Book Title: Upmiti Bhav Prapancha Katha Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 440
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ૪૧૯ છે. મારા વડે વિચારાયું=વિદુર વડે વિચારાયું – અહો ભાગ્યથી મંદભાગ્યવાળા અમે હણાયા છીએ. તે આ આભાણક આવ્યું=વધારાનો ઉપદ્રવ આવ્યો, તે આભાણક જ ‘યદ્યુત’થી સ્પષ્ટ કરે છે – જે ઊંટની પૂંઠમાં સમાતું નથી તે કંઠમાં બંધાય છે. તે આ પ્રમાણે=કુમારના વૈશ્વાનર પાપમિત્રના યોગથી જ અમે ગાઢ ઉદ્વિગ્ન હતા એટલામાં આ=હિંસા, બીજું કૃત્ય જ ન હોય તેમ આની=નંદિવર્ધનની, ભાર્યા થઈ. તે કારણથી અહીં=નંદિવર્ધનના વિષયમાં ફરી શું કર્તવ્ય છે એ પ્રમાણે ચિંતવન કરતાં મારો દિવસ ગયો=વિદુરનો દિવસ ગયો. તે આ કુમારનું તમારી સમીપે અનાગમનનું કારણ છે. પિતા વડે કહેવાયું – હે વિદુર ! મહાપાપનો હેતુ આ શિકારનું વ્યસન છે. અમારા વંશમાં થયેલા રાજાઓ વડે સેવાયું નથી. આથી જો આના=શિકારના વ્યસનના, નિમિત્તભૂત આ કુમારની ભાર્યા=હિંસા નામની કુમારની ભાર્યા, દૂર કરાય, તો સુંદર થાય. વિદુર કહે છે. હે દેવ ! વૈશ્વાનરની જેમ નિરુપક્રમવાળી આ=હિંસા, જણાય છે. અથવા ફરી પણ આ નગરમાં તે જિનમતજ્ઞ નૈમિત્તિક આવેલ સંભળાય છે, તેથી તેને જ બોલાવીને પૂછવા માટે યુક્ત છે. જે અહીં=કુમારના વિષયમાં, કર્તવ્ય છે. પિતા વડે=નંદિવર્ધનના પિતા વડે, કહેવાયું – તે નૈમિત્તિકને બોલાવો. વિદુર વડે કહેવાયું – દેવ, જે આજ્ઞા કરે છે. जिनमतज्ञदर्शितोपायः चारुतादेवीवर्णनम् ततो निर्गतो विदुरः, समागतः स्तोकवेलायां गृहीत्वा जिनमतज्ञं, ततो विधाय तस्य प्रतिपत्तिमाख्यातं तातेन प्रयोजनं, ततो निरूपितं बुद्धिनाडीसञ्चारतो नैमित्तिकेन । अभिहितं च यथा - महाराज ! एक एवाऽत्र परमुपायो विद्यते, स यदि संपद्येत ततः स्वयमेव प्रलीयेत कुमारस्येयमनर्थकारिणी हिंसाभिधाना માર્યા । તાતેનામિહિત-જીવૃશઃ સ:? કૃતિ થયત્વાર્થ:। જિનમતજ્ઞ વડે દર્શાવાયેલ ઉપાય તથા ચારુતાદેવીનું વર્ણન ત્યારપછી વિદુર નીકળ્યો=નૈમિત્તિકને બોલાવવા માટે ગયો. થોડીવારમાં જિનમતજ્ઞને લઈને આવ્યો. ત્યારપછી તેની=જિનમતજ્ઞની પ્રતિપત્તિ કરીને=સ્વાગત કરીને, પિતા વડે પ્રયોજન કહેવાયું. ત્યારપછી બુદ્ધિનાડીના સંચારથી=જિનમતના રહસ્યને કહેનાર નિપુણ બુદ્ધિનાડીના સંચારથી, નૈમિત્તિક વડે વિચારાયું અને કહેવાયું. જે પ્રમાણે – હે મહારાજા ! અહીં=કુમારની હિંસાની નિવૃત્તિમાં, એક પરમ ઉપાય વિદ્યમાન છે. તે જો પ્રાપ્ત થાય તો સ્વયં જ કુમારની આ અનર્થકારી હિંસા નામની ભાર્યા વિલય પામે. પિતા વડે કહેવાયું તે ઉપાય કેવા પ્રકારનો છે ? એ પ્રમાણે આર્ય કહો. जिनमतज्ञेनाऽभिहितं यत्तदा वर्णितं समक्षमेव भवतां यथा-अस्ति रहितं सर्वोपद्रवैर्निवासस्थानं समस्तगुणानां कारणं कल्याणपरम्परायाः, दुर्लभं मन्दभागधेयैश्चित्तसौन्दर्यं नगरं, तत्र च यो वर्णितः यथा - अस्ति हितकारी लोकानां कृतोद्योगो दुष्टनिग्रहे, दत्ताऽवधानः शिष्टपरिपालने, परिपूर्णः कोशदण्डसमुदयेन शुभपरिणामो नाम राजा । तस्य राज्ञो यथासौ क्षान्तेर्जनयित्री निष्प्रकम्पता

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520