________________
૩૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક :
अथवा
शान्तिरेव महादानं, क्षान्तिरेव महातपः ।
क्षान्तिरेव महाज्ञानं, क्षान्तिरेव महादमः ।।११।। શ્લોકાર્ચ -
અથવા ક્ષાંતિ જ મહાદાન છે. ક્ષાંતિ જ મહાતપ છે. ક્ષાંતિ જ મહાજ્ઞાન છે. ક્ષાંતિ જ મહાદમ છે ઈન્દ્રિયોનું દમન છે. II૧૧ાા. શ્લોક -
क्षान्तिरेव महाशीलं, क्षान्तिरेव महाकुलम् ।
क्षान्तिरेव महावीर्य, क्षान्तिरेव पराक्रमः ।।१२।। શ્લોકાર્ચ -
ક્ષાંતિ જ મહાશીલ છે. ક્ષાંતિ જ મહાકુલ છે. ક્ષાંતિ જ મહાવીર્ય છે. ક્ષાંતિ જ મહાપરાક્રમ છે. ll૧૨ શ્લોક :
शान्तिरेव च सन्तोषः, क्षान्तिरिन्द्रियनिग्रहः ।
क्षान्तिरेव महाशौचं, क्षान्तिरेव महादया ।।१३।। શ્લોકાર્ચ -
ક્ષાંતિ જ સંતોષ છે. ક્ષાંતિ જ ઈન્દ્રિયનો નિગ્રહ છે. ક્ષાંતિ જ મહાશૌચ છે. ક્ષાંતિ જ મહાદયા છે=મહાન આત્માની દયારૂપ છે. ll૧૩IL શ્લોક -
शान्तिरेव महारूपं, क्षान्तिरेव महाबलम् ।
क्षान्तिरेव महैश्वर्यं, क्षान्तिधैर्यमुदाहृता ।।१४।। શ્લોકાર્ધ :
ક્ષાંતિ જ મહારૂપ છે=જીવનું સુંદર રૂપ છે. ક્ષાંતિ જ મહાબલ છે=આત્મામાં કર્મનાશને અનુરૂપ મહાબલ છે. ક્ષાંતિ જ મહાશ્વર્ય છે આત્માની મહાન સમૃદ્ધિ છે. ક્ષાંતિ જ ધૈર્ય કહેવાય છે. II૧૪ll