Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૩૩૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
વતીને વિષે અને દરિદ્રને વિષે પ્રીતિસંપદાનુ' કારણ છે. ક્રૂરકમ રૂપી હિમગ્ર’થિને એગાળી નાખવામાં સૂર્ય' સરખા હે પ્રભુ ! અમારી જેવાએના પુણ્ય વડે આ પૃથ્વી પર તમે વિચા છે. વ્યાકરણ શાસ્ત્રમાં વ્યાપ્ત થતા સજ્ઞાસૂત્ર સરખી તમારી ઉત્પાદ–વ્યય અને ધ્રૌવ્યમય ત્રિપદી જયવતી વતે છે. હે ભગવાંત! આ લેાકમાં જે તમારી સેવા કરે છે અથવા ધ્યાન કરે છે તેની તા શી વાત?
આ પ્રમાણે ભરતેશ્વર સ્તુતિ કરીને અને નમસ્કાર કરીને ઈશાન દિશામાં યથાચેાગ્ય સ્થાને બેસે છે.
હવે સુંદરી પણ ઋષભદેવ પ્રભુને વન કરી મે હાથ જોડી ગદ્ગદ અક્ષરવાળી વાણીથી આ પ્રમાણે કહે છે ઃ—
સુદરીએ કરેલી પ્રાથના
હે જગત્પતિ ! આટલા કાળ સુધી તમને મન વડે જોતી હતી, હમણાં ઘણાં પુણ્ય વડે દૃષ્ટિથી પ્રત્યક્ષ જોયા. મૃગતૃષ્ણા સરખા સુખવાળા સંસારરૂપી મરુભૂમિમાં લેાકાએ પુણ્ય વડે જ અમૃતના મહાસાવર જેવા આપને મેળવ્યા છે. હું જગદ્ગુરુ! મમતારહિત હૈાવા છતાં પણ તમે સમસ્ત જગત ઉપર વાત્સલ્યવાળા છે. અન્યથા વિષમ દુઃખરૂપી સમુદ્રથી એના કેમ ઉદ્ધાર કરી ?
મારી સ્વામીની બ્રાહ્મી કૃતાર્થ છે, ભાઈના પુત્રા કૃતપુણ્ય છે, ભત્રીજાના પુત્રા પણ ધન્ય છે કે જેએ તમારા માર્ગને અનુસર્યા છે.