Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૧૭૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
ચઢેલા મર્યાદાનું ઉલ્લંઘન કરનારા આ મનુષ્યો કાંઈપણ ગણકારતા નથી. કપિકછૂબીજની શીંગ (કૌચના બીજની શીંગ)ની જેમ ઉપતાપ કરનારી માયાને દુષ્ટ આશયવાળા આ પ્રાણીઓ હંમેશાં ત્યાગ કરતા નથી. ખારા પાણીથી દૂધની જેમ, અંજનવડે શ્વેત વસ્ત્રની જેમ, એક લોભ વડે નિર્મળ એ ગુણને સમૂહ દૂષિત થાય છે. કહ્યું છે કે रत्तिधा य दियंधा, जायंधा माय-माण-कोवंधा । कामधा लोहंधा, कमेण एए विसेसंधा ॥
રતાંધળા, દિવાંધ, જન્માંધ, માયાધ, માન, કે પાંધ, કામાંધ અને લેભાધ એ અનુકમે એક–એકથી વિશેષ અંધ છે.” છે સંસારરૂપી કેદખાનામાં ચાર કષાયો પહેરેગીર જેવા જાણવા. જ્યાં સુધી પાસે રહેલા તેઓ જાગે છે, ત્યાં સુધી મનુષ્યોને મોક્ષ કયાંથી થાય? ભૂતથી ગ્રહણ કરાચેલાની જેમ સ્ત્રીઓને આલિંગન કરવામાં વ્યાકુલ એવા પ્રાણીઓ ચારે તરફથી ક્ષય પામતા એવા આયુષ્યને પણ જાણતા નથી. ઔષધવડે સિંહના આરોગ્યની માફક તે તે વિવિધ આહારે વડે પિતાની જાતે પિતાના અનર્થ માટે ઉન્માદ કરે છે. આ સુગંધી પદાર્થને હું સુંધુ, એ પ્રમાણે સુગંધમાં મૂઢ ભ્રમરની જેમ ભ્રમણ કરતો કયારે ય શાંતિ પામતો નથી. રમકડા વડે બાળકની માફક લેક શરુઆતમાં સુંદર લાગે એવી સ્ત્રી વગેરે વસ્તુઓ વડે પિતાને ઠગે છે