________________
ઉપર
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
રૌદ્રચિત્તનગરનું વર્ણન અને આ બાજુ નંદિવર્ધત અને કતકશેખર પ્રયાણ કરે છે ત્યારે, નંદિવર્ધનની ચિત્તવૃતિમાં શું થાય છે તે સ્થાનને બતાવવા અર્થે કહે છે અને આ બાજુ, દુષ્ટલોકોનું નિવાસસ્થાન, અનર્થરૂપી વેતાલોની ઉત્પત્તિભૂમિ, નરકના દ્વારભૂત, ભુવનના સંતાપનું કારણ, ચોરોની પલ્લિ જેવું રૌદ્રચિત્ત નામનું તગર છે. જેઓના ચિતમાં અતિરોદ્રપરિણામ વર્તે છે તે અંતરંગ રૌદ્રચિત નામનું નગર છે અને તે નગરમાં અત્યંત લિષ્ટ પરિણામરૂપ દુષ્ટ લોકો વસેલા છે તેથી અનેક ષ્ટિભાવારૂપ દુષ્ટ લોકોનું નિવાસસ્થાન રૌદ્રચિત નગર છે. અને જીવમાં અનર્થરૂપ વૈતાલોને ઉત્પન્ન કરે તેવું આ રૌદ્રચિત નગર છે આથી જ રૌદ્રપરિણામવાળા જીવો સ્વપરના અનર્થોનું કારણ બને છે. વળી, નરકનું દ્વાર છે; કેમ કે રૌદ્રચિત્તથી તરકાયુષ્ય બંધાય છે. વળી, ભુવનમાં વર્તતા અન્ય જીવોના સંતાપનું કારણ છે. અને જેમ ચોરોની પલ્લી અત્યંત બીભત્સ હોય છે તેમ રૌદ્રચિત પણ જીવની અત્યંત બીભત્સતાવાળી અવસ્થા છે. અને તે રૌદ્રચિત્તનું સ્વરૂપ તથાદિથી સ્પષ્ટ કરે છે –
શ્લોક :
તથાદિउत्कर्त्तनशिरश्छेदयन्त्रपीडनमारणैः । ये भावाः सत्त्वसङ्घस्य, घोराः सन्तापकारिणः ।।१।।
શ્લોકાર્થ :
ઉત્કર્તન, શિરચ્છેદ, યંત્રમાં પીડન, મારણ આદિ વડે જીવોના સમૂહને સંતાપ કરનારા ઘોર ભાવવાળા જે જીવો છે. ||૧||
શ્લોક :
ते लोकास्तत्र वास्तव्या, रौद्रचित्तपुरे सदा । तस्मात्तढुष्टलोकानां, निवासस्थानमुच्यते ।।२।।
શ્લોકાર્ધ :
તે લોકો રૌદ્રચિત્તનગરમાં સદા વસનારા છે. તે કારણથી તે રોદ્રચિત્તનગર, દુષ્ટલોકોનું નિવાસસ્થાન કહેવાય છે. રા
બ્લોક :
कलहः प्रीतिविच्छेदस्तथा वैरपरम्परा । पितृमातृसुतादीनां, मारणे निरपेक्षता ।।३।।