________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૪૧૯
છે. મારા વડે વિચારાયું=વિદુર વડે વિચારાયું – અહો ભાગ્યથી મંદભાગ્યવાળા અમે હણાયા છીએ. તે આ આભાણક આવ્યું=વધારાનો ઉપદ્રવ આવ્યો, તે આભાણક જ ‘યદ્યુત’થી સ્પષ્ટ કરે છે – જે ઊંટની પૂંઠમાં સમાતું નથી તે કંઠમાં બંધાય છે. તે આ પ્રમાણે=કુમારના વૈશ્વાનર પાપમિત્રના યોગથી જ અમે ગાઢ ઉદ્વિગ્ન હતા એટલામાં આ=હિંસા, બીજું કૃત્ય જ ન હોય તેમ આની=નંદિવર્ધનની, ભાર્યા થઈ. તે કારણથી અહીં=નંદિવર્ધનના વિષયમાં ફરી શું કર્તવ્ય છે એ પ્રમાણે ચિંતવન કરતાં મારો દિવસ ગયો=વિદુરનો દિવસ ગયો. તે આ કુમારનું તમારી સમીપે અનાગમનનું કારણ છે. પિતા વડે કહેવાયું – હે વિદુર ! મહાપાપનો હેતુ આ શિકારનું વ્યસન છે. અમારા વંશમાં થયેલા રાજાઓ વડે સેવાયું નથી. આથી જો આના=શિકારના વ્યસનના, નિમિત્તભૂત આ કુમારની ભાર્યા=હિંસા નામની કુમારની ભાર્યા, દૂર કરાય, તો સુંદર થાય. વિદુર કહે છે. હે દેવ ! વૈશ્વાનરની જેમ નિરુપક્રમવાળી આ=હિંસા, જણાય છે. અથવા ફરી પણ આ નગરમાં તે જિનમતજ્ઞ નૈમિત્તિક આવેલ સંભળાય છે, તેથી તેને જ બોલાવીને પૂછવા માટે યુક્ત છે. જે અહીં=કુમારના વિષયમાં, કર્તવ્ય છે. પિતા વડે=નંદિવર્ધનના પિતા વડે, કહેવાયું – તે નૈમિત્તિકને બોલાવો. વિદુર વડે કહેવાયું – દેવ, જે આજ્ઞા કરે છે.
जिनमतज्ञदर्शितोपायः चारुतादेवीवर्णनम्
ततो निर्गतो विदुरः, समागतः स्तोकवेलायां गृहीत्वा जिनमतज्ञं, ततो विधाय तस्य प्रतिपत्तिमाख्यातं तातेन प्रयोजनं, ततो निरूपितं बुद्धिनाडीसञ्चारतो नैमित्तिकेन । अभिहितं च यथा - महाराज ! एक एवाऽत्र परमुपायो विद्यते, स यदि संपद्येत ततः स्वयमेव प्रलीयेत कुमारस्येयमनर्थकारिणी हिंसाभिधाना માર્યા । તાતેનામિહિત-જીવૃશઃ સ:? કૃતિ થયત્વાર્થ:।
જિનમતજ્ઞ વડે દર્શાવાયેલ ઉપાય તથા ચારુતાદેવીનું વર્ણન
ત્યારપછી વિદુર નીકળ્યો=નૈમિત્તિકને બોલાવવા માટે ગયો. થોડીવારમાં જિનમતજ્ઞને લઈને આવ્યો. ત્યારપછી તેની=જિનમતજ્ઞની પ્રતિપત્તિ કરીને=સ્વાગત કરીને, પિતા વડે પ્રયોજન કહેવાયું. ત્યારપછી બુદ્ધિનાડીના સંચારથી=જિનમતના રહસ્યને કહેનાર નિપુણ બુદ્ધિનાડીના સંચારથી, નૈમિત્તિક વડે વિચારાયું અને કહેવાયું. જે પ્રમાણે – હે મહારાજા ! અહીં=કુમારની હિંસાની નિવૃત્તિમાં, એક પરમ ઉપાય વિદ્યમાન છે. તે જો પ્રાપ્ત થાય તો સ્વયં જ કુમારની આ અનર્થકારી હિંસા નામની ભાર્યા વિલય પામે. પિતા વડે કહેવાયું તે ઉપાય કેવા પ્રકારનો છે ? એ પ્રમાણે આર્ય કહો.
जिनमतज्ञेनाऽभिहितं यत्तदा वर्णितं समक्षमेव भवतां यथा-अस्ति रहितं सर्वोपद्रवैर्निवासस्थानं समस्तगुणानां कारणं कल्याणपरम्परायाः, दुर्लभं मन्दभागधेयैश्चित्तसौन्दर्यं नगरं, तत्र च यो वर्णितः यथा - अस्ति हितकारी लोकानां कृतोद्योगो दुष्टनिग्रहे, दत्ताऽवधानः शिष्टपरिपालने, परिपूर्णः कोशदण्डसमुदयेन शुभपरिणामो नाम राजा । तस्य राज्ञो यथासौ क्षान्तेर्जनयित्री निष्प्रकम्पता