________________
દ્વાદશ ગુણ વર્ણન.
૧૨૧ દરિદ્ર સ્ત્રીની પુત્રીપણે થએલે છે. તેણે તેલના ચોથા ભાગનું પુણ્ય માંગી લેવાથી અને તમારૂં તેને દર્શન થવાથી તમે તેને સવાલાખ રૂપિયાની કિંમતની મુદ્રિકા અર્પણ કરી તેથી તેણીને જીવિત પ્રાપ્ત થયું. આ કારણથી “એક ગણું દાન અને સહસ્ત્ર ગણું પુણ્ય” એ વાકયને નિશ્ચય થયે પછી તે બાળકને આલિંગન કરી હષિત થએલે રાજા પોતાના નગર તરફ ચાલી નિકળે.
એવી રીતે આવકને અનુસરી ખરચ નહીં કરનાર મનુષ્યને લેકમાં શોભા, કીત્તિ અને ધમની પ્રાપ્તિ થતી નથી અને આગામિક કાળમાં પણ કદયની પેઠે સારું પરિણામ આવતું નથી. કહ્યું છે કે
" त्यागो गुणो वित्तवतां, वित्तं त्यागवतां गुणः ।
परस्परवियुक्तौ तु, वित्तत्यागी विमम्बना ॥५॥" શબ્દાર્થ દ્રવ્યવાન પુરૂષને ત્યાગ (દાન) હેય તે તે ગુણ છે. અને દાન કરવાવાળા પુરૂષોને દ્રવ્ય હોય તો તે ગુણ છે. દ્રવ્ય અને ત્યાગ આ બન્ને આપસ આપસમાં જુદા હોય તો એ બન્નેની વિડંબના થાય છે, ૫ (અર્થાત ધનાઢય દાતા ન હોય અને દાતા ધનાઢ્ય ન હોય તે વિડંબના શિવાય બીજું શું છે?).
દાતાને દૂરથી જ દેખતાંની સાથે વર્ષારાતુના મેઘની પેઠે જનસમૂહ ઉજજીવિત (આનંદિત ) થાય છે. વખતો વખત દાનરૂપ વૃષ્ટિની પ્રવૃત્તિ કરનાર દાતા. જેમ મહેટા હાથીની પેઠે નીચ પુરૂષોથી પરાભવ પામતે નથી, તેમજ ઉદાર મનુષ્ય દાનરૂપ અંકુશથી ક્ષણવારમાં હાથીની માફક રાજાઓને વશ કરે છે, જેમ સૂર્યને અંધકારનાં પુદગલે પરાભવ કરી શકતાં નથી, તેમ દાતાને દુજ ન મનુષ્યના વચને પરાભવ કરી શકતાં નથી. તથા દાતા દેશ અને કાળથી નષ્ટ થયે હેય તો પણ તે વિક્રમાદિત્ય વિગેરેની પેઠે અવિનાશી યશરૂ૫ શરીરથી જાણે? આગળ સ્કરાયમાન ન હોય તેમ પ્રકાશે છે. વધારે કહેવાથી શું કહ્યું છે કે
" संपदि विपदि विवादे, धर्मे चार्थे परार्थसङ्घटने ।
તેવગુચનાતે રરત્યુતાર વલોવે હા” શબ્દાર્થ આ લેકમાં ઉદાર માણસ સંપત્તિમાં, વિપત્તિમાં વિવાદમાં ધર્મમાં અને અર્થમાં બીજાના અને સાધવામાં તથા દેવ અને ગુરૂ સંબંધી કાર્ય પ્રાપ્ત થતાં કુરાયમાન થાય છે. ૬
આથી આવકને અનુસાર ખરચ કરનાર થવું જોઈએ. જે આવકથી અનુચિત ખરચ હેય તો તે ખરચ જેમ રેગ શરીરને કૃશ કરી સંપૂર્ણ કાર્યમાં અશકત બને નાવી દે છે, તેમ મનુષ્યના વૈભવરૂપ સારને કૃશ કરી પુરૂષને સંપૂર્ણ વ્યવસાયમાં અસમર્થ બનાવી દે છે. કર્યું છે કે