Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૭૫
આસન ઉપર અતિથિને બેસાડે તેમ રાજા તે બાણને ધનુષ્યને વિષે સ્થાપન કરે છે, તે પછી રાજા સૂર્યના બિંબમાંથી ખેંચેલા એક કિરણની પેઠે તે બાણને પ્રભાસ સન્મુખ ફેંકે છે. કિરણે વડે આકાશને પ્રકાશ કરતું તે બાણ વાયુની જેવા વેગવડે સમુદ્રમાં બાર એજન ઓળંગીને પ્રભાસ પતિની સભામાં પડે છે.'
બાણને જોઈને તે પણ કોઇ પાપે, અને તેની ઉપર અક્ષરો જોઈને, બીજા રસને પ્રકટ કરનાર નટની જેમ એકદમ તે શાંત થાય છે, તે બાણ અને બીજાં ભેટશુને પોતે જાતે ગ્રહણ કરીને પ્રભાસપતિ ભરતરાજા પાસે આવે છે, નમસ્કાર કરીને આ પ્રમાણે વિનંતિ કરે છે કે દેવ ! આજે સ્વામી એવા તમારા વડે બોલાવાયેલ હું પ્રભાસ છું. સૂર્યનાં કિરણે વડે કમળ પ્રકાશિત થાય છે.”
હે પ્રભુ! હું પશ્ચિમદિશામાં તમારા સામંતરાજાની જેમ હું રહીશ. હે અવનીપતિ ! સર્વદા હું તમારા શાસનને મસ્તકે ધારણ કરીશ. એમ કહીને પ્રભાસપતિ ભરતરાજાને પ્રથમ મોકલેલું તે બાણ આપે છે, તે પછી સાક્ષાત પિતાના તેજ જેવાં કડાં, કટિસૂત્ર (કંદ), ચૂડામણિ, ઉરમણિ, અને સોનામહોરો રાજાને આપે છે. પૃથ્વી પતિ તેને આશ્વાસન આપવા માટે તે સર્વ ગ્રહણ કરે છે, “પ્રથમ ભટણું સ્વીકારવું તે પ્રભુના પ્રસાદનું ચિહ્ન છે” ક્યારામાં વૃક્ષની જેમ ત્યાં જ તેને સ્થાપન