________________ 282 વિનયતાનું મહત્ત્વ (2) વિનય નામને આભ્યન્તર તપ આરાધવામાં મુનિ એક્કા હોય છે. માટે તે શાસ્ત્ર દૃષ્ટાન્ત બતાવે કે જેમાં એક રાજકુમાર જે બાપરાજાને વિનય ન જાળવી શક્યો એ વિનય સાધુએ આચાર્યને જાળ ! જૈન શાસનમાં વિનય-ધર્મ અજોડ બતાવ્યા છે. દા. ત. ગુરુને તે. વિનય સાચવવાને, પણ પુસ્તકને પણ વિનય સાચવવાને; જેમકે. પુસ્તકને આપણી બેઠકથી નીચે ન મુકાય, બગલમાં ન લેવાય, માથા નીચે ન મુકાય,...વગેરે. કારણ? જેમ જ્ઞાનદાતા છે, એમ શાસ્ત્ર પણ જ્ઞાનદાતા. છે, એટલે શાસ્ત્ર વિદ્યાગુરુ જ છે. એમ અરિહંત ભગવાનને વિનય એટલે ? અરિહંત ભગવાનની પ્રતિમાને પણ વિનય સાચવવાને. પ્રતિમા એટલે જાણે સાક્ષાત્ ભગવાન અરિહંતદેવ બેઠા છે એમ મન પર ભાર રાખીને આ થઈ શકે. આ અરિહંત વિનયન કેવા કેવા અદ્ભુત પ્રકાર બતાવ્યા ! દા. ત. અરિહંતના દરબારમાં જવું હોય તો ત્યાં આપણે ખાવાપીવાની વસ્તુ ન લઈ જવાય. ઉત્તરાસંગ–-ખેસ વિના ન જવાય. ચૈત્યવંદનમાં પ્રભુ સિવાયની ત્રણે દિશા જવાની બંધ જ હોય.... ત્યારે, ગુરુવિનયમાં બૃહદ્વાંદણા સૂત્રમાં જે વિધિ બતાવી છે, ને ભાષ્યમાં જે 33 ગુરુ-આશાતના ટાળવાની કહી છે, એનો વિચાર કરતાં લાગે કે ખરેખર આ પણ જૈન શાસનની અનેરી વિશિષ્ટતા છે. દા. ત. ગુરુને વંદન કરવું છે, તે પહેલાં ગુરુની ઈચ્છા પૂછવી જોઈએ કે “હું વંદન કરુ? કેમ એમ ? તો કે એટલા માટે કે ગુરુ નવરા નથી બેઠા કે