________________
૩૯૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ कनकशेखरेणोक्तं-चारु मन्त्रितं तातेन, तात एवोचितं जानीते, ततो दातव्यैवेति स्थापितस्ताभ्यां सिद्धान्तः, समुत्थिताऽहं तातोत्सङ्गात्, प्रवृत्ता चेहागन्तुं, चिन्तितं च मया-अहो मे धन्यता अहो मे अनुकूलता दैवस्य, अहो सुपर्यालोचितकारिता तातस्य, अहो विनयः कनकशेखरस्य, भविष्यत्येवं प्रियभगिन्या सह मम यावज्जीवमवियोगः, ललिष्यावहे नानाविधम् । एवं च चिन्तयन्त्या ममाऽऽविर्भूतः स्फुटबहिलिङ्गो हर्षः । तदिदं मे हर्षकारणमिति । मलयमञ्जर्याऽभिहितं-कपिञ्जले! पश्य कालहीनो निमित्तस्य संवादः । मयोक्तं-किमाश्चर्यम्? यतो दैवीयमुत्पातुका भाषा भवति, केवलं वत्से! कनक-मञ्जरि! मुञ्चेदानीं विषादं, अवलम्बस्व धैर्य, सिद्धमधुना नः समीहितं, व्यपगतं भवत्या दाहज्वरकारणं, प्रतिपादिताऽसि देवेन हृदयनन्दनाय नन्दिवर्धनाय । ततः संजाता-श्वासाऽपि हृदये कुटिलशीलतया मदनस्य, विधाय ममाभिमुखं विषमभृकुटिं कनकमञ्जर्याऽभिहितं-आः भवतु मातः! किमेवमलीकवचनैर्मी प्रतारयसे? शिरोऽपि ममाऽधुना स्फुटति भग्नमनेना-संबद्धप्रलापेन, मलयमञ्जर्याऽभिहितं-वत्से! मा मैवं वोचः, सत्यमेवेदं नान्यथा वत्सया संभावनीयं, ततः कुतो ममेयन्ति भाग्यानीति शनैर्वदन्ती स्थिताऽधोमुखी कनकमञ्जरी । ततस्तां निजपतिभक्तस्त्रीकथानिकाकथनव्याजेन विनोदयन्तीभिरस्माभिरतिवाहिता रजनी, न चाद्याप्युपशाम्यति तस्याः परिदहनम् ।
એટલામાં કનકમંજરીની જ જ્યેષ્ઠ ભગિની મણિમંજરી નામવાળી તે હર્પતલમાં આરોહણ કરીને સહર્ષ અમારી સમીપે બેઠી. મારા વડે કહેવાયું કપિંજલા વડે કહેવાયું – હે વત્સ મણિમંજરી ! દુઃખરહિત એવા સુખપણાથી તું કઠોર છે અને દુઃખી છીએ ત્યારે તું હર્ષિત થઈને આવે છે એ કઠોર છે. તે કહે છે-મણિમંજરી કહે છે – કેવી રીતે ? મારા વડે કહેવાયું કપિંજલા વડે કહેવાયું – આ રીતે અમે વિષાદવાળાં હોતે છતે જે તે સહર્ષ દેખાય છે. મણિમંજરી વડે કહેવાયું – શું કરું? મારા મહાન હર્ષનું કારણ હું ગોપવવા સમર્થ નથી. મારા વડે કહેવાયું કપિંજલા વડે કહેવાયું – હે વત્સ ! કેવા પ્રકારનું હર્ષનું કારણ છે એ તું કહે. મણિમંજરી વડે કહેવાયું – હું તાત સમીપે ગયેલી હતી. પિતા વડે પોતાના ખોળામાં બેસાડાઈ અને ત્યારે પિતાની પાસે કતકશેખર બેઠો છે. ત્યારપછી તેના પ્રત્યે કતકશેખર પ્રત્યે, પિતા વડે કહેવાયું – હે પુત્ર ! જે આ નંદિવર્ધન વડે મહાબલવાળા પણ તે સમરસેન અને દ્રમ લીલાપૂર્વક મારી નંખાયા, તે આ નંદિવર્ધન સામાન્ય પુરુષ નથી. અને આવા સુકૃતનું નંદિવર્ધનના આ પ્રકારના સુંદર કૃત્યનું, અમે જીવિતદાનથી પણ મૂલ્ય ચુકવી શકીએ એમ નથી. તે કારણથી આ આગળમાં કહે છે એ, અહીં=નંદિવર્ધનના વિષયમાં, પ્રાપ્તકાલ છે. જીવિતથી પણ વલ્લભતર મારી આ મણિમંજરી અને કલકમંજરી છે. અને આગમણિમંજરી, પૂર્વમાં જ આવા જ=નંદિવર્ધનના જ, મોટા ભાઈ શીલવર્ધનને અપાયેલી છે. વળી, આ કનકમંજરી હવે આ નંદિવર્ધનને અપાય. કતકશેખર વડે કહેવાયું – પિતા વડે સુંદર મંત્રણા કરાઈ છે, પિતા જ ઉચિત જાણે છે. તેથી