________________
૧૮૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩] તૃતીય પ્રસ્તાવ
શુભસુંદરીની યોગશક્તિ શુભસુંદરી કહે છે – હે આર્યપુત્ર ! સુંદર ! સુંદર ! દેવ વડે આ સુંદર કહેવાયું, મારા પણ હદયમાં આ સ્થિત છે=મનીષીનું હિત થાય તેવું કરવાનો પરિણામ સ્થિત છે. દેવપ્રસાદને=કર્મવિલાસરાજાના પ્રસાદને, યોગ્ય જ મનીષી છે. તે કારણથી દેવ વડે જે આજ્ઞાપન કરાયું, તે હું કરું છું એ પ્રમાણે કહીને શુભસુંદરી વડે યોગશક્તિ વ્યાપારિત કરાઈ. અત્તર્ધાન કરાયું, મનીષીના શરીરમાં પ્રવેશ કર્યો= શુભસુંદરીએ પ્રવેશ કર્યો. આને-મનીષીને, પ્રમોદ પ્રગટ થયો, અમૃતના સિંચનથી પોતાનું શરીર સિચાયું, નિજવિલસિતઉઘાતમાં ગમનની ઈચ્છા પ્રવૃત્ત થઈ=જ્યાં પ્રબોધતરતિ નામના આચાર્ય પધાર્યા છે ત્યાં જવાની ઈચ્છા પ્રવૃત્ત થઈ, તેને અભિમુખ=ઉદ્યાનને અભિમુખ, પ્રસ્થિત થયો=મનીષી પસ્થિત થયો. આના દ્વારા=મનીષી દ્વારા, વિચારાયું, કેવી રીતે એકાકી હું જાઉં? અર્થાત્ એકાકી જવું ઉચિત નથી. અને ઘરમાં પ્રવેશ કરાયેલા રહેતા એવા મધ્યમબુદ્ધિનો ઘણો કાલ અતીતઃપસાર થયો છે, હમણા લોકને બાલનો વૃતાંત વિસ્મૃત છે. તેનું મબમબુદ્ધિનું, લજ્જાનું કારણ દૂર થયું છે. આથી તેને પણ તિજવિલસિત ઉદ્યાનમાં હું લઈ જાઉં એ પ્રમાણે વિચારીને મનીષી મધ્યમબુદ્ધિના સમીપે ગયો, તેને=મધ્યમબુદ્ધિને, પોતાનો આશય નિવેદન કર્યો હું નિજવિલસિત નામના ઉધાનમાં જવા ઈચ્છું છું એ પ્રકારનો પોતાનો આશય મધ્યમબુદ્ધિને નિવેદન કરાયો. અને આ બાજુ કર્મવિલાસરાજા વડે=મધ્યમબુદ્ધિના કર્મો વડે, તેની પણ-મધ્યમ-બુદ્ધિની પણ, સામાન્યરૂપા માતા તેના ફલના વિપાકની સંપત્તિ માટે કર્મના ફળના વિપાકની સંપત્તિ માટે, તે પ્રકારે જ પ્રોત્સાહિત કરાઈ=જે પ્રકારે બાલવી અને મનીષીની માતાને પણ કર્મવિલાસરાજાએ પ્રોત્સાહિત કરેલી તે જ પ્રમાણે મધ્યમની માતાને પણ કર્મવિલાસે પ્રોત્સાહિત કરી, અને અકુશલમાલા અને શુભસુંદરી બંનેમાં તે–સામાન્યરૂપા માતા, સાધારણવીર્યવાળી વિચિત્ર ને દેવારી સ્વરૂપથી વર્તે છે. તેથી=સામાન્યરૂપા સાધારણવીર્યવાળી છે તેથી, તેણી વડે અધિષ્ઠિતમૂર્તિ એવા મધ્યમબુદ્ધિને પણ=સામાન્યરૂપા માતા વિપાકને અભિમુખ પરિણામવાળી થાય તે પ્રકારે અધિષ્ઠિતમૂર્તિવાળા એવા મધ્યમબુદ્ધિને પણ, ત્યાં તિજવિલસિત ઉદ્યાનમાં, જવાની ઈચ્છા થઈ. વળી, તારા વડે પણ અવશ્ય જવું જોઈએ એ પ્રમાણે બોલતા મધ્યમબુદ્ધિ વડે બળાત્કારથી બાલ પ્રવર્તિત કરાયો=તિજવિલસિત ઉદ્યાનમાં જવા માટે પ્રવર્તિત કરાયો, ત્રણેય પણ=બાલ, મધ્યમ અને મનીષી ત્રણેય પણ, નિજવિલસિત ઉદ્યાનમાં ગયા.
સ્થૂલથી તે નગરનું વિશિષ્ટ ઉદ્યાન અને જે ઉદ્યાનમાં આત્માના નિજસ્વરૂપમાં જવાનું કારણ બને તેવા મહાત્માઓ આવેલા હોવાથી તે ઉદ્યાન પણ નિજવિલસિત કહેવાય છે અને જે ઉદ્યાનમાં બહુલતાએ ધર્મની જે પ્રવૃત્તિ થતી હોવાને કારણે નિજવિલસિત ઉદ્યાન કહેવાય છે તેમાં ત્રણેય ગયા.