Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૨૦
ઓગષ્ટ : ૧૯૩૯
તરીકે રહે છે. જયારે એ જ સંયોગોમાં મિથ્યાદષ્ટિ આત્મા રાગ તથા દ્વેષ કરી કષાયથી વધારે લેવાતો
રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ આદિને તમે જીતો અને અન્યને જીતાડો !
જાય છે. ઘટાકાશ કહો કે મઠાકાશ કહો, પરંતુ જૈનદર્શનનું મંતવ્ય છે. પણ ઇતરને આ વ્યાખ્યા
આકાશ તો ઘટરૂપે પણ નથી, તેમ મઠરૂપે પણ નથી. તેમ કર્યો શાતાવેદનીય રૂપે ઉદયમાં આવે તો આત્મા શાતા વેદે, અશાતાવેદનીયના રૂપે ઉદયમાં આવે તો આત્મા અશાતાવેદે આત્માનો સ્વભાવ સુખમય છે, ચિદાનંદમય છે. ખોટી ખોળાધરી ! પણ માથાનો મળે ત્યાં સોંસરી નીકળે !!
પાલવી શકશે નહિ. કેમકે તેમને ૫૨મેશ્વરને વહીવટદાર માનવો છે. દલ્લો,માલ મિલ્કત, બાયડી છોકરાં,હાટ હવેલી,માન મરતબો, હામ, દામ,ઠામ કહોને,કે લાડી, વાડી, ગાડી બધું જ આપનાર પરમેશ્વરને માનવો છે. તેથી જ્ઞાનને અંગે અન્યમતધારીઓ વિષયપ્રતિભાસથી આગળ વધીને આત્મ-પરિણતિની ભૂમિકાએ પણ આવ્યા જ નથી. જયાં પરમેશ્વરને ખુદને વહીવટદાર માન્યા પછી ગુરૂની વાત કયાં રહી ? જૈનો તો પરમત્યાગી, પંચમહાવ્રતધારી, અને કંચનકામિનીનો સ્પર્શ પણ ન કરનાર તેવાને ગુરૂ માને તેજી મંદી કે રેસના ઘોડા વગેરેની જીત આપનારને છે. જંતર મંતર, દવા દારૂ, દોરા ધાગા ક૨ના૨ કે ગુરૂ માનવા જૈનોને પાલવે નહિ. ઇતરને એ રીતે ગુરૂપદ અને ધર્મ પણ તેવા જ પ્રકારે માનવો પડે કે જેથી ઇશ્વરના વહીવટની માન્યતામાં સ્ખલના આવે નહિ.
ઇશ્વ૨ને બનાવનાર(કર્તા) માનવાનું કારણ શું ? તત્વથી ખોટી ખોળાધરી આપવી છે એજ ખાસ કારણ છે. વર્નાનાં પ્રજ્ઞાળો ગુરુ: બધા વર્ણોને ગુરૂ બ્રાહ્મણ છે.એમ પ્રતિપાદન તો કર્યું,
પણ એ બ્રાહ્મણને અનાજ, વસ્ત્ર, ગાય, ભેંસ, વગેરે જે કાંઇ આપવામાં આવે તેનો બદલો ? બસ ! ત્યાં ઇશ્વર કામ લાગ્યો ખોળાધરી ઇશ્વરની આપી !. કહી દીધું કે બ્રાહ્મણને જે કાંઇ અહી આપશો તેનો બદલો તમને ૫૨મેશ્વર આપશે.’ (અપૂર્ણ)
(અનુસંધાન પેજ નં ૫૨૧ ૫૨)
શ્રી સિદ્ધચક્ર
અન્યદર્શનવાળા પણ યમ, નિયમ, તપ, શૌચ, સંયમ વગેરે માને છે; આ તત્ત્વોને કયા મતવાળા નથી માનતા ? તો શું જેવા જૈન એવા એ ? શબ્દમાત્રથી માન્યતા ભલે સરખી દેખાય. પણ વર્તન ? જૈનોને એમ વર્તનથી માનવામાં હરકત નથી, કેમકે તેઓ તો પરમેશ્વરને કર્મ જીતવાવાળા માને છે, તથા કર્મ જીતવા માટે સંસારની યાત્રામાંથી નીકળેલાને જ ગુરૂ માને છે; અને સંસારના પાશમાંથી છોડાવે, સંસાર (સંસાર એટલે આત્માનું ચારે ગતિમાં પરિભ્રમણ) તેનો નાશ કરાવે એને જ ધર્મ માને છે. ઇતરને એમ માનવું પાલવશે ? જૈનોનો મુદ્રાલેખ છે. કે જીતો અને જીતાડો ! જેમ અહિંસાની દૃષ્ટિએ કે અનુકંપાની દૃષ્ટિએ તમે પોતે હિંસાથી બચો (૫૨ હિંસા તથા સ્વ-હિંસા ઉભયથી બચો અને અનુકંપા રાખો) બીજાને બચાવો એ જ રીતિએ ધાર્મિક દૃષ્ટિએ તાત્વિક દૃષ્ટિએ સંસાર પરિભ્રમણના કારણરૂપ