________________
શ્રાદ્ધગુણ વિવરણ.
AAAAAAAAAAAAAAM
વાળા અને વ્યસન તથા મહોત્સવમાં સમાન સમાગમવાળા થવું.ળ્યાખ્યા–“ચિત્તના. એક સરખા અભિપ્રાયથી સુખ, દુઃખ, વ્યસન અને મહોત્સવ વિગેરેને વિષે તુલ્ય કિયાવાળા થવું. જે નાગરિકે એક સરખા અભિપ્રાયવાળા ન હોય તે રાજા અને કરેથી હમેશાં પરાભવ થવાનો સંભવ છે. સામુદાયિ કાર્યમાં પણ રાજાનું દર્શન એકલા એકલા જઈ કરવું નહિ. એકાંતમાં મશલત કરવારૂપ મંત્ર તેને ભેદ કરે નહિ અને પશુન્ય (ચાીયા) પણું છોડી દેવું. વ્યાખ્યા-જુદી જુદી મહત્તા અને પ્રભુતા વિગેરે મેળવવાની અભિલાષાથી એકલા એકલા જઈ રાજાનું દશન કરવું નહિ, તેમ કરવાથી ખરેખર બીજાઓને દ્વેષ અને અવિશ્વાસ વિગેરે ઉત્પન્ન થવાનો સંભવ છે. કારણ કે ઘણું સ્વામિવાળા સમુદાય હોય તે અવશ્ય સીદાય છે કહ્યું છે કે –
सर्वे यत्र विनेतारः, सर्वे पण्डितमानिनः। सर्वे महत्त्वमिगन्त, तहन्दमवसीदति ॥ ६॥ શબ્દાર્થ—જે સમુદાયમાં સઘળા નાયક હોય, સઘળા પિતાને પંડિત માનના હેય, અને સઘળા મહત્તાને ઇચ્છનારા હોય તે સમુદાય સીદાય છે. અર્થાત નાશ પામે છે. ૬
વળી આપમ્સ આપસના ગુપ્ત વિચારોને ભેદ કરવું, ચાડી ખાવી અને કેઈને રૂસવત આપવી વિગેરે કાર્યો કરવાં નહિ. વળી કહ્યું છે કે, જે બે પક્ષમાં તકરાર ઉભી થઈ હોય તે પિતે ત્રાજવાની સમાન મધ્યસ્થ થવું. પરંતુ રૂસવત વિગેરે લઈ સ્વજનની સાપેક્ષાથી નીતિમાર્ગનું ઉલ્લંઘન કરવું નહિ. વ્યાખ્યા–“ધન ધાન્ય અને ભૂમિ વિગેરેના સંબંધમાં બે પક્ષ વચ્ચે તકરાર ઉભી થઈ હોય તે મને ધ્યસ્થ થવું જોઈએ. પરંતુ સ્વજન સંબંધી રૂસવતને ઉપચાર (ભક્તિ) કરવા વિગેરેથી નીતિમાર્ગને ત્યાગ કરે નહિ. દાન, કર વિગેરે વધારી બળવાન પુરૂષ દુર્બલ પુરૂષને પરાભવ કરે નહિ. અને સ્વલ્પ અપરાધમાં ન્યાયની કોર્ટ સુધી લઈ જઈ દંડ કરાવે નહિ. વ્યાખ્યા–“સ્વ૯૫ અપરાધ છતાં પણ દંડ અપાવવામાં અને દાન કે બીજા કરને વધારવામાં પરસ્પર વિરોધ થવાથી સમુદાયને ભંગ થાય છે. અર્થાત્ સમુદાયમાં ભંગાણ પડી જાય છે, અને જ્યારે સમુદાયમાં ફાટફુટ થાય ત્યારે સમુદાયને પરાભવ જ થાય છે. તેથી ઐકયતા જાળવવા માટે નાગરિકે એ વિચાર પુરસર દરેક કાર્ય કરવામાં પ્રવૃત્તિ કરવી જોઈએ. જેથી ભવિષ્યમાં પશ્ચાતાપ કરવાને વખત આવે નહિ. કહ્યું છે કે –
संहतिः श्रेयसी पुंसां, स्वपकेतु विशेषतः । • तुरैरपि परिज्रष्टा, न प्ररोहन्ति तन्दुलाः ॥७॥