________________
૪૮૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ तृतीयस्य परित्यागात्तस्य किं जायते फलम् ।
यथोक्तम् ? यदि वा नेति, तथेदं प्रविवेचय ।।३४।। શ્લોકાર્ચ -
રાજા કહે છે – હે નાથ ! જે બીજા કુટુંબનો નાશ કરવા સમર્થ નથી પણ કોઈક રીતે શક્તિના ભ્રમથી અર્થાત્ હું બીજા કુટુંબનો નાશ કરવા સમર્થ છું એ પ્રકારની શક્તિના ભ્રમથી ત્રીજા કુટુંબના પરિત્યાગને કારણે બાહ્ય કુટુંબનો ત્યાગ કરીને સંયમના ગ્રહણ કરવાને કારણે, તેને બીજા કુટુંબના નાશ કરવા માટે અસમર્થ અને ત્રીજા કુટુંબના ત્યાગને કરનાર એવા તેને, ચોક્ત ફળ શું થાય છે? અથવા શું નથી થતું? એ પ્રમાણે આ સ્પષ્ટ કરો. ll૩૩-૩૪ શ્લોક :
सूरिराह महाराज! यो न हन्ति द्वितीयकम् ।
तृतीयत्यजनं तस्य, नूनमात्मविडम्बनम् ।।३५ ।। શ્લોકાર્ચ -
સૂરિ કહે છે – હે મહારાજ ! જે બીજા કુટુંબને હણતો નથી=સંયમ ગ્રહણ કર્યા પછી બીજા કુટુંબનો નાશ કરવા માટે યત્ન કરતો નથી, તેનું ત્રીજા કુટુંબનું વૈજન ખરેખર આત્મવિડંબન છે–પોતાનું મૂર્ખચેષ્ટિત છે. ll૧૫ll શ્લોક -
तृतीयं हि परित्यज्य, यदि हन्यान्निराकुलः ।
द्वितीयमेवं तत्त्यागः, सफलो विफलोऽन्यथा ।।३६।। શ્લોકાર્ય :દિ જે કારણથી, ત્રીજા કુટુંબને છોડીને જો નિરાકુલ એવા તે મહાત્મા ત્રીજા કુટુંબના ત્યાગને કારણે સ્નેહ આદિના ભાવોથી નિરાકુલ એવા તે મહાત્મા, બીજા કુટુંબને જો હણે એ રીતે તેનો ત્યાગ ત્રીજા કુટુંબનો ત્યાગ, સફલ છે. અન્યથા વિફલ છે ત્રીજા કુટુંબનો ત્યાગ, નિષ્ફળ છે. ll૧૬ll
राज्ञोऽतिनिघृणकर्मकरणेच्छा
શ્લોક :
नृपतिनाऽभिहितम्-भदन्त! यद्येवं ततःभवप्रपञ्चं विज्ञाय, महाघोरं सुदुस्तरम् । अवाप्य मानुषं जन्म, संसारेऽत्यन्तदुर्लभम् ।।३७।।