________________
ગુજરાતની ચિત્રરોલીનાં પ્રાચીનતમ રેખાંકનો
—ડા. મંજુલાલ મજમુદાર
એશિયાની ચિત્રકલાના પ્રાચીનતમ અવશેષે અજન્ટાની ગુફા-દિર ' નામે શિલ્પ–મડપની ભીંતા ઉપરનાં ચિત્રાની ભાળ, શ્રી એમાંના ભિત્તિચિત્રા છે. જો કે એના અસ્તિત્વની ભાળ નવીન ડી. વી. ટામ્સન નામે અંગ્રેજને સને ૧૯૨૬માં મળી. તેમણે ઈ. દુનિયાને અેક સને ૧૮૧૯માં પહેલવહેલી એક અકસ્માતરૂપે થઈ હતી. સ.ના આઠમા શતકની આસપાસ અને તે પછી ઉમેરાયેલાં નવમા અને દસમા સૈકાનાં જૈન ભીંત-ચિત્રાના પરિચય કરાવ્યો, જેથી ત્રિકલાના ૠતિહાસમાં એક મહત્ત્વની સયાગી—કડી ઉમેરાઈ.
એક અંગ્રેજ મિલિટરી અફસર પાણીની શોધમાં એ ગિરી માળાની આજુબાજુ ઘેાડા પર ફરી રહ્યો હતા. તેને પર્વતના નીચાણમાં પાણીનાં ઝરણાં દેખાયાં. એ નીચે ઉતર્યાં.
સ્વચ્છ અને શીતળ પાણીથી તરસ છીપાયા પછી, આજુબાજુ નજર કરતાં અફસરને પર્વતમાં કારેલી ગુફા દેખાઈ. એમાં પ્રવેશ કરતાં જ અજન્તાના કલા-મ`ડપેા' એની આંખે ચથા ! એના આશ્ચર્યનો પાર ન રહ્યો.
આ પરદેશી દ્વારા ભવ્ય શિલ્પા અને તેથી યે ભવ્ય ભીંત ઉપરની ચિત્રકલાનાં દર્શન આપણને થયાં. એને રમ્ય અકસ્માત જ કહેવા પડે.
ઈરવીસનના પહેલા~બીજા સૈકાથી આરંભીને છેક સાતમા સૈકા સુધીમાં નિર્માણ થયેલાં એવાં અજન્તા, બાધ, સિત્તાન વાસલ–વગેરે રથળાનાં ભિત્તિચિત્રો ભારતમાં પ્રકાશમાં આવ્યાં; અને ભારત બહાર લંકામાંનાં સિગિરિયા અને અનુરાધાપુરનાં ભિત્તિચિત્રોથી, વિશાલ ભારતથી સમાન ચિત્ર-પરપરાના પરિચય જનતાને થયે।.
આ અરસામાં, ભારતની નાના કદનાં ચિત્રોની છેક સેાળમા અને સત્તરમા સૈકામાં, હિંદી-ફારસી શૈલીથી પ્રભાવિત થયેલી “રાજપૂત” અને ‘મુગલ” કલમ વિશેષ જાણમાં આવી હતી.
પરંતુ અજન્તા પછીનાં લગભગ આઠસો વર્ષના ગાળાના હિંદી ચિત્રકલાને તિહાસ જાણવાનું હજી શકય બન્યું નહતું.
દરમિયાન, વીસમી સદીના પ્રારંભના દસકામાં, કેટલાક શ્વેતાંબર જૈન પ્રથામાં તાડપત્ર ઉપરનાં તેમ જ કાગળ, કાષ્ટપટ્ટિકા કે વસ્ત્રપટ ઉપરનાં નાના કદનાં ચિત્રાની ભાળ મળવા લાગી.
એટલે એક તરફ અજન્તામાં વ્યક્ત થયેલી ભીંતા ઉપરની સ્વસ્થ ચિત્રશૈલી; અને બીજી તરફ રાજપૂત કે રાજસ્થાની અને મુગલ કલમનાં ચિત્રો વચ્ચેની ભારતીય ચિત્રકલાની ખુટતી કડી,
પ્રાપ્ત થઈ. શ્મીસનના અગિયારમા–બારમા સૈકાથી આરબી, છેક સોળમી સદી સુધીના સમય સુધી, સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતી એવી આ ચિત્રશૈલીને પશ્ચિમ ભારતીય ચિત્રશૈલી'' કહેવાનું વિદ્વાનોએ પસંદ કર્યું. આને “પ્રાચીનતમ ગુજરાતી શૈલી” પણ કહી શકાય. વાસ્તવમાં, વિશાળ પટવાળી ભીંતા ઉપર દોરાતાં ચિત્રોની કરામત, નાના કદના માધ્યમ ઉપર, ચિત્રકારોએ અજમાવવી શરૂ કરી. અજન્તાનાં ગુફા–ચિત્રાના અનુસંધાનમાં, ઈલાના કૈલાસ
Jain Education International
ઈલૂાનાં ભીંત-ચિત્રામાં એક અવનવી લઢણ તેનાં રેખાંકનેામાં જોવામાં આવી. મુખાકૃતિમાં બે-તૃતીયાંશ ભાગ ત્યાં દેખાડવામાં આવ્યા છે. કેટલીકવાર Profile (અર્ધ-ખંડ) રૂપે દેખાડવા છતાં, બીજી આંખ મુખરેખાની બહાર બતાવવામાં આવી છે. વળી ગાળ આકારને સ્થાને, ખુણાવાળી મુખાકૃતિએ દેખા દે છે. દેહનેા હાથ, પગ, આંગળિયે એ બધાના વળાંક કોઈક ખૂણાવાળી લઢણથી આલેખવામાં આવ્યા છે.
આ બધાં લક્ષણા, તાડપત્રીય પેાથીચિત્રામાં તેમ જ પાટલી, વસ્ત્રપટ કે કાગળ ઉપર બારમા સૈકાથી જે ચિત્ર દોરાવા લાગ્યા તેમાં, તે ઊતરી આવ્યાં છે.
લાંબા અણિયાળાં નાક, કાંઈક અણિયાળી એવી હડપચી, ગેાળને બદલે ચાખ’ડા આકારની મુખરેખા, અને એક જ બાજુ બતાવતાં એવા મુખામાં, બીજી બાજુની આગળ પડતી આંખનું, સ્પષ્ટ સૂચન -આ બધી લઢણા, પશ્ચિમ ભારતીય નાનાં કદનાં ચિત્રામાં સ્વભાવિક બની ગયેલી જણાય છે.
(જુએ આકૃતિ-ર ગરુડારૂત લક્ષ્મી ઈલૂરાનું ભીંતચિત્રો)
તાડપત્ર ઉપરની નાના કદનાં ચિત્રાની કલા ગુજરાતમાં સાલ યુગના ઉદયની સાથે પ્રકાશમાં આવેલી જણાય છે. સંવત ૯૯૮માં મૂળરાજદેવ “ ગુર્જર ભૂમિના ચૂડામણિ બન્યા તે પછી સિદ્ધરાજના શાસનકાળની શરૂઆતમાં જ, સ’.૧૧૫૭ (ઈ.સ.૧૧૦૦) માં, ગુજરાતના પ્રાચીન બંદર ભૃગુકચ્છમાં લખાયેલી ‘· નિશીથરૃણી ” ની તાડ– પત્રીય પોથી પાટણના સંઘવીના પાડાના ભડારમાં આજે સુરક્ષિત છે. ગુજરાતની સચિત્ર તાડપત્રીય પેાથીને, તેને પ્રાચીનતમ નમૂના
ગણવામાં આવે છે તેમાં ઊભા સરસ્વતીનુ ચિત્ર છે. આ નમૂનાથી પ્રાચીન એવા સ. ૧૧૧૭ (ઈ.સ. ૧૦૬૦)માં ચીતરાયેલી તાડપત્રીય પોથી ઉપર દેરાયેલાં, એવાં અષ્ટમ’ગલમાંનાં રંગીન ચિત્રો, જેસલમેર ભડારમાંથી આગમનપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી તથા ડે. ઉમાકાંત શાહે ૧૯૬૮માં પ્રકાશમાં આવ્યાં છે; છતાં અહી વર્ષો વેલાં તામ્ર શાસનાથી તે અર્વાચીન ગણાય તેમ નથી,
કાર—પટ્ટિકાએ— લાંબાં તાડપત્રની ાથીઓના રક્ષણ માટે, તેની આસપાસ રાખવામાં આવતી હતી. આ પાટલીઓ ઉપર પણ,
For Private & Personal Use Only
www.jainelibrary.org