________________
૪૬૬
-
=
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ હોતે છતે નંદિવર્ધનને પ્રબોધ થયો ? અર્થાત્ પોતે આ ભગવાન કહે છે એમ આ સંસારમાં અનાદિ કાલથી આ રીતે કદર્થના પામ્યો તેનો બોધ નંદિવર્ધનને થયો ? ભગવાન વડે કહેવાયું હૈ મહારાજ ! આને=નંદિવર્ધનને, કેવલ પ્રતિબોધનો અભાવ નથી તો શું છે ? મારું કહેવાયે છતે ઊલટું આને=નંદિવર્ધનને, મહાન ઉદ્વેગ વર્તે છે. રાજા કહે છે – શું આ અભવ્ય છે ? ભગવાત વડે કહેવાયું – અભવ્ય નથી તો શું છે ? ભવ્ય જ છે. કેવલ અધમ જ એવા વૈશ્વાનરનો દોષ છે જે કારણથી મારું વચન સ્વીકારતો નથી. જે કારણથી આને=નંદિવર્ધનને આ=વૈશ્વાનરરૂપ કષાય, અનંત અનુબંધવાળો છે એથી કરીને અનંતાનુબંધી એ પ્રમાણે ત્રીજા નામ વડે મુનિઓ વડે કહેવાય છે=નંદિવર્ધનમાં વર્તતો ગુસ્સાનો સ્વભાવ પ્રથમ ક્રોધ એ નામથી કહેવાયો, બીજો વૈશ્વાનર એ નામથી કહેવાયો, હવે અનંતાનુબંધી એ પ્રકારના ત્રીજા નામથી તેને મુનિઓ કહે છે. તેથી=નંદિવર્ધનમાં અનંતાનુબંધી ક્રોધ છે તેથી, આ વિદ્યમાન હોતે છતે=અનંતાનુબંધી ક્રોધ વિદ્યમાન હોતે છતે, મારું વચન સુખ માટે થતું નથી. અરતિને ઉત્પન્ન કરે છે, કલમલને ઉત્પન્ન કરે છે=પાપરૂપી કાદવને ઉત્પન્ન કરે છે. તેથી કોનાથી આ તપસ્વીને પ્રબોધ થાય અર્થાત્ થઈ શકે નહીં; કેમ કે સાક્ષાત્ સર્વજ્ઞતા વચનથી પણ બોધ થતો નથી, તો કોનાથી આ દુ:ખી જીવને બોધ થાય ? હજી પણ આ નંદિવર્ધનકુમાર વડે આ વૈશ્વાનરના પ્રસાદથી અપર અપર સ્થાનમાં દુઃખ અનુભવતા અનંતકાલ ભટકવું પડશે. અને વૈરની પરંપરા પ્રાપ્તવ્ય છે. રાજા કહે છે હે ભગવંત ! આને=નંદિવર્ધનને, આ વૈશ્વાનર મહાશત્રુ છે. ભગવાન વડે કહેવાયું – આટલા મહાશત્રુથી પર્યાપ્ત છે=નંદિવર્ધન પૂર્ણ છે,
सर्वजीवानां कुटुम्बत्रयम्
नृपतिराह-किमस्यैवायं वयस्यः ? किं वाऽन्येषामपि जन्तूनाम् ? भगवानाह - यदि महाराज ! स्फुटं प्रश्नयसि ततस्तथा ते कथयामि यथा पुनः प्रष्टव्यमिदं न भवति । नृपतिराह - अनुग्रहो मे, भगवताऽभिहितं-इह सर्वेषां जीवानां प्रत्येकं त्रीणि त्रीणि कुटुम्बकानि, तद्यथा - क्षान्तिमार्दवाऽऽर्जवमुक्तिज्ञानदर्शनवीर्यसुखसत्यशौचतपः सन्तोषादीनि यत्र गृहमानुषाणि तदिदमेकं कुटुम्बकम् । तथा क्रोधमानमायालोभरागद्वेषमोहाऽज्ञानशोकभयाऽविरतिप्रभृतयो यत्र बान्धवाः तदिदं द्वितीयं कुटुम्बकम् । तथा शरीरं तदुत्पादक स्त्रीपुरुषावन्ये च तथाविधा लोका यत्र सम्बन्धिनः तदिदं तृतीयं कुटुम्बकं, कुटुम्बत्रितयद्वारेण चाऽसंख्याताः स्वजनवर्गा भवन्ति, तत्र यदिदमाद्यं कुटुम्बकमेतज्जीवानां स्वाभाविकमनाद्यपर्यवसितं, हितकरणशीलमाविर्भावतिरोभावधर्मकमन्तरङ्गं च वर्तते, मोक्षप्रापकं च, यतः प्रकृत्यैवेदं जीवमुपरिष्टान्नयति । यत्पुनरिदं द्वितीयं कुटुम्बकमेतज्जीवानामस्वाभाविकं, तथाऽप्यविज्ञातपरमार्थेर्जन्तुभिर्गुहीतं तद्गाढतरं स्वाभाविकमिति । तदनाद्यपर्यवसितमभव्यानां, अनादि सपर्यवसितं केषाञ्चिद् भव्यानां, एकान्तेनाऽहितकरणशीलमाविर्भावतिरोभावधर्मकमन्तरङ्गं च वर्तते संसारकारणं च, यतः प्रकृत्यैवेदं जीवमधस्तात्पातयति । यत्पुनरिदं तृतीयं कुटुम्बकमेतज्जीवानामस्वाभाविकमेव,