________________ 1oo મલેચ્છ દેશમાં વિચરતા નથી, તેથી એવા દેશ પ્રત્યે એમને વૈષ હોવાનું સાબિત થાય છે. તેમજ આર્ય દેશોમાં પણ પ્રત્યેની રાગદશા સૂચવે છે.” આમ શાળાએ મહાવીર ભગવાનને રાગ-દ્વેષ-ભયવાળા બતાવ્યા, ત્યારે આદ્રકુમાર મહષિ એનું ખંડન કરવા કહે છે - આદ્રકુમાર મહષિ પ્રભુની પ્રૌઢતા સમજાવે છે - હે મહાનુભાવ ! આ બધી તમે વાત કરી એ યુક્તિ વિનાની વાત કરી, કે “મહાવીર ધર્મશાળા–ઉદ્યાને-અનાચદેશે વગેરેમાં નથી રહેતા માટે એ ભય અને રાગદ્વેષવાળા પૂર્વકારી” છે, અર્થાત્ વિચારપૂર્વક કાર્ય કરનાર છે, તેથી જેમ તેમ ઈચ્છા થઈ અને તે પ્રમાણે કામ કરનારા,'- એવા પ્રભુ નથી. નહિતર અંતરમાં જરાક જરાક ખણજ જાગી, ઉમળકો જાગે, અને તરત જ તે પ્રમાણે જે કામ કરનારા હોય, એ કાંઈ વિચારપૂર્વક કાર્ય કરનારા ન કહેવાય; અને એમાં તે સંભવ છે કે પોતાનું કે બીજાનું અનિષ્ટ થાય એવું, યા નિરર્થકે ય વતી નાખે ! ત્યારે, “ભગવાન મહાવીરદેવ તે સર્વજ્ઞ સર્વદશી છે, અને પરહિતમાત્રમાં પ્રવર્તનારા છે. એવા તે પ્રભુને " ઉમળકામાત્રથી આગળ પાછળને વિચાર કર્યા વિના પ્રવૃત્તિ કરનારા અપેક્ષાપૂર્વકારી” કેમ કહેવાય? ભગવાન