________________
૪૬૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
एवं च ज्ञातमाहात्म्यैः, संसारे ब्रूहि तत्त्वतः ।
ईदृक्षधर्मसम्प्राप्तिर्भूप! केनोपमीयताम्? ।।७।। શ્લોકાર્ય :
અને આ પ્રમાણે જ્ઞાતમાહામ્યવાળા જીવો વડે સંસારમાં તત્ત્વથી આવા ધર્મની પ્રાપ્તિ હે રાજા! કોના વડે ઉપમા આપી શકાય ? તું કહે, અર્થાત્ કોઈની સાથે ઉપમા આપી શકાય નહીં. llી શ્લોક :
एवं स्थितेएनं संसारविस्तारं, विलय कथमप्यदः ।
मानुष्यं प्राप्य दुष्प्रापं, राधावेधोपमं जनः ।।८।। શ્લોકાર્ધ :
આ પ્રમાણે સ્થિત હોતે છતે સંસારમાં ભગવાને કહેલા ધર્મની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે અને પરમસુખનું કારણ છે એ પ્રમાણે સ્થિત હોતે છતે, આ સંસારવિસ્તારને ઉલ્લંઘન કરીને એકેન્દ્રિય આદિ ભવો રૂપ સંસારવિસ્તારનું ઉલ્લંઘન કરીને કોઈ પણ રીતે દુષ્પાપ એવા રાધાવેધના ઉપમાવાળા મનુષ્યભવને પામીને. llll શ્લોક :
यो जैनमपि संप्राप्य, शासनं कर्मनाशनम् । हिंसाक्रोधादिपापेषु, रज्यते मूढमानसः ।।९।। स हारयति काचेन, चिन्तामणिमनुत्तमम् ।
करोत्यङ्गारवाणिज्यं, दग्ध्वा गोशीर्षचन्दनम् ।।१०।। युग्मम् શ્લોકાર્ચ -
આ જીવ જે કર્મનાશને કરનાર એવા જૈનશાસનને પણ પ્રાપ્ત કરીને હિંસા, ક્રોધાદિ પાપોમાં મૂઢમાનસવાળો રંજિત થાય છે રક્ત રહે છે, તે તે પુરુષ, કાચથી અનુત્તમ એવા ચિંતામણિરત્નને હારે છે. અર્થાત્ ચિંતામણિરત્ન આપીને કાચનો ટુકડો ગ્રહણ કરે છે. ગોશીષ ચંદનને બાળીને કોલસાથી વાણિજ્યને ગ્રહણ કરે છે. II૯-૧૦II શ્લોક :
भिनत्ति नावं मूढात्मा, लोहार्थं स महोदधौ । सूत्रार्थं दारयत्युच्चैर्वैडूर्यं रत्नमुत्तमम् ।।११।।