Book Title: Upmiti Bhav Prapancha Katha Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 489
________________ ૪૬૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ સર્વજીવોના ત્રણ પ્રકારના કુટુંબ રાજા કહે છે – શું આનો જ નંદિવર્ધનનો જ, આ મિત્ર છે ? અથવા અન્ય પણ જીવોનો મિત્ર છે? ભગવાન કહે છે – હે મહારાજ ! જો સ્પષ્ટ તું પ્રશ્ન કરે છે તો તને તે પ્રમાણે કહું છું. જે પ્રમાણે ફરી આ પ્રષ્ટવ્ય ન થાય ફરી આ પ્રશ્ન ન થાય. રાજા કહે છે – મારા ઉપર અનુગ્રહ છે. ભગવાન વડે કહેવાયું – અહીં સંસારમાં, સર્વ જીવોના પ્રત્યેક=દરેક જીવને આશ્રયીને, ત્રણ ત્રણ કુટુંબો છે. તે આ પ્રમાણે – ક્ષત્તિ, માર્દવ, આર્જવ, મુક્તિ નિલભતા, જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ, સત્ય, શૌચ, તપ, સંતોષ આદિ જે ગૃહમનુષ્યો છે તે આ એક કુટુંબ છે. અને ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન, શોક, ભય, અવિરતિ વગેરે જે બંધુઓ છે તે આ બીજું કુટુંબ છે. અને શરીર, તદ્દ ઉત્પાદક સ્ત્રી-પુરુષ માતા-પિતા અને અન્ય એવા પ્રકારના લોકો જેમાં સંબંધીઓ છે તે આ ત્રીજું કુટુંબ છે. અને કુટુંબત્રય દ્વારા અસંખ્યાત સ્વજનવર્ગો થાય છે. ત્યાં જે આ આદ્ય કુટુંબ છે=જે આ ક્ષમાદિ આધરૂપ કુટુંબ છે, એ, જીવોનું સ્વાભાવિક, અનાદિ અપર્યવસિત-અનાદિ અનંત, હિતકરણના સ્વભાવવાળું, આવિર્ભાવ તિરોભાવ ધર્મવાળું અંતરંગ વર્તે છે અને મોક્ષ પ્રાપક છે. જે કારણથી પ્રકૃતિથી જ આ=પ્રથમ કુટુંબ, જીવને ઉપરમાં લઈ જાય છે સદ્ગતિઓની પ્રાપ્તિ દ્વારા મોક્ષમાં લઈ જાય છે. વળી જે આ બીજું કુટુંબ છે તે જીવોનું અસ્વાભાવિક છે. તોપણ અવિજ્ઞાત પરમાર્થવાળા જીવો વડે તેને ગાઢતર સ્વાભાવિક રૂપે ગ્રહણ કરાયું છે=આ આપણો જ પારમાર્થિક સ્વભાવ છે તેમ ગ્રહણ કરાયું છે. એથી તે=બીજુ કુટુંબ, અનાદિ અપર્યવસિત અભવ્યો છે. અનાદિ સપર્યવસિત અનાદિ સાંત, કેટલાક ભવ્યજીવોને છે. એકાંત અહિત કરવાના સ્વભાવવાળું, આવિર્ભાવ-તિરોભાવધર્મવાળું અંતરંગ અને સંસારનું કારણ વર્તે છે. જે કારણથી પ્રકૃતિથી જ આરબીજું કુટુંબ, જીવને નીચે પાડે છે=દુર્ગતિઓમાં લઈ જાય છે. જે વળી, આ ત્રીજું કુટુંબ એ જીવોનું અસ્વાભાવિક છે. અને સાદિ સપર્યવસિત=સાદિ સાંત, અનિયત સ્વભાવવાળું છે=દરેક જન્મોમાં અન્ય અન્ય કુટુંબ થાય છે અને યથાભવ્યપણાથી હિત-અહિત કરવાના સ્વભાવવાળું, ઉત્પત્તિવિનાશ ધર્મવાળું અને બહિરંગ વર્તે છે. તથાભવ્યપણાને કારણે=બહિરંગ કુટુંબમાં તે પ્રકારની યોગ્યતા હોવાને કારણે, સંસારનું કારણ અથવા મોક્ષનું કારણ થાય છે. જે કારણથી બાહુલ્યથી=બહુલતાએ, બીજા કુટુંબનું અવષ્ટમ્ભકારક=બીજા કુટુંબને પુષ્ટ કરનાર, આeત્રીજું કુટુંબ છે. આથી સંસારનું કારણ છે. વળી જો કોઈક રીતે આઘ કુટુંબને અનુવર્તન કરે તો જીવનું આ પણ-ત્રીજું કુટુંબ પણ, આદ્ય કુટુંબના પોષણમાં સહાય થાય છે. અને તેથી ત્રીજું કુટુંબ આદ્ય કુટુંબના પોષણમાં સહાય થાય છે તેથી, મોક્ષકારણતાને પ્રાપ્ત કરે છે. તે કારણથી આ પ્રમાણે સ્થિત હોતે છતે હે મહારાજ ! જે આ બીજું કુટુંબ એના મધ્યમાં રહેલો આ વૈશ્વાનર સર્વ સંસારી જીવોનો મિત્ર છે, તે પ્રમાણે આ પણ હિંસા ભાર્યા વિદ્યમાન છે જ. એમાં સંદેહ કરવો જોઈએ નહીં. રાજા કહે છે – હે ભગવંત ! જે આ આદ્ય કુટુંબ સ્વાભાવિક, હિતકરણશીલ અને મોક્ષનું કારણ છે તેથી આ જીવો કયા કારણથી ગાઢતર આને સ્વીકારતા નથી ? અને જે આ બીજું કુટુંબ અસ્વાભાવિક, એકાંત અહિત કરવાના સ્વભાવવાળું અને સંસારનું કારણ છે તેથી આ

Loading...

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520