Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૩૫
અંધકારના સમૂહને દૂર કરવામાં સૂર્યસમાન ! હે જિને! જે તમારા મજજનમાં આ પ્રમાણે અમે ઉપકાર કરાયા કે તેથી અત્યંત અવિરતિમાં પરાયણ હોવા છતાં પણ અમે આત્માને અતિપુણ્યવંત માનીએ છીએ. હે નાથ!
જ્યાં તમે જન્મ પામ્યા તે ભરતક્ષેત્રનું કલ્યાણ થાઓ. તે પૃથ્વી પણ વંદનીય છે કે જ્યાં તમારા ચરણ કમળ વહેશે. હે જિનવર! તે મનુષ્યો ખરેખર ધન્ય છે કે જેઓ તમને અહર્નિશ જોશે. અમુક સમયે જ જોનારા અમે કેવા પ્રકારના ? जह तुह पयसेवाए, जिणिंद ! फलमत्थिता सयाकाल । एवं विहपरममह, अम्हे पेच्छ'तया होमो ॥२॥ नाहं वोत्तुं समत्थो म्हि, सन्भूए वि ते गुणे । चरमसागरे माउ, जलाई नणु को खमो ? ॥३॥
હે જિનેશ્વર ! તમારા ચરણ સેવાનું જે ફળ છે તે સદાકાળ આવા પ્રકારના પરમ મહત્સવને જેનારા અમે થઈએ.” ૨
હે નાથ ! હું તમારા સત્યગુણોને પણ કહેવા માટે સમર્થ નથી. છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્રમાં રહેલા જળને માપવા માટે કેણ સમર્થ થઈ શકે ?” ૩
આ પ્રમાણે જગન્નાથની સ્તુતિ કરીને હર્ષથી પૂર્ણ ચિત્તવાળે ઇક પર્વની જેમ પાંચ પ્રકારે રૂપ વિકુવીને ઈશાનેંદ્રના ખેાળામાંથી જિનપતિને લઈને પિતાના