SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ હઠીસિંગ ઝવેરચંદ વ્હોરનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર. die now વોરા હઠીસંગ ઝવેરચંદને જન્મ કાઠીયાડમાં પ્રખ્યાત શહેર ભાવનગરમાં સંવત ૧૯૧૬ ના કારતક વદી એકાદસીને રોજ થયો છે. તેઓ જાતે વિશાશ્રીમાળી વંશ અને જન્મ વણીક હોઈને તેમનું કુટબ વોરાના અટકથી ઓળખાય છે. ગોહિલકુવૃત્તાંત. ળના ( આ રાજ્યના) આદ્ય મહારાજશ્રી ભાવસિંહજીએ જ્યારે ભાવન ગર શહેર વસાવ્યું તે વખતે વહોરા કુટુંબના પૂર્વજો તે શહેરનું તોરણ બાંધવામાં સામેલ હતા. પ્રથમ શેઠ હેમજી કુંવરજી નામે એક ગૃહસ્થ રાધનપુરથી કાઠીયાવાડમાં આવેલા હતા. તેમની સાથે વરતેજથી નેમા હેરાને આદ્ય મહારાજા ભાવસિંહજીએ ઘણું સન્માન સાથે બોલાવી ભાવનગર શહેરમાં વસાવ્યા હતા. તેમણે ભાવનગરમાં રહી પોતાની વ્યાપાર કળા ખીલવી હતી. જેમા વહેરાને ભાણજી અને દેવશી નામે બે પુત્રો થયા હતા. તેમાં ભાણજી ને ગાંગજી અને થેભણ નામે બે પુત્રો થયા હતા. એ ચારે શાખાઓમાંથી વેરા વંશ વૃદ્ધિ પામે છે; જેમના નિવાસથી ભાવનગરમાં વહોરાશેરીને નામે એ સ્થળ અદ્યાપિ પ્રખ્યાત છે. ગાંગજીના પુત્ર હેમા વોરા તથા દેવસી વેરાના પુત્ર સવચંદ વહોરાએ પોતાના વ્યાપાર કળાથી સારી ખ્યાતિ સંપાદાન કરી ભાવનગરના સર્વે વ્યાપારીમાં અગ્ર પદવી મેળવી હતી. જિનાલયો જૈન ઉપાશ્રયો વગેરે જે ભાવનગરમાં થયેલા છે, તેમાં અગ્ર ભાગ આ હોરા કુટુંબને જ છે.. ધાર્મિક અને વ્યાપારિક ઉન્નતિને સંપાદન કરનાર હેમજી વેરાને જ્યચંદ, સુરચંદ અને કરશન નામે ત્રણ પુત્રો થયા હતા. તેમાં વચલા પુત્ર સુરચંદને જશરાજ અને ઝવેરચંદ નામે બે પુત્રો થયા હતા. તેઓમાં જે ઝવેરચંદ શહેરા આ જીવનવૃતાંતના નાયક હઠીસંગભાઈના પિતા થાય છે. તેમના પિતામહ સુરચંદ વોરાનું સિદ્ધતિથ–પાલીતાણામાં વિખ્યાત દિયારા કુટુંબના વાલજી ગણેશની પુત્રી ઝીણબાઈ સાથે લગ્ન થયું હતું. તે પરમ શ્રાવિકા ઝીણબાઇના આગમન પછી સુરચંદ હેરાની સમૃદ્ધિમાં ઘણું વધારો થયો હતો. અને ધાર્મિક કાર્યો કરી
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy