________________
પદરમાં ગુણનું વર્ણન.
૧૩૫ ભગવાન મહાવીર સ્વામીને વંદન કરવા માટે જવાની ઈચ્છા કરતું નથી. આ તરફ તે નગરમાં અતિ શુદ્ધ સમ્યકત્વવાનું અને નિભિમાની સુદર્શને નામે શ્રેણી રહે તે હતે. તે શ્રેષ્ઠી ભગવાન્ મહાવીરસ્વામીના વચનામૃતનું પાન કરવાની ઈચ્છાવાળે હિતે, તેથી તે શ્રેણીએ પોતાના માતા પિતાને ભગવંતને વંદન કરવા નિમિત્તે જવાની વિજ્ઞપ્તિ કરી, અર્થાત ત્યાં જવાની આજ્ઞા માંગી. પછી તેના માતા પિતાએ કહ્યું કે હે વત્સ? હાલ તે માર્ગમાં જતાં તેને અજુન માળીએ કરેલ મહાન ઉપસર્ગ થશે. તેથી હે વત્સ? આજે તું અહિં રહીને જ જિનનાયકને વંદન કર અને પૂર્વે શ્રવણ કરેલી ભગવાનની દેશનાની ભાવના ભાવ. પછી સુદશને પિતાના માતા પિતાને કહ્યું કે જગદ્ગુરૂ મહાવીરસ્વામી અહિં આવે છતે તેમને વંદન કર્યા શિવાય ભોજન કરવું તે પણ ચગ્ય નથી. મને અર્જુન માળીને કરેલે ઉપસર્ગ પણ નહીં થાય, કારણ કે જિનેશ્વરનું ધ્યાન કરનારાઓને કદિ પણ વિદને પ્રાપ્ત થતાં નથી. તેને માટે કહ્યું છે કે –
उपसर्गाः क्षयंयान्ति, बिद्यन्ते विघ्नवस्त्रयः । मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे ॥ ७ सव्वेताह पसबा, सुमिणा सनणा गहाय नखत्ता । तिजयण मंगल निलयं, हियएण जिणं वहं तस्स ॥ ए જિનેશ્વરની પૂજા કરતાં ઉપસર્ગો નાશ પામે છે. વિનરૂપી વેલડીઓ છેદાઈ જાય છે. અને મનપ્રસન્નતાને પામે છે. ૮ જે પુરૂષ ત્રણ જગતનાં મંગળાના સ્થાનરૂપ એવા જિનેશ્વર ભગવાનને પોતાના હૃદયમાં ધારણ કરે છે, તે પુરૂષને સર્વ સ્વને શકુનેરહે અને નક્ષત્ર પ્રશસ્ત થઈ જાય છે. તે
આ પ્રમાણે પિતાના માતા પિતાને નાગમનાં વચને સંભળાવી અને પોતે જૈનગમને સાંભળવાની ઈચ્છામાં ઉત્સુક હૃદયવાળો તે સુદર્શન શ્રેણી જગતનું વાત્સલ્ય કરનાર એવા ભગવાન મહાવીર સ્વામીને વંદન કરવા માટે ગયે. એવામાં તે ભાગમાં ચાલતું હતું, તેવામાં અને નમાળી પિતે મુદ્રને ઉગામી યમરાજાની પેઠે તેના સન્મુખ આવે, તેને તેવી રીતે આવતે જોઈ સુદર્શન શ્રેષ્ઠી જિનેશ્વરના ધ્યાનમાં તત્પર થઈ તેજ ઠેકાણે કાત્સગ કરી ઉભા રહ્યા. તે વખતે તે પરમેષ્ઠી મહામંત્રના જાપથી અસહ્ય તેજવાળા અને વિસ્તારયુક્ત પૈવાળાતે સુદર્શન શ્રેષ્ઠીને પરાભવ કરવાને અસમર્થ થએલે,રેષ રહિત થએલો અને ભય પામેલ યક્ષ પોતાના મુકરને ગ્રહણ કરી, એક દમ અજુન માળીના શરીરને ત્યાગ કરી પોતાના સ્થાન પ્રત્યે ચાલ્યા ગયે. તેનાથી