SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ શાહણ વિલ વાળો, રંગ અને પ્રમાણુ વિગેરેથી વર્ણન કરવા લાયક એવી જિનેશ્વરની પ્રતિમા એથી ભૂષિત, અત્યંત ઉંચે અને જગતના લેકેને આનંદદાયક અષ્ટાપદ અવતાર નામને એક પ્રાસાદ મનુષ્યની યાત્રાસિદ્ધિ માટે રાજા પાસે કરાવ્યું. કેઈએક દિવસે આકાશમાં વિહાર કરનારા ઉત્તમ ચારણ સાધુઓ તે અષ્ટાપદમાં દેને વંદન કરવાની ઈચ્છાવાળા નિચે ઉતર્યો. પ્રાણીઓને હિત કરનારા તે મુનિયાને હારા રાજાએ વિનયપૂર્વક નમસ્કાર કરી અવસર મળતાં હાથ જોડી પ્રશ્ન પૂછ્યો કે-હે મુનીશ્વરે ! વિશ્વમાં હમેશાં ઉન્નતિ કરનારા અને પરોપકાર કરનારા કયા ઉત્તમ પુરૂષે કારણે શિવાય રામશેખરના મંદિરમાં આશ્ચર્ય કરનારી અને આકાશ મા ગમન કરવામાં અસાધારણ શક્તિને પ્રગટ કરનારી ગુટિકા મને અર્પણ કરી. ?” આ પ્રશ્નના ઉત્તરમાં અતિ આશ્ચર્યકારક, આનંદજનક અને યથાર્થ એવું હે ભરતભૂપતિ! હારૂં ચરિત્ર મુનીશ્વરેએ કહી સંભલાવ્યું તે સત્કારપૂર્વક હમારા રાજાએ સાંભળીને હે રાજેદ્ર! ઝેરને દૂર કરનાર આ હાર આપને ભેટણ તરીકે આનંદપૂર્વક મેકલાવ્યા છે. તેથી હે જગના પ્રાણીઓને આનંદ આપનાર ! હે મહારાજ ! પ્રસન્ન થઈ અમારા અનુગ્રહ માટે આ હારને ગ્રહણ કરે. ભરતરાજા તેનું વિનયયુક્ત વચન સાંભળી સભાની અંદર બહુ માનપૂર્વક આ પ્રમાણે બોલ્યા કે અહો ! તે રાજાની કૃતજ્ઞતા અહો! તેની લેકેત્તર સ્થિતિ ! જે હારા સ્વ૯૫ પરોપકારને મેરૂપર્વતથી પણ મેટ માની તે ડાહ્યા અને શિષ્ટ શિરોમણિ રાજાએ મહિમાના સ્થાનભૂત આ હારને પોતે મોકલાવે છે, પરંતુ જે પુરૂષ બીજાને ઉપકાર કરી તેના પ્રત્યકારની ઈચ્છા રાખે છે તે પુરૂષ ક્ષણવારમાં પોતાના આત્માને નિ:સત્વ પુરૂષની પંક્તિમાં સ્થાપન કરે છે. તે માટે કહ્યું છે કેइयमुञ्चधियामलौकिकी महती काऽपि कठोरचित्तता। उपकृत्य भवन्ति दूरतः परतः प्रत्युपकारशङ्कया ॥ १४ ॥ શબ્દાથી–ઉન્નત બુદ્ધિવાળા પુરૂષોની આ ચિત્ત કઠોરતા મોટી અને કાંઈ વિલક્ષણજ જણાય છે કેમકે પિતે ઉપકાર કરી બીજાના પ્રત્યુપકારની શંકાથી દૂર થઈ જાય છે. અર્થાત મેં જેના ઉપર ઉપકાર કર્યો છે, તે પુરૂષ અને તેને બદલે આપશે એવા ભયથી ફરીથી તેના સમાગમમાં આવતા નથી. ૧૪ . તે કારણથી તે ઉત્તમ પુરૂષ! આ હારને હું ગ્રહણ નહી કરું. એ પ્રમાણે તેની સાથે સંભાષણ કરી અને સંતેષ પમાડી તે પુરૂષને રાજાએ પાછો મેકલ્ય, કે ઈએક વખત અરિષ્ટપુરથી જે પુરુષને ઉપાડી લાવ્યા હતા હતા તે પુરૂષને પિતે રાજાએ પુછ્યું એટલે તેણે પોતાનું ચરિત્ર કહી સંભળાવ્યું તે આ પ્રમાણે છે
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy