________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
परमात्मने नमः।
પરમાગમ - ચિંતામણિ
હે જિનવાણી માતા! મહામુનિ જ્યારે પહેલાં તારું અવલંબન લે છે ત્યારે જ તે મોક્ષપદનો આશ્રય લે છે. બરાબર છે - અંધકારથી વ્યાપ્ત ઘરમાં દીપકનો આશ્રય લઈને જ મનુષ્ય ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત કરે છે.
(શ્રી પદ્મનંદી – આચાર્ય. પદ્મનંદી પંચવિંશતિ શ્રુતદેવતા – સ્તુતિ, શ્લોક – ૧૨)
* હે ભવ્ય! લોકમાં નમન કરવા યોગ્ય પુરુષો તે પણ જેને નમે છે, ધ્યાનવાયોગ્ય પુરુષો તે પણ જેનું નિરંતર ધ્યાન કરે છે તથા સ્તુતિ કરવાયોગ્ય પુરુષો તે પણ જેની સ્તુતિ કરે છે એવો પરમાત્મા આ દેહમાં જ બિરાજે છે, તેને ગમે તેમ કરીને પણ જાણ.
(શ્રી કુંદકુંદ આચાર્ય, મોક્ષપાહુડ, ગાથા-૧૦૩) * જે પરમાત્મા છે તે જ હું છું તથા જે હું છું તે પરમાત્મા છે. તેથી હું જ મારા વડે ઉપાસવા યોગ્ય છું. બીજો કોઈ ઉપાસ્ય નથી એવી વસ્તુસ્થિતિ છે. ૨
(શ્રી પૂજ્યપાદ આચાર્ય, સમાધિતંત્ર, શ્લોક – ૩૧ ) * જેઓ મોક્ષની ઈચ્છા રાખીને પરદ્રવ્યની ઉપાસના કરે છે – પરદ્રવ્યના ભક્ત અને સેવક બની તેમની જ પાછળ ડોલે છે – તે મૂઢજનો હિમવાન પર્વત પર ચઢવાની ઇચ્છા ધરાવતાં સમુદ્ર તરફ ચાલ્યા જાય છે – એમ હું માનું છું. ૩.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર-પ્રાકૃત, જીવ અધિકાર, ગાથા-૫૦)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com