Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૭
અહો કષ્ટ છે, કષ્ટ છે કે મારો પુત્ર વર્ષાકાળમાં કમળ ખંડની જેવો કમળ, જળના ઉપદ્રવને સહન કરે છે.
सीयाले हिम-संपाय-किलेस-विवस दस । શરણે માથા , રૂવ ગારૂ નિરંતર છે
શિયાળામાં હિમ પડવાથી કલેશને આધીન એવી દશાને, અરણ્યમાં માલતીના તંબની જેમ નિરંતર પામે છે.
उण्हकाले णय डेहिं, किरणेहिं च भाणुणो । संताव चाणुहवइ, थंबेरमा इवाहिग ॥
ઉનાળામાં સૂર્યનાં પ્રચંડ કિરણે વડે હાથીની જેમ અધિક સંતાપને અનુભવે છે.
ता एवं सव्वकालेसु वणेवासी निरासओ। तुच्छजणोव्व एगागी, वच्छो मे दुक्खभायण ॥
તેથી આ પ્રમાણે સર્વ કાલમાં વનમાં રહેનાર આશ્રય વગરના તુચ્છ માણસની માફક એકલે મારે પુત્ર દુઃખનું ભાજન છે.
આ પ્રમાણે તે તે દુઃખથી આકુલ એવા પુત્રને નેત્રની આગળ જાણે જેતી હોય એવી, તારી આગળ પણ આ પ્રમાણે બોલતી, હું તને પણ દુઃખી કરું છું.' આ પ્રમાણે બોલતી દુઃખથી વ્યાકુળ મરુદેવી દેવીને બે હાથ જોડીને ભરત અમૃત સરખી વાણી વડે કહે છે.