________________
૩૦૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવના બ્લોક :
तत्साधु विहितं साधु, कृतोऽस्माकमनुग्रहः ।
एवमाचरता मित्र! दर्शिता च सुमित्रता ।।१४।। શ્લોકાર્થ :
તે કારણથી=મને તૈયાર કરવાના પ્રયોજનથી સુબુદ્ધિ અત્યાર સુધી ગૃહસ્થ અવસ્થામાં રહ્યો છે તે કારણથી, અહીં સુંદર સુંદર કરાયું અમારા ઉપર અનુગ્રહ કરાયો. આ પ્રમાણે આચરતા= સંયમની ઉત્કટ ઈચ્છા હોવા છતાં રાજાના પ્રયોજનથી સુબુદ્ધિએ કાળક્ષેપ કર્યો એ પ્રમાણે આચરતા, હે મિત્ર સુબુદ્ધિ ! સુમિત્રતા બતાવાઈ તારા વડે સુમિત્રતા બતાવાઈ. ll૧૪ll શ્લોક :
मध्यमबुद्धिं प्रत्याहत्वमादावेव धन्योऽसि, यस्य सङ्गो मनीषिणा ।
नैव कल्पद्रुमोपेतो, नरोऽकल्याणमर्हति ।।१५।। શ્લોકાર્ચ -
મધ્યમબુદ્ધિ પ્રતિ કહે છે – તું આદિમાં જ ધન્ય છો. જેને મનીષીની સાથે સંગ છે. કલ્પદ્રમથી યુક્ત નર અકલ્યાણને યોગ્ય નથી જ=કલ્પદ્રુમ જેવા મનીષીના સંગવાળો પુરુષ અકલ્યાણને જ પ્રાપ્ત કરે નહીં જ. I૧પ શ્લોક :
अधुना चरितेऽप्यस्य, दधानेन मतिं त्वया ।
स्वभ्रातुनिर्विशेषेयं, दर्शिता तुल्यरूपता ।।१६।। શ્લોકાર્ચ -
વળી, આના મનીષીના, ચરિત્રમાં મતિને ધારણ કરતા એવા તારા વડે મધ્યમબુદ્ધિ વડે, પોતાના ભાઈની નિર્વિશેષ એવી આ તુલ્યરૂપતા બતાવાઈ. તું પણ તારા ભાઈ જેવો ઉત્તમ છે. ll૧૬ll શ્લોક :
तत्साधु विहितं भद्र! यः पश्चादपि सुन्दरः ।
सोऽपि सुन्दर एवेति, यतो वृद्धाः प्रचक्षते ।।१७।। શ્લોકાર્થ :તે કારણથી હે ભદ્ર!સુંદર કરાયું, જે પાછળથી સુંદર છે તે પણ સુંદર જ છે, જે કારણથી વૃદ્ધો