________________ 136 કંગાળ દુર્દશા? કેમકે એથી લાલસાવાળા એવા દુર્ગતિના અગણિત જન્મો કરવા પડે. આમ ત્રણે કાળને વિચાર કરી એ અહીં જ લાલસા પર કાપ મૂકનારા હોય છે. લાલસાને પિષ્યા વિના દબાવીને વાંઝણી જ મરવા દે છે. જેવી વિષની લાલસા એમ-ક્રોધ-લેભાદિ કષાયની લાગણીઓ અંગે પણ ત્રણે કાળને વિચાર કરી, એને દબાવે છે. તેથી, મુનિઓ વિષય-કષાયેના ત્રિકાલનું મનન કરવાથી એ વિષયકષાયની લાગણીઓને દબાવનારું તત્ત્વ જિનશાસન મળ્યું છે, તે એવી લાગણીઓને ઉપશાંત કરી વૈરાગ્ય અને ઉપશમમાં ઝીલતા રહે છે અને મહાવ્રતરૂપી મૂળ ગુણ તથા પિંડ વિશુદ્ધિ–સમિતિ-ગુપ્તિ આદિ ઉત્તર ગુણોથી શુભતા હોય છે. એટલે જ હરખ–દ, માનઅપમાન, ભય–શેક, જશ–અપજશ...વગેરે દ્વોને શાંત કરી નિત્ય તૃપ્તિમાં ઝીલતા રહેતા હોવાથી, લેક–લોકોત્તરમાં પ્રશંસા પામે છે.” આદ્રકુમારના આ પ્રત્યુત્તરથી ગોશાળક અને બૌદ્ધ ભિક્ષુ નિરૂત્તર બની ચૂપ થઈ ગયા. ત્યારે હવે વેદવાદી બ્રાહ્મણો ચર્ચા માટે આગળ આવે છે, અને કહે છે. -