________________
૪૨૪
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
ततश्च
सा दया द्वयमप्येतद्वारयत्येव देहिनाम् ।
तेन सा भुवनाह्लादकारणं परिकीर्तिता ।।२।।
શ્લોકાર્થ :
અને તેથી તે દયા જીવોને આ બેને=દુઃખ અને મરણને અટકાવે છે અર્થાત્ કોઈ જીવને દુઃખ આપવું જોઈએ નહીં અને કોઈ જીવને મારવા જોઈએ નહીં. એ પ્રકારે જીવમાં વર્તતો દયાનો પરિણામ વારણ કરે છે તે કારણથી તે=દયા, ભુવનના આહ્લાદનું કારણ કહેવાય છે. II૨।।
શ્લોક ઃ
मुखं शशधराकारं, माभीर्दानाख्यमुत्तमम् ।
सद्दानदुःखत्राणाख्यौ, दयायाः पीवरौ स्तनौ ||३||
શ્લોકાર્થ ઃ
ભય ન પામો એ પ્રકારનું દાન નામનું ઉત્તમ ચંદ્રના આકાર જેવું મુખ છે. સદ્દાન અને દુઃખત્રાણ નામના દયાના પુષ્ટ બે સ્તનો છે. II3II
શ્લોક ઃ
-
विस्तीर्णं जगदानन्दं, शमाख्यं जघनस्थलम् । यद्वा नास्त्येव तद्देहे, किञ्चिदङ्गमसुन्दरम् ।।४॥
શ્લોકાર્થ :
વિસ્તીર્ણ જગતના આનંદને કરનારું શમ નામનું જઘનસ્થલ છે અથવા તેના દેહમાં કોઈ અંગ અસુંદર નથી. II૪ા
શ્લોક ઃ
रूपेण सुन्दरा प्रोक्ता, तेन सा मुनिपुङ्गवैः ।
यथेष्टा बन्धुवर्गस्य तथेदानीं निगद्यते । । ५ ।
શ્લોકાર્થ
તે કારણથી=દયાનાં કોઈ અંગો અસુંદર નથી તે કારણથી, તે=દયા, મુનિપુંગવો વડે રૂપથી સુંદર કહેવાય છે. જે પ્રમાણે બંધુવર્ગને ઇષ્ટ છે=દયા ઇષ્ટ છે, તે પ્રમાણે હવે કહેવાય છે. IINI