________________
૪૭૨
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
અને બીજું નિરનુક્રોશવાળા આ સાધુઓ રાગના જ સહોદર એવા દ્વેષને મૈત્રીરૂપી બાણથી અત્યંત હણે છે. II૪ll શ્લોક :
क्षमाक्रकचपाटेन, पाटयन्ति सुदारुणाः ।
एते भोः! साधवः क्रोधं, रटन्तं स्निग्धबान्धवम् ।।५।। શ્લોકાર્ચ -
હે રાજા!ક્ષમારૂપી કરવત વડે સુદારુણ એવા આ સાધુઓ સ્નિગ્ધ બાંધવ એવા રડતા ક્રોધને બે ટુકડા કરે છે. પી.
હે રાજા ! સાધુઓ પોતાના અંતરંગ શત્રુરૂપ બીજા કુટુંબ પ્રત્યે અત્યંત કઠોર હોય છે અને અત્યાર સુધી નિમિત્ત પામીને સ્નિગ્ધ બંધુની જેમ ક્રોધ, અરતિ, ઈર્ષ્યા આદિ ભાવોને આશ્લેષ કરતા હતા. હવે સાધુ ક્ષમારૂપી કરવત દ્વારા જ્યારે તેનો વિનાશ કરવા તત્પર થાય છે ત્યારે ક્રોધનો પરિણામ જાણે આત્માને પોતાનું રક્ષણ કરવા માટે કાલાવાલા કરતો ન હોય અર્થાત્ સાધુને ક્રોધ કરવાને અભિમુખ કરતો ન હોય તોપણ દઢ ઉપયોગવાળા સુસાધુ તેના પ્રત્યે દયાળુ થતા નથી. પરંતુ અનાદિની સ્થિર થયેલી ક્રોધશક્તિનો વિનાશ જ કરે છે. શ્લોક :
क्रोधस्य भ्रातरं मानं, तथैते द्वेषनन्दनम् ।
हत्वा मार्दवखड्गेन, क्षालयन्त्यपि नो करौ ।।६।। શ્લોકાર્ય :
ક્રોધના ભાઈ દ્વેષના પુત્ર એવા માનને તે પ્રકારે જે પ્રકારે, ક્રોધને માર્યો તે પ્રકારે માર્દવરૂપ ખગથી હણીને પોતાના બે હાથોને ધોતા પણ નથી. III
માદેવ નમ્રતાનો પરિણામ છે અને ગુણવાન પુરુષ માન-અપમાન પ્રત્યે સમાન વૃત્તિવાળા હોય છે તેવા પરિણામ પ્રત્યે વળેલા સુસાધુઓ દ્વેષના પુત્ર અને ક્રોધના ભાઈ એવા માનનો નાશ કરે છે. અને નાશ કર્યા પછી તેની હિંસાથી પોતે ખરડાયા છે એમ માનીને હાથ પણ ધોતા નથી પરંતુ પોતે ઉચિત કૃત્ય કર્યું છે એમ જ માને છે. શ્લોક :
मायामार्जवदण्डेन, दलयन्ति तपस्विनीम् । लोभं मुक्तिकुठारेण, रौद्राश्छिन्दन्ति खण्डशः ।।७।।