________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક ઃ
क्षान्तिः शुभपरिणामश्च, चारुता निष्प्रकम्पता । शौचसन्तोषधैर्याद्या, दयाया बान्धवा मताः ।।६।।
શ્લોકાર્થ ઃ
ક્ષાન્તિ, શુભપરિણામ, ચારુતા, નિષ્પકમ્પતા, શૌય, સંતોષ, ધૈર્ય આદિ દયાના બાંધવો મનાયા છે. II૬ા
૪૨૫
જેઓના ચિત્તમાં પોતાના આત્માની દયા વર્તે છે તેથી બધા જીવો પ્રત્યે સમભાવનો પરિણામ વર્તે છે અને પોતાના આત્માને કષાયોથી અને ઇન્દ્રિયોની ઉત્સુકતાથી સતત રક્ષણ કરે છે તેવા મહાત્મામાં જેમ દયાનો પરિણામ વર્તે છે તેમ ક્ષમાનો પરિણામ વર્તે છે. વળી, આત્મહિત સાધવું છે એ પ્રકારનો શુભપરિણામ વર્તે છે. વળી, ચારુતા=આત્મકલ્યાણને અનુકૂળ સુંદરતા, અને પોતાના ભાવપ્રાણોના રક્ષણ માટે નિષ્પકમ્પતા વર્તે છે. વળી, શૌચ, સંતોષ, ધૈર્ય આદિ ભાવો વર્તે છે તે દયાના સહવર્તી બંધુઓ છે. ફક્ત શુભપરિણામ રાજા, નિષ્પકમ્પતા દેવી અને ચારુતા દેવી બતાવેલ તેમાંથી ચારુતા દયાની માતા છે, તે પરિણામ કરતાં અને ક્ષમાની માતા નિષ્પકમ્પતા તે પરિણામ કરતાં કંઈક ભિન્ન પરિણામવાળા દયાના બંધુઓ છે; કેમ કે દયાની ઉત્પત્તિના બીજભૂત શુભપરિણામ અને ચારુતા આદ્ય ભૂમિકાની છે અને દયા સહવર્તી વર્તતો શુભપરિણામ, ચારુતા અને નિષ્પકમ્પતા વિશેષ પ્રકારની છે.
શ્લોક ઃ
तेषां तु सतताह्लादकारिणी हृदि संस्थिता हृदयस्थिता । तेनातिवल्लभा प्रोक्ता, बन्धुवर्गस्य सा दया ।।७।।
શ્લોકાર્થ :
તેઓના=ક્ષાન્તિ આદિ બંધુઓના હૃદયમાં રહેલી, સતત આહ્લાદને કરનારી દયા છે. તેથી બંધુવર્ગને તે દયા અતિવલ્લભ કહેવાય છે. III
શ્લોક ઃ
सुरेषु मर्त्यलोके च, मोक्षे च सुखपद्धतिः । વાપરીતચિત્તાનાં, વર્તતે રવર્તિની ।।૮।ા
શ્લોકાર્થ :
દેવલોકમાં, મર્ત્યલોકમાં=મનુષ્યલોકમાં, અને મોક્ષમાં સુખપદ્ધતિ દયા પરિતચિત્તવાળા જીવોને હાથમાં વર્તે છે. II