________________ 157 તેથી એ હિંસા, ધાન્યના હજારે દાણાની હિંસા. કરતાં ય લાખ દરજે ભયંકર ! માટે હે આયુષ્યમાન તાપસે ! આવી ભયંકર હિંસાને માગ મૂકો. વિશષ તો એ જુઓ, કે મહાવીર ભગવાનના મુનિઓને તો ધાન્યને એક દાણની પણ હિંસા કરવી. પડતી નથી. કેમકે એ તો કર દોષરહિત નિર્દોષ અને પ્રાસુક =નિજીવ ભિક્ષાના ખપી હોય છે. એટલે જાતે તો હિંસામય. કશો જ આરંભ–સમારંભ કરતા નથી, તેમ બીજા પાસે કરાવતા નથી, પરંતુ સાધુ માટે સાધુના ઉદ્દેશથી ગૃહસ્થ આરંભ–સમારંભ કરીને ભેજન તૈયાર કર્યું હોય, તો એ પણ ભિક્ષામાં લેતા નથી; કેમકે એવું લેવામાં મુનિએ. હિંસામાં અનુમતિ-અનુદનનું પાપ દેખે છે. આવી નિર્દોષ અને સવા અહિંસક ભિક્ષાચર્યામાં રહેતા સુનિના વિરુદ્ધ અધ્યવસાય કયાં? અને તમારી આ હસ્તિ-હિંસામાં થતા અવિશુદ્ધ મહાસંલિષ્ટ અધ્યવસાય કયાં? જૈન મુનિના જેવી અહિંસક ભિક્ષાચર્યા અને અહિંસા બીજે કયાં જેવા. મળે છે?”