Book Title: Upmiti Bhav Prapancha Katha Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 425
________________ ४०४ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ પ્રવેશ્યો. કામરૂપી અમૃતસાગરના અવગાહનવાળો થયો. અને આ રીતે પ્રવર્ધમાન અનુરાગવાળા અમારા બેતા=કતકમંજરી અને નંદિવર્ધનના, કેટલાક દિવસો પસાર થયા, અને આ બાજુ વિભાકરનું વણકર્મ કરાયું યુદ્ધમાં જે ઘા લાગેલા તેનું ઔષધ કરાયું. શરીરથી સમર્થ બન્યો. મારી સાથે નંદિવર્ધન સાથે, આનો સ્નેહભાવ થયો=વિભાકરનો સ્નેહભાવ થયો. વિશ્વાસ ઉત્પન્ન થયો=વિભાકરને નંદિવર્ધનમાં વિશ્વાસ ઉત્પન્ન થયો. અચદા બહુમાન કરીને સપરિકરવાળો આ=વિભાકર, કનકચૂડ રાજા વડે સ્વસ્થાનમાં મોકલાયો, અને જે પણ તે અમ્બરીષ નામના વીરસેન વગેરે ચોરટાઓ પ્રવરસેન હણાયે છતે સ્વીકારાયેલા સેવકભાવવાળા મારી સાથે નંદિવર્ધત સાથે, પૂર્વમાં આવેલા, તે પણ કરાયેલા સન્માનવાળા મારા વડે વિસર્જન કરાયા. સ્વસ્થાનમાં ગયા. ત્યારપછી હું=નંદિવર્ધન, વિગત ચિંતાસંતાપવાળો તે રત્નાવતી અને કડકમંજરી સાથે આનંદરૂપ મહાસાગરને અવગાહન કરતો ત્યાં જ=કનકચૂડ રાજાના નગરમાં, કેટલોક પણ કાળ રહ્યો. આ પણ પ્રસંગનું પરમાર્થથી તે જ પુણ્યોદય કારણ છે. મને વળી, મહામોહના વશથી ત્યારે હૃદયમાં જણાયું. શું જણાયું તે ‘દુતથી બતાવે છે – અહો હિંસા અને વૈશ્વાનરનો પ્રભાવ અતિશય. આ બેના માહાભ્યથી મારા વડે નિરુપમ આનંદના અમૃતના રસની કૂપિકા જેવી કનકમંજરી પ્રાપ્ત કરાઈ. જે કારણથી તેતલીને કહેવાયું. કપિંજલા વડે કનકચૂડ રાજા પાસેથી મણિમંજરીનું વચન સાંભળેલું. જે આ પ્રમાણે – જે કારણથી આ નંદિવર્ધનકુમાર વડે મહાબલવાળા પણ દ્રમ અને સમરસેનને લીલાપૂર્વક નાશ કરાયા, તે કારણથી આને આ કનકમંજરી આપવી યુક્ત છે, અને દ્રમ અને સમરસેન મારા વડે=નંદિવર્ધન વડે, હિંસા અને વૈશ્વાનરના પ્રભાવથી જ વિનિપાત કરાયા. તે કારણથી પરમાર્થથી હિંસા વૈશ્વાનર દ્વારા જ મને આ કનકમંજરી સંપાદિત કરાઈ. તેથી આ પ્રકારે નંદિવર્ધનને વિપર્યાસને કારણે જણાયું તેથી, મને નંદિવર્ધનને હિંસા અને વૈશ્વાનર સાથે સ્નેહપ્રતિબદ્ધ અંતઃકરણ થયું અર્થાત્ હિંસાની વૃત્તિ અને ક્રોધની વૃત્તિ તીવ્રતમ થઈ. તેથી વૈશ્વાનરના વચનથી પ્રતિદિન ઉપભોગ કરતાં તે ક્રૂરચિત નામના વડા વડે મારું ચંડપણું ઉત્પન્ન થયું. અસહનપણું સંપાદિત કરાયું. રોદ્રતા કરાઈ=પૂર્વમાં કહ્યું એ પ્રમાણે પર્યાલોચનને કારણે નંદિવર્ધનને પોતાના ક્રોધી સ્વભાવની પ્રેરણાથી પ્રતિદિન ક્રચિત્તતા વધે છે તેથી ચંડસ્વભાવ અતિશય બને છે. કોઈનું સહન ન કરી શકું એવો સ્વભાવ વૃદ્ધિ પામે છે, રૌદ્રતા અતિશય થાય છે. ભાસુર રૌદ્રસ્વભાવવાળો હું કરાયો. ક્રૂરતા અંગાગીભાવવાળી થઈ=પ્રકૃતિરૂપ થઈ. સ્વરૂપનું તિરોધાન કરીને સાક્ષાત્ વૈશ્વાનર જેવો હું થયો. તેથી વડાના ઉપયોગની અપેક્ષા નથી કૂરચિત માટે યત્ન કરવાની અપેક્ષા નથી. પરંતુ સતત પ્રજવલિત થયેલો હું હિતભાષીને આક્રોશ કરું છું, નિષ્કારણ પરિજનને તાડન કરું છું. વળી, હિંસાથી આશ્લેષ પામતા મને=નંદિવર્ધનને, શિકાર કરવાનું વ્યસન થયું. તેથી પ્રતિદિન અનેક જંતુઓના સમૂહને મારતો હતો. મારું ચેષ્ટિત કનકશેખર વડે જોવાયું. આના વડે=કાકશેખર વડે, વિચારાયું – અહો આનું નંદિવર્ધનનું, ક્યા કારણથી આવું અસમંજસ ચરિત્ર છે ?

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520