________________
૩૦૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે - જન્મ, મૃત્યુ અને ભયની ખાણ રૂપ એવા અનાદિ અનંત સંસારમાં જીવો વડે સુનિર્મલ એવી આ મૌનીન્દી પ્રવજ્યા દુર્લભ છે. ll૨૯ll. શ્લોક :
યત:तावदुःखान्यनन्तानि, तावद्रागादिसन्ततिः । प्रभवः कर्मणस्तावत्तावज्जन्मपरम्परा ।।३०।। विपदस्तावदेवतास्तावत्सर्वा विडम्बनाः । तावद्दीनानि जल्पन्ति, नरा एव पुरो नृणाम् ।।३१।। तावद्दौर्गत्यसद्भावस्तावद्रोगसमुद्भवः । तावदेष बहुक्लेशो, घोरसंसारसागरः ।।३२।। यावन्निःशेषसावद्ययोगोपरतिलक्षणा ।
एषा न लभ्यते जीवैः, प्रव्रज्याऽत्यन्तदुर्लभा ।।३३।। चतुर्भिः कलापकम् શ્લોકાર્ધ :
જે કારણથી ત્યાં સુધી જ અનંત દુઃખો છે, ત્યાં સુધી રાગાદિ સન્નતિ છે, ત્યાં સુધી કર્મોનો પ્રભાવ છે, ત્યાં સુધી જન્મની પરંપરા છે, ત્યાં સુધી જ આ આપત્તિઓ છે, ત્યાં સુધી સર્વ વિડંબના છે, ત્યાં સુધી મનુષ્યો અન્ય મનુષ્યોની આગળ દીન વચનો બોલે છે, ત્યાં સુધી દુર્ગતિઓનો સદ્ભાવ છે, ત્યાં સુધી રોગોનો સમુભવ છે, ત્યાં સુધી આ બહુક્લેશવાળો ઘોર સંસારસાગર છે, જ્યાં સુધી સંપૂર્ણ સાવધયોગની ઉપરતિ લક્ષણવાળી આ અત્યંત દુર્લભ પ્રવજ્યા જીવ વડે પ્રાપ્ત કરાતી નથી. 130થી 33II
શ્લોક :
प्रसादाल्लोकनाथस्य, स्वकर्मविवरेण च । यदा तु सत्त्वैर्लभ्यते प्रव्रज्येयं जिनोदिता ।।३४।। तदा निधूय पापानि, यान्ति ते परमां गतिम् । अनन्तानन्दसंपूर्णां, निःशेषक्लेशवर्जिताम् ।।३५ ।। युग्मम्
શ્લોકાર્ય :
લોકનાથના પ્રસાદથી અને સ્વકર્મના વિવરથી વળી જ્યારે ભગવાને કહેલી આ પ્રવજ્યા જીવો