Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૩૦૨.
શ્રી ઋષભનાથ ચરિત્ર
સ્થાનમાં મહેન્દ્ર જેમ પંડકવનમાં રહે તેમ ત્યાં છાવણી સ્થાપે છે. ત્યાં શ્રી ઋષભનંદન ચુલ્લ–હિમવંતગિરિકુમારને ઉદ્દેશીને અઠમતપ કરે છે. કાર્યસિદ્ધિમાં તપ એ પ્રથમ મંગળ છે.”
તે પછી અઠતપને અંતે પ્રાતઃકાળને વિષે સૂર્યની જેમ મહાતેજસ્વી રાજા રથમાં ચઢી છાવણીરૂપી સમુદ્રમાંથી નીકળે છે. રાજાઓમાં પ્રથમ એ તે વેગ વડે જઈને હિમવંતગિરિને રથના અગ્ર ભાગ વડે ત્રણ વખત તાડન કરે છે. હવે બૈશાખસ્થાને રહેલે રાજા હિમવંતગિરિકુમારની ઉપર પિતાના નામથી અંકિત બાણ મોકલે છે.
હિમવંતગિરિમાર દેવને વિજય અને ઋષભકૂટ ઉપર
' નામનું આલેખન તે બાણ પક્ષીની જેમ આકાશ વડે તેર જન સુધી જઈને હિમવંતગિરિમારની આગળ પડે છે. તે દેવ અંકુશને જોઈને હાથીની જેમ તે બાણને જોઈને તત્કાલ કેપ વડે લાલ નેત્રવાળે થયે. હાથ વડે તે બાણને લઈને તેને વિષે નામાક્ષર જોઈને સપને જોવાથી દીપકની જેમ શાંત થઈ જાય છે. તે પછી પ્રધાન-પુરુષની જેવા રાજાના તે બાણની સાથે ભેટણ લઈને ભરતરાજા પાસે આવે છે.
હવે તે આકાશમાં રહેલે જય જય એ પ્રમાણે બોલીને ભરતરાજાને તે બાણ, કઠંડકાર (બાણ બનાવનાર)ની