________________
૪૭૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ / તૃતીય પ્રસ્તાવ યોગ્ય જીવોને પ્રથમ કુટુંબના અને બીજા કુટુંબના વાસ્તવિક સ્વરૂપનો બોધ માત્ર જ સંપાદનીય છે. કેવલ આ જીવો સ્વયોગ્યતા વગરઃકર્મમલની અલ્પતા થવાને કારણે નિર્મળ બોધને અનુકૂળ નિર્મળ મતિ રૂપ સ્વયોગ્યતા વગર, આ બેના=પ્રથમ અને બીજા કુટુંબના વિશેષને કોઈ રીતે પણ જણાવવા માટે=બોધ કરાવવા માટે, શક્ય નથી. તેથી=અયોગ્ય જીવોને બોધ કરાવવો શક્ય નથી તેથી, અયોગ્ય જીવોમાં અમે પણ ગજનિમીલિકાને=આંખમીંચામણાને, કરીએ છીએ=ઉપેક્ષા કરીએ છીએ. જો વળી, સર્વ પણ જીવો આ બે કુટુંબના ગુણદોષવિશેષને જાણે તો આદિથી જ સંસારનો ઉચ્છેદ થાય. તેથી=પ્રથમ બે કુટુંબના યથાર્થ પરિજ્ઞાનથી, આ બીજા કુટુંબને નિરાકરણ કરીને સર્વ પણ જીવો મોક્ષમાં જાય. રાજા કહે છે – જો આ રીતે=મહાત્માએ કહ્યું એ રીતે, સર્વ જીવોને આ બેતાપ્રથમ અને બીજા કુટુંબના ગુણ-દોષવિશેષનું જ્ઞાપન અશક્ય અનુષ્ઠાન છે તો આ ચિંતા વડે શું?= તે અયોગ્ય જીવોની ચિંતા વડે શું? અમારા વડે ભગવત્પાદપ્રસાદથી આ બે કુટુંબના ગુણ-દોષનો વિશેષ વિજ્ઞાત છે, તેથી અમારું સમિહિત સિદ્ધ છે અમારે કઈ રીતે હિત સાધવું જોઈએ તેનો બોધ પ્રાપ્ત થયો છે. શ્લોક :
યત:परोपकारः कर्तव्यः, सत्यां शक्तौ मनीषिणा ।
परोपकाराऽसामर्थ्य, कुर्यात्स्वार्थे महादरम् ।।१।। શ્લોકાર્ચ -
જે કારણથી મનીષી વડે શક્તિ હોતે છતે પરોપકાર કરવો જોઈએ. પરોપકારના અસામર્થ્યમાં, સ્વાર્થમાં સ્વકલ્યાણમાં, મહાન આદર કરવો જોઈએ. ll૧il
साधूनामतिनिघृणकर्म भगवानाह-न परिज्ञानमात्रं त्राणम् । नृपतिराह-यदन्यदपि विधेयं तदादिशन्तु भगवन्तः । भगवतोक्तं-अन्यदत्र विधेयं-श्रद्धानमनुष्ठानं च, तच्चात्रास्त्येव भवतः श्रद्धानं, अनुष्ठानं च पुनर्यदि शक्नोषि, ततः सिध्यत्येव समीहितं, नाऽत्र सन्देहः, केवलं तत्रातिनिघृणं कर्म समाचरणीयम् । नृपतिराह-भदन्त! कीदृशं तत्कर्म? भगवानाह-यदेते साधवः सततमनुशीलयन्ति । नृपतिराहयदनुशीलयन्त्येते तच्छ्रोतुमिच्छामि । भगवतोक्तं-आकर्णय
સાધુઓનું અતિનિર્ગુણ કર્મ ભગવાન કહે છે – પરિજ્ઞાન માત્ર=બે કુટુંબનું યથાર્થ પરિજ્ઞાન માત્ર, રક્ષણ નથી=બીજા કુટુંબથી આત્માના રક્ષણનું જ્ઞાન કારણ નથી. રાજા કહે છે – જે બીજું પણ કર્તવ્ય છે તેનો ભગવાન આદેશ