Book Title: Upmiti Bhav Prapancha Katha Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 487
________________ ૪૬૬ - = ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ હોતે છતે નંદિવર્ધનને પ્રબોધ થયો ? અર્થાત્ પોતે આ ભગવાન કહે છે એમ આ સંસારમાં અનાદિ કાલથી આ રીતે કદર્થના પામ્યો તેનો બોધ નંદિવર્ધનને થયો ? ભગવાન વડે કહેવાયું હૈ મહારાજ ! આને=નંદિવર્ધનને, કેવલ પ્રતિબોધનો અભાવ નથી તો શું છે ? મારું કહેવાયે છતે ઊલટું આને=નંદિવર્ધનને, મહાન ઉદ્વેગ વર્તે છે. રાજા કહે છે – શું આ અભવ્ય છે ? ભગવાત વડે કહેવાયું – અભવ્ય નથી તો શું છે ? ભવ્ય જ છે. કેવલ અધમ જ એવા વૈશ્વાનરનો દોષ છે જે કારણથી મારું વચન સ્વીકારતો નથી. જે કારણથી આને=નંદિવર્ધનને આ=વૈશ્વાનરરૂપ કષાય, અનંત અનુબંધવાળો છે એથી કરીને અનંતાનુબંધી એ પ્રમાણે ત્રીજા નામ વડે મુનિઓ વડે કહેવાય છે=નંદિવર્ધનમાં વર્તતો ગુસ્સાનો સ્વભાવ પ્રથમ ક્રોધ એ નામથી કહેવાયો, બીજો વૈશ્વાનર એ નામથી કહેવાયો, હવે અનંતાનુબંધી એ પ્રકારના ત્રીજા નામથી તેને મુનિઓ કહે છે. તેથી=નંદિવર્ધનમાં અનંતાનુબંધી ક્રોધ છે તેથી, આ વિદ્યમાન હોતે છતે=અનંતાનુબંધી ક્રોધ વિદ્યમાન હોતે છતે, મારું વચન સુખ માટે થતું નથી. અરતિને ઉત્પન્ન કરે છે, કલમલને ઉત્પન્ન કરે છે=પાપરૂપી કાદવને ઉત્પન્ન કરે છે. તેથી કોનાથી આ તપસ્વીને પ્રબોધ થાય અર્થાત્ થઈ શકે નહીં; કેમ કે સાક્ષાત્ સર્વજ્ઞતા વચનથી પણ બોધ થતો નથી, તો કોનાથી આ દુ:ખી જીવને બોધ થાય ? હજી પણ આ નંદિવર્ધનકુમાર વડે આ વૈશ્વાનરના પ્રસાદથી અપર અપર સ્થાનમાં દુઃખ અનુભવતા અનંતકાલ ભટકવું પડશે. અને વૈરની પરંપરા પ્રાપ્તવ્ય છે. રાજા કહે છે હે ભગવંત ! આને=નંદિવર્ધનને, આ વૈશ્વાનર મહાશત્રુ છે. ભગવાન વડે કહેવાયું – આટલા મહાશત્રુથી પર્યાપ્ત છે=નંદિવર્ધન પૂર્ણ છે, सर्वजीवानां कुटुम्बत्रयम् नृपतिराह-किमस्यैवायं वयस्यः ? किं वाऽन्येषामपि जन्तूनाम् ? भगवानाह - यदि महाराज ! स्फुटं प्रश्नयसि ततस्तथा ते कथयामि यथा पुनः प्रष्टव्यमिदं न भवति । नृपतिराह - अनुग्रहो मे, भगवताऽभिहितं-इह सर्वेषां जीवानां प्रत्येकं त्रीणि त्रीणि कुटुम्बकानि, तद्यथा - क्षान्तिमार्दवाऽऽर्जवमुक्तिज्ञानदर्शनवीर्यसुखसत्यशौचतपः सन्तोषादीनि यत्र गृहमानुषाणि तदिदमेकं कुटुम्बकम् । तथा क्रोधमानमायालोभरागद्वेषमोहाऽज्ञानशोकभयाऽविरतिप्रभृतयो यत्र बान्धवाः तदिदं द्वितीयं कुटुम्बकम् । तथा शरीरं तदुत्पादक स्त्रीपुरुषावन्ये च तथाविधा लोका यत्र सम्बन्धिनः तदिदं तृतीयं कुटुम्बकं, कुटुम्बत्रितयद्वारेण चाऽसंख्याताः स्वजनवर्गा भवन्ति, तत्र यदिदमाद्यं कुटुम्बकमेतज्जीवानां स्वाभाविकमनाद्यपर्यवसितं, हितकरणशीलमाविर्भावतिरोभावधर्मकमन्तरङ्गं च वर्तते, मोक्षप्रापकं च, यतः प्रकृत्यैवेदं जीवमुपरिष्टान्नयति । यत्पुनरिदं द्वितीयं कुटुम्बकमेतज्जीवानामस्वाभाविकं, तथाऽप्यविज्ञातपरमार्थेर्जन्तुभिर्गुहीतं तद्गाढतरं स्वाभाविकमिति । तदनाद्यपर्यवसितमभव्यानां, अनादि सपर्यवसितं केषाञ्चिद् भव्यानां, एकान्तेनाऽहितकरणशीलमाविर्भावतिरोभावधर्मकमन्तरङ्गं च वर्तते संसारकारणं च, यतः प्रकृत्यैवेदं जीवमधस्तात्पातयति । यत्पुनरिदं तृतीयं कुटुम्बकमेतज्जीवानामस्वाभाविकमेव,

Loading...

Page Navigation
1 ... 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520