Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir

View full book text
Previous | Next

Page 523
________________ ४८४ શ્રી ઋષભનાથ સ્ત્રિ શ્રેયાંસ વગેરે પૌત્રે, આ સર્વ સમસ્ત કર્મશત્રુને હણીને લેકના અગ્રભાગે-મોક્ષમાં ગયા. હું તે જીવિતને વહાલું કરીને હજુ પણ જીવું છું. તે વખતે શોક વડે જીવિતથી નિર્વેદ પામીને મરવાને જાણે ઇચ્છતા હોય એવા ચકવતીને જોઈને ઈંદ્ર તેને બેધ પમાડવા માટે આ પ્રારંભ કરે છે – ' હે ભરતેશ્વર! હે મહાસત્ત્વથી શોભાયમાન ! આપણું આ સ્વામી જાતે સંસાર સમુદ્રને તર્યા અને બીજાઓને પણ તાર્યા. તીર્થ વડે–પાણીમાં ઉતરવાના માર્ગ વડે જેમ મહાનદીને ઉતરે તેમ જિનેશ્વરે સ્થાપન કરેલા તીર્થ વડે બીજા પણ સંસારી જી લાંબા કાળ સુધી સંસાર– સમુદ્રને પાર કરશે. તે ભગવંત પિતે કૃતકૃત્ય હવા, છતાં, બીજા લોકોને કૃતકૃત્ય કરવા માટે એક લાખ પૂર્વ વર્ષ સુધી રહ્યા. સમસ્ત લેક ઉપર અનુગ્રહ કરીને કલ્યાણકારી, અચલ, રોગરહિત, અનંત, અક્ષય, અવ્યાબાધ, અપુનર્ભવ એવા સિદ્ધિગતિ નામના સ્થાન પામેલા. એવા જગસ્વામીને તું શેક કેમ કરે છે? જે મરણ પામીને મહાદુઃખના સમૂહવાળા સ્થાનવાળી લાખ યોનિ એમાં અનેકવાર ભટકે છે તે જ મરણ પામેલે શેક કવા લાયક છે. ' એ હે રાજેંદ્ર! સાધારણ માણસની માફક, મોક્ષપદને પામેલા પ્રભુને શેક કરતાં તું કેમ લજજા પામતે નથી? શેક કરતાં એવા તને અને શેક કરવા યોગ્ય એવા પ્રભુને.

Loading...

Page Navigation
1 ... 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556