર, ઉપદેશમાળા, પડાવશ્યક તથા નવતત્વ પ્રમુખ ગ્રંથ પર સુબોધક ટબા રચેલા છે. ગ્રંથકારે આ ગ્રંથની પ્રશસ્તિમાં પોતાની ગુરૂ પરંપરા ક્રમવાર આપી છે.
છેવટે જેન ગૃહસ્થ ધર્મના પ્રભાવને પ્રગટ કરનાર અને માર્ગાનુસારીપણાના માહાસ્યને દર્શાવનાર આ શ્રાદ્ધગુણ વિવરણનો ગ્રંથ સર્વ સાધમિ બંધુઓના વાંચવામાં આવે અને તેથી કરીને તેમનામાં ગૃહસ્થાવાસની ઉચ્ચતાની, કર્તવ્યનિષ્ઠ ધર્મકાર્યની, સદાચાર તથા સત્તનના નિર્મળ બોધની અને પરંપરાએ અધ્યાત્મ જ્ઞાનની ભાવનાઓ પુરિત થઈ આવે તેમજ ગૃહવાસના ઉચ્ચ આશયોનું અને ખરેખર જૈનતત્વનું મહાબલ પ્રગટ થઈ આવે એવા હેતુથી આ મહાન ગ્રંથ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
આ શ્રાદ્ધગુણ વિવરણ મૂળ ગ્રંથ પણ મુનિરાજશ્રી હંસવિજયજી મહારાજના ઉપદેશાનુસાર આર્થિક સહાય મળવાથી પ્રવર્તકજી મહારાજશ્રી કાતિવિજયજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી ચતુરવિજયજી મહારાજે તેની બીજી પ્રતિ એકઠી કરી મેળવી, શોધી છેવટે મુફ વગેરે તપાસી આપવામાં જે કૃપા દર્શાવી કે જેને લઈને તે મૂળ ગ્રંથ પણ અમે પ્રસિદ્ધ કરી શક્યા છીએ.
આ ગ્રંથના ભાષાંતરની યોજના ઉત્તમ પ્રકારે કરવામાં આવી છે. મૂળ કર્તાને આશય સમજી શકાય તેમ જૈન શૈલીને અનુસરી અર્થને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બનતી રીતે સરલતા અને સુગમતા રાખવામાં આવી છે. અમે આશા રાખીએ છીયે કે, પ્રત્યેક જૈન ગૃહસ્થને ઉપયોગી એવો આ ગ્રંથ દરેક જૈન કુટુંબમાં આદરણીય થયા વિના રહેશે નહીં. જે એમ થશે તે કર્તાને, અનુવાદક અને પ્રકાશકને શ્રમ સર્વ પ્રકારે સફળ થયેલે ગણાશે.
શહેર ભાવનગરમાં સં. ૧૯૬૪ની સાલમાં આપણી શ્રી જેન વેતાંબર કોન્ફરન્સનું છઠ્ઠ અધિવેશન કરવામાં આવ્યું તે વખતે આ મહાન પરિષદૃને તમામ ખર્ચ આ શહેરના અગ્રગધ્ય ગૃહસ્થ વેરા હઠીસંગભાઈ ઝવેરચંદે આપેલ હતા, અને ભારતવર્ષના શ્રી સંધની યથાશક્તિ ભક્તિ કરી હતી. તે માંગલિક કાર્યની ખુશાલીમાં આ સભાને રૂા. ૧૦૦૦) એક હજારની રકમ જ્ઞાનનો ઉદ્ધાર કરવા નિમિત્તે ગ્રંથમાળા (સીરીઝ) માટે ભેટ આપવાની ઈચ્છા જણાવેલી તે મુજબ સભાએ ધારાની રૂઇએ આ ગ્રંથ તેમની સીરીઝના પ્રથમ પુષ્પ તરિકે છપાવી પ્રસિદ્ધ કર્યો છે. આવી રીતે આવા ઉપયોગી ગ્રંથને પ્રસિદ્ધ કરી જ્ઞાાવાના- ઉચ્ચ કાર્યો કરવાને માટે