________________
૪૬૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ છત્રવાળું, શત્રુઓનો ઉપદ્રવ ન હોય એવું અકંટક રાજ્ય જીવને ઘણી વખત પ્રાપ્ત થયું છે પરંતુ ભગવાને કહેલો ધર્મ પ્રાપ્ત થયો નથી. ।।૨।।
શ્લોક ઃ
संपूर्ण भोगसम्प्राप्तिप्रीणितेन्द्रियमानसम् । સુતમ રૃપ! તેવત્વ, ન માં પરમેશ્વરમ્ ।।રૂ।
શ્લોકાર્થ :
હે રાજન ! સંપૂર્ણ ભોગની સંપ્રાપ્તિથી પ્રીણિત ઇન્દ્રિય અને માનસવાળું દેવત્વ સુલભ છે. પારમેશ્વરનું મત સુલભ નથી. II3II
શ્લોક ઃ
संसारे परमैश्वर्यकारणं भूप ! लभ्यते ।
इन्द्रत्वमपि जीवेन, न धर्मो जिनदेशितः ।।४॥
શ્લોકાર્થ ઃ
હે રાજા ! સંસારમાં પરમઐશ્વર્યનું કારણ ઈન્દ્રપણું પણ જીવ વડે પ્રાપ્ત કરાય છે, જિનદેશિત ધર્મ પ્રાપ્ત કરાતો નથી. II૪।।
શ્લોક ઃ
एते हि भावा राजेन्द्र ! संसारसुखकारणम् ।
सद्धर्मस्तु मुनीन्द्रोक्तो, निर्वाणसुखकारणम् ।।५।।
શ્લોકાર્થ ઃ
આ ભાવો=સુંદર રાજ્ય, સુંદર ભોગો, દેવત્વ આદિ ભાવો, હે રાજેન્દ્ર ! સંસારસુખનું કારણ છે. વળી ભગવાન વડે કહેવાયેલો સદ્ધર્મ નિર્વાણસુખનું કારણ છે. ।।૫।।
શ્લોક ઃ
निर्वाणसुखसंसारसुखयोश्च परस्परम् ।
चिन्तारत्नस्य काचेन, यावत्तावद् गुणान्तरम् ।।६।।
શ્લોકાર્થ :
અને નિર્વાણસુખનો અને સંસારસુખનો પરસ્પર ચિંતામણિરત્નનો કાચની સાથે જેટલો ભેદ છે તેટલો ગુણાંતર છે=ભેદ છે=ચિંતામણિરત્ન અને કાચ એ બે વચ્ચે મહાનભેદ છે તેમ સંસારનું સુખ અને મોક્ષનું સુખ એ બે વચ્ચે મહાનભેદ છે. II9II