________________
૩૬૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવના દુર્ગતિઓની પરંપરાઓને પ્રાપ્ત કરાવે છે. તે સર્વનું કારણ રૌદ્રચિત્ત, તેમાં વર્તતી દુષ્ટ અભિસંધિ, તેનાથી ઉત્પન્ન થયેલી નિષ્કરુણતા અને તેના કારણે થયેલી હિંસકવૃત્તિ છે.
तामसचित्ते द्वेषगजेन्द्रभार्याऽविवेकिता इतश्चास्ति तामसचित्तं नाम नगरं, तत्र महामोहतनयो द्वेषगजेन्द्रो नाम नरेन्द्रः प्रतिवसति । इतश्च या प्रागाख्याता वैश्वानरस्य जननी मम धात्री अविवेकिता नाम ब्राह्मणी, सा तस्य द्वेषगजेन्द्रस्य भार्या भवति, सा च केनचित्प्रयोजनेन ततस्तामसचित्तानगराद् गर्भस्थिते सति वैश्वानरे तत्र रौद्रचित्तपुरे समागताऽऽसीत्, यादृक् तत्तामसचित्तं नगरं, यादृशोऽसौ द्वेषगजेन्द्रो राजा, यादृशी साऽविवेकिता, यच्च तस्यास्तामसचित्तनगराद्रौद्रचित्तपुरं प्रत्यागमनप्रयोजनमेतत् सर्वमुत्तरत्र कथयिष्यामः, केवलं भद्रेऽगृहीतसङ्केते! न तदाऽस्य व्यतिकरस्याहं गन्धमपि ज्ञातवान्,
તામસચિત્તનગરના દ્વેષગજેન્દ્રરાજાની પત્ની અવિવેતા અને આ બાજુ તામસચિત્ત નામનું નગર છે=અંતરંગ નગર છે, ત્યાંeતામસચિત્ત નગરમાં મહામોહ રાજાનો પુત્ર દ્વેષગજેન્દ્ર નામનો રાજા વસે છે, અને આ બાજુ જે પૂર્વમાં કહેવાયેલી વૈશ્વાનરની માતા મારી=નંદિવર્ધનની, ધાત્રી ધાવમાતા, અવિવેકિતા લામતી બ્રાહ્મણી છે. નંદિવર્ધનની અંતરંગ અવિવેકિતા પરિણતિરૂપ ધાવમાતા એ વૈશ્વાનરની માતા છે એમ પૂર્વમાં કહેલું તે અવિવેકિતા નામની ધાવમાતા છે તે=ધાવમાતા, દ્વેષગજેન્દ્રની પત્ની છે. અને તે=અવિવેકિતા નામની ભાર્યા, કોઈક પ્રયોજનથી ગર્ભમાં વૈશ્વાનર રહે છતે તામસચિત્ત નગરથી રૌદ્રચિતપુરમાં આવેલી હતી. જેવા પ્રકારનું તે તામસચિત્ત નગર છે અને જેવા પ્રકારનો આ ષગજેન્દ્રરાજા છે, જેવા પ્રકારની તે અવિવેકિતા છે અને જે તેણીનું અવિવેકિતાનું, તામસચિત્તનગરથી રૌદ્રચિત્તનગર પ્રત્યે આગમતનું પ્રયોજન છે એ સર્વ ઉત્તરમાં અમે કહીશું. અર્થાત્ અનુસુંદર ચક્રવર્તી કહે છે આ સર્વ અમે આગળમાં કહીશું. કેવલ તે ભદ્ર અગૃહીતસંકેતા ! ત્યારે આ વ્યતિકરની ગંધ પણ હું જાણતો ન હતો=જ્યારે નંદિવર્ધન હતો ત્યારે આ અંતરંગ મારું કુટુંબ હતું તેની ગંધને પણ હું જાણતો ન હતો,
इदानीमेवास्य भगवतः सदागमस्य प्रसादादिदं समस्तं मम प्रत्यक्षीभूतं, तेन तुभ्यं कथयामि, ततः साऽविवेकिता तत्र रौद्रचित्तपुरे स्थिता कियन्तमपि कालं, जातो दुष्टाभिसन्धिना सह परिचयः, यतो द्वेषगजेन्द्रप्रतिबद्ध एवासौ दुष्टाभिसन्धिश्चरटनरेन्द्रः, ततोऽविवेकितायाः किङ्करभूतो वर्तते, ततः साऽविवेकिता मां मनुजगतौ समागतमवगम्य ममोपरि स्नेहवशेनागत्य ततो रौद्रचित्तपुरात् स्थिता सन्निहिता, जातोऽस्या मम जन्मदिने वैश्वानरो, वृद्धिं गतः क्रमेण, कथितस्तया तस्मै सर्वोऽप्यात्मीयः સ્વનનવ |
હમણાં જ આ ભગવાન સદાગમના પ્રસાદથી આ સમસ્ત મને પ્રત્યક્ષ છે. તે કારણથી હું તને કહું છું એમ અનુસુંદર ચક્રવર્તી અગૃહતસંકેતાને કહે છે. ત્યારપછી તે અવિવેકિતા તે રોદ્રચિત્તપુરમાં