Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી અષભનાથ ચરિત્ર
આ પ્રમાણે વિચાર કરતા તેને સુકમળ વાણુ વડે બે હાથ જોડી પ્રતિહાર વિજ્ઞપ્તિ કરે છે કેહે નાથ ! આજે અમે ધન્ય અને કૃતપુણ્ય છીએ, જેથી સ્વામી એવા તમારા વડે અમે સનાથ થયા. નમ્ર એવા અમારા ઉપર અમૃત સમાન દષ્ટિ વડે પ્રસાદ કરે. હે સ્વામિન ! આ ઈશાન દેવલેક ઈચ્છા મુજબ આપનાર, ક્ષય ન પામે એવી ઘણી લક્ષ્મીવાળે, હંમેશાં સુખનું નિધાન છે. આ દેવલોકમાં ઘણા પુણ્યથી તમારા વડે ઉપાર્જન કરાયેલા આ શ્રીપ્રભ નાસના વિમાનને હમણાં તમે સારી રીતે
ભાવે છે. અમે તમારી સભાના મંડનરૂપ સામાનિક દે છીએ. આ ત્રાયસિંશક દેવ ગુરુ સ્થાને રહેલા છે. આ પર્ષદાના લીલા વિલાસની ગોષ્ટીમાં વિદ આપનારા છે, આ બખ્તરધારી દેવા વિવિધ શસ્ત્રને ધારણ કરનાર, સ્વામિની રક્ષા કરવામાં ચતુર આત્મ રક્ષક છે, આ લોકપાળે નગરની રક્ષાના અધિકારી છે, આ સેનાપતિએ સૈન્યમાં ધુરંધર છે. આ પ્રકીર્ણક દે નગરજન અને દેશના લેક સરખા છે. આ સર્વ દેવે તમારી આજ્ઞાને મસ્તકે ધારણ કરશે. મનને પ્રસન્ન કરનાર રતન નિર્મિત પ્રસાદો છે, આ સુવર્ણ કમળના સમૂહવાળી રસમય વાપિકાએ છે. કીડા પર્વતે રત્ન અને સુવર્ણના શિખરવાળા છે, આ સ્વચ્છ પાણીવાળી ક્રીડા ની છે. આ કીડા ઉદ્યાને હંમેશાં પુષ્પ-ફળવાળા છે. આ સભાગૃહ સુવર્ણ અને માણિક્યથી નિર્મિત છે. આ સર્વ તમાસ ચિત્તને આનંદ પમાડશે. આ ચામર– "