________________
૪૨૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ तेषु सर्वेषु शास्त्रेषु, वर्णिता परमार्थतः ।
उपादेयतया देवी, सा प्राज्ञैस्तत्त्वचिन्तकैः ।।५।। युग्मम् શ્લોકાર્ચ -
લોકમાં અથવા લોકોતરમાં પણ મહાત્માઓને સંસારસાગરમાંથી ઉતારનાં કારણો એવાં જે કોઈ શાસ્ત્રો છે તે સર્વ શાસ્ત્રમાં પરમાર્થથી તે દેવી ઉપાદેયપણાથી પ્રાજ્ઞ એવા તત્વચિંતકો વડે વર્ણન કરાઈ છે. ll૪-પી.
સર્વ દર્શનકાર જે કોઈ આત્મહિતનાં શાસ્ત્રો કહે છે તે સર્વ શાસ્ત્રોના જીવનો સમભાવનો પરિણામ જ ઉપાદેયરૂપે સ્વીકારે છે અને તે સમભાવ જ જીવની ચારુતા નામની પરિણતિ છે. શ્લોક :
तेन सा निकषस्थानं, शास्त्राणामिह गीयते ।
तां विना सर्वशास्त्रार्थोऽसद्बुद्धिप्रकरायते ।।६।। શ્લોકાર્ચ -
તે કારણથી તે ચારુતા, શાસ્ત્રોનું નિકષસ્થાન અહીં કહેવાય છેઃઉત્પત્તિસ્થાન કહેવાય છે, તેના વગર સર્વ શાસ્ત્રોનો અર્થ અસબુદ્ધિ જેવો બને છે ચારુતાની પરિણતિ વગર જેઓ શાસ્ત્ર ભણે છે તે સર્વ તેઓની અસબુદ્ધિની વૃદ્ધિ કરે છે. III શ્લોક :
दानं शीलं तपो ध्यानं, गुरुपूजा शमो दमः । एवमादीनि लोकेऽत्र, चारुकर्माणि भावतः ।।७।। प्रवर्तयति सा देवी, स्वबलेन महात्मनाम् । तेन सा सदनुष्ठानजनकेति निरुच्यते ।।८।। युग्मम्
શ્લોકાર્ધ :
મહાત્માઓનાં દાન, શીલ, તપ, ધ્યાન, ગુરુપૂજા, શમ, દમ વગેરે અહીં લોકમાં ભાવથી સુંદર કમ તે દેવી સ્વબલથી પ્રવર્તાવે છે. તે કારણથી તે ચારુતા, સદનુષ્ઠાનની જનક છે એ પ્રમાણે કહેવાય છે. II૭-૮ll.
શ્લોક :
कामक्रोधभयद्रोहमोहमात्सर्यविभ्रमाः । शाठ्यपैशुन्यरागाद्या, ये लोके पापहेतवः ।।९।।