________________
૧૬૬
શ્રા દ્વગુણ વિવરણ. અને આ વનમાં તું કયાંથી આવે છે? એમ હંસના પુછવાથી તે ઘુવડ પક્ષીઓ કહ્યું કે, હું તમારા ગુણોનું શ્રવણ કરી તમારી સાથે મિત્રતા કરવા માટે આવ્યો છું. તે પછી હંસ અને ઘુવડની આપસ આપસમાં મૈત્રી થઈ અને તે બંને પક્ષીઓ સાથે ક્રીડા કરે છે. એક વખતે હંસની આગળ ઘુવડે કહ્યું કે એક વાર તમારે પણ હારા સ્થાનમાં આવવું. એવી રીતે કહીને હંસની રજા લઈ ઘુવડ પક્ષી પોતાના સ્થાન પ્રત્યે ચા ગયે. પછી કઈક વખતે હંસ પણ તેના સ્થાનમાં ગમે ત્યાં ઘણું સ્થાનમાં જે પણ ઘુવડ જોવામાં આવ્યું નહીં, પછી કઈ વૃક્ષની બખેલમાં પેઠેલા ઘુવડને જો ત્યારે હસે કહ્યું કે “હે ભદ્ર? તું બખેલમાંથી બહાર આવ. હું હંસ છું અને તને મળવા માટે આવ્યું છું.” ત્યારે ઘુવડે કહ્યું કે, “હે ભાઈ? દિવસમાં હું બહાર નિકળવાને સમર્થ નથી તેથી તમે અહીં રહે. રાત્રિમાં તમારી સાથે ગોષ્ઠી કરીશ.” અનુક્રમે રાત્રિ પડતાં બન્ને પક્ષીઓ મળ્યા અને પરપર કુશળ વાર્તાઓ વસ્તી ગેછી સમાપ્ત થતાં હંસ ત્યાંજ સુઈ ગયે, તે વખતે તે વનમાં રાત્રિમાં કઈ સાથે પડાવ નાંખીને રહ્યા છે, રાત્રિના પાછલા પહોરે સાર્થને ચાલવાના વખતમાં ઘુવડે ખરાબ સ્વરવાળે શબ્દ કર્યો અને પોતે નદીના વિવરમાં પ્રવેશ કરી ગયે અને હંસને તે ત્યાંજ સુતે મુકો. તે પછી તે ઘુવડના શબ્દને સાંભળી ક્રોધયુક્ત થએલા સાથે પતિએ દુષ્ટ શકુનની નિવૃત્તિ કરવાને માટે શબ્દવેધી બાણથી હંસને મારી નાંખે. આ કારણથી જ અકાળ ચર્યા ન કરવી ઈત્યાદિ કહેવામાં આવ્યું છે-હવે ગ્રંથકાર મહારાજ બાવીશમા ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશ આપે છે. ધમને અથે પોતાના આત્માનું કલ્યાણ ઈચ્છનાર અને હમેશાં સ્થિરતાને ધારણ કરનાર એવા વિચારના જાણુ પુરૂષે નિષિદ્ધ કરેલી દેશચર્યા અને કાળચર્યાને અવશ્ય ત્યાગ કર જોઈએ,