Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
- નામ -
with
વ્યવહાર - શુદ્ધિ)
શ્રાવકોએ પાંચ કર્મ, પાંચ વાણિજ્ય અને પાંચ સામાન્ય એ રીતે પંદર કર્માદાન છોડી દેવા જોઈએ, ખોટાં માન માપાં કરવાં નહિ, ભેળસેળ કરી વસ્તુઓ આપવી નહિ, નિઘકાર્યો કરવાં નહિ, એ જ વ્યવહાર શુદ્ધિ.
સર્વજ્ઞાભગવંતે એ વ્યવહાર શુદ્ધિને ધર્મનું મૂલ કહ્યું છે.
શુદ્ધ વ્યવહારથી અર્થની શુદ્ધિ થાય છે, શુદ્ધ અર્થ પેદા થયેલ હોય તો આહાર પણ શુદ્ધ થાય છે, શુદ્ધ આહાર હોવાથી દેહની શુદ્ધિ થાય, અને શુદ્ધ દેહ હોવાથી ધર્મને યોગ્ય તે જીવ છે થાય છે. વ્યવહાર શુદ્ધિ રહિત જે જે કાર્ય કરાય તે અફલ. થાય છે. તે તે પુરૂષ બીજાઓથી ધર્મની નિંદા કરાવે છે, પોતાથી કે પારકાથી ધર્મની નિંદા કરે તે દુર્લભબોધિતા પામે, કારણ કે જોતા શાસ્ત્રમાં તીર્થકર વિગેરેની આશાતના કરવાથી પ્રાયશ્ચિત આવે છે. એમ જણાવ્યું છે, તેથી સર્વપ્રકારે એવું કાર્ય કરવું કે જેથી ધર્મની નિંદા ન થાય.
છે
જિક